મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label June. Show all posts
Showing posts with label June. Show all posts

13 June, 2022

World Blood Donor Day ( વિશ્વ રક્તદાન દિવસ)

 વિશ્વ રક્તદાન દિવસ

14 જુન


‘રક્તદાન’ જીવન-રક્ષા હેતુ કરેલું મહાકાર્ય પણ છે

દર વર્ષે 14મી જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠને વર્ષ 2004થી આ દિવસની શરૂઆત કરી છે. વિશ્વ રક્તદાતા દિવસ, WHO દ્વારા સ્થાપિત આઠ સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનોમાંથી એક છે. 14મી જૂન, નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. કાર્લ લેન્ડસ્ટેઈનર, કે જેઓએ બ્લડ ગ્રુપિંગની શોધ કરી હતી, તેમનો પણ જન્મ દિવસ છે.

રકતદાનને મહાદાન એટલા માટે કહે છે કે "રકતદાતા એક વખત રકતદાન કરીને ત્રણ જીવનદાન આપી શકે છે". આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો.

રાજકોટમાં દાયકાઓથી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર આ દિશામાં માનવતાનું કાર્ય કરે છે અને કટોકટીના સમયે રકત પુરુ પાડીને સેંકડો લોકોને નવજીવન આપ્યું છે.


રકત દાન બે પ્રકારે થાય છે. (1) પ્લેટ્સ ડોનેશન (2) પ્લાઝમા ડોનેશન

આપણા શરીરમાં 4.5 થી 5.5 લિટર રકત હોય છે જેમાથી 350 થી 450 મિલિ લોહી રકતદાન સમયે લેવામાં આવે છે. રક્તનો પ્રવાહી ભાગ બે દિવસમાં અને કોષો ૨૧ દિવસમાં શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે.


- રક્ત  એ  જીવનરક્ષક  દવા ( Life saving drug  )  છે જે કોઈ ફેક્ટરીમાં નથી  બનતું , પરંતુ માનવ  શરીર  જ એની ફેક્ટરી છે .
- રક્તની જરૂરિયાત અને પુરવઠા ( Demand and supply ) વચ્ચે મોટો તફાવત છે . રક્તની સતત અછત વર્તાતી હોય છે .
- અકસ્માત , કેન્સર , પ્રસુતિ ,વિવિધ પ્રકાર ના ઓપરેશનો તથા થૅલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એ એક આવશ્યક અને  જીવનદાન આપનારું બની શકે છે .
- થેલેસેમિયા  ના દર્દીઓને  આજીવન રક્તના સહારે જ જીવન જીવવું પડે છે. કારણ કે તેમના રક્તકર્ણો ખામીયુકત હોવાથી શરીર તરત જ નાશ પામે છે .
- વિવિધ પ્રકાર ના કેન્સરમાં તથા તેની માટેની કેમોથેરેપીની આડઅસરમાં પણ રક્ત વગર દર્દીની સારવાર શક્ય નથી .


રક્તદાન કોણ કરી શકે ?
- ૧૮ થી ૬૫ વર્ષ ની ઉમરની તદુંરસ્ત વ્યકતિ.
- ઓછામાં ઓછું ૪૫ કિલો વજન ધરાવતીવ્યકતિ.
- હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ ટકાથી વધુ હોય તે .


દરેક રક્તદાતાના એચ આઈ વી  ( HIV )  હેપેટાઇટિસ – બી ( Hepatitis B ) , હેપેટાઇટિસ સી  ( Hepatitis C ) , ગુપ્તરોગ તથા મલેરિયા વગેરે ટેસ્ટ બ્લડબેંકમાં કરવામાં આવે છે .


 ૪૫ થી ૫૫ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૩૫૦ મી.લી રક્તદાન ૫૫ થી વધુ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૪૫૦ મી.લી રક્તદાન કરી શકે .


૧૮ થી ૬૫ વર્ષની ઉમર દરમિયાન કોઈ પણ વ્યક્તિ ત્રણ મહિનાનો સમયગાળો રાખીને ૧૮૮ વાર રક્તદાન કરી શકે.



આ દિવસે અનેક કાર્યક્રમો દ્વારા સલામત રકત અને રકત ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે અને અન્યોના જીવન બચાવવા માટે સ્વૈચ્છિક રકતદાન કરનાર રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સલામત અને પુરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ નથી હોતું તે મોટો પડકાર છે અને યોગ્ય તથા સલામત પધ્ધતિથી રકત અને રકત ઉત્પાદનો ચડાવવામાં પણ આવતા નથી હોતા.


રકતદાન કરનાર રકતદાતાઓ પોતાનુ બલ્ડ ગ્રુપ જાણી શકે છે તેમજ એઈડ્ઝ, બી પ્રકારનો કમળો, વી.ડી.આર.એલ, ‘સી’ પ્રકારનો કમળો, મેલેરિયા વગેરે પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે થઈ જાય છે. 





લોહી એ રુધિરરસ અને રુધિરકણોનુ બનેલ છે.

રુધિરકણો ત્રણ પ્રકારના છે

રક્તકણો : આ કણો હિમોગ્લોબિન ધરાવે છે,

હિમોગ્લોબિનનો રંગ લાલ હોવાથી લોહી લાલ રંગનુ હોય છે.

આ કણો રુધિરમા સૌથી વધુ હોય છે.

રક્ત કણોનુ આયુષ્ય 120 દિવસનુ હોય છે. રક્ત કણો ઓક્સીજન અને

કાર્બન ડાયોક્સાઇડનુ વહન કરે છે. આ કણોનુ પ્રમાણ ઘટે તો

એનિમિય (પાંડુરોગ) થાય છે.

શ્વેત કણો : આ કણો સફેદ રંગના હોય છે,

જે શરીરને રોગો સામે રક્ષણ આપે છે.

આથી તેની તેને શરીરના સૈનિકો કહે છે.

શ્વેત કણોનુ આયુષ્ય 2 કે 3 દિવસનુ હોય છે ,

આ કણોનુ પ્રમાણ વધે તો લ્યુકેમિયા (બ્લડ કેન્સર) થાય છે.  

ત્રાક કણો : આ કણો લોહી જામી જવાની ક્રીયામા મદદ કરે છે,

જ્યારે આપણને કોઇ ઘા વાગે ત્યારે લોહી નિકળે છે

અને થોડી વાર પછી જામી જાય છે તેનુ કારણ આ કણો કણો છે.

આ કણોનુ આયુષ્ય 8 થી 10  દિવસનુ હોય છે.

રક્ત અને તેના ઘટકની માહિતી

ઘટક    ક્યાં તાપમાને સંગ્રહ કરાય    કેટલો સમય સંગ્રહ થઈ શકે.
રક્તકણ             ૨ થી ૬                 ૪૨ દિવસ 
પ્લેટ્સ                  ૨૨                     ૫   દિવસ
પ્લાઝમા( FFP )    ૪૦                     ૧    વર્ષ 
ક્રાયોપ્રેસિપિટેટર્સ    ૪૦                    ૧    વર્ષ  

લોહીના પ્રકાર કેટલા?

લોહીના Rh ફેક્ટરના આધારે 8 પ્રકાર છે.

A+ , A -, B+, B-, AB+, AB-, O+, O -

A, B, AB અને O પ્રકારના પૉઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારો ઉપરાંત એક નવું જૂજ 

મળી આવતું બૉમ્બે બ્લડ-ગ્રુપ પણ છે.

બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન A અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે.

 આ ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે એ સમજીએ. 

ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય?

A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

O(નેગેટીવ) એ સર્વદાતા રૂધિર  જુથ ગણાય છે, જે દરેકને આપી શકાય છે,

AB(પોઝિટીવ) એ સર્વ ગ્રાહી રુધિર જુથ છે દરેક પાસેથી લોહી લઇ શકે છે પણ કોઇને આપી શકાતુ ન

રક્તદાનના ફાયદા

હૃદય માટે ફાયદારૂપ છે.

રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.

નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે.

જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.

કેલરી બર્ન કરે છે .

નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..

કેન્સરની શક્યતા ઘટાડે છે.

રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.

ફ્રી હેલ્થ ચેકઅપ .

રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.


સ્વૈચ્છિક રકતદાનએ ઉમદા માનવ ધર્મ છે અને સ્વૈચ્છિક રકતદાન કરવાથી અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. રકતદાન કરનાર સ્ત્રીઓ માસિક ધર્મમાં ન હોવી જોઈએ. રકતદાતાઓને કોઈ રોગની દવાઓ ચાલતી ન હોવી જોઈએ. મેલેરિયા, ન્યુમોનિયા અથવા તાવના દર્દીઓએ થોડા સમય રકતદાન કરવું હિતાવહ નથી. સામાન્ય સંજોગોમાં એકવાર રકતદાન કર્યા પછી ત્રણ માસ સુધી ફરી રકતદાન કરવું જોઈએ નહીં. સામાન્ય પણે ત્રણ મહિને એક વખત કરવામાં આવતા રકતદાન સમયે 300થી 450 મિલિનો જથ્થો લેવામાં આવે છે. રકતદાન વેળા લેવાયેલો રકતનો જથ્થો માત્ર 48 કલાકમાં શરીરમાં પુન:નીર્માણ પામે છે જ્યારે રકતકોશિકા 21 દિવસમાં જ તૈયાર થઈ જાય છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા કોઈ રકતની જરૂરિયાતવાળા દર્દીઓ માટે તેમને જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વૈચ્છાએ રક્તદાન કરવું જોઈએ.  રકતદાન કરવાથી કોઈ માડીનો જાયો, કોઈ બહેનનો વીર, કોઈના સેંથીનું સીંદુર, ભાઈ-બહેન, કોઈના વડીલ માતા-પીતા કે પછી થેલેસેમિયા પીડીત બાળકોની જીવનદોરી અવશ્ય બચી શકે છે. 


સૌથી સલામત સુરક્ષિત રકતદાન એ નિયમિત સ્વૈચ્કિ રકતદાતાઓ દ્વારા કરવામાં આવતું રકતદાન છે.


દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને , ચાર મહીને કે છ મહિને  જે પણ સમયાંતર અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ અને તે સૌથી મોટી સામાજિક સેવા બની રહેશે .




વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

યુનિટ જ ઉપલબ્ધ બને છે. એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે. ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી. ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે. રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.


રક્તદાનની મુખ્ય વાતો -

- મનુષ્યના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમેશા ચાલતી રહે છે અને રક્તદાનથી કોઇપણ નુસકાન નથી થતું.

- કોઇપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.

- જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે- એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે. આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.

- જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

- આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.

- ડોક્ટરો અનુસાર લોહીને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતું નથી.




૩૫૦ મિલી-૪૫૦ મિલી જેટલું લોહી બહાર કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે તે ૨૪ કલાકની અંદર શરીરમાં ફેરબદલ થઈ જાય છે.લાલ રક્ત કણો અંદાજીત ચાર થી છ સપ્તાહમાં સંપૂર્ણ બદલાઈ જાય છે.

સૌથી અઘરુ છે અંગદાન વહાલા

પણ સૌથી સહેલુ છે રકતદાન "


અકસ્માત સમયે,કુદરતી આફત સમયે,કેન્સર,ઓપરેસન સમયે,પ્રસુતિ સમયે તથા માતાના મૃત્યુદરને અટકાવવા , થેલેસેમિયા, કીમોફીલિયા, સિકલસેલ વગેરેના દર્દીઓને લાબું આયુષ્ય મળે તે માટે.

Give blood. Share life

રક્તદાનના ફાયદા



રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે.


લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.


જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે


નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..


રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.


રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.


રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે, અને કોઈકને નવું જીવન આપી શકાય છે.


રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.


તો આવો આજે આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન દઈએ.

ક્યો વ્યક્તિ કોણે લોહી આપી શકે અથવા કોનુ લોહી મેળવી શકે તે માટેની માહિતિ મેળવવા નીચે આપેલ લિંક્ની મુલકાત લો.

https://www.redcrossblood.org/donate-blood/blood-types.html



આપણે પણ રક્તદાન કરીએ અને કોઇક્ની જીંદગી બચાવી માનવ સેવાનું કાર્ય કરીએ.



09 June, 2022

કિરણ બેદી

 કિરણ બેદી

પ્રથમ મહિલા IPS ઓફિસર


જન્મતારીખ: 9 જુન 1949
જન્મસ્થળ: અમૃતસર, પંજાબ
પિતાનું નામ: પ્રકાશલાલ પેશાવરિયા
માતાનું નામ: પ્રેમલતા

કિરણ બેદીનો જન્મ 9 જૂન, 1 9 4 9માં અમૃતસરમાં થયો હતો, તે એક સારી રીતે ચાલતી પંજાબી બિઝનેસ પરિવારમાં હતો. તે પ્રકાશ લાલ પેશાવરિયા અને પ્રેમ લતા (ની જનક અરોરા) ના બીજા સંતાન છે. [5] તેની ત્રણ બહેનો છે: શશી, રીટા અને અનુ. [6] તેમના મહાન-મહાન દાદા લાલા હરગોબિંદે પેશાવરથી અમૃતસર ગયા હતા, જ્યાં તેમણે એક વ્યવસાય સ્થાપ્યો હતો. કિરણ બેદીનો ઉછેર ખૂબ ધાર્મિક ન હતો, પરંતુ તે બંને હિન્દુ અને શીખ પરંપરાઓ (તેમના દાદી એક શીખ હતા) માં લાવવામાં આવી હતી. [7] પ્રકાશ લાલ પરિવારના ટેક્સટાઇલ વ્યવસાયમાં મદદ કરે છે, અને ટેનિસ પણ રમે છે. કિરણ બેદીના દાદા મુનીલાલે પરિવારના કારોબારીનું નિયંત્રણ કર્યું અને તેના પિતાને ભથ્થું આપ્યું. તેમણે આ ભથ્થું કાપી જ્યારે કિરણ બેદીની મોટી બહેન શશી સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલ, અમૃતસરમાં પ્રવેશી હતી. તેમ છતાં શાળા તેમના ઘરથી 16 કિ.મી દૂર હતી, શશીના માતાપિતાએ માન્યું હતું કે તે અન્ય શાળાઓ કરતાં વધુ સારી શિક્ષણ ઓફર કરે છે. મુનિલાલે પોતાના પૌત્રને ખ્રિસ્તી શાળામાં શિક્ષિત કર્યા હોવાનો વિરોધ કર્યો હતો. જો કે, પ્રકાશ લાલએ નાણાકીય સ્વતંત્રતાને જાહેર કરી, અને તે જ સ્કૂલમાં કીરન સહિતની તેમની બધી પુત્રીઓની ભરતી કરી. [8] કિરણ બેદીએ ઔપચારિક અભ્યાસ શરૂ કર્યો 1954 માં, અમૃતસરના સેક્રેડ હાર્ટ કોનવેન્ટ સ્કૂલ ખાતે. તેમણે અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે નેશનલ કેડેટ કોર (એન.સી.સી.) માં ભાગ લીધો હતો. તે સમયે, સેક્રેડ હાર્ટ વિજ્ઞાન ઓફર નહોતો કર્યો; તેના બદલે, તેની પાસે "ઘરગથ્થુ" નામનું વિષય હતું, જેનો હેતુ કન્યાઓને સારા ગૃહિણીઓમાં માવજત કરવાનો હતો. જ્યારે તેણી 9 વર્ષની હતી ત્યારે, કિરણ બેદીએ કેમ્બ્રિજ કોલેજ, એક ખાનગી સંસ્થામાં પ્રવેશ કર્યો, જેણે વિજ્ઞાન શિક્ષણની ઓફર કરી હતી અને મેટ્રિક પરીક્ષા માટે તેણીને તૈયાર કરી હતી. સેક્રેડ હાર્ટ ખાતેના તેમના ભૂતપૂર્વ શાળાના સાથીઓએ 9 મી સદીને સાફ કરીને, તેણીએ વર્ગ 10 (મેટ્રિક્યુલેશન) પરીક્ષાને મંજૂરી આપી. [9] અમદાવાદમાં સરકારી કોલેજ ઓફ વુમન ખાતેથી કિરણ બેદીએ 1968 માં સ્નાતક થયા, બી.એ. (ઓનર્સ) માં અંગ્રેજીમાં. તે જ વર્ષે, તેમણે એન.સી.સી. કેડેટ અધિકારી એવોર્ડ જીત્યો. 1970 માં, તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી. [10] 1970 થી 1 9 72 સુધી, કિરણ બેદીએ અમૃતસરમાં ખાલસા કોલેજ ફોર વુમન ખાતે લેક્ચરર તરીકે શીખવ્યું. તેમણે રાજકીય વિજ્ઞાન સંબંધિત અભ્યાસક્રમો શીખવવામાં. પાછળથી, ભારતીય પોલીસ સેવામાં તેમની કારકિર્દી દરમિયાન, તેમણે 1 9 88 માં દિલ્હી યુનિવર્સિટીમાં કાયદો અને એક પીએચ.ડી. 1993 માં આઇઆઇટી દિલ્હીના સામાજિક વિજ્ઞાન વિભાગ દ્વારા હતો

તેમના પિતા દ્વારા પ્રેરણા, કિરણ બેદી નવ વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું. એક ટીનએજ ટેનિસ ખેલાડી તરીકે, તેણીએ તેના વાળને ટૂંકાવી દીધા હતા કારણ કે તેઓએ તેની રમત સાથે દખલ કરી હતી. [11] 1964 માં, તેણીએ દિલ્હી જિમખાના ખાતે રાષ્ટ્રીય જુનિયર લોન ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ, અમૃતસરની બહાર તેની પ્રથમ ટુર્નામેન્ટ રમી હતી. તેણી પ્રારંભિક તબક્કામાં હારી ગઈ, પરંતુ 1 9 66 માં બે વર્ષ બાદ ટ્રોફી જીતી. [12] રાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે, તે વિમ્બલ્ડન જુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રવેશ મેળવવા માટે યોગ્ય હતી, પરંતુ ભારતીય વહીવટ દ્વારા તેને નામાંકન મળ્યું ન હતું

એક યુવાન સ્ત્રી તરીકે, કિરણ બેદીએ અમૃતસરમાં સર્વિસ ક્લબની હાજરી આપી હતી, જ્યાં સિનિયર સરકારી કર્મચારીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાએ તેમને જાહેર સેવાની કારકિર્દી અપનાવવા પ્રેરણા આપી હતી. 16 જુલાઇ 1 9 72 ના રોજ, કિરણ બેદીએ મસૂરીના વહીવટીતંત્રના રાષ્ટ્રીય એકેડમીમાં તેણીની પોલીસ તાલીમ શરૂ કરી. તે 80 માણસોના બેચમાં એકમાત્ર મહિલા હતી, અને તે પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી બન્યા હતા. 6 માસના ફાઉન્ડેશનના અભ્યાસક્રમ પછી, તેણીને રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે 9 મહિનાની તાલીમની તાલીમ અને 1 9 74 માં પંજાબ પોલીસની વધુ તાલીમ આપી હતી. ડ્રોના આધારે, તેને કેન્દ્રના પ્રદેશ કેડર (હવે એજીએમયુટી અથવા અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ-કેન્દ્રશાસિત પ્રદેશો કેડર).
કિરણ બેદીની પ્રથમ પોસ્ટ 1975 માં દિલ્હીના ચાણક્યપુરી પેટાવિભાગમાં હતી. તે જ વર્ષે, 1975 માં પ્રજાસત્તાક દિન પરેડ ખાતે દિલ્હી પોલીસના તમામ પુરુષોની ટુકડીની આગેવાની કરનાર તે પ્રથમ મહિલા બન્યા. [5] તેમની પુત્રી સુકુત્ર (પાછળથી સાઇના) નો જન્મ સપ્ટેમ્બર 1 9 75 માં થયો હતો

કિરણ બેદી અને તેમના સાથીદારો દ્વારા સ્થાપવામાં આવેલા નવજોયોટી દિલ્હી પોલીસ ફાઉન્ડેશનનું નામ બદલીને નવજોયોટી ઇન્ડિયા ફાઉન્ડેશન રાખવામાં આવ્યું હતું. તેની સ્થાપનાથી, ફાઉન્ડેશનને સ્થાનિક સમુદાયો તરફથી મજબૂત સમર્થન મળ્યું છે, સાથે સાથે કેટલાક ભારતીય અને વિદેશી સખાવતી ટ્રસ્ટો અને સરકારી સંસ્થાઓ. આગામી 25 વર્ષોમાં, તે આશરે 20,000 ડ્રગ અને આલ્કોહોલના વ્યસનીઓને નિવાસી સારવાર પ્રદાન કરે છે. તે પણ શેરી બાળકો અને ઝૂંપડપટ્ટીમાં બાળકોની શિક્ષણ જેવા ગુનો નિવારણ કાર્યક્રમો શરૂ કર્યો. તેણે સમાજના નબળા વિભાગો માટે 200 સિંગલ-શિક્ષક શાળાઓ, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને પરામર્શ કેન્દ્રોની સ્થાપના કરી હતી. 2010 માં, આઇજીએનએ સાથે સંકળાયેલ નવજોયોટી કોમ્યુનિટી કોલેજની સ્થાપના કરી. [33]

કિરણ બેદીએ 1994 માં ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન (આઈવીએફ) ની સ્થાપના કરી હતી. આઇ.વી.એફ. પોલીસ સુધારણા, જેલ સુધારણા, મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય અને સામુદાયિક વિકાસના ક્ષેત્રોમાં કામ કરે છે. [59] પોલીસ સુધારણા વિસ્તારમાં, કિરણ બેદીએ વધુ તાલીમ પર ભાર મૂક્યો હતો, જ્યારે તાલીમાર્થીઓની હઝિંગનો વિરોધ કર્યો હતો. તેમણે વારંવાર પરિવહનનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ ગરીબ કેડર મેનેજમેન્ટ તરફ દોરી જાય છે. તેમણે પોલીસ વહીવટીતંત્રના નવા સ્તરે સર્જન કરવાની દરખાસ્ત પણ કરી હતી, જે રાજકારણીઓ અને અમલદારોના રૅન્ક-એન્ડ-ફાઇલ અધિકારીઓની સુરક્ષા કરશે. મહિલા અધિકારો વિસ્તારમાં, તેણીએ સ્ત્રીઓ માટે યોગ્ય શૈક્ષણિક તકો અને મિલકતની માલિકી (સહ-માલિકી સહિત) ની તરફેણ કરી છે. તેમણે ગ્રામ્ય મહિલાઓની ઝડપી સશક્તિકરણ પર ભાર મૂક્યો છે. [15]

તે એક સામાજિક ટીકાકાર અને ટ્રેનર છે અને વારંવાર શિક્ષણ, ઘરેલું હિંસા અને અન્ય જેવા વિવિધ સામાજિક મુદ્દાઓ પર બોલે છે. 2008-11 દરમિયાન, કિરણ બેદીએ સ્ટાર પ્લસ પર રિયાલિટી ટીવી શો 'આપ કી કચેરી' નું આયોજન કર્યું હતું. આ અદાલતમાં દર્શાવ્યું છે કે, કિરણ બેદીએ સિમ્યુલેટેડ કોર્ટરૂમમાં રોજિંદા તકરારનો ઉકેલ લાવ્યો હતો. [60] 2008 માં, તેમણે લોકોની ફરિયાદોને સ્થાનિક પોલીસ દ્વારા સ્વીકારવામાં ન આવે તે માટે http://www.saferindia.com/kiranbedi/ ની વેબસાઇટ શરૂ કરી. [61] 2010 માં, તે ટેડક્સ દ્વારા વોશિંગ્ટનમાં સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવી હતી.


અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના એક જૂથ 2012 માં આમ આદમી પાર્ટી (એએપી) ની રચના કર્યા બાદ કિરણ બેદી આઇએસીમાંથી વિભાજીત થયા હતા. [75] દિલ્હીમાં અલ્પજીવી લઘુમતી સરકાર રચવા માટે 'આપ'એ કેજરીવાલ સાથે મુખ્યમંત્રી (મુખ્યમંત્રી) તરીકે કામ કર્યું હતું. 2014 ની ભારતીય સામાન્ય ચૂંટણી દરમિયાન, કિરણ બેદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જાહેરમાં ટેકો આપ્યો હતો. [76] કેજરીવાલ, બીજી બાજુ, મોદી સામે ચૂંટણી લડ્યો મોદી જીત્યાં અને ભારતના વડા પ્રધાન બન્યા પછી, કિરણ બેદીએ જણાવ્યું કે તેઓ દિલ્હીમાં ભાજપના મુખ્ય પ્રધાનપદ માટે તૈયાર છે, જો તેમને આવા ઓફર કરવામાં આવી છે. [77] મોદીની ચૂંટણીના આઠ મહિના પછી, તેઓ 2015 માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 2015 ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના મુખ્યમંત્રી (મુખ્યમંત્રી) ઉમેદવાર હતા, જેમાં અરવિંદ કેજરીવાલ 'આપ'ના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હતા. [78] તેમણે કૃષ્ણા નગર મતવિસ્તારમાંથી 2277 ના મતોથી 'આપ' ઉમેદવાર એસ.કે.બાગાને ચૂંટણીમાં હારી ગઇ હતી અને 'આપ' એક વર્ષ પછી સંપૂર્ણ બહુમતીથી સત્તામાં આવી હતી.

22 મી મે, 2016 ના રોજ, કિરણ બેદીને પૌડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા


પુરસ્કાર અને એવોર્ડ

2004: United Nations Medal

1994: Ramon Magsaysay Award

1979: President's Police Medal,



ડો. કિરણ બેદી એમના માનવીય તેમજ નિડર દ્રષ્ટિકોણના કારણે પોલિસ કાર્યપ્રણાલી તથા જેલ સુધારણા માટેના અતિ આધુનિક આયામો સર કરવામાં મહત્વનું યોગદાન કરી શક્યા છે. નિસ્વાર્થ કર્તવ્યપરાયણતા માટે એમને શૌર્ય પુરસ્કાર મળવા ઉપરાંત એમનાં અનેક કાર્યોને આખા જગતમાં માન્યતા મળી છે, જેના ફળસ્વરૂપે 1994મા એશિયા ખંડના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતો રમન મેગસેસે પુરસ્કાર વડે એમને નવાજવામાં આવ્યા. એમને આંતરરાષ્ટ્રીયક્ષેત્રે જર્મન ફાઉન્ડેશનનો જોસેફ બ્યૂજ પુરસ્કાર, નોર્વેના સંગઠન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ગુડ ટેમ્પલર્સ તરફથી ડ્રગ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ માટે આપવામાં આવતો એશિયા રિજ્યન એવોર્ડ, જૂન ૨૦૦૧માં પ્રાપ્ત અમેરિકી મોરીસન-ટોમ નિટકોક પુરસ્કાર તથા ઇટાલીનો ‘વુમન ઓફ ધ યર ૨૦૦૨’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

એમના દ્વારા બે સ્વંયસેવા કરતી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી, આ સંસ્થાઓ છે- ૧૯૮૮ના વર્ષમાં સ્થાપિત નવ જ્યોતિ તેમ જ ૧૯૯૪ના વર્ષમાં સ્થાપિત ઇંડિયા વિઝન ફાઉન્ડેશન. આ સંસ્થાઓ દરરોજ હજારો ગરીબ તેમ જ અસહાય બાળકો સુધી પંહોચી એમને પ્રાથમિક શિક્ષણ તથા સ્ત્રીઓને પ્રોઢ શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે. ‘નવ જ્યોતિ સંસ્થા’ નશામુક્તિ માટેની સારવાર કરવા સાથે સાથે શહેરી વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીઓમાં, ગ્રામીણ ક્ષેત્રોમાં તેમ જ જેલની અંદર મહિલાઓને વ્યવસાયિક પ્રશિક્ષણ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવે છે. ડો. કિરણ બેદીતથા એમની સંસ્થાઓને આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખ તેમ જ સ્વીકૃતી પ્રાપ્ત થઇ છે. માદક દ્રવ્યો વડે કરવામાં આવતા નશાને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એનાયત કરાયેલ ‘સર્જ સાટિરોફ મેમોરિયલ એવોર્ડ’ એનું તાજેતરમાં મળેલું પ્રમાણ છે.

તેઓ એશિયાઇ ટેનિસ રમતના ચેમ્પિયન રહી ચૂક્યા છે. એમણે કાયદાશાસ્ત્રમાં સનદ મેળવ્યા પછી સાથે સાથે ‘ડ્રગ એબ્યુઝ એન્ડ ડોમેસ્ટિક વાયોલન્સ’ વિષય પર ડોક્ટરેટની ઉપાધિ પણ પ્રાપ્ત કરી. એમણે ‘ઇટ્સ ઓલ્વેઝ પોસિબલ’ તથા બે આત્મકથાઓ ‘આઇ ડેર’ તેમ જ ‘કાઇન્ડલી બેટન’ નામનાણ્ પુસ્તકો પણ લખ્યાં છે. આ ઉપરાંત વાસ્તવિક જીવન પર આધારીત વૃતાંતોનું સંકલન ‘વોટ વેન્ટ રોન્ગ’ નામથી કર્યું છે. આ પુસ્તકનું હિન્દી ભાષામાં રૂપાંતર ‘गलती किसकी’ નામથી સંકલિત કરવામાં આવેલ છે. આ સંકલનો, દૈનિક સમાચાર પત્ર ‘ધ ટાઇમ્સ ઓફ ઇંડિયા’ તેમ જ ‘નવભારત ટાઇમ્સ’માં ડો. કિરણ કિરણ બેદીના વ્યક્તિગત અનુભવો પર આધારિત પાક્ષિક કોલમો સાથે સબંધિત છે.

કિરણ બેદીએ અત્યાર સુધી નિભાવેલ વિવિધ હોદ્દાઓ.

  • દિલ્હી ટ્રાફિક પોલિસ ચીફ
  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો
  • ડેપ્યુટી જનરલ ઓફ પોલિસ, મિઝોરમ
  • ઇન્સપેક્ટર જનરલ ઓફ પ્રિઝન, તિહાર
  • સ્પેશ્યલ સેક્રેટરી ટુ લેફ્ટેનન્ટ ગવર્નર, દિલ્હી
  • ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલિસ, ચંદીગઢ
  • જોઇન્ટ કમિશનર ઓફ પોલિસ ટ્રેનીંગ
  • સ્પેશ્યલ કમિશનર ઓફ પોલિસ ઇન્ટેલિજન્સ
  • યુ. એન. સિવિલિયન પોલિસ એડવાઇઝર
  • મહાનિર્દેશક, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા
  • મહાનિર્દેશક, પોલિસ અનુસંધાન તથા વિકાસ બ્યૂરો

07 June, 2022

World Food Safety Day

 World Food Safety Day (વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ)

7 June


વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ( World Food Safety Day) દર વર્ષે 7 જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય ખોરાકથી થતા જોખમોને રોકવા, શોધવા અને તેનું સંચાલન કરવામાં મદદ કરવા અને ખાદ્ય સુરક્ષા, માનવ સ્વાસ્થ્ય, આર્થિક સુખાકારી, કૃષિ, બજાર ઍક્સેસ, પ્રવાસન અને ટકાઉ વિકાસમાં યોગદાન આપવા તરફ ધ્યાન દોરવાનો છે.  દરેક વ્યક્તિને સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન પૂરતા પ્રમાણમાં મળી શકે તેવો હેતુ પણ આ દિવસની ઉજવણીમાં સમાયેલો છે.

 આ દિવસ ઉજવવાનું કારણ એ છે કે તે લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવું, જેઓ બગડેલા ખોરાકના સેવનથી ગંભીર રોગોનો ભોગ બને છે. તે જ સમયે, એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેકને પર્યાપ્ત માત્રામાં સુરક્ષિત અને પૌષ્ટિક ખોરાક મળી રહે.

આ દિવસ લોકોમાં ખોરાક સુરક્ષાની જાગૃતિ લાવવા ઉજવાય છે.

ડિસેમ્બર 2018 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણીની જાહેરાત કરી અને ત્યારબાદ 2019થી દર વર્ષે 7 જૂનના રોજ આ દિવસનું આયોજન કરવામાં આવે છે. પ્રથમવાર વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી 2019ના રોજ Food safety, everyone's business” થીમ આધારિત કરવામાં આવી હતી.

 ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં કરવામાં આવે છે. આ ખોરાકજન્ય રોગોના સંબંધમાં વિશ્વ પરના ભારને ઓળખવા માટે હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન આ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ વિશ્વમાં ખોરાકથી થતા રોગોના ભારણને ઘટાડવા માટે ખાદ્ય સુરક્ષા તરફના પ્રયત્નોને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર વર્ષે 10માંથી એક વ્યક્તિ દૂષિત ખોરાક અથવા બેક્ટેરિયા ધરાવતા ખોરાકથી બીમાર પડે છે. વૈશ્વિક વસ્તી મુજબ આ આંકડો 60 કરોડે પહોંચી શકે છે. વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે ખોરાક અને પાણીજન્ય રોગોથી લગભગ ત્રણ મિલિયન લોકો મોતને ભેટે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરક્ષિત ખોરાક પૂરો પાડવા માટે પ્રથમ રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક વિકસાવવામાં આવ્યો છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
અસુરક્ષિત ખોરાક રોગ અને કુપોષણનું દુષ્ટ ચક્ર બનાવે છે, ખાસ કરીને શિશુઓ, નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને અસર કરે છે.

ભોજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઝડપથી વધતી ફૂડ ચેન અને બિઝનેસ સ્પર્ધા વચ્ચે ધોરણો અને નિયમોને સુરક્ષિ રાખવા વધારે મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો તર્ક સુરકક્ષિત અને પૌષ્ટિક ભોજનનો ઉપયોગ કરીને જીવનને સ્વસ્થ બનાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે.

ખેતરોથી લઈને ફેક્ટરીઓ અને પછી ગ્રાહકોના ટેબલ સુધી, ખાદ્ય ઉત્પાદનો પુરવઠાની સાંકળમાંથી પસાર થતાં વિવિધ આરોગ્ય જોખમોનો સામનો કરે છે.

આ જોખમોને રોકવા અને ગ્રાહકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે, ખાદ્ય ઉત્પાદન જીવન ચક્રના દરેક તબક્કે સલામત ફૂડ પ્રોસેસિંગ માપદંડ લાગુ કરવો જરૂરી છે.

ફૂડ પ્રોડક્ટ્સ વિશ્વમાં સૌથી વધુ વેપાર થતી વસ્તુઓમાંની એક છે. જેમ જેમ દર વર્ષે બજારો વધુ અને વધુ વૈશ્વિક બને છે અને વિશ્વની વસ્તી વધતી રહે છે, વૈશ્વિક ખાદ્ય પુરવઠાની સાંકળ માત્ર સ્કેલ અને જટિલતામાં વધારો કરવાનું ચાલુ રાખશે.

ફૂડ પોઈઝનિંગ ત્યારે થાય છે જ્યારે ખોરાક બેક્ટેરિયા, વાયરસ અને અન્ય સૂક્ષ્મજીવાણુઓથી દૂષિત થાય છે, જેઓ દૂષિત ખોરાક લે છે તે બીમાર બને છે. સામાન્ય રીતે, ફૂડ પોઈઝનિંગને ઘરે જ નિયંત્રિત કરી શકાય છે, પરંતુ કેટલીકવાર તે ગંભીર હોઈ શકે છે અને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડે છે. તેથી, તેના ગ્રાહકોએ ફૂડ પોઈઝનિંગ સામે સાવચેત રહેવું જોઈએ.



ભારતમાં ખાદ્ય સુરક્ષા

રાજ્યો દ્વારા સુરક્ષિત ખાદ્ય ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નોના સંદર્ભમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્ષ (SFSI) વિકસિત કરવામાં આવ્યું છે. એફએસએસએઆઇ (FSSAI)એ ખાદ્ય કંપનીઓ અને વ્યક્તિઓના યોગદાનને ઓળખ આપવા માટે ‘ઇટ રાઇટ એવોર્ડ’ની શરૂઆત કરવામાં આવી, જેના મારફતે નાગરિકોને સુરક્ષિત અને સ્વાસ્થ્ય ખાદ્ય વિકલ્પ પસંદ કરવા માટે સશક્ત બનાવી શકાય છે.

ખાદ્ય સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્રના દિશાનિર્દેશ

  • સરકારે તમામ લોકો માટે સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવું જોઇએ.
  • કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં સારી પ્રથાઓ અને ચલણ અપનાવવું જોઇએ.
  • વેપારી ખાતરી કરે કે ખાદ્ય પદાર્થ સુરક્ષિત અને ગુણવત્તાસભર હોય.
  • લોકોને સુરક્ષિત, સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન પ્રાપ્ત કરવાનો અધિકાર છે.
  • આ વિશે સામાન્ય ગ્રાહકોને પણ યોગ્ય માહિતી આપવી જોઇએ.

માત્ર શરીરના કદને ઊર્જાના (કેલરી)ના નીચા પ્રમાણ તરીકે સ્વીકારતા આરોગ્યને ત્રણ રીતે અસર કરે છે:

  • પુખ્તવયે શરીર માટે મહત્વના અંગો સમય કરતાં વહેલાં કામ કરવાનું બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ 50 વર્ષની વયે હૃદય બંધ પડવાથી મૃત્યુ પામી શકે છે, કારણ કે શરૂઆતના વિકાસ દરમિયાન તેના હૃદયમાં ઘડતરની ખામી રહી ગઈ હતી.
  • વિકાસના અટકાવનો ભોગ નહીં બનનારા લોકોની સરખામણીમાં વિકાસના અટકાવનો ભોગ બનનારી વ્યક્તિ અતિ વધુ પ્રમાણમાં રોગ અને બિમારીનો ભોગ બને છે.
  • બાળપણના શરૂઆતના સમયમાં પોષણનો ગંભીર અભાવ ઘણીવખત બાળકોને બૌદ્ધિક વિકાસમાં ખામી સુધી દોરી જાય છે.




 વર્ષ 2022 ના વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ 'સેફર ફૂડ, બેટર હેલ્થ'(Safer Food Better Health) છે જેનો અર્થ છે સુરક્ષિત ખોરાક, બહેતર સ્વાસ્થ્ય.

 વર્ષ 2021ની  વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ માટે થીમ નક્કી કરવામાં આવી છે. 2021 વર્ષની થીમ તંદુરસ્ત આવતીકાલ માટે આજનું સુરક્ષિત ભોજન ('Safe food today for a healthy tomorrow') છે. આ  થીમ સુરક્ષિત ભોજનના ઉત્પાદન અને ઉપભોગ ઉપર કેન્દ્રિત છે. ભોજન સુરક્ષિત રહે તો વ્યક્તિ, ગ્રહ અને અર્થવ્યવસ્થાને તાત્કાલિક અને લાંબા સમય માટે ફાયદો થાય છે. 


વર્ષ 2020 થીમ  Food safety, everyone's business

વર્ષ 2019 થીમ  Food safety, everyone's business


food safety વિશે વધુ માહીતી માટે અહી ક્લિક કરો

26 June, 2021

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

 

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય


જન્મતારીખ: 27 જુન 1838

જન્મસ્થળ; કંથાલપરા, પરગણા, પશ્ચિમ બંગાળ

પિતાનું નામ: યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય 

અવશાન: 8 એપ્રિલ 1894 (કલકતા)


બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમનાં લખાણથી માત્ર બંગાળી સમાજને જ નહીં પણ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો હતો.

ભારતના રાષ્ટ્રગીતના લેખક બંકિમચંદ્ર ચેટર્જીની  જન્મજયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમનો જન્મ 27 જૂન 1838 માં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કંથલપરા નામના ગામમાં એક સમૃદ્ધ અને પરંપરાગત બંગાળી પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ બંકિમચંદ્ર ચેટર્જી હતું, પરંતુ લોકો તેમને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તરીકે પણ બોલાવે છે. તે એક પ્રખ્યાત બંગાળી નવલકથાકાર, કવિ અને પત્રકાર હતા.

19 મી સદીના અંત અને 20 મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમના લખાણોથી કાર્યકરોને પ્રેરણા મળી. એટલું જ નહીં, તેમના દ્વારા રચિત રાષ્ટ્રગીત 'વંદે માતરમ' એ આઝાદીની લડત દરમિયાન ક્રાંતિકારીઓને પ્રેરણા આપી, જેના પર દરેક ભારતીય આજે પણ ગર્વ અનુભવે છે.

તેમના પિતા યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય મિદનાપુરના નાયબ કલેક્ટર હતા. તેમના ભાઇ સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ એક નવલકથાકાર હતા અને તેમના દ્વારા લખાયેલ 'પલામૌ' પુસ્તક ખૂબ પ્રખ્યાત હતું.

બંકિમચંદ્રનું પ્રારંભિક શિક્ષણ મિદનાપુરમાં થયું, તે પછી તે હુગલીની મોહસીન કોલેજમાં જોડાયા અને લગભગ 6 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. 1856 માં, તેઓ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં ગયા, જ્યાંથી તેમણે 1859 માં બી.એ. કર્યુ,  આ પછી તેમણે વર્ષ 1869 માં કાયદાની ડિગ્રી પણ મેળવી.

જ્યારે બંકિમચંદ્ર ચેટર્જી માત્ર 11 વર્ષના હતા, ત્યારે તેમના લગ્ન થયા. લગ્ન સમયે તેની પત્ની માત્ર 5 વર્ષની હતી. જ્યારે તે 22 વર્ષના થયા ત્યારે તેમની પત્નીનું નિધન થયું. પ્રથમ પત્નીના અવસાન પછી, તેમણે બીજા લગ્ન રાજલક્ષ્મી સાથે કર્યા.

તેમણે ઘણી નવલકથાઓ અને કવિતાઓ લખી હતી, તેમના ઘણા લખાણોએ લોકોમાં ક્રાંતિકારક વિચારોને જાગૃત કરવા માટે કામ કર્યું હતું.તેમની નવલકથાઓ એટલી પ્રખ્યાત થઈ કે તેમનો અનુવાદ અન્ય ભારતીય ભાષાઓમાં પણ કરવામાં આવ્યો.

બંકિમ ચંદ્રએ તેમની પ્રથમ બંગાળી નવલકથા રોમાંસ પર આધારિત 'દુર્ગેશાનંદિની' લખી હતી, જે વર્ષ 1865 માં પ્રકાશિત થઈ હતી. તેમની સૌથી પ્રખ્યાત નવલકથા 'આનંદ મઠ' હતી જે વર્ષ 1882 માં પ્રકાશિત થઈ હતી. આનંદમઠમાં જ વંદે માતરમ ગીત છે, જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.

ચટ્ટોપાધ્યાયની પહેલી નવલકથા અંગ્રેજીમાં , રાજમોહનની પત્ની (1864) હતી 

તેમની ઘણી નવલકથાઓ છે જેમ કે કપાલકુંડલ (1866), મૃણાલિની (1869), વિષવૃક્ષ  (1873), ચંદ્રશેખર (1877), રજની (1877), રાજસિંહ (1881) અને દેવી ચૌધારણી (1884) ખૂબ પ્રખ્યાત થઈ. નવલકથા સિવાય તેમણે 'કૃષ્ણ ચરિત્ર', 'ધર્મતત્વ' અને 'દેવતત્વ' વગેરે સહિતના ઘણા પુસ્તકો પણ લખ્યા. તેમણે હાસ્ય-વ્યંગથી ભરપૂર 'કમલાકાંતેર દફ્તર' જેવી રચનાઓ પણ લખી છે.

અભ્યાસ પૂરો કર્યા પછી, બંકીમચંદ્ર ચેટર્જીને જેસોરના નાયબ કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓ નાયબ મેજિસ્ટ્રેટ પદ પર રહ્યા.. તેઓ થોડા સમય માટે બંગાળ સરકારના સચિવ તરીકે પણ રહ્યા હતા અને વર્ષ 1891 માં તેઓ સરકારી નોકરીથી નિવૃત્ત થયા.

1870 - 1880 ના દાયકામાં બ્રિટિશ શાસકોએ સરકારી કાર્યક્રમોમાં 'ગોડ સેવ ક્વીન' ગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું, જેનાથી બંકિમચંદ્ર ચેટર્જી ખૂબ નારાજ થયા. આ પછી, 1875 માં, આ ગીતના વિકલ્પ તરીકે, તેમણે સંસ્કૃત અને બંગાળીના મિશ્રણ સાથે એક ગીત બનાવ્યું અને તેને 'વંદે માતરમ' નામનું શિર્ષક આપ્યું.

બ્રિટીશ શાસન સામેની સ્વતંત્રતાની લડતમાં સામેલ ખુદીરામ બોઝ, ભગતસિંહ, અશફાક ઉલ્લાહ ખાન, બટુકેશ્વર દત્ત જેવા સેંકડો ક્રાંતિકારીઓ, વંદે માતરમ્ ગીત ગાતા ગાતા  ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા.. ખાસ કરીને બંગાળના ભાગલા વખતે જાહેર આક્રોશ એ આ ગીતને અંગ્રેજો વિરુદ્ધ હથિયાર બનાવ્યું, પરિણામે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશભરમાં વંદે માતરમ ગીત ગાવામાં આવતું હતું.

1896 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં સૌ પ્રથમ ગવાયેલા આ ગીત માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સુંદર સૂર આપ્યો હતો. 24 જાન્યુઆરી 1950 ના રોજ, બંધારણ સભાએ વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું. આ ગીતના પહેલા ગાયક ઓમકારનાથ ઠાકુર હતા.

વંદે માતરમને એક કવિતા તરીકે લખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તે પ્રકાશિત થયેલી 'આનંદમઠ' નવલકથાનો ભાગ બની ગયું હતું.

2003 ના બીબીસી વર્લ્ડ સર્વિસના સર્વેક્ષણમાં 156 દેશોના લોકોએ કરેલા મતદાન મુજબ દૂનિયાના સાત હજાર ગીતો પૈકી ટોપટેનમાં वन्देमातरम् गीत બીજા ક્રમે આવેલ છે

वन्देमातरम् રાષ્ટ્રગીત ગાવામાં યદુનાથ ભટ્ટાચાર્યે તૈયાર કરેલી ધૂન મુજબ 1 મિનિટ 4 સેકન્ડ સમય લાગે છે

વંદે માતરમનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. બંકિમચંદ્રએ વંદે માતરમની રચના 1870ના દાયકામાં કરી હતી.

તેમણે ભારતને દુર્ગાનું સ્વરૂપ માનીને દેશવાસીઓને તેમના સંતાન ગણાવ્યાં હતાં.

તેમણે ભારતને માતા ગણાવ્યાં, જે અંધકાર અને પીડાથી ઘેરાયેલાં છે.

બાળકોને બંકિમચંદ્ર આગ્રહ કરતા હતા કે તેઓ તેમનાં માતાની વંદના કરે અને તેમને શોષણથી બચાવે.

8 એપ્રિલ 1894 માં તેમનું અવસાન થયું. અને તેનાં 12 વર્ષ બાદ જ્યારે ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલે એક રાજકીય પત્રિકા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તો તેનું નામ 'વંદે માતરમ' રાખ્યું હતું.

લાલા લાજપત રાય પણ આ જ નામથી એક રાષ્ટ્રવાદી પત્રિકાનું પ્રકાશન કરી ચૂક્યા છે.

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એવા સાહિત્યકાર હતા કે જેમની કૃતિઓ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણી પ્રખ્યાત છે.. તેમની કૃતિઓનું  ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું અને તે કૃતિઓ પર આધારીત ઘણી ફિલ્મો પણ બની છે.



1952માં હેમેન ગુપ્તાએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠ નવલકથા પર જ આધારિત આનંદ મઠ નામની ફિલ્મ બનાવી હતી



1969માં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં 20પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

તેમને 1894 માં Companion of the Most Eminent Order of the Indian Empire (CMEOIE) બનાવવામાં આવ્યા હતા. 

 તેમણે 1891માં રાય બહાદુરનું બિરુદ આપવામાં આવ્યું હતું.