મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label february. Show all posts
Showing posts with label february. Show all posts

17 February, 2023

નિકોલસ કોપરનિક્સ (Nicolaus Copernicus)

 

        


 આધુનિક ખગોળશાસ્ત્રના પિતા નિકોલસ કોપરનિક્સ      

 જન્મ તારીખ: 19 ફેબ્રુઆરી 1473

જન્મ સ્થળ: થોર્ન, રોયલ પુર્સિયા, પોલેન્ડ

અવશાન: 24 મે 1543

        આજે આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે ઘણું જાણીએ છીએ. અવકાશ વિજ્ઞાનઓએ અંતરિક્ષનો અભ્યાસ કરીને ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. પરંતુ પુરાતન કાળમાં માણસને પૃથ્વી કે સૂર્ય, ચંદ્ર વિશે કશી જ જાણકારી નહોતી.તે સમયે સૂર્ય અને ચંદ્ર દેવ ગણાતા તેમની પૂજા થતી. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર તેની આસપાસ ફરે છે તેવી માન્યતા હતી. તે જમાનામાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વગેરેનો અભ્યાસ પણ થતો. સંશોધનના સાધનો પણ પૂરતાં નહોતા.તેમ છતાં કલ્પના અને ગણતરી વડે ઘણા સંશોધનો થતાં. ધર્મશાસ્ત્રીઓ પણ ઉચ્ચ કક્ષાના વિજ્ઞાાનીઓ હતા. તેવા જમાનામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. આ શોધ પછી ખગોળશાસ્ત્રને નવી દિશા મળી અને વધુ સંશોધનો થવા લાગ્યા



        નિકોલસ કોપરનિકસનો જન્મ 19 ફેબ્રુઆરી 1473 માં પોલેન્ડના એક સમૃદ્ધ નગરમાં થયો હતો. તેઓ એક ખગોળ શાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેના પિતા ન્યાયાધિશ હતા. સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મેલા નિકોલસના પિતા તેની બાળવયમાં જ અવસાન પામેલા. નિકોલસનો ઉછેર તેના પાદરી મામાને ત્યાં થયો હતો. એટલે બાળવયથી જ તે ધાર્મિક વૃત્તિનો હતો. યુવાન થતા જ નિકોલસ પોલેન્ડની ક્રેકો યુનિવર્સિટીમાં જોડાયો હતો. તે સમયમાં વહાણવટાનો ઉદ્યોગ વિકાસ પામેલો. સાહસિકો લાંબી દરિયાઇ સફર કરતા. તેમને ભૂગોળ અને અવકાશના જ્ઞાાનની જરૃર હતી. નિકોલસે કાયદાનો અભ્યાસ કરેલો. તેના ધાર્મિક સ્વભાવને કારણે તેને લોકોની સેવા અને ધર્મપ્રચાર કરવાની ઇચ્છા હતી. ગરીબ દર્દીઓની સેવા કરવા તેણે તબીબી અભ્યાસ પણ કર્યો.

નિકોલસ પ્રથમ યુરોપીયન ખગોળશાસ્ત્રી હતા જેમણે બ્રહ્માંડના કેન્દ્રની બહાર પૃથ્વીનો વિચાર કર્યો, એટલે કે સૂર્યકેન્દ્રીય મોડેલ લાગુ કર્યું. આ પહેલા, સમગ્ર યુરોપ એરિસ્ટોટલના ખ્યાલમાં માનતો હતો, જેમાં પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર હતું અને સૂર્ય, તારાઓ અને અન્ય  તેની આસપાસ ફરે છે. આ માન્યતાની વિરુદ્ધ બોલનારને લોકો અધર્મી કહીને વખોડતાં અને ફાંસીની સજા પણ આપવામાં આવતી. 



1530 માં, કોપરનિકસનું પુસ્તક ડી રિવોલ્યુશન (De Revolution)  પ્રકાશિત થયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરી પર એક દિવસમાં પરિભ્રમણ કરે છે અને એક વર્ષમાં સૂર્યની ક્રાંતિ પૂર્ણ કરે છે. કોપરનિકસે તારાઓની સ્થિતિ નક્કી કરવા માટે પ્રુટેનિક કોષ્ટકો(Prutenic Tables) બનાવ્યાં, જે અન્ય ખગોળશાસ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય બન્યાં. તેમનું આ પુસ્તક  તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયું હતું. તેમણે આ પુસ્તક પ્રકાશિત ના કરી શક્યા તેનો વસવસો રહી ગયો.. આખરે તેમના એક નજીકના મિત્ર રેટિક્સે આ પુસ્તક પ્રકાશિત કર્યુ. આ પુસ્તકને આધુનિક ખગોળશાસ્ત્રની શરૂઆત માનવામાં આવે છે.

પાછળથી,  ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી, ત્યારે તેમના આ સિદ્ધાંતોની પુષ્ટિ થઈ.

તેમની શોધને વિજ્ઞાન જગતમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે. તેમણે કોઈપણ સાધનનો ઉપયોગ કર્યા વિના આ નિષ્કર્ષ કાઢ્યો હતો. તે કલાકો સુધી નરી આંખે અવકાશમાં તાકી રહેતો અને ગાણિતિક ગણતરીઓ દ્વારા યોગ્ય તારણો મેળવવાનો પ્રયાસ કરતો.



      કોપરનિકસનું યોગદાન

કોપરનિકસના અવકાશ વિશેના સાત નિયમો જે તેમના પુસ્તકમાં ઉલ્લેખિત છે તે નીચે મુજબ છે:


બધા અવકાશી પદાર્થો કોઈ એક નિશ્ચિત કેન્દ્ર દ્વારા ઘેરાયેલા નથી.

પૃથ્વીનું કેન્દ્ર બ્રહ્માંડનું કેન્દ્ર નથી. તે માત્ર ગુરુત્વાકર્ષણ અને ચંદ્રનું કેન્દ્ર છે.

બધા ગોળા (અવકાશી પદાર્થો) સૂર્યની આસપાસ ફરે છે. આમ સૂર્ય બ્રહ્માંડનું કેન્દ્ર છે. (આ નિયમ ખોટો છે.)

સૂર્યથી પૃથ્વીનું અંતર આકાશની સીમાથી પૃથ્વીના અંતરની તુલનામાં ખૂબ જ ઓછું છે.

આપણે આકાશમાં જે કંઈ હિલચાલ જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિને કારણે છે. (આંશિક રીતે સાચું)

આપણે જે કંઈપણ સૂર્યની ગતિ તરીકે જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિ છે.

ગ્રહોની જે પણ ગતિ આપણે જોઈએ છીએ તેની પાછળ પૃથ્વીની ગતિ પણ જવાબદાર છે.



નિકોલસ કોપરનિકસનું મૃત્યુ 24 મે, 1543 ના રોજ થયું હતું. 

કોપરનિકસનું યોગદાન વિશ્વમાં ક્યારેય ન ભુલાય તેવું યોગદાન છે. કોપરનિકસે જૂની માન્યતાઓને તોડીને બ્રહ્માંડને વૈજ્ઞાનિક તથ્યો સાથે સમજાવ્યું.


15 February, 2022

ગેલેલિયો ગેલિલી (Galileo Galilei)

 ગેલેલિયો ગેલિલી

 ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક


જન્મતારીખ: 15 ફેબ્રુઆરી 1564

જન્મ સ્થળ : પીઝા, ઇટલી
અવશાન: 8 જાન્યુઆરી 1642

ગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં 15 ફેબ્રુઆરી 1564ના રોજ થયો હતો.  જે એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતા.  તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ(lutenist), સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી(Vincenzo Galilei) અને જુલિયા અમ્માંન્નાતીના છ બાળક પૈકી એક હતા.. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો(Michelagnolo)એ લ્યૂટનિસ્ટ(lutenist) અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.

તેમનો પરિવાર ઘણો ગરીબ હતો. તેમણે બાળપણનું શિક્ષણ ફ્લોરેન્સ શહેરમાં મેળવ્યું હતું. જ્યારે તે મોટા થયા ત્યારે તેમણે તે પિતાને તેમના કામમાં મદદ કરી. તેમની પ્રતિભાને જાણી તેમના પિતાએ ફરીથી અભ્યાસ શરૂ કરાવ્યો.. વર્ષ 1581માં તેમણે મેડિકલ સાયન્સમાં એડમિશન લઈને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.

તબીબી વિજ્ઞાનમાં તેમને રસ ના હતો  તેમને વૈજ્ઞાનિક શોધની દિશામાં કામ શરુ કર્યુ.. જ્યારે 1591 માં પિતાનું અવસાન થયું. તે દરમિયાન ગેલેરી સૌથી મોટા હતા આથી, તેમના ખભા પર સમગ્ર પરિવારની જવાબદારી આવી ગઈ હતી. ગંભીર નાણાકીય કટોકટી વચ્ચે, બહેનોના લગ્ન માટે દહેજ એકત્રિત કરવું ખૂબ મુશ્કેલ હતું. તે સમયે ઈટાલીમાં દહેજની પ્રથા ચાલી રહી હતી. આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે, ગેલિલિયોએ ટ્યુશનની સાથે કપડાની દુકાન અને ગણિતના સાધનોની દુકાન ખોલી, જેનાથી તે આર્થિક રીતે નફાકારક બન્યો. પારિવારિક જવાબદારીઓ વચ્ચે, ગેલિલિયોએ તેમનો અભ્યાસ અને શિક્ષણ છોડ્યું ન હતું. તેઓએ તેમનો અભ્યાસ અને શિક્ષણ ચાલુ રાખ્યું

ગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પરથી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા,હતા તે જ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.

4 એપ્રિલ 1597 ના રોજ, ગેલિલિયો ગેલિલીએ એક ટેલિસ્કોપની શોધ કરી જે 32 ગણી મોટી જોઈ શકે છે. ગેલિલિયોએ તેને 1609 માં તેની દુકાનમાં વેચવાનું શરૂ કર્યું. તે સમયે જે દૂરબીન વેચાતી હતી તેનો ઉપયોગ અમુક અંતર જોવા માટે થતો હતો. તેમના દ્વારા બનાવેલા ટેલિસ્કોપથી સાબિત થયું કે સૂર્ય પર પણ કેટલાક ફોલ્લીઓ છે. આકાશગંગા એ તારાઓનો સમૂહ છે. ગુરુ પાસે ઘણા ઉપગ્રહો છે

ગેલિલિયોએ તેની એક મહત્વની શોધમાં એરિસ્ટોટલના સિદ્ધાંતને ખોટો ઠેરવ્યો હતો કે જો ઓછા વજનની અને વધુ દળની વસ્તુને પૃથ્વી પર એકસાથે છોડવામાં આવે તો વધુ દળની વસ્તુ ઝડપથી પડી જશે.પીઝાના ટાવર પર ચઢીને, તેણે એક જ સમયે ઊંચા અને ઓછા વજનના દડા છોડ્યા. આ ઐતિહાસિક પ્રયોગને જોવા માટે ધાર્મિક નેતાઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને બૌદ્ધિકો એકઠા થયા હતા. લોકોએ સ્પષ્ટપણે જોયું કે બંને શેલ એક સાથે નીચે આવ્યા હતા.

1611 માં ટેલિસ્કોપની શોધ માટે, ગેલિલિયોએ 1585 થી 1586 દરમિયાન હાઇડ્રોસ્ટેટિક બેલેન્સ તૈયાર કર્યું. આમાં વિવિધ પ્રવાહીના ગુણધર્મોનો અંદાજ લગાવવો સરળ બન્યો. 3 વર્ષ પછી, તેમણે ઘન પદાર્થની ગતિના નિયમો રજૂ કર્યા. તેની શોધને કારણે તેને આધુનિક આર્કિમીડીઝ કહેવામાં આવે છે.

વર્ષ 1632માં, જ્યારે ગેલિલિયોએ સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવ્યું હતું, પૃથ્વી નહીં, અને પૃથ્વીને અસ્થિર અને સૂર્યને સ્થિર ગણાવ્યો હતો, ત્યારે તેમના થીસીસમાં તેમને કટ્ટરપંથીઓએ ધર્મ વિરોધી ગણાવ્યા હતા. જેના કારણે તેમને 8 વર્ષ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે સર્જન ક્રમ ચાલુ રાખ્યો. વર્ષ 1637માં તે સંપૂર્ણ અંધ બની ગયો હતો. 8 જાન્યુઆરી 1642ના રોજ તેને તાવ આવ્યો. આ રીતે એક મહાન વૈજ્ઞાનિક અને શોધકનું અવસાન થયું

તેમણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેમણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેમના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ", અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે

 ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.
તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વી કેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્ય કેંદ્રીવાદ(heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ(Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ(Two New Sciences)"નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો
ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવા કૉપરનિકસના વાદનું સમર્થન કરવા માટે ગૅલિલિયોને ચર્ચ સાથે વિખવાદ થયો. તેમના કાર્યનો સારો એવો ભાગ યંત્રશાસ્ત્રને લગતો છે અને તેના વિશ્લેષણ માટે ગણિતનો ઉપયોગ કરનાર તેઓ સૌપ્રથમ હતા. ઘડિયાળ માટે લોલકના ઉપયોગનું સૂચન કર્યું અને અવકાશમાંથી પૃથ્વી તરફ પડતા પદાર્થના અચળ પ્રવેગના નિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો. ગૅલિલિયોએ ખગોલીય દૂરબીન (terrestrial telescope) વિકસાવ્યું અને તેની મદદથી ચંદ્ર ઉપર જ્વાળામુખી પર્વતનાં મુખ (craters), સૂર્યકલંકો (sunspots), બુધના ગ્રહ(Mercury)ની કળા અને ગુરુ(Jupiter)ના ગ્રહના ઉપગ્રહો(satellites  – moons)ની શોધ કરી હતી. વળી તેમણે બતાવી આપ્યું કે આકાશગંગા (Milky Way) તારાઓની બનેલી છે. 

કૉપરનિકસના સિદ્ધાંતને અપનાવવા માટે તથા તેનું શિક્ષણ આપવાના અપરાધ માટે તેમના જીવનનાં છેલ્લાં આઠ વર્ષ ઘરમાં નજરકેદની સજા ફરમાવવામાં આવી હતી. તેમની મુખ્ય કૃતિઓ (1) ‘ડાયલૉગ કન્સર્નિગ ધ ટૂ ચીફ વર્લ્ડ સિસ્ટિમ્સ – ટૉલેમિક ઍન્ડ કોપરનિકસ’ (1632) અને (2) ‘ડાયલૉગ કન્સર્નિગ ટૂ ન્યૂ સાયન્સીઝ’ (1638) હતી. છેલ્લી માહિતી મુજબ આશરે સાડાચારસો વર્ષ પછી નામદાર પોપે ગૅલિલિયોને તેમના ઉપર મૂકેલા આરોપમાંથી મુક્ત થયેલા જાહેર કર્યા છે.

સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ અંગે લાંબા ગાળાના તલસ્પર્શી અભ્યાસ માટેનું અમેરિકાનું અંતરિક્ષયાન. સત્તરમી સદીમાં ઇટાલીના જગવિખ્યાત ખગોળશાસ્ત્રી ગૅલિલિયો ગૅલિલીએ દૂરબીનની મદદથી ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો શોધી કાઢ્યા હતા. તેની સ્મૃતિમાં આ અંતરિક્ષયાનને ગૅલિલિયો નામ આપવામાં આવ્યું હતું.


વર્ષ 2009મા ગેલેલિયોના જન્મને 400 વર્ષ થતા હોવાથી આ વર્ષને આંતરરાષ્ટ્રીય ખગોળ વર્ષ તરીકે જાહેર કરાયુ હતું.

ગેલિલિયો ગેલિલીનો જીવન પરથી, ન્યૂટને તેની ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમોને આગળ વધાર્યા. 

ગેલેલિયોના જીવન આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 


06 February, 2022

લતા મંગેશકર (Lata Mangeshakar)

 લતા મંગેશકર



જન્મતારીખ: 28 સપ્ટેમ્બર 1929,      

જન્મસ્થળ: ઇન્દોર,મધ્યપ્રદેશ    

અવસાન: 6 ફેબ્રુઆરી 2022 (મુંબઇ)

પિતાનું નામ: દિનાનાથ  મંગેશકર       

માતાનું નામ: શેવંતી  મંગેશકર  

સાચું નામ: હેમા મંગેશકર

            ए मेरे वतन के लोगों जरा आँख में भरलो पानी.. ગીત દ્વારા દેશભક્તિને જનતા સુધી પહોંચાડનાર ભારતની ખ્યાતનામ પાશ્વ ગાયિકા, સ્વર કોકિલા, ભારતરત્ન લતા મંગેશકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929માં થયો હતો. તેમના પિતા પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે જે એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા.

લતાજીનું બાળપણ નુ નામ "હેમા" નામ હતુ. તેમના માતા - પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું. તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. તેમની બહેન આશા ભોંસલે પણ સારા ગાયિકા છે. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉશા અને ભાઈ હ્રદયનાથ છે. જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે. 



         1942માં જ્યારે લતાજી 13 વર્ષના હતા ત્યારે તેના પિતાનું હૃદયરોગથી અવસાન થયું હતું. નવયુગ ચિત્રપટ ફિલ્મ કંપનીના માલિક અને મંગેશકર પરિવારના નજીકના મિત્ર માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકીએ) તેમની સંભાળ લીધી. તેમણે લતાને ગાયક અને અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરવામાં મદદ કરી.

લતા મંગેશકરે પોતાનું પહેલું ગીત 1942માં ફિલ્મ ‘કીટી હસલ’ માટે ગાયું હતું. કમનસીબે આ ગીત પાછળથી કાપવામાં આવ્યું અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેમાં લતાજીએ ગાયેલું ગીત નહોતું. ફિલ્મોમાં તેમની ગાયકીની સફર ખરા અર્થમાં ‘પહેલી મંગળાગોર’ (1942) થી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં લતાજીએ ‘નટકી ચગાચી નવલાઈ’ ગીત ગાયું હતું. 1944માં ‘ગજાભાઈ’ એક મરાઠી ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મમાં લતા મંગેશકરે પોતાનું પહેલું હિન્દી ફિલ્મનું ગીત ગાયું હતું. આ ગીતના બોલ હતા- ‘માતા, એક સપુત કી દુનિયા બાદલ દે તુ’.

તેમણે ગાયેલુ પ્રથમ હિન્દી ગીત મરાઠી ફિલ્મ ગજાભાઉ (1943) માટે "માતા એક સપૂત કી દુનિયા બાદલ દે તુ" હતું.

1945માં લતાજી મુંબઇ આવી ગયા. તેણીએ ભીંડીબજાર ઘરાનાના ઉસ્તાદ અમાન અલી ખાન પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાનું શરૂ કર્યું.

ગુલામ હૈદરે લતાને તેનો પહેલો મોટો બ્રેક ફિલ્મ મજબૂર (1948) માં "દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોરા"  ગીત સાથે આપ્યો, જે તેની પ્રથમ મોટી સફળતાવાળી ફિલ્મ બની. લતાજીએ પોતાના 84મા જન્મદિવસે એક ઈન્ટરવ્યુમાં પોતે જાહેર કર્યું હતું કે, "ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર છે. તેઓ એવા પ્રથમ સંગીત દિગ્દર્શક હતા જેમણે મારી પ્રતિભામાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો.

         1963ના રોજ ચીન-ભારત યુદ્ધની પૃષ્ઠભૂમિ સામે લતાજીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની હાજરીમાં દેશભક્તિ ગીત "આય મેરે વતન કે લોગો" ગાયું હતું. આ ગાયન પછી લતા સ્ટેજની પાછળ કૉફી પી રહ્યાં હતાં એવામાં નિર્દેશક મહેબૂબ ખાને આવીને લતાને કહ્યું કે તમને પંડિતજી બોલાવે છે. મહેબૂબે લતાને નહેરુની સમક્ષ લઈ જઈને કહ્યું, "આ રહી આપણી લતા. તમને એનું ગાયન કેવું લાગ્યું?" નહેરુએ કહ્યું, "ખૂબ જ સરસ. આ છોકરીએ મારી આંખો ભીની કરી દીધી." અને તેઓ લતાને ભેટી પડ્યા. તરત જ એ ગાયનની માસ્ટર ટેપને વિવિધભારતી સ્ટેશને પહોંચાડવામાં આવી અને બહુ ઓછા સમયમાં એચએમવીએ એની રેકૉર્ડ બનાવીને બજારમાં મૂકી દીધી.ભારતના. સી. રામચંદ્ર દ્વારા રચિત અને કવિ પ્રદીપ દ્વારા લખાયેલ આ ગીતે વડાપ્રધાનને આંસુ પાડી દીધા હોવાનું કહેવાય છે અને સૌથી પ્રખ્યાત દેશભક્તિ ગીત બની ગયુ.

        માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે, દીકરી તો પારકી થાપણ કહેવાય, વૈષ્ણવ જન તો..,હે કાનુડા તોરી ગોવાલણ, હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે જેવા ગુજરાતી ગીતો પણ તેમણે ગાયા છે.

       લતા મંગેશકરને મળેલ વિવિધ સન્માન અને એવોર્ડ

ભારતરત્ન એવોર્ડ (2001),

પદ્મવિભૂષણ એવોર્ડ(1999),

પદ્મભૂષણ એવોર્ડ(1969),

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર(1989),

મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર(1997),

લીજન ઓફ ઓનર (2006),

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર,

બી.એફ.જે.એ પુરસ્કાર,

શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયન માટે ફિલ્મફેર પુરસ્કાર,

ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ



તેઓ 22 નવેમ્બર 1999 થી 21 નવેમ્બર 2005 સુધીથી રાજ્યસભાના સંસદ સભ્ય પણ રહ્યા હતા.

લતાજીએ ગાયેલા ગીતોની યાદી લાંબી છે, જે નીચે મુજબ છે.

  • 1949 લેટ્સ ફ્લાય ઇન ધ વિન્ડ (વરસાદ)
  • 1958 આજા રે પરદેશી (મધુમતી)
  • 1960 ઓ સજના બરખા બહાર આઈ (પ્રખ)
  • 1961 ઇતના ના મુઝે તુ પ્યાર બાધા (પડછાયો)
  • 1961 અલ્લાહ તેરો નામ (અમે બંને)
  • 1961 જ્યોતિ કલશ ચાલકે (ભાભીની બાંગ્લાદેશ)
  • 1961 એહસાન તેરા હોગા મુઝે પર (જંગલી)
  • 1962 કહીં દીપ જલે કહીં દિલ (વીસ વર્ષ પછી)
  • 1963 વિંગ્સ હદ તો ઉડ આતા રે (સેહરા)
  • 1964 નૈના બરસે રિમઝિમ (કોણ હતું)
  • 1965 અજી રૂથ કે અબ (આરઝૂ)
  • 1965 યે સમા (જબ જબ ફ્લાવર્સ બ્લૂમ)
  • 1965 આજ ફિર કી તમન્ના હૈ (માર્ગદર્શક)
  • 1967 આ જા પિયા તોહે પ્યાર દૂન (સ્પ્રિંગ્સ ઓફ ડ્રીમ્સ)
  • 1968 બાળ મન કે સાચે (બે કળીઓ)
  • 1968 ચંદન સા બદન (સરસ્વતી ચંદ્ર)
  • 1968 તુ કિતના અચ્છા હૈ (ધ કિંગ એન્ડ ધ રંક)
  • 1969 બિંદિયા ચમકેગી (બે રીતે)
  • 1971 દિલબર દિલ સે પ્યારે (કારવાં)
  • 1971 ચલતે ચલતે (પાકીઝાહ)
  • 1973 અબ તો હૈ તુમસે (ગૌરવ)
  • 1989 ડવ જા જા (હું પ્રેમ કરું છું)
  • 1994 માઇ ની માઇ મુંદર પે (હમ આપકે હૈ કૌન)
  • 1998 જિયા જલે જાન જલે (દિલ સે)
  • 2000 હમકો હમેં સે ચૂરા લો (પ્રેમ)

આ થોડાં જ ગીતો છે, ખાસ કરીને SD બર્મન અને RD બર્મનના સંગીત નિર્દેશનમાં ગાયેલા લતાજીના સુપરહિટ ગીતો આજે પણ લોકોના મોઢે છે. લતાજીએ શંકર જયકિશન, સલિલ ચૌધરી, નૌશાદ અને ઘણા બધા સહિત ઘણા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું.

લતા મંગેશકરના આવા ગીતોની યાદી માટે અહી ક્લિક કરો.

           92 વર્ષની વયે 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કોરોના અને ન્યુમોનિયાથી સંક્રમિત હતા. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે તેઓ આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા. 

36 જેટલી ભાષાઓમા 25000 હજારથી વધુ ગીત ગાનાર સુર સમાજ્ઞીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ........


01 February, 2022

ભારતીય તટરક્ષક દિવસ (Indian Coast Guard Day)

 ભારતીય તટરક્ષક દિવસ 

Indian Coast Guard Day

1 ફેબ્રુઆરી


સ્થપના: 1 ફેબ્રુઆરી 1977

મુખ્યાલય: નવી દિલ્હી

ધ્યેય વાક્ય (સૂત્ર): वयम् रक्षामः ( We Protect)

કાર્ય: ભારતીય દરીયાઇ સીમાની રક્ષા કરવી


લોગો


ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતમાં લગભગ સાત હજાર પાંચસો કિલોમીટરની દરિયાઈ સરહદોની સુરક્ષા અને રાહત અને બચાવ કાર્ય માટે જવાબદાર છે. ભારતની સમુદ્ર સીમાઓની રક્ષા કરનાર કોસ્ટ ગાર્ડ જવાનોને કારણે આજે આપણે સુરક્ષિત છીએ એવા ભારતીય તટરક્ષક દળનો આજે સ્થાપના દિવસ છે. 01 ફેબ્રુઆરી 1977ના રોજ ભારતમાં દરિયામાં ભારતના રાષ્ટ્રીય અધિકારક્ષેત્રની અંદર એક નવી સેવા તરીકે કોસ્ટ ગાર્ડનો ઉદભવ થયો, જે રાષ્ટ્રીય કાયદાનો અમલ કરવા અને જીવન અને સંપત્તિની સલામતીને સુનિશ્ચિત કરે છે.  એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નૌકાદળની સ્થાપના કરવી જોઈએ. તેના યુદ્ધ સમયના કાર્યોને બાજુ પર રાખો અને કાયદાના અમલીકરણની જવાબદારી માટે એક અલગ સેવા ઉભી કરવી જોઈએ, જે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઈટેડ સ્ટેટ્સ વગેરે જેવા સંપૂર્ણ સજ્જ અને વિકસિત રાષ્ટ્રના કોસ્ટ ગાર્ડ પર આધારિત હતી. આથી ભારતીય કોસ્ટ ગાર્ડનું ઔપચારિક ઉદ્ઘાટન 18 ઓગસ્ટ 1978ના રોજ કોસ્ટ ગાર્ડ એક્ટ, 1978 હેઠળ ભારતની સંસદ દ્વારા સંઘના સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે કરવામાં આવ્યું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડનું કાર્ય નીચે મુજબ છે -ખનીજ તેલ, માછલી અને ખનિજક્ષેત્ર સહિત આપણા સમુદ્રો અને સમુદ્ર તટોનું રક્ષણ કરવુ, મુશ્કેલીમાં નાવિકોને મદદ કરવી,  દરિયાઇ જીવન અને સંપત્તિનું રક્ષણ કરવું: સમુદ્ર, શિપિંગ, અનધિકૃત માછીમારી, દાણચોરી અને નાર્કોટિક્સ સંબંધિત દરિયાઇ કાયદાઓનો અમલ કરવો, દરિયાઇ પર્યાવરણ અને ઇકોલોજીની જાળવણી અને દુર્લભ પ્રજાતિઓનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવો અને યુદ્ધ દરમિયાન નૌકાદળને મદદ કરવી.

ભારતીય કોસ્ટ ગાર્ડનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તે પાંચ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે: (1)પશ્ચિમ ઝોન - પ્રાદેશિક મુખ્યાલય: મુંબઈ (2) પૂર્વીય ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્યાલય : ચેન્નાઈ (3) ઉત્તર પૂર્વીય ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્યાલય : કોલકાતા (4) આંદામાન અને નિકોબાર પ્રદેશ - પ્રાદેશિક મુખ્ય મથક: પોર્ટ બ્લેર (5)ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર - પ્રાદેશિક મુખ્ય મથક: ગાંધીનગર, (ગુજરાત)

ભારતીય તટ રક્ષક દળ એ વિશ્વનુ ચોથા નંબરનું સૌથી મોટુ તટ રક્ષક દળ છે. ભારતીય તટ રક્ષક દળના હાલના મહાનિયામક જનરલ વિરેન્દ્રસિંહ પઠાનિયા અને ઉપનિયામક વી.એસ.આર મુરથી છે. ભારતીય તટરક્ષક દળ પાસે હાલમા 20000થી વધુ સૈનિકો, 157 જહાજ (જેમા સમુદ્ર, સમર્થ સંકલ્પ, સમર, વિક્રમ..વગેરે ) અને 67 એરક્રાફ્ટ (ધ્રુવ અને ચેતક જેવા હેલિકોપ્ટર, ડોર્નિયર જેવા વિમાન), 18 હોવરક્રાફ્ટ ભારતીય તટરક્ષક દળ પાસે છે. 

                               ઓફિસિયલ વેસાઇટ: http://www.indiancoastguard.gov.in



04 August, 2021

મોરારજી દેસાઇ

 મોરારજી દેસાઇ

(સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન)



જન્મતારીખ: 29 ફેબ્રુઆરી 1896

જન્મસ્થળ: ભદેલી, વલસાડ, ગુજરાત

પિતાનું નામ:રણછોડજી

માતાનું નામ: મણીબેન

અવશાન: 10 એપ્રિલ 1995 (મુંબઇ)


મોરારજી દેસાઈ નો જન્મ વર્ષ 1896 ની 29 મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાનાં નાનકડા ગામ ભદેલી મા થયો હતો .

તેમના પિતા રણછોડજી દેસાઈ ભાવનગરમાં એક શાળાના શિક્ષક હતા.

અંગ્રેજી કેલેન્ડર મુજબ મોરારજી દેસાઈનો જન્મદિવસ લિપ ઇયર એટલે દર વર્ષે નહી પરંતુ દર 4 વર્ષે આવે છે. 

મોરારજીએ તેમનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રની 'ધ કુંડલા સ્કૂલ' માં લીધું અને બાદમાં વલસાડની બાઈ અવા હાઈસ્કૂલમાં જોડાયા. મુંબઈની વિલ્સન કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેઓ ગુજરાત સિવિલ સર્વિસમાં જોડાયા. તેમના પર 1927-28 દરમિયાન ગોધરા રમખાણોમાં પક્ષપાતનો આરોપ હતો, જેના પરિણામે તેમણે 1930 માં ગોધરાના નાયબ કલેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.

 ભદેલી  ગામમાં આજે પણ મોરારજી દેસાઈની નિશાળ અને જન્મ સ્થળ મકાન હયાત છે.

મોરારજી દેસાઈ ના સિદ્ધાંતો  અને મુલ્યો આજની પેઢી સમજે તે માટે ગામના ચોરે તેમની પ્રતિમા સ્થાપિત કરાઈ  છે.

ભદેલી  ગામમાં આવેલ પ્રાથમિક શાળા આજે ઐતિહાસિક વારશો ધરાવે છે ,આજે પણ એ જગ્યા મોજુદ છે જ્યાં બેસી  મોરારજી દેસાઈ એ નાનપણમાં શિક્ષણ લીધું હતું.

દેશના એવા પહેલા રાજકારણી હતા જેમણે  રાજકારણ માં રહેવા  સિદ્ધાંતો અને મુલ્યો  છોડ્યા નહોતા

મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈમહારાષ્ટ્ર થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.

૨૨માર્ચ ૧૯૫૮થી તેમણે નાણા મંત્રાલયનો હવાલો સંભાળયો હતો.  ઇન્દિરા ગાંધીના પ્રધાન મંડળમાં ૧૯૬૭માં તેમણે નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રાલયના પ્રભારી તરીકે ફરજ બજાવી હતી

દેશ ના નાણા પ્રધાન રહી ચૂકેલા મોરારજી દેસાઈ ની સરકાર ના કાર્યકાળ મા મોંઘવારી નું નામ ના હતુ.કહેવાય છે કે મોરારજી દેસાઈના કાર્યકાળમા પગરખાં એટલે કે જૂત્તાના બદલે ખાંડ મલતી હતી આ વાત પરથી જ મોરારજી દેસાઈ ના સમય ની સોંઘવારી ને આજે પણ લોકો યાદ કરે છે અને એથી જ બજેટ ના માહોલમાં પણ મોરારજી દેસાઈ ના બજેટને યાદ કરવું ઘટે.તેઓ એ  દેશ ને  આદર્શ બજેટ  આપી દેશ ના વિકાસ ને  દિશા આપી હતી

મોરારજીની સાદગી, કડક સ્વભાવ અને તેમના સ્વમૂત્રના પ્રયોગો સિવાય પણ તેમના જીવનના અનેક રસપ્રદ કિસ્સા બન્યા છે.

મહાત્માગાંધી દ્વારા ભારતમાં ૧૯૩૦માં આઝાદીની લડત શરૃ થઇ હતી ત્યારે મોરારજીભાઇ દેસાઇએ બ્રિટીશ ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ ગુમાવયો હતો. જેથી તેમણે સરકારી નોકરી છોડીને દેશની સ્વતંત્ર્તાની લડતમાં જોડાયા હતાં. તેમણે આઝાદી લડતમાં ૨ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતાં. તેઓ ૧૯૩૧માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં સભ્ય બન્યા હતાં.

1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.


તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતાં હસતાં કહેલું, "હા, હું રાઇટિસ્ટ છું, કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."

1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા.

આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી

રાજકીય જીવન

ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે "મહાગુજરાત આંદોલન" શરૂ કર્યું. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ. ઇચ્છા વિરુદ્ધ દ્વિભાષીય રાજ્ય રચનાથી વિક્ષપ્ત મોરારજીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. યશવન્તરાવ ચવ્હાણે મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળતા ૧૪મી નવેમ્બર ૧૯૫૬માં તેઓ જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં વેપારઉદ્યોગ ખાતના પ્રધાન તરીકે જોડાયાં. ૧૯૫૮માં મુંદડા-પ્રકરણને કારણે ટી. ટી. કૃષ્ણમાચારીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપતાં માર્ચ મહિનામાં નાણાખાતાનો પદભાર સંભાળ્યો. લાંબી મુદ્દતની લોનોનું આયોજન, સુવર્ણનિયંત્રણ યોજના, ફરજીયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ, પરદેશી આર્થિક મદદની શરતોમાં હળવાશ વગેરે તેમનાં નાણાંપ્રધાન તરીકેનાં અગત્યના નિર્ણયો રહ્યાં. ૧૯૬૭ની ચૂંટણી મોરારજીભાઇ નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. પરંતુ પાર્લામેન્ટરી બૉર્ડના પ્રમુખની ઉમેદવારની પસંદગીના નિર્ણયના વિરોધમાં નારાજ મોરારજીએ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું. ડિસેમ્બર ૧૯૬૯માં ગાંધીનગર ખાતેના અધિવેશનમાં સંસ્થા કૉંગ્રેસ (કૉંગ્રેસ ઓ)ની સ્થાપનાના મુખ્ય સૂત્રધાર રહ્યાં.


16 જાન્યુઆરી 1978 ના રોજ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1000, 5000 અને 10,000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા એટલી મોટી નહોતી.


વર્ષ 1991 માં તેમને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


 19 મે 1990 ના રોજ, ભારતના વડાપ્રધાન તરીકે તેમને પાકિસ્તાન સરકાર દ્વારા નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

 

સામાજીક સેવા

મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી સસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.


લેખન

'ઇન માય વ્યૂ' તેમની આત્મકથા છે. જેનો ગુજરાતી અનુવાદ 'મારું જીવનવૃત્તાંત' નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેટલીક માહિતી પુસ્તિકાઓ જેવી કે, 'પોલીસ પ્રજાનો મિત્ર બની રહે' (મુંબઈ સરકાર, ૧૯૫૨), 'કરવેરા શા માટે ?'(પરિચય, ૧૯૬૨), 'લોકશાહી સમાજવાદ' (પરિચય, ૧૯૬૮), ' સડા વિનાનો વહિવટ' (પરિચય, ૧૯૭૩), 'કાયદાથી કોઈ પર નથી' (ગુજરાત સરકાર, ૧૯૭૯) વગેરે મુખ્ય છે.


નિવૃત્તિ અને મૃત્યુ

રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્ર પરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. 

૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે

10 એપ્રિલ 1996 ના રોજ ભારત સરકાર દ્વારા મોરારજી દેસાઈની પુણ્યતિથિ પર એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.




29 July, 2021

ઇન્દુલાલ યાજ્ઞિક

 ઇન્દુલાલ યાજ્ઞિક

(મહાગુજરાત આંદોલનના સેનાની)



જન્મતારીખ: 22 ફેબ્રુઆરી 1892

જન્મસ્થળ; નડીયાદ, ગુજરાત

પિતાનું નામ: કનૈયાલાલ

અવશાન: 17 જુલાઇ 1972 (અમદાવાદ)

ઉપનામ: ઇન્દુચાચા, પામદત્ત

 ઈન્દુ ચાચા દેશના એવા પહેલા નેતા હતા જેઓએ ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતા બિન કોંગ્રેસવાદને સૌથી પહેલી હાકલ કરી હતી. ગુજરાતના તેઓ એક માત્ર એવા નેતા હતા કે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી.  પક્ષ, સંસ્થા અને સંગઠનમાં સમાઈ ન શકે તેવા ઈન્દુલાલ યાજ્ઞિકને એક જનનેતા તરીકે જાણવાનો.

 ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, 'પામદત્ત', (ઈન્દુચાચા) એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર, રાજકારણી, લેખક,સંપાદક અને ચલચિત્ર નિર્માતા હતા. 

તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. 

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. 

તેઓ ૧૯૦૬માં મેટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. 

તેમણે ૧૯૧૩થી ૧૯૧પ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન 'હિંદુસ્તાન' દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.

તેમણે મુંબઈમાં "યંગ ઇન્ડિયા" તથા "નવજીવન" અને ત્યાર પછી વર્ષ ૧૯૧૯માં ગાંધીજી ને સોંપી દીધું હતું.



૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. 

'નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં 'યુગધર્મ'ની શરૂઆત પણ કરી હતી. 

દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. 'પાવાગઢનું પતન' ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.

બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. 

૧૯૩૦થી ૧૯૩પ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 



૯૪૨માં 'નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા હતા.


બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. 

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. 

રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઈન્દુલાલ યાજ્ઞિક હતા.

ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા. 

તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. 

2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી

૧૭ જુલાઈ, ૧૯૭રએ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું 

નહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા બગીચામાં તેમની પ્રતિમા મુકવામાં આવેલ છે.



તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યા હતા તેઓની આત્મકથા ૬ ભાગમાં વહેંચાયેલી છે જેનો છ્ઠ્ઠો ભાગ ધનવંત ઓઝા એ પૂરો કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા લખાયેલા પુસ્તકો ::-

  • 📗સત્યાગ્રહ નિષ્ફળ અને નકામો શસ્ત્ર
  • 📗શહીદ નો સંદેશ
  • 📗બંગભંગ
  • 📗કિસાન કથા
  • 📗ગામડાનું સ્વરાજ્ય
  • નાટકોઃ – આશા-નિરાશા(૧૯૩૨), રણસંગ્રામ(૧૯૩૮), શોભારામનીસરધરી(૧૯૩૮)

     અક્કલના દુશ્મન(૧૯૫૪), ભોળા શેઠનું ભૂદાન(૧૯૫૪),

    પ્રણયકથાઃ – માયા(૧૯૬૫)

    અન્યગ્રંથોઃ – મહાત્મા ગાંધીજીનાં સહવાસમાં(૧૯૩૩-૩૪),

     સત્યાગ્રહ નિષ્ફળ અને નકામું શસ્ત્ર(૧૯૬૩), ચરોદાઆશ્રમ(૧૯૫૨)

    વાર્તાઃ – કુમારનાં સ્ત્રીરત્નો(૧૯૨૬)

    પરિચય પુસ્તકોઃ –  શહીદનો સંદેશ(૧૯૩૬), નાગપુરા મહાસભા(૧૯૨૧), ગામડાનું સ્વરાજ(૧૯૩૩), કિસાનનું જાહેરનામું (૧૯૩૭), સ્વદેશી શામાટે?

ઇન્દુલાલ યાજ્ઞિકને મળેલા પુરસ્કારો

🏆 ૧૯૫૪ મા નર્મદ સુવર્ણ ચંદ્રક નર્મદ સહિતા સભા સુરત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

🏆 ભારતીય ટપાલ દ્વારા તેમના સન્માનમાં વર્ષ ૧૯૯૯માં સ્વતંત્ર સેનાનીઓ અને સમાજસુધારક શ્રેણી અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી


પદ લાલસાથી પર એવા રાજનેતા, જનનેતામાં ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ મુકવું જ પડે. મહાગુજરાત આંદોલનના મહાનાયક તરીકે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પહોંચી શકે તેમ હતા. પરંતુ તેમને પદમાં નહીં.. પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઈન્દુચાચાનું ગુજરાતની જનતા પર ઘણું મોટું ઋણ છે.