મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

31 October, 2020

સરદાર વલ્લભભાઇ પટેલ જીવન પરિચય

 સરદાર વલ્લભભાઇ પટેલ 

31 ઓક્ટોબર 1875



પુરુ નામ: વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ

જન્મતારીખ : 31 ઓક્ટોબર 1875

જન્મ સ્થળ: નડિયાદ (ગુજરાત)

પિતાનું નામ: ઝવેરભાઇ પટેલ

માતાનું નામ: લાડબાઇ 

અવશાન: 15 ડિસેમ્બર 1950 (મુંબઇ)

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.

30 October, 2020

ડૉ. હોમી જહાંગીર ભાભા જીવન પરિચય

 ડૉ. હોમી જહાંગીર ભાભા 

ભારતના મહાન પરમાણુ વૈજ્ઞાનિક

30 ઓક્ટોબર 1909


ભારતના મહાન પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી જહાંગીર

ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909ના રોજ મુંબઇના

એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો. 

હોમી જહાંગીર ભાભા એક ભારતીય પરમાણુ ભૌતિકશાસ્ત્રી,

સ્થાપક ડિરેક્ટર અને ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ

રિસર્ચ (ટીઆઈઆરઆર)ના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા.


 તેઓ "ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા" તરીકે

જાણીતા છે.

સિસ્ટર નિવેદિતા જીવન પરિચય

 સિસ્ટર નિવેદિતા

28 ઓક્ટોબર 1867




* સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદજીની શિષ્ય જ નહીં, પરંતુ સમગ્ર ભારતીયની પ્રેમાળ બહેન હતી

સિસ્ટર નિવેદિતાનું સાચું નામ માર્ગારેટ એલિઝાબેથ નોબુલ હતું

* 28 Octoberક્ટોબર 1867 ના રોજ આયર્લેન્ડમાં જન્મેલા માર્ગારેટ નોબુલ અવર્ણનીય છે.

* નાનપણથી જ, ઈસુના ઉપદેશ રોમમાં સ્થાયી થયા હતા, પરંતુ તેઓએ દૈવી પ્રકાશના અર્થમાં અને શાશ્વત સત્યની શોધમાં ધર્મનો ઉપયોગ કર્યો, તેથી ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોના હૃદયમાં કેટલીક શંકાઓ ઉભી થઈ.

28 October, 2020

બિલ ગેટ્સ જીવન પરિચય

 બિલ ગેટ્સ

28 ઓક્ટોબર 1955




माइक्रोसॉफ्ट कंपनी के जनक बिल गेट्स की प्रेरणादायक जीवनी

पूरा नाम (Name)विलियम हेनरी गेट्स
जन्म (Birthday)28 अक्टूबर, 1955, सीटल, वाशिंगटन, अमेरिका
पिता (Father Name)विलियम एच गेट्स
माता (Mother Name)मैरी मैक्सवल गेट्स

बिल गेट्स का जन्म, बचपन, शुरुआती जीवन एवं शिक्षा – Bill Gates History in Hindi

अपनी दरियादली के लिए पहचाने जाने वाले बिल गेट्स 28 अक्टूबर, 1955 को अमेरिका के वाशिंगटन के सीटल में जन्में थे। उनके पिता विलियम एच गेट्स एक प्रसिद्ध वकील थे, जबिक उनकी मां मैरी मैक्सवेल ”यूनाइटेड वे” एवं ”फर्स्ट इंटरस्टेट बैंक सिस्टम”की बोर्ड्स ऑफ डायरेक्टर्स में से एक थी। बिल गेट्स के अलावा उनकी दो बहनें भी थे। बिल गेट्स को बचपन में ट्रे नाम से पुकारा जाता था।

27 October, 2020

જતિન્દ્રનાથ દાસ જીવન પરિચય

 જતિન્દ્રનાથ દાસ

27 ઓક્ટોબર 1904




 માત્ર ૨૫ વર્ષની વયે માભોમની સ્વતંત્રતા માટે પ્રાણનું બલિદાન આપનાર જતીન્દ્ર્નાથ દાસનો આજે જન્મદિવસ છે

તેમનો જન્મ 27 ઓક્ટોબર 1904ના રોજ કોલકતામાં એક સાધારણ બંગાળી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ બંકિમ બિહારી દાસ હતું અને તેમની માતાનું નામ સુહાસિની દેવી હતું.  જતીન્દ્રનાથ દાસ જ્યારે 9 વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. તેમને જતિન દાસ નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ એક મહાન ભારતીય અને સ્વતંત્રતા સેનાની હતા. લાહૌર જેલમાં તેમણે 63 દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી. સ્વતંત્રતા મળે તે પહેલા અનશનથી શહીદ થનાર એકમાત્ર વ્યક્તિ જતિન દાસ હતા. 

26 October, 2020

દશેરા




દશેરા તહેવારને ભગવતીના નામ 'વિજયા' નામ પર પણ 'વિજયાદશમી' પણ કહેવાય છે

 દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આસો (અશ્વિન) શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.

ભગવાન રામે આ દિવસે રાવણનું વધ કર્યું હતું. એને અસત્ય પર સત્યની વિજયના રૂપમાં ઉજવાય છે. આથી આ દશમીને વિજયાદશમીના નામથી ઓળખાય છે. 

દશહરા વર્ષની ત્રણ અત્યંત શુભ તિથિઓમાંથી એક છે. બીજા બે છે ચૈત્ર શુક્લ અને કાર્તિક શુક્લની પ્રતિપદા. આ દિવસે લોકો નવા કાર્ય આરંભ કરે છે , શસ્ત્રની પૂજા કરે છે.

પ્રાચીન કાળમાં લોકો આ દિવસે વિજયની પ્રાર્થના કરી યુદ્ધ યાત્રા માટે પ્રસ્થાન કરતા હતા. 

દશહરાના પર્વ દસ પ્રકારના પાપો કામ, ક્રોધ, લોભ,મોહ , મદ ,અહંકાર આલ્સ્ય ,હિંસા અને ચોરી જેવા અવગુણોને મૂકવાની પ્રેરણા આપે છે.


દશહરાને કૃષિ ઉત્સવ રીતે પણ ઉજવાય છે ! જ્યારે ખેડૂત પાક અનાજરૂપી સંપત્તિ ઘરે લાવે છે તો એની ઉલ્લાસ અને ઉમંગના ઠેકાણું નહી રહે છે આ પ્રસન્નતાના અવસર પર એ ભગવાનની કૃપા માનતા અને એના પ્રકટ કરવા માટે પૂજન કરે છે. 


આ ઉત્સવનો સંબંધ નવરાત્રથી પણ છે કારણકે નવરાત્રના સમયે જ આ ઉતસવ હોય છે અને આથી મહિષાસુરના વિરોધમાં દેવીના સહસપૂર્ણ કાર્ય ના પણ ઉલ્લેખ મળે છે.

દશહરા કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે.


આ દિવસે રામે રાવણના વધ કર્યા હતા. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણના વધ કરી દીધા. આથી વિજયાદશમી એક ખૂબ મહ્ત્વપૂર્ણ દિવસ છે. રામની વિજયના પ્રતીક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે.


દશહરા પર્વ ઉજવવા માટે જ્ગ્યા જગ્યા મોટા મેળાના અયોજન કરાય છે . અહીં લોકો એમના પરિવાર , મિત્રો સાથે આવે છે અને ખુલા આકાશ નીચે મેળાબ પૂરો આનંદ લે છે.


મેળામાં રમકડા , બંગડીઓ અને ભિન્ન ભિન્ન રીતની વસ્તુઓ મળે છે સાથે ચાટના રેકડીઓ રહે છે.


આ સમયે રામલીલાના આયોજન કરાય છે. રાવણના વિશાળ પુતળા બનાવીને એને સળગાવે છે. દશહરા અને વિજયાદશમી ભગવાન રામની વિજયના રૂપમાં ઉજવાય છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં.

 બન્ને જ રૂપ આ શક્તિ પૂજા , શસ્ત્ર પૂજા ,હર્ષ ઉલ્લાસ અને વિજયના પર્વ છે. 

ભારતીય સંસ્કૃતિ સદા જ વીરતા અને શૌર્યની સમર્થક રહી છે. દશહરાના ઉત્સવ પણ શક્તિના પ્રતીકના રૂપે ઉજવાય છે. શક્તિની ઉપાસનાનુ પર્વ છે.


શારદીય નવરાત્રની પ્રતિપદાથી નવમી સુધી થાય છે અને માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાલી બની રહેવાની કામના કરે છે.

એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય 'વિજય' નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે.


વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.

યુદ્ધ ન કરવાનો પ્રસંગ હોય તો પણ આ કાળમાં રાજાઓ(મહત્વપૂર્ણ પદ ધરાવતા લોકો) એ સીમાનુ ઉલ્લંઘન કરવુ જોઈએ.

દૂર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષના વનવાસ સાથે તેરમાં વર્ષે અજ્ઞાતવાસની શરત અપી આપી હતી.
તેરમાં વર્ષે જો તેમને કોઈ ઓળખી લેતુ તો તેમને ફરી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડતો. આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનુ ધનુષ એક શમી વૃક્ષ પર મુક્યુ હતુ અને ખુદ વૃહન્નલા વેશમાં રાજા વિરાટની પાસે નોકરી કરી લીધી હતી.
જ્યારે ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને શમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વરા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.

* વિજયાદશમીને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે
* વિજયાદશમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે
* વિજયાદશમી એ રાષ્ટ્રીય પર્વ છે
* વિજયાદશમી એ હર્ષ ઉલ્લાસ ઉપર વિજયનો તહેવાર છે.
* વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે.
* આ તહેવાર નવરાત્રીના દસમા દિવસે ઉજવવામાં આવે છે.
* આ તહેવાર ક્ષત્રિય દ્વારા મનાવામાં આવે છે
* એવું માનવામાં આવે છે કે ભગવાન રામએ આ દિવસે રાવણનો વધ કર્યો હતો.
* એવું માનવામાં આવે છે કે મા દુર્ગાએ આ દિવસે મહિષાસુર પર વિજય મેળવ્યો હતો.
* આ તહેવાર અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે
* આ દિવસે લોકો શસ્ત્ર પૂજા કરે છે અને નવું કાર્ય શરૂ કરે છે
* એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ થયેલ કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે.
* દશેરા એ વર્ષની ત્રણ સૌથી શુભ તારીખોમાંની એક છે, અન્ય બે ચૈત્ર શુક્લ અને કાર્તિક શુક્લા છે
* પ્રાચીન સમયમાં, રાજાઓ રણયાત્રા માટે નીકળતા, તેના દિવસે વિજયની પ્રાર્થના કરતા.
* આ દિવસે સ્થળ-સ્થળે મેળાનું આયોજન કરવામાં આવે છે.
* રામલીલાના પ્રસંગમાં આ દિવસે રાવણનો એક વિશાળ પુતળા દહન કરવામાં આવે છે
* ભારતીય સંસ્કૃતિ બહાદુરીની ઉપાસનાની ઉપાસક છે, વ્યક્તિ અને સમાજના લોહીમાં શૌર્ય ઉજવવામાં આવે છે, તેથી દશેરાની ઉજવણી કરવામાં આવે છે.
* દશેરાનો તહેવાર 10 પ્રકારના પાપ, ક્રોધ, લોભ, લાલચ, મત્સર, અહંકાર, આળસ, હિંસા, ચોરીનો ત્યાગ પૂરો પાડે છે.
* આ દિવસે નીલકંઠની મુલાકાત શુભ માનવામાં આવે છે.
* બ્રજના મંદિરોમાં આ દિવસે વિશેષ દર્શન થાય છે.
* કેટલાક દિવસોમાં આ દિવસે એક ભેંસ અથવા બકરીનું બલિદાન આપવામાં આવે છે.
* મરાઠા રત્ન શિવાજીએ ઔરંગઝેબ સામે, તે જ દિવસે હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું.
* આ તહેવારને ભગવતીના વિજયના નામે વિજયાદશમી પણ કહેવામાં આવે છે.
* આ દિવસે બે વિશેષ વનસ્પતિની પૂજા કરવી મહત્વપૂર્ણ છે: શમી વૃક્ષ અને અપરાજિત
* ભારતમાં આ તહેવાર જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે.
> મહારાષ્ટ્રમાં આ પ્રસંગે સિલેંગનનું નામ સામાજિક મહત્વ તરીકે ઉજવવામાં આવે છે.
> હિમાચલનો કુલ્લુ દશેરા ખૂબ પ્રખ્યાત છે
> પંજાબમાં આ તહેવાર નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરીને ઉજવવામાં આવે છે.
> બસ્તરમાં લોકો મા દંતેશ્વરીની પૂજાને સમર્પિત આ ઉત્સવની ઉજવણી કરે છે.
> બંગાળ, ઓરિસ્સા અને આસામમાં આ તહેવાર દુર્ગાપૂજા તરીકે ઉજવવામાં આવે છે.
> તમિળનાડુમાં આંધ્રપ્રદેશ કર્ણાટકમાં દશેરા 9 દિવસ સુધી ચાલે છે જેમાં 3 દેવી લક્ષ્મી સરસ્વતી દુર્ગાની પૂજા કરવામાં આવે છે.

> ગુજરાતમાં આ દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવે છે.

> કર્ણાટકનો મૈસુર દશેરા આખા ભારતમાં પ્રખ્યાત છે, આ દિવસે હાથીઓ દ્વારા પરેડ કરવામાં આવે છે.

25 October, 2020

રણજીતરામ જીવન પરિચય

 રણજીતરામ મહેતા

25 ઓક્ટોબર


રણજીતરામ (૧૮૮૧-૧૯૧૭) બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી યુવાન હતા. તેઓ માત્ર ૩૬ વર્ષની ભરયુવાન વયે મૃત્યુ પામ્યા, પણ તે પહેલાં ગુજરાતની રાષ્ટ્રિય અસ્મિતાનું ચણતર અને ઘડતર કરતા ગયેલા. તેઓ મુનશી, ઈન્દુલાલ યાજ્ઞિાક, હીરાલાલ પારેખ, બ.ક. ઠાકોર અને ગુજરાતનાં કલાગુરૂ રવિશંકર રાવળનાં પરમ મિત્ર હતા
રણજિતરામ વાવાભાઇ મહેતા  જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૮૮૧ના રોજ સુરત ખાતે થયેલો.
 તેમનાં પિતા વાવાભાઈ અમદાવાદ મ્યુનસિપલ કમિટિમાં મુખ્ય ઈજનેર પદે હતા, આથી તેમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદ ખાતે જ થયું.

 સને. ૧૯૦૩માં તેમણે ગુજરાત કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની ઉપાધી મેળવી અને ત્યાં જ આઠ માસ સુધી સંશોધક તરીકે કાર્ય કર્યું. સને. ૧૯૦૬ થી ૧૯૧૭ દરમિયાન તેઓએ પ્રો. ગજ્જર અને ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીનાં અંગત મદદનિશ તરીકે કાર્ય કર્યું. સને. ૧૯૦૫માં તેઓએ ઉમરેઠ ખાતે ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં આચાર્ય તરીકે પણ સેવા આપી

સને. ૧૯૦૪માં તેઓએ ગુજરાતી સાહિત્ય સભા (જે આમ તો ૧૮૯૮માં તેમના દ્વારા સ્થપાયેલ "સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન"નું ફેરનામકરણ છે) અને ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી

મણે સાહિત્યના વિવિધ પ્રકારોનું ખેડાણ કરેલું હતું, જેમ કે, નવલકથા, નિબંધ, નાટક અને ટુંકી વાર્તાઓ. તેમની રચનાઓનો સંગ્રહ, "રણજિતકૃતિ સંગ્રહ", તેમનાં અવસાન પછી સને ૧૯૨૧માં કનૈયાલાલ મુનશીએ પ્રગટ કર્યો હતો. તેમનાં નિબંધોનો સંગ્રહ, "રણજિતરામના નિબંધો", પણ તેમનાં અવસાન પછી સને ૧૯૨૩માં પ્રકાશિત થયો હતો. સને ૧૯૮૨માં, તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે, ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં સંપૂર્ણ કાર્યો, રચનાઓનો સંગ્રહ, "રણજિતરામ ગદ્યસંચય ૧-૨", પ્રકાશિત કરાયા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા "રણજિતરામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય" નામક ગ્રંથ પ્રગટ કરાયો છે. તેમની "એહમદ રૂપાંદે" (૧૯૦૮) નામની રચના એક હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરા વચ્ચેની પ્રેમકથા છે. તેમણે એકઠાં કરેલાં ૧૩૪ જેટલાં લોકગીતોના સંગ્રહનું ઈ.સ.૧૯૨૨માં "લોકગીતો" નામથી પ્રકાશન થયું. સને ૧૯૦૫માં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રગટ કરેલા એક સંશોધન પત્ર દ્વારા ગુજરાતી લોકરચનાઓ માટે "લોકગીત" અને "લોકકથા" એવા બે નવા શબ્દો આપ્યા હતા.  ગુજરાતની અસ્મિતા શબ્દસમૂહની રચનાનું શ્રેય પણ રણજીતરામ મહેતા ને ફાળે જાય છે.

જીવન ઝરમર

  • ‘ગુજરાત સાહિત્ય સભા’ ના સ્થાપકોમાંના એક
  • ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સ્થાપકોમાં અગ્રણી

મુખ્ય રચનાઓ

  • રણજિતકૃતિ સંગ્રહ(1921)
  • નિબંધ: રણજિતરામના નિબંધો(1923)
  • સંશોધન: લોકગીત(1922)
  • રણજિતરામ ગદ્યસંચય ભા.1,2 (1982, ઉપરનાં ત્રણે અપ્રાપ્ય પુસ્તકો તથા શેષ અપ્રગટ લખાણોનો સંચય)
તેમની યાદમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ સુવર્ણચન્દ્રક અપાય છે.

ગુજરાતી લોકસાહિત્યનાં પ્રારંભિક સંશોધકોમાં રણજિતરામ એક મહત્વના સંશોધક હતા. ઝવેરચંદ મેઘાણીનાં તેઓ પુરોગામી હતા. તેઓ સંસ્કારી, ઉત્સાહી, પ્રવૃતિશીલ અને ભાવનાસભર વ્યક્તિત્વ ધરાવતા હતા. રણજિતરામ પહેલાં પણ ગુજરાતીમાં લોકસાહિત્યનાં ક્ષેત્રમાં ઠીક ઠીક સંશોધન કાર્ય થયું હતું પણ સને ૧૯૦૫ આસપાસ એ લગભગ ઠપ્પ જેવું થઈ ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૦૫માં, અમદાવાદ ખાતે, ગોવર્ધનરામ ત્રિપાઠીનાં અધ્યક્ષપદે, ગુજરાતી સાહિત્ય પરિષદનું સૌપ્રથમ અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં જ રણજિતરામે સૌ પ્રથમ વખત, પ્રશિષ્ટ સાહિત્યથી અલગ પણ લોકોમાં પ્રચલિત એવા સાહિત્ય માટે "લોકકથા" અને "લોકગીતો" જેવા શબ્દપ્રયોગ કર્યા હતા. સંશોધકોના મતે આ "લોકકથા" અને "લોકગીત" શબ્દ વાપરવાનો વિચાર રણજિતરામને અંગ્રેજી સાહિત્યના "ફોકટેલ", "ફોકસોંગ" વગેરે શબ્દો પરથી આવ્યો હોઈ શકે.[૧૨] સાહિત્યનાં આ વિભાગ તરફ સમસ્ત ગુજરાતના કેળવાયેલા વર્ગનું સૌપ્રથમ વખત ધ્યાન ખેંચનાર તરીકેનું માન રણજિતરામને મળે છે. તેઓ લોકગીતોનાં સંશોધક અને સંપાદક હતા. તેમણે ઘણાં બધા લોકગીતો એકઠા કર્યા હતા. ઉમરેઠમાં તેમના નિવાસ દરમિયાનનો સમય આ વિસ્તારમાં દુષ્કાળનો સમય હતો અને ઘણાં ગ્રામજનો ગુજરાન અર્થે નગરોમાં આવતા. આવા ગ્રામજનોને રણજિતરામનાં ધર્મપત્ની ભોજન વગેરેનો પ્રબંધ કરી આપતા અને તેમની પાસે ગીતો ગવડાવી તે નોંધી લેતા. આવા ગીતોની આશરે ૨૫-૩૦ નોટબૂકો ભરાઈ હતી. જેમાંથી જ ચૂનીલાલ શેલતે ૧૩૪ ગીતો અલગ તારવ્યા અને પછીથી તેનું "લોકગીતો" નામે પ્રકાશન થયેલું.

તો વળી રણજિતરામની રચનાઓનાં સ્ત્રી પાત્રો તો એના સમયના પ્રમાણમાં એટલાં આધુનિક હતાં કે કનૈયાલાલ મુનશીએ એ વિશે કહેલું કે, "સેના અને ભાસ્વતી (સ્ત્રી પાત્રો) હાલની ગુજરાતણો નથી જ; ભાવી ગુજરાતી સંસારની પણ નથી લાગતી; લગભગ કેમ્બ્રિજ કે ઓક્સફર્ડમાંથી ઊતરી આવેલી છે."

ગુજરાતી લોકસાહિત્યનાં પ્રારંભિક સંશોધકોમાં રણજીતરામ મોખરાનું સ્થાન ધરાવતા હતા. ઝવેરચંદ મેઘાણીનાં તેઓ પુરોગામી હતા. ૧૯૦૫માં અમદાવાદ ખાતે ગોવર્ધનરામનાં અધ્યક્ષપદે જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું સર્વપ્રથમ અધિવેશન મળ્યું ત્યારે તેમાં સૌ પ્રથમ રણજીતરામે પ્રશિષ્ટ સાહિત્યથી અલગ પણ લોકોમાં પ્રચલિત એવા સાહિત્ય માટે ''લોકકથા'' અને ''લોકગીતો'' જેવા નવા શબ્દપ્રયોગો કર્યા હતા.

સાહિત્યનાં આ વિભાગ તરફ સમસ્ત ગુજરાતના કેળવાયેલા વર્ગનું સૌપ્રથમ ધ્યાન ખેંચનાર તરીકેનું માન રણજીતરામને મળે છે. તેઓ લોકગીતોનાં સંશોધક અને સંપાદક હતા. તેઓ જ્યારે ૧૯૦૫માં ઉમરેઠની હાઇસ્કૂલમાં હેડમાસ્તર હતા ત્યારે આ વિસ્તારમાં દુષ્કાળને વખતે ઘણાં ગ્રામજનો ગુજરાન અર્થે નગરોમાં આવતા. તેમને રણજીતરામનાં પત્ની ભોજન આપતા અને રણજીતરામ તેમની પાસેથી લોકગીતો સાંભળીને નોટબૂકમાં કંડારી લેતા. આવા લોકગીતોની ૨૫-૩૦ નોટબૂકો ભરાઇ હતી. તેમાંથી ચૂનીલાલ શેલતે ૧૩૪ ગીતો અલગ તારવ્યા અને પછીથી તેનું ''લોકગીતો'' નામે પ્રકાશન કર્યું હતું.

૪ જૂન, ૧૯૧૭ના રોજ, મુંબઈના જુહુના સમુદ્રકાંઠે, સમુદ્રમાં ડુબી જવાથી તેમનું અવસાન થયું. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો સર્વોચ્ચ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, તેમનાં નામે અપાય છે.

તેમના પુત્ર, અશોક મહેતા (૧૯૧૧-૧૯૮૪), ભારતનાં સ્વતંત્ર સેવાભાવી કર્મશીલ અને સમાજવાદી રાજનેતા હતા

રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવાની યોજના ઈ. સ. 1928થી શરૂ થઈ હતી અને સૌપ્રથમ એ ચંદ્રક પ્રાપ્ત કરનાર લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી હતા.

એ પછી અવિરતપણે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રત્યેક વર્ષે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા બદલ તેના સર્જક કે કર્તાને અપાતો રહ્યો છે. એ ચંદ્રક સંગીતકાર, ચિત્રકાર, ઇતિહાસકાર, વૈદકશાસ્ત્રી, મુદ્રણ-નિષ્ણાત – એમ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવા માટે અપાતો રહ્યો છે; જોકે હવે મુખ્યત્વે રણજિતરામ સુવર્ણચંદ્રક સાહિત્યક્ષેત્રમાં વિશિષ્ટ વ્યાપક સેવા માટે એનાયત થાય છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક-ધારકો

1. ઝવેરચંદ મેઘાણી (1928), 2. ગિજુભાઈ બધેકા (1929), 3. રવિશંકર રાવળ (1930), 4. વિજયરાય વૈદ્ય (1931), 5. રમણલાલ દેસાઈ (1932), 6. રત્નમણિરાવ જોટે (1933), 7. સુન્દરમ્ (1934), 8. વિશ્વનાથ ભટ્ટ (1935), 9. ચંદ્રવદન મહેતા (1936), 10. ચુનીલાલ વ. શાહ (1937), 11. કનુ દેસાઈ (1938), 12. ઉમાશંકર જોશી (1939), 13. ધનસુખલાલ મહેતા (1940), 14. જ્યોતીન્દ્ર દવે (1941), 15. રસિકલાલ છો. પરીખ (1942), 16. પંડિત ઓમ્કારનાથજી (1943), 17. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (1944), 18. ગુણવંતરાય આચાર્ય (1945), 19. ડોલરરાય માંકડ (1946), 20. હરિનારાયણ આચાર્ય (1947), 21. બચુભાઈ રાવત (1948), 22. સોમાલાલ શાહ (1949), 23. પન્નાલાલ પટેલ (1950), 24. જયશંકર ‘સુંદરી’ (1951), 25. કેશવરામ કા. શાસ્ત્રી (1952), 26. ડૉ. ભોગીલાલ સાંડેસરા (1953), 27. ચંદુલાલ પટેલ (1954), 28. અનંતરાય રાવળ (1955), 29. રાજેન્દ્ર શાહ (1956), 30. ચુનીલાલ મડિયા (1957), 31. ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણી (1958), 32. જયંતિ દલાલ (1959), 33. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી (1960), 34. ઈશ્વર પેટલીકર (1961), 35. રામસિંહજી રાઠોડ (1962), 36. ડૉ. હરિવલ્લભ ભાયાણી (1963), 37. મનુભાઈ પંચોળી ‘દર્શક’ (1964), 38. બાપાલાલ વૈદ્ય (1965), 39. ડૉ. હસમુખ સાંકળિયા (1966), 40. ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’ (1967), 41. ડૉ. મંજુલાલ મજમુદાર (1968), 42. નિરંજન ભગત (1969), 43. શિવકુમાર જોશી (1970), 44. સુરેશ જોશી (1971), 45. નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’(1972), 46. પ્રબોધ પંડિત (1973), 47. હીરાબહેન પાઠક (1974), 48. રઘુવીર ચૌધરી (1975), 49. જયન્ત પાઠક (1976), 50. જશવંત ઠાકર (1977), 51. ફાધર વાલેસ (1978), 52. મકરન્દ દવે (1979), 53. ધીરુબહેન પટેલ (1980), 54. લાભશંકર ઠાકર (1981), 55. હરીન્દ્ર દવે (1982), 56. સુરેશ દલાલ (1983), 57. ભગવતીકુમાર શર્મા (1984), 58. ચંદ્રકાન્ત શેઠ (1985), 59. રમેશ પારેખ (1986), 60. સિતાંશુ યશશ્ચંદ્ર (1987), 61. બકુલ ત્રિપાઠી (1988), 62. વિનોદ ભટ્ટ (1989), 63. નગીનદાસ પારેખ (1990), 64. ડૉ. રમણલાલ નાગરજી મહેતા (1991), 65. યશવન્ત શુક્લ (1992), 66. અમૃત ‘ઘાયલ’ (1993), 67. ડૉ. ધીરુભાઈ ઠાકર (1994), 68. ભોળાભાઈ પટેલ (1995), 69. રમણલાલ સોની (1996), 70. ગુણવંત શાહ (1997), 71. ગુલાબદાસ બ્રોકર (1998), 72. મધુ રાય (1999), 73. ચી. ના. પટેલ (2000), 74. નારાયણ દેસાઈ (2001), 75. ચંદ્રકાંત ટોપીવાળા (2002), 76. મધુસૂદન પારેખ (2003).


24 October, 2020

World Polio Day

 World Polio Day

24 October




24 ઓક્ટોબર  એ વિશ્વ પોલિયો દિવસ તરીકે પણ ઓળખાય છે,

જે પોલિયો મુક્ત વિશ્વ તરફના વૈશ્વિક પ્રયત્નોને પ્રકાશિત કરવા માટે

ચિહ્નિત થયેલ છે. આ દિવસ વિશ્વના દરેક ખૂણામાંથી પોલિયો

વાયરસને નાબૂદ કરવાની લડતમાં ફ્રન્ટલાઇન્સમાં રહેલા લોકોના

ફાળોનું પણ સન્માન કરે છે.


આ દિવસ, પોલીયોમેલિટિસને રોકવા માટે સલામત અને

અસરકારક રસીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહિત કરે છે,

જેને સામાન્ય રીતે પોલિયો તરીકે ઓળખવામાં આવે છે.

તે શીતળા પછી નાબૂદ થનારો બીજો માનવ રોગ બનવાની અપેક્ષા છે.

મહારાજા ભગવતસિંહજી જીવન પરિચય

 મહારાજા ભગવતસિંહજી જીવન પરિચય

24 ઓક્ટોબર 1865


પુરુનામ: ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા 
હુલામણૂ નામ: ગોંડલના બાપુ, ભગાબાપુ
જન્મ તારીખ: 24 ઓક્ટોબર 1865
જન્મ સ્થળ:  ધોરાજી
પિતાનું નામ: સંગ્રામસિંહજી
માતાનું નામ: મોંંઘીબા
અવશાન: 9 માર્ચ 1944 (ગોંડલ)

રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.

લગ્ન – (ચાર રાણીઓ) :– પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા.

24 ઑક્ટોબર, 1865ના રોજ જન્મેલા ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો.

ડૉ. એસ. વી. જાની લિખિત 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ પુસ્તક'માં થયેલી નોંધ પ્રમાણે વર્ષ 1869માં સંગ્રામજીના અવસાન પછી તેમના પુત્ર ભગવતસિંહજી ગાદીવારસ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર ચાર વર્ષ હતી.

તેઓ સગીર હોવાથી ગોંડલ રાજ્યને બ્રિટિશ વહીવટ હેઠળ 15 વર્ષ સુધી મૂકવામાં આવ્યું હતું. 25 ઑગસ્ટ, 1884ના રોજ તેઓ વયસ્ક થતાં તેમણે સંપૂર્ણ સત્તા સાથે ગોંડલનો રાજવહીવટ સંભાળ્યો હતો.

ભગવતસિંહજીને 1875માં નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમણે આઠ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું હતું.

અભ્યાસમાં તેઓ પ્રથમ વર્ગ મેળવતા હતા. આ સિવાય રમતગમતમાં પણ તેઓ હંમેશાં મોખરે રહેતા.

પોતાના સહાધ્યાયીઓ કરતાં તે અભ્યાસમાં ખૂબ જ આગળ રહેતા. જે કારણે કૉલેજના અધ્યાપકો તેમની ખૂબ પ્રશંસા કરતા. પાશ્ચાત્ય પદ્ધતિથી મેળવેલા શિક્ષણને અંતિમ સ્પર્શ આપવાના હેતુથી તથા પાશ્ચાત્ય સંસ્થાઓનો પરિચય મેળવવાના હેતુથી ભગવતસિંહજીએ વર્ષ 1883માં યુરોપનો પ્રવાસ કર્યો હતો.

વર્ષ 1887માં મહારાણી વિક્ટોરિયાના શાસનકાળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના બધા રાજાઓના પ્રતિનિધિ તરીકે પસંદ કરીને ભગવતસિંહને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા હતા.

ત્યારે મહારાણી વિક્ટોરિયાના હસ્તે તેમને કે.સી.આઈ.ઈ.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વર્ષ 1885માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ફેલો નીમ્યા હતા.

1887માં ઍડિનબરો યુનિવર્સિટીએ તેમને એલએલ. ડી.ની માનદ ડિગ્રી આપી હતી. સંપૂર્ણ મુંબઈ પ્રાતમાં આવું વિરલ માન મેળવનાર તેઓ પ્રથમ હતા.

વર્ષ 1890માં તેમણે એમ.આર.સી.પી.ઈ. તથા એમ.બી.સી.એમ.ની માનદ મેડિકલ ડિગ્રીઓ મેળવી હતી. વર્ષ 1892માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડી.સી.એલ. (ડૉક્ટર ઑફ સિવિલ લૉઝ)ની માનદ ડિગ્રી આપી હતી.

વર્ષ 1895માં તેઓ ઍડિનબરો યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં તેમણે ‘અ હિસ્ટ્રી ઑફ આર્યન મેડિકલ સાયન્સિઝ’ નામનો મહાનિબંધ લખી એમ. ડી. (ડૉક્ટર ઑફ મેડિસિન)ની ડિગ્રી મેળવી હતી.

આ ડિગ્રી મળ્યાના થોડા મહિના બાદ તેમને ઍડિનબરોની રૉયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સના ફેલો બનાવવામાં આવતાં તેમને એફ.આર.સી.પી.નું માનદ પદ મળ્યું હતું. આમ તેઓ તે સમયે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષની સૌથી વધારે ભણેલી-ગણેલી વ્યક્તિઓ પૈકી એક હતા.


ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે. તેઓ પણ એક સારા લેખક હતા અને સમૃદ્ધ પુસ્તકાલય ધરાવતા હતા. તેમનું સૌથી વિસ્મરણીય પ્રદાન છે  આ શબ્દોકોશ એ તેમની ચિરંજીવ કૃતિ છે. આ શબ્દકોશ 25 વર્ષમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો. આ શબ્દકોશ માટે નવા શબ્દ માટે 1 આનો આપવામાં આવતો હતો.


વર્ષ 1895માં પુણેની ફર્ગ્યુસન કૉલેજને 22,500 રૂપિયા, ઑક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટને 50 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. ઉપરાંત લંડનની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટને પણ દાન આપ્યું હતું. જેમાંથી તે સંસ્થાએ 'ગોંડલ રૂમ' બાંધ્યો હતો.

ફર્ગ્યુસન કૉલેજને અપાયેલ દાન બદલ કૉલેજમાં ગોંડલના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખવામાં આવતી. જે પ્રથા હજુ સુધી જળવાઈ છે.

હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના પણ શરૂ કરાઈ કરાઈ હતી. વિદ્વાન કેળવણીકારો પાસે અંગ્રેજી-ગુજરાતી વાચનમાળા તૈયાર કરાવી હતી. ઉપરાંતા તેમણે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ફારસી અને સંસ્કૃત વગેરે વિષયોમાં 161 ગ્રંથો પ્રસિદ્ધ કરાવ્યા હતા.

તેમણે પ્રાથમિક શિક્ષણના વિકાસ પર ભાર મૂક્યો હતો. પરિણામે તેમના 60 વર્ષના શાસનને અંતે 1943-44માં ગોંડલનાં 175 ગામોમાંથી 172 ગામોમાં તેમણે પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. શિક્ષકો મળી રહે તે માટે તેમણે ગોંડલમાં અધ્યાપન મંદિર શરૂ કર્યું હતું.

 'ભગવતસિંહજી સૌરાષ્ટ્રના રાજવીઓમાં સૌથી વધુ શિક્ષણ પામેલ અને સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતા રાજવી હતા. રાજ્યની પ્રજાના શિક્ષણના વિકાસ માટે તેમણે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.'

સૌરાષ્ટ્રમાં શિક્ષણ માટે ખાસ કરીને મફત કન્યાકેળવણીના વિકાસના ક્ષેત્રે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં ગોંડલને પ્રથમ સ્થાન તેમણે અપાવ્યું હતું

સૌરાષ્ટ્ની પ્રથમ રેલવે ભાવનગર-ગોંડલ વચ્ચે શરૂ થઈ હતી. તેમાં કુલ 86 લાખનો ખર્ચ થયો હતો. તેમાંથી ભાવનગર રાજ્યે 57 લાખ અને ગોંડલ રાજ્યે 29 લાખ ખર્ચ્યા હતા.

આ સિવાય રાજ્યમાં તાર અને ટપાલ સેવાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક મોટા ગામને ટેલિફોનની સગવડ પણ આપવામાં આવી હતી.

1924માં સૌરાષ્ટ્ર સૌપ્રથમ ગોંડલમાં વીજળી આવી હતી. ભગવતસિંહજી પુલ માટે સો વર્ષ અને રસ્તા માટે વીસ વર્ષનું બાંયધરીપત્રક તેનું બાંધકામ કરનાર કૉન્ટ્રાક્ટરો પાસેથી લખાવી લેતા.

સૌરાષ્ટ્રમાં કોઈએ ટ્રામ જોઈ ન હતી ત્યારે 1895-99માં ધોરાજીમાં ટ્રામ શરૂ કરાઈ હતી

કૂવા ખોદવા માટે ખેડૂતોને સહાય અપાતી હતી. પરિણામે કૂવાની સંખ્યા 1250થી વધીને 7500 થઈ હતી.

 ગોંડલ અને પાનેલીમાં મોટાં તળાવ બાંધી તેમાંથી નહેરો કાઢી સિંચાઈ માટેની સગવડો કરાઈ હતી.

છપ્પનિયા દુષ્કાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો હતો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો હતો. ગરીબો માટે રાહતકાર્યો શરૂ કરવામાં આવ્યાં હતાં.

દરરોજ બપોરે તેઓ બારથી એક વાગ્યા સુધી દરબારગઢમાં જાહેરજનતાને મળતા. આ સિવાય તેમણે રાજ્યની પોલીસવ્યવસ્થાને પણ મજબૂત અને કાર્યશીલ બનાવવાનું કામ કર્યું હતું.

સમાજના દરેક વર્ગના લોકો કોઈ પણ ભેદભાવ વગર રાજવીને હજૂર બંગલામાં, પુસ્તકાલયમાં કે દરબારગઢમાં ગમે ત્યારે મળી શકતા હતા.

રાજ્યના ન્યાયતંત્રનું આધુનિકીકરણ કર્યું હતું. દીવાની અને ફોજદારી અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. ન્યાય ઝડપથી મળી રહે તે માટે રાજા જાતે ખૂબ જ સજાગ હતા. પરિણામે ન્યાયવ્યવસ્થામાં પ્રજાનો વિશ્વાસ ખૂબ વધ્યો હતો.

ટૂંકમાં એમ કહી શકાય કે તેમના વહીવટતંત્રનું સૂત્ર હતું 'પ્રજાનું કલ્યાણ'.


  • ૨૫ ઑગસ્ટ, ૧૮૮૪ - રાજ્યાભિષેક
  • ૧૯૩૦-૩૩ - કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં.
  • શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
  • વૃક્ષપ્રેમ - ગોંડલ રાજ્યના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુઓ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા.
  • પુસ્તક પ્રકાશન – ભગવદ્ગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના ૯૮૭૦ જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.

ગોંડલ રજવાડાની સ્થાપના ઇસ ૧૬૩૪માં જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામનજી એ કરી હતી, જેમણે અરડોઇ અને અન્ય ગામો તેમના પિતા મેરામનજી તરફથી મેળવ્યા હતા. આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજીઉપલેટા, સરાઇ અને પાટણવાવ અને અન્ય પરગણાંઓ રાજ્યમાં ઉમેરીને વિસ્તાર કર્યો હતો. ગોંડલના છેલ્લા શાસક મહારાજા ભોજરાજી ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા

ગોંડલના શાસકો જાડેજા વંશના ઠાકુરો હતા જેઓ ૧૧ તોપોની સલામીનો હક ધરાવતા હતા. 

૧૮૬૬ પછી તેઓને'ઠાકુર સાહેબ'નો ઇકલાબ મળ્યો હતો.

૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.
૧૮૯૫ – માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.
૧૯૦૦ – માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરીજે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.
૧૯૧૯ – માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.
૧૯૨૪ – માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.
૧૯૨૮ – માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ – માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.
૧૯૩૪ – માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.
1૯૩૪ – માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.
૧૯૩૦-૩૩ – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
૧૯૩૬ – માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.


પુરસ્કાર અને સન્માન
  • ૧૮૯૭ - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઈ.ઈ. નો ઇલકાબ
  • ૧૯૩૪ - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
  • જી.સી.એસ.આઇ., જી.સી.આઇ.આઇ., એફ.આર.એસ., ડી.સી.એલ., એમ.આર.આઇ., એફ.સી.પી એન્ડ એસ., ફેલો ઑવ બોમ્બે યુનિવર્સિટી


પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી એ સ્વદેશી અપનાવાનું કહી ‘મેડ ઇન ગોંડલ’ અભિયાન ચાલુ કર્યું હતું

ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ દાખલ કરનારા વડોદરાના શાસક સયાજીરાવ ત્રીજા હતા. 1893માં તેમણે સૌરાષ્ટ્રના અમરેલી વિભાગનાં દસ ગામોમાં તેનો પ્રારંભ કર્યો હતો. પરંતુ 1919માં સંપૂર્ણ ગુજરાતમાં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરવામાં ગોંડલ રાજ્ય પ્રથમ હતું. વર્ષ 1919માં ફરજિયાત કન્યાકેળવણી દાખલ કરી હતી.

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ને કારણે સમગ્ર હિન્દુસ્તાનમાં લોકડાઉન છે. ત્યારે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પર વજન મૂક્યો હતો. જેનું ઉમદા ઉદાહરણ રાજવી કાળનું ગોંડલ અને પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી કહી શકાય. 25 ઓગસ્ટ 1884ના રોજ યુવા અવસ્થામાં ગોંડલની રાજગાદી મહારાજા ભગવતસિંહજીએ સંભાળી ત્યારે સૌથી પહેલો સંદેશો પ્રજાજનોને આત્મનિર્ભર, સ્વાવલંબી અને સ્વદેશીનો આપ્યો હતો અને પોતાના રાજવી કાળમાં આ લક્ષ્યને પ્રજાના સહકારથી પૂર્ણ કર્યું હતું. 1884માં ગોંડલ રાજ્યમાં એકલ-દોકલ મિલથી લઈ નજીવા ધંધા રોજગાર હતા. ગોંડલ રાજ્ય બિલકુલ પરાવલંબી હતું ‘ગોંડલ બાપુ’ સત્તા આરૂઢ થતાં જ જાણે સમગ્ર રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેમ ‘રાજા અને પ્રજા’ બંન્ને એ નક્કી કર્યું કે લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ગોંડલમાં જ બનાવી સંપૂર્ણ સ્વદેશી અપનાવીએ અને આ શુભ સંકલ્પ સાથે ‘મેડ ઇન ગોંડલ’ની શરૂઆત થઈ હતી.

ભગવતસિંહજીને વર્ષ 1926માં 'મહારાજા'નું બિરુદ એનાયત કરાયું હતું. 1934માં તેમના શાસનકાળનાં પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે ગોંડલ રાજ્યની પ્રજા દ્વારા તેમનો સુવર્ણજયંતી મહોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેમને સુવર્ણથી તોલવામાં આવ્યા હતા. સુવર્ણ તુલાવિધિ તારીખ 13 ડિસેમ્બર, 1934ના રાજ્યના પુરોહિત પોપટલાલ જગન્નાથ શુક્લે કરાવી હતી. આ વિધિમાં રાજવીનું વજન 60 કિગ્રા થયું હતું.

તેમણે આ સોનાની રકમ પ્રજાકલ્યાણમાં વાપરવાનું નક્કી કર્યું હતું. ભૂતકાળમાં સમ્રાટ અકબર અને શિવાજીની તુલાવિધિ સુવર્ણથી કરાઈ હતી. પરંતુ પ્રજાએ પોતાના રાજવીને સોનાથી તોળ્યા હોય અને તે સોનું પ્રજાકલ્યાણમાં ખર્ચવાનું નક્કી કર્યું હોય તેવો તો આ જગતમાં એક અનોખો પ્રસંગ હતો.

આ સુવર્ણવિધિનો કાર્યક્રમ લંડનના બીબીસી રેડિયો ઉપરથી પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. લંડનમાં 'ડેઇલી ટેલિગ્રાફે’'પણ તે અંગે મોટા મથાળા સાથે લખેલું અને તેમને 'આધુનિક ગોંડલના ઘડવૈયા' ગણાવ્યા હતા.

લંડનના 'ટાઇમ્સ', મુંબઈના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા', મદ્રાસના 'ઇન્ડિયન સ્ટેટ્સ ગૅઝેટ', મુંબઈના 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા' વગેરેએ આ પ્રસંગને વિશેષ પૂર્તિરૂપે બહાર પાડીને કે મુખ્ય સમાચાર તરીકે ચમકાવ્યા હતા.

મહારાજા ભગવતસિંહજીના સમયમાં રાજ્યમાં દારૂબંધીનો કાયદો હતો. ભગવતસિંહજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર યુવરાજ ભોજરાજને દારૂ પીવાનું છોડી દેવા અનેક વખત સલાહ આપ્યા છતાં તેની કાંઈ અસર ન થતાં તેમને ગોંડલની હદ છોડી જવા ફરમાન થતાં તેઓ મોવિયા જઈને રહ્યા હતા.

ધોરાજીમાં ગાયોની કતલ બંધ ન થાય ત્યાં સુધી રાજાએ ધોરાજીનું પાણી પણ ન પીવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. મહંમદઅલી ઝીણા ગોંડલમાં આવે તો કોમવાદી હિંસા ફેલાય તેવો ડર હતો, તેથી તેમને કુનેહપૂર્વક ગોંડલ આવતા રોક્યા હતા.

અફીણના વ્યસનને નાથવા તેમણે વ્યસનીઓ સામે ગોંડલ રાજ્યમાં નોકરી કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત દીકરીને દૂધપીતી કરવી, બાળહત્યા કરવાના કુરિવાજનો નાશ કરાયો હતો. રાજકુટુંબમાંથી ઓઝલ (પડદા) પ્રથા નાબૂદ કરી હતી. 1903-04માં રાજ્યે બાળાશ્રમ અને અનાથાશ્રમ શરૂ કર્યા હતા.

તમામ વસ્તુનું ગોંડલમાં ઉત્પાદન થતું હતું
‘શ્રી ભગવતસિંહજી ધ મેકર ઓફ મોર્ડન ગોંડલ’ પુસ્તકમાં નિહાલસિંઘે લખ્યું છે કે, ગોંડલના રાજવી કાળમાં 2 રૂપિયા ફૂટથી લઈને 50 રૂપિયા ફૂટ સુધીના ગાલીચા તૈયાર થતા હતા અને આવા કલામય ગાલીચા માટે કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું. ગાલીચાનું ઉન ગોંડલમાં જ રંગવામાં આવતું હતું. સિલ્વર જ્યુબિલી વર્કશોપમાં નાના સ્ક્રૂથી લઈ મોટી ગાડીઓ બનતી હતી. સુથારી કામ, લુહારી કામ તેમજ દરેક સંચાના સમારકામ પણ થતા હતા. બાંધકામમાં ઉપયોગી તમામ નાની-મોટી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું. ડામર રસ્તા માટે જરૂરી પંપ, એન્જિન તેમજ પેપરવેઈટ તથા ડામર ઓગાળવા માટેના એન્જિનો તેમજ કૂવામાંથી પાણી ખેંચવાના પંપ, તોલમાપના સાધનો, સિમેન્ટના બુગદા, ગરાદ, લાદી, લોખંડી કામ માટેની કાતરો, હીટર, બોઇલર તથા કોટન ઉદ્યોગ તેમજ ફર્નિચર અને હાર્ડવેરનો તમામ સામાન ઉત્પાદન થતો હતો.


છાપખાનની દરેક વસ્તુ પણ ગોંડલમાં બનતી

ગોંડલ રાજ્યમાં ખાણનો ઉદ્યોગ પણ સારો ખીલ્યો હતો. તેથી પથ્થરો પણ આયાત કરવાની જરૂર નહોતી. કારખાનાઓમાં વીજળીના થાંભલા, રેલિંગ, ચશ્મા, સુડીસપ્પા, સ્ટવ, અનાજ દળવાની ઘંટી, ઓઇલ એન્જિન અને ચિચોળા પણ બનતા. ગોંડલના છાપખાનામાં એ સમયે ટાઈપ ફાઉન્ડ્રી, બ્લોક મેકિંગ, લિથો પ્રિન્ટિંગ, સોનેરી બાઇન્ડિંગ, એમ્બોસિંગ, ટિકિટ કટીંગ અને પ્રિન્ટિંગ વગેરે કામો થતા હતા. ટાઈપની મેટ્રિસો કે જે એ સમયે પરદેશથી આયાત થતી હતી તે પણ ગોંડલમાં જ ઇલેક્ટ્રો પ્રોસેસથી તૈયાર કરવામાં આવતી હતી.
અનેક પ્રકારના સાધનો પણ બનતા હતા
છાપકામ માટેના કાગળો, જસત અને ત્રાંબાના બ્લોક, તકતીઓ, શિલાલેખ, નાના-મોટા નકશાઓ, શિક્ષણ સાહિત્યના સાધનો પણ ગોંડલમાં બનતા હતા. પ્લાસ્ટર ઓફ પેરિસ જેવું પ્લાસ્ટર ગોંડલ રાજ્ય નું વિખ્યાત થયેલ હતું ભારત વર્ષની નાની મોટી હોસ્પિટલોમાં તે સમયે જીવ વિજ્ઞાનના પ્રયોગમાં લેવામાં આવતું. લાકડાના રમકડાં, ઉનની ધાબડી, દાંતની ચુડીઓ, મોજીરાની ઘંટીઓ અને ઓરસીયા તેમજ ચામડાનો ઉદ્યોગ પણ હતો. મીનારી કામ, જીક-સતારાનું કામ, રેશમી બાંધણીઓ વખણાતી હતી. ગ્રામ્ય ઉદ્યોગોમાં ચિનાઈ માટી જેવા માટીના વાસણો, સુતરના બારીક વણતરના કામો પણ વખણાતા હતા.


તે સમયે વિદેશી દવાઓ પણ બનતી હતી
ગોંડલ રસશાળાની દવા હિન્દુસ્તાન તેમજ વિદેશમાં પણ નિકાસ થતી હતી. રાજ્યમાં વિલાયત દવાઓ પણ બનતી હતી. નાહવા અને કપડાં ધોવાના સાબુ પણ બનતા તથા લોખંડની તિજોરી, સંચા, સોનું તોલવાના કાંટા પણ બનતા હતા. આ વાતની પુષ્ટી ‘ગોંડલ બાપુ’ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદજીએ તથા ‘ભગવત ગુણભંડાર’ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર દવે એ પણ કરી છે. આવી રીતે તમામ ચીજવસ્તુઓનું ગોંડલમાં ઉત્પાદન થતું અને સ્વાવલંબી બન્યું હતું.


મહારાજાને લોકોએ સોનાથી તોલ્યાં હતા
આત્મનિર્ભર ગોંડલને રાજવી કાળમાં ખૂબ જ સમૃદ્ધ અને વિકાસશીલ અને લોકોને તમામ સ્વદેશી વસ્તુઓ વાપરી વિદેશ જેવી સગવડતા પ્રાપ્ત થતી હતી. રાજાનો ઉમદા સંકલ્પ અને પ્રજાની મહેનતથી ગોંડલે પ્રથમ દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજીએ 60 વર્ષ શાસન કર્યું હતું અને 50 વર્ષ શાસનકાળને પૂર્ણ થતા 25 ઓગસ્ટ 1934ના દિવસે ‘સુવર્ણ મહોત્સવ’ પ્રસંગે ‘આત્મનિર્ભર ગોંડલ’ને ભારતનું પ્રથમ સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ્ય બનાવ્યું હતું. ગોંડલ સર્જક પ્રજાવત્સલ મહારાજાને લોકોએ સોનેથી તોલ્યાં હતા. ભારતના ઇતિહાસમાં શિવાજી મહારાજ પછીનો આ પ્રથમ પ્રસંગ હતો અને એ સોનાને પ્રજાના કલ્યાણ અર્થે વાપરવાનો વિશ્વનો પ્રથમ પ્રસંગ હતો.


ભગવતસિંહજી “ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા…સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવા હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇને નિમણૂંક આપી હતી.


ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દિલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.
કોઇ કલ્પના પણ કરી શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણીના ભાવમાં ઉછાળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બ્રિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.


મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).


પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એકવખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ કે ભગાબાપુ અમને ‘થાકલા’ બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી ‘થાકલા’ એટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી.( આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે).


પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે. 
ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા. 

 ગાંધીજીએ વર્ષ 1915માં ભારત પરત ફર્યા બાદ ગોંડલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત એટલા માટે મહત્ત્વની ગણી શકાય, કારણ કે તેઓ વિશ્વભરમાં 'મહાત્મા ગાંધી' તરીકે જાણીતા બન્યા હતા તે 'મહાત્મા'ની પદવી ગાંધીજીને વર્ષ 1915માં ગોંડલના રસશાળા ઔષધાશ્રમ તરફથી અર્પણ કરાયેલા માન-પત્રમાં આપવામાં આવી હતી.


મહારાજા ભગવતસિંહજી જીવ્યા ત્યાં સુધી હરહંમેશ પોતાની પ્રજાના હિતનો વિચાર મનમાં લઈને જીવ્યા. આવા પ્રજાવત્સલ, વિદ્યાપ્રેમી અને દયાળુ રાજવીનું 9 માર્ચ , 1944ના રોજ દેહાવસાન થયું હતું. તેમના બાદ ગોંડલની ગાદીએ તેમના પુત્ર ભોજરાજજી આવ્યા હતા.


ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે.

વિશેષ માહિતિ માટે PDF ફાઇલ વાંચો... અહિ ક્લિક કરો.

ભગવદ્ગોમંડલ શબ્દ્કોષ વિશેની માહિતી મેળવવા અહિ ક્લિક કરો.