મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

17 October, 2021

આલ્ફ્રેડ નોબેલ

 આલ્ફ્રેડ નોબેલ

ડાયનેમાઇટના શોધક

(જેમના નામથી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે)



પુરુનામ: આલ્ફ્રેડ  ઇમન્યુઅલ બર્નાર્ડ  નોબેલ
જન્મતારીખ: 21 ઓક્ટોબર 1833

જન્મસ્થળ: સ્ટોકહોમ (સ્વીડન)

પિતાનું નામ:ઇમન્યુઅલ

માતાનું નામ: કૈરોલિના અડ્રાઇટ

અવશાન: 10 ડિસેમ્બર 1886 (સનરીમો, ઇટલી)

પ્રસંગ

ઇ.સ.1888ની આ ઘટના છે. એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફીનો કપ લઇને દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનું ધ્યાન એક સમાચાર પર ગયું અને એને ધ્રુજારી છૂટી ગઇ. કોઇના મૃત્યુના સમાચાર હતા છતાં સમાચાર વાંચતા જ પરસેવો વળવા લાગ્યો કારણ કે, મૃત્યુ પામનાર વ્યક્તિ તરીકે એનું પોતાનુ જ નામ હતું. કોઇની ભૂલથી જ આ નામ છપાયું હશે કારણ કે, એ તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર ફોન કર્યો તો સામે જવાબદાર વ્યક્તિએ ભૂલ સ્વીકારીને માફી માગી.

આ માણસને થયું કે હું પૂરેપૂરા સમાચાર વાંચું, જેથી મને ખબર પડે કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે. સમાચારનું મથાળું હતું, ‘મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.’ અને એમાં લખેલું હતું, ‘અગાઉ ક્યારેય નહોતા મરતા એટલી ઝડપથી લોકોને મારવા માટેનો રસ્તો શોધીને તેના દ્વારા ધનવાન બનેલા માણસનું ગઇકાલે મૃત્યુ થયું.’ આ શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત્ત ચકરાવે ચડ્યું. ‘શું દુનિયા મને મારા મૃત્યુ બાદ મોતના સોદાગર તરીકે ઓળખશે? લોકોને મારી-મારીને હું ધનવાન બન્યો છું એ વાત આ જગત યાદ રાખવાનું છે? હું એવું બિલકુલ નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે ઓળખે. મારે દુનિયાને મારો પરિચય ‘મોતના સોદાગર’ તરીકે નહીં કંઇક જુદી રીતે જ આપવો છે.’

આ માણસે બહુ વિચાર કરીને 7 વર્ષનાં મનોમંથન બાદ 27મી નવેમ્બર 1895ના રોજ એક વસિયત તૈયાર કરી અને પોતાની તમામ સંપતિમાંથી 94% જેટલી રકમ દાનમાં આપીને એક ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક ભંડોળ ઊભું કર્યુ અને એ ભંડોળ પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું સૌથી મોટું ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત માટે અને માનવતા માટે કંઇક કરનાર અને જુદા-જુદા પાંચ મહત્ત્વનાં ક્ષેત્રમાં – ચિકિત્સા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય અને વિશ્વશાંતિ માટે વિશિષ્ટ યોગદાન આપનાર લોકોને વર્ષ 1901થી આ ઇનામ આપવાની શરૂઆત થઇ. સ્વીડનની મધ્યસ્થ બેંકની 300મી વર્ષગાંઠની ઉજવણી વખતે બેંક તરફથી નોબેલ ફાઉન્ડેશનને મોટી રકમ દાનમાં આપીને 1969ના વર્ષથી પાછળથી અર્થશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ કામ કરનારને પણ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત થઇ એટલે હાલમાં અત્યારે 6 ક્ષેત્રમાં આ પુરસ્કાર અપાય છે. વિશ્વના સૌથી મોટા પુરસ્કારની શરૂઆત કરાવવાના કારણે એ માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને મોતના સોદાગર તરીકે નહી પરંતુ નોબેલ પ્રાઇઝના સ્થાપક તરીકે ઓળખે છે. આ માણસ હતો ડાઇનામાઇટની શોધ કરનાર ડૉ. આલ્ફ્રેડ નોબેલ.


ડૉ. આલ્ફ્રેડ નોબેલના ભાઇના અવસાન બાદ ફ્રેન્ચ સમાચાર પત્ર ‘ઇરોનિયસ’માં ભૂલથી એમના ભાઇને બદલે ડૉ. આલ્ફ્રેડના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ થયા અને આ જગતને ‘નોબેલ પારિતોષિક’ની ભેટ મળી.

આલ્ફ્રેડ નોબલનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ના રોજ સ્વિડન દેશની રાજધાની સ્ટોકહોમમાં થયો હતો.


 પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા. 

નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા. 


તેમનું શરૂનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે ફ્રાન્સ અને અમેરીકામાં રહ્યાં. 

તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષત: દાનવીર તરીકેની છે. 


નોબલના નામે ૩૫૫ પેટન્ટની નોંધણી થયેલી છે. જેમા તેમણે રબર, ચામડું, કૃત્રિમ સિલ્ક જેવી અનેક વસ્તુઓનું સંશોધન કર્યા પછી ડાયનેમાઈટનું સંશોધન કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સંશોધનના પરિણામે સમગ્ર દુનિયામાં વિકાસ કાર્યોને નવી ગતિ અને દિશા મળી હતી. ડાયેમાઈટના વિકાસની પ્રક્રિયામાં તેમને ઘણું નુકસાન પણ થયું હતું તેમ છતાં તેઓ દૃઢ નિશ્ચયી રહ્યા હતા. તેમણે ખતરનાક વિસ્ફોટક 'નાઈટ્રોગ્લિસરીન'નો ઉપયોગ કરીને ડાયનેમાઈટનો સંશોધ કરીને 1867માં ઈંગ્લેન્ડમાં તેના પર પેટન્ટ મેળવી હતીતેમાં સૌપ્રથમ ગન પાવડર બનાવવાની રીત હતી. તે પછી નાઈટ્રો-ગ્લિસરીનનો ઉપયોગ, ડિટોમિટર, બ્લાસ્ટીંગ કેપ અને ૧૮૬૭માં શોધાયેલ ડાઈનેમાઈટ હતું.


 ડાઈનેમાઈટના નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ વિશ્વમાં ભાવિ સંશોધનો માટે સતત સચેત હતા. 


૧૮૮૪માં તેઓ રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સમાં સક્રિય સભ્ય તરીકે ચૂંટાયા હતા. 


ડાયનેમાઇટના શોધક ડૉ. આલ્ફ્રેડ નોબેલે વૈજ્ઞાનિક શોધો દ્વારા અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત કર્યું હતું. 


તેમણે કમાયેલા ધનનો વ્યાજબી ઉપયોગ માટે ૨૯ જૂન ૧૯૦૦ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપની થઈ. 


તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે.


 ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે. 


વિશ્વ ઈતિહાસમાં નોબલ પુરસ્કારથી મોટો બીજો કોઈ પુરસ્કાર નથી.


ડો. આલ્ફ્રેડ નોબેલ(Alfred Nobel) દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલી વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.


આલ્ફ્રેડ નોબલનું અવસાન ૧૦ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ  સનરીમો (ઈટલી)માં થયું હતું. તેમના અવશાન સમયે તેમની સાથે કોઇ હતુ નહિ તેઓ એકલા જ હતા. 


આલ્ફ્રેડ નોબલે શોધેલ ડાયનેમાઇટનો ઉપયોગ લોકો વિધ્વંશક કામ માટે કરશે તેવો તેમને હંમેશા ડર રહેતો હતો આથી તેમને  પોતાના મૃત્યુ પહેલા એક મૃત્યુપત્ર લખ્યો હતો. જેમા તેમણે લખ્યુ હતુ કે મારી સંપત્તીનો ઉપયોગ સત્કાર્ય માટે થવો જોઇએ એવી મારી ઇચ્છા છે, ડાયનેમાઇટની સામગ્રીમાંથી મળેલ પૈસાથી એક નોબેલ પ્રાઇઝ આપવામા આવે. આ પ્રાઇઝ વૈજ્ઞાનિક, શાસ્ત્રો, શાંતિ, માટે કાર્ય કરતા વ્યક્તિઓને આપવામાં આવે.


ડાયનામાઈટ ની શોધ કરનાર અને જગતના ઘણા દેશોમાં તેની ફેકટરીઓ સ્થાપનાર અપરિણીત શોધક આલ્ફ્રેડ નોબેલ સ્વભાવે "મની-માઈન્ડેડ "હતો.

મૃત્યુ પછી બધી મિલકત પોતાના માનીતા ભત્રીજાઓને વારસામાં આપવાને બદલે ઇનામ વિતરણ નો ખ્યાલ તેના મગજમાં ભાગ્યે જ આવ્યો હોત,એક ફ્રેંચ અખબારે નોબેલના જીવતા જીવત તેની મરણ નોંધ ભૂલથી છાપી દીધી. 

અખબારે "મોતના સોદાગરનું મૃત્યુ "એવા શીર્ષક સાથે સમાચારનું પ્રથમ વાક્ય એમ લખ્યું કે- "માણસોનું ઝડપી મોત નીપજાવીને પૈસાદાર બનેલ ડો.આલ્ફ્રેડ નોબેલનું ગઈ કાલે અવસાન નીપજ્યું છે." 

આ સમાચાર વાંચીને નોબેલ ગુસ્સે થયો અને પોતાની નકારાત્મક છાપ ભૂંસી નાખવા અને ગૌરવ પૂર્ણ યાદગીરી છોડી જવા તેમણે વસિયત નામું બનાવ્યું. 


તેમાં તેમણે પોતાની કુલ સંપતિના 94% જેટલી સંપતિ ભૌતિકશાસ્ત્ર ,રસાયણશાસ્ત્ર,તબીબીશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વ શાંતિ આ પાંચ ક્ષેત્રોમાં યોગદાન આપનાર યોગ્ય વ્યક્તિઓને પારિતોષિક એનાયત કરવા માટે અનામત રાખી. બાદમાં 1969માં અર્થશાસ્ત્રને ઉમેરવામાં આવેલ છે એટલે હવે છ ક્ષેત્રોના વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવે છે,



નોબેલ પુરસ્કારની(Nobel Prize) શરૂઆત 10 ડિસેમ્બર, 1901માં થઈ હતી. એ સમયે રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace)માં અપ્રતિમ યોગદાન માટે સૌ પ્રથમ વખત આ પુરસ્કાર અપાયો હતો. આ પુરસ્કારમાં એ સમયે લગભગ રૂ.5.50 લાખની રકમ આપવામાં આવી હતી. જોકે, સમયની સાથે-સાથે નોબેલ પ્રાઈઝમાં આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવતો રહ્યો છે. વર્ષ 2019ના નોબેલ પ્રાઈઝ માટે દરેક વિજેતાને 9 મિલિયન સ્વિડિશ કોર્નોર ઈનામ તરીકે આપવાનો સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે.


નોબેલ પુરસ્કાર આપવાની  શરુઆત 1901થી થઇ છે. પ્રથમ નોબેલ મેળવનાર વ્યક્તિઓ (1) વિલિયમ્સ રોન્જન- ભૌતિક શાસ્ત્ર (2) જેકોબસ હેનરિકસ વેન- રસાયણ શાસ્ત્ર (3) એમીલ એડોલ્ફ વોન બેહરીંગ- તબિબિ (4) રેને ફ્રાંસકોઇસ અર્માન્ડ -સાહિત્ય (5) હેંરી દુનન્ટ અને ફેડ્રીક પેસે-શાંતિ


2020 સુધીમાં 603 પુરસ્કાર 962 વ્યક્તિઓને આપવામાં આવેલ છે.



સૌથી વધુ નોબેલ પ્રાઇઝ મેળવનાર દેશ અમેરિકા છે જેને 400 જેટલા પ્રાઇઝ મળેલ છે, બીજા નમ્બરે 138 પ્રાઇઝ સાથે બ્રિટન અને 111 પ્રાઇઝ સાથે ત્રીજા નંબરે જર્મની છે.


નોબેલ ઇનામના વિજેતાઓને અપાતો રકમનો આંકડો એક સરખો જળવાતો નથી. રકમ બદલાતી રહે છે કેમ કે ઇનામની રકમ આલ્ફ્રેડ નોબેલે સ્થાપેલા ફાઉન્ડેશનને તેના મૂડી રોકાણ દ્વારા થતી આવક પર અવલંબે છે, જેનું ધોરણ એક સરખું જળવાતું નથી. એક સમયે વિજેતાને 31000 ડોલર મળતા,પછી તે વધીને 62000 ડોલર થયો, તો આજે રકમ અંદાજે 13,00,000 ડોલર કરતા પણ વધુ છે. વિજેતા બે હોય તો તેમની વચ્ચે રકમ વહેંચી દેવામાં આવે છે.

કોઈ વિજેતા કદાચ ઇનામ લેવાની ના પાડે તો પણ નોબેલ સમિતિ ના ચોપડે તેનું નામ વિજેતા તરીકે દર્જ રહે છે

ભૌતિકશાસ્ત્ર સહિતના પાંચ નોબેલ પુરસ્કારો સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં અપાય છે. શાંતિના નોબેલ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી સ્વિડનને બદલે નોર્વેમાં થાય છે. નોર્વેની પાર્લામેન્ટે નીમેલી સમિતિ એ કાર્ય સંભાળે છે.વિજેતાને શાંતિનું ઇનામ પણ સ્વિડનના સ્ટોકહોમ ને બદલે નોર્વેના ઓસ્લો નગરમાં અપાય છે.

નોબેલ ઇનામના વિજેતાને નગદ રકમ ઉપરાંત લગભગ 200 ગ્રામ વજન નો અને 66 મિલી મીટર વ્યાસ નો ચંદ્રક અપાય છે.ચંદ્રક બનાવવા માટે 1980 સુધી 23 કેરેટ જેટલી શુદ્ધતા વાળું સોનું વપરાતું,પણ હવે 18 કેરેટના સોના પર સો ટચનો 24 કેરેટના સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે.વિજેતાનું નામ પણ કોતરેલું હોય છે.


ઈ.સ.1930 માં ભારતના જાણીતા વૈજ્ઞાનીક ડો.સી.વી.રામન ને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. 

1998ના વર્ષમાં મૂળ ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનું નોબેલ  મળ્યું હતું.

શાંતિના નોબેલ પુરસ્કાર માટે ગાંધીજીનું નામ 1937 થી 1948 સુધીમાં કુલ પાંચ વખત સુચવાયું હતું,પણ એકેય વાર તે પસંદગી ન પામ્યું


નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતીય


1. રવિન્દ્રનાથ ટાગોર- 1913 (સાહિત્ય)

2. ડો. સી.વી.રામન -1930 (ભૌતિક વિજ્ઞાન)

3. ડૉ. હરગોવિંંદ ખુરાના -1968 (તબિબી)- ભારતીય મૂળ અમેરિકન

4. મધર ટેરેસા - 1979 (શાંતિ)

5. સુબ્રમણ્યમ ચંદ્રશેખર - 1983 (ભૌતિક વિજ્ઞાન)- ભારતીય મૂળ અમેરિકન

6. અમર્ત્ય સેન - 1998 (અર્થશાસ્ત્ર)

7. વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપોલ-2001 (સાહિત્ય)

8. વેન્કટરમન રામકૃષ્ણન- 2009 (રસાયણ વિજ્ઞાન)-  ભારતીય મૂળ અમેરિકન

9. કૈલાસ સત્યાર્થી - 2014 (શાંતિ)-  ભારતીય મૂળ અમેરિકન

10. અભિજીત બેનર્જી -2019 (અર્થશાસ્ત્ર)

વર્ષ 2021ના નોબેલ પ્રાઇઝ વિજેતા

વર્ષ 2021માં કુલ 13 વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ મળશે જેમાથી શાંતિ માટે 2, રસાયણ વિજ્ઞાનમાં 2, ભૌતિક વિજ્ઞાનમાં 3, અર્થશાસ્ત્રમાં 3 સાહિત્યમા 1 અને તબિબી ક્ષેત્રે 2 

આમ 2021 સુધીમાં કુલ 975 વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ મળશે.

આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર રશિયા અને ફિલિપાઇન્સના બે પત્રકારો, મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને સંયુક્તપણ એનાયત થશે



 વર્ષ 2021 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે. અબ્દુલરજાકને ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના કરૂણામય ચિત્રણને લઇને સન્માનિત કરવામાં આવ્યા છે. 



ડેવિડ જુલિયસ અને આર્ડેમ પાટાપૌટિયનએ તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. આ બેઉ પત્રકારોને અભિવ્યક્તિની આઝાદીની હિમાયત અને સુરક્ષા બદલ પ્રતિષ્ઠિત નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે.



સ્યુકુરો માનેબે, ક્લાઉસ હૈસલમેન અને જિયોર્જિયો પેરિસીને સંયુક્ત રીતે 2021માં ફિઝિક્સ્નો નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે.



બેંજામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલાનને 2021માં રસાયણ વિજ્ઞાનનો નોબેલ પ્રાઇઝ મળશે.આ જોડીને “અસમપ્રમાણ ઓર્ગેનોકેટાલિસિસના વિકાસ માટે” ઇનામ આપવામાં આવ્યું હતું. 




11 October, 2021

નવરાત્રી- નવમું નોરતું

નવરાત્રી- નવમું નોરતું

માઁ  સિદ્ધિદાત્રી


या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

મા દુર્ગાના નવમા સ્વરૂપનું નામ ‘સિદ્ધિદાત્રી’ કહેવાય છે. 

 તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. 

હિમાચલના નંદા પર્વત પર તેમનું પ્રસિદ્ધ તીર્થ છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એમ આઠ સિદ્ધિ છે. આ દેવીની યોગ્ય વિધિ-વિધાન સાથે ઉપાસના કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી શિવજીએ તમામ સિદ્ધિ પ્રાપ્ત કરેલી.

તેમની કૃપાથી જ શિવજી અર્ધનારીશ્વર બન્યા. તેમના નીચેના જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે. નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે. નવમા નોરતે વિધિ-વિધાન સાથે તેમની ઉપાસના કરવામાં આવતી હોય છે. તેમની સાધનાથી તમામ પ્રકારની લૌકિક અને પરલૌકિક કામના પૂરી થાય છે.


આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.


માર્કર્ંડય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે, એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધદાત્રી છે. 

બ્રવૈવત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્પા, મહિમા, ઈશિત્વવશિત્વ, સર્વ કામ સાધના પરકાયા-પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકત્વ, ભાવનાસિદ્ધિ, આ અઢાર સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. 

દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના "અર્ધનારીશ્વર" સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવગંધર્વયક્ષઅસૂર અને સિદ્ધ પણ કરે છે.


દુર્ગાના આ સ્વરૂપ્નું દેવ, ઋષિ-મુનિ સિદ્ધ યોગી-સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે.

નવરાત્રી- આઠમું નોરતું

 નવરાત્રી- આઠમું નોરતું

માઁ મહાગૌરી


મા દુર્ગાના આઠમા સ્વરૂપનું નામ ‘મહાગૌરી’ કહેવાય છે. આ દિવસને મહાષ્ટમી કહેવાય છે. આ દિવસને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે.

એમનો વર્ણ ગૌર છે અને તેમને ચાર ભૂજાઓ છે, શુભ્ર વસ્ત્રધારી છે, એમને ત્રણ નેત્રો છે. 

તેમનું વાહન ‘વૃષભ’ (બળદ) છે, 

જમણા હાથમાં અભયમુદ્રા, અને નીચેના હાથમાં કરમુદ્રા છે, દક્ષિણ હાથમાં ડમરુ છે. 

નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો, જ્યારે શિવજીએ ગંગાજળ મસળી તેમના દેહને ધોયો, ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો તે અત્યંત ગૌર બની ગયો, તેથી વિશ્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયાં

તેમના ગૌરવર્ણની તુલના શંખ, ચંદ્ર અને મોગરાના ફૂલ સાથે કરવામાં આવી છે. 

તેમના તમામ વસ્ત્રો અને આભૂષણો સફેદ છે. એટલે જ તેમને ’શ્વેતાંબરધરા’  કહેવામાં આવે છે. 

ચારભુજાવાળી આ દેવી વૃષભ પર બિરાજમાન હોવાથી વૃષારુઢા પણ કહેવાય છે.

 આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના કરવી જોઈએ.

 શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે.

પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે

10 October, 2021

નવરાત્રી‌- સાતમું નોરતું

 નવરાત્રી‌- સાતમું નોરતું

માઁ કાલરાત્રી


આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે.


આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી ‘કાળરાત્રિ’ કહેવાયા

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. 

તેમનું સ્વરૂપ ગાઢ અંધકાર જેવું કાળું છે, ભયાનક છે, વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુત જેવી ચમકદાર માળા છે. તેમના ત્રણ નેત્ર છે. ત્રણેય બ્રહ્માંડ જેવા ગોળ છે. તેમના શ્વાસમાંથી અગન ઝરે છે. તેમનું વાહન છે ગર્દભ. જમણી બાજુ ઉપરનો હાથ વરદાનની મુદ્રામાં ઊઠેલો છે. નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુ ઉપરના હાથમાં લોઢાનો કાંટો છે, નીચેના હાથમાં ખડગ છે. તેમનું સ્વરૂપ ભલે ભયાનક હોય, પણ તે હંમેશા શુભ ફળ આપે છે.

તેમની ઉપાસનાથી સિદ્ધિના તમામ દરવાજા ખૂલી જાય છે. આસુરી શક્તિ તેમના નામથી ભયભીત થઈને ભાગી જાય છે. તે ગ્રહપીડા દૂર કરે છે. અગ્નિ, જળ, જંતુ, રાત્રી, શત્રુ આદિનો ભય પણ દૂર કરે છે

 તેઓનું વાહન ગર્દભ છે. (શીતળા માતાનું વાહન પણ ગર્દભ હોય છે.) 

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું.

 શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.

 તેમનું એક નામ ‘શુભંકરી’ છે, ભક્તોએ કોઈપણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે મા ‘કાળરાત્રિ’ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે.

આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

 નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

માઁ કાત્યાયની માતા


નવરાત્રીના છઠ્ઠા દિવસે માઁ નવદુર્ગાનાં  કાત્યાયની સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

 દિવ્ય રૂપ કાત્યાયની દેવીનું શરીર સોના કરતા પણ વચારે ચમકતું છે.

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે.

 તેમનું વાહન સિંહ છે.

 

પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. 


કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. 


યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે


 એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.


વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા માટે યમુનાકાંઠે કાત્યાયની પૂજા-તપ કર્યુ હતું તેથી તેઓ વ્રજમંડળની અધીશ્ર્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માના ભક્તો - સાધકોથી તેમની ઉપાસનાથી રોગ-શોક સંતાપ, ભયમુક્ત થાય છે અને ભક્તિથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. 


લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે તેમની પૂજા અચૂક કરવામાં આવે છે. યોગ્ય અને ઇચ્છિત વર તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. 



નવરાત્રી‌- પાંચમું નોરતું

 નવરાત્રી‌- પાંચમું નોરતું

માઁ સ્કંદમાતા


મા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ ‘સ્કંદમાતા’ કહેવાય છે.

 તેઓ શૈલપુત્રી બ્રચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયાં તેથી સ્કંદ તેમના પુત્રરૂપે પ્રગટ થયા તેમની માતા હોવાથી ‘સ્કંદ માતા’ કહેવાયા. 

તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. . દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. 

આ સ્કંદ દેવોના સેનાપતિ હતા, પુરાણો અનુસાર તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે.

તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

સ્કંદા માતાની વનસ્પતિ અળસી છે. અળસીથી પિત્ત, વાત, કફ અને ત્રીદોષનો નાશ થાય છે.

 સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તો - સાધકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ - સુખનો અનુભવ મળે છે.

પહાડ પર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરનારી માતાનું નામ છે, સ્કંદમાતા.

સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તે સ્કંદમાતા તરીકે ઓળખાય છે. 

ભગવાન સ્કંદ બાળ સ્વરૂપે તેમના ખોળામાં બિરાજમાન છે. તેમના નીચેના હાથમાં કમળ પુષ્પ છે. ડાબો હાથ વરદ મુદ્રામાં છે. શુભ્ર વર્ણવાળાં આ દેવી કમળના આસન પર બેઠા છે.

આથી જ તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે.

 તેમની આરાધના કરવાથી સર્વ ઇચ્છા પૂરી થઈ જાય છે. 

સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિ પ્રાપ્ત કરે છે. 

મનને પવિત્ર અને એકાગ્ર રાખીને તેમની આરાધના કરનારને ભવસાગર પાર કરવામાં કોઈ અડચણ પડતી નથી. 

કહેવાય છે કે કાલિદાસ રચિત રઘુવંશમ અને મેઘદૂત સ્કંદમાતાને કારણે જ સંભવ બન્યા.

નવરાત્રી- ચોથું નોરતું

 નવરાત્રી- ચોથું નોરતું

માઁ કૂષ્માંડા


નવરાત્રીના ચોથા દિવસે માઁ કૂષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે.

મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે

પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

 સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.

તેમણે પોતાના મંદ હાસ્યમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું હોવાનું કહેવાય છે.  એટલે જ તેને સૃષ્ટિની આદિ સ્વરૂપા અથવા આદિશક્તિ કહેવામાં આવે છે. કુષ્માંડા અષ્ટભુજાધારી છે. તેમના સાત હાથમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતકુંભ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં સર્વસિદ્ધિ અને રિદ્ધિ પ્રદાન કરનારી જયમાળા છે. તેમને કોળું પ્રિય છે. તેઓ સૂર્યમંડળમાં વાસ કરતાં હોવાથી સૂર્ય સમાન દેદિપ્યમાન છે. અચંચળ અને પવિત્ર મનથી નવરાત્રીની ચોથી રાતે આ દેવીની આરાધના કરવાથી રોગ અને શોકનો નાશ થાય છે. 

કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.

કૂષ્માંડાનો બીજો અર્થ ‘કુ-ઉષ્મા-અંડ = નાનું-ગરમ-અંડ (ઈંડુ-કોસ્મિક ઈંડુ)’ એવો પણ કરાયો છે. અર્થાત તેઓ બ્રહ્માંડનાં રચેતા મનાય છે.  અન્ય એક અર્થ ‘આખું જગત જેના ઉદરમાં છે એવી (દેવી)’ એમ પણ કરાયો છે.  કૂષ્માંડનો એક અર્થ સાકરકોળું; પદકાળું; કોળું પણ થાય છે. આ દેવીને "સિદ્ધિદાત્રી" તરીકે પણ ઓળખાવાય છે અને દેવીને કોળાનો ભોગ પસંદ છે. દેવી કૂષ્માંડા સૂર્યને દિશા અને ઊર્જા પ્રદાન કરે છે અને સૂર્ય દેવીનાં આદેશાનુસાર ચાલે છે તેવી માન્યતા પણ છે


મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે. તેમની શક્તિ બ્રમ્હાંદ પેદા કરનારી છે, તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.

માઁ કૂષ્માંડાની વનસ્પતિ છે- કોળા
કોળા રક્તવિકાર,  એસિડિટી, પેટ વિકાર, શરીરની ગરમી દૂર કરવામા મદદરુપ છે.
કોળામાંથી પેઠા પણ બને છે.


08 October, 2021

નવરાત્રી- ત્રીજુ નોરતુ

 નવરાત્રી- ત્રીજુ નોરતુ

માઁ ચંદ્રઘંટા


યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટારૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રીના ત્રીજા દિવસે માઁ  ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.. 

આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે માઁ ચંદ્રઘંટા. ભગવાન શંકરના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના રૂપમાં સુશોભિત છે, આ કારણે તેમને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.

ચંદ્રઘંટા એટલે ચંદ્રની જેમ ચમકે છે અને શિવજીના મસ્તક પર બિરાજમાન છે.

 નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે.

તેમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

માઁ ચંદ્રઘંંટાની વનસ્પતિ છે- ચંદ્રસૂર અથવા ચર્મહન્તિ
આ વનસ્પતિનો છોડ કોથમીર જેવો હોય છે જે ચરબી ઓછી કરે છે, આંખોનું તેજ વધારે છે, ચામડીને ચમકીલી બનાવે છે
ચરબીને દૂર કરે છે માટે તેને ચર્મહન્તિ કહે છે.

 તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે.

 તેમને દસ હાથ છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો છે અને કમળ, ધનુષ્ય, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા શોભી રહ્યા છે. 

તેમનું વાહન વાઘ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર રહેનારી હોય છે.

ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે

દુષ્ટોનાં દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૃપ ભક્ત અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે.

 એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા – નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. 

તેનાં મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે.

 સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. 

મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. 

માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે. દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.



07 October, 2021

નવરાત્રી- બીજુ નોરતુ

 નવરાત્રી- બીજુ નોરતુ

બ્રહ્મચારિણી માઁ

બીજુ નોરતુ : તપનું પ્રતીક છે માં બ્રહ્મચારિણી


या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

નવરાત્રીના બીજા દિવસે માઁ બ્રહચારિણીની આરાધના કરવામાં આવે છે.. 

સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી.

  બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. 

એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

બ્રહ્મચારિણી માઁ સાથે બ્રાહ્મી વનસ્પતિ જોડાયેલ છે. બ્રાહમી યાદશક્તિ અને આયુષ્ય વધારે છે. આ ઔષધિનુ સેવન કરવાથી અવાજમાં મધુરતા આવે છે,નાડીઓ શુધ્ધ બને છે અને રક્ત વિકાર દૂર થાય છે.

શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.
એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા. 

પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.  

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.

આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયા હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત કરી તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.

માં બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માંના સ્વરૂપને સફેદ વસ્તુઓ અર્પિત કરો જેમ કે મિશ્રી, ખાંડ અથવા પંચામૃત.