મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સ્થાપના દિન. Show all posts
Showing posts with label સ્થાપના દિન. Show all posts

03 May, 2022

ભાવનગર સ્થાપના દિવસ

 ભાવનગર સ્થાપના દિવસ

અખાત્રીજ


ઇ.સ. 1723માં અખાત્રીજના પવિત્ર દિવસે સિહોરના દરબાર સાહેબ ભાવસિંહજી ગોહિલે  વડવા નજીક નવી રાજધાની ભાવનગરની સ્થાપના કરી હતી.



મહારાજા ભાવસિંહજી પ્રથમ


આજે ભાવનગર શહેરને 300 વર્ષ પૂરા થયા છે ત્યારે ગોહિલવંશનાં પ્રજાવત્સલ રાજવીઓને વંદન. ભાવનગરના રાજવી 1800 પાદરના ધણી કહેવાતા હતા. અખાત્રીજના પર્વે ભાવનગરની સ્થાપનાને 300 વર્ષ પૂર્ણ થઇને 301માં વર્ષમાં પ્રવેશ કરશે.

એક સમયે કહેવાતું કે ભાવનગરમાં ‘સોનાનો સૂરજ ઊગે છે’ . સૂર્યવંશી ગોહિલોની રાજધાની સિહોરથી ખસેડીને ભાવનગર ખાતે ફેરવી હતી. કારણ કે. ભાવનગર પર બહારના આક્રમણખોરો દ્વારા હુમલાઓ વધી રહ્યાં હતા ત્યારે એક વધુ સુરક્ષિત રાજધાનીની જરૂર જણાતા વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા) વિક્રમ સંવત 1779 (7 મે, ઈ.સ.1723)ના રોજ મૂળ જુના વડવા ગામના નાકે ભાવસિંહજી પ્રથમ દ્વારા ભાવનગર શહેરનો શિલાન્યાસ થયો હતો. 

ભાવેણાની સ્થાપના થતાં વિશાળ સમુદ્રની જેમ જાણે કે રાજ્યનો વિસ્તાર, વસતિ અને વિકાસના ક્ષેત્રે પણ વૃદ્ધિ થઈ.સિહોરમાં કેન્દ્રિત એક નાનું દેશી રજવાડું પોતાના રાજ્યનો વિસ્તાર કરીને સૌરાષ્ટ્રનાં કુલ 222 રજવાડાઓમાં ત્રીજા નંબરનું મહત્ત્વનું દેશી રાજ્ય બન્યું હતું.

ગંગાજળીયા તળાવ, ગૌરીશંકર તળાવ, વિકટોરીયા પાર્ક, તખ્તેશ્વર મહાદેવ, જશોનાથ, ગંગાદેરી, ક્રેસન્ટ સર્કલ, ભાવવિલાસ પેલેસ, નિલમબાગ પેલેસ, નંદકુવરબા શાળા, લાલ દવાખાનું (સર તખ્તસિંહજી હોસ્પિટલ ),  બાર્ટન લાઈબ્રેરી,આલ્ફ્રેડ હાઈસ્કૂલ સહિતના સ્થળો આપણા ભાવનગરની શાન છે.


ભાવનગર 
ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે. જેને અમદાવાદ, બોટાદ અને અમરેલી જિલ્લની સરહદ સ્પર્શ કરે છે. ભાવનગરમાં હાલમાં કુલ 10 તાલુકાઓ આવેલા છે  જેમા શિહોર, ઉમરાળા, ગારીયાધાર, વલ્લભીપુર, ઘોઘા, ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા અને જેસરનો સમાવેશ થાય છે.

ભાવનગરના દક્ષિણ દિશમા અરબી સમુદ્ર આવેલ છે. ભાવનગર 152 કિમીનો દરિયા કિનારો ધરાવે છે જેના કાંઠે કોળિયાક, ઝાંઝમેર, ગોપનાથ, અલંગ, પીરમબેટ, ચુડા જેવા ફરવાલાયક સ્થળો આવેલ છે. સાથે સાથે ઘોઘા ખાતે ઘોઘા-દહેજ અને ઘોઘા-હજિરા ફેરી માટેનું ટર્મિનલ આવેલ છે. અલંગ એ જહાજ ભાંગવા માટેનું સૌથી મોટુ સ્થળ આવેલ છે જ્યા વિદેશથી જહાજો અને શીપ ભંગાળ માટે આવે છે.

ભાવનગરમાં આવેલ અગત્યના સ્થળો

ગંગાજળિયા તળાવ

ગંગાદેરી


નીલમબાગ પેલેસ





ગૌરીશંકર તળાવ (બોર તળાવ)


અક્ષરવાડી


વિક્ટોરિયા પાર્ક


લોકગેટ..
ભાવનગરના નવા બંદરના વિકાસને વધારવા તેમાં કાંપને લીધે પુરાણ ન થાય તે માટે એશિયામાં સર્વ પ્રથમ લોકગેટ બાંધવાનો કલ્પના કરેલી અને તે માટે આયોજન કરાયા બાદ 1961માં લોકગેટ કાર્યરત થઇ ગયો હતો.



ગંગાદેરી...
ભાવનગરમાં નમૂનેદાર સ્થાપત્યોમાં  ગંગાદેરીની છે. સફેદ આરસમાંથી આગ્રાના તાજમહેલની પ્રતિકૃતિ સમી 'ગંગાદેરી’ આવેલ છે.




ટાઉનહોલ...
કૃષ્ણુકમારસિંહજીના લગ્ન જ્યાં થયેલા તે ટાઉનહોલ છે.. ઇટાલિયન માર્બલના બેશકિંમતી ઝુમ્મર અને અન્ય ડેકોરેશનની કલાત્મક ચીજો હતી . મહારાજા એ આ હોલ લગ્ન બાદ પ્રજાને અર્પણ કર્યો હતો.




ભાવનગર-તળાજા ટ્રેન...
સમગ્ર કાઠિયાવાડ પ્રાંતમાં સૌ પ્રથમ રેલવેનો ભાવનગર રાજ્યે, 18 ડિસેમ્બર 1880નાં રોજ પ્રારંભ કર્યો હતો અને બાદમાં ભાવનગર રાજ્યમાં આંતરિક રેલવે જોડાણ કરાયુ઼ હતુતેમાં છેક 1980ના દશકા સુધી ભાવનગરથી તળાજાની રેલવે લાઇન હતી તે સુવિધા હવે ઉપલબ્ધ નથી.




સંસ્કૃત પાઠશાળા...
સંસ્કૃત પાઠશાળાઓ કાર્યરત હતી પણ આજની તારીખે હવે એકાદ બે પાઠશાળા માંડ રહી છે. ભાવનગર રાજ્યએ તો તેના મહાલ(તાલુકા) કક્ષાએ પણ સંસ્કૃત પાઠશાળાઓ ઉભી કરી સંસ્કૃતનું શિક્ષણ આપવાનો આરંભ કર્યો હતો પણ એ વિરાસત જળવાઇ નથી.

સુએઝ પ્લાન્ટ...
ભાવનગર શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજવી કાળમાં જર્મનીમાંથી એન્જીનીયરને બોલાવીને કાર્યરત કરાયો હતો. જે ગટરના પ્રદુષિત પાણીને શુદ્ધ કરતો હતો. ભાવનગરમાં આઝાદી પહેલા આ પ્રકારનો પ્લાન્ટ સૌ પ્રથમ સ્થપાયો હતો પરંતુ બાદમાં તંત્રની આળસને કારણે અને બેદરકારીથી બંધ પડી ગયો હતો.

જુદા જુદા વિસ્તારમાં અખાડા...
બાળકો અને તરૂણોમાં સ્વાસ્થ્ય સંબંધે જાગૃતિ વધે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય તે માટે મહારાજાએ એક સમયે ભાવનગર શહેરમાં 22થી વધુ અખાડા કાર્યરત હતા તેમાં આજની તારીખે હવે માંડ ત્રણથી ચાર અખાડા કાર્યરત છે. અખાડાની પ્રવૃત્તિ માટે ભાવનગર નમૂનેદાર ગણાતું પણ હવે અખાડા નામશેષ થઇ ગયા છે.

દરબાર બેન્ક...
રાજવી પરિવારે 1 એપ્રિલ,1902ના રોજ બેન્ક શરૂ કરી તેનું પછી નામ ભાવનગર દરબાર સેવિંગ્ઝ બેન્ક રખાયું હત જેથી ભાવનગરમાં ઉદ્યોગ, વીજળી, બંદર વિગેરેની સુવિધા વધીહતી. બાદમાં આ બેન્કનું નામ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર રખાયુ઼ પણ 2008માં આ સમગ્ર બેન્કને એસબીઆઇમાં મર્જ કરી દેવાતા ભાવનગરને નુકશાન વેઠવું પડ્યું

ભાવનગરના સર્વાંગી વિકાસમાં બદલાવ લાવશે આ છ પ્રોજેક્ટ

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ
ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂટનું સંપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થવામાં છે અને આ રોડ સુવિધાજનક થવાથી ભાવનગરથી અમદાવાદ સુધી અઢીથી 3 કલાકમાં પહોંચી જવાશે. ભાવનગરથી સુરત અને વડોદરા જવા માટે પણ સુવિધા વધી છે.

સીએનજી ટર્મિનલ...
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સી.એન.જી.પોર્ટ ટમિર્નલની ભાવનગરમા થવાની છે અને આ ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટનની હશે. પોર્ટ બેઝિન માટેની ચેનલ, ડ્રેજીંગ વિગેરે સુવિધા હશે.

સાયન્સ મ્યુઝિયમ...
ભાવનગર શહેરમાં નારી ગામ પાસે 20 એકર વિશાળ જમીનમાં રૂપિયા 81 કરોડના ખર્ચે વિજ્ઞાન મ્યુઝિયમ સાકાર થશે. વિજ્ઞાન મ્યુઝિયમમાં 20 એકર જમીનમાં આશરે એક લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ થશે.

વ્હિકલ સ્ક્રેપ યાર્ડ...
ભાવનગરના અલંગ નજીક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ નિર્માણ પામશે. ફરનેસ જેવી સ્ક્રેપનો ઉપયોગ કરનાર ઇન્ડસ્ટ્રી પણ અલંગ નજીકમાં છે. આ ઉદ્યોગથી જિલ્લાના હજારો લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજીરોટી મળશે.

ખંભાતના અખાતનો પૂલ...
ભાવનગરથી ખંભાત સુધી અખાતમાં પૂલ બંધાતા અંતરમાં 100થી 150 કિલોમીટર જેવો ઘટાડો થશે. મીઠા પાણીની પાઇપલાઇન આ રોડની સમાંતર બનાવી શકાશે. ગેસ અને વીજ લાઇન સમાંતર રાખી શકાશે. તળ સુધરશે.

ચિત્રા મંદિર...
શહેરના ચિત્રામાં સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ સ્વામીનારાયણ મંદિર આકાર લઇ રહ્યું છે. 300 ફૂટ લંબાઇ, 250 ફૂટ પહોળાઇ અને 108 ફૂટ ઉંચા આ મંદિરમાં 6 લાખ ઘનફૂટ પથ્થર વપરાશે. 1000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહી શકશે.

01 February, 2022

ભારતીય તટરક્ષક દિવસ (Indian Coast Guard Day)

 ભારતીય તટરક્ષક દિવસ 

Indian Coast Guard Day

1 ફેબ્રુઆરી


સ્થપના: 1 ફેબ્રુઆરી 1977

મુખ્યાલય: નવી દિલ્હી

ધ્યેય વાક્ય (સૂત્ર): वयम् रक्षामः ( We Protect)

કાર્ય: ભારતીય દરીયાઇ સીમાની રક્ષા કરવી


લોગો


ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતમાં લગભગ સાત હજાર પાંચસો કિલોમીટરની દરિયાઈ સરહદોની સુરક્ષા અને રાહત અને બચાવ કાર્ય માટે જવાબદાર છે. ભારતની સમુદ્ર સીમાઓની રક્ષા કરનાર કોસ્ટ ગાર્ડ જવાનોને કારણે આજે આપણે સુરક્ષિત છીએ એવા ભારતીય તટરક્ષક દળનો આજે સ્થાપના દિવસ છે. 01 ફેબ્રુઆરી 1977ના રોજ ભારતમાં દરિયામાં ભારતના રાષ્ટ્રીય અધિકારક્ષેત્રની અંદર એક નવી સેવા તરીકે કોસ્ટ ગાર્ડનો ઉદભવ થયો, જે રાષ્ટ્રીય કાયદાનો અમલ કરવા અને જીવન અને સંપત્તિની સલામતીને સુનિશ્ચિત કરે છે.  એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નૌકાદળની સ્થાપના કરવી જોઈએ. તેના યુદ્ધ સમયના કાર્યોને બાજુ પર રાખો અને કાયદાના અમલીકરણની જવાબદારી માટે એક અલગ સેવા ઉભી કરવી જોઈએ, જે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઈટેડ સ્ટેટ્સ વગેરે જેવા સંપૂર્ણ સજ્જ અને વિકસિત રાષ્ટ્રના કોસ્ટ ગાર્ડ પર આધારિત હતી. આથી ભારતીય કોસ્ટ ગાર્ડનું ઔપચારિક ઉદ્ઘાટન 18 ઓગસ્ટ 1978ના રોજ કોસ્ટ ગાર્ડ એક્ટ, 1978 હેઠળ ભારતની સંસદ દ્વારા સંઘના સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે કરવામાં આવ્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડનું કાર્ય નીચે મુજબ છે -ખનીજ તેલ, માછલી અને ખનિજક્ષેત્ર સહિત આપણા સમુદ્રો અને સમુદ્ર તટોનું રક્ષણ કરવુ, મુશ્કેલીમાં નાવિકોને મદદ કરવી,  દરિયાઇ જીવન અને સંપત્તિનું રક્ષણ કરવું: સમુદ્ર, શિપિંગ, અનધિકૃત માછીમારી, દાણચોરી અને નાર્કોટિક્સ સંબંધિત દરિયાઇ કાયદાઓનો અમલ કરવો, દરિયાઇ પર્યાવરણ અને ઇકોલોજીની જાળવણી અને દુર્લભ પ્રજાતિઓનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવો અને યુદ્ધ દરમિયાન નૌકાદળને મદદ કરવી.

ભારતીય કોસ્ટ ગાર્ડનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તે પાંચ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે: (1)પશ્ચિમ ઝોન - પ્રાદેશિક મુખ્યાલય: મુંબઈ (2) પૂર્વીય ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્યાલય : ચેન્નાઈ (3) ઉત્તર પૂર્વીય ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્યાલય : કોલકાતા (4) આંદામાન અને નિકોબાર પ્રદેશ - પ્રાદેશિક મુખ્ય મથક: પોર્ટ બ્લેર (5)ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્ય મથક: ગાંધીનગર, (ગુજરાત)

ભારતીય તટ રક્ષક દળ એ વિશ્વનુ ચોથા નંબરનું સૌથી મોટુ તટ રક્ષક દળ છે. ભારતીય તટ રક્ષક દળના હાલના મહાનિયામક જનરલ વિરેન્દ્રસિંહ પઠાનિયા અને ઉપનિયામક વી.એસ.આર મુરથી છે. ભારતીય તટરક્ષક દળ પાસે હાલમા 20000થી વધુ સૈનિકો, 157 જહાજ (જેમા સમુદ્ર, સમર્થ સંકલ્પ, સમર, વિક્રમ..વગેરે ) અને 67 એરક્રાફ્ટ (ધ્રુવ અને ચેતક જેવા હેલિકોપ્ટર, ડોર્નિયર જેવા વિમાન), 18 હોવરક્રાફ્ટ ભારતીય તટરક્ષક દળ પાસે છે. 

                               ઓફિસિયલ વેસાઇટ: http://www.indiancoastguard.gov.in



03 May, 2021

ગુજરાત સ્થાપના દિવસ ( Gujarat Sthapana Divas)

 ગુજરાત સ્થાપના દિવસ ( Gujarat Sthapana Divas)

1 May 1960


"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત."-

- અરદેશર ખબરદાર



1960ની 1 મે એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી "બૃહદ મુંબઇ" રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.

ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું.


1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ગાંધીનગર નામ ગાંધીજીના નામ પરથી પાડવામાં આવ્યું છે, ગાંધીનગરને ગ્રીન સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.


ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.











ગુજરાત રાજ્યમાં 2022 સુધીમા 17 વ્યક્તિઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર નિયુક્ત થયા છે, તથા રાજ્યપાલના પદ પર 16 વ્યક્તિઓ નિયુક્ત થયા છે. હાલમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તથા આચાર્ય દેવવ્રત રાજ્યપાલ છે. 


ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા બન્યા હત, તથા પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ ગંઝ હતા,

ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ અને પ્રથમ મહિલા રાજ્યપાલ કમલા બેનીવાલ હતા. 


ગુજરાતની સ્થાપના થઇ ત્યારે ગુજરાતમાં ફક્ત 17 જિલ્લાઓ હતા. જેમા Ahmedabad, Amreli, Banaskantha, Bharuch, Bhavnagar, Dang, Jamnagar, Junagadh, Kheda, Kachchh, Mehsana, Panchmahal, Rajkot, Sabarkantha, Surat, Surendranagar and Vadodara. જેમા 1964માં 1 જિલ્લો ગાંધીનગર, 1966માં 1 જિલ્લો વલસાડ, 1997માં 5 જિલ્લા આણંદ, દાહોદ, નર્મદ,નવસારી અને પોરબંદર, 2000માં 1 જિલ્લો પાટણ, 2007માં 1 જિલ્લો તાપી,  અને 2013માં 7 જિલ્લાઓ અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમી દ્વારકા, મહીસાગર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લાઓની રચના કરવામાં આવી આમ 6 વાર બદલાવ કરીને હાલમાં 33 જિલ્લાઓ તથા 252 તાલુકાઓ છે.


કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે જ્યારે ડાંગ સૌથી નાનો છે.

અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે

જ્યારે કચ્છ સૌથી ઓછી વસતિ ગીચતા ધરાવે છે.


ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે.તથા ગુજરાતની સરહદને પાકિસ્તાન દેશની સરહદ સ્પર્શ કરે છે.

ગુજરાત એ ભારતનું વિસ્તારની દ્રષ્ટીએ છઠ્ઠા નંબરનું અને વસતિના આધારે નવમું રાજ્ય છે.( 2011ની વસતિ ગણતરી મુજબ)



ગુજરાતના 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. જેમા કચ્છ, પાટણ, સાબરકાંઠા,મહેસાણા, અરવલ્લી,  ગાંધીનગર 

(યાદ રાખવાની ટ્રીક: કપાસ મે આગ)


ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. આ દરિયા કિનારે ગુજરાતના કુલ 15 જિલ્લાઓ આવેલા છે જેમા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.



ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.




પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે . તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે


ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.





ગુજરાતમાં ઘણાં 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાતમાં સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. જેસર તાલુકામાં આવેલ હિંગોળગઢ એ પ્રાકૃતિક શિક્ષણ માટેનું અભ્યારણ છે.


નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે.



નર્મદા નદી પર સાધુ બેટ ટેકરી પર સરદાર વલ્લભભાઇ પટેલની 182મી ઉંચી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવેલ છે. જેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ ઉપરાંંત નર્મદા નદી પર ભારતનો ત્રીજા નંબરનો સૌથી મોટો બંધ સરદાર સરોવર બંધ બનાવેલ છે. 





અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે




ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જેમાં ઘણા પ્રાચીન મહાનગરો જેવા કે લોથલ, ધોલાવીરા અને ગોલા ધોરો હતા. ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યારબાદ તેમના પૌત્ર અશોકે 322 B.C થી 232B.C વચ્ચે, હાલના ગુજરાતના ઘણા રાજ્યો પર શાસન કર્યું. ત્યારબાદ, મોગલ બાદશાહ અકબર સહિત અન્ય ઘણા શક્તિશાળી શાસકોએ પણ ગુજરાતમાં શાસન કર્યું.



 

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ "નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ" છે જે અમદાવાદમાં આવેલ છે. જેની કેપેસીટી 132000 વ્યક્તિઓની છે.


વિશ્વનું સૌથી મોટુ મીઠાનું રણ


‘કચ્છનું સફેદ રણ’ એ ગુજરાતના કચ્છ જિલ્લાના થર રણમાં સ્થિત એક વિશાળ મીઠાનું રણ છે. 7500 ચોકિમીના વિસ્તારમાં ફેલાયેલ છે, તે વિશ્વના સૌથી મોટા મીઠાના રણમાં એક માનવામાં આવે છે. 45674 ચોકિમી  વિસ્તાર સાથે, કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છનો અર્થ છે ‘કંઈક એવું કે જે તૂટક તૂટક ભીનું થઈ જાય છે 



 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની જામનગર ઓઇલ રિફાઇનરી એ ભારતની અને વિશ્વની  સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે. 




 ગુજરાતમાં અલંગ શિપયાર્ડ, વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, જે વિશ્વભરમાં બચાવેલા લગભગ બધા જ વહાણોમાંથી અડધા રિસાયકલ કરે છે. 



 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્યની સ્થાપના 1965 માં થઈ હતી, જેનો કુલ વિસ્તાર 1412 ચોકિમી છે. તે એશિયામાં એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં એશિયાટિક સિંહો મળી શકે છે. 2015 માં છેલ્લી એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીમાં સિંહની વસ્તી 523 હોવાનું બહાર આવ્યું હતું. 




 ગાંધીનગર- એશિયામાં ગ્રીનએસ્ટ કેપિટલ સિટી ગુજરાતની રાજધાની, ગાંધીનગર, એશિયામાં હરિયાળી રાજધાની માનવામાં આવે છે, તેની લગભગ 50% જમીન લીલોતરીથી ઢંકાયેલી છે. 1970 સુધી, અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. 


 અમૂલ અને વ્હાઇટ ક્રાંતિ 
અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ, એએમયુએલ તરીકે વધુ જાણીતું છે, તે ગુજરાતમાં આણંદ સ્થિત છે. અમૂલ ભારતમાં માર્કેટિંગ સંસ્થા છે અને સંયુક્તપણે ગુજરાતમાં 3.6 મિલિયન દૂધ ઉત્પાદકોની માલિકી છે. અમૂલે દેશમાં શ્વેતક્રાંતિની શરૂઆત કરી અને આજે ભારત દુધ અને દૂધના ઉત્પાદનોનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારતીય ડેરી સહકારી, એએમયુએલનું સંચાલન ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે સૌથી મોટા ખાદ્ય ઉત્પાદન છે. 


સુરત, ભારતનું ડાયમંડ સિટી હીરા કાપવા અને પોલિશ કરવા માટે સુરત એક મુખ્ય વિશ્વ હબ છે અને માથાદીઠ આવકના સંદર્ભમાં ભારતના સૌથી ધનિક શહેરોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વમાં વેચતા લગભગ 10 માંથી 8 હીરા સુરતમાં પોલિશ્ડ છે. ચંદીગઢ અને મૈસુર પછી તે ભારતનું ત્રીજું સ્વચ્છ શહેર પણ છે. 



ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા પ્રભાસ પાટણ શહેરમાં સ્થિત સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. પ્રાચીન કાળથી, સોમનાથનું સ્થળ એક તીર્થસ્થળ રહ્યું છે અને આ મંદિર ભારતના શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપવામાં આવેલા, દ્વારકા 10,000 વર્ષો પહેલા અસ્તિત્વ ધરાવે છે અને એવું માનવામાં આવે છે કે તે ગુજરાતની પ્રથમ રાજધાની છે. આજે આ દરિયાકાંઠેનું શહેર હિન્દુ માન્યતાઓ અનુસાર ‘ચાર ધામ’ (ચાર ધાર્મિક બેઠકો) માંનું એક છે. બદરીનાથ, પુરી અને રામેશ્વરમ અન્ય ત્રણ છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દ્વારકાદિશ મંદિર મૂળ આશરે 2500 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ મહેમૂદ શાહે તેનો નાશ કર્યો હતો. પાછળથી તે 16 મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

ગુજરાતના ભાવનગરમાં શેત્રુંજય ટેકરી વિશ્વનો એકમાત્ર પર્વત છે જેમાં 850 થી વધુ આરસના કોતરવામાં આવેલા જૈન મંદિરો છે. સ્વેત્મ્બર જૈનો દ્વારા આ સ્થળ પવિત્ર માનવામાં આવે છે. દિગમ્બર જૈનોની ટેકરી પર એક જ મંદિર છે

વડોદરાનો મેજેસ્ટીક લક્ષ્મી વિલાસ મહેલ


1890 માં મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બાંધવામાં આવેલું આ મહેલ 500 એકર જમીનમાં પથરાયેલું છે. ભારતમાં બાંધવામાં આવેલું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન તરીકે જાણીતા, તે લંડનના બકિંગહામ પેલેસ કરતા ચાર ગણો મોટો છે.


ગુજરાત વિશેની માહીતી માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ પુસ્તક " ગુજરાત એટ ગ્લાન્સ" છે જેની PDF મેળવવા અહી ક્લિક કરો.