મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label રાજકારણી. Show all posts
Showing posts with label રાજકારણી. Show all posts

04 August, 2021

મોરારજી દેસાઇ

 મોરારજી દેસાઇ

(સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન)



જન્મતારીખ: 29 ફેબ્રુઆરી 1896

જન્મસ્થળ: ભદેલી, વલસાડ, ગુજરાત

પિતાનું નામ:રણછોડજી

માતાનું નામ: મણીબેન

અવશાન: 10 એપ્રિલ 1995 (મુંબઇ)


મોરારજી દેસાઈ નો જન્મ વર્ષ 1896 ની 29 મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાનાં નાનકડા ગામ ભદેલી મા થયો હતો .

તેમના પિતા રણછોડજી દેસાઈ ભાવનગરમાં એક શાળાના શિક્ષક હતા.

અંગ્રેજી કેલેન્ડર મુજબ મોરારજી દેસાઈનો જન્મદિવસ લિપ ઇયર એટલે દર વર્ષે નહી પરંતુ દર 4 વર્ષે આવે છે. 

મોરારજીએ તેમનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રની 'ધ કુંડલા સ્કૂલ' માં લીધું અને બાદમાં વલસાડની બાઈ અવા હાઈસ્કૂલમાં જોડાયા. મુંબઈની વિલ્સન કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેઓ ગુજરાત સિવિલ સર્વિસમાં જોડાયા. તેમના પર 1927-28 દરમિયાન ગોધરા રમખાણોમાં પક્ષપાતનો આરોપ હતો, જેના પરિણામે તેમણે 1930 માં ગોધરાના નાયબ કલેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.

 ભદેલી  ગામમાં આજે પણ મોરારજી દેસાઈની નિશાળ અને જન્મ સ્થળ મકાન હયાત છે.

મોરારજી દેસાઈ ના સિદ્ધાંતો  અને મુલ્યો આજની પેઢી સમજે તે માટે ગામના ચોરે તેમની પ્રતિમા સ્થાપિત કરાઈ  છે.

ભદેલી  ગામમાં આવેલ પ્રાથમિક શાળા આજે ઐતિહાસિક વારશો ધરાવે છે ,આજે પણ એ જગ્યા મોજુદ છે જ્યાં બેસી  મોરારજી દેસાઈ એ નાનપણમાં શિક્ષણ લીધું હતું.

દેશના એવા પહેલા રાજકારણી હતા જેમણે  રાજકારણ માં રહેવા  સિદ્ધાંતો અને મુલ્યો  છોડ્યા નહોતા

મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈમહારાષ્ટ્ર થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.

૨૨માર્ચ ૧૯૫૮થી તેમણે નાણા મંત્રાલયનો હવાલો સંભાળયો હતો.  ઇન્દિરા ગાંધીના પ્રધાન મંડળમાં ૧૯૬૭માં તેમણે નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રાલયના પ્રભારી તરીકે ફરજ બજાવી હતી

દેશ ના નાણા પ્રધાન રહી ચૂકેલા મોરારજી દેસાઈ ની સરકાર ના કાર્યકાળ મા મોંઘવારી નું નામ ના હતુ.કહેવાય છે કે મોરારજી દેસાઈના કાર્યકાળમા પગરખાં એટલે કે જૂત્તાના બદલે ખાંડ મલતી હતી આ વાત પરથી જ મોરારજી દેસાઈ ના સમય ની સોંઘવારી ને આજે પણ લોકો યાદ કરે છે અને એથી જ બજેટ ના માહોલમાં પણ મોરારજી દેસાઈ ના બજેટને યાદ કરવું ઘટે.તેઓ એ  દેશ ને  આદર્શ બજેટ  આપી દેશ ના વિકાસ ને  દિશા આપી હતી

મોરારજીની સાદગી, કડક સ્વભાવ અને તેમના સ્વમૂત્રના પ્રયોગો સિવાય પણ તેમના જીવનના અનેક રસપ્રદ કિસ્સા બન્યા છે.

મહાત્માગાંધી દ્વારા ભારતમાં ૧૯૩૦માં આઝાદીની લડત શરૃ થઇ હતી ત્યારે મોરારજીભાઇ દેસાઇએ બ્રિટીશ ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ ગુમાવયો હતો. જેથી તેમણે સરકારી નોકરી છોડીને દેશની સ્વતંત્ર્તાની લડતમાં જોડાયા હતાં. તેમણે આઝાદી લડતમાં ૨ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતાં. તેઓ ૧૯૩૧માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં સભ્ય બન્યા હતાં.

1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.


તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતાં હસતાં કહેલું, "હા, હું રાઇટિસ્ટ છું, કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."

1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા.

આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી

રાજકીય જીવન

ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે "મહાગુજરાત આંદોલન" શરૂ કર્યું. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ. ઇચ્છા વિરુદ્ધ દ્વિભાષીય રાજ્ય રચનાથી વિક્ષપ્ત મોરારજીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. યશવન્તરાવ ચવ્હાણે મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળતા ૧૪મી નવેમ્બર ૧૯૫૬માં તેઓ જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં વેપારઉદ્યોગ ખાતના પ્રધાન તરીકે જોડાયાં. ૧૯૫૮માં મુંદડા-પ્રકરણને કારણે ટી. ટી. કૃષ્ણમાચારીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપતાં માર્ચ મહિનામાં નાણાખાતાનો પદભાર સંભાળ્યો. લાંબી મુદ્દતની લોનોનું આયોજન, સુવર્ણનિયંત્રણ યોજના, ફરજીયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ, પરદેશી આર્થિક મદદની શરતોમાં હળવાશ વગેરે તેમનાં નાણાંપ્રધાન તરીકેનાં અગત્યના નિર્ણયો રહ્યાં. ૧૯૬૭ની ચૂંટણી મોરારજીભાઇ નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. પરંતુ પાર્લામેન્ટરી બૉર્ડના પ્રમુખની ઉમેદવારની પસંદગીના નિર્ણયના વિરોધમાં નારાજ મોરારજીએ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું. ડિસેમ્બર ૧૯૬૯માં ગાંધીનગર ખાતેના અધિવેશનમાં સંસ્થા કૉંગ્રેસ (કૉંગ્રેસ ઓ)ની સ્થાપનાના મુખ્ય સૂત્રધાર રહ્યાં.


16 જાન્યુઆરી 1978 ના રોજ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1000, 5000 અને 10,000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા એટલી મોટી નહોતી.


વર્ષ 1991 માં તેમને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


 19 મે 1990 ના રોજ, ભારતના વડાપ્રધાન તરીકે તેમને પાકિસ્તાન સરકાર દ્વારા નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

 

સામાજીક સેવા

મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી સસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.


લેખન

'ઇન માય વ્યૂ' તેમની આત્મકથા છે. જેનો ગુજરાતી અનુવાદ 'મારું જીવનવૃત્તાંત' નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેટલીક માહિતી પુસ્તિકાઓ જેવી કે, 'પોલીસ પ્રજાનો મિત્ર બની રહે' (મુંબઈ સરકાર, ૧૯૫૨), 'કરવેરા શા માટે ?'(પરિચય, ૧૯૬૨), 'લોકશાહી સમાજવાદ' (પરિચય, ૧૯૬૮), ' સડા વિનાનો વહિવટ' (પરિચય, ૧૯૭૩), 'કાયદાથી કોઈ પર નથી' (ગુજરાત સરકાર, ૧૯૭૯) વગેરે મુખ્ય છે.


નિવૃત્તિ અને મૃત્યુ

રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્ર પરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. 

૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે

10 એપ્રિલ 1996 ના રોજ ભારત સરકાર દ્વારા મોરારજી દેસાઈની પુણ્યતિથિ પર એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.




30 July, 2021

ડૉ. જીવરાજ મહેતા

 ડૉ. જીવરાજ મહેતા

(ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)



જન્મતારીખ: 29 ઓગસ્ટ 1887

જન્મસ્થળ: અમરેલી, ગુજરાત

પિતાનું નામ: નારાયણ મહેતા

માતાનું નામ: જનકાબા

અવશાન: 7 નવેમ્બર 1978 (મુંબઇ)


જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિવસે અમરેલી ખાતે થયો હતો. 

તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું.

 આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો.

 ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. 

ઈ. સ. ૧૯૦૩ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 

મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. 

એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા અને આઠમું ઇનામ પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.

લંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. 



તેમણે ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા એવા હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યા હતા.


ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. 


ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા.


ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 


ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો. 


ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા.


4 સપ્ટેમ્બર 1948ના રોજ તેઓ વડોદરા સ્ટેટના દિવાન બન્યા હતા.


 ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા.


 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી


ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.


ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 

તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર રહ્યા હતા.


ત્રિભોવનદાસ મહેતાને તેઓએ ગુજરાત બોલાવીને સ્ટેટ કો-ઓપરેટીવ ફેડરેશનના ચેરમેન બનાવ્યા જેને આજે લોકો અમુલ તરીકે ઓળખે છે. 

તેઓના શાસનકાળ દરમિયાન જ GSFCની સ્થાપના થઇ. સ્વભાવે ધીરગંભીર જીવરાજ મહેતાએ અગાઉ જણાવ્યું તેમ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર તરીકે પ્રશંસાપાત્ર કામ કર્યું. 

મુખ્યમંત્રી બન્યા પહેલા પણ તેઓએ મુંબઈ ખાતે મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. 


વડોદરા શહેરનું નવું ટાઉન પ્લાનિંગ પણ તેઓએ કરેલું. 


ગુજરાતમાં નવજાત શિશુઓ માટેની જાણીતી દવા બાબુલિન પણ તેમણે જ બનાવેલી હતી. 

૯૧ વર્ષની વયે ૭ નવેમ્બર ૧૯૭૮ ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું હતું.



અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. 



ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં "ડૉ.જીવરાજ મહેતા ભવન" રાખવામાં આવ્યું છે. 


અમદાવાદને પુર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજનું નામ જીવરાજ મહેતા બ્રિજ છે.

ઇ.સ. ૨૦૧૫થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઇ છે

25 June, 2021

સુચેતા કૃપલાણી

 સુચેતા કૃપલાણી

સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી

(ભારતના પ્રથમ મુખ્યમંત્રી,ઉત્તરપ્રદેશના ચોથા મુખ્યમંત્રી)




જન્મતારીખ: 25 જુન 1908

સાચુ નામ: સુચેતા મઝુમદાર

જન્મસ્થળ: અંબાલા, પંજાબ

પિતાનું નામ: સત્યેન્દ્રનાથ એન. મઝુમદાર

પતિનું નામ: આચાર્ય જે.બી. કૃપલાણી

અવશાન: 1 ડિસેમ્બર 1974 (નવી દિલ્હી)


સુચેતા એક સ્વાતંત્ર્ય સેનાની, ભારતીય બંધારણના ઘડવૈયાઓમાંથી એક, ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની અગ્રેસર હતા.

તેમણે ઘણા યુવાનોને રાજકારણમાં જોડાવાની પ્રેરણા આપી. તે આઝાદીની લડત માટે જેલમાં પણ ગઈ હતી. આ મહિલાએ જ 14 ઓગસ્ટ 1947 ના રોજ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના ઐતિહાસિક ભાષણ પહેલાં રાષ્ટ્રગીત ગાયુ હતું.!


તેણી અને તેના પતિએ એક જ છત હેઠળ રહેતા વિવિધ રાજકીય પક્ષોને ટેકો આપ્યો હતો અને તેમના વતી ચૂંટણી લડી હતી.

તેમનો જન્મ પંજાબના (હાલ હરિયાણામાં) અંબાલામાં બ્રહ્મો પરિવારમાં થયો હતો. તેમના પિતા તબીબી અધિકારી તરીકે નોકરી કરતા હતા, તે નોકરીમાં ઘણી બદલી થતી હતી. આને પરિણામે તેઓ હરિયાણા સ્થાયી થયેલા. તેઓ બ્રહ્મો સમાજના અનુયાયી હતા. 

 સુચેતાએ ઘણી શાળાઓમાં અભ્યાસ કર્યો, તેમની અભ્યાસની અંતિમ પદવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસ વિષય મેળવી હતી.

આ તે સમય હતો જ્યારે દેશના વાતાવરણમાં રાષ્ટ્રવાદી ભાવનાઓની ચડતી હતી અને સ્વતંત્રતાની લડત વેગ પકડી રહી હતી.


દેશભક્તિના પાઠ તેમને માતા પિતા પાસેથી મળ્યા, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ત પંજાબમાં જ રહેતા હતા, તે વખતે તેમની ઉમર 11 વર્ષની હતી આ કાંડથી તેમના મનમાં અંગ્રેજો પ્રત્યે નફરત થઇ ગઇ હતી.


1931માં જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી ત્યારે તેઓ લાહોરમાં હતા અને આ ઘટનાથી તેમના મન પર ઉંડી અસર થઇ. આ ત્રણેય શહિદોની અંતીમયાત્રામાં તેઓએ ભાગ લીધો હતો.


સુચેતા જણાવે છે કે, 11 વર્ષની વયે કેવી રીતે તેમણે અને તેમના ભાઇ-બહેનોએ તેમના પિતા અને તેના મિત્રોને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાત કરતા સાંભળ્યા હતા. આનાથી તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ તેઓ સાથે રમતા કેટલાક એંગ્લો-ભારતીય બાળકોને તેમના નામથી ચીડાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.


સુચેતા અને તેની બહેન સુલેખા બંને ભારતની વિસ્તરતી સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે ઉત્સુક હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી પ્રિન્સ ઑફ વેલ્સ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની શાળાની બાલિકાઓને કુડસિયા ગાર્ડન નજીક ઊભા કરવામાં આવ્યા હતા. વેલ્સના રાજકુમાર સન્માનમાં ઊભા રહેવા માટે બન્ને બહેનો ના પાડવા ઇચ્છતી હોવા છતાં, તેઓ ના પાડી શક્યા નહીં, અને તેનાથી તેમને પોતાની ડરપોકતા પર ગુસ્સો આવ્યો.

“અમારું અંતઃકરણ શરમજનક લાગણીથી મુક્ત થઈ શક્યું નહીં. અમને બન્નેને પોતાની કાયરતાને કારણે ખુબ નિમ્ન્તાનો અનુભવ થયો." તેઓ લખે છે.

જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના બાઇબલ વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! 

આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ  અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. 

 તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા. 

ઈ.સ. ૧૯૩૬માં, તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી વ્યક્તિ જે.બી.કૃપલાની સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ ગાંધીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. 



ભારત છોડો આંદોલન દરમિયાન, જ્યારે બ્રિટિશ સરકારે તમામ પુરુષ નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા, ત્યારે સુચેતા ક્રિપ્લાનીએ પોતાની બુદ્ધિચાતુર્યથી  કહ્યું કે , 'બાકીની જેમ હું પણ જેલમાં જતી રહેશ તો આંદોલનને આગળ કોણ ચલાવશે" , . 'આ દરમિયાન તે 2 વર્ષ સુધી ભૂગર્ભમાં રહી અને કોંગ્રેસના મહિલા વિભાગની રચના કરી હતી અને તેણે પોલીસથી છુપાયેલા બે વર્ષ સુધી આ આંદોલન ચલાવ્યું હતું અને તેમાં મહિલાઓ અને છોકરીઓને' અંડરગ્રાઉન્ડ સ્વયંસેવક દળ (अंडरग्राउण्ड वालंटियर फोर्स) 'નામની સેના પણ બનાવી હતી. . આત્મરક્ષણ માટે કવાયત, લાકડીઓ, પ્રાથમિક સહાય અને શસ્ત્રોની તાલીમ પણ. આ સાથે, તેમણે રાજકીય કેદીઓના પરિવારને મદદ કરવાની જવાબદારી પણ લીધી હતી.

સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા

તેમના સમકાલીન અરુણા અસફ અલી અને ઉષા મહેતાની જેમ તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન આગળ આવ્યા. ત્યાર બાદ તેમણે ભારતના ભાગલા સમયે થયેલા રમખાણો વખતે મહાત્મા ગાંધી સાથે મળીને કામ કર્યું હતું. 

ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગાંધીજી સાથે નોઆખાલી ગયા હતા. તેણી કેટલીક એવી મહિલાઓમાંની એક હતી કે જેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતી અને ભારતીય બંધારણના મુસદ્દા તૈયાર કરતી પેટા સમિતિનો ભાગ હતા. તે પેટા સમિતિ ભારતના બંધારણની રૂપરેખા બનાવી. 

૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે, જવાહરલાલ નેહરુએ તેમના પ્રખ્યાત "ટાયરેસ્ટ વિથ ડેસ્ટિની" શીર્ષકનું ભાષણ આપ્યાની થોડી મિનિટો પહેલા, તેમણે બંધારણ સભાના સ્વતંત્રતા સત્રમાં વંદે માતરમ્ ગાયું હતું. 

 તેમણે ઈ.સ. ૧૯૪૦માં ઑલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની સ્થાપના કરી હતી.

મુખ્યમંત્રી બનતા પહેલા, સુચેતા ક્રિપ્લાનીએ આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી સાથે ખભાથી ખભા મીલાવી કામ કર્યુ છે.. તે રાજકારણમાં મહિલાઓની ભાગીદારીની સમર્થક હતી. તે 15 ભારતીય મહિલાઓમાંની એક  હતી જેઓ બંધારણ સભામાં ચૂંટાઈ આવી હતી અને તેઓએ સાથે મળીને ભારતનું બંધારણ રચવામા મદદ કરી હતી.


1939 માં પ્રોફેસર્ની નોકરી છોડી અને રાજકારણમાં જોડાયા.


1940 માં તેમણે ઉત્તર પ્રદેશમાં વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો અને તેમની ધરપકડ કરવામાં આવી.


1941-1942 માં મહિલા વિભાગ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વિદેશ વિભાગના પ્રધાન બન્યા


1942 થી 1944 દરમિયાન ભૂગર્ભમાં ભારત છોડો ચળવળ ચાલુ રાખી, ત્યારબાદ 1944 માં તેમની ધરપકડ કરવામાં આવી.


1946 માં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય.


1946 માં તે બંધારણ સભાના સભ્ય અને પછી તેની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય બન્યા.


1948-1951 દરમિયાન કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય. 


1948 માં પ્રથમ વખત વિધાનસભા માટે ચૂંટાયા.


તે 1950 થી 1952 દરમિયાન પ્રોવિઝનલ લોકસભાના સભ્ય બન્યા


1949 માં, તે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ગયા હતા


1952માં તે શાંતિ સંમેલનમાં ભાગ લેવા જર્મની ગયા હતા.


1952 અને 1957 માં નવી દિલ્હીથી લોકસભા માટે ચૂંટાયા. 

આ દરમિયાન તે નાના ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન રહ્યા હતા


ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મહેદાવાલથી 1962-1967 સુધી ચૂંટાયા.


2 ઓક્ટોબર 1963 થી 13 માર્ચ 1967 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.


1967 માં ગોંડાથી લોકસભા માટે ચૂંટાયા



સ્વતંત્રતા પછી તેઓ રાજકારણમાં સામેલ રહ્યા. ઈ.સ. ૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણીઓ માટે, તેમણે કે. એમ. પી. પી. ની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. આ પાર્ટી એક વર્ષ પહેલા જ તેના પતિ દ્વારા સ્થાપાઈ હતી. જો કે તે પાર્ટીની આવરદા ટૂંકી રહી હતી. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવી હતી. પાંચ વર્ષ પછી, ફરી તેજ જ મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ઈ.સ. ૧૯૬૭માં ઉત્તર પ્રદેશના ગોંડા મતવિસ્તારથી તેઓ છેલ્લી વખત લોકસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.

આ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ બની ગયા હતા. 

ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ સુધી તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી.

ઑક્ટોબર ૧૯૬૩ માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા અને આ સાથે તેઓ ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ સંભાળનારી પ્રથમ મહિલા બન્યા. 

તેમના કાર્યકાળની વિશેષતા એ રાજ્યના કર્મચારીઓની હડતાલનું કડક સંચાલન હતું. રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ હડતાલ ૬૨ દિવસ સુધી ચાલુ રહી. તેમણે ત્યારે જ નમતું આપ્યું જ્યારે કર્મચારીઓના નેતાઓ સમાધાન માટે સંમત થયા હતા. 


કૃપલાનીએ પગાર વધારાની તેમની માંગને નકારીને એક કડક પ્રબંધક તરીકેની તેમની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.

તેમણે ઈ.સ. ૧૯૭૧ માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઈ.સ. ૧૯૭૪ માં તેમના મૃત્યુ સુધી તેઓ એકાંતમાં રહ્યા હતા.


તે સ્વતંત્રતા ચળવળમાં આચાર્ય ક્રિપ્લાની અને મહાત્મા ગાંધીની સાથી રહી શકે, પરંતુ હકીકતમાં તે સ્વતંત્ર વ્યક્તિત્વવાળી સ્ત્રી હતી, જે પોતાના નિર્ણયો લેવામાં વિશ્વાસ કરતી હતી.


उनके शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि,

“सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।


સુચેતા કૃપલાણીના જીવન વિશે સાધના સાપ્તાહિકમાં આવેલ લેખ વાંચવા અહી ક્લિક કરો. 

22 June, 2021

ગણેશ ઘોષ

 ગણેશ ઘોષ

સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી, રાજકારણી



જન્મતારીખ: 22 જૂન 1900

જન્મસ્થળ; જૈસોર, બંગાળ

પિતાનું નામ: બિપિનબિહારી ઘોષ

અવશાન:  16 ઓક્ટોબર 1994 (કલકતા, પશ્ચિમ બંગાળ)



ગણેશ ઘોષ બંગાળી ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારી અને રાજકારણી હતા. 'મણિકટલા બોમ્બ કેસ'ના સંબંધમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1928 માં તે જેલમાંથી છૂટ્યા અને કોંગ્રેસના કોલકાતા સત્રમાં ભાગ લીધો. 1946 માં ગણેશ ઘોષ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા. તેઓ 1952 માં બંગાળ વિધાનસભા અને 1967 માં લોકસભા માટે ચૂંટાયા હતા.

ગણેશ ઘોષનો જન્મ 22 જૂન, 1900 ના રોજ બંગાળના જેસોર જિલ્લામાં થયો હતો. તેમણે શિક્ષણ દરમિયાન સ્વતંત્રતા ચળવળમાં કૂદકો લગાવ્યો. વર્ષ 1922 માં, ગયા કોંગ્રેસમાં બહિષ્કારનો ઠરાવ પસાર થયો ત્યારે ગણેશ ઘોષ અને તેના સાથી અનંત સિંહે શહેરની સૌથી મોટી સ્કૂલ બંધ કરી દીધી. આ બંને યુવકોએ ચટગાવની સૌથી મોટી મજૂર હડતાલનું પણ નેતૃત્વ કર્યું હતું. જ્યારે ગાંધીજીએ અસહકાર આંદોલનને રદ કર્યું ત્યારે ગણેશ કોલકાતાની જાદવપુર એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયા.

વર્ષ 1923 માં, તેમને 'મણિકટલ્લા બોમ્બ કેસ'ના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. પુરાવાના અભાવને લીધે, તેને સજા ન કરાઈ પરંતુ સરકારે તેમને 4 વર્ષ માટે નજરકેદમાં રાખ્યા હતા. વર્ષ 1928 માં, તેમણે કોંગ્રેસના કોલકાતા સત્રમાં હાજરી આપી. બાદમાં તે પ્રખ્યાત ક્રાંતિકારી સૂર્ય સેનને મળ્યા અને તેમની સાથે બ્રિટિશ શાસનને સશસ્ત્ર દળથી સમાપ્ત કરવા માટે ચટગામમાં રાષ્ટ્રીય સરકારની સ્થાપનાની તૈયારી શરૂ કરી. બધી તૈયારીઓ પછી, આ ક્રાંતિકારીઓએ ત્યાં શસ્ત્રાગાર અને ટેલિફોન, વાયર વગેરેને અવરોધ્યા અને મહત્વપૂર્ણ સ્થળો પર દરોડા પાડ્યા.

તેમનો હેતુ શસ્ત્રાગારને પકડવા અને પછી બ્રિટીશ સરકારના સૈનિકોનો સામનો કરવાનો હતો. આ અચાનક થયેલા હુમલાથી અધિકારીઓ એક સમયે ચોંકી ગયા હતા. પરંતુ ક્રાંતિકારીઓએ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો મેળવ્યા, પરંતુ આ દારૂગોળો, જે અંગ્રેજોએ બીજે ક્યાંક છુપાવ્યો હતો, તે મળી શક્યો નહીં. તેથી, સ્વતંત્ર ક્રાંતિકારી સરકારની ઘોષણા કર્યા પછી પણ તે તેને જાળવી શક્યા નહીં અને તેમણે સૂર્ય સેન સાથે જલાલાબાદની ટેકરીઓ તરફ જવું પડ્યું.

તે દરમિયાન ગણેશ તેના સાથીઓથી અલગ થઈ ગયો અને ફ્રેન્ચ વસાહત ચંદ્રનગર ગયો. ત્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોલકાતા લાવવામાં આવી હતી અને વર્ષ 1932 માં આજીવન કેદની સજા ફટકાર્યા બાદ તેને આંદામાન જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તેઓ સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા હતા અને 1946 માં જેલમાંથી છૂટ્યા પછી તે કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા. વર્ષ 1964 માં જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન થયું ત્યારે તે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયો.


ગણેશ ઘોષ 1952, 1957 અને 1962 માં બંગાળ વિધાનસભામાં અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે 1967 માં કલકત્તા દક્ષિણથી લોકસભા માટે ચૂંટાયા હતા. 1971 ની લોકસભામાં તે ફરીથી કલકત્તા દક્ષિણ લોકસભા મત વિસ્તારના કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) ના ઉમેદવાર હતા. આ વખતે તેઓ 26 વર્ષીય પ્રિયા રંજનદાસ મુનશીથી હારી ગયા જેણે કોંગ્રેસ (આર) ની ટિકિટ પર પ્રથમ લોકસભાની ચૂંટણી લડી હતી.

ચટગાવ કેસ સાથે સંકળાયેલા ક્રાંતિકારી ગણેશ ઘોષને તેના સાથી પ્રતુલ ભટ્ટાચાર્ય સાથે બરેલી સેન્ટ્રલ જેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. અહીં જેલમાં હતા તે દિવસોમાં, કાકોરી કેસના પ્રખ્યાત ક્રાંતિકારી મન્મથનાથ ગુપ્તા અને તેના સાથીઓ શચિન્દ્રનાથ બક્ષી, રાજકુમાર સિંહા અને મુકુંદિલાલ પણ ત્યાં સજા ભોગવી રહ્યા હતા.


દેશની આઝાદીમાં ફાળો આપ્યા બાદ માર્કસવાદી પાર્ટીના રાજકારણી ગણેશ ઘોષનું 16 ઓક્ટોબર, 1994 ના રોજ કોલકાતામાં અવસાન થયું હતું.

11 February, 2021

અબ્રાહમ લિંકન જીવન પરિચય (Abraham Lincoln)

 અબ્રાહમ લિંકન

(અમેરિકાના ૧૬ મા પ્રમુખ)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1809

જન્મસ્થળ: સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા

અવશાન: 15 એપ્રિલ 1865 (વોશિંગ્ટન)

અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ થોમસ લિંકન અને નેન્સી હેન્ક્સ લિંકનના દ્વિતીય સંતાન તરીકે થયો હતો.

ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું.

અબ્રાહમ લિંકની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે.

અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યાં છે કે ઘણા ઓછા લોકો એટલી વાર જીવનમાં નિષ્ફળ રહ્યાં હશે.

જોકે, તે છતાં પણ તેઓ હિંમત હાર્યા નહતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાને ગુલામીમાંથી છૂટકારો અપાવીને દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઈતિહાસમાં અમર બની ગયા.

અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી  નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.

  • ધંધામાં નિષ્ફળ – 1831
  • ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
  • ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
  • ધારાસભામાં ચૂંટાયા – 1834
  • પત્નીનું અવસાન – 1835
  • પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
  • સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
  • ઈલેકટર તરીકે હાર – 1840
  • ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843, 
  • કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
  • કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
  • કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
  • સેનેટની ચુંટણીમાં હાર – 1855
  • અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
  • સેનેટમાં હાર – 1858
  • અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860

 

     આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.


1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને બે વર્ષ સુધી આ પદ પર રહીને પ્રશંસનિય કામગીરી કરી, જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ.

1861 થી 1865 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં

આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ આગળ વધતા રહ્યાં. આમ લિંકનના જીવન પરથી તે શિખવું જોઈએ કે, જીવનમાં ગમે તે જેવી કપરી પરિસ્થિતિ આવે પરંતુ જો તમે ધીરજ, હિંંમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈપણ ધ્યેયની પ્રાપ્ત કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેની ઉપર તમે નવી સફળતાની ઈમારત બાંધી શકો છો.

17 January, 2021

બેન્જામીન ફ્રેન્કલિન જીવન પરિચય

બેન્જામીન ફ્રેન્કલિન

લેખક, વૈજ્ઞાનિક, રાજનિતિજ્ઞ

(અમેરિકાના સ્થાપકોમાંથી એક )




જન્મતારીખ: 17 જાન્યુઆરી 1706

જન્મસ્થળ: બોસ્ટન, અમેરિકા 

પિતાનું નામ: જોશીઆહ ફ્રેન્કલિન (સાબુ બનાવનાર)

માતાનું નામ: અબિયા ફોલ્ગર

અવસાન: 17 એપ્રિલ 1790 (ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા)


બેંજામિન ફ્રેંકલિનનો જન્મ 17 જાન્યુઆરી, 1706માં થયો હતો. તે સાબુ બનાવનાર, જોસિઆહ ફ્રેન્કલિનના દસમા પુત્ર હતા..

બેન્જામિન ફ્રેન્કલિન એ યુનાઇટેડ સ્ટેટ્સ(અમેરિકા)ના સ્થાપકોમાંથી એક હતા..  , ફ્રેન્કલિન એક પ્રખ્યાત લેખક અને પ્રિન્ટર, વ્યંગ્યવાદી, રાજકીય વિચારક, રાજકારણી, વૈજ્ઞાનિક, શોધક, નાગરિક કાર્યકર, રાજ્યાભિષેક, સૈનિક અને રાજદ્વારી હતા. વૈજ્ઞાનિક તરીકે, તે વીજળી અંગેની તેમની શોધ અને સિદ્ધાંતો માટે બોધ અને ભૌતિકશાસ્ત્રના ઇતિહાસમાં મુખ્ય વ્યક્તિ હતા. તેણે લાઈટનિંગ સળિયા, બાયફોકલ્સ, ફ્રેન્કલિન સ્ટોવ, એક કારનો ઓડોમીટર અને ગ્લાસ 'આર્મોનિકા' ની શોધ કરી.

ફ્રેંકલિનને અમેરિકી જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતાના રુપમાં સન્માન આપવામાં આવે છે. 

ફ્રેંકલિન એક વર્તમાનપત્રના સંપાદક, મુ્દ્રક અને ફિલાડેલ્ફિયામાં વેપારી બન્યા હતાં. 

જ્યાં “પુઅર રિચડર્સ આલ્મનેક(Poor Richard's Almanack)” અને “ધ પેન્સિલ્વેનીયા ગેઝેટ”(The Pennsylvania Gazette)ના પ્રકાશન મારફત તેઓએ પુષ્કળ ધન મેળવ્યુ હતું. 

1729 માં, બેન્જામિન ફ્રેન્કલિનએ પેન્સિલ્વેનીયા ગેઝેટ નામનું એક અખબાર ખરીદ્યું. ફ્રેન્કલીન માત્ર કાગળ છાપતો જ નહીં, પરંતુ ઉપનામો હેઠળ કાગળમાં ઘણીવાર ટુકડાઓ ફાળવતા. તેનું અખબાર ટૂંક સમયમાં વસાહતોમાં સૌથી સફળ બન્યું. આ અખબાર, અન્ય અગ્રણીઓ વચ્ચે, પ્રથમ રાજકીય કાર્ટૂન છાપશે, જે બેન પોતે લખે છે.

1733 માં તેણે પુઅર રિચાર્ડ અલ્માનેક(Poor Richard's Almanack) પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. યુગના પંચાંગમાં વાર્ષિક છાપવામાં આવતા હતા અને તેમાં હવામાન અહેવાલો, વાનગીઓ, આગાહીઓ અને સગાઇ જેવી વસ્તુઓ શામેલ હતી. રિચાર્ડ સndન્ડર્સ નામના વ્યક્તિની આડમાં ફ્રેન્ક્લિને તેનું પંચાગ પ્રકાશિત કર્યું, એક ગરીબ માણસ, જેને તેની કારપિંગ પત્નીની સંભાળ રાખવા પૈસાની જરૂર હતી. ફ્રેન્કલિનનું પંચાંગ, તેના વિચિત્ર કામો અને જીવંત લખાણ હતા. ફ્રેન્કલિન સાથે સંકળાયેલા ઘણાં પ્રખ્યાત શબ્દસમૂહો, જેમ કે, "પેની સેવ કરેલી એક પેની કમાયેલી છે" નબળા રિચાર્ડમાંથી આવે છે.

1730 અને 1740 ના દાયકામાં ફ્રેન્કલિનનો છાપવાનો વ્યવસાય વિકસતો રહ્યો. તેમણે અન્ય શહેરોમાં ફ્રેન્ચાઇઝ છાપવાની ભાગીદારી સ્થાપવાની શરૂઆત કરી.

1749 સુધીમાં તેઓ વ્યવસાયમાંથી નિવૃત્ત થયા અને વિજ્ઞાનના પ્રયોગો અને શોધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. ફ્રેન્કલિન માટે આ કંઈ નવું નહોતું. 1743 માં તેમણે ગરમ મકાનોને અસરકારક રીતે મદદ કરવા માટે ગરમી-કાર્યક્ષમ સ્ટોવ - જેને ફ્રેન્કલિન સ્ટોવ કહે છે તેની શોધ કરી લીધી છે. જેમ જેમ સ્ટોવની શોધ સમાજની સુધારણા માટે કરવામાં આવી હતી તેણે પેટન્ટ લેવાની ના પાડી. ફ્રેન્કલિનની અન્ય શોધોમાં સ્વિમિંગ ફિન્સ, ગ્લાસ આર્મોનિકા (એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ) અને બાયફોકલ્સ છે.

1750 ની શરૂઆતમાં તેમણે વીજળીના અભ્યાસ તરફ વળ્યા. તેમના પતંગ પ્રયોગો સહિતના તેમના નિરીક્ષણો, જેણે વીજળી અને વીજળીના સ્વરૂપને ચકાસ્યું તે ફ્રેન્કલિનને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ લાવ્યું

રાજકારણ 1750 ના દાયકામાં ફ્રેન્કલિન માટે વધુ સક્રિય બન્યું. 1757 માં, કોલોનીનું પ્રતિનિધિત્વ કરવા તે પેન પરિવારના વંશજો સાથેની લડતમાં પેન્સિલ્વેનીયાનું પ્રતિનિધિત્વ કરવા તે ઇંગ્લેન્ડ ગયા. તેઓ માત્ર પેન્સિલ્વેનિયા જ નહીં, પણ જ્યોર્જિયા, ન્યુજર્સી અને મેસેચ્યુસેટ્સના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડમાં રહ્યા. 1765 માં સ્ટેમ્પ એક્ટના અમેરિકાના ભારે વિરોધ દ્વારા ફ્રેન્કલિન આશ્ચર્યચકિત થઈ ગયા. સંસદ સમક્ષ તેમની જુબાનીથી સભ્યોને કાયદો રદ કરવા માટે રાજી કરવામાં મદદ મળી. તેમણે વિચારવાનું શરૂ કર્યું કે શું અમેરિકાએ ઇંગ્લેંડથી મુક્ત થવું જોઈએ. ફ્રેન્કલીન જોકે ઇંગ્લેન્ડમાં તેના ઘણા મિત્રો હતા, પરંતુ તેમણે રાજકારણ અને શાહી વર્તુળોમાં તેમની આસપાસ જોયેલા ભ્રષ્ટાચારથી માંદા વધી રહ્યા હતા. ફ્રેન્કલિન જેમણે 1754 માં યુનાઇટેડ વસાહતો માટેની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો તેમણે ધ્યેય તરફ નિષ્ઠાપૂર્વક કામ શરૂ કર્યુ.

તેમણે સ્વતંત્રતા માટે સક્રિય રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેણે સ્વાભાવિક રીતે વિચાર્યું કે તેનો પુત્ર વિલિયમ, હવે ન્યુજર્સીનો રોયલ ગવર્નર છે, તેના મંતવ્યોથી સંમત થશે. વિલિયમ સંમત ના થયો. વિલિયમ એક વફાદાર ઇંગ્લિશમેન રહ્યો. આનાથી પિતા અને પુત્ર વચ્ચે અણબનાવ સર્જાયો જે ક્યારેય મટ્યો ન હતો.


ફ્રેન્કલિન બીજી કોંટિનેંટલ કોંગ્રેસ માટે ચૂંટાઈ આવ્યા હતા અને પાંચની સમિતિ પર કામ કર્યું હતું જેણે સ્વતંત્રતા ઘોષણાના મુસદ્દાને તૈયાર કરવામાં મદદ કરી હતી. તેમ છતાં, લેખનનું મોટાભાગનું કામ થોમસ જેફરસનનું છે, તેમ છતાં, તેમનો મોટો ફાળો ફ્રેંકલિનનો છે.

1776 માં ફ્રેન્ક્લિને ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, અને તે પછી લુઇસ સોળમાના રાજદૂત તરીકે ફ્રાન્સ ગયા..


ફ્રેન્કલિનની લોકપ્રિયતાના ભાગરૂપે, ફ્રાન્સની સરકારે 1778 માં અમેરિકનો સાથે જોડાણની સંધિ પર હસ્તાક્ષર કર્યા. ફ્રેન્ક્લિને પણ લોન સુરક્ષિત કરવામાં મદદ કરી અને તેઓ જે યોગ્ય કાર્ય કરી રહ્યા હતા તેવા ફ્રેન્ચોને રાજી કર્યા.

અમેરિકનો રિવોલ્યુશન જીત્યા પછી 1783 માં ફ્રેન્કલિન પેરિસની સંધિ પર હસ્તાક્ષર કર્યા.

ફ્રેન્કલિન પાછા અમેરિકા ગયો. તેઓ પેન્સિલવેનિયાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રમુખ બન્યા. તેમણે બંધારણીય સંમેલનમાં પ્રતિનિધિ તરીકે કામ કર્યું અને બંધારણમાં સહી કરી. તેમની છેલ્લી જાહેર કૃત્યોમાંની એક 1789 માં ગુલામી વિરોધી ગ્રંથ લખી હતી.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં તેઓને ખૂબર રસ હતો. પોતાના અદભુત પ્રયોગો માટે તેઓએ આતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. પેંસિલ્વેનિયા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વર્ષ 1788 સુધી તેઓ સૌથી મુખ્ય સમસ્યા “દાસપ્રથા”ના ઘોર વિરોધી બની ગયા હતા. આ પ્રેરણાત્મક આત્મકથા એ મહાન વિભૂતિના વિવિધ વ્યક્તિત્વનો સાંગોપાંગ પરિચય આપે છે.


ફ્રેન્કલિનને સંગીતનો ખૂબ શોખ હતો. સંગીત સાંભળ્યા વિના તે જીવી શકતો ન હતો. આ કારણોસર, તેણે 1761 માં ગ્લાસ હાર્મોનિકા બનાવી. આ સંગીતનાં સાધનને ભીના હાથથી ઘસવું એ ખૂબ સારો અવાજ ઉત્પન્ન કરે છે. ફ્રેન્ક્લિને આ શોધ વિશે કહ્યું હતું કે મેં અત્યાર સુધી કરેલા તમામ શોધોનો સૌથી વધુ સંતોષ મને ગ્લાસ હાર્મોનિકા બનાવવાનો છે.

અમેરિકાની આઝાદીની મહત્વપૂર્ણ ઘટના ગણાતા 'બોસ્ટન ટી પાર્ટી' અંગે તેમનો મત હતો, 'આ ઘટના ન બની હોવી જોઇએ, તે આપણા વતી કરવામાં આવેલ અમાનવીય કૃત્ય છે અને આપણે તેના માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વળતર ચૂકવવું જોઈએ. ' આ સાંભળીને ઘણા અમેરિકન દેશભક્તોને લાગ્યું કે ફ્રેન્કલિન અમેરિકાની સ્વતંત્રતા માટે નહીં પણ બ્રિટન માટે કામ કરી રહી છે.


 22 વર્ષની ઉંમરે, તેણે પહેલી કંપની, પેન્સિલવેનિયા ગેજેટ શરૂ કરી. એટલું જ નહીં, ફિલાડેલ્ફિયામાંથી નીકળતાં એક અખબારના સંપાદક પણ હતા. પેનસલ્વેનીયા યુનિવર્સિટીની સ્થાપનામાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું.


 ફ્રેન્કલિન ઘણાં વર્ષોથી બ્રિટીશ હસ્તકની વસાહતમાં પોસ્ટ માસ્ટર પણ હતી. આ કારણોસર, તે અમેરિકાનું પ્રથમ સંદેશાવ્યવહાર નેટવર્ક સ્થાપિત કરવામાં પણ સક્ષમ હતું.

ફ્રેન્કલિન પાસે બે ગુલામો હતા, જેઓ ઘરેલું કામ કરતા. અમેરિકાના કુલીન પરિવારોમાં ગુલામો રાખવાની પ્રથા હતી. ફ્રેન્ક્લિને તેના જીવનના અંતિમ ક્ષણે તેના બંને ગુલામોને મુક્ત કર્યા. એટલું જ નહીં, તેણે તેમના પુત્ર અને પુત્રવધૂની સામે એક શરત પણ મૂકી હતી કે જ્યારે તે તેના ગુલામોને મુક્ત કરશે ત્યારે જ તે તેની સંપત્તિનો હકદાર રહેશે.

બેન્જામિન ફ્રેન્કલિને સૌ પ્રથમ વીજળીના કારણોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો.


ફ્રેન્ક્લિને એક એવી પદ્ધતિ પણ વિકસાવી કે જેના દ્વારા વિશાળ ઇમારતો વાદળો દ્વારા પેદા થતી વીજળીથી સુરક્ષિત થઈ શકે.


વિજ્ઞાનના  ક્ષેત્રમાં, ફ્રેન્કલિનને વીજળીની લાકડી, બાયફોકલ ગ્લાસ, ફ્રેન્કલિન સ્ટોવ, કાર ઓડોમીટર અને ગ્લાસ 'આર્મોનિકા' ની શોધનો શ્રેય પણ આપવામાં આવે છે.


અમેરિકન ઇતિહાસના અગ્રણી ક્રાંતિકારીઓમાંના એક બેન્જામિન ફ્રેન્કલિન, રાજકારણી, લેખક, પ્રકાશક, વૈજ્ઞાનિક , શોધક અને મુત્સદ્દી

ફ્રેન્કલિન બીજા કોઈ વૈજ્ઞાનિક  કરતા ઘણા મોટા રાજકીય વૈજ્ઞાનિક અને રાજકારણી હતા. તેમના સૌથી પ્રખ્યાત કાર્યોમાં એક રાષ્ટ્ર તરીકે અમેરિકાના વિચારને મજબૂત ટેકો મળ્યો છે.

તેમને યુનાઇટેડ સ્ટેટ્સના સ્થાપક પિતા તરીકેનો દરજ્જો પણ છે.

તેણે બોસ્ટનની એક લેટિન સ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો. શીખવાની ઇચ્છા હતી, તેથી તેણે અધ્યયન અધવચ્ચે જ છોડી દીધો અને પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું.

તેના પિતાની ફેક્ટરીમાં કામ કરવું તેની કાલ્પનિક ફ્લાઇટ્સથી ખસી શક્યું નહીં અને તેણે નાની ઉંમરે જ મોટું વિચારવાનું શરૂ કર્યું. આની સાથે તેણે પોતાને તે કામમાં ધકેલી દીધું.

આ જ ક્રમમાં, તેણે ફક્ત 12 વર્ષની ઉંમરે પોતાના ભાઈ સાથે છાપવાનું શરૂ કર્યું.

બેન્જામિનના પિતા જિઓંગિયા એક મીણબત્તી અને સાબુનો વ્યવસાય ચલાવતા હતા. પિતાને બે પત્ની અને 15 બાળકો હતાં.

આકાશમાં વીજળી પડવાના કારણે અનેક બિલ્ડિંગોને નુકસાન થયું હતું. ફ્રેન્ક્લિને આ શક્તિશાળી વીજળીથી ઇમારતો બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો.

વરસાદ પડી રહ્યો હતો, અને આકાશમાં વીજળીનો અદભૂત સંયોગ હતો.

આવી સ્થિતિમાં તેણે રેશમ રૂમાલ અને લાકડાના પટ્ટાથી બનેલા ક્રોસનો ઉપયોગ કરીને પતંગ બનાવ્યો. પતંગના એક છેડે લાકડાની icalભી પટ્ટીમાંથી નીકળેલા લોખંડના તાર બાંધ્યા.

આ પતંગ ઉડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા દોરાના એક છેડે રેશમની પટ્ટી બાંધી હતી અને દોરા અને રેશમની પટ્ટીની વચ્ચે લોખંડની ચાવી રાખવામાં આવી હતી.

હવે પતંગ તૈયાર થઈ ગયો હતો અને તે વીજળી અને જોરદાર વરસાદમાં ઉડ્યો હતો.

આ પ્રયોગમાં, વીજળી ટાળવા માટેના તમામ પગલા લેવામાં આવ્યા હતા. જો કે તેમાં જીવનું જોખમ હતું, આકાશમાં વીજળી પડવાથી વ્યક્તિ રાખ થઈ શકે છે. પરંતુ, બધા જોખમોને બાકાત રાખીને, તેણે 1752 એ.ડી. માં પોતાનો પતંગ અને કી ઉપયોગ બતાવ્યો. આ પ્રયોગના તારણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વીજળી ખરેખર કુદરતી ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ પ્રક્રિયા છે.

આના દ્વારા, બેન્જામિને વિશાળ ઇમારતોને વીજળીના નુકસાનથી બચાવવા માટે એક અસરકારક માર્ગ બનાવ્યો.

આ પદ્ધતિ કહે છે કે લોખંડની પાતળી લાંબી સળિયા લેવી જોઈએ, જેનો એક છેડો ભીની જમીનથી ત્રણથી ચાર ફૂટ નીચે છે અને બીજો બિલ્ડિંગના ઉચ્ચ ભાગથી છથી સાત ફૂટ હોવો જોઈએ. સળિયાની ટોચની છેડે, પિત્તળની સરેરાશ એક ફૂટ લાંબી પાતળા વાયર બાંધવી જોઈએ. જો બિલ્ડિંગમાં આવી વ્યવસ્થા કરવામાં આવે, તો તે નુકસાનથી બચી શકે છે.

બેન્જામિન લગ્ન પછી ફિલાડેલ્ફિયા સ્થાયી થયા, અને પ્રિંટર સાથે કામ શરૂ કર્યું.

આ પછી, તેમણે સફળતા તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું. તેમણે તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પેન્સિલવેનિયામાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપિત કર્યું અને 'ધ પેન્સિલવેનિયા ગેઝેટ' પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.

બેન્જામિન એ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે સમુદ્રની ગતિનો અભ્યાસ કર્યો હતો. તેઓએ સમુદ્રની ઉંડાઈ, તાપમાન, પ્રવાહની ગતિ માપી.

બેન્જામિન ઘણી બધી તેજસ્વી પ્રતિભાથી સમૃદ્ધ હતી. તે ચેઝનું જાણીતું નામ હતું. આને કારણે ફ્રેન્કલિનનું નામ અમેરિકન ચેઝ હોલ ઓફ ફેમમાં સામેલ થયું.

ફ્રેન્કલિને સામાન્ય માણસની જરૂરિયાતોને લગતી ઘણી શોધો કરી અને તેમને ક્યારેય પેટન્ટ આપ્યા નહીં. તેમનો પ્રયાસ હતો કે તેમની આવિષ્કારો દરેક માટે સુલભ બને.

આ સિવાય ફ્રેન્કલિન એક પ્રખ્યાત રાજકારણી પણ હતી. અમેરિકામાં તેમના રાજકારણ દરમિયાન, તેઓ કોંગ્રેસના સભ્ય બનવા, અમેરિકા વતી ફ્રાન્સ અને સ્વીડનમાં કમિશનર બનવા, અમેરિકાના પ્રથમ પોસ્ટ માસ્ટર જનરલ જેવી ઘણી રાજકીય સિદ્ધિઓ હાંસલ કરવામાં સફળ રહ્યા.

1785 સુધી ફ્રાન્સમાં રહ્યા, તેમણે તેમના દેશનું કાર્ય ખૂબ કુશળતા અને બુદ્ધિથી સંભાળ્યું.

યુએસ પરત ફર્યા પછી, બેન્જામિન ફ્રેન્કલિનને જ્યોર્જ વોશિંગ્ટન પછી બીજા સ્થાનનો સન્માન મળ્યો અને તેને 'ફાધર ઓફ અમેરિકા' કેટેગરીમાં શામેલ કરવામાં આવ્યા.

ફ્રેન્ડલીન તદ્દન તરવૈયા હતો, જ્યારે તે લંડનમાં રહેતો હતો અને થેમ્સ નદીના માઇલ્સને આવરી લેતો હતો અને તે પણ તેની પોતાની તરવાની ફિન્સ શોધતો હતો. 1968 માં, ફ્રેન્કલિનને સ્વીમીંગની રમતમાં   હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા.

ફ્રેન્કલિનને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ પોસ્ટમાસ્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા

17 એપ્રિલ, 1790 ના રોજ ફ્રેન્કલિનનું 84 વર્ષની વયે અવસાન થયું. 20,000 લોકો તે વ્યક્તિના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.