મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label રાષ્ટ્રપતિ. Show all posts
Showing posts with label રાષ્ટ્રપતિ. Show all posts

03 December, 2021

ડો. રાજેન્દ્રપ્રસાદ

 ડો. રાજેન્દ્રપ્રસાદ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સમિતિના અધ્યક્ષ


જન્મતારીખ: 3 ડિસેમ્બર 1884

જન્મ સ્થળ: ઝેરડે, સિવાન જીલ્લો, બિહાર

પિતાનું નામ: મહાદેવ સહાય

માતાનું નામ: કમલેશ્વરી દેવી

અવશાન: 28 ફેબ્રુઆરી 1963 (પટના, બિહાર)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. 

રાષ્ટ્રપતિ હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં વિવાદથી દૂર રહ્યા હતા, તેથી લોકો તેમને રાજેન્દ્ર બાબુ અથવા દેશરત્ન કહેતા હતા

બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ તેઓ સર્વાનુમતે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા

1952 અને 1957માં તેઓ સતત 2 વખત ચૂંટાયા અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.


મુઘલ બગીચા ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક મહિના માટે જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા અને ત્યારથી તે દિલ્હીના લોકો અને દેશ માટે એક મોટી આકર્ષણની બાબત હતી.

તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ.


 તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી


રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા.


 તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી.


 તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. 


૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. 


બાદમાં કાયદાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.

વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. 


મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. 


તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. 


તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. 


૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. 


જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.


ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 


બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.


રાજેન્દ્ર પ્રસાદે દેશની સામે ઘણા દાખલા રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય ભંડોળમાં રાષ્ટ્રપતિ તરીકે મળેલ પગારનો અડધો ભાગ તે દાનમાં આપતા હતા.


સ્વતંત્રતા પહેલા રાજેન્દ્ર પ્રસાદ બિહારના ટોચના વકીલોમાંથી એક હતા. પટનામાં તેમનું એક મોટું મકાન હતું અને તે રાજાશાહી જીવન જીવતા હતા. તે સમયમાં પણ તેમની ફી મસમોટી હતી. પરંતુ તેઓ ગાંધીજીના અનુરોધ પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને ત્યાર પછી જીવન સરળતાથી જીવતા થયા. 

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા બાદ પણ તેઓ પોતાની સાદગી માટે સર્વોપરી રહ્યા હતા. તે પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જે જમીન પર આસાન પાથરી બેસતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજી રીતભાત ફોલ કરવાનો ઈનકાર કર્યો હતો.

તેમની કર્તવ્યપરાયણતાના ઘણા બનાવ છે. કર્તવ્ય માટે પરિવાર સુધીને ભુલાવી દેવાનો તેનો કિસ્સો તો લોહપુરૂષ સરદાર પટેલની યાદ કરાવે છે. વકીલ રહેલા સરદાર પટેલને એક વાર કોર્ટમાં તેમના મુવ્ક્કિલ માટે દલીલ દરમિયાન પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તે વાંચીને, તેણે પહેલા ચર્ચા પૂરી કરી, પછી ઘર તરફ પ્રયાણ કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો 1960ના પ્રજાસત્તાક દિવસનો આવો જ એક કિસ્સો છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ તેમની મોટી બહેનનું અવસાન થયું હતું. ત્યારબાદ બહેનના મૃતદેહને છોડીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.


રાષ્ટ્રપતિના રૂપમાં છુપાવ્યો બહેનની મૃત્યુનુ દુખ

રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની મોટી બહેન ભગવતી દેવીનું 25 જાન્યુઆરી 1960ની મોડી સાંજે અવસાન થયું. તેની બહેનના મૃત્યુથી તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો. રાત્રિના અંતે, પરિવારના સભ્યોએ તેમને બીજા દિવસે સવારે રાષ્ટ્રપતિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું યાદ અપાવ્યું. આ પછી, આંસુ લૂછ્યા પછી, તેઓ તૈયાર થયા અને સવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડની સલામી લેવા આવ્યા. સમારંભ દરમિયાન તે સંપૂર્ણ સંયમમાં રહ્યો. ત્યારે દેશે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને જોયા, ભાઈ રાજેન્દ્ર પ્રસાદે પોતાનું દુ:ખ છુપાવ્યું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પછી ખૂબ રડ્યા
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ રાજેન્દ્ર પ્રસાદ ફરીથી બહેનના મૃતદેહ પાસે પહોંચ્યા. હવે તેની ધીરજનો બંધ તૂટી ગયો હતો. આ પછી, તે દિલ્હીના યમુના જાટમાં અંતિમ સંસ્કાર સુધી ઘણી વખત રડતો જોવા મળ્યો હતો. તેણે તેની બહેનના અંતિમ સંસ્કાર કર્યા

ડો. રાજેન્દ્ર પ્રસાદનું સાહિત્યક્ષેત્રે યોગદાન

  • ચાંદમામા મેગેઝિનના સ્વામી (1948) ના અંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રસાદનું પોટ્રેટ
  • ચંપારણમાં સત્યાગ્રહ (1922)
  • બંકીપુરજેલ માં તેના 3 વર્ષના જેલની સજા દરમિયાન લખેલા
  • મહાત્મા ગાંધી અને બિહાર, કેટલીક યાદ (1949)
    બાપુ કે કદમોં મે (1954)
  • આઝાદી હોવાથી (1960 માં પ્રકાશિત)
    ભારતીય શિક્ષા
  • મહાત્મા ગાંધીના ચરણોમાં.

  • તેમનું 28 ફેબ્રુઆરી 1963 ના રોજ, 78 વર્ષની વયે અવસાન થયું હતું. હદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.

04 September, 2021

શિક્ષક દિવસ (Teacher's Day)

શિક્ષક દિવસ

5 સપ્ટેમ્બર



गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે.



 ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા

 શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે નો આ દિવસ છે.

ચાણક્ય નું કહેવું છે કે શિક્ષક કોઈ દિવસ સામન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળા માં રમતા હોય છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ  5 સપ્ટેમ્બર 1888ના રોજ તામિલનાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

 તેઓનું બાળપણ તિરૂત્તાનીતિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.

તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદ ને વાંચી ને વિતાવ્યું હતું. 

તેઓ પુરા વિશ્વ ને એક વિદ્યાલય ની સમાન માનતા હતા. 

બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 

૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 

તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. 

તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. .

 ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 

કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. 

કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા.

તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

 તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. 

૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું 'નાઈટ' સન્માનથી નવાજવામાં આવ્યા હતા

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. 

જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.  રશિયાના સરમુખ્ત્યાર સ્ટાલિન કોઇને મળતા નહિ પણ તેઓ 2 વાર ડો. રાધાકૃષ્ણનને મળ્યા હતા.

 તેઓ 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર પતિ બન્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ  તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.

1962માં તેમની વરણી ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી અને તેઓ 1967 સુધી આ પદ પર રહ્યા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ તરીકે તેમણે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો

ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1954 માં તેમને ભારત ના સર્વોચ્ય સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા.

1975માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. 

 ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા.

 તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી

તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું

ડો. રાધાકૃષ્ણનના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 1988માં એન.એસ.થાપા દ્વારા બનાવવમાં આવી હતી.

1989મા ડો. રાધાકૃષ્ણનના સન્માનમા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ માટે તેમની 16 વાર પસંદગી કરવામાં આવી હતી જ્યારે શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે 11 વાર પસંદગી કરાઇ હતી.

ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાંથી એક તેજસ્વી વિદ્યાર્થીએ બેચલર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવી જેના બદલામાં તે વિદ્યાર્થીએ પોતે લખેલા પુસ્તકોની એક સંપૂર્ણ હારમાળા યુનિવર્સિટીને ભેટ આપી. વિદ્યાર્થી દ્વારા અપાયેલી આ ભેટ જોઈને યુનિવર્સિટીના કુલપતિ/Dean આશ્ચર્ય પામી ગયા કારણે કે તે પુસ્તકો યુનિવર્સિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા હતા. કુલપતિએ પેલા વિદ્યાર્થીના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી પડતી કે આ વિદ્યાર્થીને બી.લીટની ડીગ્રી આપીને અમે તેમના પર ઉપકાર કર્યો છે કે પછી આ વિદ્યાર્થીએ તેના પુસ્તકો આપી અમારા પર ઉપકાર કર્યો છે”. કુલપતિએ જે વિદ્યાર્થીના વખાણ કર્યા તે વિદ્યાર્થી એટલે ભારતમાં સર્વપ્રથમ નાયબ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન.

  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પેહલા પુસ્તક 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું નામ “ધ એથીક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઇટ્સ મટીરિયલ એક્સપોઝિશન”. આ પુસ્તકમાં રાધાકૃષ્ણને પોતાના એમએના અભ્યાસ દરમિયાન લખેલા નિબંધોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફિલોસોફી વિષય સાથે એમએ કર્યું હતું. જોકે તેમણે એમએ કરવા માટે ફિલોસોફી વિષય પસંદ કર્યો તેનું કારણ એવું હતું કે, રાધાકૃષ્ણનને તેમના પિતરાઈ ભાઈ તરફથી એમએ ફિલોસોફીની ચોપડીઓ ભેટ મળી હતી જે વાંચ્યા બાદ તેમને ફિલોસોફીમાં રસ જાગ્યો હતો અને તેમણે એમએ ફિલોસોફી વિષય સાથે પૂરું કર્યુ હતું.
  • બ્રાહ્મણ પરિવારથી આવતા હોવાને કારણે રાધાકૃષ્ણનના પિતા તેમને મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા પરંતુ 1906માં જ્યારે રાધાકૃષ્ણને બીએમાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યારે તેમના પિતાએ પૂજારી બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન 16 વર્ષની ઉંમરે 10 વર્ષની શિવકામૂ સાથે થયા હતા. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના સંતનોમાંથી લગભગ દરેકે ભારતમાં સિવિલ સર્વિસમાં જોડાઈ દેશની સેવા કરી છે. રાધાકૃષ્ણનની એક દીકરી બેંગલોરમાં અને એક દીકરી અમેરિકામાં વસે છે. પરિવારના અમુક સભ્યો ચેન્નાઇના એક જુનવાણી મકાનમાં રહે છે જ્યાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોરના ભાષા પ્રત્યેના યોગદાનથી ખૂબ પ્રભાવિત હતા. આ કારણે જ 1920માં જ્યારે તેમને કલકત્તા યુનિવર્સિટીમાં મેન્ટલ ઍન્ડ મોરલ સાયન્સના પ્રોફેસર બનવા માટે આમંત્રણ મળ્યું તો તેમણે તરત સ્વીકારી લીધું.
  • 1921 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને મૈસુર યુનિવર્સિટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ ત્યાંના વિદ્યાર્થીમાં ખૂબ લોકપ્રિય હતા માટે વિદ્યાર્થીઓએ તેમના માટે એક નાનકડું ફેરવેલ યોજ્યું હતું. આ ફેરવેલમાં વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણનને ફૂલથી સજાવેલી બગીમાં બેસાડી , જાતે બગી ખેંચી તેમને યુનિવર્સિટીના ગેટ સુધી લઈ જઈને વળવ્યા હતા.
  • 1949-1953 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સોવિયેત રશિયામાં ભારતના બીજા રાજદૂત રૂપે નિમણુક કરવામાં આવ્યા હતા. તે સમયે રશિયામાં સરમુખત્યાર શાસક જોસેફ સ્તાલિનનું રાજ હતું. સ્તાલિન ખૂબ અભિમાની શાસક હતો માટે તે કોઈ પણ દેશના રાજદૂત સાથે મુલાકાત કરવાનું ટાળતો. જોકે રાધાકૃષ્ણનના ફિલોસોફી ક્ષેત્રના કામથી સ્તાલિન ખૂબ પ્રભાવિત હતો માટે તેણે રધાકૃષણન સાથે જાન્યુઆરી 1950ની એક સાંજે મુલાકાત ગોઠવી. રશિયા અને અમેરિકા વચ્ચે તે સમયે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું માટે રાધાકૃષ્ણન સ્તાલિનની મુલાકાતમાં વધુ પડતી વાતો શીતયુદ્ધ વિશે જ થઈ હતી. મુલાકાતના અંતમાં રાધાકૃષણન દ્વારા સ્તાલિનને સલાહ આપવામાં આવી હતી કે સોવિયેત રશિયાએ સામેથી શીતયુદ્ધનો અંત લઇ આવવો જોઇએ. જવાબમાં જોકે સ્તાલિને કહ્યું હતું કે “તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે” જેના જવાબમાં રાધાકૃષ્ણને ખૂબ નમ્રતાપૂર્વક સલાહ આપી હતી કે, “એક શાંતિપ્રિય દેશ હોવાના નાતે સોવિયેત રશિયાએ અમેરિકાના બીજા હાથની રાહ જોયા વગર પોતાનો બીજો હાથ આગળ કરી શાંતિની તાળી વગાળવી જોઈએ”. સ્તાલિન જેવા સરમુખત્યાર શાસકને આવી સલાહ આપવાની હિંમત જોકે માત્ર ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસે જ હતી.
  • 1957માં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના નાયબ રાષ્ટ્રપતિ રૂપે ચીનની મુલાકાતે ગયા હતા. ચીનની આ મુલાકાત દરમિયાન તે સમય કાઢીને માઓ ઝેડોંગને (ચીની કમ્યુનિસ્ટ, કવિ અને રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપક) તેમના ઘરે મળવા ગયા હતા. માઓના ઘરે રાધાકૃષ્ણનનું સ્વાગત કરવા માઓ પોતે દરવાજે આવ્યા હતા. દરવાજે આવેલા માઓ સાથે હાથ મેળવ્યા બાદ રાધાકૃષ્ણનને તેમને પ્રેમપૂર્વક ગાલ પર હળવી લપડાક મારી હતી. પ્રથમ મુલાકાતમાં રાધાકૃષણનના આવા અનોખા વ્યહવારથી માઓ ચોંકી ગયા હતા જે જોઈને રાધાકૃષણન હસીને બોલ્યા હતા કે, ” ચોંકવાની જરૂર નથી, હું જ્યારે પોપ અને સ્તાલિનને મળ્યો હતો ત્યારે પણ મે આવું જ વર્તન કર્યું હતું”.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે  ભારતની આર્થિક અને રાજનૈતિક સ્થિતિ ઘણી નબળી હતી. ભારતની આ સ્થિતિ જોતાં રાધાકૃષ્ણને પોતાના ₹10,000 પગાર માંથી ઓછો કરાવી ₹2,000 કરવી દીધો હતો અને બાકીના ₹8000 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમાં કરાવવાનો આદેશ કર્યો હતો.

તમારા શિક્ષક સાથે ની તમારી કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ અથવા તમારી પસંદ ના કોઈ સુવિચાર કે મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો

આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ (World Teachers Day) 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવાની શરૂઆત કરાઈ હતી. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "યંગ ટીચર્સઃ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન" રાખવામાં આવી છે. 

શિક્ષક કઇ રીતે બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે તે દર્શાવતી ઘણી ફિલ્મો પણ બની છે.

1. તારે જમીન પર

વર્ષ 2007મા આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'તારે જમીન પર' રિલીઝ થઈ, જેમાં 8 વર્ષના છોકરાની કહાની દેખાડવામાં આવી હતી. ઈશાન એટલે કે દર્શીલ સફારીએ ફિલ્મમાં ડિસલેક્સિયાની બીમારીનો સામનો કરતા બાળકની ભૂમિકા ભજવી હતી, જેને જ્યારે હોસ્ટેલમાં મોકલવામાં આવે છે તો તેનું જીવન બદલી જાય છે. ત્યાં ઈશાનને સમજનાર એક ટીચર મળે છે, જે તેના જીવનમાં પરિવર્તન લાવે છે. 



2. હીચકી

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



3. બ્લેક

અમિતાભ બચ્ચને ફિલ્મ બ્લેકમાં એક ટીચરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન આંધળી અને બેરી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રાની મુખર્જીને બોલવાનું શીખવે છે. આ ફિલ્મમાં ગુરૂ અને શિષ્યની અલગ કેમેસ્ટ્રી જોવા મળે છે. 



4. સુપર 30

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



5. મેડમ ગીતા રાની


01 June, 2021

નીલમ સંજીવ રેડ્ડી

 નીલમ સંજીવ રેડ્ડી

ભારતના છ્ઠ્ઠા રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની

આંધ્ર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.



જન્મતારીખ: 19 મે 1913

જન્મ સ્થળ: ઇલ્લુર, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ

પિતાનું નામ: ચિન્ન્પ્પા રેડ્ડી

માતાનું નામ:

અવશાન:  1 જૂન 1996, બેંગ્લોર, કર્ણાટક


નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો.

તેઓનું પ્રારંભિક શિક્ષણ થિઓસોફિકલ હાઈસ્કૂલ (મદ્રાસ)માં થયું હતું. ત્યારબાદ સ્નાતક અભ્યાસક્રમ માટે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અનંતપુર ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

૧૯૫૮માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમના પ્રદાન બદલ માનદ ડૉક્ટર ઓફ લો ની પદવી એનાયત કરવામાં આવી હતી

૧૯૨૯માં મહાત્મા ગાંધીની અનંતપુર જિલ્લાની મુલાકાત બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને ૧૯૩૧માં કોલેજનો અભ્યાસ અધૂરો છોડી ચળવળમાં સક્રીય બન્યા. 

તેઓ યુવા મોર્ચા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા અને વિદ્યાર્થી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. 

૧૯૩૮માં આંધ્ર પ્રદેશ પ્રાંતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા અને એક દશક સુધી આ પદ પર રહ્યા.

 ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે જેલવાસ ભોગવ્યો હતો

માર્ચ 1942 માં છૂટી થયેલા અને  તેમની ફરીથી ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી અને અમરોતી જેલમાં મોકલવામાં આવ્યા.

૧૯૪૬મા મદ્રાસ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય બન્યા.

આન્ધ્રપ્રદેશના પહેલા મુખ્યમંત્રી(૧૯૬૨-૬૪),  બે વાર લોકસભાના સ્પીકર (૧૯૬૭ - ૬૯ ), કેન્દ્ર સરકારમાં મંત્રી, કોંગ્રેસના પ્રમુખ(૧૯૬૦-૬૨)અને ભારતના રાષ્ટ્રપતિ એ શ્રી રેડ્ડીનો પોલીટીકલ ગ્રાફ હતો .


  લોકસભાના સ્પીકર થતા જ તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકેથી રાજીનામું આપી દીધું હતું.

પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજિત થતા સક્રિય રાજકારણ છોડી માદરે વતન ચાલ્યા ગયા પણ કટોકટીના ગાળામાં જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના આહવાન પછી રાજનીતિમાં પુન:સક્રિય થયા 

ભારતના રાષ્ટ્રપતિ બન્યા

૨૧ જુલાઈ ૧૯૭૭ના રોજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંઘ અને ઇન્દિરા ગાંધીની સરકારો સાથે કામ કર્યું હતું 25 જુલાઇ 1982 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા. ભારતની આઝાદીની ૩૦મી વર્ષગાંઠની પૂર્વસંધ્યા પર તેમણે ભારતની ગરીબ જનતા સાથે એકાત્મતા પ્રદર્શિત કરતાં રાષ્ટ્રપતિભવનમાંથી એક સામાન્ય આવાસમાં રહેવાની અને પોતાના વેતનમાં ૭૦ પ્રતિશત કપાતની ઘોષણા કરી હતી

.
         મોરારજી સરકારમાં સ્પીકર અને ૨૫ જુલાઈ ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૮૨ દરમિયાન જનતા પક્ષના ઉમેદવાર તરીકે  ભારતના છઠા રાષ્ટ્રપતિ બન્યા તેમના રાષ્ટ્રપતિકાળ દરમિયાન મોરારજી દેસાઈ,ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાનો આવ્યા હતા. તે સમયે તેઓ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા.તેમના સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણની બે મોટી ફલશ્રુતિ એટલે નાગાર્જુન સાગર બંધનો પ્રારંભ અને અનુસુચિત જાતિ અને જનજાતિ સમિતિઓની રચના.


૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ૧૯૫૬-૬૦ અને ૧૯૬૨-૬૪ના સમયગાળામાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન જ ૧૯૬૦-૬૨ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૪-૬૭ દરમિયાન લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા. જેમાં તેમણે ખાણ-ખનીજ, પોલાદ, વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી


           નીલમ સંજીવ રેડ્ડીનું ૧ જુન ૧૯૯૬ના રોજ ૮૩ વર્ષની વયે બેંગ્લોરમાં ન્યુમોનિયાના કારણે અવસાન થયું હતું

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક સ્મારક ટિકિટ અને વિશેષ કવર બહાર પાડ્યુ.

 ૧૯૮૯માં પ્રકાશિત થયેલ વિધાઉટ ફીઅર ઓર ફેવર : રીમેન્સીઝ ઍન્ડ રિફ્લેક્શન્સ ઓફ અ પ્રેસિડેન્ટ(Without Fear or Favour: Reminiscences and Reflections of a President) નામનું પુસ્તક લખ્યુ હતું.

હૈદરાબાદમાં, નીલમ સંજીવ રેડ્ડી કોલેજ ઓફ એજ્યુકેશન છે

આંધ્રપ્રદેશમાં હૈદરાબાદના સચિવાલયમાં 2005 માં  સંજીવ રેડ્ડીની એક પ્રતિમાનું અનાવરણ કરાયેલ છે