મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label પર્વતારોહક. Show all posts
Showing posts with label પર્વતારોહક. Show all posts

24 May, 2021

બચેન્દ્રી પાલ (Bachendri Pal)

 બચેન્દ્રી પાલ

(પર્વતારોહક)

વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા





જન્મતારીખ: 24 મે 1954
જન્મસ્થળ: નકુરી, ઉત્તર કાશી જિલ્લો, ઉત્તરાખંડ
પિતાનું નામ: કિશનસિંહ પાલ
માતાનું નામ: હંસા દેવી




માઉન્ટ એવરેસ્ટ ઉપર આરોહણ કરનારી ભારતની પ્રથમ અને વિશ્વની પાંચમી મહિલાનું બિરુદ હાંસલ કર્યું.

બચેન્દ્રિ પાલનો જન્મ 24 મે 1954 ના રોજ ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નકુરી ગામમાં, ભોતીયા પરિવારમાં થયો હતો. તે હંસા દેવી અને શ્રી કિશનસિંહ પાલના પાંચ બાળકોમાં એક હતી 

 એક સરહદનો વેપારી જે ભારતથી તિબેટમાં કરિયાણાની સપ્લાય કરતો હતો.

 તેન્જીંગ નોર્ગે અને એડમંડ હિલેરી દ્વારા માઉન્ટ એવરેસ્ટની  પ્રથમ વર્ષગાંઠના માત્ર પાંચ દિવસ પહેલા તેણીનો જન્મ થયો હતો. 

તેણે એમ.એ. અને બી.એડ. પૂરું કર્યું. ડી.એ.વી. પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, દહેરાદૂન.

 તે  નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશન (એનએએફ) માં પ્રશિક્ષક બની, જેણે મહિલાઓને પર્વતારોહણ શીખવાની તાલીમ આપવા માટે એક એડવેન્ચર સ્કૂલની સ્થાપના કરી હતી. 

પાલને શાળાના શિક્ષકને બદલે વ્યવસાયિક પર્વતારોહક તરીકેની કારકિર્દી પસંદ કરતી વખતે તેના કુટુંબીઓ અને સબંધીઓનો સખત વિરોધનો સામનો કરવો પડ્યો. જો કે, તેને ટૂંક સમયમાં જ તેના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળતા મળી, જ્યારે સંખ્યાબંધ નાના શિખરોને સમિટ આપ્યા પછી, તેને 1984 માં માઉન્ટ એવરેસ્ટના અભિયાન માટે ભારતની પ્રથમ મિશ્ર-જાતિ ટીમમાં જોડાવા માટે પસંદ કરવામાં આવ્યો.

બચેન્દ્રી પાલને પર્વતારોહણ કરવાનો પહેલો મોકો 12 વર્ષની ઉંમરમાં મળ્યો હતો. શાળાની પિકનીક વખતે, તે સમયે તેણે 13123 ફૂટ ઉંચાઇનું પર્વતારોહણ કર્યું હતું.

ત્યારબાદ તેમણે નેહરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટીયરીંગમાં અભ્યાસ દરમિયાન 1882માં માઉન્ટ ગંગોત્રી-1 (21889 ફૂટ) અને માઉન્ટ રુદ્ર ગરિયા (19091 ફૂટ) ઉંચા શીખરો સર કર્યા.

1978માં સ્નાતક અને 1979 સુધીમા અનુસ્નાક સુધીનો અભ્યાસ કર્યો અને બી.એડ કર્યુ.

તેમણે શિક્ષકને બદલે પર્વતારોહક તરીકેની કારકિર્દી પસંદ કરી.

ભારતનું ચોથું અભિયાન " એવરેસ્ટ-84"માં પસંદગી થઇ.



બચેન્દ્રી પાલે જ્યારે એવરેસ્ટ આરોહણ કર્યું ત્યારે તેની ઉંમર હતી ૨૯ વર્ષ, ૧૧ માસ અને ૨૯ દિવસ હતી

 22-23 મેના રોજ - 30 કે - 40 સેલ્સિયસ તાપમાનમાં બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરવા સાવ નજીક પહોંચ્યા ત્યારે 100 કિલોમીટરની ઝડપે ઠંડો બરફ જેવો પવન ફૂંકાતો હતો.

હિમપ્રપાત, શરીર પર અસંખ્ય ઇજાઓ તથા બીજું અનેક અડચણો વચ્ચે બચેન્દ્રીએ ૨૩ મે, ૧૯૮૪ના રોજ બપોરે એક વાગીને સાત મિનિટે 29028 ફૂટ (8848 મીટર) ઊંચા એવરેસ્ટ પર પગ મૂક્યો હતો.



૧૯૮૪માં ભારતનું ચોથું માઉન્ટ એવરેસ્ટ આરોહણ અભિયાન હાથ ધરાયું જેમાં છ મહિલા, અગિયાર પુરુષોનો સમાવેશ કરાયો તેમા એક બચેન્દ્રી પાલ પણ હતા.

બચેન્દ્રી પાલને ટાટા ઇન્ડસ્ટ્રીઝે પોતાની કંપનીમાં મેનેજર, એડવેન્ચર પ્રોગ્રામ્સ નિમણૂક આપી અને પોતાના કર્મચારીઓને તાલીમના એક ભાગરૂપે સાહસિક પ્રવૃત્તિઓમાં પણ જોડવાનું કામ સોંપ્યું

૧૯૯૭માં ‘ટ્રાન્સ હિમાલયન ઝરણી’ શીર્ષક નીચે અરુણાચલ પ્રદેશ (ઇસ્ટ)થી સિયાચીન (વેસ્ટ) સુધીનો ૪૫૦૦ કિ.મી.નો પ્રવાસ ૨૨૦ દિવસ માટે કર્યો. જેમાં ૪૦ જેટલા મોટા શિખરો તેની આગેવાની હેઠળની ટુકડીએ સર કર્યો.

આ વિશ્વનો પ્રથમ બનાવ છે તેની સાથે માત્ર મહિલા આરોહકો જ હતી. બચેન્દ્રી પાલને અર્જુન એવોર્ડ, પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.

હાલમા બચેન્દ્રી પાલ ટાટા સ્ટીલ જમશેદપુર ખાતેના એડવેંચર પ્રોગ્રામના ચીફ છે, આ ઉપરાંત તે ટાટા સ્ટીલ એડવેંચર ફાઉંડેશનના ડિરેક્ટર છે. આ સંસ્થા યુવા, મહિલાઓ અને સંસ્થાઓ માટે એડવેંચર પ્રોગ્રમ્સ અને લીડરશીપ ડેવલોપમેન્ટ કોર્સને પ્રોત્સાહન આપે છે.

મળેલ સન્માન
1984- પદ્મ શ્રી એવોર્ડ
2019- પદ્મ ભૂષણ એવોર્ડ
1986- અર્જુન એવોર્ડ
1990‌- ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
1984 માં ભારતીય પર્વતારોહણ સંસ્થા દ્વારા ગોલ્ડ મેડલ
1985માં ઉત્તર પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા   ગોલ્ડ મેડલ
1985માં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર
1994માં રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ
1995માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યશ ભારતી એવોર્ડ
1997માં ગઢવાલ યુનિવર્સીટી દ્વારા માનદ ડોકટરેટની ડિગ્રી
2013માં કોલકાતા સ્પોર્ટ જર્નલિસ્ટ એસોસિયસન દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ સહાય
2013માં વિરાંગના લક્ષ્મીબાઇ રાષ્ટ્રીય સન્માન (આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા)
1986માં કલકત્તા લેડી સ્ટડી ગૃપ એવોર્ડ



ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 16 માર્ચ 2019ના રોજ ભારતીય ઉચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. 

एवरेस्ट मेरी शिखर यात्रा

लेखिका बचेंद्री पाल एवरेस्ट विजय के जिस अभियान दल में एक सदस्य थीं, लेखिका उस अभियान दल के साथ 7 मार्च, 1984 को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज़ से गयी। एक मजबूत अग्रिम दल  हमारे पहुचने से पहले ‘बेस कैम्प’ पहुँच गया जो उस उबड-खाबड़ हिमपात के रास्ते को साफ कर सके,लेखिका एक स्थान का जिक्र किया जिसका नाम नमचे बाज़ार है और वहाँ से एवरेस्ट की प्राकृतिक छटा का बहुत सुंदर निरीक्षण किया जा सकता है। लेखिका ने बहुत भारी बड़ा सा बर्फ का फूल (प्लूम) देखा जो उन्हें आश्चर्य में डाल दिया। लेखिका केअनुसार वह बर्फ़ का फूल 10 कि.मी. तक लंबा हो सकता था।

          इस अभियान दल के सदस्य पैरिच नामक स्थान पर 26 मार्च को पहुँचे, जहाँ से आरोहियों और काफ़िलों के दल पर प्राकृतिक आपदा मँडराने लगी। यह संयोग की बात था कि 26 मार्च को अग्रिम दल में शामिल प्रेमचंद पैरिच लौट आए थे। उनसे खबर मिली कि 6000 मी. की ऊँचाई पर कैंप-1 तक जाने का रास्ता पुरी तरह से साफ़ कर दिया गया है। दूसरे-तीसरे दिन पार कर चौथे दिन दल के सदस्य अंगदोरजी, गगन बिस्सा और लोपसांग साउथ कोल पहुंच गए। 29 अप्रैल को 7900 मीटर की ऊँचाई पर उन लोगों ने कैंप-4 लगाया। लेखिका 15-16 मई, 1984 को बुद्ध पूर्णिमा के दिन ल्होत्से की बर्फीली सीधी ढलान पर लगाए गए सुंदर रंग के नाइलोन के बने टेंट के कैंप-3 में थी। कैंप में 10 और व्यक्ति थे। साउथ कोल कैंप पहुँचने पर लेखिका ने अपनी महत्वपूर्ण चढ़ाई की तैयारी शुरू कर दी। सारी तैयारिओं के बीच अभियान चल रही थी , पर्वतारोही दल आगे बढ़ता रहा और 23 मई, 1984 दोपहर के एक बजकर सात मिनट पर लेखिका एवरेस्ट की चोटी पर पहुँच गई।

 एवरेस्ट की चोटी पर खड़ी होकर लेखिका ने अद्भुत अनुभव किया। लेखिका ने उन छोटी-छोटी भावों को भी लिपिबद्ध किया, जिन भावों को अभिव्यक्त कर पाना बहुत कठिन है। इस सफलता के बाद लेखिका को बहुत सारी बधाईयाँ मिली। लेखिका ने उस स्थान को फरसे से काटकर चौड़ा किया, जिस पर वह खड़ी हो सके। उन्होंने वहा राष्ट्रध्वज फहराया, और कुछ संक्षिप्त पूजा-अर्चना भी किया । विजय दल का वर्णन किया ,लेखिका ने वर्णनात्मक शैली को एकरूप बनाए रखा कि पाठक को इन घटनाओं का वर्णन आँखों देखा दृश्य जैसा लगने लगा।