મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

22 October, 2023

બિપીનચંદ્ર પાલ

 બિપીનચંદ્ર પાલ

(લાલ-બાલ- પાલ ની ત્રીપુટીમાના એક)


જન્મતારીખ: 7 નવેમ્બર 1858

જન્મ સ્થળ: પોઇલ, હબીબગંજ, બાંંગ્લાદેશ
પિતાનું નામ:  રામચંદ્ર પાલ
માતાનું નામ: નારાયણી દેવી
અવશાન: 20 મે 1932


ભારતીય સ્વતંત્રતા આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ બાલ પાલ ની ત્રિપુટી માના એક એટલે બીપીનચંદ્ર પાલ. ભારતમાં ક્રાંતિકારી વિચારોનો જનક બિપિનચંદ્ર પાલને કહેવામાં આવે છે

 બિપિનચંદ્ર પાલ એક રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા પણ હતા

બીપીનચંદ્ર પાલનો જન્મ બંગાળ પ્રેસિડેન્ટીના સીલ્હેટ જિલ્લાના હબિગંજના પોઇલ  ગામમાં 7 નવેમ્બર 1858 ના રોજ એક હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ પર્શિયન વિદ્વાન અને નાના જમીનદાર હતા. બીપીનચંદ્ર પાલનું પ્રારંભિક શિક્ષણ ઘર પર જ ફારસી ભાષામાં થયું હતું. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કલકત્તા ગયા ત્યાં બ્રહ્મસમાજના અગ્રણી કેશવચંદ્ર સેન નો તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો અને તેઓ બ્રહ્મસમાજ સાથે જોડાઈ ગયા. આ વાત તેમના પિતાને પસંદ પડી નહીં આથી તેમને બિપિનચંદ્રનું આજીવન મો ન જોવાની કસમ ખાધી. 

બ્રહ્મસમાજના સિદ્ધાંતો તેમના જીવનમાં એવી રીતે ઉતરી ગયા કે જે કોઈ આ સમાજની વિરુદ્ધમાં જાય તેમને તેઓ શાસ્ત્રાર્થ કરવાનો પડકાર ફેંકતા હતા. આવા જ એક કાલીચરણ બેનર્જી બ્રહ્મસમાજની વિરુદ્ધમાં ઉગ્ર ભાષણ આપતા ત્યારે બીપીનચંદ્ર એ સતત સાત ભાષણ આપીને કાલીચરણના વિચારોનું ખંડન કર્યું હતું. બીપીનચંદ્ર બ્રહ્મસમાજના સિદ્ધાંતોનું ચુસ્ત અનુસરણ કરતા હતા કારણ કે બ્રહ્મ સમાજ એ સુધારવાદી સમાજ હતો અને સમાજની ખોટી પ્રથાઓ અને રિવાજોનો વિરોધી હતો.

બીપીનચંદ્ર માત્ર ભાષણ આપીને ચૂપ રહેતા ન હતા પરંતુ સમાજના નિયમોનું અનુસરણ પણ કરતા હતા. આ જ કારણથી જ્યારે તેમના પ્રથમ પત્ની મૃત્યુ પામ્યા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ નેતા સુરેન્દ્રનાથ બેનર્જીની વિધવા ભત્રીજી સાથે પુન:લગ્ન કર્યા.  આ લગ્ન એ તે સમયે ભારે ઉહાપોહ મચાવ્યો કારણકે તે સમયે વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો


તેમને કેટલાક કારણોસર ગ્રેજ્યુએટ થતાં પહેલાં પોતાનું શિક્ષણ છોડવું પડ્યું અને કલકત્તાની એક સ્કૂલમાં હેડ માસ્ટર તથા ત્યાંની  જ એક પબ્લિક લાઇબ્રેરીમાં લાયબ્રેરીયન તરીકે નોકરી કરી.

1886 માં પરિદર્શક નામના સાપ્તાહિકમાં તેમને કામ શરૂ કર્યું જે સિલ્હટ થી નીકળતું હતું બિપિનચંદ્ર પાલ એક શિક્ષક પત્રકાર લેખક તરીકે ઘણો સમય કાર્ય કર્યું અને તેઓ એક બહેતરીન વક્તા અને રાષ્ટ્રવાદી નેતા પણ હતા જેમને અરવિંદ ઘોષ સાથે મુખ્ય પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે.

બિપિનચંદ્ર સાર્વજનિક જીવન અને અંગત જિંદગીમાં પણ પોતાના વિચારો પર અમલ કરનારા અને ચાલી આવેલી રૂઢિચુસ્ત માન્યતાના સખત વિરોધી હતા.

તેમણે એક વિધવા મહિલા સાથે વિવાહ કર્યા હતા જે તે સમયે ચોકાવનારી બાબત હતી અને આ પગલાંને લીધે તેમને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવો પડ્યો હતો.


તેમણે આપેલા ભાષણોના કારણે તેમને ખૂબ નામના મળી હતી. 1900 માં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પણ તેમણે ઘણા ભાષણો આપ્યા અને ઘણા વર્તમાનપત્રમાં લેખો લખતા રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં તેમણે "સ્વરાજ" નામની પત્રિકા છાપી હતી. ઇંગ્લેન્ડ થી પાછા ફર્યા બાદ તેમને "ન્યુ ઇન્ડિયા" નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું અને ત્યાર પછી શ્રી અરવિંદના વર્તમાનપત્ર "વંદે માતરમ" માં પણ તેમને કામ કર્યું


1905 માં બંગાળ વિભાજન વિરોધમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ લાલ બાલ અને બાલની ત્રિપુટી એ જોરદાર આંદોલન કર્યું જેને મોટા પાયે જનતાનું સમર્થન મળ્યું.

આ ત્રિપુટી ઉગ્ર વિચારસરણી માટે જાણતી હતી. બંગ ભંગ આંદોલન દરમિયાન બ્રિટિશ સરકારે અરવિંદ ઘોષની ધરપકડ કરી અને બિપિનચંદ્ર પાલને તેમની વિરુદ્ધમાં સાક્ષી બનવા કહ્યું ત્યારે તેઓ માન્ય નહીં અને તેમના પર કોર્ટના મા ભંગનો કેસ ચલાવવામાં આવ્યો. ત્યાર તેમને સરકારને સ્પષ્ટ પણે કહ્યું કે "કોઈપણ દેશભક્તની વિરુદ્ધમાં હું જઈશ નહીં ભલે મારે ફાંસીએ ચડવું પડે" ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા છ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ બમણા જોશથી કામ કરવા લાગ્યા અને દેશમાં ખૂણે ખૂણે જોશ ભર્યા ભાષણ આપવા મળ્યા 1919 માં તેઓ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ ગયા અને ત્યાં પણ તેમને દેશની આઝાદી માટે ચળવળ ચલાવી.


બીપીનચંદ્ર પાલે ઘણી રચનાઓ લખી છે જેમાં ધ ન્યુ સ્પીરીટ, ઇન્ડિયન નેશનલિઝમ, નેશનાલિટી એન્ડ એમ્પાયર, સ્વરાજ એન્ડ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, વિક્ટોરિયા બાયોગ્રાફી, ધ બેજીસ ઓફ રિફોર્મ, ધ સોલ ઓફ ઇન્ડિયા વગેરે…..આ ઉપરાંત એમને ઘણી પત્રિકાઓમાં પણ સંપાદન કર્યું છે જેમાં પારદર્શક, બંગાળ પબ્લિક ઓપોનિયન, લાહોર ટ્રીબ્યુન, ધ ન્યૂ ઇન્ડિયા, ધ ઈન્ડીપેન્ડન્ટ ઇન્ડિયા, વંદે માતરમ, સ્વરાજ  અને ધ હિન્દુ રીવ્યુ વગેરે…


દેશની નવી રાજનીતિ સાથે તાલમેલ જાળવી ન શકતા તેઓ એક હાસિયમાં ધકેલાઈ ગયા.  દેશ જાગૃતિ માટેનો તેમનો ફાળો ક્યારેય ભૂલી શકાશે નહીં.

બીપીનચંદ્ર પાલે સમગ્ર જીવન રાષ્ટ્રહિત માટે કામ કર્યું છે સમાજ સુધારક અને સ્વતંત્ર સેનાનીનુ  20 મે 1932ના રોજ  નિધન થયું હતું


રમેશ પારેખ

 રમેશ પારેખ 






આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

ડૉ. વર્ગીસ કુરિયન

 ડૉ. વર્ગીસ કુરિયન

(શ્વેત ક્રાંતિના જનક અને 'મિલ્કમેન ઑફ ઇન્ડિયા' (Milk Man of India))





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

બકુલ ત્રિપાઠી

 બકુલ ત્રિપાઠી





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

શ્રી રંગ અવધુત મહારાજ

 શ્રી રંગ અવધુત મહારાજ

(નારેશ્વરના સંત)








આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

મદન મોહન માલવિયા

 મદન મોહન માલવિયા

(બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક)







આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



શ્રીમદ રાજચંદ્ર

 શ્રીમદ રાજચંદ્ર 

(મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ)



જન્માતારીખ: 9 નવેમ્બર 1867

જન્મસ્થળ: વવાણિયા, મોરબી, ગુજરાત

અવશાન: 9 એપ્રિલ 1901 (રાજકોટ)





આભાર

વિનુભાઇ ઉ. પટેલ

લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



ભારત સરકારે શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડ્યાં હતા