મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label લેખક. Show all posts
Showing posts with label લેખક. Show all posts

22 October, 2023

બકુલ ત્રિપાઠી

 બકુલ ત્રિપાઠી





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

16 August, 2021

સુભદ્રાકુમારી ચૌહાણ

 સુભદ્રાકુમારી ચૌહાણ

(ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાણી થી.. ગીતના લેખીકા)

ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી



જન્મતારીખ: 16 ઓગસ્ટ 1904
જન્મ સ્થળ: નિહાલપુર, પ્રયાગરાજ(અલ્હાબાદ), ઊત્તરપ્રદેશ
પિતાનું નામ: રામનાથસિંહ ઠાકુર
પતિનું નામ: લક્ષ્મણસિંહ ચૌહાણ
અવશાન: 15 ફેબ્રુઆરી 1948 (સિવની, મધ્યપ્રદેશ)

જો ખુબ લડી મર્દાની વહ ઝાંસી વાલી રાની થી... તમને આ કવિતાની લેખિકા સુભદ્રા કુમારી ચૌહાણનું નામ યાદ જ હશે, પરંતુ તમે તેના સમગ્ર જીવન વિશે ભાગ્યે જ જાણતા હશો. સુભદ્રા કુમારી ચૌહાણ માત્ર એક કવિ જ નહીં પણ એક સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તે દેશની પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા.

સુભદ્રા કુમારી ચૌહાણ મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લેનારા પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. સુભદ્રા કુમારી ચૌહાણ ઘણી વખત જેલમાં ગયા હતા

સુભદ્રાકુમારી ચૌહાણનો જન્મ નાગપાંચમના દિવસે 16 ઓગસ્ટ, 1904ના રોજ અલ્હાબાદ નજીક નિહાલપુરમાં થયો હતો. તેમના પિતા રામનાથ સિંહ જમીનદાર હતા. તેઓ અભ્યાસ અંગે પણ સભાન હતા. 
તેમણે અલ્લાહાબાદની ક્રોસ્ટવેર ગર્લ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો
પોતાની પ્રતિભા બતાવીને સુભદ્રાએ પણ બાળપણથી જ કવિતા પઠન કરવાનું શરૂ કર્યું હતું. તેમની પ્રથમ કવિતા 9 વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી, જે તેમણે લીમડાના ઝાડ પર લખી હતી.

સુભદ્રાકુમારી ચૌહાણ માત્ર ટૂંકા સમયમાં કવિતા લખી દેતા હતા. આ સાથે અભ્યાસમાં પણ તેમને ટોપર હતા. શિક્ષકો સાથે તેમના સહપાઠીઓમાં પણ તેમને પ્રિય હતા. કવિતા લખવાની પ્રક્રિયા જે બાળપણમાં શરૂ થઈ હતી, પછી જીવનભર યથાવત રહી હતી.
15 વર્ષની વયે તેમનાં લગ્ન ખંડવા-નિવાસી(મધ્ય પ્રદેશ)  અને જબલપુરના ઍડ્વોકેટ ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે થયેલાં. તે પણ સ્વાતંત્ર્યસૈનિક હતા. લગ્ન બાદ પણ તેમણે તેમનો અભ્યાસ ચાલુ રાખેલો.

તેમને દેશભક્તિનાં ગીતો ગાનાર તેમના પિતા ઠાકુર રામનાથસિંહ તરફથી પ્રેરણા મળેલી અને 1920–21માં તેમનાં દેશભક્તિભર્યાં કાવ્યો હિંદીના જોશીલા સાપ્તાહિક ‘કર્મવીર’માં તથા ‘સરસ્વતી’ અને ‘માધુરી’ સામયિકમાં પ્રકાશિત થયેલાં 

તેમણે મહાત્મા ગાંધીની અસહકારની ચળવળ દરમિયાન 1920માં અભ્યાસનો ત્યાગ કર્યો અને બંને પતિ-પત્નીએ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. આંદોલન માટેનો ફાળો ઉઘરાવતાં તેઓ ગામેગામ ઘૂમી વળ્યાં. પછી તેઓ નાગપુર ઝંડા આંદોલનમાં જોડાયાં. તેમણે પ્રથમ 1923માં અને પછી 1942માં જેલવાસ ભોગવ્યો હતો. જાતે ગિરફતાર થનાર તેઓ પ્રથમ મહિલા-સત્યાગ્રહી હતાં.

આ રાજકીય આંદોલનથી પ્રેરાઈને હૃદયનો અગ્નિ કવિતા રૂપે પ્રગટ થયો. તેમણે ‘સેનાની કા સ્વાગત’; ‘વીરોં કા કૈસા હો વસન્ત’ અને ‘ઝાંસી કી રાણી’ જેવાં અત્યંત પ્રેરણાદાયી અને દેશભક્તિપૂર્ણ કાવ્યો લખ્યાં.

 ‘ઝાંસી કી રાની’ની ગણના હિંદી સાહિત્યમાં શ્રેષ્ઠ કાવ્ય તરીકે અને અધિકતર વંચાતા અત્યંત લોકપ્રિય કાવ્યમાં થાય છે. 1931માં તેમણે ‘મુકુલ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, જેને સક્સેરિયા પુરસ્કાર આપવામાં આવેલો. ‘બિખરેં મોતી’ નામક તેમના વાર્તાસંગ્રહને પણ એ જ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બાળકો માટે પણ તેમણે કાવ્યો રચેલાં. તેમનો અન્ય વાર્તાસંગ્રહ ‘ઉન્માદિની’ (1934) અને ‘સીધેં સાદેં ચિત્ર’ તેમના મૃત્યુ બાદ પ્રગટ થયાં હતાં.

તેમની એક કવિતા 'વીરો કા કૈસા હો વસંત' છે આ રહી હિમાલય સે પુકાર હૈ ઉદધી ગરજતા બાર બાર પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર સબ પુછ રહે હૈ દિગ-દિગન્ત વિરો કા કૈસા હો વસંત? આ ભાવના માત્ર તેમની કવિતામાં સિંચાઈ નથી. જ્યારે ગાંધીજી દેશભરમાં તેમના આંદોલન માટે હાંકલ કરી રહ્યા હતા, ત્યારે સુભદ્રાએ પણ તેમની ભાગીદારી નોંધાવી હતી. તે સ્પષ્ટ છે કે, તેમને માત્ર રાષ્ટ્રવાદી કવિ જ નહીં, પણ એક દેશભક્ત મહિલા પણ હતા.

જલિયાં વાલે બાગ મેં વસંત'માં તેમણે લખ્યું છે કે - પરિમલહિન પરાગ દાગ-સા પડા હૈ હા ! યહ પ્યારા બાગ ખૂન સે સના પડા હૈ આઓ પ્રિય ઋતુરાજ? કિંતુ ધીરે સે આના યહ હૈ શોક-સ્થાન યહાં મત શોર મચાના કોમલ બાલક મરે યહાં ગોલી ખા-ખાકર કલિયા ઉનકે લિયે ગિરાના થોડી લાકર સુભદ્રાના લગ્ન લક્ષ્મણ સિંહ સાથે નક્કી થયા હતા. લક્ષ્મણ સિંહ નાટ્યકાર હતા અને તેમણે તેમની પત્નીને તેમની પ્રતિભાને આગળ વધારવામાં હંમેશા સહયોગ કર્યો હતો. તેમને સાથે મળીને કોંગ્રેસ માટે કામ કર્યું હતું. સુભદ્રા મહિલાઓની વચ્ચે જતા અને તેમને સ્વદેશી અપનાવવા અને તમામ સંકુચિત માનસિકતા છોડવા માટે પ્રેરિત કરતા હતા.

તેમણે ત્રણ વાર્તા સંગ્રહો લખ્યા હતા, જેમાં બિખરે મોતી, ઉન્માદિની અને સીધે સાદે ચિત્ર નો સમાવેશ થાય છે. કાવ્ય સંગ્રહમાં મુકુલ, ત્રિધારા વગેરેનો સમાવેશ થાય છે. તેમની પુત્રી સુધા ચૌહાણે પ્રેમચંદના પુત્ર અમૃત રાય સાથે લગ્ન કર્યા છે, તેમણે તેમની માતાનું જીવનચરિત્ર 'મિલે તેજ સે તેજ' લખ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય ચળવળના સહભાગી તરીકે તેમને તેમના પ્રભાવશાળી લેખન અને કવિતાઓનો ઉપયોગ અન્ય લોકોને પ્રેરિત કરવા માટે હથિયાર તરીકે કર્યો હતો. તેમના આર્ટીકલ્સમાં તેમણે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ભારતીય મહિલાઓને પડતી મુશ્કેલીઓ અને પડકારોનું નિરૂપણ કર્યું હતું.

તેમણે 4 6 જેટલી કહાનિયા લખી છે, જ્યારે 2 કવિતા સંગ્રહ અને 3 કથા સંગ્રહ લખ્યા છે.

ચૌહાણે હિન્દીની ખડીબોલી બોલીમાં લખ્યું હતું. તેમને બાળકો માટે કવિતાઓ અને સમાજના મધ્યમ વર્ગના જીવન પર આધારિત કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમના અનુકરણીય કાર્યના સન્માનમાં ભારતીય તટરક્ષક જહાજનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સમક્ષ તેની પ્રતિમા મૂકવામાં આવી હતી.

15 ફેબ્રુઆરી, 1948ના રોજ મધ્યપ્રદેશમાં સિવની પાસે એક કાર- અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

 તેમને પોતાના પ્રિય મૃત્યુ વિશે કહેતા હતા કે, મને મૃત્યુ બાદ પણ પૃથ્વી છોડવાની ઇચ્છા નથી. મારી સમાધિ એવી રીતે બનાવજો કે જેની આસપાસ મેળો ભરાતો હોય, બાળકો રમતા રહેતા હોય, સ્ત્રીઓ ગાતી અને ત્યાં હંમેશા કોલાહલ રહેતી હોય.



ગુગલ દ્વારા 16 ઓગસ્ટ 2021ના રોજ તેમની 117મી જન્મજયંતિ એ ડુડલ બનાવવામાં આવ્યું હતું.


ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1976માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

1930માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ  "મુકુલ" પ્રકાશિત થયો હતો, આ ઉપરાંત 1931માં બીખરે મોતી,  1934માં ઉન્માદિની,  1947માં શીધે સાદે ચીત્ર પ્રકાશિત થયા હતા. 

सुभद्रा कुमारी चौहान हिंदी साहित्य की एक जगमगाती किरण हैं जिन्होंने साहित्य को 'ख़ूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी' जैसी कविताएं लिखकर रौशन किया। सुभद्रा जी के काव्य से पेश हैं चुनिंदा कविताएं
 

देव! तुम्हारे कई उपासक कई ढंग से आते हैं 
सेवा में बहुमूल्य भेंट वे कई रंग की लाते हैं 

धूमधाम से साज-बाज से वे मंदिर में आते हैं 
मुक्तामणि बहुमुल्य वस्तुऐं लाकर तुम्हें चढ़ाते हैं 

मैं ही हूँ गरीबिनी ऐसी जो कुछ साथ नहीं लायी 
फिर भी साहस कर मंदिर में पूजा करने चली आ

झांसी की रानी

सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
बूढ़े भारत में भी आई फिर से नयी जवानी थी, 
गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी, 
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी। 

चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी, 
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी, 
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी

परिचय

ललित-कलित कविताएं।
चाहो तो चित्रित कर दूँ 
जीवन की करुण कथाएं॥

सूना कवि-हृदय पड़ा है, 
इसमें साहित्य नहीं है।
इस लुटे हुए जीवन में, 
अब तो लालित्य नहीं है

फूल के प्रति

डाल पर के मुरझाए फूल!
हृदय में मत कर वृथा गुमान।
नहीं है सुमन कुंज में अभी
इसी से है तेरा सम्मान॥

मधुप जो करते अनुनय विनय
बने तेरे चरणों के दास।
नई कलियों को खिलती देख
नहीं आवेंगे तेरे पास॥

सहेगा कैसे वह अपमान?
उठेगी वृथा हृदय में शूल।
भुलावा है, मत करना गर्व
डाल पर के मुरझाए फूल॥

वीरों का कैसा हो वसंत

आ रही हिमालय से पुकार
है उदधि गरजता बार बार
प्राची पश्चिम भू नभ अपार;
सब पूछ रहें हैं दिग-दिगन्त
वीरों का कैसा हो वसंत

फूली सरसों ने दिया रंग
मधु लेकर आ पहुंचा अनंग
वधु वसुधा पुलकित अंग अंग;
है वीर देश में किन्तु कंत
वीरों का कैसा हो वसंत

साभार- कविताकोश 

09 August, 2021

ઝવેરચંદ મેઘાણી

 ઝવેરચંદ મેઘાણી

(લેખક, કવિ, પત્રકાર, લોક સાહિત્યકાર)




જન્મતારીખ: 28 ઓગસ્ટ 1896

જન્મસ્થળ: ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત

પિતાનું નામ: કાળીદાસ

માતાનું નામ: ધોળીબાઇ

અવશાન: 9 માર્ચ 1947  (બોટાદ)

બિરુદ: રાષ્ટ્રીય શાયર

હાથ વખાણાં હોય કે વખાણૂ દિલ વાણિયા

કલમ વખાણું હોય કે તારી જીભ વખાણું ઝવેરચંદ

                                   -કવિ દુલા ભાયા કાગ

ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં થયો હતો. તેમનું મૂળ વતન બગસરા છે.

તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં

તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું

ઝવેરચંદનું ભણતર રાજકોટદાઠાપાળીયાદબગસરાઅમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

 

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. 

૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 

૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.

 નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. 

બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 

૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં


1896જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (સુરેન્દ્રનગર જિલ્લો).
1912અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસૉફીનાં સંસ્કારબીજ વવાયાં.
19171913માં જૂનાગઢમાં આરંભેલું કૉલેજશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પૂરું કરી બી.એ. થયા. ત્યાં જ સનાતન ધર્મ હાઇસ્કૂલમાં શિક્ષક થયા.
1918કૌટુંબિક કારણે કલકત્તા જવાનું થયું, શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના કારખાનામાં નોકરી લીધી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભ્યાં. પહેલવહેલું ગીત 'દીવડો ઝાંખો બળે' રચ્યું.
1921વતનનો 'દુર્નિવાર સાદ' સાંભળી કલકત્તા છોડી કાઠિયાવાડ પાછા ફર્યા.
1922રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક 'સૌરાષ્ટ્ર'માં બે-ત્રણ લેખો મોકલ્યા, તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા અને પત્રકારત્ત્વની કામગીરીનો આરંભ કર્યો. ટાગોરના 'કોથા ઓ કાહિની'નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ 'કુરબાનીની કથાઓ' આપી લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે 'ડોશીમાની વાતો' પુસ્તક બહાર પડ્યું.
1923'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો અને લેખક તરીકે જાણીતા થયા. લોકસાહિત્યનાં સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બન્યાં. 1927 સુધીમાં 'રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા.
1928-29બાલ, કિશોર અને નારી ભાવોને ઝીલતાં, પોતે 'પ્રિયતર' ગણેલાં ગીતોના સંગ્રહો 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ' આપ્યા.
1929લોકસાહિત્યના સંશોધનકાર્ય માટે સર્વપ્રથમ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત થયો. જ્ઞાનપ્રસારક મંડળીના ઉપક્રમે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાનો આપ્યાં.
1930સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ 'સિંધુડો' બહાર પડ્યો અને સરકારે જપ્ત કર્યો. તેની સેંકડો હસ્તલિખિત કાનૂન-ભંગ નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સજા થઈ. અદાલતમાં 'છેલ્લી પ્રાર્થના' ગીત ગાયું ત્યારે ન્યાયાધીશ સહિત સેંકડોની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત 'કોઈનો લાડકવાયો' રચાયું, બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહારની પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અર્વિન કરારને પરિણામે માર્ચ 1931માં જેલમાંથી છૂટ્યા.
1931ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.
1934મુંબઈમાં શરૂ થયેલા નવા દૈનિક 'જન્મભૂમિ'ના સંપાદક-મંડળમાં જોડાયા. ટાગોર સાથેના મિલન દરમ્યાન સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી સાંભળી કવિવરે શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.
1936'જન્મભૂમિ' છોડીને સૌરાષ્ટ્રમાં 'ફૂલછાબ' અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.
1941શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશવિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.
1942સૂરતમાં 'લોકસાહિત્યઃ પગદંડીનો પંથ' એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.
1943મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ બેકાબુ બની.
1945'ફૂલછાબના તંત્રીપદેથી મુક્ત થઈ 23 વરસના પત્રકારજીવનમાંથી નિવૃ્ત્તિ લીધી. ટાગોરનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ 'રવીન્દ્ર-વીણા' પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક 'માણસાઈના દીવા' લખ્યું.
1946ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. 'માણસાઈના દીવા'ને વરસની ઉત્તમ કૃતિ તરીકે 'મહીડા પારિતોષિક'નું ગૌરવદાન મળ્યું.
1947ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક 'સોરઠી સંતવાણી' પૂરું કર્યું. 'કાળચક્ર' નવલકથા લખાતી હતી એને અધૂરી મુકીને 9મી માર્ચે હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

(આભાર સહ સ્ત્રોત: http://www.meghani.com)

ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. જે મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.

ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું 

1946માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં

ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

ઝવેરચંદ મેઘાણીની યાદમાં વર્ષ 2012થી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા "ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર" એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે આપવામાં આવે છે . ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને ₹ ૧,૦૦,૦૦૦ ની રકમ અને પ્રશસ્તિપત્રક આ પુરસ્કારમાં આપવામાં આવે છે..પ્રથમ આ પુરસ્કાર મેળવનાર ભગવાનદાસ પટેલ હતા. 


ઝવેરચંદ મેઘાણીના  સન્માનમાં તેમની 125મી જન્મજયંતિ એ ગાંધીનગર ખાતે "ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન"નું નિર્માણ થાશે.

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું હતું

ઝવેરચંદ મેઘાણી દ્વારા રચવામાં આવેલ લોક સાહિત્ય

(દરેક બ્લુ રંગ પર ક્લિક કરવાથી તેના વિશે વધુ માહિતી જાણી શકાશે)

  • લોકકથા

• ડોશીમાની વાતો - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૧ - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૨ - ૧૯૨૪ • સૌરાષ્ટ્રની રસધાર ૩ - ૧૯૨૫ • સૌરાષ્ટ્રની રસધાર ૪ - ૧૯૨૬ • સૌરાષ્ટ્રની રસધાર ૫ - ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ પહેલો- ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ બીજો - ૧૯૨૮ • સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો - ૧૯૨૯ • કંકાવટી ૧ - ૧૯૨૭ • કંકાવટી ૨ - ૧૯૨૮ • દાદાજીની વાતો - ૧૯૨૭ • સોરઠી સંતો, ભાગ પહેલો - ૧૯૨૮ • સોરઠી ગીતકથાઓ - ૧૯૩૧ • પુરાતન જ્યોત - ૧૯૩૮ • રંગ છે બારોટ - ૧૯૪૫

  • લોકગીતો

• રઢિયાળી રાત ૧ - ૧૯૨૫ • રઢિયાળી રાત ૨ - ૧૯૨૫ • રઢિયાળી રાત ૩ - ૧૯૨૭ • રઢિયાળી રાત ૪ - ૧૯૪૨ • ચુંદડી ૧ - ૧૯૨૮ • ચુંદડી ૨ - ૧૯૨૯ • ઋતુગીતો - ૧૯૨૯ • હાલરડાં - ૧૯૨૯ • સોરઠી સંતવાણી - ૧૯૪૭ • સોરઠીયા દુહા - ૧૯૪૭

  • નાટક

• રાણો પ્રતાપ - (ભાષાંતર) ૧૯૨૩ • રાજા-રાણી - (ભાષાંતર) ૧૯૨૪ • શાહજહાં - (ભાષાંતર) ૧૯૨૭ • વંઠેલાં - ૧૯૩૩ • બલિદાન -

  • જીવનચરિત્ર

• નરવીર લાલાજી - ૧૯૨૭ (બે દેશ દીપક ખંડ ૧) • સત્યવીર શ્રધ્ધાનંદ - ૧૯૨૭(બે દેશ દીપક ખંડ ૨) • ઠક્કરબાપા - ૧૯૩૯ • અકબરની યાદમાં - ૧૯૪૨ • આપણું ઘર - ૧૯૪૨ • પાંચ વરસનાં પંખીડાં - ૧૯૪૨ • મરેલાંનાં રુધિર - ૧૯૪૨ • આપણા ઘરની વધુ વાતો - ૧૯૪૩ • દયાનંદ સરસવતી - ૧૯૪૪ • માણસાઈના દીવા - ૧૯૪૫

  • નવલકથા

• સત્યની શોધમાં - ૧૯૩૨ • નિરંજન - ૧૯૩૬ • વસુંધરાનાં વહાલાં દવલાં - ૧૯૩૭ • સોરઠ, તારાં વહેતાં પાણી - ૧૯૩૭ • સમરાંગણ - ૧૯૩૮ • અપરાધી - ૧૯૩૮ • વેવિશાળ - ૧૯૩૯ • રા' ગંગાજળિયો‎ - ૧૯૩૯ • બિડેલાં દ્વાર - ૧૯૩૯ • ગુજરાતનો જય ૧ - ૧૯૪૦ • તુલસી-ક્યારો - ૧૯૪૦ • ગુજરાતનો જય - ૧૯૪૨ • પ્રભુ પધાર્યા - ૧૯૪૩ • કાળચક્ર - ૧૯૪૭

  • કવિતાસંગ્રહ

• વેણીનાં ફૂલ - ૧૯૨૮ • કિલ્લોલ - ૧૯૩૦ • સિંધુડો - ૧૯૩૦ • યુગવંદના - ૧૯૩૫ • એકતારો - ૧૯૪૦ • બાપુનાં પારણાં - ૧૯૪૩ • રવીન્દ્વ-વીણા - ૧૯૪૪

  • લઘુકથા

• કુરબાનીની કથાઓ - ૧૯૨૨ • ચિતાના અંગારા ૧ - ૧૯૩૧ • ચિતાના અંગારા ૨ - ૧૯૩૨ • જેલ ઓફીસની બારી - ૧૯૩૪ • દરિયાપારના બહારવટિયા - ૧૯૩૨ • પ્રતિમાઓ - ૧૯૩૪ • પલકારા - ૧૯૩૫ • ધુપ છાયા - ૧૯૩૫ • મેઘાણીની નવલિકાઓ ખંડ ૧મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ - ૧૯૪૨ • વિલોપન - ૧૯૪૬

  • લોકસાહિત્ય

• લોકસાહિત્ય ૧ - ૧૯૩૯ • પગડંડીનો પંથ - ૧૯૪૨ • ચારણો અને ચારણી સાહિત્ય - ૧૯૪૩ • ધરતીનું ધાવણ - ૧૯૪૪ • લોકસાહિત્યનું સમાલોચન - ૧૯૪૬

  • પ્રવાસ ભાષણ

• સૌરાષ્ટ્રના ખંડેરોમાં - ૧૯૨૮ • સોરઠને તીરે તીરે - ૧૯૩૩ • પરકમ્મા - ૧૯૪૬ • છેલ્લું પ્રયાણ - ૧૯૪૭

  • અન્ય

• સળગતું આયર્લૅંડ • એશિયાનું કલંક • લાલકિલ્લાનો મુકદ્દમો



 ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી છે
સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ઝવેચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી. ચોટીલા ખાતે જન્મેલા ઝવેરચંદ મેઘાણીના સુરેન્દ્નનગર જિલ્લા સાથે અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનું સવિશેષ મહત્વ છે. ઝવેરચંદ મેઘાણીએ 25 વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં 100 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-ક્યારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી જેવા પુસ્તકો અહી જોવા મળે છે. 







ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમને રચેલ સાહિત્ય

 વિશેની માહિતી મેળવવા


નીચે આપેલ વેબસાઇટની મુલાકાત લેવી.
 


http://www.meghani.com




મેઘાણીના જીવનને જાણવા વિડિયો જુઓ 

06 August, 2021

રવિન્દ્રનાથ ટાગોર

 રવિન્દ્રનાથ ટાગોર




જન્મતારીખ: 7 મે 1861

               (બંગાળી કેલેન્ડર મુજબ પોચીસે(25મી) બૈશાખ 1268)

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: દેવેન્દ્રનાથ ટાગોર

માતાનું નામ: શારદાદેવી

અવશાન: 7 ઓગસ્ટ 1941 (કલકત્તા)

ઉપનામ:  જમીનદારબાબુ, ગુરુદેવ, રવિન્દ્રનાથ ઠાકુર

7 મે 1861માં કોલકાતાના જોરાસકો હવેલીમાં  એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ મળ્યું રવીન્દ્ર પાડવામાં આવ્યુ જેને આગળ જઈને જેણે દુનિયાના ખ્યાતનામ સાહિત્યકાર, કવિ અને મહાન વ્યક્તિત્વ તરીકે નામના મેળવી.

કોલકાતાના એક શ્રીમંત બંગાળી પરિવારમાં જન્મેલા રવીન્દ્રનાથને નાનપણથી જ લેખન અને સાહિત્ય સાથે પ્રેમ થઈ ગયો હતો. 

રવિન્દ્રનાથ ટાગોરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું.

રવિન્દ્રનાથ ટાગોર કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. 

યજ્ઞોપવીત (જનોઈ) દીધા બાદ ૧૧ વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૩ના રોજ ભારતભ્રમણ કરવા માટે કોલકાત્તાથી નિકળી પડ્યા હતા. આ દરમિયાન તેઓ કૌટુંબિક જાગીર એવા શાંતિનિકેતન એસ્ટેટ અને અમ્રતસરની મુલાકાત લઈને હિમાલયના ગિરિમથક એવા ડેલહાઉસી પહોંચ્યા. ત્યાં ટોગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન સંસ્કૃતની ઉત્કૃષ્ટ કવિતા કાલિદાસનું ઊંડું અધ્યયન કર્યું


૧૮૭૭મા ,તેમણે ઘણું બધું લખ્યું જે પૈકીની એક હતી અત્યંત લાંબી મૈથિલી શૈલિમાં વિદ્યાપતિ (મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ)ની ઢબે લખેલી કવિતા, જેને માટે તેઓ રમૂજમાં એમ કહેતા હતા કે તે વૈષ્ણવ કવિ ભાનુસિંહાની ૧૭મી સદીમાં ખોવાયેલી કૃતિ હતી. તેમણે "ભીખારીની" (1877; " ધ બેગર વુમન"—બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા)  અને સાંધ્ય સંગીત લખી. (૧૮૮૨) —જેમાં પ્રખ્યાત કવિતા "નિરજેરેર સ્વપ્નભંગ"નો સમાવેશ થતો હતો.

1878 થી 1932 દરમિયાન તેમણે પાંચ ખંડોના 13 દેશોની મુલાકાત લીધી હતી

 રવીન્દ્રનાથ ટાગોરના પિતા ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી તેમણે ટાગોરને ૧૮૭૮માં ઈંગ્લેનડનાં બ્રાઈટનની પબ્લિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો પરંતુ ડીગ્રી લીધા વગર તેઓ ૧૮૮૦માં બંગાળ પરત ફર્યા.

 ૯ ડિસેમ્બર ૧૮૮૩માં તેમના લગ્ન મૃણાલિની દેવી  સાથે થયા  તે સમયે મૃણાલિની દેવી માત્ર 10 વર્ષ ના હતા. જેમનાથી તેમને પાંચ સંતાનો થયા. તેમાંથી બે પુખ્ત થાય તે પહેલા જ મૃત્યુ પામ્યા. તે જ સમયે, 1902 માં, રવિન્દ્રનાથ ટાગોરની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું.

 1890માં તેમની પરિવારની મિલકત એવા શિલાએદહ પહોંચ્યા, જે હાલમાં બાંગલાદેશમાં છે. તેમની સાથે તેમના પત્નિ અને બાળકો પણ ૧૮૯૮માં જોડાયા હતા.

 "જમીનદારબાબુ"તરીકે જાણીતા ટાગોર તેમની વિશાળ જગ્યામાં ફેલાયેલી એસ્ટેટની મુલાકાત લેતા હતા તેઓ પોતાના વૈભવશાળી નિવાસ્થાન પદમ માં પણ રહેતા ન હતા. તેઓ ભાડૂં ઉઘરાવવા(મોટાભાગે નજીવું) માટે ફરતા અને ગ્રામવાસીઓને આશીર્વાદ આપતા. જેના બદલામાં ગામલોકો ભોજન સમારંભ રાખતા 

 આ વર્ષો ટાગોરની સાધના ના વર્ષો હતા 

આ સમય દરમિયાન તેમની ત્રણ ભાગમાં લખાયેલી વાર્તાની અડધી વાર્તાઓ અંહી લખાઈ તેમજ 84 જેટલી ગાલપાગુચ્ચા વાર્તાઓ અહીં લખાઈ આ વાર્તાઓમાં બંગાળની જીવનશૈલી અને તેમાં પણ ગ્રામ્ય જીવનનું સુંદર નિરુપણ હતું.

1901માં ટાગોરે શિલાએદહ છોડી દીધું અને શાંતિનિકેતન (પશ્ચિમ બંગાળ) આવી પહોંચ્યા  જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી જેમાં આરસપહાણનો પ્રાર્થના ખંડ , એક શાળા, વૃક્ષો, બગીચો, પુસ્તકાલયનો સમાવેશ થતો હતો..

અહીં જ ટાગોરની પત્ની અને તેમના બે બાળકોના મૃત્યુ થયા હતા. તેમના પિતાનું અવસાન 19 જાન્યુઆરી 1905ના રોજ થયું હતું. 

 આ સમય દરમિયાન તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા જેથી મોટાપ્રમાણમાં બંગાળી અને વિદેશી વાચકો તેમના અનુયાયીઓ બની ગયા હતા. 

તેમણે નૈવિધ્ય (1901) અને ખેયા (1906) પ્રસિદ્ધ કર્યું ઉપરાંત તેમણે પોતાની કવિતાઓને મુક્ત ટૂકી કવિતામાં ભાષાંતર પણ કર્યું. 

14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને  સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું. 

નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અને પ્રથમ એશિયાઇ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર હતા.

1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટ (સર’ )નો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.

1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.) આ સંસ્થા શાંતિનિકેતન આશ્રમની નજીક સુરુલ ગામ નજીક આવેલી છે. 

ગાંધીજીની સ્વરાજ ની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી હતી.  તેમણે વિદ્વાન, દાનવીરો અને વિવિધ દેશોના લોકોની નિમણૂક ગામના નિરિક્ષર લોકોને ભણાવવા માટે કરી.

1930ના દાયકામાં તેઓ ભારતની જાતિ આધારિત વ્યવસ્થા અને અછૂત જેવી સમસ્યાઓથી ચિંતત થયા હતા. તેમણે પોતાના નિબંધો, કવિતાઓ અને નાટકોમાં અછૂતને નાયક બનાવ્યો હતો અને ગુરુવાયોર મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાની વિનંતી કરી હતી

15 જાન્યુઆરી 1934ના રોજ બિહાર જિલ્લામાં આવેલા ભૂકંપને ગાંધીજીએ દલિત પ્રત્યે થયેલા ખરાબ વ્યવહારનો દિવ્ય પ્રતિશોધ ગણાવ્યો હતો. જેની ટાગોરે ટીકા કરી હતી.

 બંગાળની આર્થિક અસમાનતાને લઈને પણ તેઓ ચિંતિત હતા. તેમણે 100 પંક્તિઓની એક કવિતા પણ લખી હતી. આ વાત જાણીતા ફિલ્મકાર સત્યજીત રેએ તેમની ફિલ્મ અપૂર સંસાર માં વણી લીધી હતી.

ટાગોરે પોતાની કવિતાઓ, નિબંધોનું કામ 15 ખંડમાં ભેગૂં કર્યું હતું. જેમાં પુનાશાચા (1932), શિશ સપ્તક (1935), અને પાત્રાપૂટ નો સમાવેશ થાય છે.(1936). 

તેમણે ગધ ગીતની શૈલી અને નૃત્ય નાટક વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા હતા. જેમાં ચિંત્રાંગદા (1914), શ્યામા (1939),અને ચાંડલિકા (1938),નો સમાવેશ થતો હતો. 

તેમણે દુઈ બોન (1933), મલાંચા (1934), અને ચાર અધ્યાય નામની નવલકથાઓ પણ લખી. (1934). 

છેલ્લા વર્ષોમાં ટાગોરે વિજ્ઞાનમાં પણ રસ લીધો અને 1937 વિશ્વ પરિચય નામનું પૂસ્તક લખ્યું. તેમણે જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્રને પોતાની કવિતાઓમાં સમાવી લીધું. આ કવિતાઓમાં પ્રકૃતિની અસીમ તાકાતનું નિરુપણ રહેતું હતું. તેમણે વિજ્ઞાનની પ્રક્રિયા પણ પોતાની કેટલીક વાર્તાઓ સી (1937), ટીન સાંગાઈ (1940), અને ગાલપોસાલ્પા જેવા ગ્રંથોમાં સમાવી હતી(1941).

પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. 

ટાગોરના છેલ્લા ચાર વર્ષે ભારે દુઃખમાં વિત્યા હતા. છેલ્લા બે વર્ષ તો તેઓ સખ્ત બિમાર હતા. 1937માં પહેલો બેશુદ્ધ થવા લાગ્યા હતા. તેઓ જીવનના અંત સમયે પણ બેશુદ્ધ અવસ્થામાં જ હતા. 

1940 બાદ બીજા ત્રણ વર્ષો દરમિયાન બેશુદ્ધીની બિમારી જોર કરી ગઈ. આ બિમારીથી તેઓ કોઈ દિવસ બહાર આવી શક્યા નહીં. આ વર્ષોમાં તેમણે લખેલી કવિતાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓ છે.


ગંભીર બિમારી બાદ 80 વર્ષની વયે ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ  જ્યાં તેઓ મોટા થયા હતા ત્યાં તેઓ જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા.

 બંગાળી જગતમાં તેમની મૃત્યુ તીથી ના દિવસે લાખો લોકો મૌન રાખે છે.


ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.

તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. 

ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. 

તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

 ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

ટાગોરની કવિતાઓને વિવિધ કંપોઝરો દ્વારા તાલબદ્ધ કરવામાં આવી છે. તેમાંની કંપોઝર આર્થર શેફર્ડની ઊંચા અવાજવાળી તંતુવાદ્ય ધરાવતી ચાર ગાયકોની જોડીની તખ્તી તેમજ કંપોઝર ગેરી શિમેનની "પ્રાણ," તે ટાગોરની કવિતા "સ્ટ્રીમ ઓફ લાઇફ" ગીતાંજલિમાંથી લેવામાં આવી છે.ત્યાર બાદમાં તેને સ્થાનિક પલબાષા સિદ્દીકી દ્વારા કંપોઝ અને રેકોર્ડ કરવામાં આવી હતી. આ માટે તેમણે ઈન્ટરનેટ સેલિબ્રિટી મેટ્ટ હાર્ટિંગનો વાઈરલ વિડિયો માટે સાથ લીધો હતો

ટાગોરના રાજકીય વિચારો જટીલ હતા. તેમણે યુરોપીયન સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો હતો અને ભારતીય રાષ્ટ્રવાદીઓને ટેકો આપ્યો હતો

ટાગોરે ભારતીય સ્વતંત્રતા ચળવળના ગુણગાન ગાતા ગીતો લખ્યા હતા અને 1919ના જલીયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં પોતાનો ખિતાબનો ત્યાગ કર્યો હતો.

રાજકારણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વની એવી ટાગોરની બે કૃતિઓ, ચિત્તો જેથા ભયશુન્યો (ભય વગરનું ચિત્ત) અને એકલા ચાલો રે (જો તેઓ ઇશ્વરની હાકલ જવાબ ન આપે તો એકલો જાને રે) ભારે લોકપ્રિય થઇ હતી. 

એકલા ચાલો રેની ગાંધીજીએ પણ તરફેણ કરી હતી.ગાંધીજી સાથે તેમના સંબંધ તોફાની હતા તેમ છતાં ટાગોરે ગાંધી-આંબેડકર વિવાદને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં અછૂત માટે અલગ મતદાનની માંગ કરવામાં આવી હતી અને ગાંધીની આમરણાંત ઉપવાસ પર બેઠા હતા

 રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું છે. ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” છે જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર સોનાર” છે.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી ઘણી રચનાઓ જેમ કે ગીતાંજલિ, ગીતાલી, ગીતીમાલ્યા, શિશુ ભોલાનાથ, ઘીયા વગેરે પણ અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ છે.

ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ મહાત્મા તરીકે બોલાવ્યા હતા. જે પછી ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યા.

રવીન્દ્રનાથ ટાગોર ત્રણ વખત પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા અને એવું કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.

રવિન્દ્ર નાથ ટાગોરે વર્ષ 1919 માં ‘કલા ભવન’ ની સ્થાપના કરી હતી જે 1921 માં સ્થપાયેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની હતી.

ટાગોરે 11 ઓક્ટોબર 1917ના રોજ જ્યારે કેલિફોર્નિયાના સાંતા બાર્બરાની મુલાકાત લીધી હતી ત્યારે તેમને નવા પ્રકારની યુનિવર્સિટીનો વિચાર આવ્યો હતો અને તેમના આશ્રમ શાંતિનિકેતનને વિશ્વ સાથે જોડતા સેતુ તરીકે વિકસાવવાની ઇચ્છા થઇ હતી. તેઓ શાંતિનિકેતનને રાષ્ટ્રીય અને ભૌગોલિક મર્યાદાઓથી પર  અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છતા હતા.તેમણે શરૂ કરેલી વિશ્વ ભારતી નામની શાળાનો શિલાન્યાસ 22 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો બાદમાં તેનું 22 ડિસેમ્બર 1921ના રોજ ઉદઘાટન થયું હતું, અહીં ટાગોરે બ્રહ્મચર્ય પ્રકારની શિક્ષણશૈલી અપનાવી હતી, ટાગોરે શાળા અને સ્ટાફ માટે ભંડોળ ઉભું કરવા સખત મહેનત કરી હતી. તેમણે તે તેમના નોબલ પારિતોષના તમામ પૈસામાં પણ તેમાં ખર્ચી નાંખ્યા હતા

7 મે 2009ના રોજ Google  એ ટાગોર પર ગૂગલ ડૂડલ દર્શાવ્યું હતું જે તેમની 148મી જન્મજયંતિ હતી


બંગાળી કેલેન્ડર જોવા માટે અહી ક્લિક કરો.