મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 December, 2023

વીર બાળ દિવસ

વીર બાળ દિવસ

26 ડિસેમ્બર


આજે ભારતમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું શીખ ધર્મમાં ઘણુ વિશેષ મહત્વ છે

वीर बाल दिवस

  • वीर बाल दिवस प्रतिवर्ष 26 दिसंबर को मनाया जाता है।
  • यह उत्सव,  सिक्खों के 10वें गुरु गोविंद सिंह जी के साहिबजादे बाबा फतेह सिंह और जोरावर सिंह की शहादत के सम्मान में मनाया जाता है।
  • प्रधानमंत्री मोदी ने 9 जनवरी, 2022 को गुरु गोबिंद सिंह जी के प्रकाश पर्व के दिन घोषणा की थी कि, 26 दिसंबर को "वीर बाल दिवस" ​​​​के रूप में मनाया जाएगा।
  • श्री गुरु गोबिंद सिंह के पुत्रों, साहिबजादा, बाबा जोरावर सिंह जी और बाबा फतेह सिंह जी की शहादत की याद में वीर बाल दिवस का आयोजन किया जाता है।

શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ગુરુ ગોવિંદ સિહે પોતાના ધર્મની રક્ષા માટે મુગલો સાથે લડતી વખતે તેના આખા કુટુંબનું બલિદાન આપ્યું હતું. તેમના બે પુત્રો બાબા અજિતસિંહ અને બાબા જુઝારસિંહે ચામકૌરની લડાઇમાં શહાદત મેળવી હતી. તે જ સમયે, અન્ય બે પુત્રો બાબા જોરાવરસિંહ અને ફતેહસિંહને સરહંડના નવાબે જીવંત દિવાલોમાં ચણી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે.

21 दिसंबर - श्री गुरु गोबिंद सिंह जी ने परिवार सहित श्री आनंद पुर साहिब का किला छोड़ दिया।
22 दिसंबर:-  गुरु साहिब अपने दोनों बड़े पुत्रों सहित चमकौर के मैदान में व गुरु साहिब की माता और दोनों छोटे साहिबजादे अपने रसोइए के घर पहुंचे ।
चमकौर की जंग शुरू और दुश्मनों से जूझते हुए गुरु साहिब के बड़े साहिबजादे श्री अजीत सिंह उम्र महज 17 वर्ष और छोटे साहिबजादे श्री जुझार सिंह उम्र महज 14 वर्ष अपने 11 अन्य साथियों सहित धर्म और देश  की रक्षा के लिए वीरगति को प्राप्त हुए।
23 दिसंबर - गुरु साहिब की माता गुजरी जी और दोनों छोटे साहिबजादो को मोरिंडा के चौधरी गनी खान और मनी खान ने गिरफ्तार कर सरहिंद के नवाब को सौप दिया ताकि वह श्री गुरु गोबिंद सिंह जी से अपना बदला ले सके । गुरु साहिब को अन्य साथियों की बात मानते हुए चमकौर छोड़ना पड़ा।
24 दिसंबर - तीनों को सरहिंद पहुंचाया गया और वहां ठंडे बुर्ज में नजरबंद किया गया।
25 और 26 दिसंबर - छोटे साहिबजादों को नवाब वजीर खान की अदालत में पेश किया गया और उन्हें धर्म परिवर्तन कर मुसलमान बनने के लिए लालच दिया गया।
27 दिसंबर-  साहिबजादा जोरावर सिंह और साहिबजादा फतेह सिंह  को तमाम जुल्म ओ जबर उपरांत जिंदा दीवार में चिन ने के बाद जिबह (गला रेत) कर शहीद कर किया गया जिसकी खबर सुनते ही माता गुजरीने अपने प्राण  त्याग दिए।
इस बलिदानी कथा को  अन्य लोगों को भी बतायें ताकि लोगों को धर्म  रक्षा के लिए पूरा परिवार वार देने वाले श्री गुरुगोबिंद सिंह जी के जीवन से प्रेरणा मिल सके ।

વર્ષ 1704નો ડિસેમ્બરનો મહિના હતો. 20 ડિસેમ્બરે કડકડતી ઠંડીમાં મુઘલ સેનાએ આનંદપુર સાહિબ કિલ્લા પર અચાનક હુમલો કર્યો. ગુરુ ગોવિંદ સિંહ તેમને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ તેમના સૈન્યદળે સમયની નાંડ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિંદ સિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો. સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદ સિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો. ગુરુ ગોવિંદની સાથે, તેમના બે મોટા રાજકુમાર – બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ ચમકૌર પહોંચ્યા. જ્યારે ત્યાં, તેમની માતા ગુજરી બે નાના પૌત્રો- બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહ સાથે રહી ગયા. તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા.

ગંગુ માતા ગુજરીને તેના બે પૌત્રો સાથે તેના ઘરે લાવ્યો. એવું કહેવાય છે કે માતા ગુજરી પાસે સોનાના સિક્કા જોઈને ગંગુના મનમાં લાલચ જાગી અને ઈનામ મેળવવાની લાલસામાં તેણે કોટવાલને માતા ગુજરી વિશે જાણ કરી. માતા ગુજરીની તેમના બે નાના પૌત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને સરહંદના નવાબ વઝીર ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા. વઝીરે બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને ઈસ્લામ સ્વીકારવા જણાવ્યું. જો કે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. આથી નવાબે 26 ડિસેમ્બર, 1704ના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા, જ્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઇને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઈતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે.,

  • पंजाब में सिखों के नेता गुरु गोबिंद सिंह के चार बेटे थे। उन्हें चार साहिबजादे खालसा कहा जाता था।
  • गुरु गोबिंद सिंह ने 1699 में खालसा पंथ की स्थापना की।
  • इसकी स्थापना, सिखों को उनके धर्म के आधार पर भेदभाव की समाप्ति के उद्देश्य से की गई थी।
  • गुरु गोबिंद सिंह की तीन पत्नियों से चार बेटे थे: अजीत, जुझार, जोरावर और फतेह, जो सभी खालसा का हिस्सा थे। उन चारों को 19 साल की उम्र से पहले ही मुगल सेना ने मार डाला था।
  • साहिबज़ादे ज़ोरावर सिंह और फ़तेह सिंह सिख धर्म के दो सबसे प्रसिद्ध शहीद हैं।
  • बादशाह औरंगजेब के निर्देश पर सन 1704ई में मुगल सेना ने आनंदपुर साहिब को घेर लिया।
  • इस घटना में गुरु गोबिंद सिंह के दो पुत्रों को कैद कर लिया गया।
  • और उनके सामने यह शर्त रखी गई कि यदि वे इस्लाम कबूल कर लेते हैं तो उन्हें नहीं मारा जाएगा।
  • धर्मान्तरण के इस प्रस्ताव को अस्वीकार करने के बाद दोनों साहिबजादों को मौत की सजा दी गई और ईंट की दीवार में जिंदा चुनवा दिया गया।
  • इन दोनों शहीदों ने धर्मान्तरण की बजाय मौत को गले लगा लिया।



22 October, 2023

બિપીનચંદ્ર પાલ

 બિપીનચંદ્ર પાલ

(લાલ-બાલ- પાલ ની ત્રીપુટીમાના એક)


જન્મતારીખ: 7 નવેમ્બર 1858

જન્મ સ્થળ: પોઇલ, હબીબગંજ, બાંંગ્લાદેશ
પિતાનું નામ:  રામચંદ્ર પાલ
માતાનું નામ: નારાયણી દેવી
અવશાન: 20 મે 1932


ભારતીય સ્વતંત્રતા આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ બાલ પાલ ની ત્રિપુટી માના એક એટલે બીપીનચંદ્ર પાલ. ભારતમાં ક્રાંતિકારી વિચારોનો જનક બિપિનચંદ્ર પાલને કહેવામાં આવે છે

 બિપિનચંદ્ર પાલ એક રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા પણ હતા

બીપીનચંદ્ર પાલનો જન્મ બંગાળ પ્રેસિડેન્ટીના સીલ્હેટ જિલ્લાના હબિગંજના પોઇલ  ગામમાં 7 નવેમ્બર 1858 ના રોજ એક હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ પર્શિયન વિદ્વાન અને નાના જમીનદાર હતા. બીપીનચંદ્ર પાલનું પ્રારંભિક શિક્ષણ ઘર પર જ ફારસી ભાષામાં થયું હતું. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કલકત્તા ગયા ત્યાં બ્રહ્મસમાજના અગ્રણી કેશવચંદ્ર સેન નો તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો અને તેઓ બ્રહ્મસમાજ સાથે જોડાઈ ગયા. આ વાત તેમના પિતાને પસંદ પડી નહીં આથી તેમને બિપિનચંદ્રનું આજીવન મો ન જોવાની કસમ ખાધી. 

બ્રહ્મસમાજના સિદ્ધાંતો તેમના જીવનમાં એવી રીતે ઉતરી ગયા કે જે કોઈ આ સમાજની વિરુદ્ધમાં જાય તેમને તેઓ શાસ્ત્રાર્થ કરવાનો પડકાર ફેંકતા હતા. આવા જ એક કાલીચરણ બેનર્જી બ્રહ્મસમાજની વિરુદ્ધમાં ઉગ્ર ભાષણ આપતા ત્યારે બીપીનચંદ્ર એ સતત સાત ભાષણ આપીને કાલીચરણના વિચારોનું ખંડન કર્યું હતું. બીપીનચંદ્ર બ્રહ્મસમાજના સિદ્ધાંતોનું ચુસ્ત અનુસરણ કરતા હતા કારણ કે બ્રહ્મ સમાજ એ સુધારવાદી સમાજ હતો અને સમાજની ખોટી પ્રથાઓ અને રિવાજોનો વિરોધી હતો.

બીપીનચંદ્ર માત્ર ભાષણ આપીને ચૂપ રહેતા ન હતા પરંતુ સમાજના નિયમોનું અનુસરણ પણ કરતા હતા. આ જ કારણથી જ્યારે તેમના પ્રથમ પત્ની મૃત્યુ પામ્યા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ નેતા સુરેન્દ્રનાથ બેનર્જીની વિધવા ભત્રીજી સાથે પુન:લગ્ન કર્યા.  આ લગ્ન એ તે સમયે ભારે ઉહાપોહ મચાવ્યો કારણકે તે સમયે વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો


તેમને કેટલાક કારણોસર ગ્રેજ્યુએટ થતાં પહેલાં પોતાનું શિક્ષણ છોડવું પડ્યું અને કલકત્તાની એક સ્કૂલમાં હેડ માસ્ટર તથા ત્યાંની  જ એક પબ્લિક લાઇબ્રેરીમાં લાયબ્રેરીયન તરીકે નોકરી કરી.

1886 માં પરિદર્શક નામના સાપ્તાહિકમાં તેમને કામ શરૂ કર્યું જે સિલ્હટ થી નીકળતું હતું બિપિનચંદ્ર પાલ એક શિક્ષક પત્રકાર લેખક તરીકે ઘણો સમય કાર્ય કર્યું અને તેઓ એક બહેતરીન વક્તા અને રાષ્ટ્રવાદી નેતા પણ હતા જેમને અરવિંદ ઘોષ સાથે મુખ્ય પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે.

બિપિનચંદ્ર સાર્વજનિક જીવન અને અંગત જિંદગીમાં પણ પોતાના વિચારો પર અમલ કરનારા અને ચાલી આવેલી રૂઢિચુસ્ત માન્યતાના સખત વિરોધી હતા.

તેમણે એક વિધવા મહિલા સાથે વિવાહ કર્યા હતા જે તે સમયે ચોકાવનારી બાબત હતી અને આ પગલાંને લીધે તેમને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવો પડ્યો હતો.


તેમણે આપેલા ભાષણોના કારણે તેમને ખૂબ નામના મળી હતી. 1900 માં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પણ તેમણે ઘણા ભાષણો આપ્યા અને ઘણા વર્તમાનપત્રમાં લેખો લખતા રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં તેમણે "સ્વરાજ" નામની પત્રિકા છાપી હતી. ઇંગ્લેન્ડ થી પાછા ફર્યા બાદ તેમને "ન્યુ ઇન્ડિયા" નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું અને ત્યાર પછી શ્રી અરવિંદના વર્તમાનપત્ર "વંદે માતરમ" માં પણ તેમને કામ કર્યું


1905 માં બંગાળ વિભાજન વિરોધમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ લાલ બાલ અને બાલની ત્રિપુટી એ જોરદાર આંદોલન કર્યું જેને મોટા પાયે જનતાનું સમર્થન મળ્યું.

આ ત્રિપુટી ઉગ્ર વિચારસરણી માટે જાણતી હતી. બંગ ભંગ આંદોલન દરમિયાન બ્રિટિશ સરકારે અરવિંદ ઘોષની ધરપકડ કરી અને બિપિનચંદ્ર પાલને તેમની વિરુદ્ધમાં સાક્ષી બનવા કહ્યું ત્યારે તેઓ માન્ય નહીં અને તેમના પર કોર્ટના મા ભંગનો કેસ ચલાવવામાં આવ્યો. ત્યાર તેમને સરકારને સ્પષ્ટ પણે કહ્યું કે "કોઈપણ દેશભક્તની વિરુદ્ધમાં હું જઈશ નહીં ભલે મારે ફાંસીએ ચડવું પડે" ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા છ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ બમણા જોશથી કામ કરવા લાગ્યા અને દેશમાં ખૂણે ખૂણે જોશ ભર્યા ભાષણ આપવા મળ્યા 1919 માં તેઓ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ ગયા અને ત્યાં પણ તેમને દેશની આઝાદી માટે ચળવળ ચલાવી.


બીપીનચંદ્ર પાલે ઘણી રચનાઓ લખી છે જેમાં ધ ન્યુ સ્પીરીટ, ઇન્ડિયન નેશનલિઝમ, નેશનાલિટી એન્ડ એમ્પાયર, સ્વરાજ એન્ડ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, વિક્ટોરિયા બાયોગ્રાફી, ધ બેજીસ ઓફ રિફોર્મ, ધ સોલ ઓફ ઇન્ડિયા વગેરે…..આ ઉપરાંત એમને ઘણી પત્રિકાઓમાં પણ સંપાદન કર્યું છે જેમાં પારદર્શક, બંગાળ પબ્લિક ઓપોનિયન, લાહોર ટ્રીબ્યુન, ધ ન્યૂ ઇન્ડિયા, ધ ઈન્ડીપેન્ડન્ટ ઇન્ડિયા, વંદે માતરમ, સ્વરાજ  અને ધ હિન્દુ રીવ્યુ વગેરે…


દેશની નવી રાજનીતિ સાથે તાલમેલ જાળવી ન શકતા તેઓ એક હાસિયમાં ધકેલાઈ ગયા.  દેશ જાગૃતિ માટેનો તેમનો ફાળો ક્યારેય ભૂલી શકાશે નહીં.

બીપીનચંદ્ર પાલે સમગ્ર જીવન રાષ્ટ્રહિત માટે કામ કર્યું છે સમાજ સુધારક અને સ્વતંત્ર સેનાનીનુ  20 મે 1932ના રોજ  નિધન થયું હતું


રમેશ પારેખ

 રમેશ પારેખ 






આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

ડૉ. વર્ગીસ કુરિયન

 ડૉ. વર્ગીસ કુરિયન

(શ્વેત ક્રાંતિના જનક અને 'મિલ્કમેન ઑફ ઇન્ડિયા' (Milk Man of India))





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

બકુલ ત્રિપાઠી

 બકુલ ત્રિપાઠી





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

શ્રી રંગ અવધુત મહારાજ

 શ્રી રંગ અવધુત મહારાજ

(નારેશ્વરના સંત)








આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

મદન મોહન માલવિયા

 મદન મોહન માલવિયા

(બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક)







આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



શ્રીમદ રાજચંદ્ર

 શ્રીમદ રાજચંદ્ર 

(મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ)



જન્માતારીખ: 9 નવેમ્બર 1867

જન્મસ્થળ: વવાણિયા, મોરબી, ગુજરાત

અવશાન: 9 એપ્રિલ 1901 (રાજકોટ)





આભાર

વિનુભાઇ ઉ. પટેલ

લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



ભારત સરકારે શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડ્યાં હતા

17 August, 2023

ચંદ્રયાન (Chandrayaan)

 


ભારતે અત્યાર સુધીમા કુલ ચંદ્ર પર 3 મિશનો કર્યા છે જેની વિગત અહિ આપવામા આવી છે.

મિશન ચંદ્રયાન-1

  • 15 ઓગસ્ટ, 2003 ના રોજ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્રારા લાલા કિલ્લા પરથી Chandrayaan-1 ની જાહેરાત કરવામાં આવી.
  • 22 ઓક્ટોબર 2008 ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 1 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 8 નવેમ્બર 2008 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું. ચંદ્રયાન-1નું ટેક-ઓફ વજન 1380 કિગ્રા હતું
  • જને 14 નવેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ ઈરાદાપૂર્વક ચંદ્રની સપાટી પર મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયું.
  • મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ આ ચંદ્રાયન 1 એ લગભગ 1 વર્ષ સુધી ચંદ્રની ઓર્બીટમાં 3400 ચક્કર માર્યા અને ડેટા મોકલે છે જેમાં ચંદ્રમાં પાણી હોવાનું જાણવા મળ્યું.
  • મિશન Chandrayaan 1 સાથે છેવટે 29 ઓગસ્ટ 2009 ના રોજ સંપર્ક તૂટી ગયો.

મિશન ચંદ્રયાન-2

  • મિશન Chandrayaan 2 એ 2013 માં રશિયન સ્પેસ એજન્સીના સહયોગથી લોન્ચ કરવાનું હતું પરંતુ જ્યારે રશિયા આ કરારમાંથી બહાર થઈ ગયું ત્યારે ઇસરોએ આ મિશન પોતાની રીતે લોન્ચ કરવાનું નક્કી કર્યું.
  • 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 2 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 20 ઓગસ્ટ 2019 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું. ચંદ્રયાન-2નું વજન 3850 કિગ્રા હતું.
  • 6 સપ્ટેમ્બર 2019 ના રોજ વિક્રમ લેન્ડર લેન્ડિંગ કરવાનું હતું પણ અચાનક લેન્ડર સાથે સંપર્ક તૂટી જતા આ મિશન અસફળ થયું હતું.


મિશન ચંદ્રયાન-3

Indian Space Research Organization (ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી 14 જુલાઇ  2023ને શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક  લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે જે અંદાજીત  23 ઓગ્સ્ટના 2023 રોજ ચંદ્રની સપાટી પર સાંજે 6:04 કલાકે  સોફ્ટ લેન્ડિંગ કરશે.

જો ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનાર પ્રથમ દેશ બનશે.

ISRO જે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા માટે તૈયાર છે, તે સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ પી. વીરમુથુવેલ કરી રહ્યા છે

ચંદ્રયાન-3માં ઓર્બિટરની જગ્યાએ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે

  • LVM-3 રોકેટ દ્વારા ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવામાં આવશે
  • આ રોકેટનું વજન 642 ટન જ્યારે ઉંચાઈ 143 ફૂટ છે


Chandrayaan 3 ને છોડવા માટે ISRO LVM-3 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે જે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. આ LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3 ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170×36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા Chandrayaan 3 છોડશે.



પેલોડ્સ એટલે એવા સાધનો કે જે ચંદ્ર પર જઈને વિવિધ પ્રકારની પ્રકારની તપાસ કરે છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. જેમાં લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે.




ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. જ્યારે અહીં રાત હોય છે, એટલે કે પુથ્વી ના 14 દિવસ એટલે ચંદ્ર પર દિવસ થાય છે. જ્યારે Chandrayaan 3 નું લેન્ડિંગ થશે ત્યારે ત્યાંનું તાપમાન – 100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. જેથી ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ રાત્રિના સમયે પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. જો ત્યાં પાવર જનરેશન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે.  ISRO  નું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડ કરશે જે એક વિચિત્ર સ્થળ છે. અહીં સૂર્ય માત્ર ક્ષિતિજમાં હોય છે તેથી લાંબા-લાંબા પડછાયા બને છે. જેના કારણે સપાટી પર કશું સ્પષ્ટ દેખાતું નથી.

ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગે છે તે રોકેટની ડિઝાઈન, ઉપયોગમાં લેવાતું ઈધન, અને ચંદ્રયાનની ગતિ પરથી નક્કી થતું હોય છે. અંતરીક્ષમાં લાંબી દુરી કરવામાં હાઈસ્પીડ રોકેટ જોઈએ. એટલે કે ભારત પાસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા જેટલું શક્તિશાળી રોકેટ નથી કે જે ચંદ્રયાન-3 સીધું ચંદ્ર પર લઈ જઈ શકે. પરંતુ ઇસરો ઓછા ખર્ચમાં સારુ કામ કરવા માટે જાણીતું છે.

તે માટે ઇસરોએ ગુરુત્વાકર્ષણ બળની મદદથી ચંદ્ર સુધી પહોંચવાનો બીજો રસ્તો શોધ્યો. જે Chandrayaan 3 ને ચંદ્ર સુધી લઈ જવામાં મદદ કરશે. તે માટે Chandrayaan 3 નો વધુ સમય ચંદ્રની પરિક્રમામાં જતો રહેશે.

પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 4 લાખ કિલોમીટર છે અને પૃથ્વીથી મંગળનું અંતર લગભગ 3,390 લાખ કિલોમીટર છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ મંગળ કરતાં વધુ જોખમી છે. આના 3 મુખ્ય કારણો છે. (1) ચંદ્ર પર વાયુમંડળ ન હોવું (2) ચંદ્ર પર GPSનો અભાવ (3) ચંદ્રનું દક્ષિણ ધ્રુવ વિચિત્ર સ્થળ


  • વિશ્વના 6 દેશો દ્વારા મૂન મિશન હાથ ધરવામાં આવ્યા હતા
  • વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં 110 મૂન મિશન હાથ ધરવામાં આવ્યા છે. તેમાંથી 68 મિશન સફળ રહ્યા છે. 42માં નિષ્ફળતા મળી છે
  • 12 લોકો અત્યાર સુધી ચંદ્રની સપાટી ઉપર જઈ આવ્યા છે
  • અમેરિકા અને રશિયા જ ચંદ્ર ઉપર સૌથી વધુ સફળ મિશન કરનારા દેશ છે, તેમના કુલ 64 મિશનમાંથી 43 મિશન સફળ થયા છે
  • અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે.



વધુ માહિતી માટે 
ચંદ્રાયાન -1  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.
ચંદ્રાયાન -2  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.
ચંદ્રાયાન -3  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.

16 August, 2023

Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ

 Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ



દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનએ ૧૨માર્ચ, ૨૦૨૧થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે.

 દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે.

“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩0 ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. જે બે વિભાગમાં થાશે, પહેલા વિભાગમાં 9 થી 15 ઓગસ્ટ સુધી સ્થાનિક કક્ષાએ ત્યાર બાદ 16 થી 30 એપ્રિલ સુધી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ.

માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.



યુદ્ધના મેદાનમાં શહીદ થયેલા આપણા બહાદુરોનું સન્માન કરવા માટે, “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, આપણા અમર શહીદોના સન્માનમાં દેશભરમાં અસંખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. વધુમાં, દેશભરની હજારો ગ્રામ પંચાયતોમાં તેમના સન્માનમાં વિશેષ શિલાલેખો મૂકવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ‘અમૃત કલશ યાત્રા’નું પણ આયોજન કરવામાં આવશે.  દેશની રાજધાની, દિલ્હી, "અમૃત કલશ યાત્રા" દ્વારા પહોંચવામાં આવશે, જે દેશના ચારેય ખૂણેથી 7500 કલશોમાં માટી વહન થશે.

 દેશના વિવિધ પ્રદેશોના  7500 કલશોમાં આવશે તે માટી અને રોપાઓનું મિશ્રણ કરીને, "અમૃત વાટિકા" રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બાંધવામાં આવશે. 

ગયા વર્ષથી, રાષ્ટ્ર અમૃત મહોત્સવ, અથવા સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ તેનો હવાલો સંભાળે છે. ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમમાં અમૃત બગીચાઓનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં 75 વિવિધ પ્રકારના દેશી છોડ વાવવામાં આવશે.


રાજ્યના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દ્વારા સંચાલિત “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમના ભાગ રૂપે બનાવવામાં આવનાર અમૃત વાટિકામાં ઓછામાં ઓછા 75 સ્વદેશી છોડ વાવવા જોઈએ. વધુમાં, આ છોડની ખેતી કરવાની ફરજ નિભાવો.

 દરેક ગામની માટી દેશની રાજધાની દિલ્હી પહોંચશે. અમૃત મહોત્સવના પ્રથમ વર્ષ અને તેના સમાપન પર આયોજિત આ કાર્યક્રમના ભાગરૂપે દરેક ગામમાંથી ગ્રામ પંચાયતો અને ગ્રામ પંચાયતોથી બ્લોક લેવલ સુધી માટીના ભંડાર પહોંચાડવામાં આવશે. દરેક સ્તરે વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવશે.

 નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો આ માટીના કલશને બ્લોકમાંથી દેશની રાજધાની સુધી પહોંચાડશે. 

રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટનું સ્થાન. અમૃત વાટિકામાં દરેક ગામની આબોહવાને અનુરૂપ 75 છોડ વાવવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યભરમાં 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે.

સ્થાનિક નાયકોનું સન્માન કરવા માટે, અમૃત સરોવરની નજીક ગામ, બ્લોક અને સ્થાનિક સંસ્થાઓના સ્તરે "શીલાફલકમ" નામનું એક વિશેષ સ્મારક સ્થળ, એક જળ મંડળ, એક પંચાયત મકાન અને એક શાળાનું નિર્માણ કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ, શહીદોનું સન્માન, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન, ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રગીત ગાવાનું સમારંભ યોજાશે. પાંચ વ્રત પણ કરવામાં આવશે. ગામડાઓ અને શહેરી વિસ્તારો બંને સમાન કાર્યક્રમોનું આયોજન કરશે. 

સ્થાનિક કક્ષાએ યોજાશે પાંચ મુખ્ય કાર્યક્રમ



૧. શિલાફલકમનું સ્થાપન: દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવશે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે.




૨. ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા:‌ સ્થાનિક કક્ષાએ યોજાતા કાર્યક્રમ દરમિયાન ના ગરીકો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે. અમૃતકાળનાપંચપ્રણ:

  • વિકસિત ભારતનું લક્ષ્ય
  • ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા
  • ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ
  • દેશની એકતા અને એકસૂત્રતા
  • નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના


૩. વસુધા વંદન: વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત માભોમને વધુ હરિયાળી બનાવવા દેશની દરેક એટલેકે ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.

૪. વીરોને વંદન: વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવશે.

૫. રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન: ગ્રામપંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે દરેક ભારતીય માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠી ભરીને માટી અને માટીનો દીવો સમર્પિત કરશે. પંચ પ્રણ દ્વારા શપથ લઇને રાષ્ટ્ર નિર્માણનું વચન આપશે અને આ અભિયાનની વેબસાઇટ પર સેલ્ફી પણ અપલોડ કરશે.

 મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કઇ રીતે કરવુ.

આપેલ લિંક પર ક્લિક કરવી. https://merimaatimeradesh.gov.in/pledge

  •  તમારે નામ મોબાઇલ નંબર સ્ટેટસ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું રહેશે અને સબમિટ બટન દબાવવું પડશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે માટી સાથેની તમારી સેલ્ફી ક્લિક કરીને અપલોડ કરવાની રહેશે.
  • ફોટો અપલોડ કરતાની સાથે જ તમને મેરા દેશ મેરી માટી સર્ટિફિકેટ મળશે.