મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label નેતા. Show all posts
Showing posts with label નેતા. Show all posts

04 August, 2021

મોરારજી દેસાઇ

 મોરારજી દેસાઇ

(સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન)



જન્મતારીખ: 29 ફેબ્રુઆરી 1896

જન્મસ્થળ: ભદેલી, વલસાડ, ગુજરાત

પિતાનું નામ:રણછોડજી

માતાનું નામ: મણીબેન

અવશાન: 10 એપ્રિલ 1995 (મુંબઇ)


મોરારજી દેસાઈ નો જન્મ વર્ષ 1896 ની 29 મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાનાં નાનકડા ગામ ભદેલી મા થયો હતો .

તેમના પિતા રણછોડજી દેસાઈ ભાવનગરમાં એક શાળાના શિક્ષક હતા.

અંગ્રેજી કેલેન્ડર મુજબ મોરારજી દેસાઈનો જન્મદિવસ લિપ ઇયર એટલે દર વર્ષે નહી પરંતુ દર 4 વર્ષે આવે છે. 

મોરારજીએ તેમનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રની 'ધ કુંડલા સ્કૂલ' માં લીધું અને બાદમાં વલસાડની બાઈ અવા હાઈસ્કૂલમાં જોડાયા. મુંબઈની વિલ્સન કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેઓ ગુજરાત સિવિલ સર્વિસમાં જોડાયા. તેમના પર 1927-28 દરમિયાન ગોધરા રમખાણોમાં પક્ષપાતનો આરોપ હતો, જેના પરિણામે તેમણે 1930 માં ગોધરાના નાયબ કલેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.

 ભદેલી  ગામમાં આજે પણ મોરારજી દેસાઈની નિશાળ અને જન્મ સ્થળ મકાન હયાત છે.

મોરારજી દેસાઈ ના સિદ્ધાંતો  અને મુલ્યો આજની પેઢી સમજે તે માટે ગામના ચોરે તેમની પ્રતિમા સ્થાપિત કરાઈ  છે.

ભદેલી  ગામમાં આવેલ પ્રાથમિક શાળા આજે ઐતિહાસિક વારશો ધરાવે છે ,આજે પણ એ જગ્યા મોજુદ છે જ્યાં બેસી  મોરારજી દેસાઈ એ નાનપણમાં શિક્ષણ લીધું હતું.

દેશના એવા પહેલા રાજકારણી હતા જેમણે  રાજકારણ માં રહેવા  સિદ્ધાંતો અને મુલ્યો  છોડ્યા નહોતા

મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈમહારાષ્ટ્ર થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.

૨૨માર્ચ ૧૯૫૮થી તેમણે નાણા મંત્રાલયનો હવાલો સંભાળયો હતો.  ઇન્દિરા ગાંધીના પ્રધાન મંડળમાં ૧૯૬૭માં તેમણે નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રાલયના પ્રભારી તરીકે ફરજ બજાવી હતી

દેશ ના નાણા પ્રધાન રહી ચૂકેલા મોરારજી દેસાઈ ની સરકાર ના કાર્યકાળ મા મોંઘવારી નું નામ ના હતુ.કહેવાય છે કે મોરારજી દેસાઈના કાર્યકાળમા પગરખાં એટલે કે જૂત્તાના બદલે ખાંડ મલતી હતી આ વાત પરથી જ મોરારજી દેસાઈ ના સમય ની સોંઘવારી ને આજે પણ લોકો યાદ કરે છે અને એથી જ બજેટ ના માહોલમાં પણ મોરારજી દેસાઈ ના બજેટને યાદ કરવું ઘટે.તેઓ એ  દેશ ને  આદર્શ બજેટ  આપી દેશ ના વિકાસ ને  દિશા આપી હતી

મોરારજીની સાદગી, કડક સ્વભાવ અને તેમના સ્વમૂત્રના પ્રયોગો સિવાય પણ તેમના જીવનના અનેક રસપ્રદ કિસ્સા બન્યા છે.

મહાત્માગાંધી દ્વારા ભારતમાં ૧૯૩૦માં આઝાદીની લડત શરૃ થઇ હતી ત્યારે મોરારજીભાઇ દેસાઇએ બ્રિટીશ ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ ગુમાવયો હતો. જેથી તેમણે સરકારી નોકરી છોડીને દેશની સ્વતંત્ર્તાની લડતમાં જોડાયા હતાં. તેમણે આઝાદી લડતમાં ૨ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતાં. તેઓ ૧૯૩૧માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં સભ્ય બન્યા હતાં.

1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.


તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતાં હસતાં કહેલું, "હા, હું રાઇટિસ્ટ છું, કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."

1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા.

આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી

રાજકીય જીવન

ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે "મહાગુજરાત આંદોલન" શરૂ કર્યું. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ. ઇચ્છા વિરુદ્ધ દ્વિભાષીય રાજ્ય રચનાથી વિક્ષપ્ત મોરારજીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. યશવન્તરાવ ચવ્હાણે મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળતા ૧૪મી નવેમ્બર ૧૯૫૬માં તેઓ જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં વેપારઉદ્યોગ ખાતના પ્રધાન તરીકે જોડાયાં. ૧૯૫૮માં મુંદડા-પ્રકરણને કારણે ટી. ટી. કૃષ્ણમાચારીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપતાં માર્ચ મહિનામાં નાણાખાતાનો પદભાર સંભાળ્યો. લાંબી મુદ્દતની લોનોનું આયોજન, સુવર્ણનિયંત્રણ યોજના, ફરજીયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ, પરદેશી આર્થિક મદદની શરતોમાં હળવાશ વગેરે તેમનાં નાણાંપ્રધાન તરીકેનાં અગત્યના નિર્ણયો રહ્યાં. ૧૯૬૭ની ચૂંટણી મોરારજીભાઇ નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. પરંતુ પાર્લામેન્ટરી બૉર્ડના પ્રમુખની ઉમેદવારની પસંદગીના નિર્ણયના વિરોધમાં નારાજ મોરારજીએ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું. ડિસેમ્બર ૧૯૬૯માં ગાંધીનગર ખાતેના અધિવેશનમાં સંસ્થા કૉંગ્રેસ (કૉંગ્રેસ ઓ)ની સ્થાપનાના મુખ્ય સૂત્રધાર રહ્યાં.


16 જાન્યુઆરી 1978 ના રોજ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1000, 5000 અને 10,000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા એટલી મોટી નહોતી.


વર્ષ 1991 માં તેમને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


 19 મે 1990 ના રોજ, ભારતના વડાપ્રધાન તરીકે તેમને પાકિસ્તાન સરકાર દ્વારા નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

 

સામાજીક સેવા

મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી સસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.


લેખન

'ઇન માય વ્યૂ' તેમની આત્મકથા છે. જેનો ગુજરાતી અનુવાદ 'મારું જીવનવૃત્તાંત' નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેટલીક માહિતી પુસ્તિકાઓ જેવી કે, 'પોલીસ પ્રજાનો મિત્ર બની રહે' (મુંબઈ સરકાર, ૧૯૫૨), 'કરવેરા શા માટે ?'(પરિચય, ૧૯૬૨), 'લોકશાહી સમાજવાદ' (પરિચય, ૧૯૬૮), ' સડા વિનાનો વહિવટ' (પરિચય, ૧૯૭૩), 'કાયદાથી કોઈ પર નથી' (ગુજરાત સરકાર, ૧૯૭૯) વગેરે મુખ્ય છે.


નિવૃત્તિ અને મૃત્યુ

રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્ર પરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. 

૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે

10 એપ્રિલ 1996 ના રોજ ભારત સરકાર દ્વારા મોરારજી દેસાઈની પુણ્યતિથિ પર એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.




18 July, 2021

નેલ્સન મંડેલા (Nelson Mandela)

 નેલ્સન મંડેલા (Nelson Mandela)

(શ્વેત ક્રાંતિના પ્રણેતા, દક્ષિણ આફ્રિકાના ગાંધી)



જન્મતારીખ: 18 જુલાઇ 1918

જન્મસ્થળ; મેવેઝો, દક્ષિણ આફ્રીકા

અવશાન: 5 ડીસેમ્બર 2013 (દક્ષિણ આફ્રીકા)

કેટલાક લોકો એવા હોય છે જે પોતાની જિંદગીય બદલી શકતા નથી. કેટલાક લોકો એવા હોય છે જે કરોડોની જિંદગી બદલી નાખે છે. 

આપણે આજે જેની વાત કરવાના છીએ તે આ બીજા પ્રકારમાં આવે છે.

બરાક ઑબામા અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યાના બે દાયકા પહેલા એક વ્યક્તિ આફ્રિકાની પ્રથમ અશ્વેત પ્રમુખ બની હતી. તેઓ હતા, નેલ્સન મંડેલા.

દક્ષિણ આફ્રિકા ના લોકો જેમને પોતાના રાષ્ટ્રપિતા માને છે અને જે વિશ્વ ભર માં "લોકતંત્ર ના પ્રથમ સંસ્થાપક" અને "રાષ્ટ્રીય મુક્તિદાતા અને ઉદ્ધારકર્તા" ના બિરુદ થી ઓળખાય છે તેવા શ્વેત ક્રાંતિ ના પ્રણેતા અને આફ્રિકા ના પ્રથમ "અશ્વેત રાષ્ટ્રપતિ" નેલ્સન મંડેલા ની જન્મ જયંતી ૧૮ જુલાઈ ના રોજ છે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ ના ફરમાન થી "નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન" તરીકે વિશ્વભર માં ઉજવવામાં આવે છે.

 તેમનો જન્મ 18 જુલાઈ, 1918 ના રોજ, દક્ષિણ આફ્રિકાના મેવેઝો ખાતે શાહી થેમ્બુ ગૃહમાં થયો હતો. તેમણે જીવનના શરૂઆતના દિવસો તેમના ઘરના રિવાજ વિશે અભ્યાસ કર્યો.

તેમણે કોલેજ ઓફ ફોર્ટ હરે અને કોલેજ ઓફ વિટવેટર્સ્રાન્ડમાં નિયમનનો અભ્યાસ કર્યો અને જોહાનિસબર્ગમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1943 માં, નેલ્સન મંડેલા આફ્રિકન રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસમાં જોડાયા અને ઘણા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તે અનેક ઘટનાઓમાં જેલમાં હતા અને 1962 માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela)  દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. 

આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. 

તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. 


આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.


ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું.


 તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.

તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા


  • તેમણે વધુમાં જેલમાં તેમની આત્મકથા લખી
  • નેલ્સન મંડેલાની પહેલી નોકરી ચોકીદાર તરીકે હતી
  • નેલ્સન મંડેલાનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો
  • તે યોગ્ય શિક્ષણ મેળવનારા પોતાના ઘરના પ્રથમ વ્યક્તિ હતા.
  • નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે
  • દક્ષિણ આફ્રિકાના પ્રજાજનો મંડેલાને લાડમાં મદીબા કહે છે
  • આફ્રિકન નેશનલ કોંગ્રેસની હિંસક પાંખની પણ સ્થાપના કરી

  • તેમના લેખો અને ભાષણો ધ સ્ટ્રગલ ઇઝ માય લાઇફમાં ગ્રંથસ્થ થયા છે.
  • આઝાદીની ચળવળ ચલાવવા મામલે ૧૯૬૨માં તેમને આજીવન કારાવાસની સજા પડી.
મંડેલા સંપૂર્ણપણે ગાંધીના માર્ગે ચાલ્યા નહોતા. તેમણે હિંસક ક્રાંતિનું પણ આહ્વાન કરેલું. ૧૯૬૧માં તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસની સશસ્ત્ર શાખા ઉમ્ખોતો વે સિજવેની રચના કરી હતી. તેઓ તેના કમાન્ડર ઇન ચીફ હતા. તેમણે અલ્જિરિયામાં સૈન્યની તાલીમ મેળવી હતી.

એક-બે નહીં, પૂરા ૨૭ વર્ષ સુધી જેલમાં રહ્યા. જેલમાં શ્વેત અને અશ્વેત કેદીઓને અલગ રાખવામાં આવતા. બેય માટેના નિયમો જુદા હતા. અશ્વેત કેદીઓ પાસે વધારે કામ કરાવવામાં આવતું અને ઓછું ભોજન આપવામાં આવતું. મંડેલાએ જેલવાસ દરમિયાન કોલસાની ખાણમાં મજૂરી કરી. તેના લીધે ફેફસાંની બીમારી પણ લાગું પડેલી. જેલવાસ દરમિયાન તેમની લોકપ્રિયતા અપ્રતિમ વેગથી વધવા લાગી.

૨૩ વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ રહ્યા હતા. તેમને પરણવું નહોતું એટલે ઘરેથી જોહાન્સબર્ગ ભાગી આવ્યા. ત્યાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો અને આફ્રિકાના પ્રથમ અશ્વેત વકીલ બન્યા

૧૧ ફેબુ્રઆરી ૧૯૯૦ના રોજ તેમને કેદમાંથી મુક્તિ આપવામાં આવી. તેમને કેપ ટાઉનની વિક્ટર વર્સ્ટર જેલમાં રાખવામાં આવેલા હતા. બહાર નીકળ્યા ત્યારે પ્રથમ પત્ની વિનીનો હાથ પકડયો હતો. મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. જેલમાંથી તેમના બહાર આવવાની ઘટના સમર્થકો માટે અકલ્પનીય હતી. તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઊમટેલા લોકો ખુશીથી પાગલ બની રહ્યા હતા.

5 ડિસેમ્બર 2013ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું. પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા હતા.


દર વર્ષે ૧૮ જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ  મનાવવામાં આવે છે

 આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ ૧૮, ૨૦૧૦ના રોજ, જ્યારે મંડેલા ૯૨ વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો.

 યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી.

 મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (૨૭ વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા. 

તેમના ૯૧મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - "મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."




મળેલ સન્માન અને  પુરસ્કારો

૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક

 ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન 

૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર 

2000માં ગાંધી શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા


  • Jawaharlal Nehru Award for International Understanding (૧૯૭૯, Indian Council for Cultural Relations)

  • નોબેલ શાંતિ પારિતોશિક (૧૯૯૩, F. W. de Klerk, ૩૩,૫૦,૦૦૦)
  • Platinum Order of Mapungubwe (૨૦૦૨, Thabo Mbeki)
  • Gold Olympic Order (૧૯૯૪)
  • Order of the Gold Lion of the House of Nassau (૧૯૯૯)
  • Collar of the Order of Isabella the Catholic‎ (૧૯૯૯)
  • Grand Collar of the Order of Prince Henry
  • Order of Friendship (૧૯૮૮, 73)
  • Order of José Martí (૧૯૯૧)
  • Order of Jamaica
  • honorary doctorate of the University of Las Palmas, Gran Canaria (૨૦૧૦)
  • honorary doctor of the Peking University (૧૯૯૨)
  • Grand Cross of the Order of Liberty
  • Honorary Doctor at Karolinska Institutet (૨૦૦૫)
  • Honorary doctor of Leiden University (૧૯૯૯)
  • Bailiff Grand Cross of the Order of Saint John
  • Honorary Companion of the Order of Australia (૧૯૯૯, Mr Nelson MANDELA, For service to Australian-South African relations and his outstanding leadership to bring multiracial democracy to South Africa.)
  • Order of the Lion (૨૦૦૨, Bakili Muluzi)
  • honorary doctorate of the Free University of Brussels (૧૯૯૩, F. W. de Klerk) 


11 February, 2021

અબ્રાહમ લિંકન જીવન પરિચય (Abraham Lincoln)

 અબ્રાહમ લિંકન

(અમેરિકાના ૧૬ મા પ્રમુખ)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1809

જન્મસ્થળ: સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા

અવશાન: 15 એપ્રિલ 1865 (વોશિંગ્ટન)

અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ થોમસ લિંકન અને નેન્સી હેન્ક્સ લિંકનના દ્વિતીય સંતાન તરીકે થયો હતો.

ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું.

અબ્રાહમ લિંકની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે.

અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યાં છે કે ઘણા ઓછા લોકો એટલી વાર જીવનમાં નિષ્ફળ રહ્યાં હશે.

જોકે, તે છતાં પણ તેઓ હિંમત હાર્યા નહતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાને ગુલામીમાંથી છૂટકારો અપાવીને દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઈતિહાસમાં અમર બની ગયા.

અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી  નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.

  • ધંધામાં નિષ્ફળ – 1831
  • ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
  • ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
  • ધારાસભામાં ચૂંટાયા – 1834
  • પત્નીનું અવસાન – 1835
  • પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
  • સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
  • ઈલેકટર તરીકે હાર – 1840
  • ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843, 
  • કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
  • કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
  • કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
  • સેનેટની ચુંટણીમાં હાર – 1855
  • અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
  • સેનેટમાં હાર – 1858
  • અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860

 

     આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.


1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને બે વર્ષ સુધી આ પદ પર રહીને પ્રશંસનિય કામગીરી કરી, જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ.

1861 થી 1865 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં

આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ આગળ વધતા રહ્યાં. આમ લિંકનના જીવન પરથી તે શિખવું જોઈએ કે, જીવનમાં ગમે તે જેવી કપરી પરિસ્થિતિ આવે પરંતુ જો તમે ધીરજ, હિંંમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈપણ ધ્યેયની પ્રાપ્ત કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેની ઉપર તમે નવી સફળતાની ઈમારત બાંધી શકો છો.

26 December, 2020

અટલ બિહારી વાજપેયી જીવન પરિચય

 અટલ બિહારી વાજપેયી 

સુશાસન દિવસ (Good Governance Day)

25 ડિસેમ્બર


જન્મતારીખ: 25 ડિસેમ્બર 1924

જન્મસ્થળ:  ગ્વાલિયર, મધ્યપ્રદેશ
પિતાનું નામ: કૃષ્ણ બિહારી
માતાનું નામ: ક્રીષ્ણાદેવી
અવસાન: 16 ઓગસ્ટ 2018 ( દિલ્હી)

25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતીને સુશાસન દિવસ (Good Governance Day) તરીકે મનાવવામાં આવે છે.

પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી

તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.

1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા

ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના
હાથમાં રહી.

અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા,ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો

અટલ બિહારી વાજપેયી  ભારતના રાજનેતા અને કવિ હતા

25 ડિસેમ્બર, 2015થી તેમનાં જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે જાહેર કરવામાં આવે છે

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા
 અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશમધ્ય પ્રદેશગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. 

અટલ બિહારી વાજપેયીને નવા સ્થપાયેલા ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.

મોરારજી દેસાઈની કેબિનેટમાં 1977 થી 1979 સુધી વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ હતું

બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે.

અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો

તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. 

 અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું

 તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દીઅંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી
તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

તેમની મહત્વની કામગિરીમાં પોખરણ ખાતે પરમાણું પરિક્ષણ, લાહોર સમિટ, કારગીલ યુદ્ધ, ઇન્ડિયન એરલાઇંસનું અપહરણ, નેશનલ હાઇવે પ્રોજેક્ટ, 2001માં સંંસદ પર આતંકવાદી હુમલો, 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ ,કોમી રમખાણો  , નવી આર્થિક નીતિઓ ,  આ બધી યોજનાઓ દ્વારા તેઓએ ભારતીય સમાજ પર પોતાની એક આગવી છાપ છોડી છે
અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે મજબૂત સંબંધ બનાવવા માટે 19 ફેબ્રુઆરી 1999 ના રોજ દિલ્હીથી લાહોર સુધીની સદા-એ-સરહદ નામની બસ સેવા શરૂ કરી હતી. આટલું જ નહીં, તેમણે આ મુસાફરી પણ કરી.

1971 માં બાંગ્લાદેશનું વિભાજન થઈ રહ્યું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ ભજવેલી ભૂમિકાથી અટલજી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ઇન્દિરા ગાંધીને 'સાક્ષાત દુર્ગા' પદવી આપી હતી.
 તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોમાં મેરી સંસદીય યાત્રા , મેરી ઈક્વાયત કવિતાઓ , સંક્લ્પકાલ , શક્તિએ શાંતિ સાંસદ ભવનમાં ચાર દાયકા (  સભાસદનું વચન ) લોક સભાએ અટલજી મુત્યુ યા હત્યા , અમર બલિદાન , કૈદી કવિરાજ ફ્રી કુંડલીયા , ભારતીય – વિદેશ નીતિના નવા આયામો , જનસંઘ ઔર મુસલમાન , સંસદ મેં તીન દશક અમર આગ રે નો સમાવેશ થાય છે,
તેઓ જાણે રાષ્ટ્રધર્મ , ( હિન્દી માસિક ), પંચજન્ય ( હિન્દી અઠવાડિક ) તથા સંદેશ અને વીર અર્જુન જેવા દૈનિક પત્રોનું સફળ સંપાદન કર્યું, 

તેમના દ્વારા લખાયેલ ગઝલ આલ્બમ "નયી દિશા" અને "સંવેદના" ને ગઝલ ગાયક સ્વ. જગજીતસિંઘે સ્વરબદ્ધ કરી હતી.

કવિતા પ્રેમ માટે જાણીતા અને આદર પ્રાપ્ત કરનાર શ્રી વાજ્પેયજી ઉત્કૃષ્ટ વક્તા પણ છે. અને ઉચ્ચકોટીના વાચક પણ તેઓ શ્રી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં પણ રુચિ ધરાવે છે.


મળેલ સન્માન
  • ૧૯૯૨, પદ્મવિભૂષણ
  • ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
  • ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
  • ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
  • ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
  • ૨૦૧૫, ભારત રત્ન

હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસે આવેલ ટનલને "અ‍ટલ ટનલ" નામ આપવામાં આવ્યુ છે જે  દસ હજાર ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલી જગતની સૌથી લાંબી હાઈવે ટનલ છે

  • અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે, જે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ આવી છે. જેનુ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં કર્યુ હતુ.

- આ ટનલને કારણે મનાલી-લેહનું અંતર ૪૬ કિલોમીટર ઓછું થશે. મનાલીથી સ્પીતિ વેલી-લાહુલ જતા સામાન્ય રીતે ચાર કલાક થાય. પણ ટનલ એ સફર દસેક મિનિટમાં પુરી કરી આપશે.


સુશાસન દિવસનો ઇતિહાસ

23 ડિસેમ્બર 2014ના રોજ શ્રી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત)ને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. આ જાહેર કર્યા બાદ મોદી સરકારે જાહેર કર્યુ કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીની જ્યંતીને ભારતમાં પ્રતિ વર્ષ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. જો કે, આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી હતી, આ દિવસે ક્રિસમસની સાથે-સાથે આ દિવસે સરકારના કાર્ય દિવસ સ્વરૂપમાં જાહેર કરવા માટે સુશાસન દિવસની પણ સ્થાપના કરવામાં આવી હતી. 


25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે.

સુશાસન દિવસનો હેતુ 

- દેશમાં પારદર્શી અને જવાબદેહ શાસન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવાનું છે. 

- સુશાસન દિવસ લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે મનાવવામાં આવે છે. 

- આ સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી અને જવાબદેહ શાસન બનાવવા માટે મનાવવામાં આવે છે. 

- ભારતમાં સુશાસનના મિશનને પૂરુ કરવા માટે સારી અને અસરકારક નીતિઓને લાગૂ કરવાનું છે. 

- સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે. 

- સુશાસન પ્રક્રિયામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને સરકારની નજીક લાવવું. 

સુશાસન દિવસ પર ભૂતપૂર્વ વડાપ્રધાનને યાદ કરવામાં આવે છે 

ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે.અલગ-અલગ જગ્યાઓ પર સેમિનારનું આયોજન પણ થાય છે. સેમિનાર મારફતે લોકો તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે વિસ્તારથી જણાવે છે. વર્ષ 2018માં ભૂતપૂર્વ વડાપ્રધાનનું અવસાન થયું હતું. 

19 November, 2020

ઇન્દિરા ગાંધી જીવન પરિચય

 ઇન્દિરા ગાંધી

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન


જન્મ તારીખ: 19 નવેમ્બર 1917
જન્મ સ્થળ:  પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)
પિતાનું નામ: જવાહરલાલ નહેરુ
માતાનું નામ:  કમલા નહેરુ
અવશાન: 31 ઓક્ટોબર 1984 ( નવી દિલ્હી)



ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને એમના પત્ની અને સ્વતંત્રતા સેનાની કમલા નહેરૂના સંતાન તરીકે થયો હતો

ઈન્દિરા ગાંધીએ 1966થી 1977ની વચ્ચે સતત ત્રણ વખત દેશનું સુકાન સંભાળ્યું હતું
 1980માં ફરી એકવાર આ પદ પર પહોંચ્યા અને 31 ઓક્ટોબર 1984માં પદ પર હતા જ ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. આમ તેમને દેશમાં અઢાર વર્ષ શાસન કર્યું હતું
ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને ફરી જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984માં હત્યા થયા સુધી દેશના વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. 

તે ભારતના ત્રીજા વડા પ્રધાન બન્યા હતા.