મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label May. Show all posts
Showing posts with label May. Show all posts

03 May, 2022

ભાવનગર સ્થાપના દિવસ

 ભાવનગર સ્થાપના દિવસ

અખાત્રીજ


ઇ.સ. 1723માં અખાત્રીજના પવિત્ર દિવસે સિહોરના દરબાર સાહેબ ભાવસિંહજી ગોહિલે  વડવા નજીક નવી રાજધાની ભાવનગરની સ્થાપના કરી હતી.



મહારાજા ભાવસિંહજી પ્રથમ


આજે ભાવનગર શહેરને 300 વર્ષ પૂરા થયા છે ત્યારે ગોહિલવંશનાં પ્રજાવત્સલ રાજવીઓને વંદન. ભાવનગરના રાજવી 1800 પાદરના ધણી કહેવાતા હતા. અખાત્રીજના પર્વે ભાવનગરની સ્થાપનાને 300 વર્ષ પૂર્ણ થઇને 301માં વર્ષમાં પ્રવેશ કરશે.

એક સમયે કહેવાતું કે ભાવનગરમાં ‘સોનાનો સૂરજ ઊગે છે’ . સૂર્યવંશી ગોહિલોની રાજધાની સિહોરથી ખસેડીને ભાવનગર ખાતે ફેરવી હતી. કારણ કે. ભાવનગર પર બહારના આક્રમણખોરો દ્વારા હુમલાઓ વધી રહ્યાં હતા ત્યારે એક વધુ સુરક્ષિત રાજધાનીની જરૂર જણાતા વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા) વિક્રમ સંવત 1779 (7 મે, ઈ.સ.1723)ના રોજ મૂળ જુના વડવા ગામના નાકે ભાવસિંહજી પ્રથમ દ્વારા ભાવનગર શહેરનો શિલાન્યાસ થયો હતો. 

ભાવેણાની સ્થાપના થતાં વિશાળ સમુદ્રની જેમ જાણે કે રાજ્યનો વિસ્તાર, વસતિ અને વિકાસના ક્ષેત્રે પણ વૃદ્ધિ થઈ.સિહોરમાં કેન્દ્રિત એક નાનું દેશી રજવાડું પોતાના રાજ્યનો વિસ્તાર કરીને સૌરાષ્ટ્રનાં કુલ 222 રજવાડાઓમાં ત્રીજા નંબરનું મહત્ત્વનું દેશી રાજ્ય બન્યું હતું.

ગંગાજળીયા તળાવ, ગૌરીશંકર તળાવ, વિકટોરીયા પાર્ક, તખ્તેશ્વર મહાદેવ, જશોનાથ, ગંગાદેરી, ક્રેસન્ટ સર્કલ, ભાવવિલાસ પેલેસ, નિલમબાગ પેલેસ, નંદકુવરબા શાળા, લાલ દવાખાનું (સર તખ્તસિંહજી હોસ્પિટલ ),  બાર્ટન લાઈબ્રેરી,આલ્ફ્રેડ હાઈસ્કૂલ સહિતના સ્થળો આપણા ભાવનગરની શાન છે.


ભાવનગર 
ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે. જેને અમદાવાદ, બોટાદ અને અમરેલી જિલ્લની સરહદ સ્પર્શ કરે છે. ભાવનગરમાં હાલમાં કુલ 10 તાલુકાઓ આવેલા છે  જેમા શિહોર, ઉમરાળા, ગારીયાધાર, વલ્લભીપુર, ઘોઘા, ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા અને જેસરનો સમાવેશ થાય છે.

ભાવનગરના દક્ષિણ દિશમા અરબી સમુદ્ર આવેલ છે. ભાવનગર 152 કિમીનો દરિયા કિનારો ધરાવે છે જેના કાંઠે કોળિયાક, ઝાંઝમેર, ગોપનાથ, અલંગ, પીરમબેટ, ચુડા જેવા ફરવાલાયક સ્થળો આવેલ છે. સાથે સાથે ઘોઘા ખાતે ઘોઘા-દહેજ અને ઘોઘા-હજિરા ફેરી માટેનું ટર્મિનલ આવેલ છે. અલંગ એ જહાજ ભાંગવા માટેનું સૌથી મોટુ સ્થળ આવેલ છે જ્યા વિદેશથી જહાજો અને શીપ ભંગાળ માટે આવે છે.

ભાવનગરમાં આવેલ અગત્યના સ્થળો

ગંગાજળિયા તળાવ

ગંગાદેરી


નીલમબાગ પેલેસ





ગૌરીશંકર તળાવ (બોર તળાવ)


અક્ષરવાડી


વિક્ટોરિયા પાર્ક


લોકગેટ..
ભાવનગરના નવા બંદરના વિકાસને વધારવા તેમાં કાંપને લીધે પુરાણ ન થાય તે માટે એશિયામાં સર્વ પ્રથમ લોકગેટ બાંધવાનો કલ્પના કરેલી અને તે માટે આયોજન કરાયા બાદ 1961માં લોકગેટ કાર્યરત થઇ ગયો હતો.



ગંગાદેરી...
ભાવનગરમાં નમૂનેદાર સ્થાપત્યોમાં  ગંગાદેરીની છે. સફેદ આરસમાંથી આગ્રાના તાજમહેલની પ્રતિકૃતિ સમી 'ગંગાદેરી’ આવેલ છે.




ટાઉનહોલ...
કૃષ્ણુકમારસિંહજીના લગ્ન જ્યાં થયેલા તે ટાઉનહોલ છે.. ઇટાલિયન માર્બલના બેશકિંમતી ઝુમ્મર અને અન્ય ડેકોરેશનની કલાત્મક ચીજો હતી . મહારાજા એ આ હોલ લગ્ન બાદ પ્રજાને અર્પણ કર્યો હતો.




ભાવનગર-તળાજા ટ્રેન...
સમગ્ર કાઠિયાવાડ પ્રાંતમાં સૌ પ્રથમ રેલવેનો ભાવનગર રાજ્યે, 18 ડિસેમ્બર 1880નાં રોજ પ્રારંભ કર્યો હતો અને બાદમાં ભાવનગર રાજ્યમાં આંતરિક રેલવે જોડાણ કરાયુ઼ હતુતેમાં છેક 1980ના દશકા સુધી ભાવનગરથી તળાજાની રેલવે લાઇન હતી તે સુવિધા હવે ઉપલબ્ધ નથી.




સંસ્કૃત પાઠશાળા...
સંસ્કૃત પાઠશાળાઓ કાર્યરત હતી પણ આજની તારીખે હવે એકાદ બે પાઠશાળા માંડ રહી છે. ભાવનગર રાજ્યએ તો તેના મહાલ(તાલુકા) કક્ષાએ પણ સંસ્કૃત પાઠશાળાઓ ઉભી કરી સંસ્કૃતનું શિક્ષણ આપવાનો આરંભ કર્યો હતો પણ એ વિરાસત જળવાઇ નથી.

સુએઝ પ્લાન્ટ...
ભાવનગર શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજવી કાળમાં જર્મનીમાંથી એન્જીનીયરને બોલાવીને કાર્યરત કરાયો હતો. જે ગટરના પ્રદુષિત પાણીને શુદ્ધ કરતો હતો. ભાવનગરમાં આઝાદી પહેલા આ પ્રકારનો પ્લાન્ટ સૌ પ્રથમ સ્થપાયો હતો પરંતુ બાદમાં તંત્રની આળસને કારણે અને બેદરકારીથી બંધ પડી ગયો હતો.

જુદા જુદા વિસ્તારમાં અખાડા...
બાળકો અને તરૂણોમાં સ્વાસ્થ્ય સંબંધે જાગૃતિ વધે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય તે માટે મહારાજાએ એક સમયે ભાવનગર શહેરમાં 22થી વધુ અખાડા કાર્યરત હતા તેમાં આજની તારીખે હવે માંડ ત્રણથી ચાર અખાડા કાર્યરત છે. અખાડાની પ્રવૃત્તિ માટે ભાવનગર નમૂનેદાર ગણાતું પણ હવે અખાડા નામશેષ થઇ ગયા છે.

દરબાર બેન્ક...
રાજવી પરિવારે 1 એપ્રિલ,1902ના રોજ બેન્ક શરૂ કરી તેનું પછી નામ ભાવનગર દરબાર સેવિંગ્ઝ બેન્ક રખાયું હત જેથી ભાવનગરમાં ઉદ્યોગ, વીજળી, બંદર વિગેરેની સુવિધા વધીહતી. બાદમાં આ બેન્કનું નામ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર રખાયુ઼ પણ 2008માં આ સમગ્ર બેન્કને એસબીઆઇમાં મર્જ કરી દેવાતા ભાવનગરને નુકશાન વેઠવું પડ્યું

ભાવનગરના સર્વાંગી વિકાસમાં બદલાવ લાવશે આ છ પ્રોજેક્ટ

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ
ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂટનું સંપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થવામાં છે અને આ રોડ સુવિધાજનક થવાથી ભાવનગરથી અમદાવાદ સુધી અઢીથી 3 કલાકમાં પહોંચી જવાશે. ભાવનગરથી સુરત અને વડોદરા જવા માટે પણ સુવિધા વધી છે.

સીએનજી ટર્મિનલ...
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સી.એન.જી.પોર્ટ ટમિર્નલની ભાવનગરમા થવાની છે અને આ ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટનની હશે. પોર્ટ બેઝિન માટેની ચેનલ, ડ્રેજીંગ વિગેરે સુવિધા હશે.

સાયન્સ મ્યુઝિયમ...
ભાવનગર શહેરમાં નારી ગામ પાસે 20 એકર વિશાળ જમીનમાં રૂપિયા 81 કરોડના ખર્ચે વિજ્ઞાન મ્યુઝિયમ સાકાર થશે. વિજ્ઞાન મ્યુઝિયમમાં 20 એકર જમીનમાં આશરે એક લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ થશે.

વ્હિકલ સ્ક્રેપ યાર્ડ...
ભાવનગરના અલંગ નજીક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ નિર્માણ પામશે. ફરનેસ જેવી સ્ક્રેપનો ઉપયોગ કરનાર ઇન્ડસ્ટ્રી પણ અલંગ નજીકમાં છે. આ ઉદ્યોગથી જિલ્લાના હજારો લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજીરોટી મળશે.

ખંભાતના અખાતનો પૂલ...
ભાવનગરથી ખંભાત સુધી અખાતમાં પૂલ બંધાતા અંતરમાં 100થી 150 કિલોમીટર જેવો ઘટાડો થશે. મીઠા પાણીની પાઇપલાઇન આ રોડની સમાંતર બનાવી શકાશે. ગેસ અને વીજ લાઇન સમાંતર રાખી શકાશે. તળ સુધરશે.

ચિત્રા મંદિર...
શહેરના ચિત્રામાં સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ સ્વામીનારાયણ મંદિર આકાર લઇ રહ્યું છે. 300 ફૂટ લંબાઇ, 250 ફૂટ પહોળાઇ અને 108 ફૂટ ઉંચા આ મંદિરમાં 6 લાખ ઘનફૂટ પથ્થર વપરાશે. 1000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહી શકશે.

06 August, 2021

રવિન્દ્રનાથ ટાગોર

 રવિન્દ્રનાથ ટાગોર




જન્મતારીખ: 7 મે 1861

               (બંગાળી કેલેન્ડર મુજબ પોચીસે(25મી) બૈશાખ 1268)

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: દેવેન્દ્રનાથ ટાગોર

માતાનું નામ: શારદાદેવી

અવશાન: 7 ઓગસ્ટ 1941 (કલકત્તા)

ઉપનામ:  જમીનદારબાબુ, ગુરુદેવ, રવિન્દ્રનાથ ઠાકુર

7 મે 1861માં કોલકાતાના જોરાસકો હવેલીમાં  એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ મળ્યું રવીન્દ્ર પાડવામાં આવ્યુ જેને આગળ જઈને જેણે દુનિયાના ખ્યાતનામ સાહિત્યકાર, કવિ અને મહાન વ્યક્તિત્વ તરીકે નામના મેળવી.

કોલકાતાના એક શ્રીમંત બંગાળી પરિવારમાં જન્મેલા રવીન્દ્રનાથને નાનપણથી જ લેખન અને સાહિત્ય સાથે પ્રેમ થઈ ગયો હતો. 

રવિન્દ્રનાથ ટાગોરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું.

રવિન્દ્રનાથ ટાગોર કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. 

યજ્ઞોપવીત (જનોઈ) દીધા બાદ ૧૧ વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૩ના રોજ ભારતભ્રમણ કરવા માટે કોલકાત્તાથી નિકળી પડ્યા હતા. આ દરમિયાન તેઓ કૌટુંબિક જાગીર એવા શાંતિનિકેતન એસ્ટેટ અને અમ્રતસરની મુલાકાત લઈને હિમાલયના ગિરિમથક એવા ડેલહાઉસી પહોંચ્યા. ત્યાં ટોગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન સંસ્કૃતની ઉત્કૃષ્ટ કવિતા કાલિદાસનું ઊંડું અધ્યયન કર્યું


૧૮૭૭મા ,તેમણે ઘણું બધું લખ્યું જે પૈકીની એક હતી અત્યંત લાંબી મૈથિલી શૈલિમાં વિદ્યાપતિ (મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ)ની ઢબે લખેલી કવિતા, જેને માટે તેઓ રમૂજમાં એમ કહેતા હતા કે તે વૈષ્ણવ કવિ ભાનુસિંહાની ૧૭મી સદીમાં ખોવાયેલી કૃતિ હતી. તેમણે "ભીખારીની" (1877; " ધ બેગર વુમન"—બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા)  અને સાંધ્ય સંગીત લખી. (૧૮૮૨) —જેમાં પ્રખ્યાત કવિતા "નિરજેરેર સ્વપ્નભંગ"નો સમાવેશ થતો હતો.

1878 થી 1932 દરમિયાન તેમણે પાંચ ખંડોના 13 દેશોની મુલાકાત લીધી હતી

 રવીન્દ્રનાથ ટાગોરના પિતા ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી તેમણે ટાગોરને ૧૮૭૮માં ઈંગ્લેનડનાં બ્રાઈટનની પબ્લિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો પરંતુ ડીગ્રી લીધા વગર તેઓ ૧૮૮૦માં બંગાળ પરત ફર્યા.

 ૯ ડિસેમ્બર ૧૮૮૩માં તેમના લગ્ન મૃણાલિની દેવી  સાથે થયા  તે સમયે મૃણાલિની દેવી માત્ર 10 વર્ષ ના હતા. જેમનાથી તેમને પાંચ સંતાનો થયા. તેમાંથી બે પુખ્ત થાય તે પહેલા જ મૃત્યુ પામ્યા. તે જ સમયે, 1902 માં, રવિન્દ્રનાથ ટાગોરની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું.

 1890માં તેમની પરિવારની મિલકત એવા શિલાએદહ પહોંચ્યા, જે હાલમાં બાંગલાદેશમાં છે. તેમની સાથે તેમના પત્નિ અને બાળકો પણ ૧૮૯૮માં જોડાયા હતા.

 "જમીનદારબાબુ"તરીકે જાણીતા ટાગોર તેમની વિશાળ જગ્યામાં ફેલાયેલી એસ્ટેટની મુલાકાત લેતા હતા તેઓ પોતાના વૈભવશાળી નિવાસ્થાન પદમ માં પણ રહેતા ન હતા. તેઓ ભાડૂં ઉઘરાવવા(મોટાભાગે નજીવું) માટે ફરતા અને ગ્રામવાસીઓને આશીર્વાદ આપતા. જેના બદલામાં ગામલોકો ભોજન સમારંભ રાખતા 

 આ વર્ષો ટાગોરની સાધના ના વર્ષો હતા 

આ સમય દરમિયાન તેમની ત્રણ ભાગમાં લખાયેલી વાર્તાની અડધી વાર્તાઓ અંહી લખાઈ તેમજ 84 જેટલી ગાલપાગુચ્ચા વાર્તાઓ અહીં લખાઈ આ વાર્તાઓમાં બંગાળની જીવનશૈલી અને તેમાં પણ ગ્રામ્ય જીવનનું સુંદર નિરુપણ હતું.

1901માં ટાગોરે શિલાએદહ છોડી દીધું અને શાંતિનિકેતન (પશ્ચિમ બંગાળ) આવી પહોંચ્યા  જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી જેમાં આરસપહાણનો પ્રાર્થના ખંડ , એક શાળા, વૃક્ષો, બગીચો, પુસ્તકાલયનો સમાવેશ થતો હતો..

અહીં જ ટાગોરની પત્ની અને તેમના બે બાળકોના મૃત્યુ થયા હતા. તેમના પિતાનું અવસાન 19 જાન્યુઆરી 1905ના રોજ થયું હતું. 

 આ સમય દરમિયાન તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા જેથી મોટાપ્રમાણમાં બંગાળી અને વિદેશી વાચકો તેમના અનુયાયીઓ બની ગયા હતા. 

તેમણે નૈવિધ્ય (1901) અને ખેયા (1906) પ્રસિદ્ધ કર્યું ઉપરાંત તેમણે પોતાની કવિતાઓને મુક્ત ટૂકી કવિતામાં ભાષાંતર પણ કર્યું. 

14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને  સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું. 

નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અને પ્રથમ એશિયાઇ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર હતા.

1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટ (સર’ )નો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.

1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.) આ સંસ્થા શાંતિનિકેતન આશ્રમની નજીક સુરુલ ગામ નજીક આવેલી છે. 

ગાંધીજીની સ્વરાજ ની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી હતી.  તેમણે વિદ્વાન, દાનવીરો અને વિવિધ દેશોના લોકોની નિમણૂક ગામના નિરિક્ષર લોકોને ભણાવવા માટે કરી.

1930ના દાયકામાં તેઓ ભારતની જાતિ આધારિત વ્યવસ્થા અને અછૂત જેવી સમસ્યાઓથી ચિંતત થયા હતા. તેમણે પોતાના નિબંધો, કવિતાઓ અને નાટકોમાં અછૂતને નાયક બનાવ્યો હતો અને ગુરુવાયોર મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાની વિનંતી કરી હતી

15 જાન્યુઆરી 1934ના રોજ બિહાર જિલ્લામાં આવેલા ભૂકંપને ગાંધીજીએ દલિત પ્રત્યે થયેલા ખરાબ વ્યવહારનો દિવ્ય પ્રતિશોધ ગણાવ્યો હતો. જેની ટાગોરે ટીકા કરી હતી.

 બંગાળની આર્થિક અસમાનતાને લઈને પણ તેઓ ચિંતિત હતા. તેમણે 100 પંક્તિઓની એક કવિતા પણ લખી હતી. આ વાત જાણીતા ફિલ્મકાર સત્યજીત રેએ તેમની ફિલ્મ અપૂર સંસાર માં વણી લીધી હતી.

ટાગોરે પોતાની કવિતાઓ, નિબંધોનું કામ 15 ખંડમાં ભેગૂં કર્યું હતું. જેમાં પુનાશાચા (1932), શિશ સપ્તક (1935), અને પાત્રાપૂટ નો સમાવેશ થાય છે.(1936). 

તેમણે ગધ ગીતની શૈલી અને નૃત્ય નાટક વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા હતા. જેમાં ચિંત્રાંગદા (1914), શ્યામા (1939),અને ચાંડલિકા (1938),નો સમાવેશ થતો હતો. 

તેમણે દુઈ બોન (1933), મલાંચા (1934), અને ચાર અધ્યાય નામની નવલકથાઓ પણ લખી. (1934). 

છેલ્લા વર્ષોમાં ટાગોરે વિજ્ઞાનમાં પણ રસ લીધો અને 1937 વિશ્વ પરિચય નામનું પૂસ્તક લખ્યું. તેમણે જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્રને પોતાની કવિતાઓમાં સમાવી લીધું. આ કવિતાઓમાં પ્રકૃતિની અસીમ તાકાતનું નિરુપણ રહેતું હતું. તેમણે વિજ્ઞાનની પ્રક્રિયા પણ પોતાની કેટલીક વાર્તાઓ સી (1937), ટીન સાંગાઈ (1940), અને ગાલપોસાલ્પા જેવા ગ્રંથોમાં સમાવી હતી(1941).

પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. 

ટાગોરના છેલ્લા ચાર વર્ષે ભારે દુઃખમાં વિત્યા હતા. છેલ્લા બે વર્ષ તો તેઓ સખ્ત બિમાર હતા. 1937માં પહેલો બેશુદ્ધ થવા લાગ્યા હતા. તેઓ જીવનના અંત સમયે પણ બેશુદ્ધ અવસ્થામાં જ હતા. 

1940 બાદ બીજા ત્રણ વર્ષો દરમિયાન બેશુદ્ધીની બિમારી જોર કરી ગઈ. આ બિમારીથી તેઓ કોઈ દિવસ બહાર આવી શક્યા નહીં. આ વર્ષોમાં તેમણે લખેલી કવિતાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓ છે.


ગંભીર બિમારી બાદ 80 વર્ષની વયે ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ  જ્યાં તેઓ મોટા થયા હતા ત્યાં તેઓ જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા.

 બંગાળી જગતમાં તેમની મૃત્યુ તીથી ના દિવસે લાખો લોકો મૌન રાખે છે.


ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.

તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. 

ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. 

તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

 ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

ટાગોરની કવિતાઓને વિવિધ કંપોઝરો દ્વારા તાલબદ્ધ કરવામાં આવી છે. તેમાંની કંપોઝર આર્થર શેફર્ડની ઊંચા અવાજવાળી તંતુવાદ્ય ધરાવતી ચાર ગાયકોની જોડીની તખ્તી તેમજ કંપોઝર ગેરી શિમેનની "પ્રાણ," તે ટાગોરની કવિતા "સ્ટ્રીમ ઓફ લાઇફ" ગીતાંજલિમાંથી લેવામાં આવી છે.ત્યાર બાદમાં તેને સ્થાનિક પલબાષા સિદ્દીકી દ્વારા કંપોઝ અને રેકોર્ડ કરવામાં આવી હતી. આ માટે તેમણે ઈન્ટરનેટ સેલિબ્રિટી મેટ્ટ હાર્ટિંગનો વાઈરલ વિડિયો માટે સાથ લીધો હતો

ટાગોરના રાજકીય વિચારો જટીલ હતા. તેમણે યુરોપીયન સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો હતો અને ભારતીય રાષ્ટ્રવાદીઓને ટેકો આપ્યો હતો

ટાગોરે ભારતીય સ્વતંત્રતા ચળવળના ગુણગાન ગાતા ગીતો લખ્યા હતા અને 1919ના જલીયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં પોતાનો ખિતાબનો ત્યાગ કર્યો હતો.

રાજકારણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વની એવી ટાગોરની બે કૃતિઓ, ચિત્તો જેથા ભયશુન્યો (ભય વગરનું ચિત્ત) અને એકલા ચાલો રે (જો તેઓ ઇશ્વરની હાકલ જવાબ ન આપે તો એકલો જાને રે) ભારે લોકપ્રિય થઇ હતી. 

એકલા ચાલો રેની ગાંધીજીએ પણ તરફેણ કરી હતી.ગાંધીજી સાથે તેમના સંબંધ તોફાની હતા તેમ છતાં ટાગોરે ગાંધી-આંબેડકર વિવાદને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં અછૂત માટે અલગ મતદાનની માંગ કરવામાં આવી હતી અને ગાંધીની આમરણાંત ઉપવાસ પર બેઠા હતા

 રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું છે. ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” છે જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર સોનાર” છે.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી ઘણી રચનાઓ જેમ કે ગીતાંજલિ, ગીતાલી, ગીતીમાલ્યા, શિશુ ભોલાનાથ, ઘીયા વગેરે પણ અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ છે.

ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ મહાત્મા તરીકે બોલાવ્યા હતા. જે પછી ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યા.

રવીન્દ્રનાથ ટાગોર ત્રણ વખત પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા અને એવું કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.

રવિન્દ્ર નાથ ટાગોરે વર્ષ 1919 માં ‘કલા ભવન’ ની સ્થાપના કરી હતી જે 1921 માં સ્થપાયેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની હતી.

ટાગોરે 11 ઓક્ટોબર 1917ના રોજ જ્યારે કેલિફોર્નિયાના સાંતા બાર્બરાની મુલાકાત લીધી હતી ત્યારે તેમને નવા પ્રકારની યુનિવર્સિટીનો વિચાર આવ્યો હતો અને તેમના આશ્રમ શાંતિનિકેતનને વિશ્વ સાથે જોડતા સેતુ તરીકે વિકસાવવાની ઇચ્છા થઇ હતી. તેઓ શાંતિનિકેતનને રાષ્ટ્રીય અને ભૌગોલિક મર્યાદાઓથી પર  અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છતા હતા.તેમણે શરૂ કરેલી વિશ્વ ભારતી નામની શાળાનો શિલાન્યાસ 22 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો બાદમાં તેનું 22 ડિસેમ્બર 1921ના રોજ ઉદઘાટન થયું હતું, અહીં ટાગોરે બ્રહ્મચર્ય પ્રકારની શિક્ષણશૈલી અપનાવી હતી, ટાગોરે શાળા અને સ્ટાફ માટે ભંડોળ ઉભું કરવા સખત મહેનત કરી હતી. તેમણે તે તેમના નોબલ પારિતોષના તમામ પૈસામાં પણ તેમાં ખર્ચી નાંખ્યા હતા

7 મે 2009ના રોજ Google  એ ટાગોર પર ગૂગલ ડૂડલ દર્શાવ્યું હતું જે તેમની 148મી જન્મજયંતિ હતી


બંગાળી કેલેન્ડર જોવા માટે અહી ક્લિક કરો.

01 June, 2021

નીલમ સંજીવ રેડ્ડી

 નીલમ સંજીવ રેડ્ડી

ભારતના છ્ઠ્ઠા રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની

આંધ્ર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.



જન્મતારીખ: 19 મે 1913

જન્મ સ્થળ: ઇલ્લુર, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ

પિતાનું નામ: ચિન્ન્પ્પા રેડ્ડી

માતાનું નામ:

અવશાન:  1 જૂન 1996, બેંગ્લોર, કર્ણાટક


નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો.

તેઓનું પ્રારંભિક શિક્ષણ થિઓસોફિકલ હાઈસ્કૂલ (મદ્રાસ)માં થયું હતું. ત્યારબાદ સ્નાતક અભ્યાસક્રમ માટે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અનંતપુર ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

૧૯૫૮માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમના પ્રદાન બદલ માનદ ડૉક્ટર ઓફ લો ની પદવી એનાયત કરવામાં આવી હતી

૧૯૨૯માં મહાત્મા ગાંધીની અનંતપુર જિલ્લાની મુલાકાત બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને ૧૯૩૧માં કોલેજનો અભ્યાસ અધૂરો છોડી ચળવળમાં સક્રીય બન્યા. 

તેઓ યુવા મોર્ચા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા અને વિદ્યાર્થી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. 

૧૯૩૮માં આંધ્ર પ્રદેશ પ્રાંતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા અને એક દશક સુધી આ પદ પર રહ્યા.

 ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે જેલવાસ ભોગવ્યો હતો

માર્ચ 1942 માં છૂટી થયેલા અને  તેમની ફરીથી ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી અને અમરોતી જેલમાં મોકલવામાં આવ્યા.

૧૯૪૬મા મદ્રાસ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય બન્યા.

આન્ધ્રપ્રદેશના પહેલા મુખ્યમંત્રી(૧૯૬૨-૬૪),  બે વાર લોકસભાના સ્પીકર (૧૯૬૭ - ૬૯ ), કેન્દ્ર સરકારમાં મંત્રી, કોંગ્રેસના પ્રમુખ(૧૯૬૦-૬૨)અને ભારતના રાષ્ટ્રપતિ એ શ્રી રેડ્ડીનો પોલીટીકલ ગ્રાફ હતો .


  લોકસભાના સ્પીકર થતા જ તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકેથી રાજીનામું આપી દીધું હતું.

પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજિત થતા સક્રિય રાજકારણ છોડી માદરે વતન ચાલ્યા ગયા પણ કટોકટીના ગાળામાં જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના આહવાન પછી રાજનીતિમાં પુન:સક્રિય થયા 

ભારતના રાષ્ટ્રપતિ બન્યા

૨૧ જુલાઈ ૧૯૭૭ના રોજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંઘ અને ઇન્દિરા ગાંધીની સરકારો સાથે કામ કર્યું હતું 25 જુલાઇ 1982 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા. ભારતની આઝાદીની ૩૦મી વર્ષગાંઠની પૂર્વસંધ્યા પર તેમણે ભારતની ગરીબ જનતા સાથે એકાત્મતા પ્રદર્શિત કરતાં રાષ્ટ્રપતિભવનમાંથી એક સામાન્ય આવાસમાં રહેવાની અને પોતાના વેતનમાં ૭૦ પ્રતિશત કપાતની ઘોષણા કરી હતી

.
         મોરારજી સરકારમાં સ્પીકર અને ૨૫ જુલાઈ ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૮૨ દરમિયાન જનતા પક્ષના ઉમેદવાર તરીકે  ભારતના છઠા રાષ્ટ્રપતિ બન્યા તેમના રાષ્ટ્રપતિકાળ દરમિયાન મોરારજી દેસાઈ,ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાનો આવ્યા હતા. તે સમયે તેઓ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા.તેમના સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણની બે મોટી ફલશ્રુતિ એટલે નાગાર્જુન સાગર બંધનો પ્રારંભ અને અનુસુચિત જાતિ અને જનજાતિ સમિતિઓની રચના.


૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ૧૯૫૬-૬૦ અને ૧૯૬૨-૬૪ના સમયગાળામાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન જ ૧૯૬૦-૬૨ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૪-૬૭ દરમિયાન લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા. જેમાં તેમણે ખાણ-ખનીજ, પોલાદ, વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી


           નીલમ સંજીવ રેડ્ડીનું ૧ જુન ૧૯૯૬ના રોજ ૮૩ વર્ષની વયે બેંગ્લોરમાં ન્યુમોનિયાના કારણે અવસાન થયું હતું

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક સ્મારક ટિકિટ અને વિશેષ કવર બહાર પાડ્યુ.

 ૧૯૮૯માં પ્રકાશિત થયેલ વિધાઉટ ફીઅર ઓર ફેવર : રીમેન્સીઝ ઍન્ડ રિફ્લેક્શન્સ ઓફ અ પ્રેસિડેન્ટ(Without Fear or Favour: Reminiscences and Reflections of a President) નામનું પુસ્તક લખ્યુ હતું.

હૈદરાબાદમાં, નીલમ સંજીવ રેડ્ડી કોલેજ ઓફ એજ્યુકેશન છે

આંધ્રપ્રદેશમાં હૈદરાબાદના સચિવાલયમાં 2005 માં  સંજીવ રેડ્ડીની એક પ્રતિમાનું અનાવરણ કરાયેલ છે

31 May, 2021

अहिल्याबाई होल्कर

 अहिल्याबाई होल्कर



जन्म दिनांक: 31 मई सन् 1725 ई
जन्मस्थान: चांऊडी गांव (चांदवड़), अहमदनगर, महाराष्ट्र
मृत्यु: 13 अगस्त सन् 1795 ई.
पिता का नाम:मानकोजी शिंदे
माता का नाम:सुशीला बाई
पति: खंडेराव
बच्चे: मालेराव (पुत्र) और मुक्ताबाई (पुत्री)
पद: महारानी
 कर्म भूमि:भारत

महारानी अहिल्याबाई होल्कर की आज 295 वीं जयंती है. महारानी अहिल्याबाई होल्कर एक बहादुर, निडर और महान योद्धा थीं. जिन्होंने अपने शासन के दौरान प्रजा के हित के लिए कई काम किए हैं.

उनको हमेशा से एक बहादुर, आत्मनिष्ठ, निडर महिला के रूप में याद किया जाता है. ये अपने समय की सर्वश्रेष्ठ योद्धा रानियों में से एक थीं, जो अपनी प्रजा की रक्षा के लिए हमेशा तैयार रहती थीं. इतना ही नहीं उनके शासन काल में मराठा मालवा साम्राज्य ने काफी ज्यादा नाम कमाया था. जनहित के लिए काम करने वाली महारानी ने कई हिंदू मंदिर का निर्माण भी करवाया था, जो आज भी पूजे जाते हैं.

अहिल्याबाई एक दार्शनिक और कुशल राजनीतिज्ञ थीं. इसी वजह से उनकी नजरों से राजनीति से जुड़ी कोई भी बात छुप नहीं सकती थी. महारानी की इन्हीं खूबियों के चलते ब्रिटिश इतिहासकार जॉन कीस ने उन्हें 'द फिलॉसोफर क्वीन' की उपाधि से नवाजा था.

महारानी अहिल्याबाई होलकर 31 मई 1725 को महाराष्ट्र के अहमदनगर के जामखेड़ शहर के एक छोटे से गांव चौंडी में जन्मी थी। उनके पिता का नाम पाटिल मंकोजी राव शिंदे है और उनकी माता का नाम सुशीला बाई था। महारानी अहिल्याबाई अपने माँ बाप की एक लोती बच्ची थीं। और उनके पिता महिला की  शिक्षा के हिमायती थे, वो उस समय जहाँ पर महिलाओं को घर से भी बाहर निकलने की इजाजत नहीं थी।उस समय उनके  पिता ने अहिल्याबाई का साथ दिया और उनको घर पर पड़ाना शुरू कर दिया था वे बचपन से ही  लक्षणरहित योग्यता की महिला थी, जो कि किसी भी विषय को बहुत ही आसानी से समझ जाती थी। आगे चलकर उन्होंने अपने काम से लोगों को हैरान कर दिया। और बहुत सारी मुश्किलों का सामना करने के बाद भी अहिल्याबाई होलकर ने कभी भी अपनी राह से विचलित नहीं हुई और वो अपने लक्ष्य तक पहूंचने में सफल हो गई।


अहिल्याबाई होल्कर का विवाह मल्हार राव के बेटे खंडेराव से हुआ था, लेकिन साल 1754 में पति की मृत्यु के बाद महारानी ने सती होने का फैसला लिया था. इनके इस फैसले ने सबको हैरान कर दिया था, लेकिन उनके ससुर ने उन्हें ऐसा करने से रोक लिया था. वहीं कुछ समय बाद महारानी के पुत्र की मृत्यु  हो गई थी


  • महारानी अहिल्याबाई बचपन से ही दया, लोगों के लिए किसी भी प्रकार का मनभेद नही होना और  लोगो की मदद करने में विश्वास करती थी । एक दिन की बात है जिस दिन अहिल्याबाई गरबी लोगों को भोजन करवा रही थी। मालवा राज के राजा  मल्हार राव होलकर  जो पुणे जा रहे थे और आराम करने के लिए  चोंडी गांव में ही रुके हुए थे और उनकी अहिल्याबाई पर नज़र पड़ी। 
  • अहिल्याबाई को लोगो के प्रति  दया भाव को देखकर महाराज मल्हार राव होलकर इतने खुश हुए कि उन्होंने महारानी अहिल्याबाई होलकर के पिता मानकोजी शिंदे से अपने बेटे की शादी अहिल्याबाई से करवाने के लिए  हाथ मांगा लिया।
  • साल 1733 में जब अहिल्याबाई होलकर 8 साल की ही  थी, तब ही उनकी शादी खंडेराव के साथ करवा दी गई क्योंकि उस समय मे बाल विवाह करना एक रिवाज माना जाता था जिसमे लड़के और लड़कियो दोनों की ही छोटी उम्र में शादी करवा दी जाती थी।खांडरेव होलकर के मराठा सम्राट थे जिस से अहिल्याबाई की शादी हुई तो इस वजह से शादी के बाद अहिल्याबाई छोटी उम्र में ही मराठा साम्राजय की रानी बन गई।
  • शादी के 10 साल बाद अहिल्याबाई और खांडेराव होलकर को 1745 में एक  बेटा हुआ जिसका नाम उन्होंने  मालेराव रखा था और बेटे के जन्म के 3 साल बाद ही 1748 में उनकी बेटी हुई जिसका नाम उन लोगों ने मुक्ताबाई रखा था।
  • अहिल्याबाई, राजकीय कार्य मे अपने पति की बहुत ही मदद करती थी, साथ ही उन्होंने अपने पति को युद्ध और एक कौशल फौजी के रूप में निखरने के लिए हमेशा उत्साहित भी किया करती थी । हालांकि, खांडेराव एक अच्छे सिपाही थे, जिन्होंने अपने पिता से फ़ौजी कौशल की शिक्षा ली थी।
  • अहिल्याबाई की बहुत ही खुशी से और  शांती से अपने जीवन को जी रही थी । लेकिन साल 1754 में अहिल्याबाई की जिंदगी में दुखो का समुंद्र ही टूट पड़ा। 
  • अहिल्याबाई जिस समय  21 साल की ही थी तो तभी उनके पति युद्ध मे शहीद हो गए। जिसका सदमा अहिल्याबाई को बहुत पड़ा था। अपने पति से इतने प्यार करने की वजह से अहिल्याबाई ने संत होने का फैसला ले लिया, लेकिन उनके ससुर जो कि उनके पिता समान है पिता ने उनको  ऐसा करने से रोक दिया उनकी बात को मान कर अहिल्याबाई अपना फैसला बदल लिया|
  • साल 1766 में ही मल्हार राव होलकर की भी मृत्यु हो गई। शासन संभालने के कुछ दिनों बाद ही साल 1767 में उनके बेटे मालेराव की भी मौत हो गई। पति,पुत्र और अपने पिता समान ससुर की मृत्यु के बाद भी उन्होंने खुद को जिस तरह से  संभाला है जो कि काबिलय तारीफ है।

  • एक महान और वीर स्तर के तौर पर अहिल्याबाई ने 18वीं सदी में राजधानी माहेश्वर में नर्मदा नदी के किनारे एक बहुत ही सुंदर और आलीशान अहिल्या महल को बनवाया । इस महल में गाने, कला, शास्त्र समूह के लिए जाना जाता था।
  • महारानी अहिल्याबाई किसी बड़े शहर की महारानी नही थी लेकिन तब भी उन्होंने अपने शासन प्रणाली की अवधि में अपने राज्य के विवरण करने में और और उसको एकदम सम्पन्न और विकसित शहर बनाने के काम करने में लग गयी।
  • इंदौर  शहर को एक सुंदर शहर बनाने के लिए महारानी अहिल्याबाई ने अपना बहुत से योगदान दिया था। कम से कम 30 साल के आश्रयजनक प्रधान के बाद अहिल्याबाई ने एक छोटे से गांव को एक बहुत ही खूबसूरत शहर बना दिया तज जो कि समपन्न है।उन्होंने सरकार पर सड़क की मरम्मत, लोगों को रोजगार मिले, जो लोग भूखे है उन लोगों के लिए अन का प्रम्बन्ध, और सबको शिक्षा प्राप्त हो चाहे वो पुरुष हो या महिला को मिलनी चाहिए इन सब कामों के लिए अहिल्याबाई ने काफी दबाव दिया।  अहिल्याबाई की वजह से ही आज भी इंदौर की पहचान एक भारत केसुंदर और विकसित देश में नाम आता है जो कि बहुत ही गर्व की बात है।
  • उनका प्रशासन-प्रबंध संबंधी तंत्र श्रेष्ठ था, वो खुद रात को देर देर तक जागती थी और खुद अपने राज्य का जितना भी काम है उसको खत्म करती थी।

महारानी अहिल्याबाई के सम्मान

महारानी अहिल्याबाई होलकर के किए गए महान कामों के लिए उनको  भारत सरकार की तरफ से 25 अगस्त साल 1996 में  समानित किया गया। और एक डाक टिकट को भी जारी कर दिया गया।  अहिल्याबाई जी के आसाधारण कामों के लिए भी उनके नाम पर एक अवॉर्ड भी स्थित किया गया था।

एक योजना उत्तराखण्ड सरकार की ओर से भी चलाई जा रही है। जो अहिल्‍याबाई होल्‍कर को पूर्णं सम्‍मान देती है। इस योजना का नाम ‘अहिल्‍याबाई होल्‍कर भेड़ बकरी विकास योजना है। अहिल्‍याबाई होल्‍कर भेड़ बकरी पालन योजना के तहत उत्तराखणवड के बेरोजगार, बीपीएल राशनकार्ड धारकों, महिलाओं व आर्थि के रूप से कमजोर लोगों को बकरी पालन यूनिट के निर्माण के लिये भारी अनुदान राशि प्रदान की जाती है। लगभग 1,00,000 रूपये की इस युनिट के निर्मांण के लिये सरकार की ओर से 91,770 रूपये सरकारी सहायता रूप में अहिल्‍याबाई होलकर के लाभार्थी को प्राप्‍त होते हैं।

 महारानी अहिल्याबाई को मौत सन् 13 अगस्त 1795  में तबियत खराब होने की वजह से हो गई थी। लेकिन आज भी अहिल्याबाई होलकर जी की उदारता और उनके महान कामों ने उनको अभी तक लोगो के दिल मे जिंदा बनाए रखा है।


अहिल्या घाट, 
वाराणसी


30 May, 2021

world no tobacco day ( વિશ્વ તમાકુ નિષેધ દિવસ )

 world No Tobacco Day ( વિશ્વ તમાકુ નિષેધ દિવસ )

31 May


દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કરવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1987 માં પ્રથમ વખત વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હકીકતમાં, 1987 માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ તમાકુના સેવનથી મૃત્યુદરમાં અભૂતપૂર્વ વધારાને ધ્યાનમાં રાખીને તેને એક મહામારી જાહેર કર્યો હતો.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદીને સાંભળો.




વિશ્વ આરોગ્ય સંગઠને તેની સ્થાપનાની વર્ષગાંઠ પર 7 એપ્રિલ, 1988 ના રોજ પ્રથમ વખત વિશ્વ તમાકુ નિષેધ દિવસની (World No Tobacco Day) ઉજવણી કરી હતી. બાદમાં તેના માટે એક તારીખ નક્કી કરવામાં આવી હતી અને દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવતી હતી.

આ દિવસનો ઉદેશ્ય તમાકુના દુષ્પરિણામો અને પ્રભાવોથી લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વ્યક્તિઓને તેની ખરાબ આદતોની ગંભીરતા અંગે પ્રોત્સાહન આપવાનું છે.

 ડબ્લ્યુએચઓ મુજબ, દર વર્ષે વિશ્વમાં 8 મિલિયન લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. તમાકુનું સેવન આપણા માટે કેવી રીતે જીવલેણ હોઈ શકે છે તે વિશે લોકોને સમજાવવામાં આવે છે.

તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા, માવા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.

તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે.નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે તમારાં હદય,ફેફસાં,પેટ અને સાથે સાથે તમારાં જ્ઞાનતંતુઓને અસર કરે છે.

પુરુષોમાં તમામ પ્રકારના કેન્સરમાં, ઓરલ કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે.

વિશ્વમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન ચીનમાં થાય છે ત્યારબાદ ભારત , બ્રાઝિલ, અમેરિકા દેશોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ તમાકુની નિકાસ કરતો દેશ બ્રાઝિલ છે, જ્યારે ઇમ્પોર્ટ કરતા દેશોમા રશિયા અને યુ.એસ.એ છે.

ભારતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે.

એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ આશરે 90 હજાર લાખ સિગારેટો વેચાય છે


ગુજરાત તમાકુના વાવેતરમાં 5માં નમ્બરે છે પણ બીડી અને હુકાની તમાકુનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે.

12 જુલાઈ 1999 ના રોજ, કેરળ ભારતનું પહેલું રાજ્ય જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકનાર બન્યું,

ભારતમાં લગભગ 120 કરોડ ધૂમ્રપાન કરનારાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના જણાવ્યા મુજબ, ભારત વિશ્વના 12% ધૂમ્રપાન કરનારાઓનું ઘર છે. ભારતમાં તમાકુના કારણે દર વર્ષે એક કરોડથી વધુ લોકોના મોત થાય છે.

જાહેર સ્થળો પર ધૂમ્રપાન કરવા પર 2 ઓક્ટોબર 2008 થી જાહેર સ્થળો પર ધૂમ્રપાન નિષેધ નિયમો લાગુ પાડવામા આવેલ છે. એ સ્થાનો જ્યાં ધૂમ્રપાન પ્રતિબંધિત છે તેમાં ઓડિટોરિયમ, સિનેમાઘરો, હોસ્પિટલો, જાહેર પરિવહન (વિમાન, બસો, ટ્રેનો, મહાનગરો, મોનોરેલ્સ, ટેક્સીઓ) અને તેમની સંબંધિત સુવિધાઓ (વિમાનમથકો, બસ સ્ટેન્ડ્સ / સ્ટેશનો, રેલ્વે સ્ટેશન), રેસ્ટોરન્ટ   , હોટલો, બાર, પબ શામેલ છે. , મનોરંજન કેન્દ્રો, કચેરીઓ (સરકારી અને ખાનગી), પુસ્તકાલયો, અદાલતો, પોસ્ટ .ફિસ, બજારો, શ .પિંગ મ ,લ્સ, કેન્ટિન્સ, રિફ્રેશમેન્ટ રૂમ, બેંક્વેટ હોલ, ડિસ્કોથેક, કોફી હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યાનો છે.

આ કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ પર  5000 નો દંડ વસૂલવામાં આવશે

ભારતમાં સિગારેટ અને બીડી સિવાય ફકત તમાકુના સેવનનું પ્રમાણ પણ વધુ છે.

સૌથી વધુ બીડીનું  ધૂમ્રપાન ઉત્તરાખંડમાં  થાય છે.

કોઈપણ શૈક્ષણિક સંસ્થાના 100 યાર્ડની અંદરના વિસ્તારમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ 1 ડિસેમ્બર 2004 થી લાગુ કરવામાં આવ્યો હતો.

તમાકુના વિવિધ ઉત્પાદનો




હંમેશા ફિલ્મ શરૂ થવા પહેલાં અથવા ટેલિવિઝનના કેટલાક અંતરાલમાં સંદેશ આવે છે કે – ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમાકુ પર પ્રતિબંધના સંદેશા મોટે ભાગે પોસ્ટરો, બેનરો અને ઓડિયો-વિઝ્યુઅલ મીડિયા દ્વારા બતાવવામાં આવે છે.

દરેક તમાકુના પેકેટ પર પણ સૂચના લખેલ હોય છે.

ભારતમાં તમાકુ અંગેનો પહેલો કાયદો સિગરેટ અધિનિયમ, 1975 હતું (ઉત્પાદન, પુરવઠો અને વિતરણનું નિયમન) , જેણે 1975 માં સિગારેટ પેક પર ચોક્કસ કાયદાકીય આરોગ્ય ચેતવણી ફરજિયાત કરી હતી.

 સિગારેટ અને અન્ય તમાકુ પેદાશો (વેપાર પર પ્રતિબંધ અને વેપાર નિયમન અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણ) અધિનિયમ, 2003, સીપીટીએને સંક્ષિપ્તમાં, 18 મે 2003 ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત થઈ. તે 1 મે 2004 ના રોજ અમલી બન્યો. 

આ કાયદો આખા ભારત સુધી વિસ્તરેલો છે અને સિગારેટ, સિગાર, બીડી, ગુટકા, પાન મસાલા (તમાકુ ધરાવતો), માવવા, ખૈની, નાસ્તા અને કોઈપણ સ્વરૂપમાં તમાકુ ધરાવતા તમામ ઉત્પાદનોને લાગુ પડે છે

તમાકુ પેદાશો પર સચિત્ર ચેતવણીને ફરજિયાત કરવાના નિયમો 3 મે 2009 ના રોજ સૂચિત કરવામાં આવ્યા હતા, કેટલાક તબક્કાના સુધારા અને વિલંબ પછી 31 મે  2009 થી અમલમાં આવ્યો.  સીઓટીપીએની કલમ 7 મુજબ  "તમામ તમાકુ ઉત્પાદનોના પેકેટો પર સચિત્ર સ્વાસ્થ્ય ચેતવણીનું પ્રદર્શન" કરવું ફરજિયાત છે.   

કેબલ ટેલિવિઝન નેટવર્ક  સુધારણા બિલ, 8 સપ્ટેમ્બર 2000 થી અમલમાં છે, જે અંતર્ગત સિગારેટ અને આલ્કોહોલની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ છે

જ્યારે પણ મૂવીમાં ધૂમ્રપાનના દ્રશ્યો દર્શાવવામાં આવે છે ત્યારે થિયેટરોએ ડિસક્લેમર સ્ક્રીન પ્રદર્શિત કરવું પણ ફરજિયાત છે.

હાલમા ઘણા દેશોમા ઇ-સિગારેટનું પ્રમાણ વધી રહ્યુ છે. ઇ-સિગારેટ એ બેટરીથી સંચાલિત ઉપકરણ છે જે નિકોટિન ધરાવતા દ્રાવણને ગરમ કરીને એરોસોલ નામનું તત્વ પેદા કરે છેજે જ્વલનશીલ સિગારેટમાં નશાકારક દ્રવ્ય છે. તેમાં ઇલેક્ટ્રોનિક નિકોટિન વિતરણ વ્યવસ્થાબાળીને નહીં પરંતુ ગરમ કરીને વપરાતી પેદાશોઇ-હુક્કા અને તેના જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ નવીન પેદાશો દેખાવમાં આકર્ષક લાગે છે અને બહુવિધ સ્વાદમાં ઉપલબ્ધ છે. ઉપરાંત તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને વિકસિત દેશોમાં ખાસ કરીને યુવાનો અને બાળકોમાં તેના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે.

તમાકુની ખરાબ અસરો :

  • ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી
  • શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી
  • ચામડી કરચલીવાળી થવી
  • દાંતો પીળાં થઈ જવા
  • તમાકુનું સેવન કરવાથી મોંમાં દુર્ગંધ આવે છે.

  •  આના સેવનથી ફેફસા અને મોંના કેન્સર થઈ શકે છે, જે જીવલેણ બની શકે છે

  •  તમાકુનું સેવન કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે.

  •  તમાકુનું સેવન કરવાથી માનવ ફેફસાં ખરાબ થઈ જાય છે.

  •  તમાકુનું સેવન કરવાથી આંખો નબળી પડે છે.

  •  તમાકુના સેવનથી દાંત ખરાબ થાય છે.

ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે :

  • હદયની બિમારી   
  • શ્વાસનળીમાં સોજો આવવો
  • ન્યુમોનિયા
  • આંચકા આવવાં
  • કેન્સરના ઘણાં બધા પ્રકારો- જો તમે તમે ધુમ્રપાન કરતાં નથી તેમ છતાં તેના સંપર્કના કારણે ઘણાં બધા પ્રકારના કેન્સરનો ભોગ બની શકો છો.જેમ કે ફેફસાં,ગળું,પેટ,મૂત્રાશયનું કેન્સર આ સ્થિતિને નિષ્ક્રિય ધુમ્રપાન કહેવાય છે. નિષ્ક્રિય  ધુમ્રપાનમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદભવે છે.આમ,તે સક્રિય ધુમ્રપાનના સ્વરૂપ જેટલું સમાન હાનિકારક છે.
ધૂમ્રપાનની આદત છોડવા અથવા લાગતી અટકાવવા નીચે મુજબ પગલાં લઈ શકાય
 -બાળકો અને કિશોરોમાં શિક્ષણ અને સલાહ દ્વારા જાગૃતિ ફેલાવવી.
- સ્વસ્થ ખોરાક લેવો અને પૂરતો આરામ કરવો. આપણે થાકેલા હોઈએ ત્યારે ધૂમ્રપાન ની ઇચ્છા વધારે થાય છે.
- ધૂમ્રપાન ની મંજૂરી ન હોય તેવી જગ્યાએ જાઓ.
- ધૂમ્રપાન ના કરનારાઓ સાથે સમય પસાર કરો.
- ધૂમ્રપાન છોડવા માટે પોઝીટીવ રહો અને નાસીપાસ થયા વગર સતત પ્રયત્નશીલ રહો.

દુનિયાનો સૌથી પહેલો તમાકુ ફ્રી દેશ ભૂટાન છે. વર્ષ 2010 થી ભૂટાનમાં તમાકુની ખેતી અને તમાકુના  વિવિધ ઉત્પાદનો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહી સીગારેટ કે તમાકુનું સેવન કરનારને દંડ કરવામાં આવે છે.


વર્લ્ડ ટોબૈકો પ્રોહિબિશન ડે એક થીમ મુજબ દર વર્ષે ઉજવવામાં આવે છે. દરેક વખતે તેની એક થીમ નિર્ધારિત કરવામાં આવે છે.
વિવિધ થીમ

2021, the focus is on "Commit to quit"

2020, the focus is on "Protecting youth from industry manipulation and preventing them from tobacco and nicotine use"

2019, the focus is on "Tobacco and lung health"

2018, the focus is "Tobacco and heart disease

2017, the focus is "Tobacco- A threat to development"


આપણે બધા જાણીએ છીએ કે આજની યુવા પેઢી તમાકુના ઉત્પાદનોના વપરાશમાં કેટલી ઝડપથી આગળ વધી રહી છે. ધૂમ્રપાન, હૂકા, કાચા તમાકુ, પાન મસાલા વગેરે પદાર્થો ક્યાંક ને ક્યાંક તૈયાર કરવામાં આવે જ છે અને યુવાનો દ્વારા તેનો મોટા પ્રમાણમાં વપરાશ કરવામાં આવે છે જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.

 ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન ની 2014 ની સમીક્ષા અનુસાર જો આજ રીતે તમાકુનો ઉપયોગ ચાલુ રહેશે તો 21મી સદી માં લગભગ 1 અબજ લોકોને મારી નાખશે, તેમાંથી અડધા 70 વર્ષ થી નાના હશે.

જયારે તમાકુ પીવા માં આવે છે ત્યારે નિકોટીન લોહી માં ભળી જાય છે જે માનસિક અને શારીરિક અવલંબન નું કારણ બને છે. વિકાસશીલ દેશોમાં વપરાતી સિગારેટ માં ટાર ની માત્રા વધારે હોય છે અને ફિલ્ટર નો ઉપયોગ થતો નથી જે આરોગ્ય માટે વધારે જોખમ કરી શકે છે.

તમાકુ ના ધૂમ્રપાન થી મુખ્યત્વે ફેફસાં અને હૃદયને લગતા રોગો થાય છે, જેમાં હૃદયરોગનો હુમલો, દમ, લકવો તથા કેન્સર જેવા જીવલેણ રોગોનો સમાવેશ થાય છે. તમાકુ ના સેવનથી ઉચ્ચ રક્તચાપ (High Blood Pressure) અને  ધમનીઓ ના રોગો (Peripheral arterial disease) થાય છે.

ગર્ભાવસ્થા માં ધૂમ્રપાન કરવાથી બાળકને અનેક પ્રકારના જોખમ થઈ શકે છે તથા ગર્ભપાત ની શકયતા વધી જાય છે. જીવનમાં નાની ઉંમરે ધૂમ્રપાન શરૂ કરવાથી અને વધુ સિગારેટ પીવાથી આ બધા રોગોનું જોખમ વધે છે.

પરોક્ષ ધૂમ્રપાન પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. પુરુષો કરતાં સ્ત્રીઓ માં ધૂમ્રપાન વધારે જોખમી છે. એક અભ્યાસ અનુસાર પુરૂષ ધૂમ્રકર્તા અને સ્ત્રી ધૂમ્રકર્તા ના સરેરાશ જીવનમાં અનુક્રમે 13.2 અને 14.5 વર્ષ નો ઘટાડો થાય છે.

તમાકુનું સેવન કરવાથી 12 થી 15  પ્રકારના કેન્સર થઈ શકે છે, જેમાં મુખ્યત્વે ફેફસાંના, ગળાના, અન્નનળીના, હોજરીના, સ્વાદુપિંડ ના અને કિડનીના કેન્સર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમાકુના લીધે થતા કેન્સર ની સારવાર માં ફાયદો થવાની શકયતા ઘટી જાય છે



કહો તમાકુને ના... જીંદગીને હા..

તો આજથી જ આપણે અને આપણા સ્વજનને આમાથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ.