મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label November. Show all posts
Showing posts with label November. Show all posts

14 November, 2021

ગિજુભાઇ બધેકા

 ગિજુભાઇ બધેકા

બાળ કેળવણીના પ્રણેતા, "મૂંછાળી માં" તરીકે જાણીતા

બાળ વાર્તાકાર


9 જાન્યુઆરી 1915ના રોજ વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકાથી સ્વદેશ આવ્યા અને રાષ્ટ્રની આઝાદી માટેની લડતમાં દેશને નવું નેતૃત્વ મળ્યું. એ જ વર્ષે, 1915માં જ આફ્રિકાથી સ્વદેશ પરત આવી સફળ વકીલાત કરનાર ગિરજાશંકર ભગવાનજી બધેકા-(ગિજુભાઈ) એ એક વર્ષ પછી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતે જોડાઇને એક અર્થમાં બાળ સ્વાતંત્ર્યનું રણશીંગુ ફૂક્યું.


આ બંને ઘટના રાષ્ટ્રના ભાવિ માટે નોંધપાત્ર અને ઐતિહાસિક બની.


આજથી 100 વર્ષ પૂર્વે જ્યારે બ્રિટિશ શાસને પ્રજાનું હીર છીનવી લીધુ હતું ત્યારે પ્રાથમિક શિક્ષણની જ ઘોર અવગણના હતી. 


પ્રાથમિક શિક્ષણ “ધૂડી નિશાળ” ગણાતી અને સાત વર્ષની ઉંમરના રડતા બાળકને ઘસડીને શાળામાં પ્રવેશ માટે લઈ જવાતો. પછી તો “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ”…

આ દ્રશ્યથી જેમનું સંવેદનતંત્ર હચમચી ઉઠ્યું તે આપણા ગિજુભાઈ!


 જ્યાં પ્રાથમિક શિક્ષણની આવી અવદશા હોય ત્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની તો કલ્પના જ ક્યાંથી હોય? 


આવા વિપરીત સમય-સંજોગોમાં સમય સામે બાથ ભીડીને એમણે 100 વર્ષ પહેલા 3થી6 વર્ષના બાળકો માટે શિક્ષણનો વિચાર કરી અમલમાં મૂક્યો.

ગીજુભાઇ બધેકાનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં 15 નવેમ્બર 1885ના રોજ  થયો હતો. 

તેમનું પુરુ નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું. તેમની માતાનુ નામ કાશીબા હતું.

તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું.

૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા ગયા અને 1909માં પાછા ફર્યા. 

  1910માં તેમણે મુંબઈ વકીલાતનો અભ્યાસ શરુ કર્યો.

1913 થી 1916 સુધી તેમણે વઢવાણ ડીસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલાત કરી.

1 ઓગસ્ટ 1920 ના રોજ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલમંદિર સ્થાપીને સમગ્ર એશિયામાં પ્રથમ શાળા (બાલમંદિર) 3 થી 6 વર્ષના બાળકો માટે આરંભી નવી પહેલ કરી.

આ “સમગ્ર કેળવણી” હતી. જીવનલક્ષી, સ્વયંશિસ્તથી બધ્ધ, સર્જનાત્મક, ભય, સજા કે લાલચથી મુક્ત. આવી બાલશાળાને ગિજુભાઈએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નામ “બાલમંદિર” આપી આ મંદિરમાં બાળદેવતાની સ્થાપના કરી.

ભારતના કેળવણી ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું. 1920થી 1939 બે દાયકામાં આ અજોડ શિક્ષકે બે સદી જેટલો ફાલ આપ્યો. “ધૂડી નિશાળ” ની જડતા અને અંગ્રેજી માધ્યમની ઘેલછા, એ બન્નેને પડકારી માતૃભાષામાં 3 થી 6 વર્ષના બાળકને પર્યાવરણ, પ્રકૃતિ નિરીક્ષણ, પ્રવાસ, રમતગમત, કલા, પ્રવાસ, ઈન્દ્રીયશિક્ષણ માટે વિશિષ્ટ સાધનો, ભારતીય પંરપરા અને ભાષાઓમાં ઉપલબ્ધ બાળ સબંધિત સાહિત્યનો ખજાનો ખોલીને ઘર અને નિશાળમાં રૂંધાતા બાળકોને ખિલખિલાટ હસતા, સ્વસ્થ અને સંવેદનશીલ વિશ્વમાનવ બનાવી નવનિર્મિત રાષ્ટ્રના નાગરિક માટેનું ઘડતર આ પરમ શિક્ષકે આરંભી દીધું.

ગિજુભાઈએ જાણે બાળ કેળવણીનો એક નવો જ ઈતિહાસ રચ્યો. એમણે વર્ગખંડની ભૂગોળ જ બદલી નાખી અને બાળકોને ખુલ્લા આકાશ નીચે વિસ્મયભરી આંખે દૂરની ક્ષિતિજને નિહાળતા કર્યો. એમ કહો કે કેળવ્યા.

ભારતીય પરંપરામાં એક જાણીતું સૂત્ર છે આચાર્ય દેવો ભવ:. સદીઓ પછી આ પરમ શિક્ષકે નવો મહામંત્ર આપ્યો બાલ દેવો ભવ:. ગિજુભાઈને વિશ્વાસ હતો કે બાળવયની તાલીમ, મનોવૃતિ ઘડતર અને સંસ્કાર જ સમાજ અને રાષ્ટ્રને  ઘડશે, નિખારશે અને જાળવશે.


૧૯૨૦ના દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં બાળમંદિરની સ્થાપના કરી અને ગિજુભાઈ એના આચાર્ય બન્યા.

જો કે ગિજુભાઈ માટે 100 વર્ષ પહેલાના રૂઢિવાદી સમાજમાં આ વિચારનો અમલ કરવો સહેલો તો નહોતો જ, પણ ઋષિ સમાન કેળવણી ચિંતક નાનાભાઈ ભટ્ટ, સદા પ્રજાવત્સલ ભાવનગરના રાજવી, દીર્ધદ્રષ્ટા દીવાન પ્રભાશંકર પટ્ટણી એ બધાનો એમને સાથ મળ્યો. સમય જતા હરભાઈ ત્રિવેદી પણ જોડાયા. મોંઘીબેન અને તારાબેન મોડક પણ એમના આ કેળવણી યજ્ઞમાં સામેલ અને જાણે ભાવનગરમાં શિક્ષણના ક્ષેત્રે એક નવું વિશ્વ રચાયું.

ગિજુભાઈ બધેકાએ  ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આત્મમંથનના દિવસોમાં ગિજુભાઈ જ્યારે દ્વિધા અનુભવતા ત્યારે મેડમ મારીયા મોન્ટેસોરીના પુસ્તકે તેમને બળ અને પ્રેરણા આપી દિશા ચીંધી. એમના માનસ પ્રદેશના દ્વાર ખુલી ગયા અને પછી તો ગિજુભાઈએ અખિલ આત્મના દર્શન કર્યા. હિમ્મતપૂર્વક પોતાના દેશ-કાળ-સમાજને અનુરૂપ પૂર્ણ મનુષ્યની કેળવણી માટે એમણે યજ્ઞ આદર્યો. મોન્ટેસોરી પદ્ધતિમાં ઈન્દ્રીયશિક્ષણનું પ્રાધાન્ય હતું. ગિજુભાઈએ એનાથી એક કદમ આગળ ચાલી ઈન્દ્રીયોની સંસ્કારિતા અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો. આ માટે એમણે કલા, સાહિત્ય, સંગીત અને નાટક એ બધું બાળકો માટે સજીવ કર્યું, જેનો મોન્ટેસોરી પદ્ધતિમાં અભાવ હતો. એક સાચો શિક્ષક જ આ કરી શકે.

 તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.

 તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. 

૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 

૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

 તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

 ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે પક્ષઘાત થવાથી તેમનું અવસાન થયું હતું.

સન્માન
1928માં બીજા મોન્ટેસરી સંમેલનના પ્રમુખ બન્યા હતા.
1930માં બાળ સાહિત્ય માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યાં.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

  • શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છેસ્વતંત્ર બાલશિક્ષણમોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજનાબાલ ક્રીડાંગણોઆ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય - ઈસપનાં પાત્રોકિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
  • ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
  • દિવાસ્વપ્ન.

ગિજુભાઇ વિશે લખનાર હું કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો એનુ કામ ઉગી નીકળશે

-ગાંધીજી



વર્ષ 2021થી ગુજરાત સરકાર દ્વારા 15 નવેમ્બરને ગિજુભાઇની 137મી જન્મજયંતિએ  " બાલવાર્તા દિન" તરીકે ઉજવવાનું શરુ કરવામાં આવેલ છે.

ગિજુભાઇ બધેકાની બાલવાર્તાઓ વાંચવા અને તેનો ઓડિયો સાંભળવા

અહીં ક્લિક કરો.

10 November, 2021

નાનાભાઇ ભટ્ટ

 નાનાભાઇ ભટ્ટ

ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર )



જન્મતારીખ: 11 નવેમ્બર 1882

પુરુનામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

જન્મસ્થળ: પચ્છેગામ, ભાવનગર

અવશાન: 31 ડિસેમ્બર 1961 (લોક્ભારતી સણોસર, ભાવનગર)


નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી


જીવન ઝરમર

  • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
  • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
  • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
  • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
  • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
  • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
  • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
  • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
  • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
  • 1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
  • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
  • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

  • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
  • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
  • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
  • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
  • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
  • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
  • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
  • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

  • ૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા.
  • ૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં.
  • ૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં

નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત. 

સુરેન્દ્રનાથ બેનર્જી

 સુરેન્દ્રનાથ બેનર્જી

આધુનિક બંગાળના નિર્માતા



જન્મતારીખ: 10 નવેમ્બર 1848

જન્મસ્થળ: કલકત્તા (બંગાળ

અવશાન: 6 ઓગસ્ટ 1925

सर सुरेन्द्रनाथ बैनर्जी ब्रिटिश राज के दौरान प्रारंभिक दौर के भारतीय राजनीतिक नेताओं में से एक थे। उन्होंने भारत सभा (इंडियन नेशनल एसोसिएशन) की स्थापना की, जो प्रारंभिक दौर के भारतीय राजनीतिक संगठनों में से एक था। बाद में वे भारतीय राष्ट्रीय कांग्रेस में सम्मिलित हो गए थे। वह राष्ट्रगुरू के नाम से भी जाने जाते हैं


भारतीय स्वतंत्रता आंदोलन (Indian Freedom Movement) के इतिहास में सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) उस दौर के नेता थे, जब इसकी शुरुआत हो रही थी. पहले भारतीय सिविल सेवा (Indian Civil Services) में चुने जाने वाले दूसरे भारतीय थे. उन्हें इस सेवा से विवादास्पद तरीके से हटा दिया गया जिसके लिए उन्होंने असफल लड़ाई भी लड़ी. उन्होंने देश की पहली राजनैतिक पार्टी की स्थापना की और बाद वे भारतीय राष्ट्रीय कांग्रेस से भी जुड़कर एक नरमपंथी नेता कहलाए. बंगाल विभाजन के प्रखर विरोधी के रूप में भी पहचाने गए. 10 नवंबर को उनके जन्मदिन पर उन्हें याद किया जा रहा है.


भारतीय स्वतंत्रता आंदलोन (Indian Freedom Movement) के इतिहास में 19वीं सदी के बहुत से नेताओं के योगदान को कम याद किया जाता है. इनमें से एक नेता सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) का कहानी कुछ रोचक है. ब्रिटिश भारतीय सिविल सेवा में चुने गए दूसरे भारतीय के रूप में मशहूर सुरेंद्रनाथ बनर्जी को उन्हें इस सेवा से बेदखल कर दिया गया था. इस अन्याय के कारण बनर्जी राष्ट्रवादी (Nationalist नेता बन गए और कांग्रेस से भी जुड़े. एक शिक्षाविद के तौर पर. बंगाल विभाजन के प्रखर विरोधी रहे बनर्जी को गांधी जी के तरीकों के विरोधी के तौर पर भी जाना जाता है. 10 नवंबर को उनकी जन्मतिथि है.

पिता का गहरा प्रभाव
सुरेंद्रनाथ बनर्जी का जन्म 10 नवंबर 1848 को कलकत्ता (अब कोलकाता) के कुलीन ब्राह्मण परिवावर में हुआ था. उनके पिता दुर्गा चरण बनर्जी पेशे से डॉक्टर थे और उनके उदारवादी और प्रगतिवादी विचारों का गहरा असर हुआ था. कलकत्ता यूनिवर्सिटी से स्नातक की पढ़ाई करने के बाद वे इंडियन सिविल सिर्विस की परीक्षा पास करने के लिए इंग्लैंड चले गए और इस परीक्षा को पास करने वाले वे दूसरे भारतीय थे.

दो बार पास की सिविल सेवा परीक्षा
सुरेंद्रनाथ ने 1869 में में सिविल सेवा परीक्षा पास की, लेकिन उन्हें इसमें शामिल होने से रोक दिया गया. उन पर गलत जन्मतिथि बताने का आरोप लगा था. लेकिन सुरेंद्रनाथ ने इसके लिए कानूनी लड़ाई लड़ी और दलील दी कि उन्होने अपनी उम्र हिंदू रितियों के तहत उम्र बताई थी. बनर्जी ने दूसरी बार 1871 में फिर से परीक्षा दी और और सिलहट में असिस्टेंट मजिस्ट्रेट के तौर पर नियुक्त हुए.

सिविल सेवा का विवाद
सिविल सेवा से जुड़ने केबाद जल्दी ही बनर्जी को एक गंभीर न्यायिक गलती के कारण बर्खास्त कर दिया गया. इसके लिए कानूनी लड़ाई लड़ने के लिए वे इंग्लैंड गए और असफल रहे. उन्होंने महसूस किया कि उनके साथ नस्लभेद का बर्ताव किया गया है. इग्लैंड प्रवास के दौरान बनर्जी ने एडमंड बूर्क और अन्य उदारवादी दार्शनिकों को पढ़ा जिससे उनके राष्ट्रवादी होने की नींव मजबूत हुई. उनकी जिद के कारण अंग्रेज उन्हें सरेंडर नॉट बनर्जी कहते थे.

एक कुशल अध्यापक के साथ-साथ सुरेन्द्रनाथ बनर्जी सफल पत्रकार भी थे. 1883 ई० में बंगाली” नामक पत्र का प्रकाशन किया गया. सुरेन्द्रनाथ बंगाली पत्र के सम्पादक थे और इनके लेखों को सरकार ने आपत्तिजनक मानकर इन्हें दो मास की सजा दी थी. सजा के विरोध में अभूतपूर्व जन-जागरण हुआ. सुरेन्द्रनाथ बनर्जी छात्रों के बीच अधिक लोकप्रिय थे.

पहली’ राजनैतिक पार्टी की स्थापना
बनर्जी 1875 में भारत वापस लौटे और अंग्रेजी के प्रोफेसर बन गए और रिपन कॉलेज की स्थापना भी की जो अब उनके नाम से ही जाना जाता है. इसके अलावा उन्होंने इंडियन नेशनल एसोसिएशन की भी स्थापना की जो उस समय भारत की पहली राजनैतिक पार्टी कहलाई. उन्होंने अपने भाषणों में राष्ट्रवाद और उदारवादी राजनीति की पैरवी की.

देश भर में लोकप्रियता
बनर्जी ने अपने संगठन का उपयोग भारतीय छात्रों की सिविल सेवा परीक्षा की कम आयुसीमा के मुद्दे से निपटने का जरिया भी बनाने का प्रयास किया. अंग्रेजों की नस्ल आधारित भेदभाव की बनर्जी ने देश भर में जम कर आलोचना की जिससे वे बहुत लोकप्रिय हुए. लेकिन इसमें उनकी शानदार वाकपटुता का बड़ा योगदान था.




कांग्रेस में विलय
1979 में सुरेंद्रनाथ ने द बंगाली नाम का एक अखबार खरीद लिया औरउसके बाद अगले 40 सालों तक उसका संपादन किया.  अंग्रेजों का विरोध जताने के आरोपमें उन्हें 1883 में गिरफ्तार भी किया गया. इस तरह वे जेल जाने वाले पहले भारतीय पत्रकार बने. 1885 में भारतीय राष्ट्रीय कांग्रेस की स्थापना के समय बनर्जी ने अपनी पार्टी का उसमें विलय करा दिया. वे 1895 में पूना और 1902 के अहमदाबाद अधिवेशन में कांग्रेस अध्यक्ष भी चुने गए थे.


सुरेन्द्रनाथ बनर्जी एक महान विचारक और कुशल वक्ता थे. ब्रिटिश संसद एवं जनता के सामने भारतीय दृष्टिकोण को उपस्थित करने के लिए इन्हें कई बार शिष्टमण्डल का सदस्य नियुक्त कर इंगलैण्ड भेजा गया था. अपने भाषण एवं तर्कपूर्ण विचार से वे अंगरेजों को बहुत प्रभावित कर देते थे. इंगलैण्ड के प्रधानमंत्री ग्लैडस्टोन की तरह सुरेन्द्रनाथ बनर्जी भी एक प्रभावशाली वक्ता थे. इन्हें इंडियन ग्लैडस्टोन की संज्ञा दी गयी थी. सर हेनरी कॉटन ने सुरेन्द्रनाथ बनर्जी की वाकपटुता और योग्यता के सम्बन्ध में यह उद्गार प्रकट किया था कि “मुल्तान से लेकर चटगाँव तक वे अपनी वाणीकला के जादू से विद्रोह उत्पन्न कर सकते थे और विद्रोह को दबा भी सकते थे. भारत में उनकी स्थिति वही थी जो डैमोस्थानीज की यूनान में या सिसरो की इटली में थी.”


बंगाल विभाजन के प्रमुख नेता

लॉर्ड कर्जन ने 1905 ई० में बंगाल विभाजन की घोषणा की. बंग-विभाजन के विरुद्ध सुरेन्द्रनाथ बनर्जी ने विद्रोह छेड़ दिया और सारे राष्ट्र में अपने भाषण और लेख के माध्यम से राष्ट्रीय चेतना में एक नई लहर पैदा कर दी. विरोध का नेतृत्व करते हुए सुरेन्द्रनाथ बनर्जी को पुलिस की लाठी खानी पड़ी थी.


1905 में बंगाल विभाजन केसमय बनर्जी एक अहम नेता के रूप में उभरे. बनर्जी की सरपरस्ती में गोपाल कृष्ण गोखले और सरोजनी नायडू जैसे भारतीय नेता देश के परिदृश्य में आए. वे सबसे वरिष्ठ नरमपंथी कांग्रेस के तौर पर जाने जाते थे. वे जीवन भर नरमपंथी नेता बने रहे और मानते ति के देश को अंग्रेजों से बातचीत के जरिए ही अंग्रेजों से आजादी हासिल करनी चाहिए.


सुरेन्द्रनाथ बनर्जी ने एक पुस्तक की रचना की थी. उसका नाम, ए नेशन इन दी मेकिंग’ (A Nation in the Making) था.



इसके बाद बनर्जी भारतीय राष्ट्रवादी धारा से अलग थलग होते दिखे. 1909 में उन्होंने मार्ले मिंटो सुधार का समर्थन किया. उन्होंने महात्मा गांधी के असहयोग आंदोलन से सैद्धांतिक तौर पर असहमति जताई जिससे वे और हाशिए पर चले गए. उन्होंने कांग्रेस छोड़ दी और बंगाल सरकार में मंत्री पर अपनाने पर उन्हें बहुत विरोध का सामना भी करना पड़ा. 6 अगस्त 1925 को बैरकपुर में उनका निधन हो गया.


सर सुरेन्द्रनाथ बनर्जी भारतीय राष्ट्रीय आन्दोलन के अग्रदूत थे. वे सांविधानिक आन्दोलन के जन्मदाता थे. राष्ट्रसेवा में अपना सब कुछ अर्पित करने वालों में सुरेन्द्रनाथ बनर्जी का नाम स्वर्णक्षरों में अंकित किया जाता है.



02 August, 2021

ગણેશ માવળંકર

 ગણેશ માવળંકર

(ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ)




જન્મતારીખ: 27 નવેમ્બર 1888

જન્મસ્થળ; વડોદર, ગુજરાત

પિતાનું નામ: વાસુદેવ

માતાનું નામ: ગોપિકાબાઇ

અવશાન: 27 ફેબ્રુઆરી 1956 (અમદાવાદ)

ઉપનામ: દાદાસાહેબ


ગણેશ માવળંકરનો જન્મ 27 નવેમ્બર 1888માં ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો.

તેમનું સમગ્ર કુટુંબ મૂળે રત્નાગિરિ જિલ્લાના માવલંગે ગામનું હતું. પેશવાકાળ દરમિયાન તેમાંનાં ઘણાં કુટુંબો વિવિધ ગામના મુખી‘ખોત’ના હોદ્દા ભોગવતા હતા. આ કુટુંબનાં અમુક જૂથો, વડોદરાના ગાયકવાડ રાજવીઓ સાથેના સંપર્કો અને કામગીરીના કારણે ગુજરાતમાં વડોદરામાં અને પાછળથી અમદાવાદ આવીને વસેલાં, આમાં માવળંકર કુટુંબ પણ સામેલ હતું.

પિતા રત્નાગિરિ જિલ્લામાં મુનસફ તરીકે નોકરી કરતા, તેથી પ્રારંભિક શિક્ષણ તે જિલ્લામાં વિવિધ સ્થળે અને બાકીનું શાલેય શિક્ષણ વડોદરામાં લીધું. 1904માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ઉત્તીર્ણ કરી. 1908માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના વિષયો સાથે બી.એ. થયા અને વર્ગના સૌથી તેજસ્વી વિદ્યાર્થી તરીકે દક્ષિણા ફેલો નિમાયા. ત્યારબાદ મુંબઈ જઈ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો, પ્રથમ અને દ્વિતીય એલએલ.બી.માં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું.

કારકિર્દીના પ્રારંભે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયા અને પછી ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. એ સાથે જ જાહેરજીવનનાં કાર્યોમાં રસ લેવાની શરૂઆત કરી. અમદાવાદમાં વકીલાત શરૂ કરવા સાથે 1916માં ગુજરાત સભામાં જોડાયા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પ્રાથમિક પરિચય થયો.

 1917માં તેમણે ખેડા જિલ્લાના સત્યાગ્રહમાં ભાગ લીધો. તે અરસામાં ગાંધીજીના પરિચયમાં આવ્યા. 

1919માં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય નિમાયા. 

1920માં પ્રથમ પત્ની કાશીબાઈનું અવસાન થયું અને માતાના આગ્રહને વશ થઈ 1921માં મનોરમાબાઈ ઉર્ફે સુશીલાબહેન સાથે તેમણે બીજું લગ્ન કર્યું.

1920થી ’22 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં કાયદાના પ્રાધ્યાપક બન્યા
આ અરસામાં પંઢરપુરના મંદિરમાં સત્યાગ્રહ દ્વારા હરિજનોને મંદિરપ્રવેશ અપાવવામાં તેમણે દરમિયાનગીરી કરી

 1922–23માં અસહકારની લડતમાં ભાગ લેવા તત્કાલ પૂરતો વ્યવસાય છોડી દીધો. જે લડત બાદ ફરી શરૂ કર્યો.

1937માં ધારાશાસ્ત્રી તરીકેની કામગીરી છોડી રાષ્ટ્રીય સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. અને મુંબઈ ધારાસભા(લેજિસ્લેટિવ એસેમ્બલી)માં ચૂંટાયા. 

ધારાસભ્ય તરીકે ગૃહની નિયમ-ઘડતર સમિતિના સભ્ય બન્યા અને બી. જી. ખેર પ્રધાનમંડળ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે હરિજન મંદિરપ્રવેશ, શિક્ષણસુધારણા, ભૂમિધારા ખરડો તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં દારૂબંધી જેવા જાહેર હિતના નિર્ણયો લેવડાવવામાં પ્રધાન ભૂમિકા ભજવી.

 સવિનય કાનૂનભંગ અને ‘હિંદ છોડો’ લડતમાં જોડાયા અને અનેક વાર જેલવાસ વેઠ્યો

ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની દેશહિતને વરેલી બિનસરકારી સંસ્થાઓ ઊભી કરવી આવશ્યક છે. તે ર્દષ્ટિએ 100 રૂ.ના સભ્યો બનાવી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપી

 સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપદે ‘ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળ’ યોજીને તે દ્વારા ગુજરાતમાં પહેલી યુનિવર્સિટીની રચનાનો પાયો નાંખ્યો, જે ‘ગુજરાત યુનિવર્સિટી’ તરીકે જાણીતી બની. આમ શિક્ષણક્ષેત્રે ઊજળું અને અજોડ કામ તેમણે પાર પાડ્યું.

1946માં તેઓ કેંદ્રીય ધારાસભા(લેજિસ્લેટિવ એસેમ્બલી)ના અધ્યક્ષ બન્યા. 1947 પછી કેંદ્રીય ધારાસભા ભારતીય સંસદમાં રૂપાંતરિત થતાં 17 નવેમ્બર, 1947ના રોજ તેઓ તેના અધ્યક્ષ બન્યા અને એ રીતે સ્વતંત્ર ભારતની કેંદ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષનું પદ પ્રાપ્ત કરવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું.

જવાહરલાલ નહેરુએ તેમને ‘ભારતની લોકસભાના પિતા’ તરીકે ઓળખાવેલા

વ્યક્તિગત જીવનમાં તેઓ ‘ભગવદ્ગીતા’થી પ્રભાવિત હતા. તેમની નિયમિત ડાયરી ‘કાંહી પાઉલે’ નામથી મરાઠીમાં અમદાવાદ મહારાષ્ટ્ર સમાજની પત્રિકામાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ હતી.

ધારાશાસ્ત્રી તરીકેનાં સંસ્મરણો આલેખતું પુસ્તક ‘માય લાઇફ ઍટ ધ બાર’ (1955) અંશત: જીવનકથાનક પણ છે.

જેલજીવન દરમિયાન કહેવાતાં અસામાજિક તત્ત્વોના પરિચયને કારણે તેમના જીવનમાં ડોકિયું કરતાં અનુભવેલાં સ્પંદનો ‘માનવતાનાં ઝરણાં’ નામથી પ્રકાશિત થયેલાં.

પૂરી પ્રામાણિકતા, ન્યાયોચિત નિર્ણયો, અનુભવજન્ય દૂરંદેશી, ઉત્કટ દેશદાઝ, સૂઝભરી સેવાવૃત્તિ અને સૌજન્યભર્યું વ્યક્તિત્વ પ્રજાજીવનમાં યાદગાર નીવડે એ માટે પ્રજાએ તેમને ‘દાદાસાહેબ’ના સન્માનની નવાજેશ કરેલી.

01 August, 2021

બિપિનચંદ્ર પાલ

 બિપિનચંદ્ર પાલ

(સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, શિક્ષક, લેખક)



જન્મતારીખ: 7 નવેમ્બર 1858

જન્મસ્થળ: પોઇલ, હબીરગંજ જિલ્લા,બંગાળ (હાલ બાંગ્લાદેશ)

પિતાનું નામ: રામચંદ્ર પાલ

માતાનું નામ:નારાયણી દેવી

અવશાન: 20 મે 1932 (કલકતા, પશ્ચિમ બંગાળ)

બિપિનચંદ્ર પાલ એક ભારતીય ક્રાંતિકારી, શિક્ષક, પત્રકાર અને લેખક હતા. પાલ એ મહાન વ્યક્તિઓમાંની એક છે જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળનો પાયો નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બિપીનચંદ્ર પાલનો જન્મ 7 નવેમ્બર 1858 ના રોજ અવિભાજિત ભારત બંગાળ (હવે બાંગ્લાદેશમાં) ના હબીબગંજ જિલ્લાના પોઈલ નામના ગામમાં એક સમૃદ્ધ ઘરમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ પારસી વિદ્વાન અને નાના જમીન માલિક હતા.


તેમણે 'ચર્ચ મિશન સોસાયટી કોલેજ' (હવે સેન્ટ પોલ કેથેડ્રલ મિશન કોલેજ) માં અભ્યાસ કર્યો અને બાદમાં ભણાવ્યો. કોલેજ કલકત્તા યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી.


ખૂબ નાની ઉંમરે, બિપિન બ્રહ્મ સમાજમાં જોડાયા અને સમાજના અન્ય સભ્યોની જેમ, તેમણે પણ સામાજિક દુષણો અને રૂઢિગત પરંપરાઓનો વિરોધ કર્યો. તેમણે ખૂબ જ નાની ઉંમરે જાતિના આધારે ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમના કરતા ઉચ્ચ જાતિની વિધવા સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેમને તેમના પરિવાર સાથેના સંબંધો તોડવા પડ્યા હતા. પાલ નિર્ણયના પાક્કા હતા  તેથી પારિવારિક અને સામાજિક દબાણ છતાં સમાધાન કર્યું ન હતું.

 તેઓ પ્રખ્યાત લાલ-બાલ-પાલ ત્રિપુટી (લાલા લાજપત રાય, બાલગંગાધર તિલક અને બિપીન ચંદ્ર પાલ) નો ભાગ હતા. આ ત્રિપુટીએ તેમના તીક્ષ્ણ પ્રહારોથી બ્રિટીશ શાસનનું હૃદય હચમચાવી નાખ્યું. 

બિપિનચંદ્ર પાલ રાષ્ટ્રવાદી નેતા હોવા ઉપરાંત શિક્ષક, પત્રકાર, લેખક અને ઉત્તમ વક્તા પણ હતા. 

તેમને ભારતમાં ક્રાંતિકારી વિચારોના પિતા પણ માનવામાં આવે છે.

તેમણે 1905 ના બંગાળના વિભાજનના વિરોધમાં બ્રિટીશ શાસન સામેના આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું, જેને મોટા પાયે લોકોનું સમર્થન મળ્યું હતું. 

લાલ-બાલ-પાલની આ ત્રિપુટીને સમજાયું કે વિદેશી ઉત્પાદનોને કારણે દેશનું અર્થતંત્ર કથળી રહ્યું છે અને લોકોનું કામ પણ છીનવાઈ રહ્યું છે. તેમના 'ગરમ' વિચારો માટે જાણીતા, પાલે સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપ્યું અને બ્રિટનમાં ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો બહિષ્કાર, માન્ચેસ્ટર મિલોમાં બનાવેલા કપડાંથી દૂર રહેવું અને ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓમાં હડતાલ જેવા હથિયારોથી બ્રિટીશ શાસનને મારી નાખ્યું.


'ગરમ દળ' એ રાષ્ટ્રીય ચળવળના પ્રારંભિક વર્ષોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે તે આંદોલનને નવી દિશા આપે છે અને લોકોમાં જાગૃતિ વધે છે. 

બિપિન ચંદ્ર પાલે રાષ્ટ્રીય ચળવળ દરમિયાન સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું માનવું હતું કે 'નરમ પક્ષ' નું હથિયાર 'પ્રાર્થના-અરજી' દ્વારા સ્વરાજ હાંસલ થવાનું નથી, પરંતુ સ્વરાજ માટે વિદેશી શાસનને ભારે ફટકો પડશે. તેથી જ તેમને સ્વતંત્રતા આંદોલનમાં 'ક્રાંતિકારી વિચારોના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

1886 માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. 1887 માં કોંગ્રેસના મદ્રાસ સત્રમાં, તેમણે બ્રિટિશ સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 'આર્મ્સ એક્ટ' ને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી કારણ કે આ કાયદો ભેદભાવપૂર્ણ હતો. તેઓ પ્રખ્યાત લાલ-બાલ-પાલ ત્રિપુટી (લાલા લાજપત રાય, બાલગંગાધર તિલક અને બિપીન ચંદ્ર પાલ) નો ભાગ હતા. ત્રણેયે ક્રાંતિકારી લાગણીઓને બળ આપ્યું અને પોતે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. પાલ અને ઓરોબિંદો ઘોષે એક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપ્યું જેના આદર્શો પૂર્ણ સ્વરાજ, સ્વદેશી, વિદેશી માલસામાનનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ હતા.


બિપિન ચંદ્ર પાલે સ્વદેશી, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ જેવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય આંદોલનને આગળ ધપાવ્યું. તેમનું માનવું હતું કે આમ કરવાથી ગરીબી અને બેરોજગારી દૂર થશે.


તેને બ્રિટીશ શાસનમાં જરાય વિશ્વાસ નહોતો અને તે માનતો હતો કે વિદેશી શક્તિને આજીજી અને અસહકાર જેવા હથિયારોથી હરાવી શકાય નહીં. આ કારણસર તેમને ગાંધીજી સાથે વૈચારિક મતભેદો હતા. તેઓ તેમના જીવનના છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા.


પાલે ક્રાંતિકારી સામયિક 'બંદે માતરમ' ની સ્થાપના પણ કરી હતી. સ્વદેશી ચળવળ પછી તિલકની ધરપકડ અને અંગ્રેજોની દમનકારી નીતિ બાદ તેઓ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં ગયા પછી, તેઓ ક્રાંતિકારી વિચારધારા 'ઇન્ડિયા હાઉસ' (જેની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી) માં જોડાયા અને 'સ્વરાજ' મેગેઝિનનું પ્રકાશન શરૂ કર્યું. જ્યારે ક્રાંતિકારી મદનલાલ ધિંગરાએ 1909 માં કર્ઝન વાઈલીની હત્યા કરી ત્યારે 'સ્વરાજ' બંધ થઈ ગયું અને તેમને લંડનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ ઘટના બાદ બિપીન ચંદ્ર પાલે પોતાની જાતને આતંકવાદી વિચારધારાથી દૂર કરી.


તેમણે વંદે માતરમ રાજદ્રોહ કેસમાં ઓરોબિંદો ઘોષ સામે જુબાની આપવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે તેમને 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.


તેમણે ઘણા પ્રસંગોએ મહાત્મા ગાંધી જેવા નેતાઓની ટીકા પણ કરી અને તેમના મંતવ્યોનો વિરોધ પણ કર્યો. 1921 માં ગાંધીજીની ટીકા કરતા તેમણે કહ્યું, "તમારા વિચારો તાર્કિક નથી પણ જાદુ પર આધારિત છે".


રચનાઓ અને સંપાદન

ક્રાંતિકારી હોવાની સાથે, બિપિન એક કુશળ લેખક અને સંપાદક પણ હતા. તેમણે ઘણી રચનાઓ પણ કરી અને અનેક સામયિકોનું સંપાદન કર્યું.

તેમણે માત્ર 22 વર્ષની ઉંંમરે સાપ્તાહિક 'પરિદર્શક' શરૂ કર્યું હતું.

તેમણે સ્વરાજને ફેલાવવા માટે ઘણા સામયિકો, સાપ્તાહિક અને પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમના મુખ્ય પુસ્તકોમાં 'રાષ્ટ્રીયતા અને સામ્રાજ્ય', 'ભારતીય રાષ્ટ્રવાદ', 'સ્વરાજ અને વર્તમાન પરિસ્થિતિ', 'ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયા', 'ધ બેસિસ ઓફ સોશિયલ રિફોર્મ', 'હિંદુ ધર્મ' અને 'ધ ન્યૂ સ્પિરિટ' નો સમાવેશ થાય છે. તેઓ ડેમોક્રેટ, સ્વતંત્ર અને અન્ય ઘણા સામયિકોના તંત્રી પણ હતા. તેમણે 'પરિદર્શક', 'ન્યુ ઇન્ડિયા', 'બંદે માતરમ' અને 'સ્વરાજ' જેવા સામયિકો પણ શરૂ કર્યા. તેઓ કલકત્તામાં બંગાળ જાહેર અભિપ્રાયના સંપાદકીય સ્ટાફમાં પણ હતા.


ભારતીય રાષ્ટ્રવાદ

નાસ્તિકતા અને સામ્રાજ્ય

સ્વરાજ અને વર્તમાન પરિસ્થિતિ

સુધારણાનો આધાર

ભારતનો આત્મા

નવી ભાવના

હિન્દુ ધર્મમાં અભ્યાસ

રાણી વિક્ટોરિયા - જીવનચરિત્ર



તેમણે લેખક અને પત્રકાર તરીકે લાંબા સમય સુધી કામ કર્યું.

મુલાકાતી (1880)

બંગાળ જાહેર અભિપ્રાય (1882)

લાહોર ટ્રિબ્યુન (1887)

નવું ભારત (1892)

સ્વતંત્ર, ભારત (1901)

બંદેમાત્રમ (1906, 1907)

સ્વરાજ (1908-1911)

ધ હિન્દુ રિવ્યુ (1913)

ડેમોક્રેટ (1919, 1920)

બંગાળી (1924, 1925)

મૃત્યુ

20 મે 1932 ના રોજ આ મહાન ક્રાંતિકારીનું કોલકાતામાં અવસાન થયું. તે 1922 ની આસપાસ રાજકારણથી લગભગ અલગ થઈ ગયા હતા અને મૃત્યુ સુધી ત્યાં રહ્યો.

20 July, 2021

બટુકેશ્વર દત્ત

 બટુકેશ્વર દત્ત



જન્મતારીખ: 18 નવેમ્બર 1910

જન્મસ્થળ: ઓરી, વર્ધમાન, પશ્ચિમ બંગાળ

અવશાન: 20 જુલાઇ 1965


ભગતસિંહ સાથે વિધાનસભામાં બોમ્બ ફેંકનાર બટુકેશ્વર દત્ત હતા.

1931 માં આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.  પંજાબના હુસેનીવાલા જ્યાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સમાધિ છે  એ જ હુસેનીવાલામાં બીજી સમાધિ છે. આ આઝાદીના સૈનિકની સમાધિ છે જેણે ભગતસિંહ સાથે ઉભા રહીને લડ્યા હતા . તેના સાથીનું નામ બટુકેશ્વર દત્ત હતું.


બટુકેશ્વર બી.કે.દત્ત, બટ્ટુ અને મોહન તરીકે જાણીતા હતા. તે હાઈસ્કૂલના અભ્યાસ માટે કાનપુર આવ્યા હતા. તે કાનપુર શહેરમાં જ તે ચંદ્રશેખર આઝાદને મળ્યા. તે દિવસોમાં ચંદ્રશેખર આઝાદ ઝાંસી, કાનપુર અને અલ્હાબાદના વિસ્તારોમાં તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ભગતસિંહ પણ ત્યાં 1924 માં આવ્યા હતા. ત્યારબાદ ભગતસિંહ અને બટુકેશ્વર મિત્રો બની ગયા.



બટુકેશ્વર દત્તનો જન્મ 18 નવેમ્બર 1910 ના રોજ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના ઓરી ગામમાં થયો હતો. કાનપુરમાં તેની કોલેજ અભ્યાસ દરમિયાન, તે ભગતસિંહને મળ્યા. આ 1924 ની વાત છે. ભગતસિંહથી પ્રભાવિત બટુકેશ્વર દત્ત તેમની ક્રાંતિકારી સંસ્થા હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા. તેમણે બોમ્બ બનાવવાનું પણ શીખ્યા. આગ્રામાં ક્રાંતિકારીઓ દ્વારા બોમ્બ ફેક્ટરી બનાવવામાં આવી હતી જેમાં બટુકેશ્વર દત્તે મહત્વની ભૂમિકા ભજવી હતી.

8 એપ્રિલ 1929. તત્કાલિન બ્રિટીશ સંસદમાં જાહેર સલામતી બિલ અને વેપાર વિવાદ બિલ લાવવામાં આવ્યું હતું. તેનો હેતુ પોલીસને વધુ શક્તિઓ આપવાનો હતો કે તે સ્વતંત્રતા સેનાનીઓ પર કડક કાર્યવાહી કરે. તેનો વિરોધ કરવા માટે બટુકેશ્વર દત્તે ભગતસિંહ સાથે મળીને સંસદમાં બોમ્બ ફેંકી દીધા હતા. આ તેમના મંતવ્યો વિશે પેમ્ફલેટ ફેંકવામાં આવતા ધ્યાન આકર્ષિત કરનારા વિસ્ફોટો હતા. આ વિરોધને કારણે આ બિલ એક મતથી પસાર થઈ શક્યું નહીં. આ બંને ક્રાંતિકારીઓ ભાગ્યા ન હતા અને સ્વૈચ્છિક ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી જ્યારે બટુકેશ્વર દત્તને કાળાપાણીની સજા કરવામાં આવી હતી. મૃત્યુદંડની સજા ન મળતાં તેને દુ ખ અને અપમાન થયું. કહેવાય છે કે આ જાણ્યા પછી ભગતસિંહે તેમને એક પત્ર લખ્યો. તેનો હેતુ વિશ્વને બતાવવાનો હતો કે ક્રાંતિકારીઓ ફક્ત તેમના આદર્શો માટે જ મરી શકતા નથી, પણ જેલના કાળી કોષોમાં તમામ પ્રકારના અત્યાચારોને ટકી શકે છે અને સહન કરી શકે છે. ભગતસિંહે તેમને સમજાવ્યું કે સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્તિનું કારણ માત્ર મૃત્યુ ન હોવું જોઈએ.

બટુકેશ્વર દત્તે આ જ કર્યું. કાલાપાનીની સજા હેઠળ, તેમને અંદમાનની કુખ્યાત સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને 1937 માં પટનાના બાંકીપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા. તેને 1938 માં છૂટા કરવામાં આવ્યા હતો. કાલાપાણીની સજા દરમિયાન તેમને ટી.બી થઈ હતી, . ટૂંક સમયમાં જ તેમણે મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં કૂદકો લગાવ્યો. તેની ફરી ધરપકડ કરવામાં આવી. તે ચાર વર્ષ પછી 1945 માં છૂટી ગયા.

દેશ 1947 માં સ્વતંત્ર થયો. નવેમ્બર 1947 માં, બટુકેશ્વર દત્તે લગ્ન કરી લીધા અને પટનામાં રહેવા માંડ્યા. પરંતુ તેમના જીવન માટે સંઘર્ષ ચાલુ રાખ્યો. કેટલીકવાર સિગારેટ કંપનીના એજન્ટ અને તો કોઈ ટૂરિસ્ટ ગાઇડ બનીને તેણે પટનાની શેરીઓની ધૂળ ફિલ્ટર કરવી પડી. એવું કહેવામાં આવે છે કે એક વખત પટનામાં બસો માટે પરમિશન મળતી હતી. બટુકેશ્વર દત્તે પણ અરજી કરી. જ્યારે તેઓ પરમિટ માટે પટના કમિશનર સમક્ષ હાજર થયા હતા, ત્યારે તેમને એક સ્વાતંત્ર્ય સેનાની હોવાનું પ્રમાણપત્ર લાવવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, બાદમાં જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને આ અંગેની જાણ થઈ ત્યારે કમિશનરે બટુકેશ્વરની માફી માંગી હતી.


 22 નવેમ્બર 1964 માં તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં પહોંચતાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે તેમને સપનું પણ નથી લાગતું કે દિલ્હીમાં પથારીવશ જેવા સ્ટ્રેચર પર તેને લાવવામાં આવશે જ્યાં તેણે બોમ્બ ફેંકી દીધો હતો.

બટુકેશ્વર દત્તને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે તેમને કેન્સર છે અને તેમના જીવનના થોડા જ દિવસો બાકી છે. થોડા સમય પછી પંજાબના મુખ્યમંત્રી રામ કિશન તેમની સાથે મળવા પહોંચ્યા. બટુકેશ્વર દત્તે ઝબકતી નજરો સાથે મુખ્ય પ્રધાનને કહ્યું, 'મારી અંતિમ ઇચ્છા છે કે મારો અંતિમ સંસ્કાર મારા મિત્ર ભગતસિંહની સમાધિની બાજુમાં કરવામાં આવે.'

તેમની હાલત કથળતી જ રહી. 17 જુલાઇના રોજ તે કોમામાં ગયા અને 20 જુલાઈ 1965 ના રાત્રે 1:50 વાગ્યે તેનું અવસાન થયું. 

બટુકેશ્વર દત્તની અંતિમ ઇચ્છાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર ભારત-પાક સરહદ નજીક હુસેનીવાલા ખાતે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ નજીક કરવામાં આવ્યા હતા.

     તેમના દેશભક્તિ પ્રત્યેની જુસ્સો જોઈને ભગતસિંહે પહેલી મીટિંગથી જ તેમને મિત્ર માનવાનું શરૂ કર્યું. જ્યારે ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં 1928 માં હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન આર્મીની રચના કરવામાં આવી હતી, ત્યારે બટુકેશ્વર દત્ત પણ તેના મહત્વપૂર્ણ સભ્ય હતા. બટુકેશ્વર દત્તે બોમ્બ બનાવવાની વિશેષ તાલીમ લીધી અને તેમાં નિપુણતા મેળવી. તે સીધા એચએસઆરએની ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. જ્યારે બ્રિટિશ સરકારે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સામે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ લાવવાની યોજના બનાવી ત્યારે ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો ઇરાદો એવી રીતે વ્યક્ત કર્યો હતો કે એક સમયે ક્રાંતિકારીએ ફ્રાન્સના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝમાં ધડાકો કર્યો હતો.


        એચએસઆરએની બેઠક યોજાઈ હતી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બટુકેશ્વર દત્ત વિધાનસભામાં બોમ્બ ફેંકશે અને સુખદેવ તેની સાથે રહેશે. તે સમય દરમિયાન ભગતસિંહ સોવિયત સંઘની મુલાકાતે હશે, પરંતુ પાછળથી ભગતસિંહની સોવિયત સંઘની મુલાકાત રદ કરવામાં આવી હતી અને બીજી મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બટુકેશ્વર દત્ત બોમ્બ ફેંકશે, પરંતુ તેમની સાથે ભગતસિંહ પણ હશે. સુખદેવને બદલે ભગતસિંહ જાણતા હતા કે બોમ્બ ફેંક્યા પછી વિધાનસભામાંથી છટકી શકાશે નહીં, તો કેમ આ ઘટનાને મોટી ન બનાવવામાં આવે, આ ઘટના દ્વારા મોટો સંદેશ આપવામાં આવે.

  8 મી એપ્રિલ 1929 નો દિવસ જાહેર સલામતી બિલ રજૂ થવાનો હતો. બટુકેશ્વરે કોઈક રીતે સેન્ટ્રલ એસેમ્બલીની અંદર બે બોમ્બ સાથે ભગતસિંહને એસ્કોર્ટ કરવામાં સફળતા મેળવી. આ ખરડો રજૂ થતાંની સાથે જ મુલાકાતીઓની ગેલેરીમાં હાજર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ઉભા થયા અને બેંચ ખાલી હતી તે બાજુએ બે બોમ્બ ફેંકી દીધા. જ્યોર્જ સસ્ટર અને બી.દલાલ સહિત થોડા લોકો ઘાયલ થયા, પરંતુ બોમ્બ બહુ શક્તિશાળી ન હતા, તેથી ધુમાડો ભરાયો, પરંતુ કોઈને જોખમ ન હતું. બોમ્બની સાથે, બંનેએ તે પત્રિકાઓ પણ ફેંકી દીધી હતી, ધરપકડ પહેલાં, બંનેએ ઇન્કિલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દસ મિનિટમાં વિધાનસભા ફરી શરૂ થઈ અને ત્યારબાદ તે મુલતવી રાખવામાં આવી.

     તે પછી દેશભરમાં ચર્ચા શરૂ થઈ. ભગતસિંહના અનુયાયીઓ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે બોમ્બ કોઈને મારવા નહીં પરંતુ બહેરા બ્રિટીશના કાન ખોલવા માટે ફેંકી દેવામાં આવ્યા હતા, ત્યારે બ્રિટીશ અને બ્રિટીશ સમર્થકો તેને બ્રિટીશ શાસન પર હુમલો ગણાવી રહ્યા હતા. જો કે, પાછળથી ફોરેન્સિક અહેવાલોએ સાબિત કર્યું કે બોમ્બ એટલા શક્તિશાળી નહોતા. બાદમાં ભગતસિંહે કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેમણે આ પદ્ધતિનો ઉપયોગ ફક્ત પોતાનો અવાજ ખુલ્લો રાખવા, બહેરાઓના કાન ખોલવા અને કોઈની હત્યા કરવા માટે કર્યો નથી. 


     લેખક અનિલ વર્મા સમજાવે છે, "આઝાદી બાદ બટુકેશ્વર દત્તને કોઈ માન આપવામાં આવ્યું ન હતું. તેમણે ગરીબીનું જીવન જીવ્યા હતા. બટુકેશ્વરે પટનાની શેરીઓમાં સિગરેટ ડીલરશીપ અને ટૂરિસ્ટ ગાઇડ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કર્યો હતો. તેમની પત્ની મિડલ સ્કૂલમાં નોકરી કરતી હતી, જે તેનું મકાન ચલાવતું હતું. "અનિલ કહે છે કે એક વખત પટણામાં બસોની પરમિશન મળતી હતી, ત્યારે બટુકેશ્વર દત્તે પણ તેના માટે અરજી કરી હતી. જ્યારે પટના કમિશનર પરમિશન માટે કમિશનર સમક્ષ હાજર થયા, ત્યારે કમિશનરે તેમને સ્વાતંત્ર્ય સેનાની હોવાનું પ્રમાણપત્ર લાવવા કહ્યું.

 જો કે, પાછળથી જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને આ વિશે ખબર પડી ત્યારે કમિશનરે બટુકેશ્વર જીની માફી માંગી. બટુકેશ્વર જીનું ફક્ત એટલું જ માન હતું કે પચાસના દાયકામાં તેઓ એક વખત ચાર મહિના માટે બિહાર વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત થયા હતા. અનિલ વર્મા જણાવે છે કે બટુકેશ્વર દત્તનું જીવન આ નિરાશામાં વિતાવ્યું અને 1965 માં તેમનું અવસાન થયું. 

આઝાદીના સાઠ વર્ષ પછી, બટુકેશ્વર દત્તને એક પુસ્તક દ્વારા યાદ કરવામાં આવ્યાં, પરંતુ આવા ઘણા ક્રાંતિકારીઓ છે જેમના પર હજી સુધી એક પત્રિકા પણ નથી લખી.



ફિલ્મ ધ લિજેન્ડ ઑફ ભગત સિંહમાં ભાસ્વર ચેટરજીએ બટુકેશ્વર દત્તની ભૂમિકા ભજવી હતી.


અનિલ વર્માએ "બટુકેશ્વર દત્ત: ભગતસિંહ કે સહયોગી" નામનું પુસ્તક લખ્યું હતું, જે દત્તના જન્મની શતાબ્દી પર પ્રકાશિત કરાયું હતું. ભારત સરકારની પ્રકાશન સેવા, રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. બટુકેશ્વર દત્ત પર કોઈ પણ ભાષામાં પ્રકાશિત થયેલું આ પહેલું પુસ્તક છે


16 June, 2021

ચિતરંજન દાસ

  ચિતરંજન દાસ "દેશબંધુ"

સ્વાતંત્ર્ય સેનાની, વકીલ



જન્મતારીખ:  5 નવેમ્બર 1870

જન્મસ્થળ: તેલીરબાગ, ઢાંક, કલકત્તા

પિતાનું નામ: ભુવનમોહન દાસ

માતાનું નામ: બસંતીદેવી

અવશાન: 16 જૂન 1925 (દાર્જીલીંગ)

ઉપનામ: દેશબંધુ


 ચિતરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક  હતા. તેઓ "દેશબંધુ" ના નામે પણ જાણીતા હતા

ચિતરંજન દાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત દાસ પરીવારમાં કલકત્તા ખાતે થયો હતો. તેમના પિતા  કોલકાતા હાઈકોર્ટમાં જાણીતા વકીલ હતા અને પત્રકાર પણ હતા. 

ચિતરંજન દાસનો પરીવાર વકીલોનો પરીવાર હતો. ૧૮૯૦મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા.

ભારત પાછા ફર્યા બાદ તેમણે વકીલાત શરૂ કરી પરંતુ ૧૮૯૪માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં. ૧૯૦૯માં અલીપુર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ (અલીપુર ષડયંત્ર) અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિતરંજન દાસનો જાહેર આભાર માનતા જણાવ્યું કે અલીપોર પ્રકરણમાં ચિતરંજન દાસે તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ મહેનત કરી હતી

બીજા ઘણા રાષ્ટ્રવાદીઓ અને દેશભક્તોની જેમ તેમણે પણ 'અસહકાર આંદોલન' ચળવળ સમયે પોતાની વકીલાત છોડી દીધી અને તેની બધી સંપત્તિ મેડિકલ કોલેજ અને મહિલા હોસ્પિટલમાં આપી. તેમણે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓ પાર્ટીના પ્રમુખ પણ હતા. જ્યારે કોંગ્રેસે તેમની 'કાઉન્સિલ એન્ટ્રી' ની દરખાસ્ત સ્વીકારવાની ના પાડી, ત્યારે તેમણે 'સ્વરાજ પાર્ટી' ની સ્થાપના કરી.

ચિતરંજનદાસ અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ૧૯૧૯–૧૯૨૨ના અસહયોગ આંદોલન દરમિયાન તેઓ બંગાળના અગ્રણી નેતા હતા. તેમણે બ્રિટીશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી. તેમણે ફોરવર્ડ નામનું દૈનિક ચાલું કર્યું જેને બાદમાં બ્રિટીશ શાસન વિરુદ્ધની લડત માટે લિબર્ટી નામ અપાયું. 

કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા.

 તેઓ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે અહિંસા અને સંવૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા તથા હિંદુ–મુસ્લિમ એકતા, સહયોગ અને સાંપ્રદાયિક સદ્‌ભાવની તરફેણ કરતા હતા. 

મહાત્મા ગાંધીના જૂથના નો કાઉન્સિલ એન્ટ્રી ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગયા ખાતેના અધિવેશનમાં અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.

 ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરૂ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી.


નરમ સ્વાસ્થ્યને પગલે તેઓ દાર્જિલિંગ ચાલ્યા ગયા હતા જ્યાં ૧૬ જૂન ૧૯૨૫ના રોજ તેમનું નિધન થયું હતું.

તેમના અવસાન પર કવિ રવીન્દ્રનાથ ટાગોરે તેમના માટે અપાર વ્યથા અને આદર વ્યક્ત કરતાં લખ્યું-

एनेछिले साथे करे मृत्युहीन प्रान।

मरने ताहाय तुमी करे गेले दान।।

ભારતીય ટપાલ વિભાગ દ્વારા 1965માં તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે



ચિતરંજન દાસે બિપિનચંદ્ર પાલ અને અરબિંદો ઘોષ સાથે ગાઢ સંપર્ક જાળવ્યો અને સ્વરાજના આદર્શોનો પ્રચાર કરવા માટે અંગ્રેજી સાપ્તાહિક બંદે માતરમ પ્રકાશિત કરવામાં તેમને મદદ કરી.


ચિતરંજન દાસ રાજકીય રીતે સૌથી વધુ સક્રિય  1917 થી 1925 ની વચ્ચે હતા.

1917 માં, તેમણે બંગાળ પ્રાંતિય સંમેલનની અધ્યક્ષતા કરી અને સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના, સહકારી ધિરાણ મંડળીઓ અને કુટીર ઉદ્યોગના નવજીવન દ્વારા ગામડાની પુનર્નિર્માણ માટેની યોજના આગળ મૂકી.

ગામોમા સ્વતંત્ર પંચાયતો અને ખેડૂતો માટે ક્રેડિટ સોસાયટીનો વિચાર  ચિતરંજન દાસનો છે.

તેમણે 1919 થી 1922ના અસહકાર ચળવળ દરમિયાન બંગાળમાં બ્રિટીશ કપડા પર પ્રતિબંધની શરૂઆત કરી હતી.

દાસને તેમની પત્ની અને પુત્ર સાથે  1921 માં ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિનાની સજા આપવામાં હતી. આ જ વર્ષે તેઓ અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

દાસે 'ફોરવર્ડ' નામનું એક અખબાર પણ બહાર પાડયુ હતુ અને બાદમાં તેનું નામ બદલીને લિબર્ટી રાખ્યું,  નેતાજી સુભાષચંદ્ર બોઝ આ અખબારના સંપાદક હતા. બોઝ દાસને તેમનો માર્ગદર્શક માનતા હતા ..

દાસે તેમના મૃત્યુના થોડા વર્ષો પહેલા જ પોતાનું ઘર અને તેમની પાસેની જમીન મહિલાઓના જીવનની શ્રેષ્ઠતા માટે વપરાય તે માટે રાષ્ટ્રને ભેટ આપી હતી. . હાલમાં તે ચિતરંજન સેવા સદન તરીકે ઓળખાતી એક મોટી હોસ્પિટલ છે 




'ચિત્તરંઝન પાર્ક' એ દક્ષિણ દિલ્હીની ઇપીડીપી કોલોનીનું નામ દેશબંધુ ચિતરંજન દાસના નામ પર 1980 ના દાયકામાં રાખવામાં આવ્યું

દેશના ભાવિ નકશાની પરિકલ્પના, સમાજ સેવા અને આઝાડીની લડતમાં યોગદાન બદલ  એમને દેશબંધુનો ખિતાબ મળ્યો હતો. 

09 June, 2021

બિરસા મુંડા

 બિરસા મુંડા

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક




જન્મતારીખ: 15 નવેમ્બર 1875
જન્મસ્થળ: ઉલિતાહુ, રાંચી,ઝારખંડ
પિતાનું નામ: સુમના મુંડા
માતાનું નામ: કરમી
અવશાન: 9 જૂન 1900

આદિવાસીઓમાં લોકનાયક ગણાતા નેતા બિરસા મુંડાએ આદિવાસીઓના અધિકારોની રક્ષા માટે બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં  થયો હતો.

મુંડા રીવાજ મુજબ  તેમનો જન્મ બૃહસ્પતિવાર (ગુરુવાર) ના રોજ થયો હોવાથી બિરસા નામ રાખવામાં આવ્યું.

 સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા.

અભ્યાસમાં તીવ્ર હોવાની સાથે જ જયપાલ નાગએ તેમને જર્મન મિશન સ્કૂલમાં જોડાવા માટે ભલામણ કરી હતી, પરંતુ શાળામાં જોડાવા માટે ખ્રિસ્તી ધર્મમાં ફેરફાર કરવો ફરજિયાત હતું અને તેથી બિરસાને ખ્રિસ્તી તરીકે રૂપાંતર કરવાની ફરજ પડી અને તેનું પુનરાગમન બિરસા ડેવિડ, જે પાછળથી બિરસા દાઉદ તરીકે બન્યા.  થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ, તેમણે જર્મન મિશન સ્કૂલ છોડી દીધી.




વાંસની એક ઝૂંપડીમાં મોટા થયેલા બિરસા મુંડા ઘેટાં-બકરી ચરાવતા, વાંસળી વગાડતા અને સ્થાનિક છોડના ઔષધીય ગુણોની વિશે શોધ-ખોળ કરતા.

તેમણે એક ભારતીય આદિજાતિ ધાર્મિક મિલેનરીયન ચળવળને આગેવાની કરી હતી, જે 19 મી સદીના અંતમાં બ્રિટિશ રાજ દરમિયાન આધુનિક બિહાર અને ઝારખંડના આદિજાતિ પટ્ટામાં ઉભરી હતી, અને તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં મહત્વનો વ્યક્ત કર્યો હતો.  25 વર્ષની વયે પૂરા કરવા માટે તેમની સિદ્ધિઓ વધુ નોંધપાત્ર છે.



એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો "ધરતી બાબા" નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. 

1896-97માં ઉત્તર ભારત ભયંકર ભૂખમરા અને દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. આની આગાહી બિરસા મુંડાએ કરી હોવાની લોકવાયકા પણ છે. લોકો તેમને એક દેવદૂતના રૂપમાં જોવા લાગ્યા. આજે પણ કેટલાક આદિવાસીઓ એમને ભગવાન તરીકે જુએ છે તો કેટલાક એમને આદિવાસી ઓળખના નાયક તરીકે.

ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. 

1898માં તેમણે બ્રિટિશ રાણી વિક્ટોરિયાના પૂતળા બાળવાનું આહ્વાન કર્યું હતું.

1899માં તેમણે ર-ધનુષ, કુહાડી જેવા સાધનો લઈને મુંડાઓએ અંગ્રેજો અને તેમના દિક્કુ દલાલો વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. તેમની સંપત્તિને આગ લગાડી દીધી અને પોલીસોની હત્યા કરી નાખી.

ઉલગુલાન નામની આ બગાવત વધુ લાંબી ન ચાલી, અંગ્રેજોએ આ બળવાને તોડી પાડ્યો અને બિરસાને ફરી પકડી લેવામાં આવ્યા અને જેલમાં જ તેમનું મૃત્યુ થયું.



જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી

બિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.


ઝારખંડની રાજધાની રાંચીમાં ઍરપોર્ટ અને કેન્દ્રીય જેલનું નામ બિરસા મુંડાના નામ પર જ રાખવામાં આવ્યું છે.



ગુજરાતમાં પણ સરકારે તેમના નામ પર રાજપીપલામાં એક યુનિવર્સિટી શરૂ કરી છે




આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. 


બિરસા મુંડાના માનમાં રાંચીમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવે છે.




 ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. 



બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.


તેમનું ચિત્ર ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં  છે, એ એક જ   માત્ર આદિવાસી નેતા આટલા સન્માનિત થયેલા છે.




2004 માં એક હિન્દી ફિલ્મ, ઉલ્ગુલન-એક ક્રાંતિ (ક્રાંતિ) અશોક સરને બનાવી હતી. દીપરાજ રાણાએ આ ફિલ્મમાં બિરસા મુંડાની ભૂમિકા ભજવી હતી, .



 રાજેશ મિત્તલની બીજી ફિલ્મ, બિરસા મુંડા - ધ બ્લેક આયર્ન મેન, 2004માં  રીલિઝ થઈ હતી.


2008 માં, બિરસાના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ, ગાંધી સે પેહલે ગાંધી (ગાંધી પહેલાં ગાંધી), તે જ નામની તેમની પોતાની નવલકથા પર આધારિત ઇકબાલ દુરન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. 

રાજન ખોસાની ભારતીય જીવનચરિત્રની ટૂંકી ફિલ્મ ભગવાન બિરસા મુંડા 2020 માં રજૂ થઈ હતી


રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા, લેખક-કાર્યકર મહાસ્વેતા દેવીની ઐતિહાસિક સાહિત્ય, અરેનિયર અધિકાર (જંગલનો અધિકાર, 1977), એક નવલકથા, જેના માટે તેણીએ 1979 માં બંગાળી માટે સાહિત્ય અકાદમી એવોર્ડ જીત્યો, તે બિરસા મુંડાના જીવન પર આધારિત છે જે 19 મી સદીના અંતમાં બ્રિટીશ રાજ સામે કરેલ બળવો વિશે છે.