મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

22 September, 2021

માઇકલ ફેરાડે

માઇકલ ફેરાડે


માઇકલ ફેરાડે વગર આ દુનિયા ખૂબ જ મુશ્કેલ અને અંધારામય હોત. દરેક વખતે તમે જ્યારે ફાનસ સળગાવો છો, તમારુ લેપટોપ ચાલુ કરો છો અથવા પાણી ગરમ કરવા હીટરની સ્વીચ ચાલુ કરો છો. આ બધું તેમના લીધે છે જેમણે વીજળીની શોધ કરી અને વિશ્વ અર્થકારણમાં એક ઉત્સુકતા પેદા કરી

જન્મતારીખ: 22 સપ્ટેમબર 1791

જન્મ સ્થળ: લંડન

અવશાન: 25 ઓગસ્ટ 1867 (

  • आविष्कार – Faraday’s law of induction, Electrochemistry, Faraday effect, Faraday cage, Faraday constant, Faraday cup, Faraday’s laws of electrolysis, Faraday paradox, Faraday rotator, Faraday-efficiency effect, Faraday wave, Faraday wheel Lines of force.
  • पुरस्कार – Royal Medal (1835 and 1846) Copley Medal (1832 and 1838) Rumford Medal (1846)  Albert Medal (1866)

माइकल फैराडे (Michael Faraday)ने चुम्बक से बिजली पैदा करने का अपना सपना सच कर दिखाया। इन्हें जनरेटर के आविष्कार का श्रेय प्राप्त है। बिजलीघर और ट्रांसफार्मर फैराडे के सिद्धांतों पर ही काम करते हैं।

आइजैक न्यूटन, गांधीजी और जेम्स क्लार्क मैक्सवेल की तस्वीरों के साथ अल्बर्ट आइंस्टीन अपने अध्ययन की दीवार पर फैराडे की भी तस्वीर रखते थे। भौतिक विज्ञानी अर्नेस्ट रदरफोर्ड, फैराडे को याद करते हुए कहते थे, “जब हम विज्ञान और उद्योग की प्रगति पर उनकी खोजों और उनके प्रभाव की मात्रा और उनके प्रभाव पर विचार करते हैं, तो सभी समय के महानतम वैज्ञानिक खोजकर्ताओं में से एक फैराडे की याद में सम्मान काम है।”



क्या आप जानते है की जिस उपकरण में आप इसे पढ़ रहे हैं और इसी से जो आवाज़ सुनते हैं और जो तस्वीरें देखते हैं , ये सब कैसे मुमकिन होता  है? हमारे सन्देश बिना रुकावट लाइट के स्पीड से कैसे पहुंचते हैं?  हमारे पास ये कमाल की ताकत कैसे आयी?  ये सब एक इंसान के दिमाग की उपज है, गरीबी में पैदा हुआ बच्चा जिससे किसी को कोई उम्मीद नहीं थी, अगर ये इंसान न होता तो आज हम जो दुनिया देख रहे है वो ऐसी नहीं होती, उनके आविष्कारों ने दुनिया को बदल कर रख दिया ।

दो महान वैज्ञानिक Isaac Newton और Albert Einstein  के बीच के दौर मे एक और महान वैज्ञानिक पैदा हुआ था बिक्कुल इन्ही के जैसा वो इंसान जिसने उस राज़ को सुलझा दिया था जिसमे newton उलझ गए थे।  उस वयक्ति के बदौलत, Albert Einstein इतना आगे जा पाए और इंसान ने इतनी तरक्की कर ली।


22 September 1751 में Newington Butts, London के एक गन्दी जुग्गी बस्ती में Michael Faraday का जन्म हुआ। वे पढाई में बिकुल अच्छे नहीं थे। फैराडे एक बहुत गरीब परिवार से थे, उनके पिता James बहुत गरीब थे और लुहार का काम करते थे, पारिवारिक स्थिति ठीक ना होने के कारण फैराडे बस सामान्य स्कूली शिक्षा ही कर पाए।

उनके पिता एक लोहार थे। सन् 1812 में जब इन्होंने सर हम्फ्री डेवी के भाषण सुने तो विज्ञान के प्रति इनकी रुचि जाग्रत हो गई।

13 वर्ष की उम्र से ही वे book binder का काम करने लगे , दिन में वे बुक बाँधा करते और रात में उन्हें पढ़ते , यहीं से इलेक्ट्रिसिटी को लेकर उनके जूनून की शुरुआत हुई , फैराडे ने अपना जीवन लंदन में एक book binder की नौकरी से प्रारम्भ किया, समय मिलने पर फैराडे किताबें पढ़ा करते थे। अपने सात साल के अप्रेंटिसशिप के दौरान फैराडे ने कई किताबें पढ़ीं, जिनमें इसहाक वत्स की द इंप्रूवमेंट ऑफ द माइंड शामिल थी, और उन्होंने उसमें निहित सिद्धांतों और सुझावों को अपने जीवन में उत्साहपूर्वक लागू किया। उन्होंने विज्ञान में भी रुचि विकसित की, विशेष रूप से इलेक्ट्रिसिटी में। फैराडे विशेष रूप से जेन मार्केट द्वारा रसायन विज्ञान पर पुस्तक से प्रेरित थे।

फैराडे अपने रूढ़िवादी Christian सोच को बहुत मानते थे।  इससे उन्हें हमेशा एक ताकत सुकून और विनम्रता का एहसास होता था, कई सालों तक book binder का काम करने के बाद 21 वर्ष के होने के बाद फैराडे एक बड़ी दुनिया में जाने का खाब देखने लगे, और उन्हें बड़े बनने का एक मौका मिल भी गया जब एक कस्टमर ने उन्हें एक शो का टिकट दिया। उस शो का नाम था “science for the public



science for the public show की शुआत London में royal institution  में हुई थी। Humphry Davy शो के होस्ट थे , Humphry Davy उस ज़माने के एक जाने मने वैज्ञानिक थे जिन्होंने कई केमिकल एलिमेंट्स खोजे थे -जैसे की calcium और sodium , वो एक कमाल के शोमैन भी थे उनका शो लोगो को बहुत अच्छा  लगता था। अपने उस शो में Davy इलेक्ट्रिसिटी का प्रदर्शन कर रहे थे लोगो को वह शो बहुत अच्छा लगा और लोगो ने तालिया बजाई।  मगर फैराडे ताली नहीं बजा रहे थे, वो Davy के भाषण का एक एक शब्द लिख रहे थे, बुक बंधन का काम उन्हें आता था इसलिए उन्होंने उसे एक किताब की शक्ल में बाँध कर रख लिया।

उन्होंने उस किताब जिसमे Davy के व्याख्यान लिखे थे Davy को देने चले गए, उन्हें ये लगा की ऐसा करने से उन्हें Davy से मिलने का मौका मिल जायेगा। और असल में यह तौफा फैराडे की एक नयी दुनिया में पहुचने का वजह भी बना। फैराडे ने बाद में Davy को 300 पन्नों की यह पुस्तक भेजी, जो इन व्याख्यानों के दौरान उनके द्वारा लिए गए नोट्स पर आधारित थी। Davy का जवाब तत्काल, दयालु और अनुकूल था।

40 साल की उम्र तक उन्होंने  electric motor, transformer, और जनरेटर – मशीनो का आविष्कार कर  लिया था उनके आविष्कारों  ने हर चीज़ को बदला। 60 साल की उम्र में भी काम यादाश्त और depression के बाबजूद वे इन नज़र  ना आने वाली ताकतों की खोज में लगे रहते थे। electricity, magnetism और लाइट के बीच ताल मेल को पता लगाने के बाद फैराडे ये जानना चाहते थे कि, ये तीनों एक साथ कैसे काम करती है, फैराडे जानते थे electric current किसी भी तार को चुम्बक में बदल सकता है, इसलिए उन्हें उम्मीद थी की जिस तार से electricity गुजरती है उस तार के चारो ओर लोहे का छीलन डालने से वैसा ही pattern बने गा जैसा चुम्बक के पास डालने से बनता है, माइकल फैराडे ने वो राज़ हल कर दिया था, जिसे Isaac Newton नहीं सुलझा पाए थे।

जून 1832 में, ऑक्सफोर्ड विश्वविद्यालय ने faraday को Doctor of Civil Law की डिग्री  प्रदान की। अपने जीवनकाल के दौरान, उन्हें विज्ञान के लिए उनकी सेवाओं के लिए मान्यता में एक knighthood की पेशकश की गई, जिसे उन्होंने धार्मिक आधार पर ठुकरा भी दिया, यह मानते हुए कि यह धन सांसारिक पुरस्कार का पीछा करने के लिए बाइबल के शब्द के खिलाफ था, और यह कहते हुए कि वह सादा रहना पसंद करते हैं। वे 1824 में Royal Society के सदस्य चुने गए, उन्होंने दो बार राष्ट्रपति बनने से भी इनकार कर दिया। वह 1833 में रॉयल इंस्टीट्यूशन में केमिस्ट्री के पहले Fullerian Professor बने।

1832 में, faraday को American Academy of Arts and Sciences का विदेशी मानद सदस्य चुना गया। उन्हें 1838 में Royal Swedish Academy of Sciences का एक विदेशी सदस्य चुना गया, और 1844 में French Academy of Sciences में चुने गए आठ विदेशी सदस्यों में से एक भी थे। 1849 में उन्हें नीदरलैंड्स के रॉयल इंस्टीट्यूट से संबद्ध सदस्य के रूप में चुना गया, जो दो साल बाद Royal Netherlands Academy of Arts and Sciences बन गया और बाद में उन्हें विदेशी सदस्य बना दिया गया।

Faraday को 1839 में एक nervous breakdown का सामना करना पड़ा, 1848 में Prince Consort द्वारा प्रतिनिधित्व के परिणामस्वरूप, faraday को सभी खर्चों और रखरखाव से मुक्त, मिडलसेक्स में हैम्पटन कोर्ट में एक अनुग्रह और अनुग्रह घर से सम्मानित किया गया। यह मास्टर मेसन हाउस था, जिसे बाद में faraday हाउस कहा जाने लगा, और  अब नंबर 37 हैम्पटन कोर्ट रोड। 1858 में फैराडे वहां रहने के लिए कहे गए। ब्रिटिश सरकार के लिए कई विभिन्न सेवा परियोजनाओं को प्रदान करने के बाद, जब सरकार ने Crimean War (1853-1856) में उपयोग के लिए रासायनिक हथियारों के उत्पादन पर सलाह देने के लिए कहा, faraday ने नैतिक कारणों का हवाला देते हुए भाग लेने से इनकार कर दिया।

25 अगस्त 1867  को 75 वर्ष की आयु में Michael Faraday की हैम्पटन कोर्ट में उनके घर पर मृत्यु हो गई। 

इतने परेशानिओं  के बाद भी faraday जीवन भर अपने कार्य में लगे रहे, और वैज्ञानिक इतिहास में सफलता प्राप्त की उनके अविष्कारों के  कारण ही उनके बाद आये वैज्ञानिकों ने विज्ञान को इतने आगे बढ़ाया।



10 September, 2021

ગણેશ ચતુર્થી

 ગણેશ ચતુર્થી


वक्रतुण्ड महाकाय सूर्यकोटी समप्रभ l
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ll

જે ગણેશજીની વંદના માટેનો શ્લોક છે.

'ॐ गं गणपतये नमः જે ગણપતિ મંત્ર છે.

 ગણેશજી હિંદુ ધર્મના દરેક કાર્યમાં સૌ પ્રથમ પુજનીય છે. જેવી કે વિદ્યાના આરંભમાં, વિવાહના પ્રસંગમાં, નવા મકાન કે ઓફિસના મુર્હતમાં, આદિકાળમાં જ્યારે સંગ્રામ થતો હતો ત્યારે ગણેશજી પ્રથમ પુજતા અને જ્યારે જીવનમાં કોઇ વિઘ્ન કે મુશ્કેલી આવે તે સમયે.

ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા સુદ ચોથના દિવસે દેશ-દુનિયામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગણપતિ બાપાના ભક્ત આ દિવસે તેમને ઘરે લાવીને તેમની સ્થાપના કરે છે. 10 દિવસ સુધી પૂજા બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.

શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે.

ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. 

જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. 

હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે.

 ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.


  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ


ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં 'મહોત્કત વિનાયક' રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં 'ઉમા'ને ત્યાં "ગુણેશ" રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં 'પાર્વતી'ને ત્યાં "ગણેશ" રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,"ભવિષ્યપૂરાણ" મુજબ 'ધુમ્રકેતુ' કે 'ધુમ્રવર્ણા' રૂપે અવતાર થવાની કથા મળે છે


ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.


મહારાષ્ટૃમાં ગણેશજીના આઠ મંદિર આવેલા છે જેને અષ્ટ વિનાયકના નામે ઓળખવામા આવે છે તેના વિશે જાણીએ.

1. બલ્લાલેશ્વર
મહારાષ્ટ્રના મુંબઇ-ગોવા માર્ગ પર પાલી ગામ સ્થિત ગણપતિનું આ પાવન ધામ. આ મંદિરનું નામ ગણપતિના અનન્ય ભક્ત બલ્લાલના નામે રાખવામાં આવ્યું છે. આ મંદિરની પાવનતાને એ પ્રકારે સમ્જી શકાય છે કે પેશવાકાળમાં અહીની સોગંધ આપીને ન્યાય કરવામાં આવતો હતો. અહીં ડાબી બાજુવાળા ગણપતિ વિરાજમાન છે. 

2. શ્રીવરદ વિનાયક
ગણોના અધિપતિ શ્રી ગણેશજીનું શ્રીવરદ વિનાયક મંદિર મહારાષ્ટ્રના મહડમાં સ્થિત છે. માન્યતા છે કે ઋષિ ગૃત્સમદે આ મંદિરમાં શ્રીવરદ વિનાયકને સ્થાપિત કર્યા હતા. સુખ-સમૃદ્ધિનું વરદાન આપનાર ગણપતિનું આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. 

3. ચિંતામણી
મહારાષ્ટ્રના થેઉર ગામમાં સ્થિત ચિંતામણી ગણપતિનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે ડાબી તરફ સૂંઢવાળા ચિંતામણી ગણપતિના દર્શન માત્રથી જ વ્યક્તિની તમામ ચિંતાઓ દૂર થઇ જાય છે. 

4. મયૂરેશ્વર
મહારાષ્ટ્રના મોરગાંવમાં શ્રી મયૂરેશ્વર વિનાયકનું મંદિર આવેલું છે. પૂણેથી લગભગ 80 કિલોમીટરના અંતરે આ પાવનધામ પર ગણપતિની બેસેલી મુદ્રામાં મૂર્તિ છે. ડાબી સૂંડવાળા ગણપતિની પ્રતિમાની સામે નંદી સ્થાપિત છે. માન્યતા છે કે ગણપતિએ આ સ્થાન પર મોરા પર સવાર થઇને સિંધુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. 

5. સિદ્ધિવિનાયક
મહારાષ્ટ્રના પૂણે શહેરથી લગભગ 200 કિલોમીટર દૂર સિદ્ધટેકમાં શ્રી સિદ્ધિવિનાયકનો મંદિર છે. મંદિરમાં ગણપતિની લગભગ ત્રણ ફૂટ ઉંચી અને અઢી ફૂડ પહોડી ડાબી તરફ સૂંઢવાળી મૂર્તિ છે. માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન વિષ્ણુએ શ્રી સિદ્ધિવિનાયક ભગવાનની સાધના કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. 

6. મહાગણપતિ
અષ્ટવિનાયકમાંથી એક મહાગણપતિના મંદિર મહારાષ્ટ્રના રાજગગાંવમાં સ્થિત છે. મહાગણપતિનો અર્થ છે કે શક્તિયુક્ત ગણપતિ. માન્યતા છે કે ગણપતિના આ સ્વરૂપની સાધના કરીને ભગવાન શિવે ત્રિપુરાસુર રનામના રાક્ષસ પર વિજય પ્રાપ્ત કરી હતી. મહાગણપતિની મૂર્તિ ડાબી સૂંઢવાળી છે. 

7. વિઘ્નહર
વિઘ્નહર ગણપતિનું આ ભવ્ય મંદિર મહારાષ્ટ્રના ઓઝરમાં સ્થિત છે. ભગવાન વિધ્નેશ્વરની મૂર્તિ પૂર્વાભિમુખી છે. ભગવાન વિઘ્નેશ્વરની પૂજા તથા દર્શનથી જીવનની તમામ મુશ્કેલી દૂર થઇ જાય છે. 

8. ગિરિજાત્મજ
અષ્ટવિનાયકમાંથી એક ભગવાન ગિરિજાત્મજનું મંદિર મહારાષ્ટ્રના લેણ્યાદ્રી ગામમાં સ્થિત છે. ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર હોવાના કારણે ગણપતિને ગિરિજાત્મજ કહેવામાં આવે છે. માન્યતા છે કે માતા પાર્વતીએ ગણપતિને સ્વયં પોતાના હાથમાંથી અહીં સ્થાપિત કર્યા હતા. ગણપતિના આ મંદિરને એક મોટા પહાડને કાપીને બનાવવામાં આવ્યું છે. 



ગણેશજીના સ્વરૂપની દરેક વસ્તું શું સૂચવે છે...

મોટું માથું- મોટું વિચારો, વધુ શીખો
ગણેશજી મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે. તે કહે છે કે, આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ. જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ. 

નાનકડી આંખો- એકાગ્રતા રાખવી
ગણેશજીની આંખો નાની નાની છે. જે આપણને કઈંક સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી.
 
મોટા સૂપડાં જેવા કાન- વધુ સાંભળો
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ. અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ 

નાનું મોઢું- ઓછું બોલવું
ભગવાનનું નાનું મોઢું કહે છે કે કામ વગર બોલવું નહીં એટલે કે એકદમ ઓછું બોલવું અને વધું સાભળવાનું રાખવું. જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી બચી શકીએ. 

મોટું પેટ- જીવનની સારી-ખરાબ કોઈ પણ સ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવું
ગણેશજી દૂંદાળા પણ કહેવાય છે. તેમનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક પરિસ્થિતિને પચાવતા આવડવું જોઈએ. સફળતા મળે તો અભિમાન ન કરવુ અને નિષ્ફળતા મળે તો દુ:ખી ન થવુ જોઈએ. 

ઉંદર- ઈચ્છાનું પ્રતિક
ભગવાનનું ભારેભરખમ શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન. સમજવાનમાં કઈંક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઊંદર ઈચ્છાનું પ્રતિક છે. બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો. તે તમને ખેંચી જાય તેવી તક ક્યારેય તેને ન આપો. 

હાથની આશીર્વાદ મુદ્રા- આશીર્વાદ અને સુરક્ષા પૂરી પાડે

કુહાડી- લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવા
જીવનમાં ક્યારેક એવી પણ પળો આવતી હોય છે કે લાગણીના બંધનોમાંથી દૂર થવું જરૂરી બને છે. 

હાથમાં દોરડું- તમારા લક્ષ્યની નજીક તમને ખેંચવા

એક દાંત- સારું રાખવું અને ખરાબને ફેંકી દેવું

સૂંઢ- (લાંબુ નાક) ઊંચી કાર્યક્ષમતા અને કુનેહ, દરેક સ્થિતિને સૂંઘી લેવાની આવડત
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત વિક્સી શકશે.

મોદક- સાધનાનો શિરપાવ

પ્રસાદ- આખું વિશ્વ તમારા ચરણોમાં અને માંગે તમારા સૂચનો


આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી.લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોક માન્યના પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં.

ગણપતિની પૂજામાં ક્યારેય તુલસી પાન કે તુલસી માળાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની  પાછળ એક કથા છે. એકવાર તુલસી ક્યાક જઈ રહ્યા હતા. ત્યા શ્રી ગણેશ તપ કરી રહ્યા હતા. તેમને જોઈને તુલસીના મન તેમની તરફ આકર્ષિત થયુ. તુલસીએ પોતાના લગ્નની ઈચ્છા પ્રગટ કરી. પણ શ્રીગણેશેજી હું બ્રહ્મચારી છુ કહી લગ્ન કરવાની ના પાડી દીધી. ગુસ્સામાં તુલસીએ શ્રીગણેશને બે લગ્ન કરવાનો શ્રાપ આપી દીધો અને શ્રીગણેશે તુલસીને વૃક્ષ બનવાનો.


એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા એ સમયે ભગવાન ધ્યાનમાં હતા. શ્રીગણેશે પરશુરામજીને ભગવાન શિવને મળવા ન દીધા. ગુસ્સ્મા આવીને પરશુરામજીએ ફરસીથી શ્રીગણેશ પર હુમલો કર્યો. શ્રીગનેશે એ વાર પોતાના દાંત પર ઝીલી લીધો. જેના કારણે તેમનો એક દાંત તૂટી ગયો. તેથી તેમને એકદંત પણ કહેવામાં આવે છે.


મહાભારત લખતા પહેલા શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યુ હતુ કે લખતી વખતે મારી લેખની ક્ષણભર પણ રોકાય નહી તો જ હુ આ ગ્રંથનો લેખક બનીશ. વેદવ્યાસજીએ કહ્યુ કે હુ જે પણ બોલુ તે તમે સમજ્યા વગર લખતા નહી. વેદવ્યાસજી વચ્ચે વચ્ચે કેટલાક એવા શ્લોક બોલતા કે તેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો. આ દરમિયાન મહર્ષિ વેદવ્યાસ અન્ય શ્લોકોની રચના કરી લેતા હતા

ગુજરાતના મહેમદાવાદમાં આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિર

અમદાવાદથી ડાકોર જવાના રસ્તા પર વાત્રક નદીના કિનારે અંદાજીત 6 લાખ સ્ક્વેરફૂટ જગ્યામાં આ મંદિર બનાવાયું છે, આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આ ઉપરાંત પણ આ મંદિરની ખાસ બાબત એ છે તેનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર સાથે છે.  મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે

શ્રી સિદ્ધિવિનાયક મંદિર-મુંબઇ

સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરુપ છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઇમાં પ્રભાદેવી વિસ્તારમાં આવેલ છે. ગણેશજીની જે પ્રતિમમાં સૂંઢ ડાબી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ છે. અહી ગણેશજીની મૂર્તી કાળા પથ્થરમાંથી બનેલ છે જે 200 વર્ષ જૂની છે. અહી ગણેશજીની પ્રતિમા ભવ્ય સિંહાસન પર સ્થાપિત અઢી ફૂટ ઉંચી અને બે ફૂટ પહોળી છે જેમા ગણેશજીના ચાર હાથમા કમળ કુહાડી, જપમાળા અને લાડુ છે. ગણેશજીની મૂર્તીની બાજુમા રિદ્ધિ અને સિદ્ધિની મૂર્તી પણ છે. આ મંદીર મુંબઇના સૌથી સમૃદ્ધ અને ભવ્ય મંદિરોમાનું એક છે.



મુંબઇમાં સૌથી લોકપ્રિય સાર્વજનિક ગણેશ મંડળ લાલબાગના રાજા છે. લાલબાગના રાજાનો પહેલીવાર 1934માં દરબાર યોજાયો હતો, ત્યારથી જ ભક્તોની આટલી ઊંડી આસ્થા થઈ ગઈ


આમ જીવ માત્રના વિઘ્નોને દૂર કરનારા સર્વે કાર્યોની સિધ્ધિ આપનારા જીવનમાં ભક્તિ અને સમૃધ્ધિ આપનારા તેમજ કુદરતી કે કૃત્રિમ તમામ આપત્તિઓમાંથી માર્ગ આપનારા, શક્તિ આપનારા એવા ભગવાન ગણેશજી ને કોટિ કોટિ વંદન

09 September, 2021

કેપ્ટન વિક્રમ બત્રા

 કેપ્ટન વિક્રમ બત્રા



જન્મતારીખ: 9 સપ્ટેમ્બર 1974

જન્મ સ્થળ: પાલમપુર, હિમાચલ પ્રદેશ

પિતાનું નામ: જી.એલ.બત્રા

માતાનું નામ: જયકમલ

અવશાન:  7 જુલાઇ 1999 (કારગીલ,જમ્મુ કાશ્મીર)

હુલામણું નામ: શેરશાહ, વિકિ, લુવ

આર્મીમા સેવા: 1997 થી 1999

યુદ્ધમા લીધેલ ભાગ: ઓપરેશન વિજય અને કારગીલ યુદ્ધ




કારગિલ યુદ્ધના પરમવીર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની વીરતા અને દેશપ્રેમનો જુસ્સો આજે પણ યુવાઓમાં જોશ ભરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ જ વીરતા દેખાડી તે અદભૂત હતી. તેમના ત્યાગ અને બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે.

કેપ્ટન વિક્રમ બત્રા  ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

વિક્રમ બત્રાનો જન્મ ૯ સપ્ટેમ્બર,૧૯૭૪ નાં રોજ હિમાચલ પ્રદેશનાં પાલમપુર નજીકનાં ઘુગ્ગર ગામમાં, જી. એલ. બત્રા અને જયકમલ બત્રાને ત્યાં થયેલો.


જ્યારે દરેક ઘરમાં ટીવી ન હતી ત્યારે. વિક્રમ તેના જોડિયા ભાઈ વિશાલ સાથે ટીવી જોવા માટે પાડોશીના ઘરે જતો હતા. તે સમયે દૂરદર્શન પર 'પરમવીર' સિરિયલ આવતી હતી. એટલે કે, ભારતીય સેનાની બહાદુરીની વાર્તાઓ ધરાવતી સિરિયલ. આ સિરિયલની વાર્તાઓ વિક્રમની છાતીમાં એવી રીતે બેસી ગઈ કે રમકડાં સાથે રમવાની ઉંમરે તેણે પોતાના જીવનનો હેતુ નક્કી કર્યો. એ હેતુ પરમવીર બનવાનો હતો.


કેપ્ટન વિક્રમ બત્રાએ પંજાબ યુનિવર્સિટીથી ઈંગ્લિશ વિષયમાં એમએ કર્યુ હતું.


તેમને મર્ચન્ટ નેવીમાં પણ પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો પગાર પણ વધારે હતો. પરંતુ એક સ્વપ્ન એક સ્વપ્ન છે. વિક્રમે નક્કી કર્યું હતું કે તેને સેનામાં જવું છે.


1995 માં તેમણે IMA ની પરીક્ષા પાસ કરી.


6 ડિસેમ્બર 1997 ના રોજ જમ્મુના સોપોર નામના સ્થળે આર્મીની 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1999 માં કમાન્ડો ટ્રેનિંગ સાથે ઘણી તાલીમ પણ લીધી હતી. 1 જૂન 1999 ના રોજ, તેમની ટુકડી કારગિલ યુદ્ધ માટે મોકલવામાં આવી હતી. હમ્પ અને રકી નબ જગ્યાઓ જીત્યા બાદ વિક્રમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.


કારગિલમાં તેમના કમાન્ડિંગ ઓફિસર કર્નલ યોગેશ જોશીએ તેમને 5140 ચોકીઓ જીતવાની જવાબદારી સોંપી હતી. આ શિખર પર તિરંગો ફરકાવ્યા પછી, વિક્રમે તેના અધિકારીઓને સંદેશ મોકલ્યો, 'યે દિલ માંગે મોર. તેમનો સંદેશ દરેક ભારતીયમાં પ્રખ્યાત બન્યા હતા.


કેપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની 'ડેલ્ટા કંપની'ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે 'શેરશાહ'નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડ ના મુખ પાસે મશીનગન ના ગોળીબાર થી ઘેરી લીધા. {તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણ જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા.} તો પણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. 


તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો.


 કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું.


પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ. કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા.

પાકિસ્તાની છાવણીમાં પણ આ શેર શાહ કોણ છે તેની ચર્ચા ચાલતી હતી. શેરશાહ વિક્રમ બત્રા હતા, જેમનું કોડ નામ યુદ્ધ દરમિયાન શેર શાહ હતું. તેમની અને પાકિસ્તાની સેના વચ્ચે કરાયેલા ઘણા કઠોર નિવેદનો આજે પણ લોકોમાં પ્રખ્યાત છે.


ઓપરેશન દ્રાસમાં ભારતીય સૈનિકો પથ્થરોનું આવરણ લઈને દુશ્મન પર ગોળીબાર કરી રહ્યા હતા. પછી તેના એક સાથીને ગોળી વાગી અને તે તેની સામે પડી ગયો. તે સૈનિક ખુલ્લામાં પડ્યો હતો. વિક્રમ અને રઘુનાથ ખડકોની પાછળ બેઠા હતા. વિક્રમે તેના સાથીને કહ્યું કે અમે અમારા ઘાયલ સાથીને સલામત સ્થળે લાવીશું.


સાથીએ તેને કહ્યું કે મને નથી લાગતું કે તે બચી શકશે. આ સાંભળીને વિક્રમ ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, શું તું ડરે ​​છે? પછી તેણે તેના સાથીને કહ્યું કે તારા પરિવાર અને બાળકો છે. હું અત્યારે સિંગલ છું. આમ કહીને તે યુવાનને બચાવવા ગયો, જ્યારે તેને ગોળી વાગી.


 ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, "જય માતા દી." હતા. 


દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.


કારગીલ યુદ્ધમા પહેલીવાર બોફોર્સ ટોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


જ્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે વિક્રમ તેના થોડા દિવસો પહેલા ઘરે આવ્યો હતો. ત્યાં તેના એક મિત્રએ કહ્યું હતું કે જો તમે સેનામાં છો તો થોડી કાળજી રાખો. વિક્રમે કહ્યું - ચિંતા ન કરો," કાં તો હું તિરંગો લહેરાવ્યા પછી આવીશ અથવા હું તેમાં લપેટીને આવીશ. પણ હું ચોક્કસ આવીશ.(या तो तिरंगा लहरा कर आउंगा या उसमें लिपट कर आउंगा. लेकिन आउंगा जरूर.)"


કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની ૫૨ મી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં,ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા જી. એલ. બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે. આર. નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું.


વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની લવ સ્ટોરી પણ એક સાચો પ્રેમ દર્શાવતી કહાની છે.  વિક્રમની શહાદત બાદ ડિમ્પલે આજ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી અને તે આજે પણ તેની યાદો સાથે ગર્વથી જીવી રહી છે.


  • બત્રાનું યે દિલ માંગે મોર, તત્કાલીન 'પેપ્સી'ની જાહેરાતનું પ્રખ્યાત સુત્ર, એક આઇકોનિક (iconic) રણહાક બની ગયું અને દેશભરમાં ફેલાઇ અને લાખો ભારતીયોનું માનીતું સુત્ર બન્યું, જે યુદ્ધ અને સૈનિકોની સ્મૃતિમાં યોજાતા જાહેર દેશભક્તિ કાર્યક્રમોમાં, ભારતીય દેશભક્તિ અને ભવિષ્યના હુમલાઓનો શૌર્યપૂર્ણ સામનો કરવાની અદમ્ય ભાવનાનાં પ્રતિકરૂપે ગુંજી ઉઠ્યું.
  • પોઇંટ ૫૧૪૦ પર પહોંચ્યા બાદ, શત્રુ સેનાનાં એક સેનાપતિ,જેમણે તેમને રેડિયો વાર્તાલાપ દરમિયાન એમ કહીને લલકાર્યા કે, "તમે અહીં શા માટે આવ્યા 'શેરશાહ' (તેમનું ઉપનામ)? હવે તમે પાછા નહીં જઇ શકો." ત્યારે વિક્રમ બત્રાએ ઉત્તર આપ્યો કે, "આપણે એકાદ કલાકમાંજ જોશું કે ટોંચ પર કોણ રહે છે."
  • બત્રાનાં અંતિમ શબ્દો તેમની રણહાક, "જય માતા દી" હતા. (જય માતાજી)
  • "યા તો તિરંગા લહેરાકે આઉંગા, યા તિરંગામેં લીપટા હુવા આઉંગા, લેકિન આઉંગા" (કાં તો તિરંગો ફરકાવીને આવીશ (વિજેતા થઇને),કાં તો તિરંગામાં વિટળાઇને (શહિદી પામીને) આવીશ, પરંતુ આવીશ જરૂર).
  • લેફ. નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઇ કરવા દેવા માટે વિનંતી કરી ત્યારે બત્રાએ તેને કવર કરી પાછળ ખસેડતાં કહ્યું, "તું બાલબચ્ચેદાર હૈ, હટજા પીછે."
  • IMA માં સંયુક્ત કેડેટ મેસનું નામ વિક્રમ બત્રા મેસ છે.
  • નવી દિલ્હીના મુકરબા ચોક અને તેના ફ્લાયઓવરનું નામ બદલીને શહીદ કેપ્ટન વિક્રમ બત્રા ચોક કરવામાં આવ્યું.
  • ચંદીગ'sની ડીએવી કોલેજમાં બત્રા સહિત યુદ્ધના દિગ્ગજોનું સ્મારક છે
  • પોઇન્ટ 4875 ના historicતિહાસિક વ્યવસાયને કારણે પર્વતને તેના માનમાં બત્રા ટોપ નામ આપવામાં આવ્યું હતું.



સને ૨૦૦૩નું હિન્દી ચલચિત્ર એલ.ઓ.સી. કારગિલ સમગ્ર કારગિલ યુદ્ધ પર આધારીત હતું જેમાં અભિષેક બચ્ચને કેપ્ટન બત્રાનું પાત્ર ભજવેલ છે.


વિક્રમ બત્રાના જીવન પર આધારિત હિંદિ ફિલ્મ "શેરશાહ" બની છે જેમા વિક્રમ બત્રાનો અભિનય સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યો હતો.

માતૃભુમિની રક્ષા કાજે પોતાના જીવનાનુ બલિદાન આપનાર વિક્રમ બત્રાને આજના દિવસે સો સો સલામ.

04 September, 2021

શિક્ષક દિવસ (Teacher's Day)

શિક્ષક દિવસ

5 સપ્ટેમ્બર



गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે.



 ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા

 શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે નો આ દિવસ છે.

ચાણક્ય નું કહેવું છે કે શિક્ષક કોઈ દિવસ સામન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળા માં રમતા હોય છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ  5 સપ્ટેમ્બર 1888ના રોજ તામિલનાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

 તેઓનું બાળપણ તિરૂત્તાનીતિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.

તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદ ને વાંચી ને વિતાવ્યું હતું. 

તેઓ પુરા વિશ્વ ને એક વિદ્યાલય ની સમાન માનતા હતા. 

બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 

૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 

તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. 

તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. .

 ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 

કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. 

કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા.

તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

 તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. 

૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું 'નાઈટ' સન્માનથી નવાજવામાં આવ્યા હતા

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. 

જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.  રશિયાના સરમુખ્ત્યાર સ્ટાલિન કોઇને મળતા નહિ પણ તેઓ 2 વાર ડો. રાધાકૃષ્ણનને મળ્યા હતા.

 તેઓ 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર પતિ બન્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ  તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.

1962માં તેમની વરણી ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી અને તેઓ 1967 સુધી આ પદ પર રહ્યા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ તરીકે તેમણે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો

ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1954 માં તેમને ભારત ના સર્વોચ્ય સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા.

1975માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. 

 ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા.

 તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી

તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું

ડો. રાધાકૃષ્ણનના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 1988માં એન.એસ.થાપા દ્વારા બનાવવમાં આવી હતી.

1989મા ડો. રાધાકૃષ્ણનના સન્માનમા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ માટે તેમની 16 વાર પસંદગી કરવામાં આવી હતી જ્યારે શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે 11 વાર પસંદગી કરાઇ હતી.

ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાંથી એક તેજસ્વી વિદ્યાર્થીએ બેચલર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવી જેના બદલામાં તે વિદ્યાર્થીએ પોતે લખેલા પુસ્તકોની એક સંપૂર્ણ હારમાળા યુનિવર્સિટીને ભેટ આપી. વિદ્યાર્થી દ્વારા અપાયેલી આ ભેટ જોઈને યુનિવર્સિટીના કુલપતિ/Dean આશ્ચર્ય પામી ગયા કારણે કે તે પુસ્તકો યુનિવર્સિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા હતા. કુલપતિએ પેલા વિદ્યાર્થીના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી પડતી કે આ વિદ્યાર્થીને બી.લીટની ડીગ્રી આપીને અમે તેમના પર ઉપકાર કર્યો છે કે પછી આ વિદ્યાર્થીએ તેના પુસ્તકો આપી અમારા પર ઉપકાર કર્યો છે”. કુલપતિએ જે વિદ્યાર્થીના વખાણ કર્યા તે વિદ્યાર્થી એટલે ભારતમાં સર્વપ્રથમ નાયબ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન.

  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પેહલા પુસ્તક 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું નામ “ધ એથીક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઇટ્સ મટીરિયલ એક્સપોઝિશન”. આ પુસ્તકમાં રાધાકૃષ્ણને પોતાના એમએના અભ્યાસ દરમિયાન લખેલા નિબંધોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફિલોસોફી વિષય સાથે એમએ કર્યું હતું. જોકે તેમણે એમએ કરવા માટે ફિલોસોફી વિષય પસંદ કર્યો તેનું કારણ એવું હતું કે, રાધાકૃષ્ણનને તેમના પિતરાઈ ભાઈ તરફથી એમએ ફિલોસોફીની ચોપડીઓ ભેટ મળી હતી જે વાંચ્યા બાદ તેમને ફિલોસોફીમાં રસ જાગ્યો હતો અને તેમણે એમએ ફિલોસોફી વિષય સાથે પૂરું કર્યુ હતું.
  • બ્રાહ્મણ પરિવારથી આવતા હોવાને કારણે રાધાકૃષ્ણનના પિતા તેમને મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા પરંતુ 1906માં જ્યારે રાધાકૃષ્ણને બીએમાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યારે તેમના પિતાએ પૂજારી બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન 16 વર્ષની ઉંમરે 10 વર્ષની શિવકામૂ સાથે થયા હતા. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના સંતનોમાંથી લગભગ દરેકે ભારતમાં સિવિલ સર્વિસમાં જોડાઈ દેશની સેવા કરી છે. રાધાકૃષ્ણનની એક દીકરી બેંગલોરમાં અને એક દીકરી અમેરિકામાં વસે છે. પરિવારના અમુક સભ્યો ચેન્નાઇના એક જુનવાણી મકાનમાં રહે છે જ્યાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોરના ભાષા પ્રત્યેના યોગદાનથી ખૂબ પ્રભાવિત હતા. આ કારણે જ 1920માં જ્યારે તેમને કલકત્તા યુનિવર્સિટીમાં મેન્ટલ ઍન્ડ મોરલ સાયન્સના પ્રોફેસર બનવા માટે આમંત્રણ મળ્યું તો તેમણે તરત સ્વીકારી લીધું.
  • 1921 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને મૈસુર યુનિવર્સિટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ ત્યાંના વિદ્યાર્થીમાં ખૂબ લોકપ્રિય હતા માટે વિદ્યાર્થીઓએ તેમના માટે એક નાનકડું ફેરવેલ યોજ્યું હતું. આ ફેરવેલમાં વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણનને ફૂલથી સજાવેલી બગીમાં બેસાડી , જાતે બગી ખેંચી તેમને યુનિવર્સિટીના ગેટ સુધી લઈ જઈને વળવ્યા હતા.
  • 1949-1953 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સોવિયેત રશિયામાં ભારતના બીજા રાજદૂત રૂપે નિમણુક કરવામાં આવ્યા હતા. તે સમયે રશિયામાં સરમુખત્યાર શાસક જોસેફ સ્તાલિનનું રાજ હતું. સ્તાલિન ખૂબ અભિમાની શાસક હતો માટે તે કોઈ પણ દેશના રાજદૂત સાથે મુલાકાત કરવાનું ટાળતો. જોકે રાધાકૃષ્ણનના ફિલોસોફી ક્ષેત્રના કામથી સ્તાલિન ખૂબ પ્રભાવિત હતો માટે તેણે રધાકૃષણન સાથે જાન્યુઆરી 1950ની એક સાંજે મુલાકાત ગોઠવી. રશિયા અને અમેરિકા વચ્ચે તે સમયે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું માટે રાધાકૃષ્ણન સ્તાલિનની મુલાકાતમાં વધુ પડતી વાતો શીતયુદ્ધ વિશે જ થઈ હતી. મુલાકાતના અંતમાં રાધાકૃષણન દ્વારા સ્તાલિનને સલાહ આપવામાં આવી હતી કે સોવિયેત રશિયાએ સામેથી શીતયુદ્ધનો અંત લઇ આવવો જોઇએ. જવાબમાં જોકે સ્તાલિને કહ્યું હતું કે “તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે” જેના જવાબમાં રાધાકૃષ્ણને ખૂબ નમ્રતાપૂર્વક સલાહ આપી હતી કે, “એક શાંતિપ્રિય દેશ હોવાના નાતે સોવિયેત રશિયાએ અમેરિકાના બીજા હાથની રાહ જોયા વગર પોતાનો બીજો હાથ આગળ કરી શાંતિની તાળી વગાળવી જોઈએ”. સ્તાલિન જેવા સરમુખત્યાર શાસકને આવી સલાહ આપવાની હિંમત જોકે માત્ર ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસે જ હતી.
  • 1957માં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના નાયબ રાષ્ટ્રપતિ રૂપે ચીનની મુલાકાતે ગયા હતા. ચીનની આ મુલાકાત દરમિયાન તે સમય કાઢીને માઓ ઝેડોંગને (ચીની કમ્યુનિસ્ટ, કવિ અને રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપક) તેમના ઘરે મળવા ગયા હતા. માઓના ઘરે રાધાકૃષ્ણનનું સ્વાગત કરવા માઓ પોતે દરવાજે આવ્યા હતા. દરવાજે આવેલા માઓ સાથે હાથ મેળવ્યા બાદ રાધાકૃષ્ણનને તેમને પ્રેમપૂર્વક ગાલ પર હળવી લપડાક મારી હતી. પ્રથમ મુલાકાતમાં રાધાકૃષણનના આવા અનોખા વ્યહવારથી માઓ ચોંકી ગયા હતા જે જોઈને રાધાકૃષણન હસીને બોલ્યા હતા કે, ” ચોંકવાની જરૂર નથી, હું જ્યારે પોપ અને સ્તાલિનને મળ્યો હતો ત્યારે પણ મે આવું જ વર્તન કર્યું હતું”.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે  ભારતની આર્થિક અને રાજનૈતિક સ્થિતિ ઘણી નબળી હતી. ભારતની આ સ્થિતિ જોતાં રાધાકૃષ્ણને પોતાના ₹10,000 પગાર માંથી ઓછો કરાવી ₹2,000 કરવી દીધો હતો અને બાકીના ₹8000 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમાં કરાવવાનો આદેશ કર્યો હતો.

તમારા શિક્ષક સાથે ની તમારી કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ અથવા તમારી પસંદ ના કોઈ સુવિચાર કે મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો

આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ (World Teachers Day) 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવાની શરૂઆત કરાઈ હતી. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "યંગ ટીચર્સઃ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન" રાખવામાં આવી છે. 

શિક્ષક કઇ રીતે બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે તે દર્શાવતી ઘણી ફિલ્મો પણ બની છે.

1. તારે જમીન પર

વર્ષ 2007મા આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'તારે જમીન પર' રિલીઝ થઈ, જેમાં 8 વર્ષના છોકરાની કહાની દેખાડવામાં આવી હતી. ઈશાન એટલે કે દર્શીલ સફારીએ ફિલ્મમાં ડિસલેક્સિયાની બીમારીનો સામનો કરતા બાળકની ભૂમિકા ભજવી હતી, જેને જ્યારે હોસ્ટેલમાં મોકલવામાં આવે છે તો તેનું જીવન બદલી જાય છે. ત્યાં ઈશાનને સમજનાર એક ટીચર મળે છે, જે તેના જીવનમાં પરિવર્તન લાવે છે. 



2. હીચકી

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



3. બ્લેક

અમિતાભ બચ્ચને ફિલ્મ બ્લેકમાં એક ટીચરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન આંધળી અને બેરી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રાની મુખર્જીને બોલવાનું શીખવે છે. આ ફિલ્મમાં ગુરૂ અને શિષ્યની અલગ કેમેસ્ટ્રી જોવા મળે છે. 



4. સુપર 30

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



5. મેડમ ગીતા રાની