મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label ગઝલકાર. Show all posts
Showing posts with label ગઝલકાર. Show all posts

04 April, 2021

ખલીલ ધનતેજવી

 ખલીલ ધનતેજવી

મૂર્ધન્ય કવિ-શાયર-ગઝલકાર-લેખક





 ‍જન્મતારીખ: 12 ડિસેમ્બર 1935

જન્મસ્થળ: ધનતેજ, વડોદરા

અવશાન:  4 એપ્રિલ 2021 (વડોદરા) (86 વર્ષ)

તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા, તેઓ મુશાયરાઓના બાદશાહ કહેવાતા, તેમણે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવી હતી.

મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ  વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા

પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં

ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારના કટાર લેખક હતા. રવિપૂર્તિમાં ખુલ્લાં બારણે ટકોરા કોલમ લખતાં હતા. બુધવારની શતદલ પૂર્તિમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામની કોલમમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા.

તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. 

ખલીલ ધનતેજવીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.


૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું હતું

ગઝલસંગ્રહ

  • સાદગી
  • સારાંશ (૨૦૦૮)
  • સરોવર (૨૦૧૮)
  • સોગાત
  • સૂર્યમુખી
  • સાયબા
  • સાંવરિયો
  • સગપણ
  • સોપાન
  • સારંગી

નવલકથા

  • ડો. રેખા (૧૯૭૪)
  • તરસ્યાં એકાંત (૧૯૮૦)
  • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
  • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
  • સન્નાટાની ચીસ (૧૯૮૭)
  • સાવ અધૂરા લોક (૧૯૯૧)
  • લીલોછમ તડકો (૧૯૯૪)



અબ મેં રાશન કી કતારો મે નજર આતા હું

અપને ખેતો સે બીછડ ને કી સજા પાતાં હું

             આ ગઝલને તો વિખ્યાત ગાયક જગજીતસિંહે કંઠ આપ્યો હતો.


વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી.


ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ

આ તો હદયની વાત છે, હાંફી જવાય છે.


તેમના જાણીતા શેર

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,

જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.


એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,

ક્યાંક અમને બાતમી ખોટી મળી.


ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.


કોઈ સ્થળે બેચાર મરે છે,

ક્યાંક કશે દસબાર મરે છે;

હિન્દુ મુસ્લિમ બંને સલામત,

માણસ વારંવાર મરે છે.


રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;

ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !


હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,

કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,

હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી


સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર


રોજ આવે છે સ્વપ્ના પગને,
બોલાવે છે રસ્તા પગને.

તારા તરફ ફંટાઉં ત્યારે,
થાય છે જલસા જલસા પગને.


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,
હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.

08 February, 2021

જગજીતસિંહ

જગજીતસિંહ 

(ગઝલકાર, ગઝલ કિંગ



જન્માતારીખ: 8 ફેબ્રુઆરી 1941

જન્મસ્થળ: ગંગાનગર, બીકાનેર, રાજસ્થાન

પિતાનું નામ: અમરસિંહ

માતાનું નામ: બચ્ચન કૌર

અવસાન: 10 ઓક્ટોબર 2011 (મુંબઇ)

જગજીતસિંહનો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજ રાજસ્થાન  બીકાનેરના ગંગાનગરમાં થયો હતો.
તેમનો મૂળ પરિવાર પંજાબના રોપડ જિલ્લાના હતા.

 જન્મ સમયે તેમનુ નામ જગજીવનસિંહ હતુ. તેમને સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ અને બાદમાં જલંધરમાં શિક્ષણ લીધુ, ડી.એ.વી. કોલેજમાં સ્નાતક થયા. તેમના પિતા ઈચ્છતા હતા કે જગજીતસિંહ એક એંજિનિયર બને.

અભ્યાસ પછી જગજીતસિંહે ઓલ ઈંડિયા રેડિયો જાલંધરમાં એક સિંગરને મ્યુઝિક ડાયરેક્ટરના રૂપમાં કામ શરૂ કરી દીધુ. ત્યારબાદ કુરુક્ષેત્ર યૂનિવર્સિટી હરિયાણાથી પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પણ કર્યો. 
જગજીત સિંહે ગુરૂદ્વારામાં પંડિત છગનલાલ મિશ્રા અને ઉસ્તાદ જમાલ ખાન પાસેથી ક્લાસિકલ સંગીતની શિક્ષા લીધી.

 માર્ચ 1965માં જગજીતસિંહ પોતાના પરિવારને બતાવ્યા વગર જ મુંબઈ આવતા રહ્યા હતા અને સ્ટ્રગલ શરૂ કર્યો હતો.

 મુંબઈમાં જગજીતસિંહની મુલાકાત એક બંગાળી ચિત્રા દત્તા સાથે થઈ અને બંને 1969માં લગ્નના બંધનમાં બંધાય ગયા અને તેમણે એક પુત્ર વિવેક પણ થયો.

 વર્ષ 1976માં જગજીતસિંહ અને ચિત્રાનો આલ્બમ 'The Unforgettable' રજુ થયો. જેને ઘણી પ્રશંસા મળી. જેને કારણે બંને કપલ સ્ટાર બની ગયા હતા. આ આલ્બમનુ ગીત બાત નીકલેગી ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને આજે પણ એક સુપર હિટ ગઝલ છે.

જગજીત સિંહ અને ચિત્રાસિંહ સાથે મળીને અનેક કૉન્સર્ટ કરતા હતા અને જુદા જુદા ગઝલ આલબમનો ભાગ પણ બન્યા.

 તેમનો 1980માં આવેલ આલ્બમ વો કાગજ કી કશ્તી બેસ્ટ સેલિંગ આલ્બમ બની ગયો હતો. એ જમાનામાં જગજીત સિંહ ગઝલ કિંગ બની ગયા હતા.

 પ્રાઈવેટ આલ્બમની સાથે સાથે જગજીતે ફિલ્મોમાં પણ અનેક ગઝલો ગાઈ. તેમા પ્રેમ ગીત, અર્થ, જીસ્મ, તુમ બિન, જૉગર્સ પાર્ક જેવી ફિલ્મો મુખ્ય છે.

જગજીત સિંહના પુત્ર વિવેકનુ માત્ર 18 વર્ષની વયમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. જેના કારણે તેમની પત્ની ચિત્રાસિંહ ખૂબ અપસેટ રહેવા લાગી હતી અને એક સમય પછી તેમણે ગાવાનુ જ બંધ કરી દીધુ હતુ.

ભારત સરકાર તરફથી જગજીતસિંહને વર્ષ 2003માં પદ્મ ભૂષણથી સન્માતિ કરવામાં આવ્યા હતા.

૨૦૧૨ માં, રાજસ્થાન રાજ્ય સરકારે મરણોત્તર જગજીતસિંહને તેનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, રાજસ્થાન રત્ન( Rajasthan Ratna)થી નવાજયા હતા.

2002 અને 2005 માં, જગજીતસિંઘને એક ટીવી શો માટે શ્રેષ્ઠ ટાઇટલ ગાયક માટે ભારતીય ટેલી એવોર્ડ( Indian Telly Award)થી નવાજવામાં આવ્યા હતો

1998, જગજિત સિંઘને સાહિત્ય એકેડેમી એવોર્ડ, ભારતનો સાહિત્યિક સન્માન આપવામાં આવ્યો. તેમને મિર્ઝા ગાલિબના કાર્યને લોકપ્રિય બનાવવા માટે એનાયત કરાયો હતો.
1998 માં રાજસ્થાન સરકાર દ્વારા સાહિત્ય કલા એકેડમી એવોર્ડ
2005 માં દિલ્હી સરકાર દ્વારા ગાલિબ એકેડેમી
1999 માં દયાવતી મોદી એવોર્ડ.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા 1998 માં લતા મંગેશકર સન્માન.
ડી. લિટ. કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા દ્વારા 2003 માં
 2006 માં શિક્ષકનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ.
ગૂગલે 8 ફેબ્રુઆરી 2013 ના રોજ જગજીત સિંઘના 72 માં જન્મદિવસ પર ડૂડલથી સન્માનિત કર્યા

 વર્ષ 2011માં જગજીતસિંહને યૂકેમાં ગુલામ અલી સાથે પરફોર્મ કરવાનુ હતુ પણ cerebral hemorrhageને કારણે તેમને 23 સપ્ટેમ્બર 2011ના રોજ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બગડતી ગઈ. જગજીત સિંહ કોમામાં જતા રહ્યા અને 10 ઓક્ટોબરના રોજ જગજીત સિંહે અંતિમ શ્વાસ લીધા.

જગજીત સિંહે અનેક હીટ આલ્બમ આપ્યા. ‘ધી અનફર્ગેટેબલ’, ‘સહર’, ‘સંવેદના’ અને ‘ક્લોજ ટૂ માઇ હાર્ટ’, જગજીત સિંહના સૌથી લોકપ્રીય અલ્બમ છે.

તેમણે  ગીતો  ટીવી સીરિયલ મિર્ઝા ગાલિબ માટે કમ્પોઝ કર્યું હતું જે  કવિ મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત હતું.

જગજીતસિંહે 2002 માં 'સંવેદના' આલ્બમમાં અટલજીની કવિતાઓ ગાઇ હતી. પ્રસ્તાવના જાવેદ અખ્તરે લખી હતી, અવાજ અમિતાભ બચ્ચને આપ્યો હતો, અભિનય શાહરૂખ ખાને કર્યો હતો, યશ ચોપરા દ્વારા દિગ્દર્શિન કરવામાં આવ્યું હતું.

2011માં જગજીત સિંહે અંતિમ શ્વાસ લીધા હત. તેમને બ્રેઇન હેમરેજ થયું હતું

જગજીતસિંઘનું જીવનચરિત્ર બિયોન્ડ ટાઈમ નામની તેમની સાથેના આશરે 40 કલાકના ઇન્ટરવ્યુના આધારે, 2012 માં પ્રકાશિત થયું હતું. 
આ પુસ્તકનું આલેખન અને સંપાદન અશરાણી માથુર દ્વારા કરવામાં આવ્યું હતું. 

 કાગઝ કી કાશ્તિ નામની બાયોપિક દસ્તાવેજી જગજીત સિંહની જીવનયાત્રા પર બનાવવામાં આવી છે, જેમણે ધારાધોરણો તોડી અને ગઝલ દૃશ્યમાં ક્રાંતિ લાવી. આ ફિલ્મ તેની સંગીતમય કારકીર્દિમાં સંઘર્ષ અને સ્ટારડમ, તેના અંગત જીવનમાં પ્રેમ અને ખોટ અને સમયના સંગીત દૃશ્યમાં અવકાશ અને મર્યાદાઓને શોધી કાઢી છે. બ્રહ્માનંદ એસ સિંઘ દિગ્દર્શિત આ ફિલ્મ હાલમાં ભારતમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં વિશ્વવ્યાપી રિલીઝ થવાની આશા છે.

જગમોહન સિંઘ ધિમન જે સૂરોની દુનિયામાં જગજીત સિંઘ એક પ્રતિષ્ઠિત ભારતીય ગઝલ ગાયકની સાથે સાથે એક સારા સંગીતકાર પણ છે. સંગીતની દુનિયામાં તેને ગઝલ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. જગજીત સિંઘની પત્ની ચિત્રા સિંઘ જે એક સારી સંગીતકાર પણ છે. ૧૯૭૦ અને ૧૯૮૦માં પોતાની પત્ની સાથે મળીને અનેક ગીતો અને ગઝલો ગાયાં છે. તેમણે અર્થ અને સાથ સાથ જેવી ફિલ્મોમાં પણ એકસાથે ગીતો ગાયા છે. જગજીત સિંઘે અનેક ભાષાઓમાં ગીતો ગાયાં છે. ફિલ્મ સજદામાં જગજીત સિંઘ અને લતા મંગેશકરે સાથે મળીને પોતાના અવાજનો જાદુ વિખેર્યો હતો. તે બંને નોન-ફિલ્મ કેટેગરીમાં એક સરખો રેકોર્ડ ધરાવે છે. ૨૦૦૩માં સરકાર દ્વારા જગજીત સિંઘને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાતં તેમના માનમાં ૨૦૦૧૪માં ફેબ્રુઆરીમાં ભારત સરકારે બે પોસ્ટ સ્ટેમ્પ પણ બહાર પાડયા હતા. જગજીત સિંઘને ગઝલોનો બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગઝલો ભારતીય શાસ્ત્રીય સંગીતની ઢબમાં હોય છે. તે જ્યારે ગઝલ કે કોઈ ગીત કંપોઝ કરે છે ત્યારે તે તેના શબ્દો અને તેના અર્થ પર વધુ ભાર મૂકે છે. આ કારણે તેમની ગાયિકી અને તેની શૈલીને બોલ- પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. જગજીત સિંઘના ગીતોની છાપ ફિલ્મ પ્રેમ ગીત, અર્થ અને ટીવી સીરિયલ મિર્ઝા ગાલિબમાં જોવા મળી છે. જગજીત સિંઘ એકમાત્ર ગાયક છે. જેમણે થોેડા સમય પહેલા જ સ્વર્ગે સિધાવેલ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલ ગીતોને કંપોઝ કર્યા છે અને ગાયા છે. તેમના એ બે આલ્બમનું નામ નયી દિશા અને સંવેદના છે.

ये दौलत भी ले लो ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो कागज़ की कश्ती वो बारिश का पानी


मुहल्ले की सबसे निशानी पुरानी
वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी
वो नानी की बातों में परियों का डेरा
वो चेहरे की झुरिर्यों में सदियों का फेरा
भुलाए नहीं भूल सकता है कोई
वो छोटी सी रातें वो लम्बी कहानी


कड़ी धूप में अपने घर से निकलना
वो चिड़िया वो बुलबुल वो तितली पकड़ना
वो गुड़िया की शादी में लड़ना झगड़ना
वो झूलों से गिरना वो गिर के सम्भलना
वो पीतल के छल्लों के प्यारे से तोहफ़े
वो टूटी हुई चूड़ियों की निशानी


कभी रेत के ऊँचे टीलों पे जाना
घरौंदे बनाना बनाके मिटाना
वो मासूम चहत की तस्वीर अपनी
वो ख़्वाबों खिलौनों की जागीर अपनी
न दुनिया का ग़म था न रिश्तों के बंधन
बड़ी खूबसूरत थी वो ज़िंदगानी

होंठों से छूलो तुम
मेरा गीत अमर कर दो
बन जाओ मीत मेरे
मेरी प्रीत अमर कर दो

न उमर की सीमा हो
न जनम का हो बंधन
जब प्यार करे कोई
तो देखे केवल मन
नई रीत चलाकर तुम
ये रीत अमर कर दो
होंठों से छूलो तुम  ...

जग ने छीना मुझसे
मुझे जो भी लगा प्यारा
सब जीता किये मुझसे
मैं हर दम ही हारा
तुम हार के दिल अपना
मेरी जीत अमर कर दो
होंठों से छूलो तुम  ...

आकाश का सूनापन
मेरे तनहा मन में
पायल छनकाती तुम
आजाओ जीवन में
साँसें देकर अपनी
संगीत अमर कर दो
होंठों से छूलो तुम  ...

તેરે બારે મે જબ સોચા નહીં થા - શહર આલ્બમની આ ગઝલના શબ્દો નવાઝ દેઓબંદીએ લખ્યા હતા. તેનું સંગીત જગજીત સિંહે આપ્યું હતું અને પોતાના અવાજથી આ ગઝલને દમદાર બનાવી હતી.

 જબ સામને તુમ આ જાતે હો -  દિલ કહીં હોશ કહીં આલ્બમની આ ગઝલ આજે પણ સુપરહિટ છે. જગજિત સિંહ, લતા મંગેશ અને આશા ભોંસલે જેવા દિગ્ગજ ગાયકોએ આ ગઝલ ગાઈ છે.  
 

 હમકો યકીં હૈ સચ કહેતી થી - જાવેદ અખ્તર દ્વારા લખાયેલી આ ગઝલના શબ્દો તમને તમારી માતાની યાદ અપાવી દેશે, આ ગઝલ સાંભળી કોઈપણ વ્યક્તિ પોતાના નાનપણમાં ખોવાઈ જાય છે.   

 

 તેરે આને કી જબ ખબર મહકે - આ ગઝલમાં ફરીએકવાર શાયર નવાઝ દેઓબંદી અને જગજીત સિંહની જોડીએ કમાલ કરી હતી.. આ ગઝલ પણ સુપરહિટ હતી.
 

 આપ કો દેખકર દેખતા રહ ગયા - જગજીત સિંહએ ગાયેલી આ ગઝલ જીવન અને પ્રેમનું વાસ્તવિક સ્વરુપ દેખાડે છે. 

 

 સરકતી જાય હૈ રુખ સે નકાબ - જગજીત સિંહની પ્રખ્ચાત ગઝલોમાંથી એક આ ગઝલ પણ છે. શાયર અમીર મિનાઈએ તેના શબ્દો લખ્યા છે. 

 

 કલ ચૌંદવી કી રાત થી- ઈબ્ર-એ-ઇન્શાએ લખેલી આ ગઝલની વાત જ કંઈ ઔર છે.  જેણે સાંભળી હોય તે જ તેને સમજી શકે અને સમજ્યા બાદ તે જગજીત સિંહના અવાજના આશિક બની જાય છે. 

25 November, 2020

બરકતઅલી વિરાણી જીવન પરિચય

 બરકતઅલી વિરાણી જીવન પરિચય


પુુરુ નામ : બરકતઅલી ગુલામહુસેેેન વિરાણી

જન્મ તારીખ: 25 નવેમ્બર 1923

જન્મ સ્થળ: ઘાંઘળી, સિહોર, ભાવનગર(ગુજરાત)

અવશાન: 2 જાન્યુઆરી 1994 (મુંબઇ)

ઉપનામ: "બેફામ" 

તે ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે

બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. 

તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.

 ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.