મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label national day. Show all posts
Showing posts with label national day. Show all posts

26 December, 2023

વીર બાળ દિવસ

વીર બાળ દિવસ

26 ડિસેમ્બર


આજે ભારતમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું શીખ ધર્મમાં ઘણુ વિશેષ મહત્વ છે

वीर बाल दिवस

  • वीर बाल दिवस प्रतिवर्ष 26 दिसंबर को मनाया जाता है।
  • यह उत्सव,  सिक्खों के 10वें गुरु गोविंद सिंह जी के साहिबजादे बाबा फतेह सिंह और जोरावर सिंह की शहादत के सम्मान में मनाया जाता है।
  • प्रधानमंत्री मोदी ने 9 जनवरी, 2022 को गुरु गोबिंद सिंह जी के प्रकाश पर्व के दिन घोषणा की थी कि, 26 दिसंबर को "वीर बाल दिवस" ​​​​के रूप में मनाया जाएगा।
  • श्री गुरु गोबिंद सिंह के पुत्रों, साहिबजादा, बाबा जोरावर सिंह जी और बाबा फतेह सिंह जी की शहादत की याद में वीर बाल दिवस का आयोजन किया जाता है।

શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ગુરુ ગોવિંદ સિહે પોતાના ધર્મની રક્ષા માટે મુગલો સાથે લડતી વખતે તેના આખા કુટુંબનું બલિદાન આપ્યું હતું. તેમના બે પુત્રો બાબા અજિતસિંહ અને બાબા જુઝારસિંહે ચામકૌરની લડાઇમાં શહાદત મેળવી હતી. તે જ સમયે, અન્ય બે પુત્રો બાબા જોરાવરસિંહ અને ફતેહસિંહને સરહંડના નવાબે જીવંત દિવાલોમાં ચણી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે.

21 दिसंबर - श्री गुरु गोबिंद सिंह जी ने परिवार सहित श्री आनंद पुर साहिब का किला छोड़ दिया।
22 दिसंबर:-  गुरु साहिब अपने दोनों बड़े पुत्रों सहित चमकौर के मैदान में व गुरु साहिब की माता और दोनों छोटे साहिबजादे अपने रसोइए के घर पहुंचे ।
चमकौर की जंग शुरू और दुश्मनों से जूझते हुए गुरु साहिब के बड़े साहिबजादे श्री अजीत सिंह उम्र महज 17 वर्ष और छोटे साहिबजादे श्री जुझार सिंह उम्र महज 14 वर्ष अपने 11 अन्य साथियों सहित धर्म और देश  की रक्षा के लिए वीरगति को प्राप्त हुए।
23 दिसंबर - गुरु साहिब की माता गुजरी जी और दोनों छोटे साहिबजादो को मोरिंडा के चौधरी गनी खान और मनी खान ने गिरफ्तार कर सरहिंद के नवाब को सौप दिया ताकि वह श्री गुरु गोबिंद सिंह जी से अपना बदला ले सके । गुरु साहिब को अन्य साथियों की बात मानते हुए चमकौर छोड़ना पड़ा।
24 दिसंबर - तीनों को सरहिंद पहुंचाया गया और वहां ठंडे बुर्ज में नजरबंद किया गया।
25 और 26 दिसंबर - छोटे साहिबजादों को नवाब वजीर खान की अदालत में पेश किया गया और उन्हें धर्म परिवर्तन कर मुसलमान बनने के लिए लालच दिया गया।
27 दिसंबर-  साहिबजादा जोरावर सिंह और साहिबजादा फतेह सिंह  को तमाम जुल्म ओ जबर उपरांत जिंदा दीवार में चिन ने के बाद जिबह (गला रेत) कर शहीद कर किया गया जिसकी खबर सुनते ही माता गुजरीने अपने प्राण  त्याग दिए।
इस बलिदानी कथा को  अन्य लोगों को भी बतायें ताकि लोगों को धर्म  रक्षा के लिए पूरा परिवार वार देने वाले श्री गुरुगोबिंद सिंह जी के जीवन से प्रेरणा मिल सके ।

વર્ષ 1704નો ડિસેમ્બરનો મહિના હતો. 20 ડિસેમ્બરે કડકડતી ઠંડીમાં મુઘલ સેનાએ આનંદપુર સાહિબ કિલ્લા પર અચાનક હુમલો કર્યો. ગુરુ ગોવિંદ સિંહ તેમને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ તેમના સૈન્યદળે સમયની નાંડ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિંદ સિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો. સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદ સિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો. ગુરુ ગોવિંદની સાથે, તેમના બે મોટા રાજકુમાર – બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ ચમકૌર પહોંચ્યા. જ્યારે ત્યાં, તેમની માતા ગુજરી બે નાના પૌત્રો- બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહ સાથે રહી ગયા. તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા.

ગંગુ માતા ગુજરીને તેના બે પૌત્રો સાથે તેના ઘરે લાવ્યો. એવું કહેવાય છે કે માતા ગુજરી પાસે સોનાના સિક્કા જોઈને ગંગુના મનમાં લાલચ જાગી અને ઈનામ મેળવવાની લાલસામાં તેણે કોટવાલને માતા ગુજરી વિશે જાણ કરી. માતા ગુજરીની તેમના બે નાના પૌત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને સરહંદના નવાબ વઝીર ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા. વઝીરે બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને ઈસ્લામ સ્વીકારવા જણાવ્યું. જો કે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. આથી નવાબે 26 ડિસેમ્બર, 1704ના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા, જ્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઇને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઈતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે.,

  • पंजाब में सिखों के नेता गुरु गोबिंद सिंह के चार बेटे थे। उन्हें चार साहिबजादे खालसा कहा जाता था।
  • गुरु गोबिंद सिंह ने 1699 में खालसा पंथ की स्थापना की।
  • इसकी स्थापना, सिखों को उनके धर्म के आधार पर भेदभाव की समाप्ति के उद्देश्य से की गई थी।
  • गुरु गोबिंद सिंह की तीन पत्नियों से चार बेटे थे: अजीत, जुझार, जोरावर और फतेह, जो सभी खालसा का हिस्सा थे। उन चारों को 19 साल की उम्र से पहले ही मुगल सेना ने मार डाला था।
  • साहिबज़ादे ज़ोरावर सिंह और फ़तेह सिंह सिख धर्म के दो सबसे प्रसिद्ध शहीद हैं।
  • बादशाह औरंगजेब के निर्देश पर सन 1704ई में मुगल सेना ने आनंदपुर साहिब को घेर लिया।
  • इस घटना में गुरु गोबिंद सिंह के दो पुत्रों को कैद कर लिया गया।
  • और उनके सामने यह शर्त रखी गई कि यदि वे इस्लाम कबूल कर लेते हैं तो उन्हें नहीं मारा जाएगा।
  • धर्मान्तरण के इस प्रस्ताव को अस्वीकार करने के बाद दोनों साहिबजादों को मौत की सजा दी गई और ईंट की दीवार में जिंदा चुनवा दिया गया।
  • इन दोनों शहीदों ने धर्मान्तरण की बजाय मौत को गले लगा लिया।



15 October, 2022

National Games



ભારતની રાષ્ટ્રીય રમતો(National Games )માં વિવિધ રમતોનો  સમાવેશ થાય છે જેમાં ભારતના વિવિધ રાજ્યોના રમતવીરો એકબીજા સામે ભાગ લે છે. 

National Games ની શરુઆત 1924માં થઇ હતી. દર વર્ષે વિવિધ રાજય આ ગેમ્સના યજમાન બને છે. National Games નો  સુત્ર (MottoGet Set Play  છે.



2022માં 36માં National Gamesનું આયોજન ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન થયુ હતુ.

36માં નેશનલ ગેમ્સનું સૂત્ર છે: Celebrating unity through sports તથા મોસ્કોટ તરીકે સવાજ ( એશિયાટિક લાયન) અને એન્થમ થીમ તરીકે "એક ભારત શ્રેષ્ઠ ભારત" લેવામાં આવ્યું છે. અને એન્થમ સોંગ " જુડેગા ઇન્ડીયા, જીતેગા  ઇન્ડીયા" હતું.

એન્થમ સોંગ 36th નેશનલ ગેમ્સ





વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા આ National Gamesનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ અને સમાપન પણ આ જ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતના 6 શહેરોમાં આ રમતોનું આયોજન થયુ હતું જેમા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર. સાથે સાયક્લિંગ ટ્રેક ઇવેન્ટનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યુ હતુ.

36માં National Gamesમાં 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1  Indian Armed Forcesની ટીમો એ ભાગ લીધો હતો આમ કુલ 37 ટીમોએ આ ગેમ્સમાં ભાગ લીધો હતો. લદાખ, દાદરા નગર હવેલી તથા દીવ અને દમણ એ પહેલીવાર નેશનલ ગેમમાં ભાગ લીધો હતો.

આ નેશનલ ગેમ્સમાં 36 ઇવેન્ટો રાખવામાં આવી હતી. જેની યાદી નીચે આપેલ છે. આ વર્ષે 2 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી હતી યોગાશન અને મલખમ. સાથે કબડ્ડી અને ખો-ખો જેવી જુની રમતો પણ આ વર્ષે યોજવામાં આવી હતી.


નેશનલ ગેમ્સનુ  પહેલા નામ ઈન્ડીયન ઓલમ્પિક ગેમ્સ ( Indian Olympic games) હતું. 1938 માં કોલકાતામાં 8મી આવૃત્તિ યોજાઈ હતી અને તે તે ઘટના હતી જ્યારે નામ બદલીને નેશનલ ગેમ્સ રાખવામાં આવ્યું હતું.

ભારતીય ઓલિમ્પિક રમતોની પ્રથમ આવૃત્તિ 1924 માં ભારતની આઝાદી પહેલા લાહોરમાં યોજાઈ હતી. લાહોર ભારતીય ઓલિમ્પિક રમતોની સતત ત્રણ આવૃત્તિઓનું સ્થળ હતું.


આઝાદી પછી પ્રથમ રાષ્ટ્રીય રમતોનું આયોજન લખનૌમાં થયું હતું, 

 પ્રથમ રાષ્ટ્રીય રમતો (આધુનિક) 1985માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.

રાષ્ટ્રીય રમતોનો ઉપયોગ રમતગમતમાં ભારતની યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ઓળખવા માટે થાય છે. રાષ્ટ્રીય રમતો વિવિધ રાજ્યોના ખેલાડીઓને રમતોમાં આયોજિત વિવિધ વિષયોમાં એકબીજા સામે સ્પર્ધા કરવાની મંજૂરી આપે છે.

36માં નેશનલ ગેમ્સ મેડલ મેળવેલ વિવિધ રાજ્યોની યાદી

નેશનલ ગેમ્સમાં ગુજરાતે 49 મેડલ મેળવી 12મો ક્રમાક મેળવ્યો છે જેમા 13 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ અને 21 બ્રોંજ મેડલ મેળવ્યા છે.

સૌથી વધુ મેડલ ભારતીય સેનાની ટીમે મેળવ્યા હતા.


સંદર્ભ: દિવ્ય ભાસ્કર 






36મા નેશનલ ગેમ્સ માટેની વધુ માહીતી માટે નીચે આપેલ ઓફ્સિયલ લિંક પર ક્લિક કરવી.

https://nationalgamesgujarat.in/micro-site/221/landing/overview

23 January, 2022

National Girl Child Day

 

National Girl Child Day

24 ડિસેમ્બર

દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ National Girl Child Dayની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ બાળકી(છોકરીઓ)ના અધિકારો, શિક્ષણનું મહત્વ, યોગ્ય પોષણ અને આરોગ્ય જેવા અનેક વિષયો પર જાગૃતિ લાવવાનો છે.
To save a girl is to save generations
                                  - Gordon B. Hinckley.

છોકરીને બચાવવી એ પેઢીઓને બચાવવી છે- ગોર્ડન બી. હિંકલી.

 પરંતુ શું આપણે ખરેખર તેનો અર્થ સમજીએ છીએ? 

શું આપણે આપણી માતા, બહેન, પત્ની અને પુત્રીને પ્રેમ અને સન્માન કરીએ છીએ? 

એના વિશે વિચારો! (Think about it!)

2008માં મહિલા અને બાળ મંત્રાલય ( Ministry of Women and Child Development) દ્વારા આપણા સમાજમાં અનેક સ્તરે છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય બાલિકા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

દીકરીઓ જન્મે  તે પહેલા જ તેની બાળહત્યા કરી દેવામા આવતી હતી, અથવા જન્મે કે તરત તેને દુધપિતી કરી દેવમા આવતી કે બાળલગ્નની આગમાં ધકેલી દેવમા આવતી હતી, . ખાસ કરીને ગ્રામીણ સમુદાયોમાં આ કિસ્સો હતો જ્યારે છોકરીઓને નાની ઉંમરે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવતી હતી

દેશ આઝાદ થયો ત્યારથી ભારત સરકાર દીકરીઓ અને દિકરાઓ વચ્ચેના ભેદભાવ સામે તેમના પર થતા અત્યાચારો સામે પ્રયાસ કરી રહી છે.
છોકરીઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકારે વર્ષોથી ઘણા પગલાં લીધાં છે જેમ કે સેવ ધ ગર્લ ચાઈલ્ડ(Save the Girl Child), બેટી બચાવો બેટી પઢાવો, છોકરીઓ માટે મફત શિક્ષણ,  સબસિડીયુક્ત શિક્ષણ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં મહિલાઓ માટે આરક્ષણ

Theme of National Girl Child Day
2022:
2021: ‘Digital Generation, Our Generation
2020:         My voice, our common future.

24 જાન્યુઆરીએ આ મહત્વપૂર્ણ દિવસ ઉજવવાનું  કારણ છે, જે દેશની દીકરીઓને સશક્ત બનાવવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનું છે. આ કારણ ભારતની પ્રથમ મહિલા પીએમ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલું છે. 1966માં જ્યારે ઈન્દિરા ગાંધીએ શપથ લીધા ત્યારે તેઓ ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા હતા. 24મી જાન્યુઆરી એ ભારતીય ઈતિહાસ, મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ તારીખ છે.

11 ઓક્ટોબરને ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ (International Day of Girl Child) તરીકે ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય બાલિકા દિવસ માટેના નિર્દેશો:

-પરિવાર અને સમુદાયમાં છોકરીના જન્મની ઉજવણી કરવી

- દીકરીઓ પર ગર્વ કરો અને ‘બોજ’ અને ‘પરાયા ધન’ની માનસિકતાનો વિરોધ કરો.

-છોકરાઓ અને છોકરીઓ વચ્ચે સમાનતાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધો.

- શાળાઓમાં બાળકીનો સુરક્ષિત પ્રવેશ અને જાળવણી.

- લિંગ સ્ટીરિયોટાઇપ્સ અને ભૂમિકાઓને પડકારવા માટે પુરુષો અને છોકરાઓને જોડો.

- સમાજના સમાન સભ્યો તરીકે મહિલાઓ અને છોકરીઓને સન્માન આપવા માટે તમારી દિકરીઓને શિક્ષિત અને સંવેદનશીલ બનાવો.

- લિંગ નિર્ધારણ પરીક્ષણની કોઈપણ ઘટનાની જાણ કરો

- મહિલાઓ અને છોકરીઓ માટે પડોશને સુરક્ષિત અને હિંસા-મુક્ત બનાવવાનો પ્રયત્ન કરો.

-પરિવાર અને સમુદાયમાં દહેજ અને બાળ લગ્નનો વિરોધ કરો.

-સાદા લગ્નની હિમાયત કરો.

- મિલકતની માલિકી અને વારસો મેળવવાના મહિલાઓના અધિકારને સમર્થન આપો.

- મહિલાઓને બહાર જવા, ઉચ્ચ અભ્યાસ કરવા, કામ કરવા, વ્યવસાય કરવા, જાહેર જગ્યાઓ મુક્તપણે ઍક્સેસ કરવા વગેરે માટે પ્રોત્સાહિત કરો.

-તેની ભાષાનું ધ્યાન રાખો અને મહિલાઓ અને છોકરીઓ પ્રત્યે સંવેદનશીલ બનો.


National Girl Child Day : Quotes

“Though she be but little, she is fierce”

                                      – William Shakespeare


“If you want something said, ask a man; if you want something done, ask a woman.” 

                                                                                – Margaret Thatcher


“The world needs strong women. Women who will lift and build others, who will love and be loved. Women who live bravely, both tender and fierce. Women of indomitable will.”

                                                                                            -Amy Tenny

“To all the little girls who are watching this, never doubt that you are valuable and powerful, and deserving of every chance and opportunity in the world to pursue and achieve your own dreams.”  

                                                                                                – Hillary Clinton


“When girls are educated, their countries become stronger and more prosperous.”

                                                                                            -Michelle Obama  


No one can make you feel inferior without your consent.”

                                                                         -Eleanor Roosevelt


“Be that strong girl that everyone knew would make it through the worst, be that fearless girl, the one who would dare to do anything, be that independent girl who didn’t need a man; be that girl who never backed down.” 

                                                                                               - Taylor Swift


“We cannot all succeed when half of us are held back. We call upon our sisters around the world to be brave – to embrace the strength within themselves and realize their full potential.” – Malala Yousafzai

“She makes the day brighter. She leaves a little sparkle wherever she goes.” – Kate Spade

“‘What if I fall?’ ‘Oh, but my darling, what if you fly?’” – Erin Hanson

“Who runs the world? Girls.” – Beyoncé

“A girl should be two things: who and what she wants.” -Coco Chanel

National Girl Child Day : Slogans

Without her, there is no tomorrow.

GIRL means Gift In Real Life.

Empower the girl child. Empower the nation.

An educated woman has the power to educate the whole family.

Empower girls for a brighter tomorrow.

A girl child brings joy, she is no less than a boy.

She can make hearts melt and she can also rule the world. Save Girl Child!



04 September, 2021

શિક્ષક દિવસ (Teacher's Day)

શિક્ષક દિવસ

5 સપ્ટેમ્બર



गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે.



 ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા

 શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે નો આ દિવસ છે.

ચાણક્ય નું કહેવું છે કે શિક્ષક કોઈ દિવસ સામન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળા માં રમતા હોય છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ  5 સપ્ટેમ્બર 1888ના રોજ તામિલનાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

 તેઓનું બાળપણ તિરૂત્તાનીતિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.

તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદ ને વાંચી ને વિતાવ્યું હતું. 

તેઓ પુરા વિશ્વ ને એક વિદ્યાલય ની સમાન માનતા હતા. 

બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 

૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 

તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. 

તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. .

 ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 

કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. 

કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા.

તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

 તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. 

૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું 'નાઈટ' સન્માનથી નવાજવામાં આવ્યા હતા

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. 

જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.  રશિયાના સરમુખ્ત્યાર સ્ટાલિન કોઇને મળતા નહિ પણ તેઓ 2 વાર ડો. રાધાકૃષ્ણનને મળ્યા હતા.

 તેઓ 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર પતિ બન્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ  તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.

1962માં તેમની વરણી ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી અને તેઓ 1967 સુધી આ પદ પર રહ્યા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ તરીકે તેમણે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો

ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1954 માં તેમને ભારત ના સર્વોચ્ય સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા.

1975માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. 

 ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા.

 તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી

તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું

ડો. રાધાકૃષ્ણનના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 1988માં એન.એસ.થાપા દ્વારા બનાવવમાં આવી હતી.

1989મા ડો. રાધાકૃષ્ણનના સન્માનમા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ માટે તેમની 16 વાર પસંદગી કરવામાં આવી હતી જ્યારે શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે 11 વાર પસંદગી કરાઇ હતી.

ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાંથી એક તેજસ્વી વિદ્યાર્થીએ બેચલર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવી જેના બદલામાં તે વિદ્યાર્થીએ પોતે લખેલા પુસ્તકોની એક સંપૂર્ણ હારમાળા યુનિવર્સિટીને ભેટ આપી. વિદ્યાર્થી દ્વારા અપાયેલી આ ભેટ જોઈને યુનિવર્સિટીના કુલપતિ/Dean આશ્ચર્ય પામી ગયા કારણે કે તે પુસ્તકો યુનિવર્સિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા હતા. કુલપતિએ પેલા વિદ્યાર્થીના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી પડતી કે આ વિદ્યાર્થીને બી.લીટની ડીગ્રી આપીને અમે તેમના પર ઉપકાર કર્યો છે કે પછી આ વિદ્યાર્થીએ તેના પુસ્તકો આપી અમારા પર ઉપકાર કર્યો છે”. કુલપતિએ જે વિદ્યાર્થીના વખાણ કર્યા તે વિદ્યાર્થી એટલે ભારતમાં સર્વપ્રથમ નાયબ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન.

  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પેહલા પુસ્તક 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું નામ “ધ એથીક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઇટ્સ મટીરિયલ એક્સપોઝિશન”. આ પુસ્તકમાં રાધાકૃષ્ણને પોતાના એમએના અભ્યાસ દરમિયાન લખેલા નિબંધોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફિલોસોફી વિષય સાથે એમએ કર્યું હતું. જોકે તેમણે એમએ કરવા માટે ફિલોસોફી વિષય પસંદ કર્યો તેનું કારણ એવું હતું કે, રાધાકૃષ્ણનને તેમના પિતરાઈ ભાઈ તરફથી એમએ ફિલોસોફીની ચોપડીઓ ભેટ મળી હતી જે વાંચ્યા બાદ તેમને ફિલોસોફીમાં રસ જાગ્યો હતો અને તેમણે એમએ ફિલોસોફી વિષય સાથે પૂરું કર્યુ હતું.
  • બ્રાહ્મણ પરિવારથી આવતા હોવાને કારણે રાધાકૃષ્ણનના પિતા તેમને મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા પરંતુ 1906માં જ્યારે રાધાકૃષ્ણને બીએમાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યારે તેમના પિતાએ પૂજારી બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન 16 વર્ષની ઉંમરે 10 વર્ષની શિવકામૂ સાથે થયા હતા. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના સંતનોમાંથી લગભગ દરેકે ભારતમાં સિવિલ સર્વિસમાં જોડાઈ દેશની સેવા કરી છે. રાધાકૃષ્ણનની એક દીકરી બેંગલોરમાં અને એક દીકરી અમેરિકામાં વસે છે. પરિવારના અમુક સભ્યો ચેન્નાઇના એક જુનવાણી મકાનમાં રહે છે જ્યાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોરના ભાષા પ્રત્યેના યોગદાનથી ખૂબ પ્રભાવિત હતા. આ કારણે જ 1920માં જ્યારે તેમને કલકત્તા યુનિવર્સિટીમાં મેન્ટલ ઍન્ડ મોરલ સાયન્સના પ્રોફેસર બનવા માટે આમંત્રણ મળ્યું તો તેમણે તરત સ્વીકારી લીધું.
  • 1921 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને મૈસુર યુનિવર્સિટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ ત્યાંના વિદ્યાર્થીમાં ખૂબ લોકપ્રિય હતા માટે વિદ્યાર્થીઓએ તેમના માટે એક નાનકડું ફેરવેલ યોજ્યું હતું. આ ફેરવેલમાં વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણનને ફૂલથી સજાવેલી બગીમાં બેસાડી , જાતે બગી ખેંચી તેમને યુનિવર્સિટીના ગેટ સુધી લઈ જઈને વળવ્યા હતા.
  • 1949-1953 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સોવિયેત રશિયામાં ભારતના બીજા રાજદૂત રૂપે નિમણુક કરવામાં આવ્યા હતા. તે સમયે રશિયામાં સરમુખત્યાર શાસક જોસેફ સ્તાલિનનું રાજ હતું. સ્તાલિન ખૂબ અભિમાની શાસક હતો માટે તે કોઈ પણ દેશના રાજદૂત સાથે મુલાકાત કરવાનું ટાળતો. જોકે રાધાકૃષ્ણનના ફિલોસોફી ક્ષેત્રના કામથી સ્તાલિન ખૂબ પ્રભાવિત હતો માટે તેણે રધાકૃષણન સાથે જાન્યુઆરી 1950ની એક સાંજે મુલાકાત ગોઠવી. રશિયા અને અમેરિકા વચ્ચે તે સમયે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું માટે રાધાકૃષ્ણન સ્તાલિનની મુલાકાતમાં વધુ પડતી વાતો શીતયુદ્ધ વિશે જ થઈ હતી. મુલાકાતના અંતમાં રાધાકૃષણન દ્વારા સ્તાલિનને સલાહ આપવામાં આવી હતી કે સોવિયેત રશિયાએ સામેથી શીતયુદ્ધનો અંત લઇ આવવો જોઇએ. જવાબમાં જોકે સ્તાલિને કહ્યું હતું કે “તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે” જેના જવાબમાં રાધાકૃષ્ણને ખૂબ નમ્રતાપૂર્વક સલાહ આપી હતી કે, “એક શાંતિપ્રિય દેશ હોવાના નાતે સોવિયેત રશિયાએ અમેરિકાના બીજા હાથની રાહ જોયા વગર પોતાનો બીજો હાથ આગળ કરી શાંતિની તાળી વગાળવી જોઈએ”. સ્તાલિન જેવા સરમુખત્યાર શાસકને આવી સલાહ આપવાની હિંમત જોકે માત્ર ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસે જ હતી.
  • 1957માં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના નાયબ રાષ્ટ્રપતિ રૂપે ચીનની મુલાકાતે ગયા હતા. ચીનની આ મુલાકાત દરમિયાન તે સમય કાઢીને માઓ ઝેડોંગને (ચીની કમ્યુનિસ્ટ, કવિ અને રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપક) તેમના ઘરે મળવા ગયા હતા. માઓના ઘરે રાધાકૃષ્ણનનું સ્વાગત કરવા માઓ પોતે દરવાજે આવ્યા હતા. દરવાજે આવેલા માઓ સાથે હાથ મેળવ્યા બાદ રાધાકૃષ્ણનને તેમને પ્રેમપૂર્વક ગાલ પર હળવી લપડાક મારી હતી. પ્રથમ મુલાકાતમાં રાધાકૃષણનના આવા અનોખા વ્યહવારથી માઓ ચોંકી ગયા હતા જે જોઈને રાધાકૃષણન હસીને બોલ્યા હતા કે, ” ચોંકવાની જરૂર નથી, હું જ્યારે પોપ અને સ્તાલિનને મળ્યો હતો ત્યારે પણ મે આવું જ વર્તન કર્યું હતું”.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે  ભારતની આર્થિક અને રાજનૈતિક સ્થિતિ ઘણી નબળી હતી. ભારતની આ સ્થિતિ જોતાં રાધાકૃષ્ણને પોતાના ₹10,000 પગાર માંથી ઓછો કરાવી ₹2,000 કરવી દીધો હતો અને બાકીના ₹8000 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમાં કરાવવાનો આદેશ કર્યો હતો.

તમારા શિક્ષક સાથે ની તમારી કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ અથવા તમારી પસંદ ના કોઈ સુવિચાર કે મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો

આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ (World Teachers Day) 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવાની શરૂઆત કરાઈ હતી. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "યંગ ટીચર્સઃ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન" રાખવામાં આવી છે. 

શિક્ષક કઇ રીતે બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે તે દર્શાવતી ઘણી ફિલ્મો પણ બની છે.

1. તારે જમીન પર

વર્ષ 2007મા આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'તારે જમીન પર' રિલીઝ થઈ, જેમાં 8 વર્ષના છોકરાની કહાની દેખાડવામાં આવી હતી. ઈશાન એટલે કે દર્શીલ સફારીએ ફિલ્મમાં ડિસલેક્સિયાની બીમારીનો સામનો કરતા બાળકની ભૂમિકા ભજવી હતી, જેને જ્યારે હોસ્ટેલમાં મોકલવામાં આવે છે તો તેનું જીવન બદલી જાય છે. ત્યાં ઈશાનને સમજનાર એક ટીચર મળે છે, જે તેના જીવનમાં પરિવર્તન લાવે છે. 



2. હીચકી

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



3. બ્લેક

અમિતાભ બચ્ચને ફિલ્મ બ્લેકમાં એક ટીચરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન આંધળી અને બેરી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રાની મુખર્જીને બોલવાનું શીખવે છે. આ ફિલ્મમાં ગુરૂ અને શિષ્યની અલગ કેમેસ્ટ્રી જોવા મળે છે. 



4. સુપર 30

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



5. મેડમ ગીતા રાની


25 August, 2021

રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)

 રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)

29 ઓગસ્ટ


આજનો આ દિવસ આપણા એ યુવાન ખેલાડીઓને શુભેચ્છા પાઠવવાનો છે, જે નિરંતર દુનિયાના મંચ પર તિરંગાના માનને નવી ઊંચાઈ આપી રહ્યા છે. બેડમિન્ટન હોય, ટેનિસ હોય, એથ્લેટીક્સ હોય, બોક્સિંગ હોય, કુસ્તી હોય, હોકી, કબડ્ડી, ક્રિકેત કે અન્ય બીજી કોઈ રમત હોય, આપણા ખેલાડીઓ આપણી આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખ આપી રહ્યા છે. તેમના જીતેલા મેડલ, તેમના તપ અને તપસ્યાનું પરિણામ તો છે જ, સાથે જ આ નવા ભારતના નવા જોશ અને નવા આત્મવિશ્વાસનો માપદંડ પણ છે. 

રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખાતો નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ભારતીય હોકીના લેજન્ડ મેજર ધ્યાનચંદસિંહની યાદમાં ઉજવવામાં આવે છે


29ઓગસ્ટ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે 3-3 વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. આવડી મોટી સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરાયો છે.

હિટલર જેવા નેતા પણ ધ્યાનચંદની રમતથી અચંબિત થઇ ગયા હતા. જેને પગલે તેણે નોકરી સહિતની અનેક ઓફરો કરી હતી, પરંતુ ધ્યાનચંદે દેશને વફાદાર રહી હિટલરની ઓફરોને ઠુકરાવી દીધી હતી. 

 ભારત સરકારે સૌપ્રથમ 2012માં આ દિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ દિવસ દેશના ઉત્સાહી ખેલચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

ભારતને ગૌરવ અપાવનારા ખેલાડીઓને આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે



વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં  'ફિટ ઇન્ડિયા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાનનો ઉદેશ લોકોને સ્વસ્થ રાખવાનો છે.

જેમ ક્રીકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. છેલ્‍લા ૭પ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.


હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી.

14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.


 તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા. 

 તેઓ મેદાનમાં ઉતરતા હતા તો જાણે બૉલ તેની હૉકી સ્ટીક સાથે ચોંટી જતો હતો. તેમની આગેવાનીમાં ભારત 3 ગોલ્ડ મેડલ જીત્યું છે.

ધ્યાનસિંહ આવી રીતે બન્યા ધ્યાનચંદ

માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતીય સેનામાં ભરતી થનારા ધ્યાનચંદનું સાચું નામ ધ્યાનસિંહ હતું. તેઓ પોતાની રમતને સુધારવા માટે પ્રેક્ટિસનો સમય કાઢતા રહેતા હતા. ત્યાં સુધી કે તે ચંદ્રના પ્રકાશમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. જે જોઈને તેમા મિત્રોએ તેમના નામની સાથે ચાંદ ઉમેરી દીધું. જે પછીથી ચંદ થઈ ગયું.


તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા

ઓલમ્પિકમાં હોકી 1908થી યોજાય છે પરંતુ તે સમયે હોકીમાં ભારતીય ટીમનું કોઇ અસ્તિત્વ ના હતું. દર ઓલમ્પિક્માં ગ્રેટ બ્રિટનાની ટીમ હોકીમાં ગોલ્ડ મેડલ જીતતી. 1928માં ભારતની હોકી ટીમે પ્રથમવાર એમ્સટર્ડમમાં ભાગ લીધો અને પ્રથમ વારમા જ ધ્યાનચંદના કારણે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, આ મેચમાં સૌથી હાઇએસ્ટ 14 ગોલ ધ્યાનચંદના હતા.  ત્યાર બાદ ભારતે ગોલ્ડ મેડલ જીતવામાં હેટ્રીક લગાવી.

તેમણે સતત 3 ઓલમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું

વર્ષ 1928:

1928 માં પ્રથમ વખત ઓલિમ્પિક (Olympic) રમવા ગયેલા ધ્યાનચંદે આ સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની હોકીનો એવો જાદુ બતાવ્યો હતો કે, મેદાન પર તેને જોયા બાદ જ વિરોધી ટીમો ડરવા લાગી હતી. 1928 માં નેધરલેન્ડમાં રમાયેલી ઓલિમ્પિકમાં ધ્યાનચંદે 5 મેચમાં 14 ગોલ કર્યા અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત બાદ હજારો લોકોએ બોમ્બે હાર્બરમાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

વર્ષ 1932:

ધ્યાનચંદને 1928 ના કરિશ્માનું પુનરાવર્તન કરવામાં કોઈ સમસ્યા નહોતી. ભારતે લોસ એન્જલસમાં 1932 ઓલિમ્પિકમાં જાપાન સામે 11-1 થી પ્રથમ મેચ જીતી હતી. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે યુએસએને 24-1 થી હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદમાં વર્ષ 2003 માં તૂટી ગયો હતો. આ ઓલિમ્પિકમાં ભારત ફરી એકવાર ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા બન્યું.

વર્ષ 1936:

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં અભ્યાસ કરનારા ધ્યાનચંદ માટે આ ઓલિમ્પિક સૌથી યાદગાર બની રહ્યું હતું. ધ્યાનચંદની કેપ્ટનશીપ હેઠળ બર્લિન પહોંચેલી ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી અને વિરોધી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં ભારતને જર્મની તરફથી જર્મન ચાન્સેલર એડોલ્ફ હિટલરની ટીમનો સામનો કરવાનો હતો.

આ મેચ જોવા માટે ખુદ હિટલર પણ પહોંચી ગયો હતો. પરંતુ હિટલર (Hitler)ની હાજરી અથવા ગેરહાજરી ભારતીય ટીમ અથવા ધ્યાનચંદના પ્રદર્શનને અસર કરતી ન હતી. જોકે આ મેચ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં હતી કારણ કે, અગાઉની મેચમાં ભારતીય ટીમને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી, તે તણાવ જાતે જ ગયો.

જર્મનીએ મેચના પહેલા હાફમાં ભારતને એક પણ ગોલ કરવા દીધો ન હતો. આ પછી, બીજા હાફમાં, ભારતીય ટીમે એક પછી એક ગોલ કરવાનું શરૂ કર્યું. જર્મનીએ બીજા હાફમાં પણ એક ગોલ (Goal) ફટકાર્યો હતો, જે આ ઓલિમ્પિકમાં ભારત સામે એક માત્ર ગોલ હતો. હિટલર મેચ પૂરી થતા પહેલા સ્ટેડિયમ છોડી ગયો કારણ કે તે પોતાની ટીમને હારતો જોવા માંગતો ન હતો. એટલું જ નહીં, આ મેચ દરમિયાન હિટલરે મેજર ધ્યાનચંદની હોકી સ્ટિક પણ તપાસવા માટે કહ્યું હતું.

 મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.

વર્ષ 1948:

મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ વર્ષ 1948 માં રમી હતી અને તેમના સમગ્ર કાર્યકાળમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. જે એક રેકોર્ડ છે. અત્યાર સુધીમા હોકીમાં ધ્યાનચંદ જેવો કોઇ ખેલાડી થયો નથી.


  • ધ્યાનચંદે ત્રણ ઓલમ્પીક ગેમ્સમાં ભારતનું પ્રતિનીધીત્વ કર્યુ હતુ.
  • બીજા વિશ્વ યુદ્ધ પહેલા, વર્ષ 1928માં ધ્યાનચંદે ભારતનો પહેલો 
  • ઓલમ્પીક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તેઓએ ભારત માટે અન્ય બે ગોલ્ડ મેડલ વર્ષ 1932 અને 
  • 1936ની ઓલમ્પીક ગેમ્સમાં જીત્યા હતા.
  • વર્ષ 1936ની બર્લિન ઓલમ્પીક ગેમ્સમાં ધ્યાનચંદે જર્મન
  •  તાનાશાહ એડોલ્ફ હિટલરને સલામી આપવાનો ઇન્કાર કર્યો હતો.
  • હોલેન્ડમાં રમાઈ રહેલી મેચ દરમીયાન તેમની હોકી સ્ટીકમાં 
  • ચુંબક રાખવામાં આવ્યુ છે કે કેમ તે જોવા માટે તેમની 
  • હોકી સ્ટીકને તોડવામાં આવી હતી.
  • વર્ષ 1956માં ધ્યાનચંદને પદ્મ ભૂષણના ખીતાબથી નવાજવામાં 
  • આવ્યા હતા.
  • આ દિવસે રમતવીરો અને તેમના કોચને ‘રાજીવ ગાંધી ખેલરત્ન’,
  •  ‘અર્જૂન’, ‘ધ્યાનચંદ’ અને ‘દ્રોણાચાર્ય’ એવોર્ડથી નવાજવામાં 
  • આવે છે (નોંધ: રાજીવ ગાંંધી ખેલરત્ન એવોર્ડનું નામ 2021થી 
  • "મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે.)

  • તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ
  •  કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન
  •  ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની 
  • બાદશાહત દર્શાવે છે. 

  •  ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા

  • હૉકીના જાદૂગર કહેવાયા

    ધ્યાનચંદે ખેલ પર એવી પકડ બનાવી હતી કે એકવાર જો બૉલ તેમની પાસે આવતો હતો

  • તો તે પછી વિરોધીઓ સુધી નહોતા જવા દેતા. 1928ના ઓલંપિકમમાં તેણે કુલ 14 ગોલ

  • કરીને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમના આ પ્રદર્શન બાદ એક સ્થાનિક પત્રકારે

  • તેમને હૉકીના જાદૂગર તરીકે નવાજ્યા હતા.


1948માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા.

1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. 

 આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરેના રોજ 74 વર્ષની ઉંમરે લીવરના કેન્સરની બીમારીના કારણે અવશાન થયુ હતું.. 

ઝાંસી હિરોઝ ગ્રાઉન્ડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. 

ઝાંસીની સિપરી હિલ પર હોકીની સ્ટીક સાથે ધ્યાનચંદનું સ્મારક બનાવવામાં આવ્યું છે.

તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. 

નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.

પોતાની હોકીના 25 વર્ષની કેરિયરમાં ધ્યાનચંદે 1000જેટલા ગોલ કર્યા છે જેમાં 400થી વધુ ગોલ ઓલમ્પિકમાં કરેલ છે.

મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું: ભારતના હોકીવીરે હિટલરને રોકડું પરખાવેલું

- ધ્યાનચંદે 12 ગોલ ફટકાર્યા તો સહગલે ખુશ થઈને 14 ગીત ગાયા

- બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે



2021માં ટોક્યો ખાતે આયોજિત ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલ મેડલ

ટોક્યો ઓલમ્પિક્માં મેડલ જીતનાર દેશોમા ભારતનો ક્રમ 48મો છે.


ભાલા ફેંકમાં ખેલાડી નીરજ ચોપડા ભારત માટે એથલિટ્સ ઈતિહાસનો પ્રથમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડનાર છે. આ રમતમાં તેણે 87.58મીટર દૂર ભાલો નાખી ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌથી દૂર ભાલો ફેંકનાર તે વિશ્વનો ચોથા નંંબરનો ખેલાડી બન્યો છે.  પુણેના છાવણી ખાતે આવેલા આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યુટના એથલેટિક્સનું નામ નીરજ ચોપરા રખાશે.




  • વિવિધ રમતો અને તેના ખેલાડીઓની સંખ્યા


  • નેશનલ સ્પોર્ટ એવોર્ડ દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના
  •  હસ્તે 29 ઓગસ્ટના દિવસે આપવામાં આવે છે.
  •  ખેલ પુરસ્કારોની ઇનામી રકમમાં આ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખેલ રત્નમાં 
  • હવે 25 લાખ રૂપિયાનું ઇનામ છે, જે અગાઉના સાડા સાત લાખ કરતા ઘણું વધારે છે. 
  • અર્જુન પુરસ્કારની ઇનામની રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે. 
  • અગાઉ દ્રોણાચાર્ય (આજીવન) પુરસ્કાર વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા 
  • જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય (નિયમિત) એવોર્ડ મેળવનાર
  •  દરેક કોચને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળે છે.
  • Common wealth Games - 2022
  • 2022માં બર્મિંગહામ ખાતે આયોજિત કોમન વેલ્થગેમમાં ભારતીય ખેલાડીઓએ 
  • સારુ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરેલ છે. ભારતે 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ 
  • અને 23 બ્રોંઝ મેડલ જીતી ચોથો ક્રમ મેળવેલ છે.  
  • જુદી જુદી 16 રમતોમાં ભારતના કુલ 210 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 
  • જેમાં 106 પુરુષ ખેલાડી અને 104 મહિલા ખેલાડીઓ હતા.
  • હોકી ખેલાડી મનપ્રીત સિંહ અને બેડમિન્ટન એથ્લેટ પી.વી. સિંધુએ  ઉદઘાટન સમારોહના દેશના  ધ્વજધારક 
  • બન્યા હતા.