મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label શિક્ષણવિદ્. Show all posts
Showing posts with label શિક્ષણવિદ્. Show all posts

14 November, 2021

ગિજુભાઇ બધેકા

 ગિજુભાઇ બધેકા

બાળ કેળવણીના પ્રણેતા, "મૂંછાળી માં" તરીકે જાણીતા

બાળ વાર્તાકાર


9 જાન્યુઆરી 1915ના રોજ વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકાથી સ્વદેશ આવ્યા અને રાષ્ટ્રની આઝાદી માટેની લડતમાં દેશને નવું નેતૃત્વ મળ્યું. એ જ વર્ષે, 1915માં જ આફ્રિકાથી સ્વદેશ પરત આવી સફળ વકીલાત કરનાર ગિરજાશંકર ભગવાનજી બધેકા-(ગિજુભાઈ) એ એક વર્ષ પછી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતે જોડાઇને એક અર્થમાં બાળ સ્વાતંત્ર્યનું રણશીંગુ ફૂક્યું.


આ બંને ઘટના રાષ્ટ્રના ભાવિ માટે નોંધપાત્ર અને ઐતિહાસિક બની.


આજથી 100 વર્ષ પૂર્વે જ્યારે બ્રિટિશ શાસને પ્રજાનું હીર છીનવી લીધુ હતું ત્યારે પ્રાથમિક શિક્ષણની જ ઘોર અવગણના હતી. 


પ્રાથમિક શિક્ષણ “ધૂડી નિશાળ” ગણાતી અને સાત વર્ષની ઉંમરના રડતા બાળકને ઘસડીને શાળામાં પ્રવેશ માટે લઈ જવાતો. પછી તો “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ”…

આ દ્રશ્યથી જેમનું સંવેદનતંત્ર હચમચી ઉઠ્યું તે આપણા ગિજુભાઈ!


 જ્યાં પ્રાથમિક શિક્ષણની આવી અવદશા હોય ત્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની તો કલ્પના જ ક્યાંથી હોય? 


આવા વિપરીત સમય-સંજોગોમાં સમય સામે બાથ ભીડીને એમણે 100 વર્ષ પહેલા 3થી6 વર્ષના બાળકો માટે શિક્ષણનો વિચાર કરી અમલમાં મૂક્યો.

ગીજુભાઇ બધેકાનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં 15 નવેમ્બર 1885ના રોજ  થયો હતો. 

તેમનું પુરુ નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું. તેમની માતાનુ નામ કાશીબા હતું.

તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું.

૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા ગયા અને 1909માં પાછા ફર્યા. 

  1910માં તેમણે મુંબઈ વકીલાતનો અભ્યાસ શરુ કર્યો.

1913 થી 1916 સુધી તેમણે વઢવાણ ડીસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલાત કરી.

1 ઓગસ્ટ 1920 ના રોજ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલમંદિર સ્થાપીને સમગ્ર એશિયામાં પ્રથમ શાળા (બાલમંદિર) 3 થી 6 વર્ષના બાળકો માટે આરંભી નવી પહેલ કરી.

આ “સમગ્ર કેળવણી” હતી. જીવનલક્ષી, સ્વયંશિસ્તથી બધ્ધ, સર્જનાત્મક, ભય, સજા કે લાલચથી મુક્ત. આવી બાલશાળાને ગિજુભાઈએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નામ “બાલમંદિર” આપી આ મંદિરમાં બાળદેવતાની સ્થાપના કરી.

ભારતના કેળવણી ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું. 1920થી 1939 બે દાયકામાં આ અજોડ શિક્ષકે બે સદી જેટલો ફાલ આપ્યો. “ધૂડી નિશાળ” ની જડતા અને અંગ્રેજી માધ્યમની ઘેલછા, એ બન્નેને પડકારી માતૃભાષામાં 3 થી 6 વર્ષના બાળકને પર્યાવરણ, પ્રકૃતિ નિરીક્ષણ, પ્રવાસ, રમતગમત, કલા, પ્રવાસ, ઈન્દ્રીયશિક્ષણ માટે વિશિષ્ટ સાધનો, ભારતીય પંરપરા અને ભાષાઓમાં ઉપલબ્ધ બાળ સબંધિત સાહિત્યનો ખજાનો ખોલીને ઘર અને નિશાળમાં રૂંધાતા બાળકોને ખિલખિલાટ હસતા, સ્વસ્થ અને સંવેદનશીલ વિશ્વમાનવ બનાવી નવનિર્મિત રાષ્ટ્રના નાગરિક માટેનું ઘડતર આ પરમ શિક્ષકે આરંભી દીધું.

ગિજુભાઈએ જાણે બાળ કેળવણીનો એક નવો જ ઈતિહાસ રચ્યો. એમણે વર્ગખંડની ભૂગોળ જ બદલી નાખી અને બાળકોને ખુલ્લા આકાશ નીચે વિસ્મયભરી આંખે દૂરની ક્ષિતિજને નિહાળતા કર્યો. એમ કહો કે કેળવ્યા.

ભારતીય પરંપરામાં એક જાણીતું સૂત્ર છે આચાર્ય દેવો ભવ:. સદીઓ પછી આ પરમ શિક્ષકે નવો મહામંત્ર આપ્યો બાલ દેવો ભવ:. ગિજુભાઈને વિશ્વાસ હતો કે બાળવયની તાલીમ, મનોવૃતિ ઘડતર અને સંસ્કાર જ સમાજ અને રાષ્ટ્રને  ઘડશે, નિખારશે અને જાળવશે.


૧૯૨૦ના દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં બાળમંદિરની સ્થાપના કરી અને ગિજુભાઈ એના આચાર્ય બન્યા.

જો કે ગિજુભાઈ માટે 100 વર્ષ પહેલાના રૂઢિવાદી સમાજમાં આ વિચારનો અમલ કરવો સહેલો તો નહોતો જ, પણ ઋષિ સમાન કેળવણી ચિંતક નાનાભાઈ ભટ્ટ, સદા પ્રજાવત્સલ ભાવનગરના રાજવી, દીર્ધદ્રષ્ટા દીવાન પ્રભાશંકર પટ્ટણી એ બધાનો એમને સાથ મળ્યો. સમય જતા હરભાઈ ત્રિવેદી પણ જોડાયા. મોંઘીબેન અને તારાબેન મોડક પણ એમના આ કેળવણી યજ્ઞમાં સામેલ અને જાણે ભાવનગરમાં શિક્ષણના ક્ષેત્રે એક નવું વિશ્વ રચાયું.

ગિજુભાઈ બધેકાએ  ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આત્મમંથનના દિવસોમાં ગિજુભાઈ જ્યારે દ્વિધા અનુભવતા ત્યારે મેડમ મારીયા મોન્ટેસોરીના પુસ્તકે તેમને બળ અને પ્રેરણા આપી દિશા ચીંધી. એમના માનસ પ્રદેશના દ્વાર ખુલી ગયા અને પછી તો ગિજુભાઈએ અખિલ આત્મના દર્શન કર્યા. હિમ્મતપૂર્વક પોતાના દેશ-કાળ-સમાજને અનુરૂપ પૂર્ણ મનુષ્યની કેળવણી માટે એમણે યજ્ઞ આદર્યો. મોન્ટેસોરી પદ્ધતિમાં ઈન્દ્રીયશિક્ષણનું પ્રાધાન્ય હતું. ગિજુભાઈએ એનાથી એક કદમ આગળ ચાલી ઈન્દ્રીયોની સંસ્કારિતા અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો. આ માટે એમણે કલા, સાહિત્ય, સંગીત અને નાટક એ બધું બાળકો માટે સજીવ કર્યું, જેનો મોન્ટેસોરી પદ્ધતિમાં અભાવ હતો. એક સાચો શિક્ષક જ આ કરી શકે.

 તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.

 તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. 

૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 

૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

 તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

 ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે પક્ષઘાત થવાથી તેમનું અવસાન થયું હતું.

સન્માન
1928માં બીજા મોન્ટેસરી સંમેલનના પ્રમુખ બન્યા હતા.
1930માં બાળ સાહિત્ય માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યાં.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

  • શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છેસ્વતંત્ર બાલશિક્ષણમોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજનાબાલ ક્રીડાંગણોઆ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય - ઈસપનાં પાત્રોકિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
  • ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
  • દિવાસ્વપ્ન.

ગિજુભાઇ વિશે લખનાર હું કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો એનુ કામ ઉગી નીકળશે

-ગાંધીજી



વર્ષ 2021થી ગુજરાત સરકાર દ્વારા 15 નવેમ્બરને ગિજુભાઇની 137મી જન્મજયંતિએ  " બાલવાર્તા દિન" તરીકે ઉજવવાનું શરુ કરવામાં આવેલ છે.

ગિજુભાઇ બધેકાની બાલવાર્તાઓ વાંચવા અને તેનો ઓડિયો સાંભળવા

અહીં ક્લિક કરો.

10 November, 2021

નાનાભાઇ ભટ્ટ

 નાનાભાઇ ભટ્ટ

ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર )



જન્મતારીખ: 11 નવેમ્બર 1882

પુરુનામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

જન્મસ્થળ: પચ્છેગામ, ભાવનગર

અવશાન: 31 ડિસેમ્બર 1961 (લોક્ભારતી સણોસર, ભાવનગર)


નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી


જીવન ઝરમર

  • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
  • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
  • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
  • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
  • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
  • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
  • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
  • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
  • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
  • 1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
  • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
  • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

  • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
  • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
  • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
  • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
  • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
  • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
  • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
  • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

  • ૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા.
  • ૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં.
  • ૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં

નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત.