મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

30 June, 2021

વસંત-રજબ સ્મૃતિ દિવસ

વસંત-રજબ સ્મૃતિ દિવસ

1 જૂલાઇ



અમદાવાદમાં 100 કરતાં વધુ વર્ષોથી નીકળતી રથયાત્રા એક વર્ષને બાદ કરતા ક્યારેય કોમી રમખાણોનું નિમિત્ત બની નથી.

આ એક વર્ષ એટલે 1946નું વર્ષ. આ વર્ષમાં રથયાત્રા બાદ અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

વર્ષે ૧૯૪૬માં રથયાત્રા હિંસક બની હતી. એ વખતે રથયાત્રા દરમિયાન કોમી હિંસા ભભૂકી ઉઠી હતી. એ વખતે કોંગ્રેસ દ્વારા સેવાદળ નામનુ સંગઠન કાર્યરત હતુ અને કોંગ્રેસનું કામ પણ આઝાદી માટે સંઘર્ષ કરવાનું હતુ. કોંગ્રેસ ભવનમાં ખબર પડી કે હિંસા ભડકી છે એટલે તેના શાંત કરવા માટે સેવાદળના કાર્યકર્તાઓ દોડી ગયા હતા. એમાં વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી પણ હતા. હિંસાત્મક ટોળાએ બન્ને સાથીદારોને મારી નાખ્યા હતા. એ ઘટના પહેલી જુલાઈએ બની હતી. માટે હવેથી પહેલી જુલાઈ 'વસંત-રજબ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવાય છે.

1946માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ, ત્યારે કોમી એખલાસ જાળવી   આ રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી.

 1946 પહેલાં ક્યારેય રથયાત્રામાં કોમી હિંસા થઈ ન હતી

કાલુપુરની એ સમયની રાજમહેલ હોટલ પાસે જ્યારે રથયાત્રા પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, આ ઘર્ષણે પછી કોમી હિંસાનું રૂપ ધારણ કર્યું અને શહેરમાં અનેક વિસ્તારોમાં હિંસા અને આગના બનાવો શરૂ થયા.  આ જ સમયે વસંતરાવ હેગિષ્ટે અને રજબ લાખાણીની જોડી હિંસાને બંધ કરવા આગળ આવી. બંનેએ પોતપોતાની કોમના લોકોને સજાવવાના પ્રયત્નો શરૂ કર્યા. ખાંડની શેરી અને મહાજનવાડામાં ફાટી નીકળેલી હિંસા રોકવા માટે પ્રયત્ન કરતા હતા, ત્યારે ટોળાએ તેમની હત્યા કરી નાખી, વસંતના દૂધેશ્વરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, જ્યારે રજબ અલીને ગોમતીપુરમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા

વસંત હેગિષ્ટેનો જન્મ 16 મે 1906ના રોજ મહારાષ્ટ્રના મરાઠી પરિવારમાં થયો હતો, પણ તેનો ઉછેર અમદાવાદમાં થયો હતો. વસંત પર ગાંધી વિચારોનો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં જોડાયા હતા, અસલાલી સુધી ગાંધીજી સાથે દાંડીકૂચમાં તેમણે ભાગ લીધો હતો. 1932, 1940 અને 1942માં તેઓ જેલમાં પણ ગયા હતા. વસંતરાવ હેગિષ્ટે સેવાદળમાં દાદા નામે ઓળખાતા હતા?

રજબ અલી લાખાણીનો જન્મ 27 જુલાઇ 1919માં કરાંચીમાં થયો હતો. 1935માં તેમનો પરિવાર વતન લીંબડી પરત આવીને વસ્યો હતો. રજબ અલી પણ ગાંધીજીના વિચારોથી પ્રેરિત હતા અને તેમણે અંગ્રેજોની નોકરી ના કરવાનો નિર્ણય કર્યો હતો, તેઓ પણ ગાંધીજી સાથે જોડાયા હતા અને 1938 અને 1942ની લડતમાં સક્રિય ભાગ લીધો હતો,  રજબઅલી સેવાદળમાં માર્કસવાદીના નામે જાણીતાં થયા હતાં. ભાવનગરની શામળદાસ કોલેજમાં લોકશાહી જૂથની રચના કરનારા રજબઅલી ગાંધીજીની આગેવાનીમાં રાજકોટ શહેરમાં સત્યાગ્રહમાં જોડાયા હતા, 1969ના તોફાન બાદ રજબના પરિવારે ધર્માંતર કર્યું હતું

વસંત અને રજબ બન્ને પ્રજાકાર્યોના શોખીન હતા. અમદાવાદમાં સેવાદળમાં બન્ને સાથે થયા અને પછી બન્ને પાક્કા દોસ્ત બની ગયા અને ઘણા કામો તેમણે સાથે કર્યા . એ દિવસે હીંસા ઠારવા પણ બન્ને સાથે જ હિંસા ઠારવા માટે મેદાનમાં પહોંચી ગયા હતા.



બંનેની શહાદતને યાદ કરતા 2015માં અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. જેને 'બંધુત્વ સ્મારક' તરીકે ઓળખવામાં આવે છે. ગાયકવાડ હવેલીમાં બંધુત્વ સ્મારકનું ઉદ્ઘાટન 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું


અમદાવાદમાં જમાલપુર પાસે વસંત-રજબ ચોક આવેલ છે.

1 જૂલાઇ ને અમદાવાદમાં વસંત-રજબની શહાદતની સ્મૃતિમાં કોમી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?




1947મા ઝવેરચંદ મેઘાણી એ વસંત અને રજબની યાદમા  સંસ્મરણાંત્મક ખંડ લખ્યો હતો જેનુ નામ વસંત-રજબ સ્મારક ગ્રંથ હતુ જે તેમનું છેલ્લુ સંપાદન હતુ.

29 June, 2021

દાદાભાઈ નવરોજી

દાદાભાઈ નવરોજી

હિંદના દાદા (‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા)

બ્રિટિસ સંસદમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય



જન્મતારીખ: 4 સપ્ટેમ્બર 1825

જન્મસ્થળ: મુંબઇ

પિતાનું નામ: પાલનજી નવરોજી

માતાનું નામ: માણેકબાઇ

અવશાન: 30 જૂન 1917

ઉપનામ: હિંદના દાદા (‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા)

ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે જેવા ઘણા બધા નામી-અનામી લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ તો દેશની બહારથી પણ આઝાદી માટે લડત લડી રહ્યા હતાં. ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાની બ્રિટિશ શાસિત ભારતને સ્વતંત્ર કરાવવા ચળવળમાં જોડાયા અને તેમાંના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે આપણો દેશ આઝાદ થયો. મિત્રો, આ સ્વાતંત્રસેનાની પૈકી આજે આપણે દાદાભાઈ નવરોજીનો થોડો પરિચય મેળવીએ. દાદાભાઈ નવરોજીને આપણી સ્વાધીનતાના મંત્રદ્રષ્ટા પણ કહેવાય છે.

દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર,1825 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. દાદાભાઈ નવરોજીના પિતા પુરોહિત હતા

૧૮૨૫ ની સાલમાં આપણો દેશ  અંગ્રેજોની કારમી ગુલામી , અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અસહ્ય દમનો માંથી પસાર થઇ રહ્યો હતો. આવા સમયે અંગ્રેજોની ગુલામી માંથી આપણા દેશને સ્વતંત્ર કરવા માટે રાષ્ટ્રભક્તો  ઝઝૂમી રહ્યા હતા.આવા રાષ્ટ્રભક્તો માનું એક અમર નામ એટલે દાદાભાઈ નવરોજી.

દાદાભાઈ  એ બાળપણ માંજ માત્ર ચાર વર્ષની ઉંમરે પિતાજીની હૂંફ ગુમાવી એમના માતા માણેકબાઈ એ ખુબ સંઘર્ષ વેઠીને કાળજી પૂર્વક એમનો ઉછેર કર્યો અને માના વાત્સલ્યસભર ઉછેરના કારણે બાળપણથી જ દાદાભાઈ માં શિક્ષા તથા જ્ઞાન પ્રત્યે લગાવના બીજ રોપાયા અને ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉભરી આવ્યા. બાળપણથી જ મુશ્કેલીઓ અને સંઘર્ષ સાથે જીવનની શરૂઆતના લીધે તેમનામાં આત્મબળ અને આત્મશિસ્તના ગુણોની સંપત્તિનો વિકાસ આપમેળે થયો અને તેઓ આજીવન સારા અને શ્રેષ્ઠ જીવન માટે જાગૃત રહ્યા.

એ સમયે ભારતમાં બાળલગ્ન ની પરંપરા હતી અગિયારમા વર્ષે દાદાભાઈ ના લગ્ન સોરાબજી શ્રોફ ના સાત વર્ષના દીકરી ગુલબાઇ સાથે કરાવવામાં આવ્યા

ગામડાની શાળામાં દાદાભાઈની તેજસ્વીતા અને અનુસાશનમાં વધારે ને વધારે નિખાર આવ્યો. ત્યાર બાદ નેટિવ એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થામાં વધુ અભ્યાસ માટે દાખલ થયા. શિક્ષણની સાથે સાથે શાળામાં કરાવવામાં  આવતી વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓમાં પણ એમણે ઝીણવટ પૂર્વક રસ લીધો અને આમ તેમની નેતૃત્વ શક્તિ ખીલી. ગિલ્લી દંડા એમની પ્રિય રમત આ રમત ને તેઓ “હિંદ ની ક્રિકેટ” કેહતા

યુવાનીમાં પ્રવેશેલા દાદાભાઈ એ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ કોલેજ માં અભ્યાસ કર્યો. કોલેજકાળમાં ગણિત , રાજકીય અર્થ શાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્ય એમના પ્રિય વિષયો રહ્યા. બાળપણથી કરેલા સંઘર્ષ , સંયમ અને શિક્ષણના લીધે તેમનું ચરિત્ર ભરયુવાનીમાં સંપૂર્ણ પણે ખીલ્યું. કોલેજમાં પ્રોફેસર દ્વારા તેમને ” હિંદ કી આશ ” નામનું બિરુદ આપવામાં આવ્યું જે સમય જતા સાચું પડ્યું

દાદાભાઈ એ વિદ્યાર્થીકાળ માં જે જોયું અનુભવ્યું કે દેશની પ્રજા પર અંગ્રેજો દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યો છે. લોકોને પ્રાથમિક હકોથી વિમુખ રાખવામાં આવી રહ્યા છે. એટલે રાષ્ટ્રજનો માં લોકજાગૃતિની અલખ જગાડી રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રને સ્વતંત્ર કરવું જ રહ્યું અને એ માટે એમણે રાષ્ટ્રને સ્વતંત્ર કરવાનો સંકલ્પ કર્યો

કોલેજ પૂર્ણ થયા બાદ તેઓ એલ્ફિસ્ટન કોલેજમાં જ ગણિતના પ્રધ્યાપક તરીકે જોડાયા . એ સમયે પ્રધ્યાપક ના ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત થનારા દાદાભાઈ નવરોઝી પ્રથમ ભારતીય હતા

 પોતે ધંધાકીય કારકિર્દી બનાવવા માગતા હોવાથી તેઓ 30 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા. દાદાભાઈએ ઇંગ્લેન્ડમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શિયલ પેઢીમાં ભાગીદાર બન્યા અને પોતાનું કોમર્શીયલ હાઉસ ઊભુ કર્યુ.

1851માં ધર્મ-સુધારણા માટે ‘રહનુમા-ઈ-મઝદયરન સભા’ની સ્થાપના કરી અને આ સંસ્થા મારફતે ‘રાષ્ટ્ર ગોફતાર’ નામના મુખપત્ર દ્વારા પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યુ.ત્યારબાદ દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક નામનું મેગેઝિન પણ શરૂ કર્યું હતું. 

1859માં ઈન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ. ભારતીય સમાજમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે કોઈ પદ્ધતિસર કામ કરનાર પ્રથમ વ્યક્ત હોય તો એ દાદાભાઈ નવરોજી છે. 

1861માં તેઓએ ધ લંડન અંજુમન નામની સંસ્થા સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. 

1862માં ભારતની વાસ્તવિક પરિસ્થિતિ અને અંગ્રેજ શાસનમાં થયેલી દૂર્દશા તથા ભારતીય પ્રજાની જરૂરિયાતોનો સાચો ખ્યાલ ઈગ્લેન્ડની પ્રજા સુધી પહોચાડવાના ઉદ્દેશથી દાદાભાઈએ ‘ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન’ નામે એક વગદાર સંસ્થાની સ્થાપના કરી.

1869ના જુલાઈમાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી અને મુંબઈના શેરીફે પ્રેમજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં દાદાભાઈનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેમને ₹ 25,000 (આજના કરોડો રૂપિયા બરાબર) આપવામાં આવ્યા હતા. દાદાભાઈએ આ નાણાં તેમની સંસ્થા ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનને દાનમાં આપી દીધા હતા. 

ભાવનગર, કચ્છ અને વડોદરાના રાજાઓએ પણ દાદાભાઈનું સન્માન કર્યું હતું.

 દાદાભાઈએ વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને બ્રિટિશ એજન્ટ સાથેના પ્રશ્નો હલ કરવામાં મદદ કરી જેનાથી ખુશ થઈને મહારાજાએ 1874માં તેમને વડોદરાના દીવાન નિમ્યા હતા. 

દાદાભાઈ કન્યા કેળવણીના પણ અત્યંત હિમાયતી હતા. તેઓ તેમના સાથીઓ સાથે ઘરે ઘરે જઈને માતા-પિતાઓને તેમની દીકરીઓને ભણવા મોકલવા વિનંતી કરતા. તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર ટિળકની સાથે સાથે ગાંધીજીના પણ ગુરુ હતા. 

1886માં બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવવાના હેતુથી દાદાભાઈ ઈગ્લેન્ડ પાછા ફર્યા અને 1892માં ઈગ્લેન્ડ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા. આ રીતે દાદાભાઈ બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા અને તેઓ ભારતીય રાષ્ટ્રવાદના પિતા તરીકે જાણીતા બન્યા.

દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે.

 તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો. 

દાદાભાઈ વિવિધ ક્રાંતિકારી કાર્યક્રમોમાં જોડાઈને 1904માં સ્વરાજની માંગણી કરી હતી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અપમાનિત થતાં તેમણે દાદાભાઈ નવરોજીને પત્ર લખી સલાહ માગી હતી. દાદાભાઈ ગાંધીજીથી લગભગ 44 વરસ મોટા હતા

ગોપાલ કૃષ્ણ ગોખલે અને ગાંધીજી  સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓ દાદાભાઈને એક વરિષ્ઠ સલાહકાર તરીકે આદર આપતા હતા. જેને કારણે એમને હિંદના દાદાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.

દાદાભાઈનું જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું. આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા દાદાભાઈના જીવનનો 30 જૂન, 1917 ના રોજ અંત આવ્યો હતો. 

93 વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું. 



ભારતીય ટપાલ ખાતાએ દાદાભાઈ નવરોજીની પહેલી ટપાલટિકિટ 1963માં જ્યારે બીજી 1997માં અને ત્રીજી 2017માં બહાર પાડી

તેમણે એકવાર કહ્યું હતું કે, ‘સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.’ 

આજે આપણે સ્વાતંત્ર્ય અને આઝાદીના જે મીઠા ફળ ભોગવી રહ્યા છીએ તે મેળવવા આવા અનેક મહાપુરૂષોએ સમગ્ર જીવન ન્યોછાવર કરેલું. આપણા સૌની નૈતિક ફરજ છે કે તેઓને યાદ કરી તેમના જીવનમાંથી દેશપ્રેમ અને રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના કેળવીએ.

અભ્યાસી, નીડર, રાષ્ટ્રપ્રેમી એવા દાદાભાઈની સ્મૃતિમાં ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ એવાં ત્રણ-ત્રણ રાષ્ટ્રોમાં રસ્તાઓનું નામકરણ થયું. 

ત્રણ-ત્રણ રાષ્ટ્રોમાં જેની ખ્યાતિ હોય એવી વિરલ વિભૂતિ દાદાભાઈ હતા.

તેમણે સૌ પ્રથમ દેશને ‘સ્વરાજ્ય’ સૂત્ર આપ્યું હતું.  આજના આધુનિક ભારતનું નિર્માણ કરનાર દાદાભાઈ નવરોજીને  શત શત પ્રણામ.

26 June, 2021

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

 

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય


જન્મતારીખ: 27 જુન 1838

જન્મસ્થળ; કંથાલપરા, પરગણા, પશ્ચિમ બંગાળ

પિતાનું નામ: યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય 

અવશાન: 8 એપ્રિલ 1894 (કલકતા)


બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમનાં લખાણથી માત્ર બંગાળી સમાજને જ નહીં પણ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો.

ભારતના રાષ્ટ્રગીતના લેખક બંકિમચંદ્ર ચેટર્જીની  જન્મજયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમનો જન્મ 27 જૂન 1838 માં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કંથલપરા નામના ગામમાં એક સમૃદ્ધ અને પરંપરાગત બંગાળી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ બંકિમચંદ્ર ચેટર્જી હતું, પરંતુ લોકો તેમને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તરીકે પણ બોલાવે છે. તે એક પ્રખ્યાત બંગાળી નવલકથાકાર, કવિ અને પત્રકાર હતા.

19 મી સદીના અંત અને 20 મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમના લખાણોથી કાર્યકરોને પ્રેરણા મળી. એટલું જ નહીં, તેમના દ્વારા રચિત રાષ્ટ્રગીત 'વંદે માતરમ' એ આઝાદીની લડત દરમિયાન ક્રાંતિકારીઓને પ્રેરણા આપી, જેના પર દરેક ભારતીય આજે પણ ગર્વ અનુભવે છે.

તેમના પિતા યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય મિદનાપુરના નાયબ કલેક્ટર હતા. તેમના ભાઇ સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ એક નવલકથાકાર હતા અને તેમના દ્વારા લખાયેલ 'પલામૌ' પુસ્તક ખૂબ પ્રખ્યાત હતું.

બંકિમચંદ્રનું પ્રારંભિક શિક્ષણ મિદનાપુરમાં થયું, તે પછી તે હુગલીની મોહસીન કોલેજમાં જોડાયા અને લગભગ 6 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. 1856 માં, તેઓ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ગયા, જ્યાંથી તેમણે 1859 માં બી.એ. કર્યુ,  આ પછી તેમણે વર્ષ 1869 માં કાયદાની ડિગ્રી પણ મેળવી.

જ્યારે બંકિમચંદ્ર ચેટર્જી માત્ર 11 વર્ષના હતા, ત્યારે તેમના લગ્ન થયા. લગ્ન સમયે તેની પત્ની માત્ર 5 વર્ષની હતી. જ્યારે તે 22 વર્ષના થયા ત્યારે તેમની પત્નીનું નિધન થયું. પ્રથમ પત્નીના અવસાન પછી, તેમણે બીજા લગ્ન રાજલક્ષ્મી સાથે કર્યા.

તેમણે ઘણી નવલકથાઓ અને કવિતાઓ લખી હતી, તેમના ઘણા લખાણોએ લોકોમાં ક્રાંતિકારક વિચારોને જાગૃત કરવા માટે કામ કર્યું હતું.તેમની નવલકથાઓ એટલી પ્રખ્યાત થઈ કે તેમનો અનુવાદ અન્ય ભારતીય ભાષાઓમાં પણ કરવામાં આવ્યો.

બંકિમ ચંદ્રએ તેમની પ્રથમ બંગાળી નવલકથા રોમાંસ પર આધારિત 'દુર્ગેશાનંદિની' લખી હતી, જે વર્ષ 1865 માં પ્રકાશિત થઈ હતી. તેમની સૌથી પ્રખ્યાત નવલકથા 'આનંદ મઠ' હતી જે વર્ષ 1882 માં પ્રકાશિત થઈ હતી. આનંદમઠમાં જ વંદે માતરમ ગીત છે, જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.

ચટ્ટોપાધ્યાયની પહેલી નવલકથા અંગ્રેજીમાં , રાજમોહનની પત્ની (1864) હતી 

તેમની ઘણી નવલકથાઓ છે જેમ કે કપાલકુંડલ (1866), મૃણાલિની (1869), વિષવૃક્ષ  (1873), ચંદ્રશેખર (1877), રજની (1877), રાજસિંહ (1881) અને દેવી ચૌધારણી (1884) ખૂબ પ્રખ્યાત થઈ. નવલકથા સિવાય તેમણે 'કૃષ્ણ ચરિત્ર', 'ધર્મતત્વ' અને 'દેવતત્વ' વગેરે સહિતના ઘણા પુસ્તકો પણ લખ્યા. તેમણે હાસ્ય-વ્યંગથી ભરપૂર 'કમલાકાંતેર દફ્તર' જેવી રચનાઓ પણ લખી છે.

અભ્યાસ પૂરો કર્યા પછી, બંકીમચંદ્ર ચેટર્જીને જેસોરના નાયબ કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ નાયબ મેજિસ્ટ્રેટ પદ પર રહ્યા.. તેઓ થોડા સમય માટે બંગાળ સરકારના સચિવ તરીકે પણ રહ્યા હતા અને વર્ષ 1891 માં તેઓ સરકારી નોકરીથી નિવૃત્ત થયા.

1870 - 1880 ના દાયકામાં બ્રિટિશ શાસકોએ સરકારી કાર્યક્રમોમાં 'ગોડ સેવ ક્વીન' ગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું, જેનાથી બંકિમચંદ્ર ચેટર્જી ખૂબ નારાજ થયા. આ પછી, 1875 માં, આ ગીતના વિકલ્પ તરીકે, તેમણે સંસ્કૃત અને બંગાળીના મિશ્રણ સાથે એક ગીત બનાવ્યું અને તેને 'વંદે માતરમ' નામનું શિર્ષક આપ્યું.

બ્રિટીશ શાસન સામેની સ્વતંત્રતાની લડતમાં સામેલ ખુદીરામ બોઝ, ભગતસિંહ, અશફાક ઉલ્લાહ ખાન, બટુકેશ્વર દત્ત જેવા સેંકડો ક્રાંતિકારીઓ, વંદે માતરમ્ ગીત ગાતા ગાતા  ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા.. ખાસ કરીને બંગાળના ભાગલા વખતે જાહેર આક્રોશ એ આ ગીતને અંગ્રેજો વિરુદ્ધ હથિયાર બનાવ્યું, પરિણામે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભરમાં વંદે માતરમ ગીત ગાવામાં આવતું હતું.

1896 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં સૌ પ્રથમ ગવાયેલા આ ગીત માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સુંદર સૂર આપ્યો હતો. 24 જાન્યુઆરી 1950 ના રોજ, બંધારણ સભાએ વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું. આ ગીતના પહેલા ગાયક ઓમકારનાથ ઠાકુર હતા.

વંદે માતરમને એક કવિતા તરીકે લખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તે પ્રકાશિત થયેલી 'આનંદમઠ' નવલકથાનો ભાગ બની ગયું હતું.

2003 ના બીબીસી વર્લ્ડ સર્વિસના સર્વેક્ષણમાં 156 દેશોના લોકોએ કરેલા મતદાન મુજબ દૂનિયાના સાત હજાર ગીતો પૈકી ટોપટેનમાં वन्देमातरम् गीत બીજા ક્રમે આવેલ છે

वन्देमातरम् રાષ્ટ્રગીત ગાવામાં યદુનાથ ભટ્ટાચાર્યે તૈયાર કરેલી ધૂન મુજબ 1 મિનિટ 4 સેકન્ડ સમય લાગે છે

વંદે માતરમનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. બંકિમચંદ્રએ વંદે માતરમની રચના 1870ના દાયકામાં કરી હતી.

તેમણે ભારતને દુર્ગાનું સ્વરૂપ માનીને દેશવાસીઓને તેમના સંતાન ગણાવ્યાં હતાં.

તેમણે ભારતને માતા ગણાવ્યાં, જે અંધકાર અને પીડાથી ઘેરાયેલાં છે.

બાળકોને બંકિમચંદ્ર આગ્રહ કરતા હતા કે તેઓ તેમનાં માતાની વંદના કરે અને તેમને શોષણથી બચાવે.

8 એપ્રિલ 1894 માં તેમનું અવસાન થયું. અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તો તેનું નામ 'વંદે માતરમ' રાખ્યું હતું.

લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એવા સાહિત્યકાર હતા કે જેમની કૃતિઓ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણી પ્રખ્યાત છે.. તેમની કૃતિઓનું  ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું અને તે કૃતિઓ પર આધારીત ઘણી ફિલ્મો પણ બની છે.



1952માં હેમેન ગુપ્તાએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠ નવલકથા પર જ આધારિત આનંદ મઠ નામની ફિલ્મ બનાવી હતી



1969માં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં 20પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

તેમને 1894 માં Companion of the Most Eminent Order of the Indian Empire (CMEOIE) બનાવવામાં આવ્યા હતા. 

 તેમણે 1891માં રાય બહાદુરનું બિરુદ આપવામાં આવ્યું હતું.


25 June, 2021

રાજેન્દ્રનાથ લાહિરી

 રાજેન્દ્રનાથ લાહિરી



જન્મતારીખ: 29 જુન 1901

જન્મસ્થળ: પબના, બંગાળ

પિતાનું નામ: ક્ષિતિમોહન લાહિરી

માતાનું નામ: બસંતકુમારી

અવશાન: 17 ડિસેમ્બર 1927 (ગોન્ડા જેલ, ઉત્તરપ્રદેશ)



બનારસમા રાજેન્દ્રનાથ લાહિરીની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા હતી. 9 ઓગસ્ટ, 1925 ના રોજ પં. રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વ હેઠળ, રેલ્વેથી સરકારી તિજોરી લૂંટનારા ક્રાંતિકારીઓમા રાજેન્દ્રનાથ પણ શામેલ હતા. તેમને કાકોરી કેસમાં માત્ર જેલનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ આ કેસમાં તેમને 17 ડિસેમ્બર 1927ના રોજ ગોંડા જેલમાં  ફાંસી આપવામાં આવી હતી. રાજેન્દ્ર નાથ લાહિરી સાચા અર્થમાં વારાણસીના ક્રાંતિકારી જિલ્લા પ્રમુખ હતા.

રાજેન્દ્રનાથ લાહિરીનો જન્મ 29 જૂન 1901 માં બંગાળના પબના જિલ્લાના ભડગા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ક્ષિતિ મોહન શર્મા અને માતાનું નામ બસંત કુમારી હતું.

રાજેન્દ્રનાથ લાહિરીમાં બાળપણથી જ તેમના હૃદય માં દેશભક્તિ હતી કારણ કે તેમના ઘર ની હવા માં દેશભક્તિ ફેલાયેલી હતી. રાજેન્દ્રનાથના પિતા ક્ષિતિ મોહન લાહિરી અને મોટા ભાઈ બંને દેશની સેવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.

એક દિવસ તેના પિતા ક્ષિતિ મોહન લાહિરી અને મોટા ભાઈને બંગાળમાં ચાલી રહેલ અનુશીલન દળની ગુપ્ત પ્રવૃત્તિઓમાં ફાળો આપવા બદલ બ્રિટીશ સરકારે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. ત્યારબાદ રાજેન્દ્રનાથજી આધાર અને શિક્ષણ માટે તેમના મામાના ઘરે આવ્યા. અને તેણે વારાણસીથી તેમનું શિક્ષણ શરૂ કર્યું. કાશી હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ. કર્યું.

જ્યારે રાજેન્દ્રનાથ લાહિરી જીએ 'કાશી હિન્દુ યુનિવર્સિટી' માંથી ઇતિહાસમાં એમ.એ.કરતા હતા તે વખતે તેઓ બંગાળના ક્રાંતિકારી 'યુગાંતર' પક્ષના નેતા શચિન્દ્રનાથ સન્યાલજીને મળ્યા.

રાજેન્દ્રનાથ લાહિરીજીની કડક દ્રઢતા, દેશભક્તિ અને સ્વતંત્રતા પ્રત્યેની જુસ્સા જોઈને સન્યાલજી તેમને સાથે લઈ ગયા અને ત્યારબાદ તેમણે તેમને બનારસથી પ્રકાશિત થનારી બંગવાણી સામયિકના સંપાદનનું કામ સોંપ્યું. અને આ પછી લાહિરીજીને બીજી પાર્ટી 'અનુશીલન' સમિતિની વારાણસી શાખાના સશસ્ત્ર વિભાગના પ્રભારી બનાવવામાં આવ્યા.

બ્રિટિશરો દ્વારા ભારત પરના અત્યાચારોથી દેશને મુક્ત કરવા માટે, ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયો અને બ્રિટિશરો સામે અવાજ ઉઠાવવા માટે તેનો સક્રિય સભ્ય બન્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માંડ્યા.

બ્રિટીશ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન આપવા પૈસાની જરૂરિયાતોને પહોંચી વળવા ક્રાંતિકારીઓ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, આ બેઠક શાહજહાંપુરમાં પંડિત રામ પ્રસાદ 'બિસ્મિલ' ના નિવાસ સ્થાને મળી હતી, જેમાં તમામ ક્રાંતિકારીઓ હાજર હતા.

આ બેઠકમાં બ્રિટિશરો સામે લડવાની લડત લડવાની બ્રિટિશ સરકારની તિજોરીને લૂંટવાની યોજના બનાવવામાં આવી હતી. અને આ યોજનાને સફળ બનાવવા માટે, દરેકના પોતાના કાર્યો સુયોજિત કરવામાં આવ્યા હતા. રાજેન્દ્રનાથજીની આ લૂંટ કેસમાં મહત્વની ભૂમિકા મળી.


"કાકોરી ડકૈતી" ની આ આખી ઘટના ક્રાંતિકારીઓ દ્વારા બ્રિટીશ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિ કરવાના જોખમી ઉદ્દેશથી બ્રિટિશ સરકારની તિજોરી લૂંટવા માટે રામપ્રસાદ બિસ્મિલની આગેવાની હેઠળ 9 ઓગસ્ટ, 1925 ના રોજ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના માત્ર દસ સભ્યોએ ફાળો આપ્યો હતો.

રાજેન્દ્રનાથ લાહિરી

અશફાક ઉલ્લા ખાન

રામપ્રસાદ બિસ્મિલ

ચંદ્રશેખર આઝાદ

ઠાકુર રોશનસિંઘ

સચિન્દ્ર બક્ષી

કેશવ ચક્રવર્તી

બનાવારીલાલ

મુકુંદ લાલ

મન્મથ લાલ ગુપ્તા

આ ઇવેન્ટને સફળ બનાવવા માટે, દરેકે પોતાનું નામ બદલ્યું હતું.

કાકોરી ઘટનાની સફળતા પછી, રામપ્રસાદ બિસ્મિલ લાહિરીને બોમ્બ બનાવવાની તાલીમ લેવા બંગાળ મોકલ્યા. કલકત્તામાં જ આવેલા દક્ષિણેશ્વરમાં તેણે બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેના સિવાય અન્ય ક્રાંતિકારીઓ બોમ્બ બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા.

એક દિવસ, સાથીની થોડીક બેદરકારીને કારણે અચાનક બોમ્બ ફૂટ્યો, જેનો જોરથી ધબકતો અવાજ પોલીસે સાંભળ્યો અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને રાજેન્દ્ર નાથ લાહિરીની ત્યાં હાજર 9 લોકોની ધરપકડ કરી.

તેની ધરપકડ પછી, તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને તેમની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, જેમાં તેને 10 વર્ષની સજા ફટકારી હતી. અને બાદમાં અપીલ પર સજાને 10 વર્ષને બદલે 5 વર્ષ કરી દેવામાં આવી.

 એક પછી એક કાકોરી ડકૈતીમાં સામેલ તમામ મોટા ક્રાંતિકારીઓની બ્રિટિશરોએ ધરપકડ કરી હતી અને આ લૂંટ બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારબાદ રાજેન્દ્રલાહિરીજી પણ તેમની સંડોવણીના કારણે બંગાળથી લખનૌ લાવવામાં આવ્યા હતા. અને આ ઘટનામાં તેની સંડોવણી બદલ તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અને બધી અપીલ અને દલીલો પછી, 6 એપ્રિલ, 1927 ના રોજ, લખનૌની વિશેષ અદાલતે આ ક્રાંતિકારીઓને કાકોરી ઘટનાને અંજામ આપવાનો અને બ્રિટિશ રાજ વિરુદ્ધ સશસ્ત્ર યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવીને મૃત્યુ દંડની સજા સંભળાવી હતી. 

ફાંસીની સજા મળ્યા પછી પણ રાજેન્દ્રનાથ લાહિરીજી હંમેશની જેમ તેમનો તમામ સમય વિતાવતા. તેની દિનચર્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ જોઈને તેમને ત્યાંના જેલરને પૂછ્યું કે પૂજા-પાઠ તો બરાબર છે, પણ તમે આ કસરત કેમ કરો છો, હવે તમને ફાંસી આપવામાં આવશે, તો પછી તમે આ કેમ કરો છો?

ત્યારે જેલરને જવાબ આપતાં રાજેન્દ્રનાથજીએ કહ્યું કે  સ્વાસ્થ્ય માટે કસરત કરવી એ મારો રોજનો નિયમ છે અને મૃત્યુના ડરને કારણે શા માટે હું મારો નિયમ તોડુ?

હું બીજા જન્મમાં વિશ્વાસ કરું છું. અને હું આ કરું છું જેથી બીજા જન્મમાં મને એક મજબૂત શરીર મળે, જેથી બ્રિટીશ સામ્રાજ્યને જમીનમાં ભેળવી શકાય.

ફાંસી અંગે લોકોમાં વધી રહેલા ગુસ્સો, અતિશય દબાણ અને ભારતના તમામ રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલી અનેક અપીલોને કારણે બ્રિટીશ સરકાર ડરી ગઈ હતી. આ કારણોસર સ્વતંત્રતા પ્રેમી રાજેન્દ્રનાથ લાહિરીને ગોંડા જેલમાં મોકલ્યા પછી, અન્ય ક્રાંતિકારીઓના બે દિવસ પહેલા, 17 ડિસેમ્બર, 1927 માં તેને ફાંસી આપવામાં આવી.

શહીદ રાજેન્દ્રનાથ લાહિરીજી, ફાંસીના ફંદાને ચુંબન કરીને 'વંદે માતરમ્' ની બૂમ પાડીને સિંહની ગર્જના કરી. અને કહ્યું ...

 "હું મરી રહ્યો નથી, પરંતુ સ્વતંત્ર ભારતમાં પુનર્જન્મ લેવા જાઉં છું."

અને આની સાથે જ તેણે ગળાફાંસો ખાઇને હસતા-હસતાં જીવનનો ભોગ આપ્યો. અને શહીદ થયા.



સુચેતા કૃપલાણી

 સુચેતા કૃપલાણી

સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી

(ભારતના પ્રથમ મુખ્યમંત્રી,ઉત્તરપ્રદેશના ચોથા મુખ્યમંત્રી)




જન્મતારીખ: 25 જુન 1908

સાચુ નામ: સુચેતા મઝુમદાર

જન્મસ્થળ: અંબાલા, પંજાબ

પિતાનું નામ: સત્યેન્દ્રનાથ એન. મઝુમદાર

પતિનું નામ: આચાર્ય જે.બી. કૃપલાણી

અવશાન: 1 ડિસેમ્બર 1974 (નવી દિલ્હી)


સુચેતા એક સ્વાતંત્ર્ય સેનાની, ભારતીય બંધારણના ઘડવૈયાઓમાંથી એક, ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની અગ્રેસર હતા.

તેમણે ઘણા યુવાનોને રાજકારણમાં જોડાવાની પ્રેરણા આપી. તે આઝાદીની લડત માટે જેલમાં પણ ગઈ હતી. આ મહિલાએ જ 14 ઓગસ્ટ 1947 ના રોજ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના ઐતિહાસિક ભાષણ પહેલાં રાષ્ટ્રગીત ગાયુ હતું.!


તેણી અને તેના પતિએ એક જ છત હેઠળ રહેતા વિવિધ રાજકીય પક્ષોને ટેકો આપ્યો હતો અને તેમના વતી ચૂંટણી લડી હતી.

તેમનો જન્મ પંજાબના (હાલ હરિયાણામાં) અંબાલામાં બ્રહ્મો પરિવારમાં થયો હતો. તેમના પિતા તબીબી અધિકારી તરીકે નોકરી કરતા હતા, તે નોકરીમાં ઘણી બદલી થતી હતી. આને પરિણામે તેઓ હરિયાણા સ્થાયી થયેલા. તેઓ બ્રહ્મો સમાજના અનુયાયી હતા. 

 સુચેતાએ ઘણી શાળાઓમાં અભ્યાસ કર્યો, તેમની અભ્યાસની અંતિમ પદવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસ વિષય મેળવી હતી.

આ તે સમય હતો જ્યારે દેશના વાતાવરણમાં રાષ્ટ્રવાદી ભાવનાઓની ચડતી હતી અને સ્વતંત્રતાની લડત વેગ પકડી રહી હતી.


દેશભક્તિના પાઠ તેમને માતા પિતા પાસેથી મળ્યા, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ત પંજાબમાં જ રહેતા હતા, તે વખતે તેમની ઉમર 11 વર્ષની હતી આ કાંડથી તેમના મનમાં અંગ્રેજો પ્રત્યે નફરત થઇ ગઇ હતી.


1931માં જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી ત્યારે તેઓ લાહોરમાં હતા અને આ ઘટનાથી તેમના મન પર ઉંડી અસર થઇ. આ ત્રણેય શહિદોની અંતીમયાત્રામાં તેઓએ ભાગ લીધો હતો.


સુચેતા જણાવે છે કે, 11 વર્ષની વયે કેવી રીતે તેમણે અને તેમના ભાઇ-બહેનોએ તેમના પિતા અને તેના મિત્રોને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાત કરતા સાંભળ્યા હતા. આનાથી તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ તેઓ સાથે રમતા કેટલાક એંગ્લો-ભારતીય બાળકોને તેમના નામથી ચીડાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.


સુચેતા અને તેની બહેન સુલેખા બંને ભારતની વિસ્તરતી સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે ઉત્સુક હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી પ્રિન્સ ઑફ વેલ્સ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની શાળાની બાલિકાઓને કુડસિયા ગાર્ડન નજીક ઊભા કરવામાં આવ્યા હતા. વેલ્સના રાજકુમાર સન્માનમાં ઊભા રહેવા માટે બન્ને બહેનો ના પાડવા ઇચ્છતી હોવા છતાં, તેઓ ના પાડી શક્યા નહીં, અને તેનાથી તેમને પોતાની ડરપોકતા પર ગુસ્સો આવ્યો.

“અમારું અંતઃકરણ શરમજનક લાગણીથી મુક્ત થઈ શક્યું નહીં. અમને બન્નેને પોતાની કાયરતાને કારણે ખુબ નિમ્ન્તાનો અનુભવ થયો." તેઓ લખે છે.

જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના બાઇબલ વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! 

આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ  અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. 

 તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા. 

ઈ.સ. ૧૯૩૬માં, તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી વ્યક્તિ જે.બી.કૃપલાની સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ ગાંધીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. 



ભારત છોડો આંદોલન દરમિયાન, જ્યારે બ્રિટિશ સરકારે તમામ પુરુષ નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા, ત્યારે સુચેતા ક્રિપ્લાનીએ પોતાની બુદ્ધિચાતુર્યથી  કહ્યું કે , 'બાકીની જેમ હું પણ જેલમાં જતી રહેશ તો આંદોલનને આગળ કોણ ચલાવશે" , . 'આ દરમિયાન તે 2 વર્ષ સુધી ભૂગર્ભમાં રહી અને કોંગ્રેસના મહિલા વિભાગની રચના કરી હતી અને તેણે પોલીસથી છુપાયેલા બે વર્ષ સુધી આ આંદોલન ચલાવ્યું હતું અને તેમાં મહિલાઓ અને છોકરીઓને' અંડરગ્રાઉન્ડ સ્વયંસેવક દળ (अंडरग्राउण्ड वालंटियर फोर्स) 'નામની સેના પણ બનાવી હતી. . આત્મરક્ષણ માટે કવાયત, લાકડીઓ, પ્રાથમિક સહાય અને શસ્ત્રોની તાલીમ પણ. આ સાથે, તેમણે રાજકીય કેદીઓના પરિવારને મદદ કરવાની જવાબદારી પણ લીધી હતી.

સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા

તેમના સમકાલીન અરુણા અસફ અલી અને ઉષા મહેતાની જેમ તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન આગળ આવ્યા. ત્યાર બાદ તેમણે ભારતના ભાગલા સમયે થયેલા રમખાણો વખતે મહાત્મા ગાંધી સાથે મળીને કામ કર્યું હતું. 

ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગાંધીજી સાથે નોઆખાલી ગયા હતા. તેણી કેટલીક એવી મહિલાઓમાંની એક હતી કે જેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતી અને ભારતીય બંધારણના મુસદ્દા તૈયાર કરતી પેટા સમિતિનો ભાગ હતા. તે પેટા સમિતિ ભારતના બંધારણની રૂપરેખા બનાવી. 

૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે, જવાહરલાલ નેહરુએ તેમના પ્રખ્યાત "ટાયરેસ્ટ વિથ ડેસ્ટિની" શીર્ષકનું ભાષણ આપ્યાની થોડી મિનિટો પહેલા, તેમણે બંધારણ સભાના સ્વતંત્રતા સત્રમાં વંદે માતરમ્ ગાયું હતું. 

 તેમણે ઈ.સ. ૧૯૪૦માં ઑલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની સ્થાપના કરી હતી.

મુખ્યમંત્રી બનતા પહેલા, સુચેતા ક્રિપ્લાનીએ આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી સાથે ખભાથી ખભા મીલાવી કામ કર્યુ છે.. તે રાજકારણમાં મહિલાઓની ભાગીદારીની સમર્થક હતી. તે 15 ભારતીય મહિલાઓમાંની એક  હતી જેઓ બંધારણ સભામાં ચૂંટાઈ આવી હતી અને તેઓએ સાથે મળીને ભારતનું બંધારણ રચવામા મદદ કરી હતી.


1939 માં પ્રોફેસર્ની નોકરી છોડી અને રાજકારણમાં જોડાયા.


1940 માં તેમણે ઉત્તર પ્રદેશમાં વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો અને તેમની ધરપકડ કરવામાં આવી.


1941-1942 માં મહિલા વિભાગ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વિદેશ વિભાગના પ્રધાન બન્યા


1942 થી 1944 દરમિયાન ભૂગર્ભમાં ભારત છોડો ચળવળ ચાલુ રાખી, ત્યારબાદ 1944 માં તેમની ધરપકડ કરવામાં આવી.


1946 માં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય.


1946 માં તે બંધારણ સભાના સભ્ય અને પછી તેની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય બન્યા.


1948-1951 દરમિયાન કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય. 


1948 માં પ્રથમ વખત વિધાનસભા માટે ચૂંટાયા.


તે 1950 થી 1952 દરમિયાન પ્રોવિઝનલ લોકસભાના સભ્ય બન્યા


1949 માં, તે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ગયા હતા


1952માં તે શાંતિ સંમેલનમાં ભાગ લેવા જર્મની ગયા હતા.


1952 અને 1957 માં નવી દિલ્હીથી લોકસભા માટે ચૂંટાયા. 

આ દરમિયાન તે નાના ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન રહ્યા હતા


ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મહેદાવાલથી 1962-1967 સુધી ચૂંટાયા.


2 ઓક્ટોબર 1963 થી 13 માર્ચ 1967 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.


1967 માં ગોંડાથી લોકસભા માટે ચૂંટાયા



સ્વતંત્રતા પછી તેઓ રાજકારણમાં સામેલ રહ્યા. ઈ.સ. ૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણીઓ માટે, તેમણે કે. એમ. પી. પી. ની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. આ પાર્ટી એક વર્ષ પહેલા જ તેના પતિ દ્વારા સ્થાપાઈ હતી. જો કે તે પાર્ટીની આવરદા ટૂંકી રહી હતી. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવી હતી. પાંચ વર્ષ પછી, ફરી તેજ જ મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ઈ.સ. ૧૯૬૭માં ઉત્તર પ્રદેશના ગોંડા મતવિસ્તારથી તેઓ છેલ્લી વખત લોકસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.

આ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ બની ગયા હતા. 

ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ સુધી તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી.

ઑક્ટોબર ૧૯૬૩ માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા અને આ સાથે તેઓ ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ સંભાળનારી પ્રથમ મહિલા બન્યા. 

તેમના કાર્યકાળની વિશેષતા એ રાજ્યના કર્મચારીઓની હડતાલનું કડક સંચાલન હતું. રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ હડતાલ ૬૨ દિવસ સુધી ચાલુ રહી. તેમણે ત્યારે જ નમતું આપ્યું જ્યારે કર્મચારીઓના નેતાઓ સમાધાન માટે સંમત થયા હતા. 


કૃપલાનીએ પગાર વધારાની તેમની માંગને નકારીને એક કડક પ્રબંધક તરીકેની તેમની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.

તેમણે ઈ.સ. ૧૯૭૧ માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઈ.સ. ૧૯૭૪ માં તેમના મૃત્યુ સુધી તેઓ એકાંતમાં રહ્યા હતા.


તે સ્વતંત્રતા ચળવળમાં આચાર્ય ક્રિપ્લાની અને મહાત્મા ગાંધીની સાથી રહી શકે, પરંતુ હકીકતમાં તે સ્વતંત્ર વ્યક્તિત્વવાળી સ્ત્રી હતી, જે પોતાના નિર્ણયો લેવામાં વિશ્વાસ કરતી હતી.


उनके शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि,

“सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।


સુચેતા કૃપલાણીના જીવન વિશે સાધના સાપ્તાહિકમાં આવેલ લેખ વાંચવા અહી ક્લિક કરો. 

22 June, 2021

International Olympics Day (વિશ્વ ઓલમ્પિક ડે )

 વિશ્વ ઓલમ્પિક ડે (International Olympics Day)

 23 જુન



વિશ્વમાં રમાતી તમામ રમતોમાં યુવાનો, વધ્ધ સહિતનાં ખેલાડીઓ
ભાગ લે તેવા ઉદેશ સાથે દુનિયાભરમાં ૨૩ જૂનના દિવસને
વિશ્વ ઓલમ્પિક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.

1894 માં 23 જુનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીની સ્થાપના
થઈ હતી આથી 23 જુનને વિશ્વ ઓલમ્પિક દિવસ તરીકે મનાવવમાં
આવે છે.
આ દિવસનો હેતુ રમતોને પ્રોત્સાહન આપવાનો છે અને રમતોને જીવનનો
અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ ફેલાવે છે.

રમતગમત એ મનુષ્ય જીવનનો જ એક ભાગ છે. એ વાત જુદી છે
કે કોઈ વ્યક્તિ તેને દૈનિક ક્રમમાં ઉતારે છે, કોઈ વ્યક્તિ માત્ર
આનંદપ્રમોદ માટે રમતગમતનો સહારો લે છે,
કોઈ શરીર સૌષ્ઠવ જાળવવા રમતગમતનો આશરો લે છે,
તો કોઈ વ્યક્તિ દેશની પ્રતિષ્ઠા
માટે રમતગમતને કારકિર્દી તરીકે અપનાવે છે.
1896 માં ઓલમ્પિકના ઈતિહાસને એથેન્સ ખાતે પુનર્જિવીત કરવામાં આવ્યો. અને તેની
સાથે જન્મ થયો આધુનિક ઓલમ્પિક રમતોનો.
પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની,
ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો હતો.

1896ની ઓલમ્પિકમાં કુલ 241 પુરૂષ ખેલાડીઓએ
જુદી જુદી 43 રમતોમાં ભાગ લીધો.
એથેન્સમાં મળેલી સફળતાના લીધે દર ચાર વર્ષે ઓલમ્પિકનું નિયમિતપણે આયોજન
કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલમ્પિકના ઈતિહાસ સાથે તેની મશાલ પણ ખાસ્સું મહત્વ ધરાવે છે.
આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1928માં એમસ્ટરડમ ઓલમ્પિક ગેમ્સના
ઉદઘાટન સમારોહમાં ઓલમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી.
તે જ રીતે આ રમતો સાથે પ્રતિજ્ઞાનું પાસું પણ જોડાયેલું હોય છે.
ઓલમ્પિકમાં ભાગ લેતા
દરેક ખેલાડીએ પોતાની રમત પ્રત્યે નીષ્ઠા દર્શાવવાની અને
કોઈ છળકપટથી દૂર રહેવાની
પ્રતિજ્ઞા લેવાની હોય છે
.
આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ ની સ્થાપના ઔપચારિક રીતે 23મી જૂન 1894
પેરિસ ખાતે મિ.પિયરે ડી. કુપટર્ન ના પ્રયાસથી  થઈ હતી  જે પ્રાચીન ઓલમ્પિક ખેલોના
પુનરોદ્ધર રૂપમાં પ્રતિ  સ્પર્ધી ખેલોને વેગ આપવાની હતી ,

1948માં આતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દ્વારા સ્વિઝર્લેન્ડ ના નગર સેંટ મોરીર્ટઝમાં આયોજિત 42 માં સત્રમાંઆ નિર્ણય લેવાયો કે દર વર્ષે આ સંગઠનની તિથિ 23મી જૂન  રહેશે
જે વિશ્વ ઓલમ્પિક ડે  તરીકે ઉજવાશે 

પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો. ત્યારબાદ ૧૮૯૪માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિએ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે
સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત
૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .
આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .
આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં   ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ
આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .
ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે .
આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે.
સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) –
એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .

ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :
વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી (સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ)


ઓલિમ્પિક ધ્વજ :



ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ
સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .
ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં આવે છે જે સફેદ રંગનો હોય છે.  .
આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .
એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . 
ઓલિમ્પિકના પાંચ  વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે  અને પરસ્પર જોડાયેલા હોવાથી
આંતરરાષ્ટ્રીય સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે જેમા વાદળી રંગ યુરોપ ખંડ, 
પીળો રંગ એશિયા ખંડ, કાળો રંગ આફ્રિકા ખંડ, લીલો રંગ ઓસ્ટ્રેલિયા ખંડ અને
લાલ રંગ અમેરિકા ખંડ સુચવે છે.

ઓલિમ્પિક ચીહ્ન :


પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ: 
પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે

ઓલિમ્પિક ગીત :
૧૯મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને
કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને
સમાપન સમારોહમાં ગાવામાં આવે છે

ઓલિમ્પિક જ્યોત :
‘જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક
રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના મંદિરમાંથી
લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી
ઓલિમ્પિક ગેમ્સનું આયોજન
ભારત ઓલિમ્પિક ગેમ્સ 2032 ની યજમાની માટે દાવેદારી રજુ કરશે


ભારતે મેળવેલ રમત મુજબ મેડલની યાદી




વિવિધ દેશોએ મેળવેલ મેડલની યાદી
ભારતે જીતેલ મેડલનુ લિસ્ટ

2020 સમર ઓલિમ્પિક્સ જેને ટોક્યો 2020 તરીકે પણ
ઓળખવામાં આવે છે તે આગામી આંતરરાષ્ટ્રીય
મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટ છે જેનો જાપાનના ટોક્યોમાં
23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 સુધી યોજાનાર હતી પણ
COVID-19 રોગચાળાને પરિણામે આ ઘટના માર્ચ 2020 માં
મુલતવી રાખવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય દર્શકોને
મંજૂરી આપશે નહીં.

2021 માટે ફરીથી શેડ્યૂલ કરાયું હોવા છતાં,
આ ઇવેન્ટમાં માર્કેટિંગ અને બ્રાંડિંગ હેતુ માટે
ટોક્યો 2020 નું નામ જાળવવામાં આવ્યું છે.

આ પહેલી વાર છે કે ઓલિમ્પિક રમતો રદ થવાને બદલે
સ્થગિત અને ફરીથી સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.