મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label March. Show all posts
Showing posts with label March. Show all posts

26 March, 2023

महादेवी वर्मा

 महादेवी वर्मा

(आधुनिक युग की मीरा, हिंदी भाषा की एक अच्छी कवयित्री)



जन्म तिथि: 26 मार्च 1907

जन्म स्थान: उत्तर प्रदेश

पिता का नाम : गोविंदप्रसाद वर्मा

माता का नाम : हेमरा की देवी

निधन: 11 सितंबर 1987

आधुनिक युग की मीरा’ कही जाने वाली महादेवी वर्मा का जन्म उत्तर प्रदेश के फ़र्रुख़ाबाद में होली के दिन  26 मार्च 1907 में हुआ था। उनकी आरंभिक शिक्षा उज्जैन में हुई और एम. ए. उन्होंने संस्कृत में प्रयाग विश्वविद्यालय से किया। बचपन से ही चित्रकला, संगीतकला और काव्यकला की ओर उन्मुख महादेवी विद्यार्थी जीवन से ही काव्य प्रतिष्ठा पाने लगी थीं। वह बाद के वर्षों में लंबे समय तक प्रयाग महिला विद्यापीठ की प्राचार्या रहीं। वह इलाहाबाद से प्रकाशित ‘चाँद’ मासिक पत्रिका की संपादिका थीं और प्रयाग में ‘साहित्यकार संसद’ नामक संस्था की स्थापना की थी।  

‘निराला वैशिष्ट्य’ की स्वामिनी महादेवी वर्मा छायावाद की चौथी स्तंभ भी कही जाती हैं। प्रणय एवं वेदनानुभूति, जड़ चेतन का एकात्म्य भाव, सौंदर्यानुभूति, मूल्य चेतना, रहस्यात्मकता उनकी मुख्य काव्य-वस्तु है। वह प्रधानतः गीति कवयित्री हैं जिनके काव्य में परंपरा और मौलिकता का अद्वितीय समन्वय नज़र आता है। शब्द-निरूपण, वर्ण-विन्यास, नाद-सौंदर्य और उक्ति-सौंदर्य-सभी दृष्टियों से वह भाषा पर सहज अधिकार रखती हैं। उन्होंने अपने काव्य में प्रतीकात्मक संकेत-भाषा का प्रयोग किया है जिसमें छायावादी प्रतीकों के साथ ही मौलिक प्रतीकों का भी कुशल प्रयोग हुआ है। उनका वर्ण-परिज्ञान उनके बिंब-विधान की प्रमुख विशेषता है। चाक्षुष, श्रव्य, स्पर्शिक बिंबों में उनकी विशेष रुचि रही है। अप्रस्तुत के माध्यम से प्रस्तुत के साम्य गुणों का चित्रण वह बख़ूबी करती हैं। रूपक, अन्योक्ति, समासोक्ति तथा उपमा उनके प्रिय अलंकार हैं। उनके संबंध में कहा गया है कि छायावाद ने उन्हें जन्म दिया था और उन्होंने छायावाद को जीवन दिया। 

उन्होंने कविताओं के साथ ही रेखाचित्र, संस्मरण, निबंध, डायरी आदि गद्य विधाओं में भी योगदान किया है। ‘नीहार’, ‘रश्मि’, ‘नीरजा’, ‘सांध्य गीत’, ‘यामा’, ‘दीपशिखा’, ‘साधिनी’, ‘प्रथम आयाम’, ‘सप्तपर्णा’, ‘अग्निरेखा’ उनके काव्य-संग्रह हैं। रेखाचित्रों का संकलन ‘अतीत के चलचित्र’ और ‘स्मृति की रेखाएँ’ में किया गया है। ‘शृंखला की कड़ियाँ’, ‘विवेचनात्मक गद्य’, ‘साहित्यकार की आस्था तथा अन्य निबंध’, ‘संकल्पिता’, ‘हिमालय’, ‘क्षणदा’ उनके निबंधों का संकलन है। 

वह साहित्य अकादेमी की सदस्यता प्राप्त करने वाली पहली लेखिका थीं। भारत सरकार ने उन्हें पद्म भूषण और पद्म विभूषण पुरस्कारों से सम्मानित किया। उन्हें यामा के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। भारत सरकार ने उनके सम्मान में जयशंकर प्रसाद के साथ युगल डाक टिकट भी जारी किया।  


सुमित्रानंदन पंत, जयशंकर प्रसाद, सूर्यकांत त्रिपाठी और महादेवी वर्मा हिन्दी साहित्य के छायावादी युग के चार प्रमुख स्तंभ माने जाते हैं।


आधुनिक हिंदी की सबसे शक्तिशाली कवियों में से एक होने के कारण उन्हें आधुनिक मीरा के नाम से भी जाना जाता है। कवि निराला ने उन्हें "हिंदी के विशाल मंदिर की सरस्वती" भी कहा है।

उन्होंने खड़ी बोली हिंदी कविता में एक नरम शब्दावली विकसित की जो आज तक केवल व्रज भाषा में ही संभव मानी जाती है। उसके लिए उन्होंने अपने समय के अनुकूल संस्कृत और बांग्ला के कोमल शब्दों को चुनकर उन्हें हिंदी का रूप दिया। संगीत के पारखी होने के कारण उनके गीतों का मधुर सौन्दर्य और उनके काव्य-वाक्यों की व्यंजन शैली अन्यत्र दुर्लभ है। उन्होंने अध्यापन से अपना करियर शुरू किया और अंत तक वे प्रयाग महिला विद्यापीठ की प्रधानाध्यापिका बनीं। उनका बाल विवाह हुआ था लेकिन उन्होंने अपना जीवन कुंवारे के रूप में बिताया। प्रख्यात कवयित्री और गद्य लेखिका महादेवी वर्मा साहित्य और संगीत की विदुषी होने के साथ-साथ कुशल चित्रकार और सृजनात्मक अनुवादक भी थीं।


उन्होंने अपने जीवन की शुरुआत एक शिक्षिका के रूप में की और अंत तक प्रयाग महिला विद्यापीठ की प्रधानाचार्य बनीं। बाल विवाह किया लेकिन ब्रह्मचारी जीवन व्यतीत किया। उन्होंने गद्य में भी लिखा। वे संगीत और चित्रकला में भी निपुण थे। उन्होंने नौहार, रश्मी, नीरजा, संध्या गीत, दीपशिखा, यम, सप्तपूर्णा, अतीत के चलचित्र केकम स्मृति की रेखा, स्मृति, दृष्टि बोध, नीलांबर, आत्मिका, विवेचनात्मक गद्य, खंड जैसी पुस्तकें लिखी हैं। नैनीताल से 25 किमी. उन्होंने दूर रामगढ़ के उमागढ़ में एक बंगला बनवाया, जिसे आज महादेवी साहित्य संगमालय के नाम से जाना जाता है। वहीं रहते हुए उन्होंने महिला जागरूकता, महिला शिक्षा और नशामुक्ति के लिए काम किया। हिंदी साहित्य में अद्वितीय योगदान के बाद 1987 में महादेवी वर्मा का इलाहाबाद में निधन हो गया।


गांधी का उन पर बहुत प्रभाव था। यह गांधी ही थे जिन्होंने उन्हें महिला शिक्षा के लिए काम करने के लिए प्रेरित किया। गांधी को केवल हिंदी में बोलते देख महादेवी ने पूछा क्यों, बापू ने कहा कि केवल हिंदी भाषा ही भारत की आत्मा को आसानी से व्यक्त कर सकती है। तभी से महादेवी ने हिंदी को अपने जीवन का आधार बनाया।

महादेवी वर्मा की प्रमुख रचनाएं

महादेवी वर्मा के आठ कविता संग्रह है जिनमे निहार 1930 में, रश्मि 1932 में, सांध्यगीत 1936 में, दीपशिखा 1942 में सप्तपर्णा को अनूदित है 1959 में प्रथम आयाम 1974 मेंं अग्निरेखा 1990 में प्रकाशित हुए।

देवी वर्मा जी के 10 से ज्यादा काव्य संकलन प्रकाशित हुए जिनमें से निम्न है। आत्मिका, निरन्तरा, परिक्रमा, सन्धिनी 1965 में यामा 1936 में गीतपर्व, दीपगीत, स्मारिका और हिमालय उल्लेखनीय है।

महादेवी वर्मा के प्रमुख रेखा चित्रों में अतीत के चलचित्र 1941 में और स्मृति की रेखाएं 1943 में श्रृंखला की कड़ियां और मेरा परिवार उल्लेखनीय है।

महादेवी वर्मा ने 1956 में पद का साथी और 1972 में मेरा परिवार स्मृति चित्रण 1973 में और संस्मरण 1983 में उल्लेखनीय संस्मरण लिखे।

महादेवी वर्मा के प्रमुख निबंध संग्रह में श्रृंखला की कड़ियां 1942 में प्रकाशित हुई और विवेचनात्मक गद 1942 साहित्यकार की आस्था और अन्य निबंध 1962 संकल्प ता 1969 और भारतीय संस्कृति के स्वर उल्लेखनीय है। क्षणदा महादेवी वर्मा का एकमात्र ललित निबंध ग्रंथ है।  प्रमुख कहानी संग्रह में गिल्लू प्रमुख है। संभाषण नामक भाषण संग्रह 1974 में प्रकाशित हुआ।

प्रमुख कविता संग्रह में ठाकुरजी भोले हैं और आज खरीदेंगे हम ज्वाला प्रमुख है।

महादेवी वर्मा की कविताएं –

  • निहार (1930)
  • रश्मी (1932)
  • नीरजा (1933)
  • संध्यागीत (1935)
  • प्रथम आयाम (1949)
  • सप्तपर्ण (1959)
  • दीपशिक्षा (1942)
  • अग्नि रेखा (1988)
महादेवी वर्मा की कहानियाँ
 
  • अतीत के चलचित्र
  • पथ के साथी
  • मेरा परिवार
  • संस्मरण
  • संभाषण
  • स्मृति के रेहाये
  • विवेचमानक गद्य
  • स्कंध
  • हिमालय


महादेवी वर्मा को मिली प्रमुख पुरस्कार और सम्मान

  • महादेवी जी को 1934 में नीरजा के लिए सक्सेरिया पुरस्कार दिया गया।
  • 1942 में स्मृति की रेखाएं के लिए द्विवेदी पदक दिया गया।
  • महादेवी वर्मा को 1943 में मंगलाप्रसाद पारितोषिक भारत भारती के लिए मिला।

  • महादेवी वर्मा को 1952 में उत्तर प्रदेश विधान परिषद के लिए मनोनीत भी किया गया।

  • 1956 में भारत सरकार ने साहित्य की सेवा के लिए इन्हें पद्म भूषण भी दिया।
  • 1982 में यामा के लिए महादेवी वर्मा को ज्ञानपीठ पुरस्कार दिया गया।
  • महादेवी वर्मा को मरणोपरांत 1988 में पद्म विभूषण पुरस्कार दिया गया।

  • महादेवी वर्मा को 1969 में विक्रम विश्वविद्यालय, 
  • 1977 में कुमाऊं विश्वविद्यालय, नैनीताल, 
  • 1980 में दिल्ली विश्वविद्यालय तथा
  •  1984 में बनारस हिंदू विश्वविद्यालय, वाराणसी ने इनको डी.लिट (डॉक्टर ऑफ लेटर्स) की उपाधि दी।

1979: साहित्य अकादमी फेलोशिप।

28 अप्रैल 2018: महादेवी वर्मा को भारत के गूगल डूडल पर चित्रित किया गया


महादेवी वर्मा के बारे में रोचक तथ्य

  • इनका बाल विवाह किया गया लेकिन इन्होंने अपना जीवन अविवाहित की तरह ही गुजारा।

  • महादेवी वर्मा की रुचि, साहित्य के साथ साथ संगीत में भी थी। चित्रकारिता में भी इन्होंने अपना हाथ आजमाया।

  • महादेवी वर्मा का पशु प्रेम किसी से छुपा नहीं है वह गाय को अत्यधिक प्रेम करती थी।

  • महादेवी वर्मा के पिताजी मांसाहारी थे और उनकी माताजी शुद्ध शाकाहारी थी।

  • महादेवी वर्मा कक्षा आठवीं में पूरी प्रांत में प्रथम स्थान पर रही।

  • महादेवी वर्मा इलाहाबाद महिला विद्यापीठ की कुलपति और प्रधानाचार्य भी रही।

  • यह भारतीय साहित्य अकादमी की सदस्यता ग्रहण करने वाली पहली महिला थी जिन्होंने 1971 में सदस्यता ग्रहण की।


"मेरी आहे सोती है ऑटो की सौतो में, मेरा सर्वस्व छुपा है इन दीवानी चौतो में" -


महादेवी वर्मा की मृत्यु 11 सितंबर 1987 को इलाहाबाद (प्रयागराज), उत्तर प्रदेश में हुई थी। मृत्यु के समय उनकी उम्र 80 वर्ष थी। उन्होंने अपने जीवन में गुलाम भारत व आजाद भारत दोनों को देखा था।

वह छायावादी आंदोलन की एक महान कवयित्री थी जिन्होंने अनेकों विषयों पर कहानियां, कविताएं, उपन्यास आदि लिखे।

19 February, 2023

કલ્પના ચાવલા

 અંતરિક્ષમા જનાર  પહેલી ભારતીય મહિલા કલ્પના ચાવલા  હતી. 

કલ્પના ચાવલાએ અવકાશની દુનિયામા માત્ર સિદ્ધિઓ જ નહી પણ તમામ વિદ્યાર્થીઓને પોતાના સપના જીવવાનુ શીખવ્યુ હતુ. 



તેણે દીકરીઓને આકાશ માં ઉડવાની પ્રેરણા આપી.

કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ ના રોજ કરનાલમા બનારસી લાલ ચાવલાના ઘરે થયો હતો. તે ચાર ભાઈ-બહેનોમા સૌથી નાની હતી. ઘરના દરેક તેને પ્રેમથી મોન્ટુ કહેતા હતા. પ્રારંભિક અભ્યાસ કરનાલના ટાગોર બાલ નિકેતનમા કર્યો હતો. જ્યારે તે ૮ મા ધોરણમા પહોંચી ત્યારે તેણે તેના પિતા પાસે એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી.

કલ્પનાના પિતા તેને ડોક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા. સગાઓનુ કહેવુ છે કે નાનપણથી જ કલ્પનાને અવકાશ અને ખગોળશાસ્ત્રીય પરિવર્તનમા રસ હતો. તેણી હંમેશા તેના પિતાને પૂછતી હતી કે આકાશમા કેવી રીતે અવકાશયાત્રીઓ ઉડે છે. હુ પણ ઉડી શકુ? તેના પિતા હસતા હસતા આ મામલાને ટાળતા હતા.

ત્યારબાદ કલ્પના ૧૯૮૨ મા તેના સપના સાકાર કરવા માટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવા અમેરિકા ગઈ હતી. પછી ૧૯૮૮ મા તે નાસા સંશોધન સાથે સંકળાય હતી. જે પછી ૧૯૯૫ મા નાસાએ અવકાશયાત્રા માટે કલ્પના ચાવલાની પસંદગી કરી હતી. તેણે એસટીએસ ૮૭ કોલમ્બિયા શટલ સાથે અવકાશમા પ્રથમ ફ્લાઇટથી સમ્પન કરી હતી. તેનો સમયગાળો ૧૯ નવેમ્બર ૧૯૯૭ થી ૫ ડિસેમ્બર ૧૯૯૭ સુધીનો હતો.

અવકાશમા તેમની પ્રથમ સફર દરમિયાન તેમણે અવકાશમા ૩૭૨ કલાકનો સમય વિતાવ્યો અને પૃથ્વીની ૨૫૨ પરિક્રમા પૂર્ણ કરી. કલ્પના આ સફળ મિશન પછી કોલમ્બિયા શટલ ૨૦૦૩ સાથે અવકાશની બીજી ફ્લાઇટમા સવાર થઈ. કલ્પનાની બીજી અને છેલ્લી ફ્લાઇટ ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ ના રોજ સ્પેસ શટલ કોલમ્બિયાથી શરૂ થઈ હતી.

તે એક ૧૬ દિવસીય અવકાશ મિશન હતુ જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન અને સંશોધન પર આધારિત હતુ. ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ ના રોજ પૃથ્વી પર પાછા ફરવા માટે આ વાહન પૃથ્વીની કક્ષામા પ્રવેશતા જ હવામા વેરવિખેર થઈને તૂટી ગયુ હતુ. ૨૦૦૩ મા કલ્પનાની સાથે અન્ય ૬ અવકાશયાત્રીઓ પણ આ ઘટનામા માર્યા ગયા હતા..

અવકાશયાત્રાની દરેક ક્ષણ મોતના સાયામાં સ્પેસ વોક કરતી રહી કલ્પના ચાવલા અને તેના 6 સાથીઓ તેઓને એ જાણવાની છૂટ પણ નહોતી મળી કે તેઓ સલામત પૃથ્વી પર આવી શકશે નહી. તેમણે જીવન સાથે તેમનુ મિશન ચાલુ રાખ્યુ હતુ. તે ક્ષણે ક્ષણની માહિતી નાસામા મોકલતો રહ્યા પરંતુ બદલામા નાસાએ તેને એ પણ જાણ ન થવા દીધી કે તે પૃથ્વી કાયમ માટે છોડી દેશે.

તે સમયે સવાલ હતો કે નાસાએ આ કેમ કર્યું? શા માટે તેણે અવકાશયાત્રીઓ અને તેના પરિવાર પાસેથી માહિતી છુપાવી હતી. પરંતુ નાસાની વૈજ્ઞાનિક ટીમ ઇચ્છતી નહોતી કે મિશન પરના અવકાશયાત્રીઓ તેમના જીવનની અંતિમ ક્ષણો ઘુટી ઘુટીને જીવે. તેમણે તેમના વિષે સારુ એ વિચાર્યું કે ઘટનાનો શિકાર થતા પહેલા તે એકદમ મસ્ત રહે. નક્કી જ હતુ કે મોત આવવાની છે. પિતા કહે છે કે કલ્પના ક્યારેય આળસુ નહોતી. તે નિષ્ફળતાથી ડરતી ન હતી. તે જે લક્ષ નક્કી કરે તેને પૂર્ણ કરીને જ રહેતી હતી.. આજે કલ્પના કદાચ આપણી વચ્ચે ન હોય પરંતુ તે આપણા બધા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે

૧ ફેબ્રુઆરી 2003 ના રોજ કોલંબિયા સ્પેસ શટલના ભંગાણ સાથે કલ્પનાની ઉડાન થંભી ગઈ હતી. તે હજી પણ વિશ્વ માટે એક ઉદાહરણ છે. તેમની વાત સાચી થઈ જેમા તેમણે કહ્યુ હતુ કે હુ ફક્ત અંતરીક્ષ માટે જ બની છુ.

03 April, 2022

મહાદેવી વર્મા

 મહાદેવી વર્મા

(આધુનિક યુગના મીરા, હિન્દી ભાષાના સારા કવિયિત્રી)




જન્મતારીખ: 26 માર્ચ 1907

જન્મસ્થળ: ઉત્તર પ્રદેશ

પિતાનું નામ: ગોવિંદપ્રસાદ વર્મા

માતાનું નામ: હેમરાની દેવી

અવશાન: 11 સપ્ટેમ્બર 1987

મહાદેવી વર્મા  હિંદીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે. તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. 

સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી અને મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે. 

આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને “હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ" પણ કહ્યું છે.




એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી. એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા.

પોતાના જીવનની શરૂઆત  અધ્યાપનથી  કરી  અંત સુધી  પ્રયાગ મહિલા વિદ્યાપીઠના  પ્રધાનાચાર્ય બની રહ્યા. બાળવિવાહ થયેલા પરંતુ  અવિવાહિત જીવન જીવ્યા. તેઓ ગદ્યમાં પણ લખતા. વળી સંગીત અને ચિત્રમાં પણ કુશળ હતા. તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્ય ગીત, દીપશીખા, યામા, સપ્તપૂર્ણા, અતીત કે  ચલચિત્ર ઝડપી સ્મૃતિ કી રેખાયે, સ્મારિકા, દ્રષ્ટિબોધ, નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવાં પુસ્તકો લખ્યાં છે. નૈનિતાલથી ૨૫ કિ.મી. દૂર રામગઢના ઉમાગઢમાં તેમણે એક બંગલો બનાવ્યો હતો, જે આજે મહાદેવી  સાહિત્ય સંગ્રહાલય  તરીકે ઓળખાય છે. ત્યાં રહીને તેમણે   સ્ત્રી જાગૃતિ,સ્ત્રી શિક્ષણ અને આથક નિર્ભરતા માટ ે કામ કર્યુ હતું. હિન્દી સાહિત્યમાં અનોખા યોગદાન પછી મહાદેવી  વર્માનું  મૃત્યુ ૧૯૮૭મા અલ્હાબાદમાં થયું હતું.

ગાંધીજીનો તેમના પર ખૂબ પ્રભાવ હતો. ગાંધીજીએ જ તેમને સ્ત્રી  શિક્ષણ માટે કામ કરવા પ્રેરિત  કર્યા.  ગાંધીજીને હિન્દીમાં જ વાત કરતા જોઇને મહાદેવીએ કારણ પૂછાતા બાપુએ કહેલું કે  હિન્દી ભાષા જ ભારતના આત્માને  સહજ રીતે વ્યક્ત કરી શકે છે. ત્યારથી મહાદેવીએ હિન્દીને પોતાના જીવનનો આધાર બનાવ્યો. 

૧૯૩૬માં તેઓને 'નીરજા' માટે સેકસરિયા પુરસ્કાર, ૧૯૪૦માં 'યામા' માટે મંગલાપ્રસાદ પારિતોષિક, ૧૯૮૨માં 'માયા' અને 'દીપશિખા' માટે સાહિત્યનો જ્ઞાાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત  થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના  સભ્ય  હોવા  ઉપરાંત  પદ્મભૂષણ, ડી. લિટ્ટ અને જ્ઞાાનપીઠ પુરસ્કાર  મહાદેવી વર્માને  મળેલાં સન્માનો  છે. ભારત સરકારે તેમને ૧૯૫૬માં પદ્મવિભૂષણની ઉપાધિથી  નવાજ્યા


  • ૧૯૫૬: પદ્મભૂષણ પુરસ્કાર.
  • ૧૯૭૯: સાહિત્ય અકાદમી ફેલોશીપ.
  • ૧૯૮૨: જ્ઞાનપીઠ પુરસ્કાર, તેમની કાવ્ય સંગ્રહ યમ માટે.
  • ૧૯૮૮: પદ્મવિભૂષણ.
  • ૨૮ એપ્રિલ ૨૦૧૮: મહાદેવી વર્મા ભારતીય ગુગલ ડુડલ પર દર્શાવાયા


'મેરી આહે  સોતી હૈ ઈન ઔઠો કી સૌટો મેં, મેરા સર્વસ્વ છીપા હૈ ઈન દીવાની ચૌટો મેં''- 

10 March, 2022

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

 મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

(વડોદરા સ્ટેટના મહારાજા)




જન્મતારીખ: 11 માર્ચ 1863

જન્મસ્થળ: કવલાણા, માલેગાવ જિલ્લો, નાસિક, મહારાષ્ટ્ર

પિતાનું નામ: કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ

માતાનું નામ:  ઉમાબાઈ

અવશાન: 6 ફેબ્રુઆરી 1939


સયાજીરાવનો જન્મ 11 માર્ચ 1863ના રોજ નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં સૂર્યવંશી મરાઠા પરિવારમાં થયો હતો. કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ (૧૮૩૨-૧૮૭૭) અને ઉમાબાઈના બીજા પુત્ર સયાજીરાવનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશેની PDF ફાઇલ મેળવવા અહી ક્લિક કરો.



૧૮૭૦માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦)ના મૃત્યુ બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ (૧૮૩૧-૧૮૮૨) તેમના અનુગામી બનશે. જોકે, મલ્હારરાવની છબી પહેલેથી જ નકારાત્મક હતી. તેમને અગાઉ ખંડેરાવ ગાયકવાડની હત્યાના કાવતરા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઈ (૧૮૫૩-૧૮૯૮) ખંડેરાવના મૃત્યુ સમયે ગર્ભવતી હતા પરંતુ ગર્ભમાં રહેલા બાળકનું લિગ સાબિત ન થાય ત્યાં સુધી ઉત્તરાધિકાર પ્રક્રિયામાં વિલંબ થયો. બાળક દીકરી સાબિત થયું અને ૫ જુલાઈ, ૧૮૭૧ના રોજ મલ્હારરાવ સત્તામાં આવ્યા.

મલ્હારરાવે ઉદાર હાથે પૈસા ખર્ચ્યા. નક્કર સોનાની તોપ, મોતીની જાજમ જેવા અન્ય શાહી ખર્ચાઓથી વડોદરાની તિજોરી લગભગ ખાલી કરી નાખી. મલ્હારરાવની કૂરતા અને ઘોર જુલમના અહેવાલો ટૂંક સમયમાં બ્રિટિશ આર્મી ઓફિસર રોબર્ટ ફેયર સુધી પહોંચ્યા. મલ્હારરાવે રોબર્ટ ફેયરને રાસાયણિક ઝેર (આર્સેનિક) આપવાનો પ્રયાસ કરીને પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.

બ્રિટીશ ભારતના તત્કાલીન રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીએ ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરી મદ્રાસ ખાતે દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, જ્યાં તેઓ ૧૮૮૨માં ગુમનામીમાં મૃત્યુ પામ્યા હતા

વડોદરાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈને તેમના વંશના વડાઓને વડોદરા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.

કાશીરાવ અને તેમના ત્રણ પુત્રો આનંદરાવ (૧૮૫૭-૧૯૧૭), ગોપાલરાવ (૧૮૬૩-૧૯૩૯) અને સંપતરાવ (૧૮૬૫-૧૯૩૪) કવલાણાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર વડોદરા આવ્યા. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યારે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છું.. ગોપાલરાવને અંગ્રેજોએ ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા અને તે મુજબ ૨૭ મે, ૧૮૭૫ના રોજ મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા. તેમને સયાજીરાવ નામનું નવું નામ પણ આપવામાં આવ્યું હતું. તેઓ ૧૬ જૂન, ૧૮૭૫ના રોજ વડોદરા રાજ્યના રાજા બન્યા, કાચી વયના કારણે શરૂઆતમાં રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું. પુખ્ત વયના થતાં જ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ સંપૂર્ણ સત્તા હસ્તગત કરી શાસનની શરૂઆત કરી. તેમની કાચી વય દરમિયાન તેમને રાજા સર ટી. માધવ રાવ દ્વારા વહીવટી કૌશલ્યમાં વ્યાપક શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાના યુવા નેતાને દૂરંદેશી અને લોકકલ્યાણ પ્રદાન કરવાની ઇચ્છા સાથે તૈયાર કર્યા હતા. આ સમયગાળામાં માધવરાવે મલ્હારરાવ દ્વારા નિર્મિત અંધાધૂંધી દૂર કરી રાજ્યને સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યું હતું. માનવ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં મહારાજાએ પોતાના જીવન દરમિયાન જે સિદ્ધિ હાંસલ કરી તેનો શ્રેય એફ. એ. એચ. એલિયટને આપવો જોઈએ


મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. 



સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે, 



અઢાર વર્ષની વયે વડોદરા રાજ્યનો સંપૂર્ણ વહીવટ સંભાળનાર મહારાજા સયાજીરાવે પ્રથમ પત્નિની સ્મૃતિમાં ન્યાય મંદિર બંધાવ્યુ હતું જ્યાં હવે મ્યુઝિયમ બનનાર છે.



ગુજરાતના સૌથી મોટા મહેલ લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું.





વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 1881માં બરોડા કોલેજ ઓફ સાયાન્સની સ્થાપના કરી હતી બાદમા આને આઝાદી પછી 1949માં M.S.University (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)ની નામ રાખવામાં આવ્યું હતું. જેનું સૂત્ર છે- સત્યં શિવં સુન્દરમ



 લોકો નાણાકીય વ્યવહાર સરળતાથી કરી શકે તે માટે તેમણે બેંક ઓફ  બરોડાની સ્થાપના 1908માં કરી


આઝાદી પૂર્વેના 550 રજવાડામાં અસ્પૃશ્ય વર્ગને સન્માનનીય સ્થાન આપનાર વડોદરા સ્ટેટના સયાજીરાવ એકમાત્ર રાજા હતા

ભારતમાં 19મી સદીમાં, મહાત્મા જ્યોતિબા ફૂલે (1828-1890)એ પુણેમાં અસ્પૃશ્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી શિક્ષણ આપવાનું શરૂ કર્યા પછી બંગાળી સદ્ગસ્થ બાબુ શશિધર બેનરજીએ 1865માં અસ્પૃશ્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે કાર્યો શરૂ કર્યા અને પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડે (1882-1883) દ્વારા અસ્પૃશ્યતા વર્ગના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરાઇ. મહારાજાએ 1883માં અત્યંત ગરીબ વિદ્યાર્થીઓ માટે 14 શાળાઓ અને અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે 15 શાળાઓ શરૂ કરી હતી.

જીવન ઝરમર

  • 1875 – વડોદરા રાજયના રાજકુમાર તરીકે દત્તક લેવાયા
  • 1881 – વડોદરા રાજ્યની ગાદી સંભાળી
  • 1880 – પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
  • 1882 – બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
  • 1879 – વડોદરા કોલેજનો પાયો નખાયો, સયાજીબાગ ખુલ્લો મૂકાયો
  • 1880-1890 – વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
  • 1885 – આજવા સરોવર યોજનાનો પ્રારંભ
  • 1906 – વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
  • વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
  • 1911 – દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી
  • 1912 – ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા અધિવેશનને સંબોધન
  • ભારતમાં અંગ્રેજી શાસનના ગાળામાં શ્રેષ્ઠ રાજ્યકર્તાઓમાં અગ્રસ્થાને
  • પ્રજાપ્રેમી રાજા, વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી
  • સંસ્કૃતિ-કલા- શિક્ષણને ઉત્તેજન આપી વડોદરાને ‘સંસ્કારનગરી’ તરીકે પ્રતિષ્ઠા અપાવી
  • અનેક નામાંકિત વ્યક્તિઓને આશ્રય અને ઉત્તેજન આપ્યુ

સન્માન

  • બ્રિટીશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા  આપ્યો હતો
  • તેમના માનમાં ભારત સરકારે ટિકીટ બહાર પાડી છે.
  • ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી


મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.


મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.

તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ખાસ સન્માનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેઓ ને બ્રિટીશ સરકાર દ્વારા ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપવામાં આવ્યો. 



તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકીટ બહાર પાડી છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા.


વડોદરા ને અત્યાધુનિક બનાવનારા આવા રાજા ને શત-શત નમન.,.,



26 March, 2021

વિજયગુપ્ત મૌર્ય

 વિજયગુપ્ત મૌર્ય --જ્ઞાનવિજ્ઞાનનો ચલતોફિરતો જ્ઞાનકોશ



એક સદી પહેલાં જન્મેલા ગુજરાતી મહાલેખક વિજયગુપ્ત મૌર્યને ગુજરાતી વિજ્ઞાન લેખનના પિતામહ કહેવામાં કશું ખોટું નથી. તેમણે દાયકાઓ પહેલાં જ્યારે વિજ્ઞાન આજના જેટલું સુલભ ન હતું ત્યારે અદ્ભુત સાહિત્યસર્જન કર્યું હતું. 

માર્ચ ૨૬, ૧૯૦૯ ના રોજ વિજયશંકર મુરારજી વાસુ તરીકે પોરબંદરમાં જન્મેલા વિજયગુપ્ત મૌર્યએ માધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૩૩માં મુંબઇમાં વકીલાત ભણીને પોરબંદર પાછા ફર્યા અને વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો હોદ્દો સંભાળ્યો. મૂળ જીવ લેખકનો અને વળી પક્ષીદર્શનનો ભારે શોખ, એટલે પક્ષીઓ વિશે પોતાનું ઊંડું જ્ઞાન લેખોના સ્વરૂપે વ્યક્ત કરે અને તે લેખો ‘પ્રકૃત્તિ’ નામના સામયિકમાં નિયમિત રીતે છપાય.

પોરબંદરના ન્યાયાધીશ વિજયશંકર વાસુને વખત જતાં વિજયગુપ્ત મૌર્ય બનાવવામાં નિમિત્ત બનેલો પ્રસંગ ૧૯૪૪માં આકસ્મિક રીતે જ બન્યો. થયું એવું કે મુંબઇમાં ગોરી સરકાર સામે આઝાદીની લડત ચલાવી રહેલા ડૉ. વસંત અવસરે નામના ક્રાંતિકારી સાથે વિજયશંકરનો ભેટો થયો. બ્રિટિશ સરકાર સામે ‘આંદોલન’ કર્યાના આરોપસર અવસરે અને તેમના સાથીદારોના નામે મુંબઇમાં અરેસ્ટ વૉરન્ટ જારી થયું હતું, એટલે ગિરફ્તારીથી બચવા એ ક્રાંતિકારી ડૉક્ટર મુંબઇથી નાસતા છૂપાતા પોરબંદર પહોંચ્યા હતા. વિજયશંકર વાસુને તેમણે પોતાનો કેસ લડવા વિનંતી કરી ત્યારે જવાબ મળ્યો, ‘ચિંતા નહિ કરો. તમારો કેસ હું લડીશ.’ ન્યાયાધીશ હોવાના નાતે જો કે એવું તેઓ કરી ન શકે, એટલે જજના મોભાદાર પદેથી તેમણે રાજીનામું આપ્યું. સામાન્ય વકીલની રૂએ ડૉ. અવસરેનો કેસ (વિનામૂલ્યે) લડવા માટે મુંબઇ ગયા અને અવસરેને ન્યાય અપાવ્યો.

આ બનાવે વિજયશંકર વાસુની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ ભલે મૂકી દીધું, પણ બીજી તરફ તેમનામાં રહેલા લેખકજીવને બેઠો કરી દીધો. મુંબઇમાં વસી જવાના નિર્ણય સાથે ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને માત્ર રૂા.૭૫ ના પગારે વિજયશંકર ટાઇપિસ્ટ તરીકે જોડાયા. આર્થિક સંઘર્ષ થકવનારો હતો. આમ છતાં તેમણે પોતાનો લેખનશોખ જીવંત રાખ્યો અને ‘પ્રકૃત્તિ’ સામયિકમાં લેખો આપતા રહ્યા. કેટલાંક વર્ષ બાદ મુંબઇના પ્રતિષ્ઠિત ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબાર સાથે જોડાવાનો તેમને મોકો મળ્યો અને વિજયગુપ્ત મૌર્યના નામે તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’ના અંતિમ પાને ‘છેલ્લું પાનું’માં પ્રાણીપંખીનાં લેખો આપવાનું શરૂ કર્યું. લેખોની સંખ્યા અને સાઇઝ શરૂઆતમાં સીમિત રહી, પરંતુ વખત જતાં બ્રહ્માંડ, વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, વનસ્પતિજગત વગેરે વિષયોને લગતાં વૈવિધ્યપૂર્ણ લેખો વિજયગુપ્ત મૌર્યની કલમે લખાતા ગયા તેમ ‘છેલ્લું પાનું’માં તેમને વધુ ને વધુ મહત્ત્વ અપાતું ગયું અને વિજયગુપ્ત મૌર્ય છેવટે આખા પાનાનું લેખનસંપાદન કરતા થયા. ૧૯૭૩ ના અરસામાં ‘જન્મભૂમિ પ્રવાસી’ છોડ્યા પછી તેઓ ફ્રી લાન્સ પત્રકાર તરીકે અખબારોમાં તેમજ સામયિકોમાં માહિતીસભર લેખો આપવા લાગ્યા. દરમ્યાન ‘શેરખાન’, ‘કપિનાં પરાક્રમો’, ‘સિંહ વાઘની સોબતમાં’, ‘શિકારીની તરાપ’, ‘કીમિયાગર કબીર’, ‘હાથીના ટોળામાં’, ‘કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ’, ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’, ‘ઝગમગતું ઝવેરાત’, ‘સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ’, ‘પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ’, ‘જિંદગી જિંદગી’ વગેરે પુસ્તકો પણ લખ્યાં.

ગુજરાતી પત્રકારત્વમાં લગભગ ૪૬ વર્ષની લાંબી કારકિર્દી ભોગવવા છતાં વિજયગુપ્ત મૌર્ય આર્થિક રીતે કદી બે પાંદડે થઇ ન શક્યા. ભારે મહેનતે તૈયાર કરાયેલા અકેક માહિતીસભર લેખનું યોગ્ય આર્થિક વળતર તેમને પ્રકાશકો તરફથી કદી મળ્યું નહિ. વળી ઊંચા વળતરની તેમણે કદી આશા કે અપેક્ષા રાખી પણ નહિ, એટલે જે મળ્યું તેનાથી સંતોષ માની સાદગીભયુર્ં જીવન તેમણે વીતાવ્યું. ગુજરાતી વાચકોને કંઇક નવું, રસાળ અને જ્ઞાનવર્ધક લખાણ પીરસવાની નેમ સાથે તેમણે કલમ ઉઠાવી હતી અને તે નેમને આજીવન તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. પાછલી ઉંમરે આંખોનું તેજ ઘટવા છતાં, કમરનો દુખાવો એકધારો રહેતો હોવા છતાં અને પાર્કિન્સનનો અસાધ્ય રોગ લાગૂ પડ્યો હોવા છતાં તેમણે પોતાની કલમનું તેજ ઝાંખું પડવા દીધું નહિ. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લેખનકાર્યમાં વ્યસ્ત રહ્યા. લાંબી માંદગી બાદ જુલાઇ, ૧૯૯૨માં તેમણે વિદાય લીધી અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો અજોડ દાખલો બેસાડતા ગયા.

જ્ઞાનવિજ્ઞાનની જે કેડી વિજયગુપ્ત મૌર્યએ કંડારી એ કેડીને તેમના પુત્ર નગેન્દ્ર વિજયે પણ કારકિર્દી તરીકે પસંદ કરી. પિતાની જેમ જ્ઞાનવર્ધક અને લોકોપયોગી સાહિત્ય પીરસવા માટે જ પત્રકારત્વ ચલાવવાની નેમ સાથે નગેન્દ્ર વિજયે (૧૪ વર્ષની વયે) કલમ ઉઠાવી અને ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં અભૂતપૂર્વ સામયિકો ગુજરાતને આપ્યાં. આ બેય સામયિકોએ વિજ્ઞાન જેવા અઘરા જણાતા વિષયમાં સરેરાશ ગુજરાતી વાચકને ઊંડો રસ લેતા કરી દીધો એને નગેન્દ્ર વિજયની સિદ્ધિ ગણવી રહી. નગેન્દ્ર વિજયે તેમની રસાળ કલમ વડે નવી પેઢીની વિચારશૈલી બદલી છે અને તેમના મગજમાં ચાલતી થોટ પ્રોસેસને ટૉપ ગિઅરમાં નાખી છે. પ્રત્યક્ષ રીતે તેમનાં જીવન બદલ્યાં છે. જુદી રીતે કહો તો સમાજલક્ષી તેમજ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ ચલાવવાના ઉચ્ચ સંસ્કારોનો પિતાએ આપેલો વારસો પુત્રએ બરાબર જાળવ્યો.

આ લખનારે આજથી અઢારેક વર્ષ પહેલાં ‘સફારી’ના કાર્યાલયમાં પાર્સલો સીવવાના કાર્ય સાથે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એક સંકલ્પ કર્યો હતો--ગમે તે ભોગ આપવો પડે, પણ જ્ઞાનવિજ્ઞાનનો શક્ય એટલો વધુ ફેલાવો કરવો. આ સંકલ્પના અન્વયે તમામ આર્થિક હિતો ભૂલીને ‘સફારી’ને એક ઝૂંબેશ તરીકે ચલાવ્યું, અંધજનો માટે ‘સફારી’ની શ્રાવ્ય આવૃત્તિ પ્રગટ કરી, ઇન્ટરનેટ પર ‘સફારી’ની વેબસાઇટ આરંભી અને અંગ્રેજી ભાષામાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કર્યું.

અલબત્ત, વાત ત્યાં પૂરી થતી નથી. હજી ઘણું કરવાનું બાકી છે. વિજયગુપ્ત મૌર્યની કલમે લખાયેલું સાહિત્ય પુસ્તક સ્વરૂપે આજની તેમજ આવતી કાલની પેઢી સુધી પહોંચતું કરવું છે; ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કરવું છે, જેથી નગેન્દ્ર વિજય લિખિત જ્ઞાનવિજ્ઞાનના લેખો ભારતભરમાં પ્રાદેશિક લેવલે પહોંચી શકે અને વખત આવ્યે ગુજરાતમાં ક્યાંક ‘નગેન્દ્ર વિજય સાયન્સ સેન્ટર’ સ્થાપવું છે, જેથી નવી પેઢીમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવી શકાય.

સફારી મેગેઝીન વિશે....

સફારીની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી. ૬ અંકો પછી તેનું પ્રકાશન બંધ થયું. તેનું ફરી પ્રકાશન જુલાઇ ૧૯૮૬માં શરૂ થયું અને ફરીથી ૧૦મા અંકે તેનું પ્રકાશન અટક્યું. મે ૧૯૯૨માં સામાયિકનું પ્રકાશન ફરી શરૂ થયું

૨૦૦૭માં સફારીએ અંગ્રેજી આવૃત્તિની શરૂઆત કરી જે ભારતના મોટાભાગના ભાગોમાં પ્રાપ્ત હતી

સફારી યુરેનસ બુક્સ નામના પ્રકાશનની માલિકી ધરાવે છે, જેણે વિજયગુપ્ત મૌર્યના લોકપ્રિય પુસ્તકોનું પ્રકાશન કર્યું છે

સફારીના સ્થાપક દ્વારા સંચાલિત નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનનો હેતુ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો કરવાનો છે. તેની સ્થાપના ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ કરવામાં આવી હતી. તેના અંતર્ગત આંખે ન જોઇ શકતા લોકો માટે 'સફારી'ની ઓડિયો આવૃતિનું વિના મૂલ્યે આશરે ૧૦૦ અલગ-અલગ સંસ્થાઓમાં વિતરણ કરવામા આવ્યું હતું, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો થઇ શકે

સફારી એ હર્ષલ પબ્લિકેશન, અમદાવાદ, ગુજરાત, ભારતમાંથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું એક માસિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનનું સામાયિક છે. સફારીના તંત્રી, મુદ્રક અને પ્રકાશક નગેન્દ્ર વિજય છે.

તેનો મુખ્ય હેતુ ગુજરાતની નવી પેઢીમાં જ્ઞાનનો ફેલાવો કરવાનો તેમ જ વિજ્ઞાન વધુ લોકપ્રિય બનાવવાનો છે. સફારીનો વિષય મુખ્યત્વે સામાન્ય જ્ઞાન રહે છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સામાયિકનું વિભાજન 'બનાવ અને બેકગ્રાઉન્ડ', 'સંપાદકનો પત્ર', 'આ પત્ર સફારીને મળે', 'શોધ અને શોધકો', 'નવું સંશોધન', 'એક વખત એવું બન્યું', 'સુપર સવાલ', 'ફેક્ટફાઇન્ડર', 'સુપર ક્વિઝ' તેમ જ 'માઇન્ડ ગેમ્સ' જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન "બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન" છે. અન્ય સામાયિકોની જેમ સફારીમાં ક્યારેય જાહેર ખબર જોવા મળતી નથી.

તેનો ફેલાવો ગુજરાતની સાથે ભારતના અન્ય ભાગો તેમજ ભારતની બહાર અમેરિકા, ન્યુઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.

તે બાળકો, વિદ્યાર્થીઓ અને મોટેરાઓમાં પણ પ્રચલિત સામાયિક છે. તેમાં સરળથી અઘરા સુધીના કોયડાઓ, કવીઝ, ફેક્ટફાઈન્ડર, સુપર કવીઝ વિભાગ અને જોક્સ હોય છે.

વિદેશમાં યુદ્ધો થયા, જાસૂસી મિશનો કરવામાં આવ્યા, અણું ધડાકા કરવામાં આવ્યા, વિજ્ઞાનના સિદ્ધાંતો, બ્રહ્માંડના ગૂંઢ રહસ્યો, ઈતિહાસ અને તવારીખ સહિતની અગણિત માહિતી સફારીએ પીરસી છે. માત્ર પીરસી નથી વિશ્લેષણ કર્યું છે. અડીખમ રહીને વાંચકોની ભૂખ સંતોષવાનું કામ સફારીએ કર્યું છે. ચીલાચાલુ મેગેઝિનોની વચ્ચે લોકોમાં વિજ્ઞાનની ભાવના જગાવવાનું કામ સફારીએ કર્યું છે.

ઘણા નવા વિજ્ઞાન લેખકો તૈયાર કરવાનું કામ સફારીએ કર્યું છે

પત્રકારત્વમાં માત્ર સ્થળ પર ગયા અને અહેવાલ લખી નાખ્યો તેવું નહીં, ડેસ્ક જર્નાલિઝમની થીયરીઓ બદલી નાખતા, મહિનાઓ સુધી સંશોધન કરી રજૂઆતની એક કળા સફારીએ ગુજરાતી વાંચકો અને લેખકોને શીખવાડી છે. ગુજરાતી સામાયિકોને છિનાળા પ્રવૃતિમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે. સફારી ગુજરાતીનું એવું લોકપ્રિય સામાયિક છે, જેમાં કોઈ પણ પ્રકારની નવલકથા નથી આવતી, આમ છતાં ગુજરાતના એક એક વ્યક્તિનું મગજ જ્યારે વલોપાત કરતું હોય કે નવી માહિતી આપો... ત્યારે દર મહિને સફારીએ ગુજરાતી વાંચકોને રિચાર્જ કરવાનું કામ કર્યું છે.

હર્ષલ પબ્લિકેશને પહેલા અંકને ફરી બહાર પાડ્યો હતો. આ નવા બહાર પાડેલા અંકમાં બ્રૂસલીનું પોસ્ટર હતું.
‘સફારી’ એ સામયિક નથી, પણ નવી પેઢીને કેળવતું મિશન છે


22 March, 2021

શહીદ દિવસ

 23 માર્ચ

આઝાદીના જોશીલા વીરોને શત શત નમન



એ વતન, એ વતન હમકો તેરી કસમ, 

તેરી રાહો મે જાન તક લૂટા જાયેંગે,

ફૂલ ક્યા ચીજ હે, તેરે કદમો મે હમ 

ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.

આ પંક્તિને ખરા અર્થમા સાર્થક કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, જેમને વતન માટે પોતે ફાંસીના માંચડે લટકી ગયા અને પોતાનું કર્તવ્ય નિભાવી ગયા, આવા અનેક શહિદોની શહિદીને યાદ કરવાનો દિવસ એટલે આજનો દિવસ.

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને  23 માર્ચ 1931ના   રોજ સાંજે 7:33 કલાકે  અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. એ સોમવારનો દિવસ હતો. એવું કહેવાય છે કે એ સાંજે સેન્ટ્રલ જેલમાં પંદર મિનિટ સુધી ઇન્કલાબ ઝિંદાબાદના નારા ગુંજી રહયા હતા, ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે.

દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 90 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી, આ સમયે ભગતસિંહ 23 વર્ષના, સુખદેવ 23 વર્ષના અને રાજગુરુ 22 વર્ષના હતા.

આ ત્રણેય ક્રાંતિકારીઓ ફાંસી પર ચઢતા પહેલા  લેનિનનું નહીં પરંતુ રામ પ્રસાદ બિસ્મલનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.જ્યારે જેલનો અધિકારી તેઓને ફાંસી આપવા  માટેની સૂચના આપવા આવ્યો ત્યારે ક્રાંતિકારીઓએ તેમને કહ્યું કે,અમે એકબીજાને ભેટી લેવા માંગીએ છીએ.

 


1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બાદમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ જ જગ્યાએ સ્મારક બનાવવામાં આવ્યું છે.



17 ડિસેમ્બર 1928ના રોજ લાહોરમાં સાંડર્સની હત્યા અને 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની કેન્દ્રીય એસમ્બલીમાં ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે ફેંકવાની ઘટના પહેલા ભારતની જનતાને ભગત સિંહ વિશે વધુ જાણકારી નહોતી. પરંતુ આ ઘટનાઓ બાદ હિન્દુસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગત સિંહનું નામ ગૂંજવા લાગ્યું. 23 માર્ચે ભગત સિંહને ફાંસી આપવામાં આવી હતી

24 માર્ચ 1931ના રોજ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી. તેમની ફાંસીની વાત સાંભળીને લોકો એટલા ભડકી ચુક્યા હતા કે તેમણે મોટી ભીડ એકત્ર કરીને એ જેલને ઘેરી લીધી હતી.

અંગ્રેજ એટલા ભયભીત હતા કે ક્યાક વિદ્રોહ ન થઈ જાય એ વાતને ધ્યાનમાં રાખતા તેમણે એક દિવસ પહેલા મતલબ 23 માર્ચના રોજ 1931ની રાત્રે જ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી દીધી અને ચોરી છુપીથી તેમના શબોને જંગલમાં લઈ જઈને સળગાવી દીધુ. જ્યારે લોકોને આ વાતની જાણ થએ તો તેઓ ગુસ્સામાં એ બાજુ ભાગી આવ્યા.

પોતાનો જીવ બચાવવ અને પુરાવા મટાડવા માટે અંગ્રેજોએ એ વીરોની અડધી સળગેલી લાશોને ખૂબ જ નિર્દયતાથી નદીમાં ફેંકાવી દીધી. નાની વયમાં આઝાદીના દીવાના ત્રણેય યુવા પોતાના દેશ માટે કુર્બાન થઈ ગયા.

1907ની 28 સપ્ટેમ્બરે જન્મેલા ભગતસિંહ કિશોરવયથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને બ્રિટિશરોના દમન સામે તેમણે જે સાહસ બતાવ્યું હતું તેને કારણે ભગતસિંહ હંમેશ માટે યુવાનોના આદર્શ બની ગયા.

1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.

પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા. અંગ્રેજોના સકંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે 'હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન' આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાચન-લેખન પણ પુષ્કળ કરતા.

1929ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.

શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે

લાલા લજપતરાયજીના મોતનો બદલો લેવા માટે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગત સિંહ અને રાજગુરૂએ અંગ્રેજ ઓફિસર સાંડર્સ પર ગોળીઓ વરસાવી અને ત્યાથી ભાગી નીકળ્યા. જો કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા પણ અંગ્રેજોના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિયોએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો. અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખુ હિન્દુસ્તાન જાગી ઉઠ્યુ છે. ભગત સિંહે કેન્દ્રીય અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી. તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈપણ રીતે રકતપાત થાય નહી.

આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા. કાર્યક્રમ મુજબ 8 એપ્રિલ 1929 ના રોજ અસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યા કોઈ હાજર નહોતુ. ભગત સિંહ ઈચ્છતા તો તેઓ ત્યાથી ભાગી શકતા હતા પણ તેમણે ત્યા જ પોતાની ધરપકડ આપી. ઈંકલાબ જીંદાબાદ ના નારા લગાવતા તેમણે અનેક પરબડિયા હવામાં ઉછાળ્યા જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે


દેશના ઘણા લોકોએ આઝાદી માટે પ્રાણ આપી દીધા છે.જેઓને આજે આપણે યાદ કરવાનું કઈ રીતે ભુલી શકીએ….દેશના આ શહીદ વીરોને આજના દિવસે સત્ સત્ નમન…

આઝાદ ભારત નાં 'જતન' કાજે
હસતાં હસતાં
ફાંસી ચડ્યા 'વતન' કાજે"

મરને કે બાદ ભી જીસકે નામ મે જાન હે
એસે જાંબાઝ શહિદ હમારે ભારત કી શાન હે.

ભગતસિંહ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો.

સુખદેવ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો

રાજગુરુ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો