મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ પુસ્તક દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ પુસ્તક દિવસ. Show all posts

22 April, 2021

વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)

  વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)

23 એપ્રિલ




"જેમની પાસે પુસ્તક હોય છે તેઓ ક્યારેય એકલા નથી હોત"

પુસ્તક એટલે

 જીવનના દરેક પગઢિયા પર તમને યોગ્ય સલાહ આપનાર મિત્ર

"પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે, 

રત્ન બહારની ચમક બતાવે છે

જ્યારે પુસ્તક અંત: કરણને ઉજ્જવળ કરે છે"


"રેલી તરફ જતી ભીડ જ્યારે લાઇબ્રેરી તરફ જશે 

ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે"

23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આજના  દિવસે મહાન નાટ્યકાર અને સાહિત્ય સર્જક, મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે.આથી યુનેસ્કો દ્વારા 1995 થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે.સાથોસાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઊજવાય છે. શેક્સપિયરના આ યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.

પ્રથમવાર વિશ્વ પુસ્તક દિવસ 1995માં ઉજવાયો હતો.

માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

જાણીતા ગુજરાતી ચિંતકે કહ્યું છે તેમ જે ઘરમાં પાંચ સારાં પુસ્તક ના હોય તે ઘરમાં દીકરી ના આપશો તે ઉક્તિ પુસ્તકનું મહત્વ વ્યક્ત કરે છે. વ્યક્તિની વિચાર દુનિયાવિકસાવવા અને સાચો માનવ બનાવવા પુસ્તક એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. 

સ્પેનમાં બે દિવસ સુધી રીડિંગ મેરેથોનનું આયોજન થાય છે.


ડૉ. ગુણવંત શાહે એક સૂચન કર્યુ છે કે કોઇકના લગ્ન પ્રસંગે, જન્મ દિવસે, મેરેજ એનિવર્સરી એ ભેટ સોગાદો આપવાને બદલે એક પુસ્તક આપવું જોઇએ.

વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રોમાં સચવાયો હતો

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

  • આત્મકથા: મારી હકીકત, નર્મદ
  • ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
  • કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
  • જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંતપ્રાણસુખલાલ મથુરદાસ
  • નાટક: લક્ષ્મીદલપતરામ
  • પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધપજ્ઞનાભ 
  • નવલકથા: કરણઘેલોનંદશંકર મહેતા
  • મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
  • મનોવિજ્ઞાન: મનુભાઇ ધ્રિવેદી
  • મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
  • રાસ: ભરતેશ્વર બાહુબલિરાસશાલિભદ્રસુરિ 
  • લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજવિજયભદ્ર 

સાહિત્યકારો અને તેમની કૃતિઓ

  • દલપતરામ: ભાગ ૧ અને ૨ફાર્બસવિરહમિથ્યભિમાન
  • નર્મદાશંકર દવે(ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકતરાજયરંગમેવાડની હકીકતપિંગળ પ્રવેશ

  • નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ,  કવિજીવનનિબંધરીતિજનાવરની જાન

  • નંદશંકર મેહતાઃ કરણઘેલો
  • ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
  • મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણનવનરાજ ચાવડો

  • રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
  • અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
  • ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
  • અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
  • ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪શ્નેહમુદ્રાલીલાવત જીવનકલા

  • મણિલાલ દ્રિવેદીઃ કાન્તાન્રુસિંહાવતારઅમર આશા
  • બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિહરિપ્રેમ પંચદશી
  • કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકાસાહિત્ય અને વિવેચન
  • આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મવિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
  • નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળાહ્દયવીણાપ્રેમળજ્યોતિ
  • રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વતભદ્રંભદ્ર
  • મણિશંકર ભટ્ટ: સાગર અને શાશીઉદગારઅતિજ્ઞાનવસંતવિજયચકવાત મિથુન

  • સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવબિલ્વમંગળ
  • નાનાલાલ: વિરાટનો હિંડોળોપ્રાણેશ્વરીવિલાસની શોભાપિત્રુતર્પણકુરુક્ષેત્રઉષાસારથિ

  • દામોદર બોટાદકર: કલ્લોલિનીસ્તોતસ્વિનીનિર્ઝારેણી
  • ગાંધીજીસત્યના પ્રયોગો અથવા આત્મકથાદક્ષિણ આફ્રિકાનો ઇતિહાસબાપુના પત્રો

  • કાકા કાલેલકર: ઓતરાતી દિવાલોજીવનલીલાહિમાલયનો પ્રવાસરખવાડનો આનંદ

  • કિશોરલાલ મશરુવાળા: જીવનશોધનકેળવણીના પાયાઅહિંસા વિવેચન

  • મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈબારડોલી સત્યાગ્રહનો ઇતિહાસમહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)

  • નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
  • કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાતપાટણની પ્રભૂતાગુજરાતનો નાથરાજાધિરાજસ્વપ્નદ્રષ્ટાપ્રુથિવી વલ્લભકાકાની શીશીક્રુષ્ણાવતાર

  • રમણલાલ દેસાઈઃ જ્યંતશિરીષકોકિલાહ્દયનાથભારેલો અગ્નિકાંચન અને ગેરુ

  • ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહગોમતીદાદાનુ ગૌરવતણખામંડળઃ ભાગ ૧ થી ૪ભૈયાદાદાપ્રુથ્વિ અને સ્વર્ગપોસ્ટ-ઓફિસચૌલાદેવીઆમ્રપાલીવૈશાલી

  • રામનારણ પાઠકઃ ખેમીએક પ્રશ્નમુકુન્દરાયજક્ષણીશેષના કાવ્યોમનોવિહાર ઉદધિને

  • ઝવેરચંદ મેઘાણી: સિંધુડોશિવાજીનુ હાલરડુકોઇનો લાડકવાયોયુગવંદનાશોરઠ તાર વેહતા પાણીવેવિશાળમાણસાઈના દીવાસૌરાષ્ટ્રની રસધારરઢિયાળી રાત

  • ગુણવંતરાય આચાર્યઃ અખોવનઆપઘાતઅલ્લાબેલી
  • ચુનીલાલ શાહઃ કર્મયોગીરાજેશ્વરતપોવન
  • ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિએક ચુસાયેલા ગોટલાઘાણીનુ ગીતનિશીથઅભિજ્ઞાપ્રાચીનાસાપના ભારાહવેલીગોષ્ઠિઉઘાડી બારી

  • ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
  • પ્રેમશંકર ભટ્ટ ધરિત્રીતીર્થોદકશ્રીમંગલપ્રેમામૃત
  • રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
  • બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરીઅખેપાતર .
  • ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડીધરા ગુર્જરીસંતા કૂકડીગઠરિયા શ્રેણિ

  • જયંતિ દલાલઃ સોયનુ નાકુઅંધારપટ
  • મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણઝેર તો પીધા છે જાણી જાણીસોક્રેટિસ
  • પન્નાલાલ પટેલઃ મળેલા જીવમાનવીની ભવાઈસાચા શમણાંજિંદગીના ખેલસુખદુઃખના ખેલવાત્રકના કાંઠેવૈતરણીને કાંઠે

  • ઇશ્વર પેટલીકરઃ જનમટીપભવસાગરમારી હૈયાસગડીઋણાનુબંધકાશીનુ કરવતલોહીની સગાઈ

  • ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણસમ્રાટ શ્રેણિકહું અને મારી વહુવ્યાજનો વારસલીલુડી ધરતીવેળાવેળાની છાંયડીવાની મારી કોયલ

  • શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્યમુક્તિ પ્રસુનખુનીબારી ઉઘાડી રહી ગઈકંચુકી બંઘઅનંનરાગ

  • જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
  • ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતોઊભી વાટેમાણસના મન

  • ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડોભોળા શેઠનુ ભુદાન
  • રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસનશર્વિલકમેનાગુર્જરી
  • પ્રહલાદ પારેખઃ બારી બહાર
  • રાજેન્દ્ર શાહઃ ધ્વનિઆંદોલનશ્રુતિશાંત કોલાહલ
  • રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભઅંતર-ગાંધારસ્વ-વાચકની શોધમાંગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)

  • નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાઘડીક સંઘ
  • પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીકઅશબ્દ રાત્રિસ્પર્શસમીપ
  • હસમુખ પાઠકઃ નમેલી સાંજસાયાજુય
  • નલિન રાવળઃ ઉદગારઅવકાશસ્વહારઃ ભાગ ૧ અને ૨
  • બાલમુકુન્દ દવેઃ પરિક્રમાકુંતલચાંદનીતીર્થોત્તમહરિનો હંસલો
  • વેણીભાઈ પુરોહિતઃ સિંજારવદીપ્તિઆચમન
  • નટવરલાલ પંડ્યાઃ પ્રસુનરૂપ અને રસપ્રથ્વિનો છંદોલય
  • જયંત પાઠકઃ મર્મરસંકેત સર્ગઅંતરિક્ષ
  • હરીન્દ્ર દવેઃ આસવઅર્પણસુખ નામનો પ્રદેશમાંધવ ક્યાંય નથીનીરવ સંવાદ

  • હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવરહી છે વાત અધૂરીતારો અવાજજાળિયુંપાણીકલર.

  • સુરેશ દલાલઃ એકાંતતારીખનુ ઘરકાગળના સમુદ્રમાં ફુલોની હોડીમારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮

  • પિનાકિન ઠાકોરઃ આલાપઝાંખી અને પડછાયા
  • હસિત બુચઃ સાન્નિધ્યનિરંતરસૂરમંગલ
  • હેમંત દેસાઈઃ ઈંગિતસોનલમૃગશરદ
  • દામોદાર ભટ્ટઃ જલભેખતુંબીજલ
  • મનુભાઈ ત્રિવેદીઃ રામરસસુરતાસોનાવાટકડી
  • મકરંદ દવેઃ વાલીડાના વાવડબેહદની બારખડીહૈયાના વેણ
  • નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

155 જેટલા ગુજરાતીના સારા પુસ્તકો અને તેના લેખક વિશેની માહિતી મેળવવા અહી ક્લિક કરો.

પુસ્તકો એટલે વિચારોના વૃંદાવનમાં ઉભેલાં વૃક્ષો.- ગુણવંત શાહ


                             

પુસ્તક એટલે વ્યક્તિનાં વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ.


                    -  કાકાસાહેબ કાલેલકર



જિંદગી માણવી હોય તો પુસ્તકો સાથે મિત્રતા કરો. - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન


"લીડર" બનવું હોય તો પહેલાં "રીડર"  બનો.


 "બુકે" નહીં , "બુક" આપો.