મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 February, 2021

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

28 ફેબ્રુઆરી


ટચૂકડા મોબાઇલ ફોન કે લેપટોપને ઈન્ટરનેટ મારફતે જોડીને ઘરમાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે કે નેટ બેંન્કિંગ મારફતે ઓનલાઈન ખરીદી કરતી વખતે કે ભવિષ્યમાં થનારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની માહિતી વિષે અખબારોમાં વાંચતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ? આપણો જવાબ હશે "ના", 

રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં 28 ફેબ્રુઆરીને "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.



વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.

૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી 'રામન ઈફેક્ટ' તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકારશ્રી દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.



રાષ્ટ્રીય  વિજ્ઞાન દિવસનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને  વિજ્ઞાન તરફ આકર્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવાનો છે અને જનતાને  વિજ્ઞાનઅને  વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જાગૃત કરવાનો છે. આ દિવસે, તમામ  વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય  વિજ્ઞાન પ્રયોગશાળાઓ,  વિજ્ઞાન અકાદમીઓ, શાળાઓ અને કોલેજો અને તાલીમ સંસ્થાઓમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ ઘટનાઓમાં વૈજ્ઞાનિકોના વ્યાખ્યાન, નિબંધ, લેખન,વિજ્ઞાન ક્વિઝ, વિજ્ઞાન પ્રદર્શન, અને સેમિનાર વગેરેનો સમાવેશ થાય છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે રાષ્ટ્રીય અને અન્ય એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ ઇનામો પણ મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દેશમાં વિજ્ઞાનની સતત પ્રગતિ માટે હાકલ કરે છે.



ડો. ચંદ્રશેખર વેંકટરામનનો (ડો. સી.વી.રામન) જન્મ ૭મી નવેમ્‍બર, ૧૮૮૮માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે થિરૂવનાઇકકાવલ ગામમાં થયો હતો. નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્‍‍ય વિજ્ઞાનને જ બનાવીશ. પાઠ્યપુસ્‍તકોની સાથે-સાથે કોલેજ લાઇબ્રેરીમાં મોટા-મોટા ગ્રંથો વાંચતા હતા. તેઓ પોતાની એક પણ ક્ષણ વ્‍યર્થ જવા દેવા નહોતા માંગતા. પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ, વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્‍ય લક્ષ્‍‍ય હતું.

તેઓ સરકારી નોકરી કરતા હોવા છતા વિજ્ઞાનની રૂચિને કારણે સંશોધન ચાલુ રાખ્‍યું ઇ.સ. ૧૯૧૭માં કલકતા વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી સરકારી નોકરી માંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સર્મપીત કર્યો



રામન અસર શોધનો પ્રારંભ ઇ.સ. ૧૯૨૧માં થયો હતો અને શોધ પૂર્ણ થઇ હતી. ઇ.સ. ૧૯૨૮માં એ શોધ ઇન્‍ડિયન જર્નલ ઓફ ફિઝિકસ કલકતામાં સર્વપ્રથમ પ્રકાશિત થઇ હતી.

 ઇ.સ. ૧૯૩૦માં સ્‍વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઇન્સ્ટિટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. ૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો. સમસ્ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો. સી.વી. રામનને ફાળે જાય છે.

ડો. સી.વી.રામન વિશે વધુ માહિતી મેળવવા નીચે આપેલ તેમના ફોટા પર ક્લિક કરો.






વર્ષ ૧૯૯૯ થી નેશનલ સાયન્સ ડે ની ઉજવણી થીમ આધારીત કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં "અવર ચેન્જીંગ અર્થ", વર્ષ ૨૦૦૧માં " વિજ્ઞાન શિક્ષણ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ", વર્ષ ૨૦૦૩માં " ૫૦ વર્ષ ડીએનએ ના અને ૨૫ વર્ષ આઈ.વી.એફ ના - જીવનની રૂપરેખા", વર્ષ ૨૦૦૯માં " વિજ્ઞાનની વિકસતી ક્ષિતીજો", વર્ષ ૨૦૧૫માં "રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાનનો ઉપયોગ" તથા વર્ષ ૨૦૧૮માં " ઉજ્વળ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ" જેવી વિવિધ વિષયોની થીમ ૫ર નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.



અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં આજે ભારત વિશ્વના કેટલાક એવા દેશોમાં શામેલ છે, જેમકે ચંદ્રયાન અને મંગલ્યાનની સફળતા સહિત સીએઆરએન અને થર્ટી મીટર ટેલિસ્કોપ જેવા ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારી કરીને વિજ્ andાન અને તકનીકીમાં તેની સંભાવના દર્શાવી છે.

આ દિવસે વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રેડીયો-ટીવી પર વિવિધ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવે છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિજ્ઞાનને લગતી ચર્ચાઓ, સાયન્સ ક્વિઝ, સાયન્સ મુવીઝ વગેરેનું ૫ણ નિદર્શન કરવામાં આવે છે.



વિક્રમ લૈંડરનું નામ ઇસરોના પુર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2ને ઓબિર્ટર, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર સહિત ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2020 ની થીમ 

'વિમેન ઇન સાયન્સ (Women in Science)

ડો. ઇન્દિરા હિંંદુજા

પ્રથમ ભારતીય મહિલાઓ કે જેમણે 1986 માં ટેસ્ટ ટ્યુબ બેબીનેે જન્મ અપાવ્યો  હતો.



કલ્પના ચાવલા

અંતરીક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા


સુનિતા વિલિયમ્સ

ભારતીય મૂળની મહિલા અંતરીક્ષયાત્રી




આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતની પ્રથમ મહિલા ચિકિત્સક હતી



જાનકી અમ્મલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક હતા જેણે પદ્મશ્રી પ્રાપ્ત કર્યો હોય. તેમને 1977 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જાનકી અમ્મલે બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.



કમલા સોહોની પ્રો.સી.વી. રમણની પ્રથમ મહિલા વિદ્યાર્થી હતી અને કમલા સોહોની પી.એચ.ડી. કરનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક હતા. કમલા સોહોનીએ શોધી કાઢ્યું હતું કે છોડની દરેક પેશીઓમાં 'સાયટોક્રોમ સી' નામનું એન્ઝાઇમ જોવા મળે છે.



અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્રમાં તેમના કામો માટે ખૂબ પ્રખ્યાત થયા હતા. અસીમા ચેટર્જી 1936 માં કેમેસ્ટ્રી વિષયમાં કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી સ્નાતક થયા હતા. એન્ટી-ઇપીલેપ્ટિક (વાઈના હુમલા) અને એન્ટી મેલેરિયાની દવાઓ એસિમા ચેટર્જી દ્વારા વિકસાવવામાં આવી હતી. અસીમા ચેટર્જી પણ કેન્સર સંબંધિત સંશોધનમાં સામેલ હતા. 




મિશન ગગનયાનનું સુકાન મહિલા વૈજ્ઞાનિક ડૉ. લલિથાબિંકા સંભાળશે

ડૉ. લલિથાબિંકા રોકેટ એન્જીનિયર તરીકે 30 વર્ષથી ઈસરોમાં કાર્યરત છે


આ ISROની રોકેટ વુમન છે, જેમણે ચંદ્ર પર ભારતની કામયાબીના સપનાને સાચુ કર્યું છે. ભારતના આ સપના માટે બંને મહિલાઓએ રાત-દિવસ એક કરી દીધા છે. જેમાં પહેલી મહિલાનું નામ છે મુથય્યા વનીથા જે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. જ્યારે બીજી મહિલા રિતુ કરિધલ છે, જે ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર છે.




સામાન્ય વિજ્ઞાન વિશેના પ્રશ્નોની ફાઇલ માટે અહી ક્લિક કરો.

વિજ્ઞાન દિન નિમિત્તે બાળકોને ક્વીઝ રમાડવા માટેની રાઉન્ડ મુજબની ફાઇલ માટે અહી ક્લિક કરો.

સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની ફાઇલ માટે અહી ક્લિક કરો.


24 February, 2021

રવિશંકર મહારાજ જીવન પરિચય (Ravishankar Maharaj)

 રવિશંકર મહારાજ

(ગુજરાતના 'બીજા ગાંધી, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી)





જન્મતારીખ: 25 ફેબ્રુઆરી 1884

જન્મસ્થળ: રઢુ, ખેડા, ગુજરાતી

પુરુ નામ:  રવિશંકર પિતાંબર વ્યાસ

ઉપનામ:  ગુજરાતના 'બીજા ગાંધી' મુઠ્ઠી ઊંચેરો માનવી, 

                કરોડપતિ ભિખારી, ગુજરાતના દાદા,

પિતાનું નામ: પિતાંબર શીવરામ વ્યાસ

માતાનું નામ: નાથીબા

અવશાન:  1 જુલાઇ 1984 (બોરસદ- ગુજરાત)

બૃહદમુંબઈથી મહાગુજરાત અને મહાગુજરાતથી સ્વર્ણિમ ગુજરાત બનવા ભણીની પાંચ દાયકાની સફર ગુજરાતે પૂર્ણ કરી છે, ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના જેમના હસ્તે થઇ હતી તેવા પૂજ્ય રવિશંકર મહારાજ અંગેની કેટલીક માહિતી આજે તેમની જન્મ જયંતિએ આપણે મેળવીશું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં.. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

 તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

ગુજરાતના બીજા ગાંધી એટલે રવિશંકર મહારાજ

તેમનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામે (મોસાળમાં) મહાશિવરાત્રીના દિવસે (25 ફેબ્રુઆરી-1884)  થયો હતો. 

 તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું


 ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો.

તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.


ગુજરાત રાજ્યની સ્થાપના તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી.

જીવન ઝરમર
- નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
- 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
- 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત
- 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
- 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
- 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
- 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
- જેલમાં ગામઠી ગીતા સમજાવતા
- આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત
- બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
- 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
- 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
- આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર ખીચડી !
- પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
- 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
- 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી
- 1975 – કટોકટીનો વિરોધ

રચનાઓ
- મહારાજની વાતો
- વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
- માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

-પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.



સન્માન
- ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં 1984માં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી  હતી.

. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે  ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે


નાની ઉમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં ડગ માંડયા હતા.

૧૯૨૦માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટ્ટાવાળા સુધીની ફરજ બજાવી હતી.

૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ સહીત વેરા નહિ ભરવાની ગામે ગામ ઝુબેશ ઉપાડી હતી

૧૯૨૬માં બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો.તો ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં પણ આગેવાની કરી હતી

આ બધા સત્યાગ્રહો અને ચળવળમાં તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો.જેલવાસ દરમ્યાન તેઓ ગામઠી ગીતા સમજાવતા હતા. 

૧૯૨૦માં રવિશંકર મહારાજના જ્યારથી પગરખા ચોરાયા, ત્યારથી તેઓએ પગરખાનો ત્યાગ કર્યો હતો

આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી.

 પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

પહેલી મે ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજયની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી.આ બાદ ૧૯૮૪ સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોંગદ વિધિ બાદ તુરંતજ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

૭૧ વર્ષની ઉંમરે ૧૯૫૫ થી ૧૯૫૮ દરમ્યાન ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા.

૪ એપ્રિલ ૧૯૭૦માં સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઇની પ્રતિમાનુ ઉદ્દ્યાટન પણ રવિશંકર મહારાજે કર્યુ હતુ.

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.


રવિશંકર મહારાજનાં જીવનઉપયોગી ભાથાં સમાન સૂત્રો

ભેગાં મળીને જીવે તે ગામડાંની સંસ્કૃતિ અને ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ

ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ

પ્રતિષ્ઠા કોઈની આપી અપાતી નથી તે તો કર્તવ્ય પાલનમાંથી નીપજે છે


હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવા અભ્યાસક્રમમાં ધોરણ 6 ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં રવિશંકર મહારજનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે છે.

૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું


19 February, 2021

વિશ્વ માતૃભાષા દિવસ (International Mother Language Day )

 વિશ્વ માતૃભાષા દિવસ

21 ફેબ્રુઆરી


આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં ૫ણ ભરતી આવી છે.દિવસે ને દિવસે શિક્ષણનો વ્યા૫ વઘી રહયો છે. તેમાં ઉત્તરોતર નવા નવા અભ્યાસક્રમોને ઉમેરો થઇ રહયો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ ૫ર વઘુ ભાર મુકવામાં આવી રહયો છે. દિવસેને દિવસે અંગ્રેજીભાષા ૫ર વઘુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતુ ગયો છે.મહર્ષિ અરવિદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે ૫ણ અઘ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મુલ્ય પ્રદાન કરી શકે. જયાં સુઘી અઘ્ચતાની માતૃભાષાની ભાષાની વેજ્ઞાનિક ક્ષમતા સંતોષકારક રીતે પાંગરી ન હોય ત્યાં સુઘી બીજી કોઇ ૫ણ ભાાષા ૫ર પ્રભુત્વ મેળવવા જવાનો પ્રયત્ન નિરથક છે. માતાની હુંફની બાળકને જેટલી જરૂર છે તેટલી જ માતૃભાષાની ૫ણ છે જ. છતાં કયાંક એની ઉપેક્ષા થતી હોય તેવુ જણાય છેે.


દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 1999 નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, 2000થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. યુનેસ્કોએ 7000થી વધુ ભાષાઓને વિવિધ દેશોમાંથી ઓળખી કાઢી છે.છે.જેનો ઉપ્યોગ લખવા, વાંચવા કે બોલવામાં થાય છે.

*મનથી બોલાય એ માતૃભાષા  અને મગજથી બોલાય એ પરભાષા.*

*ઇ.સ.1952 માં બાંગ્લા ભાષાને બચાવવા માટે 4 બાંગ્લાદેશી યુવાનો શહીદ થયા એ દિવસ હતો 21 ફેબ્રુઆરી..*

*જેને યુ.એન. દ્વારા વિશ્વ  માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે..*

*આપણી માતૃભાષા ગુજરાતી છે..*

*24 મી ઓગસ્ટ એ ગુજરાતી ભાષા દિવસ છે એ ઘણાને ખબર નથી..*

*જે વિર કવિ નર્મદનો જન્મદિવસ છે..*



શા માટે 21 ફેબ્રુઆરી એ  માતૃભાષા દિવસ ઉજવાય છે.

1948માં પાકિસ્તાનના વડા પ્રધાન મહંમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે હવેથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન માટે રાષ્ટ્રાભાષા ઉર્દુ રહેશે, બંધારણીય ભાષા તરીકે ઉર્દુ ભાષા સ્વીકારાય છ, સરકારી સહિતના બધા કામકાજ હવે ઉર્દુમાં જ થાશે,

આ જાહેરાતને પશ્ચિમ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી પરંતુ પૂર્વ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી નહિ કારણકે  તે લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી, આ લોકો કોઇ પણ ભોગે પોતાની માતૃભાષા છોડીને ઉર્દુ સ્વીકારવા તૈયાર ન હતા, જેના કારણે ભયંકર વિરોધ થયો, આ વિરોધના ભાગરુપે 21 ફેબ્રુઆરી 1952ના દિવસે ઢાંકા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યુ જેનો હેતુ પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનો અને બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી, જેના માટે વિશાળ રેલી કાઢી, હજારો લોકો રેલીમાં જોડાયા, સરકારી આ આંદોલનને કચડી નાખવા પોલિસ મોકલી, પોલીસે લાઠી ચાર્જ અને ગોળીબાર કર્યો જેમા હજારો લોકો ઘવાયા, ચાર જેટલા વિદ્યાર્થીઓ મરી ગયા. ઘણા લોકોએ આ આંદોલનમા જાન ગુમાવી પણ માતૃભાષાની મમતા ના છોડી, 



આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાનો અને વિદ્યાર્થીઓને શ્ર્દ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ 1999ની જનરલ કોન્ફરન્સમાં 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.



બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા

જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.



તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલમાં પોતાની ભાષામાં પુસ્તકો ન હોવાથી આઝાદીના સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું.


ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે. હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે. પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.)એ 2010માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે. આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.




બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું

આપણાં ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!



ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે

પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!




વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ મુજબ સૌથી વધુ બોલાતી ભાષામાં  પ્રથમ ક્રમે અંગ્રેજી છે,  હિંદી ત્રીજા ક્રમે છે. છે. 

 વિશ્વની સૌથી વધુ બોલાતી 20 ભાષાઓમાં ભારતની છ ભાષા છે.



2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે જે જે 57% લોકો બોલે છે, બીજા નંબરે અંગ્રેજી, ત્રીજા નંંબરે બંગાળી, ચોથા નંબરે મરાઠી, જ્યારે ગુજરાતી  છઠ્ઠા નંબરે આવે છે.


2022 ની થીમ: Using technology for multilingual learning: Challenges and opportunities

2021 ની થીમ: “Fostering multilingualism for inclusion in education and society”("શિક્ષણ અને સમાજમાં સમાવેશ માટે બહુભાષીતાને પ્રોત્સાહન આપવું".)

2020ની થીમ: Languages without borders (સરહદો વિનાની ભાષાઓ)

2019ની થીમ: Indigenous languages matter for development, peace building and reconciliation (સ્વદેશી ભાષાઓ વિકાસ, શાંતિ નિર્માણ અને સમાધાન માટે મહત્વપૂર્ણ છે)

2018ની થીમ: Linguistic diversity and multilingualism count for sustainable development.(ભાષાકીય વિવિધતા અને આંતરભાષીયતા ટકાઉ વિકાસ માટે ગણાય છે.)








હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ, પરંતુ તેને હવે થોડું વહાલ પણ કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ."વિશ્વ માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ.


રાધા મહેતા દ્વારા માતૃભાષા વિશે ખુબ સરસ સ્પીચ આપવામાં આવી છે.


સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય


"વિશ્વ માતૃભાષા દિવસ વિચાર કણિકા" 


👉 "માં, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી."

     મા સાથે દરેકનો લોહીનો સંબંધ છે, માતૃભાષા સાથે ભાવનાત્મક સંબંધ છે જ્યારે માતૃભૂમિ સાથે આત્મિક સંબંધ છે. 


👉"માતૃભાષા ત્વચા છે જ્યારે અન્ય ભાષા વસ્ત્ર છે" 


👉"માતૃભાષાને જીવાડશો તો માતૃભાષા તમને જિવાડશે"


👉"માતૃભાષા ગુજરાતીની મીઠાશ તો જુઓ, જતાં લોકોને Bye નહીં આવજો કહીએ છીએ"


👉"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાંં ત્યાં સદા કાળ ગુજરાત" ‌- અરદેશર ખબરદાર


👉 ભાષા જાય તો સંસ્કૃતિ જાય"- ફાધર વાલેસ


👉 સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા અમને ગુજરાતી- ઉમાશંકર જોશી


👉"મને ફાંકડું  અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ, મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે" - નર્મદ


👉 "બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે." - ગાંધીજી 


👉 "હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું." - અબ્દુલ કલામ


👉 "સંસ્કાર અને સંસ્કૃતિનું પતન માતૃભાષાના પતનથી જ થાય છે" - ગુણવંત શાહ




     *ભાષા એ વિચારોનો પહેરવેશ છે..પ્રત્યાયનની અનેક ભાષા હોઇ શકે, પરંતુ અભિવ્યક્તિની સચોટ રજુઆત કેવળ માતૃભાષામાં જ થઇ  શકે..*

*વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારા સાત કરોડ લોકો છે.*

*પરંતુ આપણામાં ભાષાભિમાન નથી..બે અજાણ્યા ગુજરાતી એકબીજાને મળે તો અંગ્રેજી કે અન્ય ભાષામાં વાત કરે છે..આવું બંગાળી કે મરાઠી બોલતા લોકો કયારેય ના કરે..એ એમની માતૃભાષાને બેહદ ચાહે છે.*

*લતા મંગેશકર,સચિન તેંડુલકર કે માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પણ મરાઠીમાં બોલે છે.*

*આપણે ગુજરાતી બોલતાં શરમ અનુભવીએ છીએ.*

*કારણ વગર પરભાષામાં બોલતા લોકો કૃત્રિમ લાગે છે.માણસ જયારે માતૃભાષામાં બોલે છે ત્યારે એ દીપી ઉઠતો હોય છે..* 


           *હકિકતમાં આપણી ગુજરાતી ભાષા એક હજાર વર્ષનો સુદીર્ઘ ઇતિહાસ ધરાવે છે.*

*એનું શબ્દભંડોળ આગવું છે..ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે "ગૂર્જરાત" અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત.*

*અને એની ભાષા ગુજરાતી.*

*જે મુળ સંસ્કૃત- પ્રાકૃત-સૌરસેની પ્રાકૃત-પશ્ચિમી રાજસ્થાની-જૂની ગુજરાતી-અને આધુનિક ગુજરાતી...*

*એમ ગૌરવશાળી રીતે વિકસી છે..*

          *કવિ ખબરદાર કહે છે..*

*"ગુર્જર વાણી ગુર્જર લ્હાણી ગુર્જર શાણી રીત* 

*જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત "*


         *એ નરસિંહ અને મીરાં જેવા ભકત કવિઓની જબાન છે...*

*જૈન કવિઓની આરાધના છે.*

*પારસીઓના ખટમીઠ્ઠા શબ્દોની નજાકત છે.*

*પ્રેમાનંદ ના સમયમાં આપણી ભાષા માટે કોઇએ મ્હેણું માર્યું..*

*'અબે તબે કા સોલ આના..*

*ઇકડમ તીકડમ આના બાર,*

*અઠે કઠે કા આઠ હી આના,*

*શું  શાં પૈસા ચાર'*

*અને પોતાની માતૃભાષા ના ગૌરવ માટે પ્રેમાનંદે ભેખ ધારણ કર્યો.જયાં સુધી ગુજરાતીને ઉચ્ચ સ્થાને ના બેસાડી ત્યાં સુધી એમણે શિખા ન બાંધી અને માણ ઉપર આખ્યાનો થકી ઓજસ્વી ગુજરાતી કાવ્યોનું સર્જન કરી મહાકવિ નું બિરૂદ પામ્યા...*


          *આવા અનેક પડાવો છે એના વિકાસક્રમના ..આપણને ગૌરવ થાય એવા લોકો મળ્યા છે આપણી ભાષામાં.*

*દયારામની ગરબી કે નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' લાજવાબ છે..*

*એ ગાંધીજીની ભાષા છે.*

*દુનિયાનું સૌથી મહત્વનું પુસ્તક "સત્ય ના પ્રયોગો "આપણી ભાષામાં લખાયું છે.*

*સરદાર પટેલ પાણીદાર ગુજરાતી બોલતા જેનો આગવો અંદાજ હતો.. કૃષ્ણ ભગવાનના અંગત મિત્ર સુદામા ગુજરાતી હતા.ખુદ કૃષ્ણ પણ અહીં નિવાસ કરતા હતા એટલે એ પણ ગુજરાતી બોલ્યા હશે..આ કેટલું રોમાંચક છે !*

     

         *ભગવાન સ્વામીનારાયણ કે દયાનંદ સરસ્વતી ગુજરાતીમાં લખતા.*

*નાનજી કાલીદાસ મહેતા કે ધીરુભાઈ અંબાણી એ કરોડોનો કારોબાર આ ભાષામાં કર્યો છે..એ ગોવર્ધનરામની સંસ્કારિતા છે.*

*કનૈયાલાલ.મા.મુનશીની અસ્મિતા છે..*

*સરદાર પટેલનો લોખંડી પ્રતિભાવ છે.* *કૃષ્ણકુમારસિંહજી નું સ્વાર્પણ છે.*

*સયાજીરાવ નું સુશાસન છે.*

*પન્નાલાલ પટેલનો કથાવૈભવ છે.*

*કલાપી નો કેકારવ છે.*

*જામ રણજી નો માસ્ટર સ્ટ્રોક છે.*

*એ મારી માતૃભાષા ગુજરાતી છે...*


   *'હું ગુર્જર ભારતવાસી' કહેતા ઉમાશંકરની કાવ્યબાનીમાં એ સુપેરે વણાઈ છે.*

*એ ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની સેવા થકી ઉજળી બની છે.*

*કોઠાસુઝ કે હૈયાઉકલત જેવા શબ્દો એની આગવી ઓળખ છે.*

 *મને મારી માતૃભાષા માટે દાઝ છે. આ 'દાઝ' જેવો શબ્દ આપણી ભાષા જ આપી શકે !*

*એના કેટકેટલા અર્થ છે..!*

*એ પારસીઓની શાલીનતા છે.*

*નાગરો ની સુઘડતા છે.*

*વ્હોરાઓની વ્હાલપ  છે.*

*મેમણોની મીઠાશ છે.*

*લોહાણાઓનું સાહસ છે..જૈનોનું જાજવલ્ય છે.પાણીદાર પાટીદારોનો પુરુષાર્થ છે..ક્ષત્રિયોની તેજસ્વીતા છે.*

*ચૌધરીઓની ચતુરતા છે.*


       *એ મહાજાતીઓનો સમુહ છે.એ પીડ પરાઇ જાણે છે.એ મીરાના પ્રેમની કટારી છે..એ અનોખો જોસ્સો છે.એ મોંઘેરૂં ગાન છે..એ ગાંધીના વૈષ્ણવજનની પરિભાષા છે.*

*એ વિક્રમ સારાભાઇની જિજ્ઞાસા છે.*

*મારી માતૃભાષા મહાન છે.*

*એટલે જ કહેવાયું છે કે*

*જયાં જયાં વસે એક ગુજરાતી*

*ત્યાં  ત્યાં  સદાકાળ  ગુજરાત.*

*છેલ્લે.*


*મારી વાત જેને સમજાતી નથી,*

*એ ગમેતે હોય ગુજરાતી નથી..*