મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સમાજ સુધારક. Show all posts
Showing posts with label સમાજ સુધારક. Show all posts

06 August, 2021

રવિન્દ્રનાથ ટાગોર

 રવિન્દ્રનાથ ટાગોર




જન્મતારીખ: 7 મે 1861

               (બંગાળી કેલેન્ડર મુજબ પોચીસે(25મી) બૈશાખ 1268)

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: દેવેન્દ્રનાથ ટાગોર

માતાનું નામ: શારદાદેવી

અવશાન: 7 ઓગસ્ટ 1941 (કલકત્તા)

ઉપનામ:  જમીનદારબાબુ, ગુરુદેવ, રવિન્દ્રનાથ ઠાકુર

7 મે 1861માં કોલકાતાના જોરાસકો હવેલીમાં  એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ મળ્યું રવીન્દ્ર પાડવામાં આવ્યુ જેને આગળ જઈને જેણે દુનિયાના ખ્યાતનામ સાહિત્યકાર, કવિ અને મહાન વ્યક્તિત્વ તરીકે નામના મેળવી.

કોલકાતાના એક શ્રીમંત બંગાળી પરિવારમાં જન્મેલા રવીન્દ્રનાથને નાનપણથી જ લેખન અને સાહિત્ય સાથે પ્રેમ થઈ ગયો હતો. 

રવિન્દ્રનાથ ટાગોરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું.

રવિન્દ્રનાથ ટાગોર કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. 

યજ્ઞોપવીત (જનોઈ) દીધા બાદ ૧૧ વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૩ના રોજ ભારતભ્રમણ કરવા માટે કોલકાત્તાથી નિકળી પડ્યા હતા. આ દરમિયાન તેઓ કૌટુંબિક જાગીર એવા શાંતિનિકેતન એસ્ટેટ અને અમ્રતસરની મુલાકાત લઈને હિમાલયના ગિરિમથક એવા ડેલહાઉસી પહોંચ્યા. ત્યાં ટોગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન સંસ્કૃતની ઉત્કૃષ્ટ કવિતા કાલિદાસનું ઊંડું અધ્યયન કર્યું


૧૮૭૭મા ,તેમણે ઘણું બધું લખ્યું જે પૈકીની એક હતી અત્યંત લાંબી મૈથિલી શૈલિમાં વિદ્યાપતિ (મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ)ની ઢબે લખેલી કવિતા, જેને માટે તેઓ રમૂજમાં એમ કહેતા હતા કે તે વૈષ્ણવ કવિ ભાનુસિંહાની ૧૭મી સદીમાં ખોવાયેલી કૃતિ હતી. તેમણે "ભીખારીની" (1877; " ધ બેગર વુમન"—બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા)  અને સાંધ્ય સંગીત લખી. (૧૮૮૨) —જેમાં પ્રખ્યાત કવિતા "નિરજેરેર સ્વપ્નભંગ"નો સમાવેશ થતો હતો.

1878 થી 1932 દરમિયાન તેમણે પાંચ ખંડોના 13 દેશોની મુલાકાત લીધી હતી

 રવીન્દ્રનાથ ટાગોરના પિતા ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી તેમણે ટાગોરને ૧૮૭૮માં ઈંગ્લેનડનાં બ્રાઈટનની પબ્લિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો પરંતુ ડીગ્રી લીધા વગર તેઓ ૧૮૮૦માં બંગાળ પરત ફર્યા.

 ૯ ડિસેમ્બર ૧૮૮૩માં તેમના લગ્ન મૃણાલિની દેવી  સાથે થયા  તે સમયે મૃણાલિની દેવી માત્ર 10 વર્ષ ના હતા. જેમનાથી તેમને પાંચ સંતાનો થયા. તેમાંથી બે પુખ્ત થાય તે પહેલા જ મૃત્યુ પામ્યા. તે જ સમયે, 1902 માં, રવિન્દ્રનાથ ટાગોરની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું.

 1890માં તેમની પરિવારની મિલકત એવા શિલાએદહ પહોંચ્યા, જે હાલમાં બાંગલાદેશમાં છે. તેમની સાથે તેમના પત્નિ અને બાળકો પણ ૧૮૯૮માં જોડાયા હતા.

 "જમીનદારબાબુ"તરીકે જાણીતા ટાગોર તેમની વિશાળ જગ્યામાં ફેલાયેલી એસ્ટેટની મુલાકાત લેતા હતા તેઓ પોતાના વૈભવશાળી નિવાસ્થાન પદમ માં પણ રહેતા ન હતા. તેઓ ભાડૂં ઉઘરાવવા(મોટાભાગે નજીવું) માટે ફરતા અને ગ્રામવાસીઓને આશીર્વાદ આપતા. જેના બદલામાં ગામલોકો ભોજન સમારંભ રાખતા 

 આ વર્ષો ટાગોરની સાધના ના વર્ષો હતા 

આ સમય દરમિયાન તેમની ત્રણ ભાગમાં લખાયેલી વાર્તાની અડધી વાર્તાઓ અંહી લખાઈ તેમજ 84 જેટલી ગાલપાગુચ્ચા વાર્તાઓ અહીં લખાઈ આ વાર્તાઓમાં બંગાળની જીવનશૈલી અને તેમાં પણ ગ્રામ્ય જીવનનું સુંદર નિરુપણ હતું.

1901માં ટાગોરે શિલાએદહ છોડી દીધું અને શાંતિનિકેતન (પશ્ચિમ બંગાળ) આવી પહોંચ્યા  જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી જેમાં આરસપહાણનો પ્રાર્થના ખંડ , એક શાળા, વૃક્ષો, બગીચો, પુસ્તકાલયનો સમાવેશ થતો હતો..

અહીં જ ટાગોરની પત્ની અને તેમના બે બાળકોના મૃત્યુ થયા હતા. તેમના પિતાનું અવસાન 19 જાન્યુઆરી 1905ના રોજ થયું હતું. 

 આ સમય દરમિયાન તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા જેથી મોટાપ્રમાણમાં બંગાળી અને વિદેશી વાચકો તેમના અનુયાયીઓ બની ગયા હતા. 

તેમણે નૈવિધ્ય (1901) અને ખેયા (1906) પ્રસિદ્ધ કર્યું ઉપરાંત તેમણે પોતાની કવિતાઓને મુક્ત ટૂકી કવિતામાં ભાષાંતર પણ કર્યું. 

14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને  સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું. 

નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અને પ્રથમ એશિયાઇ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર હતા.

1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટ (સર’ )નો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.

1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.) આ સંસ્થા શાંતિનિકેતન આશ્રમની નજીક સુરુલ ગામ નજીક આવેલી છે. 

ગાંધીજીની સ્વરાજ ની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી હતી.  તેમણે વિદ્વાન, દાનવીરો અને વિવિધ દેશોના લોકોની નિમણૂક ગામના નિરિક્ષર લોકોને ભણાવવા માટે કરી.

1930ના દાયકામાં તેઓ ભારતની જાતિ આધારિત વ્યવસ્થા અને અછૂત જેવી સમસ્યાઓથી ચિંતત થયા હતા. તેમણે પોતાના નિબંધો, કવિતાઓ અને નાટકોમાં અછૂતને નાયક બનાવ્યો હતો અને ગુરુવાયોર મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાની વિનંતી કરી હતી

15 જાન્યુઆરી 1934ના રોજ બિહાર જિલ્લામાં આવેલા ભૂકંપને ગાંધીજીએ દલિત પ્રત્યે થયેલા ખરાબ વ્યવહારનો દિવ્ય પ્રતિશોધ ગણાવ્યો હતો. જેની ટાગોરે ટીકા કરી હતી.

 બંગાળની આર્થિક અસમાનતાને લઈને પણ તેઓ ચિંતિત હતા. તેમણે 100 પંક્તિઓની એક કવિતા પણ લખી હતી. આ વાત જાણીતા ફિલ્મકાર સત્યજીત રેએ તેમની ફિલ્મ અપૂર સંસાર માં વણી લીધી હતી.

ટાગોરે પોતાની કવિતાઓ, નિબંધોનું કામ 15 ખંડમાં ભેગૂં કર્યું હતું. જેમાં પુનાશાચા (1932), શિશ સપ્તક (1935), અને પાત્રાપૂટ નો સમાવેશ થાય છે.(1936). 

તેમણે ગધ ગીતની શૈલી અને નૃત્ય નાટક વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા હતા. જેમાં ચિંત્રાંગદા (1914), શ્યામા (1939),અને ચાંડલિકા (1938),નો સમાવેશ થતો હતો. 

તેમણે દુઈ બોન (1933), મલાંચા (1934), અને ચાર અધ્યાય નામની નવલકથાઓ પણ લખી. (1934). 

છેલ્લા વર્ષોમાં ટાગોરે વિજ્ઞાનમાં પણ રસ લીધો અને 1937 વિશ્વ પરિચય નામનું પૂસ્તક લખ્યું. તેમણે જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્રને પોતાની કવિતાઓમાં સમાવી લીધું. આ કવિતાઓમાં પ્રકૃતિની અસીમ તાકાતનું નિરુપણ રહેતું હતું. તેમણે વિજ્ઞાનની પ્રક્રિયા પણ પોતાની કેટલીક વાર્તાઓ સી (1937), ટીન સાંગાઈ (1940), અને ગાલપોસાલ્પા જેવા ગ્રંથોમાં સમાવી હતી(1941).

પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. 

ટાગોરના છેલ્લા ચાર વર્ષે ભારે દુઃખમાં વિત્યા હતા. છેલ્લા બે વર્ષ તો તેઓ સખ્ત બિમાર હતા. 1937માં પહેલો બેશુદ્ધ થવા લાગ્યા હતા. તેઓ જીવનના અંત સમયે પણ બેશુદ્ધ અવસ્થામાં જ હતા. 

1940 બાદ બીજા ત્રણ વર્ષો દરમિયાન બેશુદ્ધીની બિમારી જોર કરી ગઈ. આ બિમારીથી તેઓ કોઈ દિવસ બહાર આવી શક્યા નહીં. આ વર્ષોમાં તેમણે લખેલી કવિતાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓ છે.


ગંભીર બિમારી બાદ 80 વર્ષની વયે ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ  જ્યાં તેઓ મોટા થયા હતા ત્યાં તેઓ જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા.

 બંગાળી જગતમાં તેમની મૃત્યુ તીથી ના દિવસે લાખો લોકો મૌન રાખે છે.


ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.

તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. 

ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. 

તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

 ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

ટાગોરની કવિતાઓને વિવિધ કંપોઝરો દ્વારા તાલબદ્ધ કરવામાં આવી છે. તેમાંની કંપોઝર આર્થર શેફર્ડની ઊંચા અવાજવાળી તંતુવાદ્ય ધરાવતી ચાર ગાયકોની જોડીની તખ્તી તેમજ કંપોઝર ગેરી શિમેનની "પ્રાણ," તે ટાગોરની કવિતા "સ્ટ્રીમ ઓફ લાઇફ" ગીતાંજલિમાંથી લેવામાં આવી છે.ત્યાર બાદમાં તેને સ્થાનિક પલબાષા સિદ્દીકી દ્વારા કંપોઝ અને રેકોર્ડ કરવામાં આવી હતી. આ માટે તેમણે ઈન્ટરનેટ સેલિબ્રિટી મેટ્ટ હાર્ટિંગનો વાઈરલ વિડિયો માટે સાથ લીધો હતો

ટાગોરના રાજકીય વિચારો જટીલ હતા. તેમણે યુરોપીયન સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો હતો અને ભારતીય રાષ્ટ્રવાદીઓને ટેકો આપ્યો હતો

ટાગોરે ભારતીય સ્વતંત્રતા ચળવળના ગુણગાન ગાતા ગીતો લખ્યા હતા અને 1919ના જલીયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં પોતાનો ખિતાબનો ત્યાગ કર્યો હતો.

રાજકારણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વની એવી ટાગોરની બે કૃતિઓ, ચિત્તો જેથા ભયશુન્યો (ભય વગરનું ચિત્ત) અને એકલા ચાલો રે (જો તેઓ ઇશ્વરની હાકલ જવાબ ન આપે તો એકલો જાને રે) ભારે લોકપ્રિય થઇ હતી. 

એકલા ચાલો રેની ગાંધીજીએ પણ તરફેણ કરી હતી.ગાંધીજી સાથે તેમના સંબંધ તોફાની હતા તેમ છતાં ટાગોરે ગાંધી-આંબેડકર વિવાદને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં અછૂત માટે અલગ મતદાનની માંગ કરવામાં આવી હતી અને ગાંધીની આમરણાંત ઉપવાસ પર બેઠા હતા

 રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું છે. ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” છે જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર સોનાર” છે.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી ઘણી રચનાઓ જેમ કે ગીતાંજલિ, ગીતાલી, ગીતીમાલ્યા, શિશુ ભોલાનાથ, ઘીયા વગેરે પણ અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ છે.

ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ મહાત્મા તરીકે બોલાવ્યા હતા. જે પછી ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યા.

રવીન્દ્રનાથ ટાગોર ત્રણ વખત પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા અને એવું કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.

રવિન્દ્ર નાથ ટાગોરે વર્ષ 1919 માં ‘કલા ભવન’ ની સ્થાપના કરી હતી જે 1921 માં સ્થપાયેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની હતી.

ટાગોરે 11 ઓક્ટોબર 1917ના રોજ જ્યારે કેલિફોર્નિયાના સાંતા બાર્બરાની મુલાકાત લીધી હતી ત્યારે તેમને નવા પ્રકારની યુનિવર્સિટીનો વિચાર આવ્યો હતો અને તેમના આશ્રમ શાંતિનિકેતનને વિશ્વ સાથે જોડતા સેતુ તરીકે વિકસાવવાની ઇચ્છા થઇ હતી. તેઓ શાંતિનિકેતનને રાષ્ટ્રીય અને ભૌગોલિક મર્યાદાઓથી પર  અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છતા હતા.તેમણે શરૂ કરેલી વિશ્વ ભારતી નામની શાળાનો શિલાન્યાસ 22 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો બાદમાં તેનું 22 ડિસેમ્બર 1921ના રોજ ઉદઘાટન થયું હતું, અહીં ટાગોરે બ્રહ્મચર્ય પ્રકારની શિક્ષણશૈલી અપનાવી હતી, ટાગોરે શાળા અને સ્ટાફ માટે ભંડોળ ઉભું કરવા સખત મહેનત કરી હતી. તેમણે તે તેમના નોબલ પારિતોષના તમામ પૈસામાં પણ તેમાં ખર્ચી નાંખ્યા હતા

7 મે 2009ના રોજ Google  એ ટાગોર પર ગૂગલ ડૂડલ દર્શાવ્યું હતું જે તેમની 148મી જન્મજયંતિ હતી


બંગાળી કેલેન્ડર જોવા માટે અહી ક્લિક કરો.

22 May, 2021

રાજા રામમોહન રાય (Raja RamMohan Roy)

 રાજા રામમોહન રાય

(બ્રહ્મોસમાજના સ્થાપક)

આધુનિક ભારતના નિર્માતા- ભારતીય પુનર્જાગરણના પિતા



જન્મતારીખ: 22 મે  1772

જન્મસ્થળ; રાધાનગર, હુગલી જિલ્લો, પશ્ચિમ બંગાળ

અવશાન: 27સપ્ટેમ્બર 1833


રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા

રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨ મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા.

તેમના મોટા ભાઇનું અવસાન થતાં તેમનાં ભાભી સતી થયાં. આ ઘટનાએ રાજા રામ મોહનરાયના મન પર ઊંડી અસર કરી. તેમણે સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, દીકરીને જન્મતાંવેંત દૂધ પાઇને મારી નાખવાનો રિવાજ વગેરે સામાજિક સૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યાં

રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.

રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. 

15 વર્ષની ઉંમરે, તેમણે બાંગ્લા, પારસી, અરબી અને સંસ્કૃત શીખ્યા હતા, તે કેટલો હોશિયાર હતા એ આના પરથી અંદાજ લગાવી શકાય છે.

 એકેશ્વરવાદના પ્રબળ સમર્થક, રાજ રામ મોહન રોયે બાળપણથી જ રૂઢિચુસ્ત હિન્દુ વિધિ અને મૂર્તિપૂજા છોડી દીધી હતી. જ્યારે તેમના પિતા રામકાંત રાય કટ્ટર હિન્દુ બ્રાહ્મણ હતા.

ત્યારબાદ તેઓ મદ્રાસના પટનામાં અરબી અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ (કાશી) મોકલવામાં આવ્યા

ફારસી અને અરબી ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવવાદના અભ્યાસથી તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ પોતાનો પહેલો ગ્રંથ લખી રહ્યા હતા. તે સમયે તેઓ સારી રીતે અંગ્રેજી બોલી કે લખી શકતા ન હતા કે કદાચ સમજી પણ શકતા નહીં.

રાજા રામમોહન મૂર્તિપૂજા અને રૂઢિચુસ્ત હિન્દુ પરંપરાઓ વિરુદ્ધ  હતા, તેઓ તમામ પ્રકારના સામાજિક ધર્માધતા અને અંધશ્રદ્ધાના વિરોધમાં હતા. પરંતુ તેમના પિતા એક રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ હતા.    આથી નાની ઉંમરે, રાજા રામ મોહને તેમના પિતા સાથે ધર્મના નામે મતભેદ શરૂ  થયો   આટલી નાની ઉંમરે, તે ઘર છોડીને હિમાલય અને તિબેટ પ્રવાસ પર ગયા.


જ્યારે તે પાછા ઘરે આવ્યા  ત્યારે તેમના માતાપિતાએ તેમનામા પરિવર્તન આવશે તે વિચારી લગ્ન કરાવી દીધા છતાં પણ રાજા રામ મોહન રોય ધર્મના નામે ઢોંગને ઉજાગર કરવા માટે હિન્દુ ધર્મની ઉડાણોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તેમણે ઉપનિષદો અને વેદોનો ઉડાણપૂર્વક વાંચ્યા. ત્યારબાદ તેણે પોતાનું પહેલું પુસ્તક 'તુહપત- અલ- મુવાહિદ્દિન' લખ્યું જેમાં તેણે ધર્મની હિમાયત કરી અને તેના રિવાજો અને ધાર્મિક વિધિઓનો વિરોધ કર્યો.


સતીપ્રથા સામે વિરોધ


લગભગ 200 વર્ષ પહેલાં, જ્યારે "સતીપ્રથા" જેવી દુષ્ટતાઓએ સમાજને પકડ્યો હતો, ત્યારે રાજા રામ મોહન રાય જેવા સમાજ સુધારકોએ સમાજમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે "સતી પ્રથા" નો વિરોધ કર્યો હતો, અને વિધવા સ્ત્રીને તેના પતિના અંતિમ સંસ્કાર સાથે દહન કરવાની ફરજ પડતી હતી. તેમણે મહિલાઓ માટે પુરુષોના સમાન અધિકાર માટે અભિયાન ચલાવ્યું. જેમાં તેણે ફરીથી લગ્ન કરવાના અધિકાર અને સંપત્તિની માલિકીના અધિકારની પણ હિમાયત કરી હતી. 20 ઓગસ્ટ 1828 મા રાજા રામ મોહન રોયે "બ્રહ્મ સમાજ" ની સ્થાપના કરી, જે ભારતીય સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળોમાંની એક માનવામાં આવે છે.


તે સમયના સમાજમાં ફેલાયેલી સૌથી ખતરનાક અને અંધશ્રદ્ધાળુ પરંપરાઓમાંની એક, જેમ કે સતી પ્રથા, બાળલગ્ન સામે ઝુંબેશ ચલાવે છે અને તેને સમાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. રાજા રામમોહન રાયે કહ્યું હતું કે કોઈ વેદમાં સતીપ્રથાનો ઉલ્લેખ નથી. જે પછી, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેટિંગની મદદથી, તેમણે સતીની પ્રથા વિરુદ્ધ કાયદો ઘડ્યો. કેટલાક રાજ્યોમાં, તે ગયા અને લોકોને સતી પ્રથાની વિરુદ્ધ જાગૃત કર્યા. તેમણે લોકોની વિચારસરણી અને આ પરંપરા બદલવા માટે ઘણા પ્રયત્નો કર્યા.


ઘણી ભાષાઓ જાણતા રાજા રામ મોહન રોય ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોના સમર્થક હતા. તેઓ માને છે કે ભારતની પ્રગતિ ફક્ત ઉદાર શિક્ષણ દ્વારા જ થશે, જેમાં પશ્ચિમી શિક્ષણ અને  જ્ઞાનની બધી શાખાઓની શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ. ભારતમાં અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરનારા લોકોને તેમણે પૂર્ણ સમર્થન આપ્યું અને તેઓ તેમના પ્રયત્નોમાં સફળ રહ્યા. તેને ધ્યાનમાં રાખીને, તેમણે હિન્દુ કોલેજની સ્થાપનામાં મોટું યોગદાન આપ્યું, જે તે દિવસોમાં સૌથી આધુનિક સંસ્થા હતી.  તેમણે કોલકાતામાં હિંદુ કોલેજ સ્થાપી હતી

રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા.

તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. 

તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. 

બ્રહ્મોસમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. 

બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. 

રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. 

તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, 

ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી.


માનવા માં આવે છે કે તેમના મોટાભાઈ ની પત્ની એટલે કે ભાભીની સાથે નાનપણમાં લગાવ  હતો અને તેમના ભાઈનું મુત્યુ થતાં ભાભીને સતી થતાં જોઈને હ્રદયદ્રવી ઉઠયું અને તેમણે સંકલ્પ કર્યો કે આં કૂપ્રથાને તેઓ નાબૂદ કરીને જ રહેશે


કોલકાતામાં ડેવિડ હાયરની મદદથી હિન્દુ કોલેજની સ્થાપના કરી જે આગળ જતાં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાય.

તેઓ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી હતા બંગાળીમાં “સંવાદ કૌમુદી” અને ફરસીમાં “મિરાત-ઉલ-અખબાર” નામના સમાચારપત્રો ચાલુ કર્યા હતા. ઇ.સં.1814 માં આત્મીય સભા, ઇ.સં.1819માં કોલકાતા એકતાવાદી સભા અને ઇ.સં.1828 માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.

તેમણે સતીપ્રથા વિરુદ્ધ ઝુંંંબેશ ચલાવી અને તેની પર  પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી. પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો.

1829 માં તેમના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદી કાયદો બન્યો.


 આમ, રાજા રામમોહનરાયે ૧૯ મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો. આથી તેમને ભારતના સર્વાંગી સુધારાના “પ્રથમ જ્યોતિર્ધર” ગણવામાં આવે છે.

રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધ્ય સુધારક ગણાય છે. 

નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. 

આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્ત પ્રાપ્ય બન્યાં છે


રાજા રામોહનરાયની આગળ  "રાજા"  લખવામાં આવે છે તે તેમના નામનો ભાગ નથી કે તે કોઈ રજવાડાના રાજા પણ નથી . 

'રાજા' એ શબ્દ તેમને અપાયેલું બિરુદ છે.  દિલ્હીના તત્કાલીન મોગલ શાસક સમ્રાટ અકબર દ્વીતિય  (1806–187) એ તેમને "રાજા"ની પદવીથી સન્માનિત કર્યા હતા.


 દિલ્લીના મુઘલ બાદશાહે તેમના સુધારાના કાર્યોથી ખુશ થઇને  રાજાનો ઇલકાબ આપ્યો હતો અને પોતાના વકીલ તરીકે  જાગીરી હક અંગેના કેસ માટે રાજા રામમોહનરાયને ઇ.સ. ૧૮૩૦ માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. 27 સપ્ટેમ્બર  ૧૮૩૩ મા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું.




ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1964માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


બ્રિસ્ટોલ મુકામે તેમની યાદમાં તેમનું પૂતળું પણ મુકાયું છે



10 May, 2021

ગોપાલ કૃષ્ણ ગોખલે

 ગોપાલ કૃષ્ણ ગોખલે

(મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ)

(સ્વાતંત્ર્ય સેનાની, સુધારક, વિચારક, સમાજ સેવક)





જન્મતારીખ: 9 મે 1866

જન્મસ્થળ: કોટલુક, રત્નાગીરી, મહારાષ્ટ્ર

પિતાનું નામ: કૃષ્ણ રાવ ગોખલે

માતાનું નામ: વાલુબાઇ

અવસાન: 19 ફેબ્રુઆરી 1915

ઉપનામ: મહારાષ્ટ્રનું રત્ન, ગ્લેડસ્ટોન

આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ એવા ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મજયંતિ છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા

ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ બ્રિટીશ ભારતના મુંબઈ પ્રાંત અંતર્ગત રત્નાગિરી જિલ્લાના કોટલુક ગામે ૯ મે ૧૮૬૬ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પરિવારના સભ્યોએ તેમને અંગ્રેજી માધ્યમની શાળામા પ્રવેશ અપાવ્યો જેથી ગોખલે બ્રિટીશ રાજમાં કારકૂન કે સામાન્ય અધિકારી તરીકે નોકરી મેળવી શકે.

તેમણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાં અભ્યાસ કર્યો

વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનારા ભારતીયોની પ્રથમ પેઢી પૈકીના એક તરીકે ગોખલેએ ૧૮૮૪માં એલફીસ્ટન મહાવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવી. 

તેઓએ  પુણેની ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. તો તેમને ફ્રેગસન કોલેજના પ્રિન્સીપાલ થયા હતા જેના તેઓ પોતે જ સ્થાપક હતા.

ગોખલેના ઉચ્ચ શિક્ષણે તેમની ભવિષ્યની કારકિર્દીને ઘણી હદે પ્રભાવિત કરી

અંગ્રેજી શીખવા ઉપરાંત તેઓ પશ્ચિમી રાજનૈતિક વિચારોના સંપર્કમાં આવ્યા તથા જ્‌હોન સ્ટુઅર્ટ મિલ અને એડમંડ બર્ક જેવા સિદ્ધાંતકારોના પ્રશસંક બન્યા

ભારતીય સ્વતંત્રતા ચળવળના ઉદારવાદી રાજનેતા અને સમાજ સુધારક હતા.

તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી’ના સ્થાપક હતા

ગોખલે ૧૮૮૯માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા.

 બાલ ગંગાધર તિલકદાદાભાઈ નવરોજીબિપિનચંદ્ર પાલલાલા લાજપતરાયએની બેસન્ટ જેવા સમકાલીન નેતાઓની સાથે ગોખલે પણ સામાન્ય ભારતીયો માટે સાર્વજનિક વિષયો પર વધુ રાજનૈતિક પ્રતિનિધિત્ત્વ અને શક્તિ પ્રાપ્ત કરવા માટે દશકો સુધી સંઘર્ષરત રહ્યા

ગોખલે અને તિલક બન્ને ૨૦મી સદીના શરૂઆતના પ્રથમ કક્ષાના રાજનેતાઓ હતા પરંતુ તેમની વિચારધારાઓમાં મતભેદ રહ્યા. ગોખલે ઉદારવાદી મત ધરાવતા હતા જ્યારે તિલક કટ્ટરપંથી વિચાર ધરાવતા હતા

 ગોખલેના મતે સ્વશાસન મેળવવાનો સાચો રસ્તો સંવૈધાનિક સાધનોનો ઉપયોગ કરી બ્રિટીશ શાસનનો સહયોગ કરવાનો હતો જ્યારે તેનાથી વિપરિત તિલકનો મત વિરોધ, બહિષ્કાર અને આંદોલનનો હતો

૧૯૦૭ના સુરત અધિવેશનમાં નરમપંથી (મવાલપક્ષ) અને ચરમપંથી (જહાલપક્ષ) વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા જેની દેશના રાજનૈતિક ઘટનાક્રમ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડી. 

બન્ને પક્ષો રાજકીય મતભેદોના પગલે કોંગ્રેસના સંગઠન પર કબજો જમાવવાની લડાઈ લડતા રહ્યા. 

તિલક લાલા લજપતરાયને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાના પક્ષધર હતા પરંતુ ગોખલે રાસ બિહારી ઘોષને અધ્યક્ષ બનાવવા ઇચ્છતા હતા. સમાધાનની કોઈ શક્યતા ન હતી. 

તિલકને નવા અધ્યક્ષની પસંદગીના સમર્થનમાં પ્રસ્તાવ સંશોધનની મંજૂરી ન આપવામાં આવી. સંમેલન સ્થળ પર ખુરશીઓ તોડવામાં આવી. મંચ પર છત્રીઓ, લાઠીઓ અને જૂતાં ફેંકવામાં આવ્યા. પરિસ્થિતિ વણસતાં છૂટ્ટા હાથે મારામારી પણ થઈ. જ્યારે લોકો તિલકને મારવા માટે મંચ પર ધસી આવ્યા, ગોખલે તેમની રક્ષા માટે વચ્ચે ઊભા રહ્યા. અધિવેશન સમાપ્ત થયું પરંતુ કોંગ્રેસમાં ફૂટ પડી ગઈ. ઘટનાનો પ્રત્યક્ષદર્શી અહેવાલ માન્ચેસ્ટરના ગાર્ડિયન પત્રિકાના રિપોર્ટર નેવિસને લખ્યો હતો

૧૮૯૬માં ગોખલે દ્વારા ડેક્કન એજ્યુકેશનલ સોસાયટીની સ્થાપના એ તિલક સાથેની સ્પર્ધાનું પરીણામ હતું

ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. 



તેમના ગુરુ મહાદેવ ગોવિંદ રાનડે પ્રખ્યાત વિદ્વાન હતા. રાનડેએ ગોખલેને 1905 માં "સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી" ની સ્થાપનામાં મદદ કરી. આ સમાજનો મુખ્ય ઉદ્દેશ ભારતીય લોકોને સામાજિક અનિષ્ટ સામે અવાજ ઉઠાવવા અને તેમને તેમના દેશની સેવા કરવા માટે પ્રશિક્ષણ આપવાનો હતો. ‘સાર્વજનિક’ નામના ત્રિમાસિક જર્નલમાં પણ ગોખલે જી ગુરુ રાનાડે જી સાથે કામ કર્યું.



મોટાભાગના લોકો ગોખલેને માત્ર મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ તરીકે જ ઓળખે છે, પરંતુ તે   મોહમ્મદ અલી ઝીણાના રાજકીય ગુરુ પણ હતા. તેમનું માનવું છે કે, જો ગોખલે આઝાદી સમયે જીવંત હોત, તો દેશના ભાગલા વિશે વાત કરવાની હિંમત જિન્નાને ન મળી હોત.

આઝાદીની લડતમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે તેમણે દેશમાં પ્રવર્તીતી જાતિવાદ અને અસ્પૃશ્યતા સામે પણ લડ્યા. તેમણે આજીવન હિન્દુ-મુસ્લિમ એકતા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું અને મોહમ્મદ અલી ઝીણા પણ તેમને તેમનો રાજકીય માર્ગદર્શક માનતા.

ભારતને ગુલામીમાંથી આઝાદ કરવા માટે જન્મેલા આ વીરપુત્રનું 19 ફેબ્રુઆરી 1915 ના રોજ અવસાન થયું. તેમને ડાયાબિટીઝ અને હાર્ટ અસ્થમા હતા 

ભારતના આટલા મોટા સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલ કરનાર ગોપાલ કૃષ્ણ ગોખલેની દેશભક્તિની આધ્યાત્મિકતા પૂર્ણ હતી.

09 April, 2021

જ્યોતિબા ફુલે

 જ્યોતિબા ફુલે

સમાજ સુધારક, લેખક, વિચારક, સંપાદક



પુરુ નામ : જ્યોતીબા ગોવિંદરાવ ફુલે

જન્મતારીખ: 11 એપ્રિલ 1827

જન્મસ્થળ: સાતારા, પૂણે, મહારાષ્ટ્ર

ઉપનામ: મહાત્મા

અવશાન: 28 નવેમ્બર 1890 (પૂણા)


મહાત્મા ગાંધીજી પહેલા 19મી સદીમા એક એવા સમાજ સુધારકનો જન્મ થયો જેમને કન્યા શિક્ષણ, અંધ વિશ્વાસ, વિધવા વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ દૂર કરવા, ખેડૂતોના હકો માટે કામ કર્યુ અને મહાત્મા બની ગયા જેમનુ નામ છે મહાત્મા જ્યોતિબા ફૂલે.


જ્યોતિરાવ ફુલેનો જન્મ ૧૮૨૭માં પુણેમાં થયો હતો.

 તેઓ પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના બે સંતાનો પૈકી નાના પુત્ર હતા. તેમની મૂળ અટક હતી 'ખીરસાગર'.પણ પેશ્વાએ તેમને બાગકામ માટે પુનામાં જમીન ભેટમાં આપેલી, તેમના વ્યવસાયનાં લીધે તેમની અટક 'ફૂલે'('ફૂલ' પરથી ) પડી ગઈ

તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું.

તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી માળી કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો.

જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા. 

માળીમાંથી ઇસાઇ ધર્મ અંગિકાર કરેલ એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા.

તેમણે ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો. 

સામાજીક પરંપરા અનુસાર માત્ર ૧૩ વર્ષની ઉંમરે ૧૮૪૦માં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાથે કરવામાં આવ્યા. જેમનું નામ હતુ સાવિત્રીબાઇ જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા.



૧૮૪૮માં, ૨૩ વર્ષની ઉંમરે તેમણે ઇસાઇ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી. 

આ જ વર્ષે તેમણે થોમસ પેઇનનું પુસ્તક "મનુષ્યના અધિકાર (રાઇટ્સ ઓફ મેન)"  વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ.



જ્યોતિબા શિક્ષીત વ્યક્તિ હતા,પણ એકવાર મિત્રના લગ્નમાં તેમને સામાજિક ભેદભાવનો ખરાબ અનુભવ થયો. આ અનુભવે તેમના જીવનની દિશા બદલી નાખી.

બહુ વિચાર કર્યા પછી જ્યોતિબાને આ બીમારીનું કારણ મળ્યું-નિરક્ષરતા.

 તેમને સમજાયું આ બિમારીનો ઈલાજ એક જ છે-'શિક્ષણ'

 તેમને શિક્ષણ માટે કામ કરવા માંડ્યું, સાથે લોકોને કુરિવાજોનાં શિકાર બનતા અટકાવવા માટે સાચી વાતો સમજાવવાનું શરુ કર્યું. 

તેમણે સંકલ્પ કર્યો હતો કે તે જાતિ પ્રથાને જડમૂળથી નાશ કરશે અને તેના માટે તેમણે સૌપ્રથમ મહિલા સશક્તિકરણ કરવાનું શરુ કર્યુ.

તેમના શિક્ષણપ્રસાર કાર્યોથી બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો ગભરાઈ ગયાં. 

તે સમયે બ્રાહ્મણો માનતા હતા કે 'શિક્ષણ લેવું કે આપવું-એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.' 

ગભરાઈ ગયેલા આ જુનવાણી લોકો એ ધર્મ(?)ભીરુ ગોવિંદરાવ પર ભારે દબાણ કર્યું.

પિતાને ધર્મસંકટમાંથી મુક્ત કરાવવા જ્યોતિબા અને સાવિત્રીબાઈ એ પોતાનું કાર્ય છોડવાને બદલે પિતાનું ઘર છોડવાનું પસંદ કર્યું. 

તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે સૌપ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતાં–વાંચતાં શીખવ્યું. ત્યારબાદ આ દંપતીએ પુણેમાં કન્યાશાળા શરૂ કરી



તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને ૧૮૬૩માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી

૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ ફુલેએ સ્ત્રીઓ, દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી

ઈ.સ.૧૮૫૪માં તે સમયના જ્યુડીશીયલ કમિશ્નર વોર્ડનસાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. અને પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલીને પ્રશંસા કરી.

એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો,તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો.બ્રિટીશ શાસન ની લાખ વાતે ટીકા કરી શકાય,પણ અહી આ વાત પર તો બ્રિટિશશાસકોને તો વખાણવા જ પડે. 

ઈ.સ.૧૮૭૩મા ફૂલે દંપતીએ એક વિધવા કાશીબાઈનાં દીકરા યશવંતને દત્તક લીધો.

ઈ.સ.૧૮૯૬-૯૭મા પ્લેગ ફાટી નીકળ્યો.

૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું


રાત કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયું.

આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવીત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો. અને અવશાન થયુ.

૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા



ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે  જ્યોતિબા ફુલેને ત્રીજા ગુરુ માનતા હતા.

૧૮૭૭ (જાન્યુઆરી) મં એક સાપ્તાહિક સમાચાર પત્ર “દીનબંધું” નુ પ્રકાશન તથા સંપાદન કર્યુ. આ ઉપરાંત : ‘अंबालहरी’, ‘दीनमित्र’, તથા ‘किसानों का हिमायती “ નામના સમાચાર પત્રો પ્રકાશિત કર્યા.

પોતાના સ્વભાવ જેમ તેઓ એક આક્રમક લેખક પણ હતા.
તેઓએ નીચે મુજબની પુસ્તકો લખી હતી
1. तृतीय रत्न,
2. छत्रपति शिवाजी,
3. राजा भोसला का पखड़ा,
4. ब्राह्मणों का चातुर्य,
5. किसान का कोड़ा,
6. अछूतों की कैफियत.

1882માં અંગ્રેજો દ્વારા ભારતમાં શિક્ષણ વ્યવસ્થાની દશા જાણવા માટે હંટર કમીશનની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ સર વિલિયમ હંટર હતા, જ્યોતિબા ફુલે એ આ કમિશનને લેખિત સ્વરુપે પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યુ હતુ જેમા તેમણે ગ્રામિણ કક્ષાએ સ્વતંત્ર શિક્ષા વ્યવસ્થા, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણનું પ્રારંભિક જ્ઞાન, કૃષિ સંબંધિત તમામ જ્ઞાન, સામાન્ય જ્ઞાન, નિતિ અને આરોગ્ય વિશેનું જ્ઞાન જેવા અહમ મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી.

જ્યોતિબા ફુલે બાળ વિવાહની ખિલાફ હતા તથા વિધવા પુન: વિવાહના સમર્થક હતા. તેમણે વિધવા પુન: વિવાહની શરુઆત કરી, 1854માં વિધવાઓ માટે આશ્રમની સ્થાપના કરી.

તેમની સમાજ સેવા જોઇને મુંબઇની એક સભામાં 1888માં તેમને મહાત્માની ઉપાધિ આપવામાં આવી હતી.

૧૮૮૩ મા “સત્સાર “ નામનું એક લઘુ પુસ્તક લખ્યું જેમાં તેઓએ હિંદું કર્મકાંડ અને તેની માન્યતાઓ પર પ્રહાર કર્યા.

કિસાન કા કોડા પુસ્તકમા ખેડુતોમાં ,વ્યાપેલા અંધ વિશ્વાસ અને જડ માન્યતાઓ તથા શાહુકારો દ્વારા થતા શોષણ પર પ્રકાશ પાડયો.

"ગુલામગીરી" તેમની સૌથી વધુ વખણાયેલ પુસ્તક છે.

ઇ.સ. 1890માં 28 નવેમ્બરના રોજ આં મહાન ક્રાંતિકારી સમાજ કાર્યકર નું પક્ષઘાત-બીમારી અવસ્થામાં જ નિધન થયું હતું.


ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1979માં ટપાલ ટિકિટ બહાર પાડવામા આવી હતી.



જ્યોતિબા ફુલેની બાયોપિક ફિલ્મ 5 ભાષાઓમાં રજૂ થનાર છે જેનુ નામ છે "મહાત્મા". આ ફિલ્મમાં જ્યોતિબા ફુલેનો અભિનય ધ્રુવા કરુનાકર કરશે. 



11 February, 2021

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય (Dayananda Saraswati)

 મહર્ષિ દયાનંદ સરસ્વતી 

(આર્ય સમાજના સ્થાપક)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1824

જન્મસ્થળ: ટંકારા, મોરબી, ગુજરાત

પિતાનું નામ: અંબાશંકર  તિવારી

માતાનું નામ: અમૃતાબાઇ

અવશાન: 30 ઓક્ટોબર 1883 (અજમેર, રાજસ્થાન)

સન્માન: મહર્ષિ

ગુરુનું નામ: સ્વામી વિરજાનંદ

મૂળ નામ: મૂળશંકર કરશનદાસ તિવારી

સંદેશ: “Back to the Vedas” અને “कृण्वन्तो विश्वं आर्यं”



મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો.

જે સમયે તેમાનો જન્મ થયો ત્યારે ભારતમાં અજ્ઞાનતા, જડતા, દંભ, અસ્પૃશ્યતા, બાળ વિવાહ, વિધવા, સતીપ્રથા જેવી અનેક કુરીતિઓ હતી.  અજ્ઞાનતાને  કારણે સામાન્ય લોકો ખૂબ નબળા લાગતા હતા.. આવા સમયે સ્વામી દયાનંદે મૂર્તીપૂજાને ખોટી ગણાવી શાસ્ત્રો અને વેદોને સર્વોચ્ચ ગણાવી હતી. તેમણે ઢોંગી લોકોની નિંદા કરી અને માનવ સેવાને સર્વોચ્ચ ગણાવી હતી.

એક ઘટના પછી, તેનું જીવન બદલાઈ ગયું અને તેણે 1846 માં 21 વર્ષની ઉંમરે સંંન્યાસી બનવા  તે ઘરેથી નીકળી ગયા

સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા.

 પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. 

અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. 

દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. 

યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. 

અહીં તહી સાચા  જ્ઞાનનની શોધમાં ભટક્યા પછી, મૂળશંકર, જે હવે સ્વામી દયાનંદ સરસ્વતી બની ગયા છે, તે મથુરામાં વેદોના વિદ્વાન  પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ પાસે પહોંચ્યા. દયાનંદે તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું. જે વૈદિક સાહિત્યના જાણીતા વિદ્વાન હતા. તેમણે તેમને વેદ શીખવ્યાં

ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા.

પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. 

તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.

સ્વામીજીએ તેમના મંતવ્યોનો પ્રચાર કરવા માટે 1863 થી 1875 સુધી દેશની મુલાકાત લીધી હતી.

 ૧૮૭૫માં મુંંબઇમાં આર્યસમાજ ની સ્થાપના કરી હતી. આર્ય સમાજ વેદોને માને છે.

સ્વામી દયાનંદે આર્ય સમાજના નિયમો તરીકે વિશ્વને 10 સૂત્રો આપ્યા છે. જો તેનું અનુસરણ કરવામાં આવે તો, વિશ્વમા ખુશી, સંતોષ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે છે. દસ નિયમો શારીરિક, આધ્યાત્મિક, સાર્વત્રિક ભાઈચારો અને માનવતા વિશે છે.


1875માં તેમણે સત્યાર્થ પ્રકાશ નામની કૃતિની રચના કરી હતી. તેમના દ્વારા રચિત મહાન પુસ્તક 'સત્યાર્થ પ્રકાશ' હજી પણ આર્ય સમાજ  માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. 


  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. 

આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા.

 દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. 

જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંતસિંહની રખાત "નન્હિ ભક્તન્" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ થયું હતું.