મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સ્વાતંત્ર્ય સેનાની. Show all posts
Showing posts with label સ્વાતંત્ર્ય સેનાની. Show all posts

22 October, 2023

બિપીનચંદ્ર પાલ

 બિપીનચંદ્ર પાલ

(લાલ-બાલ- પાલ ની ત્રીપુટીમાના એક)


જન્મતારીખ: 7 નવેમ્બર 1858

જન્મ સ્થળ: પોઇલ, હબીબગંજ, બાંંગ્લાદેશ
પિતાનું નામ:  રામચંદ્ર પાલ
માતાનું નામ: નારાયણી દેવી
અવશાન: 20 મે 1932


ભારતીય સ્વતંત્રતા આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ બાલ પાલ ની ત્રિપુટી માના એક એટલે બીપીનચંદ્ર પાલ. ભારતમાં ક્રાંતિકારી વિચારોનો જનક બિપિનચંદ્ર પાલને કહેવામાં આવે છે

 બિપિનચંદ્ર પાલ એક રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા પણ હતા

બીપીનચંદ્ર પાલનો જન્મ બંગાળ પ્રેસિડેન્ટીના સીલ્હેટ જિલ્લાના હબિગંજના પોઇલ  ગામમાં 7 નવેમ્બર 1858 ના રોજ એક હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ પર્શિયન વિદ્વાન અને નાના જમીનદાર હતા. બીપીનચંદ્ર પાલનું પ્રારંભિક શિક્ષણ ઘર પર જ ફારસી ભાષામાં થયું હતું. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કલકત્તા ગયા ત્યાં બ્રહ્મસમાજના અગ્રણી કેશવચંદ્ર સેન નો તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો અને તેઓ બ્રહ્મસમાજ સાથે જોડાઈ ગયા. આ વાત તેમના પિતાને પસંદ પડી નહીં આથી તેમને બિપિનચંદ્રનું આજીવન મો ન જોવાની કસમ ખાધી. 

બ્રહ્મસમાજના સિદ્ધાંતો તેમના જીવનમાં એવી રીતે ઉતરી ગયા કે જે કોઈ આ સમાજની વિરુદ્ધમાં જાય તેમને તેઓ શાસ્ત્રાર્થ કરવાનો પડકાર ફેંકતા હતા. આવા જ એક કાલીચરણ બેનર્જી બ્રહ્મસમાજની વિરુદ્ધમાં ઉગ્ર ભાષણ આપતા ત્યારે બીપીનચંદ્ર એ સતત સાત ભાષણ આપીને કાલીચરણના વિચારોનું ખંડન કર્યું હતું. બીપીનચંદ્ર બ્રહ્મસમાજના સિદ્ધાંતોનું ચુસ્ત અનુસરણ કરતા હતા કારણ કે બ્રહ્મ સમાજ એ સુધારવાદી સમાજ હતો અને સમાજની ખોટી પ્રથાઓ અને રિવાજોનો વિરોધી હતો.

બીપીનચંદ્ર માત્ર ભાષણ આપીને ચૂપ રહેતા ન હતા પરંતુ સમાજના નિયમોનું અનુસરણ પણ કરતા હતા. આ જ કારણથી જ્યારે તેમના પ્રથમ પત્ની મૃત્યુ પામ્યા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ નેતા સુરેન્દ્રનાથ બેનર્જીની વિધવા ભત્રીજી સાથે પુન:લગ્ન કર્યા.  આ લગ્ન એ તે સમયે ભારે ઉહાપોહ મચાવ્યો કારણકે તે સમયે વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો


તેમને કેટલાક કારણોસર ગ્રેજ્યુએટ થતાં પહેલાં પોતાનું શિક્ષણ છોડવું પડ્યું અને કલકત્તાની એક સ્કૂલમાં હેડ માસ્ટર તથા ત્યાંની  જ એક પબ્લિક લાઇબ્રેરીમાં લાયબ્રેરીયન તરીકે નોકરી કરી.

1886 માં પરિદર્શક નામના સાપ્તાહિકમાં તેમને કામ શરૂ કર્યું જે સિલ્હટ થી નીકળતું હતું બિપિનચંદ્ર પાલ એક શિક્ષક પત્રકાર લેખક તરીકે ઘણો સમય કાર્ય કર્યું અને તેઓ એક બહેતરીન વક્તા અને રાષ્ટ્રવાદી નેતા પણ હતા જેમને અરવિંદ ઘોષ સાથે મુખ્ય પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે.

બિપિનચંદ્ર સાર્વજનિક જીવન અને અંગત જિંદગીમાં પણ પોતાના વિચારો પર અમલ કરનારા અને ચાલી આવેલી રૂઢિચુસ્ત માન્યતાના સખત વિરોધી હતા.

તેમણે એક વિધવા મહિલા સાથે વિવાહ કર્યા હતા જે તે સમયે ચોકાવનારી બાબત હતી અને આ પગલાંને લીધે તેમને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવો પડ્યો હતો.


તેમણે આપેલા ભાષણોના કારણે તેમને ખૂબ નામના મળી હતી. 1900 માં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પણ તેમણે ઘણા ભાષણો આપ્યા અને ઘણા વર્તમાનપત્રમાં લેખો લખતા રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં તેમણે "સ્વરાજ" નામની પત્રિકા છાપી હતી. ઇંગ્લેન્ડ થી પાછા ફર્યા બાદ તેમને "ન્યુ ઇન્ડિયા" નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું અને ત્યાર પછી શ્રી અરવિંદના વર્તમાનપત્ર "વંદે માતરમ" માં પણ તેમને કામ કર્યું


1905 માં બંગાળ વિભાજન વિરોધમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ લાલ બાલ અને બાલની ત્રિપુટી એ જોરદાર આંદોલન કર્યું જેને મોટા પાયે જનતાનું સમર્થન મળ્યું.

આ ત્રિપુટી ઉગ્ર વિચારસરણી માટે જાણતી હતી. બંગ ભંગ આંદોલન દરમિયાન બ્રિટિશ સરકારે અરવિંદ ઘોષની ધરપકડ કરી અને બિપિનચંદ્ર પાલને તેમની વિરુદ્ધમાં સાક્ષી બનવા કહ્યું ત્યારે તેઓ માન્ય નહીં અને તેમના પર કોર્ટના મા ભંગનો કેસ ચલાવવામાં આવ્યો. ત્યાર તેમને સરકારને સ્પષ્ટ પણે કહ્યું કે "કોઈપણ દેશભક્તની વિરુદ્ધમાં હું જઈશ નહીં ભલે મારે ફાંસીએ ચડવું પડે" ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા છ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ બમણા જોશથી કામ કરવા લાગ્યા અને દેશમાં ખૂણે ખૂણે જોશ ભર્યા ભાષણ આપવા મળ્યા 1919 માં તેઓ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ ગયા અને ત્યાં પણ તેમને દેશની આઝાદી માટે ચળવળ ચલાવી.


બીપીનચંદ્ર પાલે ઘણી રચનાઓ લખી છે જેમાં ધ ન્યુ સ્પીરીટ, ઇન્ડિયન નેશનલિઝમ, નેશનાલિટી એન્ડ એમ્પાયર, સ્વરાજ એન્ડ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, વિક્ટોરિયા બાયોગ્રાફી, ધ બેજીસ ઓફ રિફોર્મ, ધ સોલ ઓફ ઇન્ડિયા વગેરે…..આ ઉપરાંત એમને ઘણી પત્રિકાઓમાં પણ સંપાદન કર્યું છે જેમાં પારદર્શક, બંગાળ પબ્લિક ઓપોનિયન, લાહોર ટ્રીબ્યુન, ધ ન્યૂ ઇન્ડિયા, ધ ઈન્ડીપેન્ડન્ટ ઇન્ડિયા, વંદે માતરમ, સ્વરાજ  અને ધ હિન્દુ રીવ્યુ વગેરે…


દેશની નવી રાજનીતિ સાથે તાલમેલ જાળવી ન શકતા તેઓ એક હાસિયમાં ધકેલાઈ ગયા.  દેશ જાગૃતિ માટેનો તેમનો ફાળો ક્યારેય ભૂલી શકાશે નહીં.

બીપીનચંદ્ર પાલે સમગ્ર જીવન રાષ્ટ્રહિત માટે કામ કર્યું છે સમાજ સુધારક અને સ્વતંત્ર સેનાનીનુ  20 મે 1932ના રોજ  નિધન થયું હતું


મદન મોહન માલવિયા

 મદન મોહન માલવિયા

(બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક)







આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



03 April, 2022

મણીબેન પટેલ

 મણીબેન પટેલ

(સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી 

અને તેમના સેક્રેટરી)



જન્મતારીખ: 3 એપ્રિલ 1903

જન્મસ્થળ: ગાના, કરમસદ, ગુજરાત

પિતાનું નામ: વલ્લભભાઇ પટેલ 

માતાનું નામ: ઝવેરબા

અવશાન: 26 માર્ચ 1990

મણિબેન પટેલ   ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય સંસદના સભાસદ હતા. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. તેમનો અભ્યાસ મુંબઈમાં થયો હતો અને તેમણે ૧૯૧૮માં ગાંધીજીની વિચારધારાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ તેઓ નિયમીત રીતે અમદાવાદના સાબરમતી આશ્રમમાં સેવા આપતા હતાં



મણિબેન પટેલનો જન્મ 3 એપ્રિલ 1903ના દિવસે તેમના મોસાળ ગાના (કરમસદ) ગામમાં થયો હતો. મણિબેન 6 વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. વલ્ભભાઇને વિલાયત જઇ બેરિસ્ટર થવુ હતુ આથી તેમણે પુત્રી મણીબેન અને પુત્ર ડાહ્યાભાઇને પોતાના મોટાભાઇ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં મૂક્યા અને  તેમને તેઓનોઉછેર કર્યો..મુંબઈની ક્વીન મેરી હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો હતો.ત્યાર બાદ 1920માં તેઓ અમદાવાદ સ્થાયી થઈને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા.અભ્યાસ બાદ મણિબેન પટેલ પિતાના કાર્યોમાં મદદ કરવામાં જોડાયા અને 1920 થી પોતના પિતાના પત્રોને સંગ્રહ કરવાનું શરુ કર્યુ જે જીવન પર્યંત કર્યુ.


મણિબેન પટેલ કદાચ પ્રથમ એવા મહિલા હતા જેમણે સેક્રેટરી બની પિતાની સેવા કરી.મણિબેને પોતાનું જીવન સરદાર પટેલની સેવામાં અર્પણ કર્યું હતું.એમણે સરદાર જીવ્યા ત્યાં સુધી તેમના સેક્રેટરી બનીને મણિબેને સેવા કરી.તેમની તમામ જરૂરિયાતોને મણિબેન ખુબ સારી રીતે જાણતા હતા.એટલું નહીં પણ સરદાર પટેલને હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે સારવાર  આપને મણિબેને તેમનો જીવ બચાવ્યો હતા.



બોરસદ સત્યાગ્રહ

1923માં અંગ્રેજોએ શિક્ષાત્મક કરવેરો વસુલવાનો શરૂ કર્યું.અને જે લોકો કર ન ભરી શકે તેની મિલકતો કબજે કરવાની શરૂઆત કરી હતી.જેની સામે સરદાર પટેલ અને ગાંધીજીએ ના-કરની ચળવળ શરૂ કરી હતી.જેમાં જોડાઈને મણિબેન પટેલ ઘરે-ઘરે જઈને મહિલાઓને આ ચળવળમાં જોડી હતી.સ્ત્રીઓને ઘરથી બહાર નીકળી આગળ આવી બોરસદ સત્યાગ્રહમાં મણિબેને જોડી હતી.


બારડોલી સત્યાગ્રહ

1928માં અંગ્રેજોએ બારડોલીના ખેડૂતો પર આકરો કરવેરો નાખી અત્યારચાર ગુજારવામાં આવ્યો હતો.જેના વિરોધમાં સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ કર્યું હતું.પરંતુ તેમાં મહિલાઓ ન જોડાતા  મણિબેન પટેલ આગળ આવ્યા.અને મિઠુબેન પેટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી મહિલાઓને સત્યાગ્રહમા જોડાવવાની પ્રેરણા આપી.મણિબહેનની મહેનતથી જ બારડોલી સત્યાગ્રહમાં પુરુષો કરતા પણ વધુ સંખ્યામાં મહિલાઓ જોડાઈ.


રાજકોટ સત્યાગ્રહ

વર્ષ 1938માં રાજકોટના રજવાડાના દિવાન દ્વારા  થતા અત્યાચારના વિરોધમાં રાજકોટ સત્યાગ્રહ કરવામાં આવ્યો.પરંતુ નાદુરસ્ત તબિયત હોવા છતાં કસ્તુરબા ગાંધી જોડાવવા આતુર હતા.જેથી મણિબેન પટેલ કસ્તુરબા ગાંધી સાથે ગયા.પરિણામે સરકારે તેમને છૂટાપાડવાનો આદશ કર્યો હતો.પરંતુ તેના વિરોધમાં અનશન પર ઉતરી કસ્તુરબાને તેમની સાથે જ રાખવા માટે સરકારને ફરજ પાડી હતી.


સરદાર પટેલની જેમ દેશસેવા માટે મણિબેને પણ કારાવાસ ભોગવવો પડ્યો હતો.ભારત છોડો ચળવળમાં જોડાઈ વર્ષે 1942થી 1945 સુધી યરવાડા જેલમાં મણિબેને કારાગૃહ ભોગવ્યો.ત્યારે બાદ વર્ષ 1950માં પિતાના અવસાન સુધી તેમની સાર સંભાળ રાખી હતી.બાદમાં મુંબઈ આવી સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સહિતની અન્ય સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી.મણિબેન પટેલે પિતાના જીવન અને ભારતીય સ્વતંત્રતાની ચળવળને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું હતું.

 


એક સમયે મણિબેન પટેલ ગુજરાત પ્રાંત કોંગ્રેસ કમિટીના ઉપ-પ્રમુખ હતા.બાદમાં જવાહરલાલ નેહરુની આગેવાનીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી 1952-1957 સુધી દક્ષિણ કૈરા લોકસભાના સાંસદ રહ્યા.તો બીજી વખત 1957થી 1962 સુધી આણંદથી સાસંદ રહ્યા.સાથે 1953થી 1956 સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના સચિવ રહ્યા હતા.વર્ષ 1964 અને વર્ષ 1970માં રાજ્યસભાના સાંસદ બની પ્રતિનિધિત્વ કર્યું.


મણિબેન પટેલ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.જેમાં સમાજની સાથે મહિલાઓને પણ શિક્ષિત કરવા માટે ખુબ મોટા કામ કર્યા હતા.ગુજરાત વિદ્યાપીઠ, વલ્લભ વિદ્યાનગર, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્ટ સાથે જોડાઈને મણિબેન પટેલ શિક્ષણક્ષેત્ર માટે સરાહનિય કામગીરી કરી બતાવી હતી.જેથી 1990માં તેમના અવસાન બાદ 2011માં સરદાર વલ્લભાઈ પટેલ ટ્રસ્ટ અને નવજીવન પ્રકાશને મળીને મણિબેનની ગુજરાતી ડાયરીને પ્રકાશીત કરી હતી.


સરદાર પટેલના અવસાન બાદ મણિબેન જવાહરલાલ નહેરુને મળવા આવ્યા હતા.ત્યારે મણિબેને નહેરુને એક ચોપડી અને  એક થેલી આપી હતી.એ થેલીમાં 35 લાખ રૂપિયા હતા અને ચોપડીમાં તે રકમનો હિસાબ હતો.અને તે ચોપડી અને રકમ સરદાર પટેલ પાસેની કોંગ્રેસની મૂડી હતી.સરદાર પટેલના અવસાન બાદ એક પણ પાઈ રાખ્યા વગર તમામ સંપત્તિ નેહરુને અર્પણ કરી હતી.સાથે આખી જીંદગી અકિંચન વ્રત પાળી, સદા ટ્રેનના ત્રીજા વ્રતવર્ગના ડબામાં મુસાફરી કરનાર મણિબેને તમામ રકમ નેહરૂને સોંપી પોતે સુતરમાંથી કાંતેલા કપડા પહેરી વતનમાં સ્થાઈ થયા.


આખુ જીવન અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામા મુસાફરી કરનાર, પોતે કાંતેલ સુતરના કપડા પહેનાર અને આજીવન પિતાની સેવા અને કાર્યોને આગળ ધપાવનાર મહિલા સ્વાતંત્ર્ય સેનાની મણીબેનનું અવશાન 26 માર્ચ 1990ના રોજ થયુ હતું.





સાભાર: દિવ્ય ભાસ્કર


03 December, 2021

ડો. રાજેન્દ્રપ્રસાદ

 ડો. રાજેન્દ્રપ્રસાદ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સમિતિના અધ્યક્ષ


જન્મતારીખ: 3 ડિસેમ્બર 1884

જન્મ સ્થળ: ઝેરડે, સિવાન જીલ્લો, બિહાર

પિતાનું નામ: મહાદેવ સહાય

માતાનું નામ: કમલેશ્વરી દેવી

અવશાન: 28 ફેબ્રુઆરી 1963 (પટના, બિહાર)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. 

રાષ્ટ્રપતિ હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં વિવાદથી દૂર રહ્યા હતા, તેથી લોકો તેમને રાજેન્દ્ર બાબુ અથવા દેશરત્ન કહેતા હતા

બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ તેઓ સર્વાનુમતે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા

1952 અને 1957માં તેઓ સતત 2 વખત ચૂંટાયા અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.


મુઘલ બગીચા ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક મહિના માટે જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા અને ત્યારથી તે દિલ્હીના લોકો અને દેશ માટે એક મોટી આકર્ષણની બાબત હતી.

તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ.


 તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી


રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા.


 તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી.


 તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. 


૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. 


બાદમાં કાયદાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.

વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. 


મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. 


તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. 


તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. 


૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. 


જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.


ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 


બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.


રાજેન્દ્ર પ્રસાદે દેશની સામે ઘણા દાખલા રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય ભંડોળમાં રાષ્ટ્રપતિ તરીકે મળેલ પગારનો અડધો ભાગ તે દાનમાં આપતા હતા.


સ્વતંત્રતા પહેલા રાજેન્દ્ર પ્રસાદ બિહારના ટોચના વકીલોમાંથી એક હતા. પટનામાં તેમનું એક મોટું મકાન હતું અને તે રાજાશાહી જીવન જીવતા હતા. તે સમયમાં પણ તેમની ફી મસમોટી હતી. પરંતુ તેઓ ગાંધીજીના અનુરોધ પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને ત્યાર પછી જીવન સરળતાથી જીવતા થયા. 

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા બાદ પણ તેઓ પોતાની સાદગી માટે સર્વોપરી રહ્યા હતા. તે પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જે જમીન પર આસાન પાથરી બેસતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજી રીતભાત ફોલ કરવાનો ઈનકાર કર્યો હતો.

તેમની કર્તવ્યપરાયણતાના ઘણા બનાવ છે. કર્તવ્ય માટે પરિવાર સુધીને ભુલાવી દેવાનો તેનો કિસ્સો તો લોહપુરૂષ સરદાર પટેલની યાદ કરાવે છે. વકીલ રહેલા સરદાર પટેલને એક વાર કોર્ટમાં તેમના મુવ્ક્કિલ માટે દલીલ દરમિયાન પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તે વાંચીને, તેણે પહેલા ચર્ચા પૂરી કરી, પછી ઘર તરફ પ્રયાણ કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો 1960ના પ્રજાસત્તાક દિવસનો આવો જ એક કિસ્સો છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ તેમની મોટી બહેનનું અવસાન થયું હતું. ત્યારબાદ બહેનના મૃતદેહને છોડીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.


રાષ્ટ્રપતિના રૂપમાં છુપાવ્યો બહેનની મૃત્યુનુ દુખ

રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની મોટી બહેન ભગવતી દેવીનું 25 જાન્યુઆરી 1960ની મોડી સાંજે અવસાન થયું. તેની બહેનના મૃત્યુથી તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો. રાત્રિના અંતે, પરિવારના સભ્યોએ તેમને બીજા દિવસે સવારે રાષ્ટ્રપતિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું યાદ અપાવ્યું. આ પછી, આંસુ લૂછ્યા પછી, તેઓ તૈયાર થયા અને સવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડની સલામી લેવા આવ્યા. સમારંભ દરમિયાન તે સંપૂર્ણ સંયમમાં રહ્યો. ત્યારે દેશે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને જોયા, ભાઈ રાજેન્દ્ર પ્રસાદે પોતાનું દુ:ખ છુપાવ્યું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પછી ખૂબ રડ્યા
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ રાજેન્દ્ર પ્રસાદ ફરીથી બહેનના મૃતદેહ પાસે પહોંચ્યા. હવે તેની ધીરજનો બંધ તૂટી ગયો હતો. આ પછી, તે દિલ્હીના યમુના જાટમાં અંતિમ સંસ્કાર સુધી ઘણી વખત રડતો જોવા મળ્યો હતો. તેણે તેની બહેનના અંતિમ સંસ્કાર કર્યા

ડો. રાજેન્દ્ર પ્રસાદનું સાહિત્યક્ષેત્રે યોગદાન

  • ચાંદમામા મેગેઝિનના સ્વામી (1948) ના અંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રસાદનું પોટ્રેટ
  • ચંપારણમાં સત્યાગ્રહ (1922)
  • બંકીપુરજેલ માં તેના 3 વર્ષના જેલની સજા દરમિયાન લખેલા
  • મહાત્મા ગાંધી અને બિહાર, કેટલીક યાદ (1949)
    બાપુ કે કદમોં મે (1954)
  • આઝાદી હોવાથી (1960 માં પ્રકાશિત)
    ભારતીય શિક્ષા
  • મહાત્મા ગાંધીના ચરણોમાં.

  • તેમનું 28 ફેબ્રુઆરી 1963 ના રોજ, 78 વર્ષની વયે અવસાન થયું હતું. હદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.

10 November, 2021

સુરેન્દ્રનાથ બેનર્જી

 સુરેન્દ્રનાથ બેનર્જી

આધુનિક બંગાળના નિર્માતા



જન્મતારીખ: 10 નવેમ્બર 1848

જન્મસ્થળ: કલકત્તા (બંગાળ

અવશાન: 6 ઓગસ્ટ 1925

सर सुरेन्द्रनाथ बैनर्जी ब्रिटिश राज के दौरान प्रारंभिक दौर के भारतीय राजनीतिक नेताओं में से एक थे। उन्होंने भारत सभा (इंडियन नेशनल एसोसिएशन) की स्थापना की, जो प्रारंभिक दौर के भारतीय राजनीतिक संगठनों में से एक था। बाद में वे भारतीय राष्ट्रीय कांग्रेस में सम्मिलित हो गए थे। वह राष्ट्रगुरू के नाम से भी जाने जाते हैं


भारतीय स्वतंत्रता आंदोलन (Indian Freedom Movement) के इतिहास में सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) उस दौर के नेता थे, जब इसकी शुरुआत हो रही थी. पहले भारतीय सिविल सेवा (Indian Civil Services) में चुने जाने वाले दूसरे भारतीय थे. उन्हें इस सेवा से विवादास्पद तरीके से हटा दिया गया जिसके लिए उन्होंने असफल लड़ाई भी लड़ी. उन्होंने देश की पहली राजनैतिक पार्टी की स्थापना की और बाद वे भारतीय राष्ट्रीय कांग्रेस से भी जुड़कर एक नरमपंथी नेता कहलाए. बंगाल विभाजन के प्रखर विरोधी के रूप में भी पहचाने गए. 10 नवंबर को उनके जन्मदिन पर उन्हें याद किया जा रहा है.


भारतीय स्वतंत्रता आंदलोन (Indian Freedom Movement) के इतिहास में 19वीं सदी के बहुत से नेताओं के योगदान को कम याद किया जाता है. इनमें से एक नेता सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) का कहानी कुछ रोचक है. ब्रिटिश भारतीय सिविल सेवा में चुने गए दूसरे भारतीय के रूप में मशहूर सुरेंद्रनाथ बनर्जी को उन्हें इस सेवा से बेदखल कर दिया गया था. इस अन्याय के कारण बनर्जी राष्ट्रवादी (Nationalist नेता बन गए और कांग्रेस से भी जुड़े. एक शिक्षाविद के तौर पर. बंगाल विभाजन के प्रखर विरोधी रहे बनर्जी को गांधी जी के तरीकों के विरोधी के तौर पर भी जाना जाता है. 10 नवंबर को उनकी जन्मतिथि है.

पिता का गहरा प्रभाव
सुरेंद्रनाथ बनर्जी का जन्म 10 नवंबर 1848 को कलकत्ता (अब कोलकाता) के कुलीन ब्राह्मण परिवावर में हुआ था. उनके पिता दुर्गा चरण बनर्जी पेशे से डॉक्टर थे और उनके उदारवादी और प्रगतिवादी विचारों का गहरा असर हुआ था. कलकत्ता यूनिवर्सिटी से स्नातक की पढ़ाई करने के बाद वे इंडियन सिविल सिर्विस की परीक्षा पास करने के लिए इंग्लैंड चले गए और इस परीक्षा को पास करने वाले वे दूसरे भारतीय थे.

दो बार पास की सिविल सेवा परीक्षा
सुरेंद्रनाथ ने 1869 में में सिविल सेवा परीक्षा पास की, लेकिन उन्हें इसमें शामिल होने से रोक दिया गया. उन पर गलत जन्मतिथि बताने का आरोप लगा था. लेकिन सुरेंद्रनाथ ने इसके लिए कानूनी लड़ाई लड़ी और दलील दी कि उन्होने अपनी उम्र हिंदू रितियों के तहत उम्र बताई थी. बनर्जी ने दूसरी बार 1871 में फिर से परीक्षा दी और और सिलहट में असिस्टेंट मजिस्ट्रेट के तौर पर नियुक्त हुए.

सिविल सेवा का विवाद
सिविल सेवा से जुड़ने केबाद जल्दी ही बनर्जी को एक गंभीर न्यायिक गलती के कारण बर्खास्त कर दिया गया. इसके लिए कानूनी लड़ाई लड़ने के लिए वे इंग्लैंड गए और असफल रहे. उन्होंने महसूस किया कि उनके साथ नस्लभेद का बर्ताव किया गया है. इग्लैंड प्रवास के दौरान बनर्जी ने एडमंड बूर्क और अन्य उदारवादी दार्शनिकों को पढ़ा जिससे उनके राष्ट्रवादी होने की नींव मजबूत हुई. उनकी जिद के कारण अंग्रेज उन्हें सरेंडर नॉट बनर्जी कहते थे.

एक कुशल अध्यापक के साथ-साथ सुरेन्द्रनाथ बनर्जी सफल पत्रकार भी थे. 1883 ई० में बंगाली” नामक पत्र का प्रकाशन किया गया. सुरेन्द्रनाथ बंगाली पत्र के सम्पादक थे और इनके लेखों को सरकार ने आपत्तिजनक मानकर इन्हें दो मास की सजा दी थी. सजा के विरोध में अभूतपूर्व जन-जागरण हुआ. सुरेन्द्रनाथ बनर्जी छात्रों के बीच अधिक लोकप्रिय थे.

पहली’ राजनैतिक पार्टी की स्थापना
बनर्जी 1875 में भारत वापस लौटे और अंग्रेजी के प्रोफेसर बन गए और रिपन कॉलेज की स्थापना भी की जो अब उनके नाम से ही जाना जाता है. इसके अलावा उन्होंने इंडियन नेशनल एसोसिएशन की भी स्थापना की जो उस समय भारत की पहली राजनैतिक पार्टी कहलाई. उन्होंने अपने भाषणों में राष्ट्रवाद और उदारवादी राजनीति की पैरवी की.

देश भर में लोकप्रियता
बनर्जी ने अपने संगठन का उपयोग भारतीय छात्रों की सिविल सेवा परीक्षा की कम आयुसीमा के मुद्दे से निपटने का जरिया भी बनाने का प्रयास किया. अंग्रेजों की नस्ल आधारित भेदभाव की बनर्जी ने देश भर में जम कर आलोचना की जिससे वे बहुत लोकप्रिय हुए. लेकिन इसमें उनकी शानदार वाकपटुता का बड़ा योगदान था.




कांग्रेस में विलय
1979 में सुरेंद्रनाथ ने द बंगाली नाम का एक अखबार खरीद लिया औरउसके बाद अगले 40 सालों तक उसका संपादन किया.  अंग्रेजों का विरोध जताने के आरोपमें उन्हें 1883 में गिरफ्तार भी किया गया. इस तरह वे जेल जाने वाले पहले भारतीय पत्रकार बने. 1885 में भारतीय राष्ट्रीय कांग्रेस की स्थापना के समय बनर्जी ने अपनी पार्टी का उसमें विलय करा दिया. वे 1895 में पूना और 1902 के अहमदाबाद अधिवेशन में कांग्रेस अध्यक्ष भी चुने गए थे.


सुरेन्द्रनाथ बनर्जी एक महान विचारक और कुशल वक्ता थे. ब्रिटिश संसद एवं जनता के सामने भारतीय दृष्टिकोण को उपस्थित करने के लिए इन्हें कई बार शिष्टमण्डल का सदस्य नियुक्त कर इंगलैण्ड भेजा गया था. अपने भाषण एवं तर्कपूर्ण विचार से वे अंगरेजों को बहुत प्रभावित कर देते थे. इंगलैण्ड के प्रधानमंत्री ग्लैडस्टोन की तरह सुरेन्द्रनाथ बनर्जी भी एक प्रभावशाली वक्ता थे. इन्हें इंडियन ग्लैडस्टोन की संज्ञा दी गयी थी. सर हेनरी कॉटन ने सुरेन्द्रनाथ बनर्जी की वाकपटुता और योग्यता के सम्बन्ध में यह उद्गार प्रकट किया था कि “मुल्तान से लेकर चटगाँव तक वे अपनी वाणीकला के जादू से विद्रोह उत्पन्न कर सकते थे और विद्रोह को दबा भी सकते थे. भारत में उनकी स्थिति वही थी जो डैमोस्थानीज की यूनान में या सिसरो की इटली में थी.”


बंगाल विभाजन के प्रमुख नेता

लॉर्ड कर्जन ने 1905 ई० में बंगाल विभाजन की घोषणा की. बंग-विभाजन के विरुद्ध सुरेन्द्रनाथ बनर्जी ने विद्रोह छेड़ दिया और सारे राष्ट्र में अपने भाषण और लेख के माध्यम से राष्ट्रीय चेतना में एक नई लहर पैदा कर दी. विरोध का नेतृत्व करते हुए सुरेन्द्रनाथ बनर्जी को पुलिस की लाठी खानी पड़ी थी.


1905 में बंगाल विभाजन केसमय बनर्जी एक अहम नेता के रूप में उभरे. बनर्जी की सरपरस्ती में गोपाल कृष्ण गोखले और सरोजनी नायडू जैसे भारतीय नेता देश के परिदृश्य में आए. वे सबसे वरिष्ठ नरमपंथी कांग्रेस के तौर पर जाने जाते थे. वे जीवन भर नरमपंथी नेता बने रहे और मानते ति के देश को अंग्रेजों से बातचीत के जरिए ही अंग्रेजों से आजादी हासिल करनी चाहिए.


सुरेन्द्रनाथ बनर्जी ने एक पुस्तक की रचना की थी. उसका नाम, ए नेशन इन दी मेकिंग’ (A Nation in the Making) था.



इसके बाद बनर्जी भारतीय राष्ट्रवादी धारा से अलग थलग होते दिखे. 1909 में उन्होंने मार्ले मिंटो सुधार का समर्थन किया. उन्होंने महात्मा गांधी के असहयोग आंदोलन से सैद्धांतिक तौर पर असहमति जताई जिससे वे और हाशिए पर चले गए. उन्होंने कांग्रेस छोड़ दी और बंगाल सरकार में मंत्री पर अपनाने पर उन्हें बहुत विरोध का सामना भी करना पड़ा. 6 अगस्त 1925 को बैरकपुर में उनका निधन हो गया.


सर सुरेन्द्रनाथ बनर्जी भारतीय राष्ट्रीय आन्दोलन के अग्रदूत थे. वे सांविधानिक आन्दोलन के जन्मदाता थे. राष्ट्रसेवा में अपना सब कुछ अर्पित करने वालों में सुरेन्द्रनाथ बनर्जी का नाम स्वर्णक्षरों में अंकित किया जाता है.



26 October, 2021

ગણેશ શંકર વિદ્યાર્થી

 ગણેશ શંકર વિદ્યાર્થી

( હિન્દી સમાચારપત્ર પ્રતાપના સંસ્થાપક તંત્રી  અને પત્રકાર)


ગણેશશંકરની મૂળ અટક શ્રીવાસ્તવ હતી. ગણેશશંકર જયનારાયણ શ્રીવાસ્તવ. તેઓ આજીવન શીખતા રહ્યા, વિદ્યા પ્રાપ્ત કરતા રહ્યા એટલે તેઓ ગણેશશંકર વિદ્યાર્થી તરીકે ઓળખાયા

ગણેશ શંકર વિદ્યાર્થીનો જન્મ 26 ઓક્ટોબર 1890ના રોજ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હથગાંવ ખાતે કાયસ્થ પરિવારમાં થયો હતો.

 તેમના પિતા મુન્શી જયનારાયણ ગ્વાલિયર રિયાસતમાં ઍંગ્લો વર્નાક્યુલર શાળાના મુખ્યશિક્ષક હતા.

પિતાના હાથ નીચે જ ગણેશ શંકરે શાળાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો અને મુંગાઓલી અને વિદિશામાં અભ્યાસ કર્યા બાદ ૧૯૦૭ માં ખાનગી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી હતી.

 નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા નહીં અને કરન્સી ઓફિસમાં ક્લાર્ક તરીકે નિમણૂક મેળવી અને બાદમાં કાનપુરની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૪ જૂન ૧૯૦૯ના રોજ ચંદ્રપ્રકાશવતી સાથે તેમના વિવાહ થયા

તેમનો વાસ્તવિક રસ પત્રકારત્વ અને જાહેર જીવનમાં હતો. તેઓ દેશમાં થઈ રહેલા રાષ્ટ્રવાદી ઉદયના પ્રભાવ હેઠળ આવ્યા તથા હિન્દી અને ઉર્દૂના જાણીતા ક્રાંતિકારી સામયિકો 'કર્મયોગી' અને 'સ્વરાજ'ના એજન્ટ બન્યા અને તેમાં યોગદાન આપવાનું શરૂ કર્યું. 

અહીંથી તેમણે 'વિદ્યાર્થી' (જ્ઞાનના સાધક) કલમ-નામ અપનાવ્યું. 

૧૯૧૧માં વિદ્યાર્થી હિન્દી પત્રિકા સરસ્વતીમાં પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીના સહાયક તરીકે જોડાયા. જોકે, ગણેશ શંકરને વર્તમાન પ્રવાહો અને રાજકારણમાં વધુ રસ હતો આથી સરસ્વતી છોડી તે સમયના રાજકીય હિન્દી સાપ્તાહિક "અભ્યુદય"માં સહાયક સંપાદક તરીકે જોડાયા. અહીં તેઓ સપ્ટેમ્બર ૧૯૧૩ સુધી જોડાયેલા રહ્યા.

 બે મહિના બાદ, ૯ નવેમ્બર ૧૯૧૩ના રોજ તેમણે કાનપુરથી પોતાનું હિન્દી સાપ્તાહિક પ્રતાપ શરૂ કર્યું.  આ વખતથી વિદ્યાર્થીનું રાજકીય, સામાજિક અને પુખ્ત સાહિત્યિક જીવન શરૂ થયું. 


23 નવેમ્બર, 1920માં ‘પ્રતાપ’ને દૈનિકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920માં ગણેશશંકરે ‘પ્રભા’ નામનું માસિક પણ શરૂ કર્યું. ‘પ્રતાપ’ પર સતત કેસ થયા કરતા હતા. ગણેશશંકર દંડ ભરવાને બદલે જેલમાં જવાનું પસંદ કરતા. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ કુલ પાંચ વખત જેલમાં ગયા. 10 માર્ચ, 1931ના રોજ સાડા ત્રણ મહિનાનો કારાવાસ ભોગવીને તેઓ બહાર આવ્યા ત્યારે ભગતસિંહ-રાજગુરુ-સુખદેવની ફાંસીના મામલે દેશમાં તંગ વાતાવરણ હતું. તે જ અરસામાં લેખની શરૂઆતમાં વર્ણવ્યો એ, કાનપુરમાં ફાટી નીકળેલા કોમી રમખાણવાળો ઘટનાક્રમ બન્યો. હિન્દુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી ઘટાડવાના ઇરાદા સાથે નીકળી પડેલા ગણેશશંકરની હત્યા કરી દેવામાં આવી

આ સાપ્તાહિક દ્વારા જ તેમણે રાયબરેલીના પીડિત ખેડૂતો, કાનપુર મિલના કામદારો અને ભારતીય રાજ્યોના દલિત લોકો માટે પોતાની પ્રખ્યાત લડત લડી હતી. આ લડત દરમિયાન તેમને અસંખ્ય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, ભારે દંડ ભરવો પડ્યો હતો અને જેલની પાંચ સજા ભોગવવી પડી હતી

શ્રીમતી ઍની બેસન્ટની હોમરૂલ ચળવળમાં વિદ્યાર્થીએ ખૂબ જ ખંતથી કામ કર્યું અને કાનપુરના મજૂર વર્ગના વિદ્યાર્થી નેતા બન્યા. 


તેઓ કોંગ્રેસના વિવિધ આંદોલનોમાં ભાગ લેવા માટે ૫ વખત જેલમાં ગયા હતા અને અધિકારીઓના અત્યાચારો સામે હિંમતપૂર્વક "પ્રતાપ"માં લેખો લખતા ગયા હતા. 


અગાઉ તેઓ લોકમાન્ય તિલકને પોતાના રાજકીય ગુરુ તરીકે વિચારતા હતા, પરંતુ ગાંધીજીના રાજકારણમાં ઉતર્યા પછી તેઓ તેમના વિશિષ્ટ ભક્ત બની ગયા. 


તેઓ પહેલી વાર ૧૯૧૬માં લખનૌમાં ગાંધીજીને મળ્યા હતા અને રાષ્ટ્રીય ચળવળમાં પોતાની જાતને પૂરા દિલથી હોમી દીધી હતી. તેમણે ૧૯૧૭-૧૮ના હોમરુલ આંદોલનમાં અગ્રણી ભાગ લીધો હતો અને કાનપુરમાં કાપડ કામદારોની પ્રથમ હડતાળનું નેતૃત્વ કર્યું હતું.


 ૧૯૨૦માં તેમણે પ્રતાપની દૈનિક આવૃત્તિ શરૂ કરી હતી અને આ વર્ષે જ રાયબરેલીના ખેડૂતોના પ્રશ્નોને અવાજ આપવા બદલ તેમને બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.


 ૧૯૨૨માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને ફતેહગઢ ખાતે પ્રાંતીય રાજકીય પરિષદના પ્રમુખ તરીકે "રાષ્ટ્રદોહી" ભાષણ આપવા બદલ તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

૧૯૨૫માં જ્યારે કોંગ્રેસે પ્રાંતીય વિધાન પરિષદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને સ્વરાજ પાર્ટીનું આયોજન કર્યું ત્યારે ગણેશ શંકરે કાનપુરથી કોંગ્રેસ વતી શાનદાર જીત મેળવી અને ૧૯૨૯માં કોંગ્રેસના આદેશથી રાજીનામું આપ્યું ત્યાં સુધી યુ.પી. વિધાન પરિષદના સભ્ય તરીકે સેવા આપી. 


૧૯૨૫માં ગાંધીજીએ કાનપુરમાં બીચ વાલા ચોક મંદિરની સ્થાપના કર્યા બાદ વિદ્યાર્થી વારંવાર બેઠકોનું આયોજન કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા.


 ૧૯૨૬માં કોંગ્રેસના મહત્વના સભ્ય તરીકે નિમણૂંક થતા વિદ્યાર્થીએ શિવ નારાયણ ટંડનને પણ કોંગ્રેસ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


૧૯૨૮માં તેમણે મજદૂર સભાની સ્થાપના પણ કરી હતી અને ૧૯૩૧માં તેમના મૃત્યુ સુધી તેનું નેતૃત્વ કર્યું હતું.


૧૯૨૯માં તેઓ ઉ.પ્ર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમને યુ.પી.માં સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પ્રથમ 'સરમુખત્યાર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


તેઓ હિન્દી ભાષાના સમર્થક હતા અને ૧૯૩૦માં ગોરખપુરઅને નવી દિલ્હીના શ્રદ્ધાનંદ પાર્ક ખાતે આયોજીત હિન્દી સત્યાગ્રહ સંમેલન પરિષદમાં ભાગ લીધો હતો. 


આ જ વર્ષે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 


૯ માર્ચ ૧૯૩૧ના રોજ ગાંધી-ઇરવિન કરાર હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.


જ્યારે તેઓ કોંગ્રેસના સત્રમાં ભાગ લેવા માટે કરાચી જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કાનપુરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 


ગણેશ શંકર વિદ્યાર્થીએ આ રમખાણોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના હજારો નિર્દોષ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન તોફાની ટોળાએ તેમને ઘેરી લીધા હતા, થોડા દિવસો પછી જ કચરા પાસે મળી આવ્યા હતા જ્યાં શરીર પર છરીના અનેક ઘાને કારણે તેમને ઓળખવામાં થોડો સમય લાગ્યો હતો


25 માર્ચ 1931ના રોજ કોમી રમખાણોમાં કાનપુર ખાતે તેમનું અવશાન થયુ હતું.


ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ પત્રિકામાં લખ્યું કે, ‘ગણેશશંકર વિદ્યાર્થીની હત્યા આખરે તો હિન્દુ-મુસ્લિમ ધર્મને આપસમાં જોડવા માટે સિમેન્ટનું કાર્ય કરશે.

સન્માન

  • ૧૯૮૯થી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે જાણીતા પત્રકારોને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર આપવામાં આવે છે.
  • કાનપુર મેડિકલ કોલેજનું નામ તેમના સ્મરણમાં ગણેશ શંકર વિદ્યાર્થી સ્મારક (જીએસવીએમ) મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે.
  • ગોરખપુર શહેરની મધ્યે આવેલા એક ચોકનું નામ ગણેશ ચોક રાખવામાં આવ્યું છે.
  • અગાઉ કાનપુરના રાણી ઉદ્યાન તરીકે ઓળખાતા ફૂલ બાગને 'ગણેશ વિદ્યાર્થી ઉદ્યાન' નામ આપવામાં આવ્યું છે.
  • ૧૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે ભારતની સ્વતંત્રતા માટે તેમના યોગદાનને માન આપવા માટે કાનપુર હવાઈમથકનું નામ ગણેશ શંકર વિદ્યાર્થી એરપોર્ટ કરવામાં આવ્યું છે.


૧૯૬૨ની ભારતીય ટપાલ ટિકિટ પર ગણેશ શંકર વિદ્યાર્થીનો ફોટો મુકવામા આવ્યો હતો.

પ્રસંગ
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અાપવાનું નક્કી થયું તે સમયગાળાની એટલે કે 1931ની આ વાત છે. આ ત્રણ બહાદુર સ્વાતંત્ર્યસેનાનીઓની ફાંસીના મામલે દેશમાં ગરમાટો ફેલાઈ ગયો હતો. સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા હતા. આ જ અરસામાં કરાંચીમાં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. સ્વયં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે રજૂઆત કરી હતી કે ભગતસિંહને ફાંસીની સજામાંથી મુક્તિ આપી દેશનિકાલ કે આજીવન કેદની સજા કરો, પણ સરકારે કોઈની વિનંતી કાને ન ધરી. આખરે 23 માર્ચ, 1931ના રોજ આ ત્રણેય યુવા ક્રાંતિકારીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.
સરકારનાં આ આકરાં પગલાંના આખા ભારતમાં ઉગ્ર પડઘા પડ્યા. કંઈકેટલીય જગ્યાએ શોકસભાઓનું આયોજન કરવામાં આવ્યું. ભારત બંધનું એલાન થયું. નવાઈ લાગે એવો ઘટનાક્રમ હવે સર્જાયો. ભારત બંધનું પાલન કરીને અંગ્રેજો સામે લડવાને બદલે કાનપુરમાં હિન્દુ-મુસ્લિમ સામસામા બાખડી પડ્યા! અંગ્રેજોએ અહીં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. કારણ દેખીતું હતું. હિન્દુ-મુસ્લિમ સામસામા લડતા રહે એટલે ભગતસિંહની ફાંસી અપાયાનો મુદ્દો બાજુએ રહી જાય ને અંગ્રેજોને ફાયદો થાય. કાનપુરના સરકારી અધિકારીઓ એટલે જ જાણી જોઈને નિષ્ક્રિય રહ્યા.
આવા નાજુક સમયગાળામાં એક સ્થાનિક તંત્રી-પત્રકારના અજંપાનો પાર નહોતો. આ દેશપ્રેમી તંત્રીએ ઘરની ચાર દીવાલોની સલામતીમાં લપાઈ રહેવાને બદલે એ રમખાણોને શાંત પાડવા લોકો વચ્ચે જવાનું નક્કી કર્યું. એમની પત્નીએ ચિંતાતુર થઈને પૂછ્યું,
‘આવા ભયંકર તોફાનમાં તમે બહાર જશો?’
તંત્રીએ જવાબ આપ્યો, ‘તું ખોટી ગભરાય છે. મેં કોઈનું ખરાબ કર્યું નથી તો કોઈ મારું શા માટે અહિત કરે? મારો ભગવાન મારી
સાથે છે.’

માણસ ભલોભોળો અને નિર્દોષ હોય તો પણ એણે બીજાઓની ક્રૂરતા તેમજ અન્યાયનો સામનો કરવો પડે, એવું બને. કુદરત પણ એની સાથે ખતરનાક ખેલ ખેલી નાખે એવુંય બને.
24 માર્ચ, 1931ના રોજ આખો દિવસ કાનપુરમાં તોફાનો ચાલતાં રહ્યાં. 25 માર્ચે પણ શાંતિ ન થઈ. આવા સ્ફોટક માહોલમાં લાગલગાટ બે રાત તંત્રી ઘરે પાછા ન ફર્યા. પત્ની અને પરિવારના અન્ય સભ્યોની ચિંતાનો પાર ન રહ્યો. તપાસ કરતાં ખબર પડી કે એમની તો હત્યા કરી દેવામાં આવી છે. આજથી એક્ઝેક્ટ 88 વર્ષ પહેલાં બનેલી આ ઘટના.
કોણે આ દેશપ્રેમી તંત્રીનો જીવ લીધો? આ સવાલનો જવાબ ક્યારેય મળ્યો નહીં. હા, એક તપાસ સમિતિ જરૂર રચવામાં આવી હતી. આ સમિતિએ સુપરત કરેલા રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે તત્કાલીન જિલ્લા અધિકારી કે.એફ.સ્વેલ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહોતી આવી એટલે તંત્રીએ જીવ ગુમાવવો પડ્યો.    

આ પત્રકાર-તંત્રીનું નામ છે ગણેશશંકર વિદ્યાર્થી

09 September, 2021

કેપ્ટન વિક્રમ બત્રા

 કેપ્ટન વિક્રમ બત્રા



જન્મતારીખ: 9 સપ્ટેમ્બર 1974

જન્મ સ્થળ: પાલમપુર, હિમાચલ પ્રદેશ

પિતાનું નામ: જી.એલ.બત્રા

માતાનું નામ: જયકમલ

અવશાન:  7 જુલાઇ 1999 (કારગીલ,જમ્મુ કાશ્મીર)

હુલામણું નામ: શેરશાહ, વિકિ, લુવ

આર્મીમા સેવા: 1997 થી 1999

યુદ્ધમા લીધેલ ભાગ: ઓપરેશન વિજય અને કારગીલ યુદ્ધ




કારગિલ યુદ્ધના પરમવીર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની વીરતા અને દેશપ્રેમનો જુસ્સો આજે પણ યુવાઓમાં જોશ ભરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ જ વીરતા દેખાડી તે અદભૂત હતી. તેમના ત્યાગ અને બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે.

કેપ્ટન વિક્રમ બત્રા  ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

વિક્રમ બત્રાનો જન્મ ૯ સપ્ટેમ્બર,૧૯૭૪ નાં રોજ હિમાચલ પ્રદેશનાં પાલમપુર નજીકનાં ઘુગ્ગર ગામમાં, જી. એલ. બત્રા અને જયકમલ બત્રાને ત્યાં થયેલો.


જ્યારે દરેક ઘરમાં ટીવી ન હતી ત્યારે. વિક્રમ તેના જોડિયા ભાઈ વિશાલ સાથે ટીવી જોવા માટે પાડોશીના ઘરે જતો હતા. તે સમયે દૂરદર્શન પર 'પરમવીર' સિરિયલ આવતી હતી. એટલે કે, ભારતીય સેનાની બહાદુરીની વાર્તાઓ ધરાવતી સિરિયલ. આ સિરિયલની વાર્તાઓ વિક્રમની છાતીમાં એવી રીતે બેસી ગઈ કે રમકડાં સાથે રમવાની ઉંમરે તેણે પોતાના જીવનનો હેતુ નક્કી કર્યો. એ હેતુ પરમવીર બનવાનો હતો.


કેપ્ટન વિક્રમ બત્રાએ પંજાબ યુનિવર્સિટીથી ઈંગ્લિશ વિષયમાં એમએ કર્યુ હતું.


તેમને મર્ચન્ટ નેવીમાં પણ પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો પગાર પણ વધારે હતો. પરંતુ એક સ્વપ્ન એક સ્વપ્ન છે. વિક્રમે નક્કી કર્યું હતું કે તેને સેનામાં જવું છે.


1995 માં તેમણે IMA ની પરીક્ષા પાસ કરી.


6 ડિસેમ્બર 1997 ના રોજ જમ્મુના સોપોર નામના સ્થળે આર્મીની 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1999 માં કમાન્ડો ટ્રેનિંગ સાથે ઘણી તાલીમ પણ લીધી હતી. 1 જૂન 1999 ના રોજ, તેમની ટુકડી કારગિલ યુદ્ધ માટે મોકલવામાં આવી હતી. હમ્પ અને રકી નબ જગ્યાઓ જીત્યા બાદ વિક્રમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.


કારગિલમાં તેમના કમાન્ડિંગ ઓફિસર કર્નલ યોગેશ જોશીએ તેમને 5140 ચોકીઓ જીતવાની જવાબદારી સોંપી હતી. આ શિખર પર તિરંગો ફરકાવ્યા પછી, વિક્રમે તેના અધિકારીઓને સંદેશ મોકલ્યો, 'યે દિલ માંગે મોર. તેમનો સંદેશ દરેક ભારતીયમાં પ્રખ્યાત બન્યા હતા.


કેપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની 'ડેલ્ટા કંપની'ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે 'શેરશાહ'નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડ ના મુખ પાસે મશીનગન ના ગોળીબાર થી ઘેરી લીધા. {તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણ જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા.} તો પણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. 


તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો.


 કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું.


પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ. કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા.

પાકિસ્તાની છાવણીમાં પણ આ શેર શાહ કોણ છે તેની ચર્ચા ચાલતી હતી. શેરશાહ વિક્રમ બત્રા હતા, જેમનું કોડ નામ યુદ્ધ દરમિયાન શેર શાહ હતું. તેમની અને પાકિસ્તાની સેના વચ્ચે કરાયેલા ઘણા કઠોર નિવેદનો આજે પણ લોકોમાં પ્રખ્યાત છે.


ઓપરેશન દ્રાસમાં ભારતીય સૈનિકો પથ્થરોનું આવરણ લઈને દુશ્મન પર ગોળીબાર કરી રહ્યા હતા. પછી તેના એક સાથીને ગોળી વાગી અને તે તેની સામે પડી ગયો. તે સૈનિક ખુલ્લામાં પડ્યો હતો. વિક્રમ અને રઘુનાથ ખડકોની પાછળ બેઠા હતા. વિક્રમે તેના સાથીને કહ્યું કે અમે અમારા ઘાયલ સાથીને સલામત સ્થળે લાવીશું.


સાથીએ તેને કહ્યું કે મને નથી લાગતું કે તે બચી શકશે. આ સાંભળીને વિક્રમ ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, શું તું ડરે ​​છે? પછી તેણે તેના સાથીને કહ્યું કે તારા પરિવાર અને બાળકો છે. હું અત્યારે સિંગલ છું. આમ કહીને તે યુવાનને બચાવવા ગયો, જ્યારે તેને ગોળી વાગી.


 ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, "જય માતા દી." હતા. 


દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.


કારગીલ યુદ્ધમા પહેલીવાર બોફોર્સ ટોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


જ્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે વિક્રમ તેના થોડા દિવસો પહેલા ઘરે આવ્યો હતો. ત્યાં તેના એક મિત્રએ કહ્યું હતું કે જો તમે સેનામાં છો તો થોડી કાળજી રાખો. વિક્રમે કહ્યું - ચિંતા ન કરો," કાં તો હું તિરંગો લહેરાવ્યા પછી આવીશ અથવા હું તેમાં લપેટીને આવીશ. પણ હું ચોક્કસ આવીશ.(या तो तिरंगा लहरा कर आउंगा या उसमें लिपट कर आउंगा. लेकिन आउंगा जरूर.)"


કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની ૫૨ મી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં,ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા જી. એલ. બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે. આર. નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું.


વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની લવ સ્ટોરી પણ એક સાચો પ્રેમ દર્શાવતી કહાની છે.  વિક્રમની શહાદત બાદ ડિમ્પલે આજ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી અને તે આજે પણ તેની યાદો સાથે ગર્વથી જીવી રહી છે.


  • બત્રાનું યે દિલ માંગે મોર, તત્કાલીન 'પેપ્સી'ની જાહેરાતનું પ્રખ્યાત સુત્ર, એક આઇકોનિક (iconic) રણહાક બની ગયું અને દેશભરમાં ફેલાઇ અને લાખો ભારતીયોનું માનીતું સુત્ર બન્યું, જે યુદ્ધ અને સૈનિકોની સ્મૃતિમાં યોજાતા જાહેર દેશભક્તિ કાર્યક્રમોમાં, ભારતીય દેશભક્તિ અને ભવિષ્યના હુમલાઓનો શૌર્યપૂર્ણ સામનો કરવાની અદમ્ય ભાવનાનાં પ્રતિકરૂપે ગુંજી ઉઠ્યું.
  • પોઇંટ ૫૧૪૦ પર પહોંચ્યા બાદ, શત્રુ સેનાનાં એક સેનાપતિ,જેમણે તેમને રેડિયો વાર્તાલાપ દરમિયાન એમ કહીને લલકાર્યા કે, "તમે અહીં શા માટે આવ્યા 'શેરશાહ' (તેમનું ઉપનામ)? હવે તમે પાછા નહીં જઇ શકો." ત્યારે વિક્રમ બત્રાએ ઉત્તર આપ્યો કે, "આપણે એકાદ કલાકમાંજ જોશું કે ટોંચ પર કોણ રહે છે."
  • બત્રાનાં અંતિમ શબ્દો તેમની રણહાક, "જય માતા દી" હતા. (જય માતાજી)
  • "યા તો તિરંગા લહેરાકે આઉંગા, યા તિરંગામેં લીપટા હુવા આઉંગા, લેકિન આઉંગા" (કાં તો તિરંગો ફરકાવીને આવીશ (વિજેતા થઇને),કાં તો તિરંગામાં વિટળાઇને (શહિદી પામીને) આવીશ, પરંતુ આવીશ જરૂર).
  • લેફ. નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઇ કરવા દેવા માટે વિનંતી કરી ત્યારે બત્રાએ તેને કવર કરી પાછળ ખસેડતાં કહ્યું, "તું બાલબચ્ચેદાર હૈ, હટજા પીછે."
  • IMA માં સંયુક્ત કેડેટ મેસનું નામ વિક્રમ બત્રા મેસ છે.
  • નવી દિલ્હીના મુકરબા ચોક અને તેના ફ્લાયઓવરનું નામ બદલીને શહીદ કેપ્ટન વિક્રમ બત્રા ચોક કરવામાં આવ્યું.
  • ચંદીગ'sની ડીએવી કોલેજમાં બત્રા સહિત યુદ્ધના દિગ્ગજોનું સ્મારક છે
  • પોઇન્ટ 4875 ના historicતિહાસિક વ્યવસાયને કારણે પર્વતને તેના માનમાં બત્રા ટોપ નામ આપવામાં આવ્યું હતું.



સને ૨૦૦૩નું હિન્દી ચલચિત્ર એલ.ઓ.સી. કારગિલ સમગ્ર કારગિલ યુદ્ધ પર આધારીત હતું જેમાં અભિષેક બચ્ચને કેપ્ટન બત્રાનું પાત્ર ભજવેલ છે.


વિક્રમ બત્રાના જીવન પર આધારિત હિંદિ ફિલ્મ "શેરશાહ" બની છે જેમા વિક્રમ બત્રાનો અભિનય સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યો હતો.

માતૃભુમિની રક્ષા કાજે પોતાના જીવનાનુ બલિદાન આપનાર વિક્રમ બત્રાને આજના દિવસે સો સો સલામ.