મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વૈજ્ઞાનિક. Show all posts
Showing posts with label વૈજ્ઞાનિક. Show all posts

17 February, 2023

નિકોલસ કોપરનિક્સ (Nicolaus Copernicus)

 

        


 આધુનિક ખગોળશાસ્ત્રના પિતા નિકોલસ કોપરનિક્સ      

 જન્મ તારીખ: 19 ફેબ્રુઆરી 1473

જન્મ સ્થળ: થોર્ન, રોયલ પુર્સિયા, પોલેન્ડ

અવશાન: 24 મે 1543

        આજે આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે ઘણું જાણીએ છીએ. અવકાશ વિજ્ઞાનઓએ અંતરિક્ષનો અભ્યાસ કરીને ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. પરંતુ પુરાતન કાળમાં માણસને પૃથ્વી કે સૂર્ય, ચંદ્ર વિશે કશી જ જાણકારી નહોતી.તે સમયે સૂર્ય અને ચંદ્ર દેવ ગણાતા તેમની પૂજા થતી. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર તેની આસપાસ ફરે છે તેવી માન્યતા હતી. તે જમાનામાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વગેરેનો અભ્યાસ પણ થતો. સંશોધનના સાધનો પણ પૂરતાં નહોતા.તેમ છતાં કલ્પના અને ગણતરી વડે ઘણા સંશોધનો થતાં. ધર્મશાસ્ત્રીઓ પણ ઉચ્ચ કક્ષાના વિજ્ઞાાનીઓ હતા. તેવા જમાનામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. આ શોધ પછી ખગોળશાસ્ત્રને નવી દિશા મળી અને વધુ સંશોધનો થવા લાગ્યા



        નિકોલસ કોપરનિકસનો જન્મ 19 ફેબ્રુઆરી 1473 માં પોલેન્ડના એક સમૃદ્ધ નગરમાં થયો હતો. તેઓ એક ખગોળ શાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેના પિતા ન્યાયાધિશ હતા. સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મેલા નિકોલસના પિતા તેની બાળવયમાં જ અવસાન પામેલા. નિકોલસનો ઉછેર તેના પાદરી મામાને ત્યાં થયો હતો. એટલે બાળવયથી જ તે ધાર્મિક વૃત્તિનો હતો. યુવાન થતા જ નિકોલસ પોલેન્ડની ક્રેકો યુનિવર્સિટીમાં જોડાયો હતો. તે સમયમાં વહાણવટાનો ઉદ્યોગ વિકાસ પામેલો. સાહસિકો લાંબી દરિયાઇ સફર કરતા. તેમને ભૂગોળ અને અવકાશના જ્ઞાાનની જરૃર હતી. નિકોલસે કાયદાનો અભ્યાસ કરેલો. તેના ધાર્મિક સ્વભાવને કારણે તેને લોકોની સેવા અને ધર્મપ્રચાર કરવાની ઇચ્છા હતી. ગરીબ દર્દીઓની સેવા કરવા તેણે તબીબી અભ્યાસ પણ કર્યો.

નિકોલસ પ્રથમ યુરોપીયન ખગોળશાસ્ત્રી હતા જેમણે બ્રહ્માંડના કેન્દ્રની બહાર પૃથ્વીનો વિચાર કર્યો, એટલે કે સૂર્યકેન્દ્રીય મોડેલ લાગુ કર્યું. આ પહેલા, સમગ્ર યુરોપ એરિસ્ટોટલના ખ્યાલમાં માનતો હતો, જેમાં પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર હતું અને સૂર્ય, તારાઓ અને અન્ય  તેની આસપાસ ફરે છે. આ માન્યતાની વિરુદ્ધ બોલનારને લોકો અધર્મી કહીને વખોડતાં અને ફાંસીની સજા પણ આપવામાં આવતી. 



1530 માં, કોપરનિકસનું પુસ્તક ડી રિવોલ્યુશન (De Revolution)  પ્રકાશિત થયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરી પર એક દિવસમાં પરિભ્રમણ કરે છે અને એક વર્ષમાં સૂર્યની ક્રાંતિ પૂર્ણ કરે છે. કોપરનિકસે તારાઓની સ્થિતિ નક્કી કરવા માટે પ્રુટેનિક કોષ્ટકો(Prutenic Tables) બનાવ્યાં, જે અન્ય ખગોળશાસ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય બન્યાં. તેમનું આ પુસ્તક  તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયું હતું. તેમણે આ પુસ્તક પ્રકાશિત ના કરી શક્યા તેનો વસવસો રહી ગયો.. આખરે તેમના એક નજીકના મિત્ર રેટિક્સે આ પુસ્તક પ્રકાશિત કર્યુ. આ પુસ્તકને આધુનિક ખગોળશાસ્ત્રની શરૂઆત માનવામાં આવે છે.

પાછળથી,  ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી, ત્યારે તેમના આ સિદ્ધાંતોની પુષ્ટિ થઈ.

તેમની શોધને વિજ્ઞાન જગતમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે. તેમણે કોઈપણ સાધનનો ઉપયોગ કર્યા વિના આ નિષ્કર્ષ કાઢ્યો હતો. તે કલાકો સુધી નરી આંખે અવકાશમાં તાકી રહેતો અને ગાણિતિક ગણતરીઓ દ્વારા યોગ્ય તારણો મેળવવાનો પ્રયાસ કરતો.



      કોપરનિકસનું યોગદાન

કોપરનિકસના અવકાશ વિશેના સાત નિયમો જે તેમના પુસ્તકમાં ઉલ્લેખિત છે તે નીચે મુજબ છે:


બધા અવકાશી પદાર્થો કોઈ એક નિશ્ચિત કેન્દ્ર દ્વારા ઘેરાયેલા નથી.

પૃથ્વીનું કેન્દ્ર બ્રહ્માંડનું કેન્દ્ર નથી. તે માત્ર ગુરુત્વાકર્ષણ અને ચંદ્રનું કેન્દ્ર છે.

બધા ગોળા (અવકાશી પદાર્થો) સૂર્યની આસપાસ ફરે છે. આમ સૂર્ય બ્રહ્માંડનું કેન્દ્ર છે. (આ નિયમ ખોટો છે.)

સૂર્યથી પૃથ્વીનું અંતર આકાશની સીમાથી પૃથ્વીના અંતરની તુલનામાં ખૂબ જ ઓછું છે.

આપણે આકાશમાં જે કંઈ હિલચાલ જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિને કારણે છે. (આંશિક રીતે સાચું)

આપણે જે કંઈપણ સૂર્યની ગતિ તરીકે જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિ છે.

ગ્રહોની જે પણ ગતિ આપણે જોઈએ છીએ તેની પાછળ પૃથ્વીની ગતિ પણ જવાબદાર છે.



નિકોલસ કોપરનિકસનું મૃત્યુ 24 મે, 1543 ના રોજ થયું હતું. 

કોપરનિકસનું યોગદાન વિશ્વમાં ક્યારેય ન ભુલાય તેવું યોગદાન છે. કોપરનિકસે જૂની માન્યતાઓને તોડીને બ્રહ્માંડને વૈજ્ઞાનિક તથ્યો સાથે સમજાવ્યું.


15 February, 2022

ગેલેલિયો ગેલિલી (Galileo Galilei)

 ગેલેલિયો ગેલિલી

 ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક


જન્મતારીખ: 15 ફેબ્રુઆરી 1564

જન્મ સ્થળ : પીઝા, ઇટલી
અવશાન: 8 જાન્યુઆરી 1642

ગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં 15 ફેબ્રુઆરી 1564ના રોજ થયો હતો.  જે એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતા.  તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ(lutenist), સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી(Vincenzo Galilei) અને જુલિયા અમ્માંન્નાતીના છ બાળક પૈકી એક હતા.. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો(Michelagnolo)એ લ્યૂટનિસ્ટ(lutenist) અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.

તેમનો પરિવાર ઘણો ગરીબ હતો. તેમણે બાળપણનું શિક્ષણ ફ્લોરેન્સ શહેરમાં મેળવ્યું હતું. જ્યારે તે મોટા થયા ત્યારે તેમણે તે પિતાને તેમના કામમાં મદદ કરી. તેમની પ્રતિભાને જાણી તેમના પિતાએ ફરીથી અભ્યાસ શરૂ કરાવ્યો.. વર્ષ 1581માં તેમણે મેડિકલ સાયન્સમાં એડમિશન લઈને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.

તબીબી વિજ્ઞાનમાં તેમને રસ ના હતો  તેમને વૈજ્ઞાનિક શોધની દિશામાં કામ શરુ કર્યુ.. જ્યારે 1591 માં પિતાનું અવસાન થયું. તે દરમિયાન ગેલેરી સૌથી મોટા હતા આથી, તેમના ખભા પર સમગ્ર પરિવારની જવાબદારી આવી ગઈ હતી. ગંભીર નાણાકીય કટોકટી વચ્ચે, બહેનોના લગ્ન માટે દહેજ એકત્રિત કરવું ખૂબ મુશ્કેલ હતું. તે સમયે ઈટાલીમાં દહેજની પ્રથા ચાલી રહી હતી. આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે, ગેલિલિયોએ ટ્યુશનની સાથે કપડાની દુકાન અને ગણિતના સાધનોની દુકાન ખોલી, જેનાથી તે આર્થિક રીતે નફાકારક બન્યો. પારિવારિક જવાબદારીઓ વચ્ચે, ગેલિલિયોએ તેમનો અભ્યાસ અને શિક્ષણ છોડ્યું ન હતું. તેઓએ તેમનો અભ્યાસ અને શિક્ષણ ચાલુ રાખ્યું

ગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પરથી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા,હતા તે જ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.

4 એપ્રિલ 1597 ના રોજ, ગેલિલિયો ગેલિલીએ એક ટેલિસ્કોપની શોધ કરી જે 32 ગણી મોટી જોઈ શકે છે. ગેલિલિયોએ તેને 1609 માં તેની દુકાનમાં વેચવાનું શરૂ કર્યું. તે સમયે જે દૂરબીન વેચાતી હતી તેનો ઉપયોગ અમુક અંતર જોવા માટે થતો હતો. તેમના દ્વારા બનાવેલા ટેલિસ્કોપથી સાબિત થયું કે સૂર્ય પર પણ કેટલાક ફોલ્લીઓ છે. આકાશગંગા એ તારાઓનો સમૂહ છે. ગુરુ પાસે ઘણા ઉપગ્રહો છે

ગેલિલિયોએ તેની એક મહત્વની શોધમાં એરિસ્ટોટલના સિદ્ધાંતને ખોટો ઠેરવ્યો હતો કે જો ઓછા વજનની અને વધુ દળની વસ્તુને પૃથ્વી પર એકસાથે છોડવામાં આવે તો વધુ દળની વસ્તુ ઝડપથી પડી જશે.પીઝાના ટાવર પર ચઢીને, તેણે એક જ સમયે ઊંચા અને ઓછા વજનના દડા છોડ્યા. આ ઐતિહાસિક પ્રયોગને જોવા માટે ધાર્મિક નેતાઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને બૌદ્ધિકો એકઠા થયા હતા. લોકોએ સ્પષ્ટપણે જોયું કે બંને શેલ એક સાથે નીચે આવ્યા હતા.

1611 માં ટેલિસ્કોપની શોધ માટે, ગેલિલિયોએ 1585 થી 1586 દરમિયાન હાઇડ્રોસ્ટેટિક બેલેન્સ તૈયાર કર્યું. આમાં વિવિધ પ્રવાહીના ગુણધર્મોનો અંદાજ લગાવવો સરળ બન્યો. 3 વર્ષ પછી, તેમણે ઘન પદાર્થની ગતિના નિયમો રજૂ કર્યા. તેની શોધને કારણે તેને આધુનિક આર્કિમીડીઝ કહેવામાં આવે છે.

વર્ષ 1632માં, જ્યારે ગેલિલિયોએ સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવ્યું હતું, પૃથ્વી નહીં, અને પૃથ્વીને અસ્થિર અને સૂર્યને સ્થિર ગણાવ્યો હતો, ત્યારે તેમના થીસીસમાં તેમને કટ્ટરપંથીઓએ ધર્મ વિરોધી ગણાવ્યા હતા. જેના કારણે તેમને 8 વર્ષ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે સર્જન ક્રમ ચાલુ રાખ્યો. વર્ષ 1637માં તે સંપૂર્ણ અંધ બની ગયો હતો. 8 જાન્યુઆરી 1642ના રોજ તેને તાવ આવ્યો. આ રીતે એક મહાન વૈજ્ઞાનિક અને શોધકનું અવસાન થયું

તેમણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેમણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેમના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ", અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે

 ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.
તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વી કેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્ય કેંદ્રીવાદ(heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ(Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ(Two New Sciences)"નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો
ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવા કૉપરનિકસના વાદનું સમર્થન કરવા માટે ગૅલિલિયોને ચર્ચ સાથે વિખવાદ થયો. તેમના કાર્યનો સારો એવો ભાગ યંત્રશાસ્ત્રને લગતો છે અને તેના વિશ્લેષણ માટે ગણિતનો ઉપયોગ કરનાર તેઓ સૌપ્રથમ હતા. ઘડિયાળ માટે લોલકના ઉપયોગનું સૂચન કર્યું અને અવકાશમાંથી પૃથ્વી તરફ પડતા પદાર્થના અચળ પ્રવેગના નિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો. ગૅલિલિયોએ ખગોલીય દૂરબીન (terrestrial telescope) વિકસાવ્યું અને તેની મદદથી ચંદ્ર ઉપર જ્વાળામુખી પર્વતનાં મુખ (craters), સૂર્યકલંકો (sunspots), બુધના ગ્રહ(Mercury)ની કળા અને ગુરુ(Jupiter)ના ગ્રહના ઉપગ્રહો(satellites  – moons)ની શોધ કરી હતી. વળી તેમણે બતાવી આપ્યું કે આકાશગંગા (Milky Way) તારાઓની બનેલી છે. 

કૉપરનિકસના સિદ્ધાંતને અપનાવવા માટે તથા તેનું શિક્ષણ આપવાના અપરાધ માટે તેમના જીવનનાં છેલ્લાં આઠ વર્ષ ઘરમાં નજરકેદની સજા ફરમાવવામાં આવી હતી. તેમની મુખ્ય કૃતિઓ (1) ‘ડાયલૉગ કન્સર્નિગ ધ ટૂ ચીફ વર્લ્ડ સિસ્ટિમ્સ – ટૉલેમિક ઍન્ડ કોપરનિકસ’ (1632) અને (2) ‘ડાયલૉગ કન્સર્નિગ ટૂ ન્યૂ સાયન્સીઝ’ (1638) હતી. છેલ્લી માહિતી મુજબ આશરે સાડાચારસો વર્ષ પછી નામદાર પોપે ગૅલિલિયોને તેમના ઉપર મૂકેલા આરોપમાંથી મુક્ત થયેલા જાહેર કર્યા છે.

સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ અંગે લાંબા ગાળાના તલસ્પર્શી અભ્યાસ માટેનું અમેરિકાનું અંતરિક્ષયાન. સત્તરમી સદીમાં ઇટાલીના જગવિખ્યાત ખગોળશાસ્ત્રી ગૅલિલિયો ગૅલિલીએ દૂરબીનની મદદથી ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો શોધી કાઢ્યા હતા. તેની સ્મૃતિમાં આ અંતરિક્ષયાનને ગૅલિલિયો નામ આપવામાં આવ્યું હતું.


વર્ષ 2009મા ગેલેલિયોના જન્મને 400 વર્ષ થતા હોવાથી આ વર્ષને આંતરરાષ્ટ્રીય ખગોળ વર્ષ તરીકે જાહેર કરાયુ હતું.

ગેલિલિયો ગેલિલીનો જીવન પરથી, ન્યૂટને તેની ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમોને આગળ વધાર્યા. 

ગેલેલિયોના જીવન આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 


19 October, 2021

ડો. સુબ્રમણ્યન ચંદ્રશેખર

                                               ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખર 

(ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, એસ્ટ્રોનોમર)


नाम – डॉ. सुब्रह्मण्यम चंद्रशेखर
जन्म – 19 अक्तूबर, 1910
जन्म स्थान – लाहौर, पाकिस्तान
पिता का नाम – सुब्रह्मण्यम आयर
माता का नाम – सीतालक्ष्मी
पत्नी – ललिता चन्द्रशेखर
शिक्षा – 1930 में B.Sc. भौतिक विज्ञान ऑनर्स में टॉप
मृत्यु – 21 अगस्त, 1995, शिकागो, संयुक्त राज्य अमेरीका
पुरस्कार-उपाधि 
नोबेल पुरस्कार, कॉप्ले पदक, नेशनल मेडल ऑफ साइंस, पद्म विभूषण


ભારતીય મૂળના અને 1953માં અમેરિકાના નાગરિક બનેલા પ્રો. સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો જન્મ 19મી ઑક્ટોબર 1910ના રોજ બ્રિટિશ શાસનકાળમાં લાહોરમાં થયો હતો. લાહોર ત્યારે ભારતમાં હતું અને ત્યાં તેમના પિતાશ્રી ચંદ્રશેખર સુબ્રમણ્યમ ઐય્યર (1885–1960) દક્ષિણ-પશ્ચિમ રેલ-વિભાગમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ હતા. તેમની માતૃભાષા તમિળ હતી. 

ચંદ્રના પિતા કર્ણાટક સંગીતમાં અને વાયોલિન વગાડવામાં નિપુણ હતા. તેમણે સંગીતશાસ્ત્રમાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ ઉપરાંત વાર્તા જેવા સાહિત્યપ્રકારો પણ ખેડેલા. સંગીત અને સાહિત્યનો આ વારસો ચંદ્ર સહિત અન્ય સંતાનોમાં પણ ઊતરી આવ્યો હતો. 

માતાનું નામ સીતાલક્ષ્મી ઐય્યર (1891–1931) હતું. ચંદ્રના ઉછેરમાં તેમનો ફાળો પણ મહત્વનો હતો. તે ઝાઝું ભણ્યાં ન હતાં; પરંતુ પોતાના પતિ પાસે 14 વર્ષની વયે અંગ્રેજી શીખવાનું શરૂ કરી તેમાં એટલી હદે પ્રભુત્વ મેળવ્યું કે અન્ય પુસ્તકોની સાથે, ઇબ્સનના ‘Doll’s House’ પુસ્તકનું અંગ્રેજીમાંથી તમિળમાં ભાષાંતર પણ કર્યું, જે પાછળથી તમિળ શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યું હતું.

ચંદ્રશેખરનો પરિવાર વૈજ્ઞાનિકોનો પરિવાર છે. ચંદ્રના દાદા (પિતામહ) રામનાથન ચંદ્રશેખર (1866–1910) ગણિતમાં અસાધારણ શક્તિ ધરાવતા હતા. ચંદ્રના જન્મ પહેલાં સાત મહિના અગાઉ જ (માર્ચ 1910માં) દાદાનું અવસાન થતાં, તેમની સ્મૃતિમાં ચંદ્રનું નામ (ચંદ્રેશખર) રાખવામાં આવેલું. 

તેમના એક કાકા ડૉ. સી. રામસ્વામી મોસમ-વિજ્ઞાની તરીકે પ્રખ્યાત હતા, અને બીજા કાકા નોબેલ પુરસ્કાર વિજેતા સર સી. વી. રામન (1888–1970) હતા. 

પ્રો. ચંદ્રશેખરના ત્રણે ભાઈ પાછળથી પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા. જેમ કે, ડૉ. રામનાથન થુમ્બા અંતરિક્ષ સંશોધન કેન્દ્રમાં ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક હતા, ડૉ. બાલકૃષ્ણ પુદુચેરી-(પોંડિચેરી)ની વિખ્યાત મૅડિકલ કૉલેજ ઑબ્સ્ટેટ્રિક્સ(obstetrics)માં પ્રોફેસર હતા, તો પ્રો. વિશ્વનાથન તાતા આયર્ન અને સ્ટીલ કારખાનાના જનરલ મૅનેજર હતા.

1915માં ઘરમાંથી જ પ્રારંભિક શિક્ષણની શરૂઆત. 1918માં ચંદ્રશેખર પરિવાર ચેન્નાઈ (મદ્રાસ) આવ્યું. 1921માં હિંદુ હાઈસ્કૂલ(ટ્રિપ્લિકેન, ચેન્નાઈ)માં 11 વર્ષના ચંદ્રનું વિધિવત ભણતર ચાલુ થયું. ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં 1925માં ઇંટર (સાયન્સ) અને 1930માં બી.એ.(ઑનર્સ). 1929માં ‘પ્રોસિડિંગ્ઝ ઑફ રૉયલ સોસાયટી’ અને ‘ફિલૉસૉફિકલ મૅગેઝિન’માં સંશોધન-લેખો પ્રકાશિત થયા. ઈ. સ. 1930માં વધુ અભ્યાસ માટે સરકારી શિષ્યવૃત્તિ મેળવીને 31 જુલાઈના રોજ મુંબઈથી સમુદ્રી જહાજ દ્વારા ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.

 તે વખતે તે માત્ર 20 વર્ષના હતા. ત્રણ વર્ષની અંદર જ (1933માં) તેમણે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ દરમિયાન તેમણે કેટલાક શોધપત્રો લખ્યા જે પ્રસિદ્ધ વિજ્ઞાનપત્રિકાઓમાં પ્રસિદ્ધ થયા. આ જ સમયગાળામાં આર્થર એડિંગ્ટન, ઍડવર્ડ મિલ્લે, રૉલ્ફ ફાઉલર વગેરે પ્રસિદ્ધ ખગોળવિદોના પરિચયમાં આવ્યા. યુવાન ચંદ્રશેખર તેમની સાથે, ખાસ કરીને આર્થર એડિંગ્ટન (1882–1944) સાથે પોતાના શોધકાર્ય અંગે ચર્ચા કરતા હતા.

ડૉ. ચંદ્રશેખર તે દિવસોમાં શ્વેત વામન (White dwarf) નામના તારા અંગે સંશોધન કરતા હતા. આવા તારા કદમાં નાના, પણ વજન(દ્રવ્યમાન)માં બહુ ભારે હોય છે, અર્થાત્ તેમનું ઘનત્વ અત્યધિક હોય છે. તેમાંથી જો એકાદ ચમચી જેટલું પણ લઈએ તો તેનું વજન એક હાથી કરતાં પણ વધુ થાય ! 

હકીકતે 1930માં ઇંગ્લૅન્ડ જતી વખતે સમુદ્રી-યાત્રા દરમિયાન જ તેમણે ગણતરી કરીને જાણી લીધું હતું કે કોઈ તારાને શ્વેત વામન બનવા માટે કેટલું દ્રવ્યમાન જોઈએ. બીજી રીતે કહીએ તો, તેમણે એ શોધી કાઢ્યું કે શ્વેત વામન બનવા માટે તારાના દ્રવ્યમાનની માત્રા કેટલી જોઈએ. 

શ્વેત વામન તારા બનવા માટે દ્રવ્યમાનની આ સીમા, હદ કે મર્યાદાને આજે ખગોળમાં તેમના માનમાં ‘ચંદ્રશેખર-સીમા’ (Chandrasekhar Limit) કહેવાય છે.

 આ એક તદ્દન મૌલિક વિચાર હતો. કારણ કે તે પહેલાં ખગોળવિદો એવું માનતા હતા કે બધા જ તારા બળતણ ખલાસ થઈ જતાં અંતમાં સંકોચાઈને શ્વેત વામન તારા બની જાય છે, પણ ચંદ્રશેખરે કહ્યું કે બધા જ તારા કાંઈ શ્વેત વામનમાં ફેરવાતા નથી. અત્યંત જટિલ ગણતરીઓ કરીને તેમણે સાબિત કર્યું કે જે તારાનું દ્રવ્યમાન આપણા સૂર્યના દ્રવ્યમાનથી આશરે સવા ગણું હોય છે, તે જ તારા અંતમાં શ્વેત વામન બની શકે છે; પરંતુ જે તારાનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાનથી લગભગ દોઢ ગણાથી વધુ હોય (1.5 અથવા ચોકસાઈથી કહીએ તો, 1.44 સૂર્યદળથી વધુ હોય), તેવા તારા જીવનવિકાસના અંતિમ તબક્કામાં શ્વેત વામન નહીં બને. બલકે આવા તારા હજુ અધિક સંકોચાતા જશે, અને છેવટે ક્યાં તો અતિસઘન ન્યૂટ્રૉન તારા બનશે કે પછી બ્લૅક હોલ કે કૃષ્ણ-વિવર (Black hole) એટલે કે ‘અર્દશ્ય તારા’ બની જશે. બ્લૅક હોલને શ્યામલ વેહ પણ કહી શકાય. 

આકાશમાં અબજો-ખર્વો સંખ્યામાં તારાઓ છે. આમાંથી ઘણા તારા આપણા સૂર્યથી અધિક મોટા છે, તો કોઈ ઘણા નાના પણ છે. ડૉ. ચંદ્રશેખરે તારાઓની ઉત્ક્રાન્તિ અંગે – તેમના જીવનક્રમ અંગે એક નવો વિચાર, એક નવો સિદ્ધાંત, રજૂ કર્યો.



ટૂંકમાં, ડૉ. ચંદ્રશેખરે ગણિતની ગણતરીઓ દ્વારા સિદ્ધ કર્યું કે જો તારાનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાનથી આશરે 1.44 ગણાથી વધુ હોય, તો તેનુ સંકોચન શ્વેત વામનની અવસ્થાથી પણ આગળ ચાલુ રહેશે (સૂર્યથી 1.44 ગણા દ્રવ્યમાનને ‘ચંદ્રશેખર-સીમા’નું નામ આપવામાં આવ્યું છે.) જે તારામાં ચંદ્રશેખર-સીમાથી અધિક દ્રવ્ય હોય, તેવા તારા છેવટે અતિસઘન ન્યૂટ્રૉન તારા અથવા તો પછી બ્લૅક હોલ બની જશે.

ચંદ્રશેખરે આ અંગેનો શોધલેખ તૈયાર કરીને ઇંગ્લૅન્ડની રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીની જાન્યુઆરી, 1935ની એક બેઠકમાં રજૂ કર્યો. તે વખતે તેમની વય ચોવીસ વર્ષની હતી. તેમને આશા હતી કે પોતાની આ નવી શોધને વધાવી લેવાશે. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમના ગુરુ સમા આર્થર એડિંગ્ટને જ તેનો જબ્બર વિરોધ કર્યો ! આવા સમર્થ ખગોળવિદે વિરોધ કર્યો એટલે પછીનાં ઘણાં વર્ષો સુધી તેમની આ શોધ અસ્વીકૃત રહી. પણ નાહિંમત થઈને બેસી રહેવાને બદલે તેમણે આ દરમિયાન પોતાની શોધને વિસ્તારીને તારાઓની સંરચના અને વિકાસને લગતું એક પુસ્તક લખ્યું. સન 1939માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનું નામ હતું ‘An Introduction to the Study of Stellar Structure’. પાછળથી, પંદર-વીસ વર્ષ બાદ, ચંદ્રશેખરની આ શોધને સ્વીકૃતિ મળી અને તેમનું આ પુસ્તક સમગ્ર વિજ્ઞાનઆલમમાં મશહૂર થયું. 

તારાઓની સંરચના અને વિકાસ સંબંધિત શોધ કરવા બદલ 1983માં તેમને ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. 

આમ તેમણે કરેલી શોધનું લગભગ 50 વર્ષ બાદ ઉચિત સન્માન થયું ! આ સંબંધી એક વાત યાદ રાખવા જેવી એ છે કે ડૉ. ચંદ્રશેખરને આ નોબેલ પુરસ્કાર એ શોધ માટે મળ્યો કે જે તે સમયે (ઈ. સ. 1930–35) તેમણે કરી હતી જ્યારે તે ભારતીય નાગરિક હતા અને તત્કાલીન ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને ઇંગ્લૅન્ડમાં આગળ અભ્યાસ કરવા ગયા હતા.

સન 1936માં પહેલી વાર અમેરિકાની સફરે ગયા. પણ ત્યાં લાંબું ન રોકાતા તે જ વર્ષે સ્વદેશ પાછા ફર્યા અને પૂર્વ-પરિચિત યુવતી લલિતા સાથે 11 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યાં. ભારતમાં તેમની સ્થાયી થવાની ઇચ્છા હોવા છતાં કોઈ યોગ્ય પદ ન મળ્યું. ઇંગ્લૅન્ડથી પણ મન ભરાઈ ગયું હતું એટલે ત્યાં જવાની પણ તેમની ઇચ્છા ન હતી.

 તે અરસામાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળતાં ઈ. સ. 1936માં પત્ની સાથે ત્યાં ગયા. પહેલાં તો યર્કીઝ વેધશાળામાં જોડાયા અને પછી શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક નિમાયા. ત્યાંથી જીવનના અંતિમ દિવસ સુધી ડૉ. ચંદ્રશેખર અમેરિકામાં જ રહ્યા. 

ઑક્ટોબર, 1953માં પતિ-પત્ની અમેરિકાના નાગરિક બન્યાં હતાં.

ચંદ્રશેખરનું મૂળ સંશોધનક્ષેત્ર, મુખ્યત્વે તારાઓના બંધારણનો અભ્યાસ અને એમના ક્રમિક વિકાસ એટલે કે તારક ઉત્ક્રાંતિ (stellar evolution) સંબંધિત તથા તારાઓની અંદર ચાલતી ઊર્જાના સ્થાનાંતરની પ્રક્રિયાઓ(process of energy transfer)ના અભ્યાસને લગતું રહ્યું છે. તારક ઊર્જાના વિકિરણ (radiation of stellar energy) સંબંધિત એમનાં સંશોધનોએ તથા શ્વેત-વામન (white dwarf) તરીકે ઓળખાતા એક પ્રકારના તારાઓ અંગેના સૈદ્ધાંતિક સંશોધનોએ અને ખાસ તો, શ્વેત-વામન તારા બનવા માટેના દ્રવ્યની એમણે શોધી કાઢેલી મર્યાદાએ (જે તેમના માનમાં ‘ચંદ્રશેખર-સીમા’ તરીકે ઓળખાય છે) એમને વિશિષ્ટ ખ્યાતિ અપાવી છે.

ચંદ્રશેખરના સંશોધનની એક વિશિષ્ટતા એ રહી છે કે કોઈ પણ વિષયનો અભ્યાસ શરૂ કરે પછી તેમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ જાય અને છેવટે એ વિષય ઉપર પોતાના અભ્યાસનાં નવાં પરિણામો સમાવતું એક પુસ્તક લખીને અભ્યાસ પૂરો કરે. આ મુજબ તેમનાં સંશોધનોને જુદા જુદા સ્પષ્ટ સમયના ગાળામાં વહેંચી શકાય. જેમ કે, ઈ. સ. 1929થી 1939 દરમિયાન તેમણે તારક સંરચના (stellar structure) સંબંધિત સંશોધનોમાં શ્વેત વામન (white dwarfs) અંગેની થિયરી આવરી લીધી; અને ત્યારપછી 1939થી 1943 દરમિયાન તારક ગતિક (stellar dynamics) ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે પછી 1943થી 1950 વચ્ચેના સમયગાળામાં ‘Theory of radiative transfer’ અને ‘Quantum theory of the negative ion of hydrogen’ ઉપર સંશોધન કર્યું. 1950થી 1961 વચ્ચે તેમણે ‘Hydrodynamic’ અને ‘Hydromagnetic stability’ ઉપર કામ કર્યું. 1960ના દસકામાં ‘Equilibrium and stability of ellipsoidal figures of equilibrium’ તથા વ્યાપક સાપેક્ષવાદ (general theory of relativity) ઉપર પણ કામ કર્યું. તે પછી, 1971થી 1983ના સમયગાળામાં બ્લૅક હોલની ગાણિતિક થિયરી પર, અને આખરે, 1980ના દસકાના અંતમાં સંઘટ્ટની ગુરુત્વીય તરંગોના વાદ (theory of colliding gravitational waves) ઉપર સંશોધન કર્યું.

ચંદ્રશેખરના નામ સાથે ‘ચંદ્રશેખર-સીમા’ (મર્યાદા) ઉપરાંત, એક બીજી મર્યાદા સંકળાયેલી છે, જેને ‘ચંદ્રશેખર-શેનબર્ગ લિમિટ’ (Chandrasekhar-Schonberg limit) કહે છે. મુખ્ય ક્રમ (main sequence) તારાઓમાંના કેન્દ્ર ભાગમાંનો હાઇડ્રોજન, એમાંના મૂળ દ્રવ્યમાન કે દળ(mass)ના 10થી 15 % જેટલા હિલિયમમાં રૂપાંતર પામી ચૂક્યો હોય, ત્યારે મુખ્યત્વે હિલિયમનો બનેલો કેન્દ્રગર્ભ કે અંતર્ભાગ (helium core) સંકોચાવા લાગે છે અને તેની ફરતે વીંટળાયેલું મુખ્યત્વે હાઇડ્રોજનનું આવરણ (hydrogen envelope) ઝડપથી વિસ્તરણ પામે છે અને તારો લાલ-વિરાટ (red giant) પ્રકારના તારામાં રૂપાંતરિત થાય છે. કેન્દ્રસ્થ ગર્ભમાંના જથ્થાની ઉપરની મર્યાદાને ચંદ્રશેખરે, પોલૅન્ડના એરિખ શેનબર્ગની સાથે શોધી કાઢેલી હોવાથી તે બંનેના સંયુક્ત નામે તે ઓળખાય છે.

સંશોધન લેખો, પુસ્તકો લખવા ઉપરાંત 19 વર્ષ (1952થી 1971) સુધી ‘The Astrophysical Journal’ નામના પ્રસિદ્ધ વિજ્ઞાન સામયિકનું સંપાદન પણ કર્યું અને તેને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. આ સામયિકમાં પણ તેમણે પ્રવાહી સ્ફટિક(liquid crystal)થી માંડીને વસ્તીવધારાની સમસ્યાઓ જેવા વિષયો ઉપર પણ તલસ્પર્શી લેખો લખ્યા.

તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે, જેમાં આગળ જેનો ઉલ્લેખ કર્યો તે ‘Introduction to the Study of Stellar Structure’ (1939) ઉપરાંત, ‘Principles of Stellar Dynamics’ (1942), ‘Radiative Transfer’ (1950), ‘Plasma Physics’ (1960), ‘Hydrodynamic and Hydromagnetic Stability’ (1961), ‘Ellipsoidal Figures of Equilibrium’ (1969), ‘The Mathematical Theory of Black Holes’ (1983), ‘Truth and Beauty’ (1987), કે પછી સામાન્ય વાચક માટે લોકભોગ્ય શૈલીમાં લખાયેલું ‘Newton’s Principia for the Common Reader’ (1995) વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ઘણાં બધાં પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ થઈ છે અને રશિયન સહિત બીજી અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે.

ડૉ. ચંદ્રશેખર ટેલિસ્કોપનો ઉપયોગ કરનારા નહીં, પણ કાગળ-પેન્સિલવાળા ખગોળશાસ્ત્રી હતા. તેમની ગણના 20મી સદીના એક મહાન સૈદ્ધાંતિક ખગોળ-ભૌતિકવિદ તરીકે થાય છે. 1962માં ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીએ ‘રામાનુજન સ્વર્ણ-પદક’થી તેમને સંમાનિત કર્યા. ભારત સરકારે 1968માં તેમને ‘પદ્મ વિભૂષણ’થી અલંકૃત કર્યા. ભારત સહિત અનેક દેશોએ તેમનું સંમાન કર્યું. જેમ કે, 1944માં રૉયલ સોસાયટીએ પોતાના ફેલો બનાવ્યા. 1953માં રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીએ તેમને સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો. 1966માં અમેરિકાએ ‘નૅશનલ મૅડલ ઑફ સાયન્સ’ આપી તેમનું સંમાન કર્યું. 1983માં તેમને અમેરિકાના ખગોળભૌતિક વિજ્ઞાની વિલિયમ આલ્ફ્રેડ ફાઉલર સાથે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો. 1984માં લંડનની રૉયલ સોસાયટીએ ‘કોપલે ચંદ્રક’ (Copley Medal) એનાયત કર્યો.

તેમના માનમાં નાસા(અમેરિકા)એ 23 જુલાઈ, 1999ના રોજ એક નવા પ્રકારનું ટેલિસ્કોપ અંતરિક્ષમાં પ્રક્ષેપિત કર્યું હતું. આ વિશાળ દૂરબીનને તેમનું નામ – ‘ચંદ્રા’ (ચંદ્રશેખરનું સંક્ષિપ્ત નામ) આપવામાં આવ્યું છે. બ્રહ્માંડમાં એક્સ-રેના (ક્ષ-કિરણોના) સ્રોતની શોધ કરવા માટે તેને તરતું મૂકવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપે સન 2002માં એકમેક સાથે ટકરાતા બે તારાવિશ્વોના મધ્યભાગમાં બે સક્રિય બ્લૅક હોલ આવેલા હોવાની શોધ કરી છે. આ ઉપરાંત તેણે બીજા પણ કેટલાક બ્લૅક હોલની શોધ કરી છે.

એક લઘુગ્રહને તેમના માનમાં ‘1958 ચંદ્ર’ નામ આપવામાં આવ્યું છે.

ચુંબકીય દ્રવગતિકી(magnetohydrodynamics)ની એક અગત્યની પરિમાણરહિત સંખ્યા(dimensionless number)ને તેમનું નામ (The Chandrasekhar number) આપવામાં આવ્યું છે.

ભારતે પણ હાલ લદ્દાખ ખાતે 4570 કિમી. ઊંચાઈ પર આવેલી વેધશાળાના મુખ્ય ટેલિસ્કોપને ડૉ. ચંદ્રશેખરના માનમાં ‘હિમાલય ચંદ્ર દૂરબીન’ નામ આપ્યું છે. ઑગસ્ટ 2001થી તે કાર્યરત છે. આટલી ઊઁચાઈએ ખગોળવિદો કાયમ રહી શકે નહીં, તેથી આ દૂરબીનનું સંચાલન સુદૂર બૅંગાલુરુ(બેંગલોર)થી થાય છે.


 તેઓ લંડનની રોયલ સોસાયટીના સભ્ય હતા. 

અતિ ભારે તારાની ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કાની ચાવીરુપ શોધખોળ માટે તેમને વિલિયમ એ. 

ફાઉલરની સાથે સંયુકત રીતે ૧૯૮૩નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

ચંદ્રશેખર ૧૯૩૦નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન(સી.વી.રામન)ના ભત્રીજા હતા. 

તેઓએ ૧૯૩૭થી માંડીને ૧૯૯૫માં તેમના મૃત્યુપર્યંત યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વ્યાખ્યાતા પદે સેવાઓ આપી હતી.

ગુગલ દ્વારા તેમની 107મી જન્મજયતિએ ડુડલ બનાવવમાં આવ્યુ હતું.



सुब्रमण्यम चन्द्रशेखर के पुरस्कार और सम्मान
1- 1983 में वैज्ञानिक सुब्रमण्यम चन्द्रशेखर को तारों के सरंचना और विकास से संबंधित उनकी रिसर्च एवं अन्य योगदान के लिए भौतिकी में नोबेल पुरस्कार से नवाजा गया था.
2- साल 1968 में महान वैज्ञनिक सुब्रमण्यम को भारत सरकार द्वारा पद्म विभूषण से सम्मानित किया गया था.
3- सुब्रमण्यम चन्द्रशेखऱ जी को गणित में महत्वपूर्ण खोज के लिए कैंब्रिज विश्वविद्यालय ने एडम्स पुरस्कार से सम्मानित किया है.
4- साल 1961 में सुब्रमण्यम चन्द्रशेखर जी को भारतीय विज्ञान अकादमी ने रामानुजन पदक सम्मान से सम्मानित किया.
5- साल 1966 में सुब्रमण्यम को अमेरिका में राष्ट्रीय विज्ञान पदक से नवाजा गया.
6- साल 1952 में सुब्रमण्यम को ब्रूस पदक से सम्मानित किया गया.
7- साल 1971 में सुब्रमण्यम को नेशनल एकेडमी ऑफ साइंसेज द्वारा हेनरी ड्रेपर मेडल से सम्मानित किया गया था.
8- साल 1953 में रॉयल एस्ट्रोनॉमिकल सोसायटी के स्वर्ण पदक से नवाजा गया.
9- साल 1957 में सुब्रह्मण्यम को अमेरिकन अकादमी ऑफ आर्ट्स एंड साइंसेज के रमफोर्ड पुरस्कार से सम्मानित किया गया.
10- साल 1988 में सुब्रमण्यम चन्द्रशेखर को इंटरनेशनल अकादमी ऑफ़ साइंस के मानद फेलो पुरस्कार से नवाजा गया था.
11- साल 1971 में सुब्रमण्यम चन्द्रशेखऱ जी को नेशनल एकेडमी ऑफ साइंसेज द्वारा हेनरी ड्रेपर मेडल भी दिया गया था.

21 ઓગસ્ટ 1995ના રોજ અમેરિકાના શિકાગો ખાતે તેમનું અવશાન થયુ હતુ.



ભારતીય મૂળના મહાન વૈજ્ઞાનિક કે જેમણે ખગોળશાસ્ત્રની ઘણી શોધો વિશ્વને આપી છે તેવા ડો. સુબ્રમણ્યન ચંદ્રશેખરને શત શત નમન.


06 October, 2021

मेघनाद साहा

 

मेघनाद साहा




मेघनाद साहा प्रसिद्ध भारतीय खगोलविज्ञानी थे। उन्होंने साहा समीकरण दिया था जो काफी प्रसिद्ध है। यह समीकरण तारों में भौतिक एवं रासायनिक स्थिति की व्याख्या करता है। उनका निधन आज ही के दिन यानी 16 फरवरी 1956 को हुआ था। तारों पर हुए बाद के रिसर्च उनके सिद्धांत पर ही आधारित थे। हम कह सकते हैं कि तारों के अध्ययन और रिसर्च को उन्होंने एक नई दिशा दी।


मेघनाद साहा भारत के एक महान भारतीय खगोल वैज्ञानिक थे। वे ऐसे वैज्ञानिक थे, जिन्होंने खगोल विज्ञान के क्षेत्र में अपना महत्वपूर्ण योगदान दिया था। उन्होंने साहा समीकरण का प्रतिपादन, आयोनाइजेशन का सिद्धांत, थर्मल, नाभिकीय भौतिकी संस्थान और इंडियन एसोसिएशन फॉर द कल्टिवेशन ऑफ साइंस की स्थापना की थी।

मेघनाद साहा का जन्म 6 अक्टूबर, 1893 बांग्लादेश की राजधानी ढाका के करीब एक गांव शाओराटोली में हुआ था। मेघनाद साहा के पिता का नाम जगन्नाथ साहा था। माता का नाम भुवनेश्वरी देवी था। उनके पिता जगन्ननाथ साहा एक छोटे से दुकानदार थे, जो अपने बड़े परिवार का खर्चा मुश्किल से चला पाते थे। उनकी इच्छा थी कि प्रारंभिक शिक्षा के बाद मेघनाद उनके दुकान के काम में हाथ बंटाए। लेकिन मेघनाद की इच्छा आगे पढ़ने की थी।

वे बचपन से बहुत मेधावी थे और उनकी विज्ञान में विशेष रुचि थी। कक्षा में भी उनके सवाल अध्यापकों को चकित कर देते थे। एक बार उन्होंने अपने शिक्षक से सूर्य के आसपास चक्र जैसी चीज के बारे में पूछा। जिसका जवाब अध्यापक नहीं दे पाए। उस समय मेघनाद ने कहा था कि वह उसके बारे में खोज करेंगे और पता लगाएंगे। शिक्षक को लगा कि मेघनाद काफी प्रतिभाशाली है। वह इस सोच में पड़ गए कि उनके परिवार वाले मेघनाद को आगे पढ़ा पाएंगे या नहीं। उनका मानना था कि मेघनाद की पढ़ाई जारी रहनी चाहिए। उन्होंने खुद मेघनाद के अभिभावक से बात करनी की सोची। अध्यापक ने मेघनाद के भाई से इस बारे में बात की।

मेघनाद का भाई पिता के पास गया और बोला, मेघनाद पढ़ने में बहुत अच्छा है। ऐसा उसके अध्यापक भी कह रहे हैं। अध्यापक चाहते हैं कि वह आगे पढ़ें। इस पर पिता ने कहा कि मेघनाद होनहार तो बहुत है लेकिन उसको पढ़ने के लिए दूसरे गांव जाना पड़ेगा जिसके लिए उनके पास पैसा नहीं है। मेघनाद के भाई ने कहा कि हम डॉक्टर अनंत से इस संबंध में मदद करने के लिए बात करेंगे। उनके पिता ने अपनी सहमति दे दी। डॉ.अनंत कुमार एक संपन्न और प्रभावशाली डॉक्टर थे। साथ ही वह एक नेकदिल इंसान भी थे। डॉ.अनंत दास ने मेघनाद साहा को आगे पढ़ने में मदद की। मेघनाद ने दूसरे गांव के एक अंग्रेजी माध्यम के स्कूल में दाखिला ले लिया। वे डॉ.अनंत कुमार के घर ही रहते थे।अपनी लगन और कठिन परिश्रम से आठवीं क्लास में मेघनाद साहा ने न सिर्फ अपने स्कूल में टॉप किया बल्कि पूरे ढाका जिले में सर्वोच्च स्थान हासिल किया। उनके परिवार वालों की खुशी का ठिकाना नहीं रहा। अब मेघनाद साहा को छात्रवृत्ति मिलने लगी। साथ ही उनको ढाका के राजकीय हाई स्कूल में प्रवेश मिल गया।

उन्हीं दिनों पूरे देश में स्वतंत्रता संग्राम की आग जल चुकी थी। मेघनाद भी उससे प्रभावित हुए। उनके विद्यालय में बंगाल के गर्वनर मुआयना करने वाले थे। मेघनाद साहा ने अपने साथियों के साथ गवर्नर के आने पर हुए विरोध में हिस्सा लिया। परिणाम यह हुआ कि मेघनाद की छात्रवृत्ति बंद कर दी गई तथा साथियों के साथ मेघनाद को स्कूल से निकाल दिया गया। सरकारी स्कूल ने मेघनाद को स्कूल से निकाला। लेकिन उनको एक प्राइवेट स्कूल किशोरी लाल जुबली स्कूल में प्रवेश मिल गया। साहा ने इंटरमीडिएट की परीक्षा में प्रथम श्रेणी में पास की। कलकत्ता विश्वविद्यालय में साहा ने पूरे विश्वविद्यालय में दूसरा स्थान प्राप्त किया। गांव के इस बालक मेघनाद साहा ने प्रगति और विकास की ओर एक बार जो कदम बढ़ाया आगे बढ़ते गए। फिर उन्होंने पीछे मुड़कर नहीं देखा।

एमएससी करने के बाद मेघनाद साहा का भारतीय वित्त विभाग में चयन तो हुआ लेकिन साहा पर सुभाष चंद्र बोस जैसे क्रांतिकारियों का साथ देने और स्कूली जीवन में गर्वनर के स्कूल दौरे का विरोध करने के कारण उन्हें सरकारी नौकरी नहीं मिली। साहा इससे निराश नहीं हुए। उन्होंने इसे एक अवसर के तौर पर लिया और नई-नई खोजों में ध्यान लगाया। खर्च के लिए वह ट्युइशन पढ़ाने लगे। वह सुबह और शाम भौतिकी और गणित के ट्युइशन पढ़ाने जाते। मेघनाद साहा दूर-दराज के स्थानों पर साइकिल से ट्युइशन पढ़ाने जाते। कुछ ही समय बाद मेघनाद साहा अपने दोस्त सत्येंद्र नाथ बसु के साथ कलकत्ता के यूनिवर्सिटी कॉलेज ऑफ साइंस में प्रवक्ता नियुक्त किए गए।

सूर्य और तारों से जुड़ी अहम जानकारी दी

सन 1920 में साहा ने इंग्लैंड की यात्रा की जहां वे अनेक वैज्ञानिकों के संपर्क में आए। उनकी वैज्ञानिक प्रतिभा को और निखरने का मौका मिला। सन 1921 में वे स्वदेश लौटे। मेघनद साहा संभवत: पहले ऐसे वैज्ञानिक थे जिनको अपनी खोजों के लिए इतनी कम उम्र में प्रसिद्धि मिल गई और वे रॉयल सोसायटी फेलो चुने गए। बाधाएं उनके रास्ते में आती रहती थीं। अपने ही देश के कुछ वैज्ञानिकों ने उनके फॉर्म्युले के प्रति असहमति जताई और उनके इलाहाबाद विश्वविद्यालय के भौतिकी विभाग में पदभार संभालने में अड़चने डालीं। लेकिन मेघनाद साहा इन बातों से विचलित नहीं हुए। 1923 में वे प्रयाग विश्वविद्यालय के भौतिक विभाग के अध्यक्ष बने। मेघनाद साहा को भौतिकी के अतिरिक्त एनसियंट हिस्ट्री यानी प्राचीन भारत का इतिहास, जीवविज्ञान और पुरातत्व विज्ञान ने आकर्षित किया। उन्होंने रेडियो वेव्स फ्रॉम द सन और रेडियो ऐक्टिविटी पर खोज की।

डॉ.साहा के एक सिद्धांत ऊंचे तापमान पर तत्वों के व्यवहार को यूरोप के प्रमुख वैज्ञानिक आइंस्टाइन ने संसार को एक विशेष देन कहा। मेघनादा साहा ने प्रसिद्ध वैभानिक आइंस्टाइन के शोध ग्रंथों का अनुवाद किया। उन्हीं के प्रयास से नाभिकीय भौतिकी यानी न्यूक्लियर फिजिक्स को कलकत्ता विश्वविद्यालय में पढ़ाया गया। साहा न्यूक्लियर पावर के पॉजिटिव इस्तेमाल के पक्षधर थे। उन्होंने 1950 में इंस्टिट्यूट ऑफ न्यूक्लियर फिजिक्स की स्थापना की। कलकत्ता विश्वविद्यालय ने डॉ.साहा के लिए ट्रैवलिंग फेलोशिप का आयोजन किया। अपनी विदेश यात्राओं के दौरान डॉ. साहा ने अपने अध्ययन और अपने खोजों को जारी रखा। बर्लिन के प्रसिद्ध वैज्ञानिक नंसठ से उनकी भेंट हुई। ननसर्ट जो स्वंय थर्मोडायनामिक्स के विद्वान थे वे डॉ. साहा के आविष्कारों से काफी प्रभावित हुए।

साहा इलाहाबाद चले गए जहाँ सन 1932 में ‘उत्तर प्रदेश अकैडमी ऑफ़ साइंस’ की स्थापना हुई। साहा ने इलाहाबाद विश्वविद्यालय के फिजिक्स विभाग की स्थापना में भी अहम् भूमिका निभाई। वर्ष 1938 में वो कोलकाता के साइंस कॉलेज वापस आ गए।

उन्होंने ‘साइंस एंड कल्चर’ नामक जर्नल की स्थापना की और अंतिम समय तक इसके संपादक रहे। उन्होंने कई महत्वपूर्ण वैज्ञानिक समितियों की स्थापना में भी महत्वपूर्ण योगदान दिया। इनमे प्रमुख हैं नेशनल एकेडेमी ऑफ़ साइंस (1930), इंडियन फिजिकल सोसाइटी (1934) और इंडियन एसोसिएशन फॉर द कल्टीवेशन ऑफ़ साइंस (1944)।

वर्ष 1947 में उन्होंने इंस्टिट्यूट ऑफ़ नुक्लेअर फिजिक्स की स्थापना की जो बाद में उनके नाम पर ‘साहा इंस्टिट्यूट ऑफ़ नुक्लेअर फिजिक्स’ हो गया।

उन्होंने उच्च शिक्षा के पाठ्यक्रम में परमाणु भौतिकी विषय को भी शामिल करने पर जोर दिया। विदेशों में परमाणु भौतिकी में अनुसंधान के लिए साइक्लोट्रोन  का प्रयोग देखने के बाद उन्होंने अपने संस्थान में एक साइक्लोट्रोन स्थापित करने का फैला किया जिसके परिणामस्वरूप 1950 में भारत में अपना पहला कार्यरत साइक्लोट्रॉन था।

हैली धूमकेतु पर किये गए महत्वपूर्ण शोधों में उनका नाम भी आता है।

वर्ष 1952 में वो संसदीय चुनावों में एक स्वतंत्र उम्मीदवार के रूप में खड़े हुए और बड़े अंतर से चुनाव जीता।


16 फरवरी 1956 को दिल का दौरा पड़ने से उनकी असमय मृत्यु हो गयी।






22 September, 2021

માઇકલ ફેરાડે

માઇકલ ફેરાડે


માઇકલ ફેરાડે વગર આ દુનિયા ખૂબ જ મુશ્કેલ અને અંધારામય હોત. દરેક વખતે તમે જ્યારે ફાનસ સળગાવો છો, તમારુ લેપટોપ ચાલુ કરો છો અથવા પાણી ગરમ કરવા હીટરની સ્વીચ ચાલુ કરો છો. આ બધું તેમના લીધે છે જેમણે વીજળીની શોધ કરી અને વિશ્વ અર્થકારણમાં એક ઉત્સુકતા પેદા કરી

જન્મતારીખ: 22 સપ્ટેમબર 1791

જન્મ સ્થળ: લંડન

અવશાન: 25 ઓગસ્ટ 1867 (

  • आविष्कार – Faraday’s law of induction, Electrochemistry, Faraday effect, Faraday cage, Faraday constant, Faraday cup, Faraday’s laws of electrolysis, Faraday paradox, Faraday rotator, Faraday-efficiency effect, Faraday wave, Faraday wheel Lines of force.
  • पुरस्कार – Royal Medal (1835 and 1846) Copley Medal (1832 and 1838) Rumford Medal (1846)  Albert Medal (1866)

माइकल फैराडे (Michael Faraday)ने चुम्बक से बिजली पैदा करने का अपना सपना सच कर दिखाया। इन्हें जनरेटर के आविष्कार का श्रेय प्राप्त है। बिजलीघर और ट्रांसफार्मर फैराडे के सिद्धांतों पर ही काम करते हैं।

आइजैक न्यूटन, गांधीजी और जेम्स क्लार्क मैक्सवेल की तस्वीरों के साथ अल्बर्ट आइंस्टीन अपने अध्ययन की दीवार पर फैराडे की भी तस्वीर रखते थे। भौतिक विज्ञानी अर्नेस्ट रदरफोर्ड, फैराडे को याद करते हुए कहते थे, “जब हम विज्ञान और उद्योग की प्रगति पर उनकी खोजों और उनके प्रभाव की मात्रा और उनके प्रभाव पर विचार करते हैं, तो सभी समय के महानतम वैज्ञानिक खोजकर्ताओं में से एक फैराडे की याद में सम्मान काम है।”



क्या आप जानते है की जिस उपकरण में आप इसे पढ़ रहे हैं और इसी से जो आवाज़ सुनते हैं और जो तस्वीरें देखते हैं , ये सब कैसे मुमकिन होता  है? हमारे सन्देश बिना रुकावट लाइट के स्पीड से कैसे पहुंचते हैं?  हमारे पास ये कमाल की ताकत कैसे आयी?  ये सब एक इंसान के दिमाग की उपज है, गरीबी में पैदा हुआ बच्चा जिससे किसी को कोई उम्मीद नहीं थी, अगर ये इंसान न होता तो आज हम जो दुनिया देख रहे है वो ऐसी नहीं होती, उनके आविष्कारों ने दुनिया को बदल कर रख दिया ।

दो महान वैज्ञानिक Isaac Newton और Albert Einstein  के बीच के दौर मे एक और महान वैज्ञानिक पैदा हुआ था बिक्कुल इन्ही के जैसा वो इंसान जिसने उस राज़ को सुलझा दिया था जिसमे newton उलझ गए थे।  उस वयक्ति के बदौलत, Albert Einstein इतना आगे जा पाए और इंसान ने इतनी तरक्की कर ली।


22 September 1751 में Newington Butts, London के एक गन्दी जुग्गी बस्ती में Michael Faraday का जन्म हुआ। वे पढाई में बिकुल अच्छे नहीं थे। फैराडे एक बहुत गरीब परिवार से थे, उनके पिता James बहुत गरीब थे और लुहार का काम करते थे, पारिवारिक स्थिति ठीक ना होने के कारण फैराडे बस सामान्य स्कूली शिक्षा ही कर पाए।

उनके पिता एक लोहार थे। सन् 1812 में जब इन्होंने सर हम्फ्री डेवी के भाषण सुने तो विज्ञान के प्रति इनकी रुचि जाग्रत हो गई।

13 वर्ष की उम्र से ही वे book binder का काम करने लगे , दिन में वे बुक बाँधा करते और रात में उन्हें पढ़ते , यहीं से इलेक्ट्रिसिटी को लेकर उनके जूनून की शुरुआत हुई , फैराडे ने अपना जीवन लंदन में एक book binder की नौकरी से प्रारम्भ किया, समय मिलने पर फैराडे किताबें पढ़ा करते थे। अपने सात साल के अप्रेंटिसशिप के दौरान फैराडे ने कई किताबें पढ़ीं, जिनमें इसहाक वत्स की द इंप्रूवमेंट ऑफ द माइंड शामिल थी, और उन्होंने उसमें निहित सिद्धांतों और सुझावों को अपने जीवन में उत्साहपूर्वक लागू किया। उन्होंने विज्ञान में भी रुचि विकसित की, विशेष रूप से इलेक्ट्रिसिटी में। फैराडे विशेष रूप से जेन मार्केट द्वारा रसायन विज्ञान पर पुस्तक से प्रेरित थे।

फैराडे अपने रूढ़िवादी Christian सोच को बहुत मानते थे।  इससे उन्हें हमेशा एक ताकत सुकून और विनम्रता का एहसास होता था, कई सालों तक book binder का काम करने के बाद 21 वर्ष के होने के बाद फैराडे एक बड़ी दुनिया में जाने का खाब देखने लगे, और उन्हें बड़े बनने का एक मौका मिल भी गया जब एक कस्टमर ने उन्हें एक शो का टिकट दिया। उस शो का नाम था “science for the public



science for the public show की शुआत London में royal institution  में हुई थी। Humphry Davy शो के होस्ट थे , Humphry Davy उस ज़माने के एक जाने मने वैज्ञानिक थे जिन्होंने कई केमिकल एलिमेंट्स खोजे थे -जैसे की calcium और sodium , वो एक कमाल के शोमैन भी थे उनका शो लोगो को बहुत अच्छा  लगता था। अपने उस शो में Davy इलेक्ट्रिसिटी का प्रदर्शन कर रहे थे लोगो को वह शो बहुत अच्छा लगा और लोगो ने तालिया बजाई।  मगर फैराडे ताली नहीं बजा रहे थे, वो Davy के भाषण का एक एक शब्द लिख रहे थे, बुक बंधन का काम उन्हें आता था इसलिए उन्होंने उसे एक किताब की शक्ल में बाँध कर रख लिया।

उन्होंने उस किताब जिसमे Davy के व्याख्यान लिखे थे Davy को देने चले गए, उन्हें ये लगा की ऐसा करने से उन्हें Davy से मिलने का मौका मिल जायेगा। और असल में यह तौफा फैराडे की एक नयी दुनिया में पहुचने का वजह भी बना। फैराडे ने बाद में Davy को 300 पन्नों की यह पुस्तक भेजी, जो इन व्याख्यानों के दौरान उनके द्वारा लिए गए नोट्स पर आधारित थी। Davy का जवाब तत्काल, दयालु और अनुकूल था।

40 साल की उम्र तक उन्होंने  electric motor, transformer, और जनरेटर – मशीनो का आविष्कार कर  लिया था उनके आविष्कारों  ने हर चीज़ को बदला। 60 साल की उम्र में भी काम यादाश्त और depression के बाबजूद वे इन नज़र  ना आने वाली ताकतों की खोज में लगे रहते थे। electricity, magnetism और लाइट के बीच ताल मेल को पता लगाने के बाद फैराडे ये जानना चाहते थे कि, ये तीनों एक साथ कैसे काम करती है, फैराडे जानते थे electric current किसी भी तार को चुम्बक में बदल सकता है, इसलिए उन्हें उम्मीद थी की जिस तार से electricity गुजरती है उस तार के चारो ओर लोहे का छीलन डालने से वैसा ही pattern बने गा जैसा चुम्बक के पास डालने से बनता है, माइकल फैराडे ने वो राज़ हल कर दिया था, जिसे Isaac Newton नहीं सुलझा पाए थे।

जून 1832 में, ऑक्सफोर्ड विश्वविद्यालय ने faraday को Doctor of Civil Law की डिग्री  प्रदान की। अपने जीवनकाल के दौरान, उन्हें विज्ञान के लिए उनकी सेवाओं के लिए मान्यता में एक knighthood की पेशकश की गई, जिसे उन्होंने धार्मिक आधार पर ठुकरा भी दिया, यह मानते हुए कि यह धन सांसारिक पुरस्कार का पीछा करने के लिए बाइबल के शब्द के खिलाफ था, और यह कहते हुए कि वह सादा रहना पसंद करते हैं। वे 1824 में Royal Society के सदस्य चुने गए, उन्होंने दो बार राष्ट्रपति बनने से भी इनकार कर दिया। वह 1833 में रॉयल इंस्टीट्यूशन में केमिस्ट्री के पहले Fullerian Professor बने।

1832 में, faraday को American Academy of Arts and Sciences का विदेशी मानद सदस्य चुना गया। उन्हें 1838 में Royal Swedish Academy of Sciences का एक विदेशी सदस्य चुना गया, और 1844 में French Academy of Sciences में चुने गए आठ विदेशी सदस्यों में से एक भी थे। 1849 में उन्हें नीदरलैंड्स के रॉयल इंस्टीट्यूट से संबद्ध सदस्य के रूप में चुना गया, जो दो साल बाद Royal Netherlands Academy of Arts and Sciences बन गया और बाद में उन्हें विदेशी सदस्य बना दिया गया।

Faraday को 1839 में एक nervous breakdown का सामना करना पड़ा, 1848 में Prince Consort द्वारा प्रतिनिधित्व के परिणामस्वरूप, faraday को सभी खर्चों और रखरखाव से मुक्त, मिडलसेक्स में हैम्पटन कोर्ट में एक अनुग्रह और अनुग्रह घर से सम्मानित किया गया। यह मास्टर मेसन हाउस था, जिसे बाद में faraday हाउस कहा जाने लगा, और  अब नंबर 37 हैम्पटन कोर्ट रोड। 1858 में फैराडे वहां रहने के लिए कहे गए। ब्रिटिश सरकार के लिए कई विभिन्न सेवा परियोजनाओं को प्रदान करने के बाद, जब सरकार ने Crimean War (1853-1856) में उपयोग के लिए रासायनिक हथियारों के उत्पादन पर सलाह देने के लिए कहा, faraday ने नैतिक कारणों का हवाला देते हुए भाग लेने से इनकार कर दिया।

25 अगस्त 1867  को 75 वर्ष की आयु में Michael Faraday की हैम्पटन कोर्ट में उनके घर पर मृत्यु हो गई। 

इतने परेशानिओं  के बाद भी faraday जीवन भर अपने कार्य में लगे रहे, और वैज्ञानिक इतिहास में सफलता प्राप्त की उनके अविष्कारों के  कारण ही उनके बाद आये वैज्ञानिकों ने विज्ञान को इतने आगे बढ़ाया।



11 August, 2021

ડૉ. વિક્રમ સારાભાઇ (Dr. Vikram Sarabhai)

 ડૉ. વિક્રમ સારાભાઇ

(ભારતના અંતરિક્ષ વિજ્ઞાનના પિતા, ઇસરોના સ્થાપક)


જન્મતારીખ: 12 ઓગસ્ટ 1919
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત
પિતાનું નામ:  અંંબાલાલ સારાભાઇ 
માતાનું નામ: સરલાદેવી
અવશાન: 30 ડિસેમ્બર 1971 (તિરુવંતપુરમ)
સન્માન: પદ્મ ભૂષણ (1966)
                 પદ્મ વિભૂષણ (1972)

ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે. 

જાણીતી પ્રતિભાઓ તેમા ઘરે અવાર નવાર આવતા હતા કારણ કે તેમના પિતા એક જાણીતા ઉદ્યોગપતિ હતા આથી  ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો.

૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું હતું.

૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી

 ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે 1948માં થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-PRL) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માંઅવકાશમાં છોડવામાં આવેલ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક નીચે  થઈ હતી.

અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે

યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.

અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.


ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ.

 ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.

વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.



ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. 


યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરસ્કાર અને સન્માન

  • ભૌતિક શાસ્ત્ર માટે શાંતિ સ્વરુપ ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
  • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મભૂષણ (૧૯૬૬)
  • ઇન્ટરનેશનલ એટમિક એઅજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦)
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર 
  • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
  • દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે
  • વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.


સ્થાપના

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઑપરેશન રિસર્ચ ગ્રૂપ, ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન...અમદાવાદ અને ભારતનું નામ દુનિયામાં રોશન કરતી આ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની દેણ છે.
  • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
  • અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના

'વિક્રમ સારાભાઈ : અ લાઇફ' નામે તેમનું જીવન ચરિત્ર લખનારાં અમૃતા શાહ વિક્રમ સારાભાઈને એક બહુમુખી વ્યક્તિ તરીકે રજૂ કરતા 'ધનવાન, દેખાવડા, વિજ્ઞાનના માણસ, ઉદ્યોગપતિ, સંસ્થાઓના સ્થાપક, બૌદ્ધિક અને પ્રેરણાપુરૂષ' ગણાવે છે.


ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.” તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”

વિક્રમ સારાભાઈ ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માગતા હતા.જોકે, સિત્તેરના દાયકામાં ભારતના દુર્ગમ વિસ્તારો સુધી ટીવીને પહોંચતું કરવા માટે કૉમ્યુનિકેશન સેટેલાઇટની જરૂર હતી.આ એ જ સમય હતો જ્યારે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા 'નાસા' પોતાના કૉમ્યુનિકેશન સેટેલાઇટ ATS-6નું પરીક્ષણ કરવા માગતી હતી. વિક્રમ સારાભાઈએ નાસાને ભારતમાં પરીક્ષણ કરવા તૈયાર કરી લીધી. જેને પરિણામે ભારતમાં 2500 જેટલાં ગામોમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ પહોંચ્યું. આ કાર્યક્રમને 'સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન ઍક્સપેરિમેન્ટ' એટલે કે 'સાઇટ' નામ અપાયું.

થોડા સમય પહેલાં ઈસરોએ 'સતિષ ધવન સ્પેસ સ્ટેશન' પરથી 'GSLV-F08' નામના રૉકેટ સાથે 'GSAT-6A' નામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. આ રોકેટમાં પ્રથમ વખત દેશમાં જ બનેલા સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો હતો. જોકે, રસપ્રદ વાત એ છે કે આ એન્જિનને ઈસરોએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)' નામ આપ્યું હતું. ઈસરોના વડપણ હેઠળ ચાલતા 'લિક્વિડ પ્રૉપ્યુલઝન સિસ્ટમ્સ સેન્ટર' દ્વારા વિકસાવાયેલા 'લિક્વિડ ફ્યુલ્ડ રૉકેટ એન્જિન' શ્રેણીના ક્રાયોજેનિક એન્જિનનું ઇસરોએ રાખેલું નામ 'વિકાસ' હતું


ગૂગલએ બનાવ્યું ડૂડલ

ડૉ વિક્રમ સારાભાઈની 100મીં જયંતીની ઉજવણી અને તેમની યાદમાં આજે ગૂગલએ પણ ખાસ ડૂડલ બનાવ્યું છે. 



ઇસરો દ્વારા 2019માં છોડવામાં આવેલ ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઇના નામ પરથી "વિક્રમ" રાખવામાં આવ્યું હતું.


IAU દ્વારા ચંદ્ર પર પડેલા 'બેસેલ એ' ખાડાને (ક્રેટર) વિક્રમ સારભાઇના માનમાં 'સારાભાઈ ક્રેટર' નામ આપ્યું. 


વર્ષ 2019માં વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતીએ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડયો હતો.



1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર સિતારા વિક્રમ સારાભાઈને સલામ