મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label હાસ્ય કલાકાર. Show all posts
Showing posts with label હાસ્ય કલાકાર. Show all posts

09 December, 2020

શાહબુદ્દીન રાઠોડ જીવન પરિચય

 શાહબુદ્દીન રાઠોડ

જન્મ તારીખ: 9 ડિસેમ્બર 1937

જન્મ સ્થળ: થાનગઢ, સુરેન્દ્રનગર

પિતાનું નામ: સીદ્દીકભાઇ

માતાનું નામ: હસીનાબેન

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે.


તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૩૭, થાન, સુરેન્દ્રનગર ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ એક શિક્ષક, હાસ્યકાર તથા લેખક છે.

હાસ્ય અને મર્માળી વાતોની રજૂઆત આગવી શૈલીમાં કરવા માટે જાણીતા છે.

તેમણે સર્જેલ પુસ્તકોની સર્જનયાત્રા આ પ્રમાણેની છે : મારે ક્યાં લખવું હતું ?, હસતાં-હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે, દુઃખી થવાની કળા, શો મસ્ટ ગો ઓન, લાખ રૂપિયાની વાત, દેવું તો મરદ કરે, મારો ગધેડો દેખાય છે ?, હાસ્યનો વરઘોડો, દર્પણ જૂઠ ન બોલે. .

દેશ-પરદેશમાં હાસ્યના અનેક કાર્યક્રમો આપીને ગુજરાતી સાહિત્યપ્રેમી અને હાસ્યપ્રેમી જનતાના હૃદયમાં તેમણે વિશિષ્ટ સ્થાન પેદા કર્યું છે – આ તેમની અનોખી સિદ્ધિ છે.

તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.

તેમના પ્રેરણામુર્તી ચાર્લે ચાપ્લેન અને માર્ક ટ્વેઇન છે.

તેમણે 22 જેટલા દેશોમા પોતાના કાર્યક્રમો કરેલ છે.

તેમણે થીયેટર,  આકાશવાણી અને દુરદર્શન પર અનેક હાસ્ય કાર્યક્રમો આપેલ છે.

તેમની પ્રથમ પ્રકાશિત હાસ્ય કૃતિ શો મસ્ટ ગો ઓન હતી. 

તેમણે 13 વર્ષ શિક્ષક તરીકે અને 25 વર્ષ આચાર્ય તરીકી નોકરી કરી હતી.

સબ ટીવી પર 309 એપિસોડની 2010 માં કોમેડી સીરિયલ પાપડપોલ આવતી જે શાહબુદ્દીન રાઠોડના હાસ્ય લેખો પર આધારિત હતી.

મુખ્ય રચનાઓ

  • હાસ્ય લેખ – 
  • શો મસ્ટ ગો ઓન,
  •  દેવું તો મર્દ કરે, 
  • દુઃખી થવાની કળા, 
  • હસતાં હસાવતાં, 
  • અણમોલ આતિથ્ય, 
  • સજ્જન મિત્રોના સંગાથે

ભારત સરકાર દ્વારા 2020માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા, આ સિવાય જ્યોતિન્દ્ર દવે સુવર્ણ ચંદ્રક પણ મેળવેલ છે.


વધુ માહિતી માટે અહી ક્લીક કરવી.