મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સપ્ટેમ્બર. Show all posts
Showing posts with label સપ્ટેમ્બર. Show all posts

08 September, 2022

International Literacy Day

 International Literacy Day

(વિશ્વ સાક્ષરતા દિન)

8 September


વિશ્વ સાક્ષરતા દિન વિશ્વમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

 

 યુનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ અનુસાર, ભારત 2050 માં પ્રાથમિક શિક્ષણ, 2060 માં માધ્યમિક શિક્ષણ અને 2085 માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું વૈશ્વિક લક્ષ્‍‍ય પ્રાપ્ત કરવામાં સમર્થ હશે.

જો આપણે વર્તમાન સાક્ષરતા દરની સ્વતંત્ર રીતે આકારણી કરીએ, તો પરિસ્થિતિ થોડી સારી છે. આઝાદી બાદથી દેશમાં સાક્ષરતાનો ગ્રાફ 57 ટકા વધ્યો છે, પરંતુ છતાં આપણે વૈશ્વિક સ્તરે ઘણા પછાત છીએ. 

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ કેરળ (93.91%) સાથે ભારતનું સૌથી સાક્ષર રાજ્ય છે. જ્યારે બિહારમાં આ દર 63.8૨ ટકા છે, જ્યારે તેલંગાણા 66.50 ટકા સાક્ષરતા દર છે.

આ પછી લક્ષદ્વીપ (92.28%), મિઝોરમ (91.58%), ત્રિપુરા (87.75%) અને ગોવા (87.40%) આવે છે. બિહાર અને તેલંગાણા એ બે રાજ્યો એવા છે કે જેનો સાક્ષરતાના દર સૌથી ઓછો છે.

 

એક માહિતી અનુસાર, ભારતનો સાક્ષરતા દર વિશ્વના સાક્ષરતા દરથી 84% જેટલો ઓછો છે. જો કે, દેશમાં શરૂ કરાયેલા સર્વ શિક્ષા અભિયાન અને સાક્ષર ભારત દ્વારા આ દિશામાં અર્થપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. 

 

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં સાક્ષરતા દર 74.04% છે. તે જ સમયે, સ્વતંત્રતા દરમિયાન એટલે કે વર્ષ 1947 માં તે માત્ર 18 ટકા હતો. આ રીતે, આપણે કહી શકીએ કે પરિસ્થિતિમાં થોડોક સુધારો થયો છે.

ભારતમાં સાક્ષરતા દરમાં જાતિય સમાનતા પણ જોવા મળે છે. જેમ દેશમાં આર્થિક અસમાનતા છે, તેવી જ રીતે સાક્ષરતા પર મહિલાઓ અને પુરુષો વચ્ચે મોટો તફાવત છે. જ્યારે દેશમાં પુરુષોનો સાક્ષરતા દર 82.14 % છે, તે સ્ત્રીઓમાં ફક્ત 65.46% છે. સ્ત્રીઓમાં ઓછી સાક્ષરતાનું મુખ્ય કારણ અધધધ વસ્તી વધારો અને કુટુંબિક આયોજન વિશેની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યું છે.

એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે 2001માં  69.1% હતો જયારે 2011માં 79.3% હાલના અભ્યાસ મુજબ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% છે.  સ્ત્રીઓમાં સાક્ષરતા દર ગુજરાતમાં 2011માં 70.7% જેની સરખામણીએ ભારતમાં તે દર 65.46% જોવા મળ્યું છે. આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે ગુજરાતમાં પુરુષોમાં 82.14%ની સરખામણીએ સ્ત્રીઓમાં 65.46% સાક્ષરતા દર હોવાથી  હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા વધુ જોવા મળે છે.


ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા. 5 મે 1988ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા, અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં 1991માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા. થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.

સરકાર દ્વારા નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં શિક્ષકોએ સજાગપણે શાળાના બાળકોમાં ડ્રોપ-આઉટ રેશીઓ ઘટાડવા સાથે કન્યાકેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ અંતર્ગત “સબ પઢે સબ બઢે” , “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા” અને “ઈચ વન ટીચ વન”  “બેટી બચાઓ બેટી પઢાવો”જેવા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિક અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને એ જ આજના દિવસનો સંદેશ…!

દેશના વિકાસની પારાશીશી-સાક્ષરતા

વિયેટનામના હોંચીમીંચી અને ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતા નાબુદી માટે તેમના દેશમાં લોકશાળાઓ શરુ કરી નિરક્ષરોને ભણાવવાનું સુંદર દેશ ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમના જન્મદિન ૮ સપ્ટેમ્બરને સાક્ષરતાદિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે.

5 મે 1988ના રોજ "રાષ્ટ્રીય સાક્ષરતા મિશન" ની શરૂઆત કરવામાં આવી હતી

6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ભારતમા આપવામા આવે છે


ભારતમાં સાક્ષરતા દર


☄1881👉3.2%

☄1931👉7.2%

☄1947👉12.2%

☄1951👉18.33%

☄2001👉64.84%

☄2011👉74.04%


સાક્ષરતા દર-2011 અનુસાર


☄સૌથી વધુ કેરલ 93.91%

☄સૌથી ઓછુ બિહાર 63.82%


☄ગુજરાત સાક્ષરતા દર 79.31%

સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો સુરત અને સૌથી ઓછી સાક્ષરતા દર ધરવતો જિલ્લો દાહોદ છે.(2011 વસતિ ગણતરી મુજબ)


સ્કૂલ છોડી જતા અને અધવચ્ચે અભ્યાસ છોડાતા વિધાર્થી માટે "સ્કૂલ ચલે" અભિયાન શરૂ કરાશે


🌷2022 સુધી તમામને સાક્ષર બનાવવાનું સરકારનુ લક્ષ્યાંક


🌷રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્રારા "સાક્ષર ભારત પુરસ્કાર" આપવામાં આવે છે

 ગુજરાત સરકાર દર વર્ષે ધોરણ 1 માં વધુમાં વધુ બાળકોનુ નામાંકન થાય તે માટે પ્રવેશોત્સવનુ આયોજન કરે છે.

ભારત સરકાર દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવાનુ શરુ કરવામા આવે છે,


વર્ષ 2019 થી સર્વ શિક્ષા અભિયાનને સમગ્ર શિક્ષા અભિયાનમા ફેરવવામા આવેલ છે જે અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ત્રણેયનો સમવેશ કરેલ છે જેમા 6 થી 18 વર્ષના તમામ બાળકોને ફરજીયાત શિક્ષણ મળી રહે તેવો હેતુ છે. ઉપરાંત નવી શિક્ષણ નિતિ દ્વારા સાક્ષરતા વધરવાનો સરકારનો ઉદેશ છે.


દર વર્ષે ઉજવાતા સાક્ષરતા દિવસની થીમ

2017 મા થીમ(Theme)  "ડિજિટલ દુનિયામાં સાક્ષરતા"    "Literacy in Digital World"


2018 Theme:

Literacy and skills development

   

2019 Theme:

Literacy and Multilingualism


2020 Theme:

Literacy teaching and learning in the COVID-19 crisis and beyond


2021 Theme:

Literacy for a human-centred recovery: Narrowing the digital divide


2022 Theme:

Transforming Literacy Learning Spaces




વિશ્વમા ભારતનો સાક્ષરતામાં ક્રમાંક  168મો છે.


વિશ્વમા પ્રથમ ક્રમાંકે ફિનલેન્ડ અને છેલ્લા ક્રમાંકે સુદાન આવે છે.


જ્યારે સૌથી વધુ સક્ષારતા દર ધરવતો દેશ રશિયા છે.


વિશ્વનો સાક્ષરતા દર 86.03% છે.


ભારતના રાજ્યોનો સાક્ષરતા દર અને ક્રમાંક



ભારતના રાજ્યોમા પુરુષ અને સ્ત્રીનો સાક્ષરતા દર

પુરુષ સ્ત્રી


06 February, 2022

લતા મંગેશકર (Lata Mangeshakar)

 લતા મંગેશકર



જન્મતારીખ: 28 સપ્ટેમ્બર 1929,      

જન્મસ્થળ: ઇન્દોર,મધ્યપ્રદેશ    

અવસાન: 6 ફેબ્રુઆરી 2022 (મુંબઇ)

પિતાનું નામ: દિનાનાથ  મંગેશકર       

માતાનું નામ: શેવંતી  મંગેશકર  

સાચું નામ: હેમા મંગેશકર

            ए मेरे वतन के लोगों जरा आँख में भरलो पानी.. ગીત દ્વારા દેશભક્તિને જનતા સુધી પહોંચાડનાર ભારતની ખ્યાતનામ પાશ્વ ગાયિકા, સ્વર કોકિલા, ભારતરત્ન લતા મંગેશકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929માં થયો હતો. તેમના પિતા પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે જે એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા.

લતાજીનું બાળપણ નુ નામ "હેમા" નામ હતુ. તેમના માતા - પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું. તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. તેમની બહેન આશા ભોંસલે પણ સારા ગાયિકા છે. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉશા અને ભાઈ હ્રદયનાથ છે. જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે. 



         1942માં જ્યારે લતાજી 13 વર્ષના હતા ત્યારે તેના પિતાનું હૃદયરોગથી અવસાન થયું હતું. નવયુગ ચિત્રપટ ફિલ્મ કંપનીના માલિક અને મંગેશકર પરિવારના નજીકના મિત્ર માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકીએ) તેમની સંભાળ લીધી. તેમણે લતાને ગાયક અને અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરવામાં મદદ કરી.

લતા મંગેશકરે પોતાનું પહેલું ગીત 1942માં ફિલ્મ ‘કીટી હસલ’ માટે ગાયું હતું. કમનસીબે આ ગીત પાછળથી કાપવામાં આવ્યું અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેમાં લતાજીએ ગાયેલું ગીત નહોતું. ફિલ્મોમાં તેમની ગાયકીની સફર ખરા અર્થમાં ‘પહેલી મંગળાગોર’ (1942) થી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં લતાજીએ ‘નટકી ચગાચી નવલાઈ’ ગીત ગાયું હતું. 1944માં ‘ગજાભાઈ’ એક મરાઠી ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મમાં લતા મંગેશકરે પોતાનું પહેલું હિન્દી ફિલ્મનું ગીત ગાયું હતું. આ ગીતના બોલ હતા- ‘માતા, એક સપુત કી દુનિયા બાદલ દે તુ’.

તેમણે ગાયેલુ પ્રથમ હિન્દી ગીત મરાઠી ફિલ્મ ગજાભાઉ (1943) માટે "માતા એક સપૂત કી દુનિયા બાદલ દે તુ" હતું.

1945માં લતાજી મુંબઇ આવી ગયા. તેણીએ ભીંડીબજાર ઘરાનાના ઉસ્તાદ અમાન અલી ખાન પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાનું શરૂ કર્યું.

ગુલામ હૈદરે લતાને તેનો પહેલો મોટો બ્રેક ફિલ્મ મજબૂર (1948) માં "દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોરા"  ગીત સાથે આપ્યો, જે તેની પ્રથમ મોટી સફળતાવાળી ફિલ્મ બની. લતાજીએ પોતાના 84મા જન્મદિવસે એક ઈન્ટરવ્યુમાં પોતે જાહેર કર્યું હતું કે, "ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર છે. તેઓ એવા પ્રથમ સંગીત દિગ્દર્શક હતા જેમણે મારી પ્રતિભામાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો.

         1963ના રોજ ચીન-ભારત યુદ્ધની પૃષ્ઠભૂમિ સામે લતાજીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની હાજરીમાં દેશભક્તિ ગીત "આય મેરે વતન કે લોગો" ગાયું હતું. આ ગાયન પછી લતા સ્ટેજની પાછળ કૉફી પી રહ્યાં હતાં એવામાં નિર્દેશક મહેબૂબ ખાને આવીને લતાને કહ્યું કે તમને પંડિતજી બોલાવે છે. મહેબૂબે લતાને નહેરુની સમક્ષ લઈ જઈને કહ્યું, "આ રહી આપણી લતા. તમને એનું ગાયન કેવું લાગ્યું?" નહેરુએ કહ્યું, "ખૂબ જ સરસ. આ છોકરીએ મારી આંખો ભીની કરી દીધી." અને તેઓ લતાને ભેટી પડ્યા. તરત જ એ ગાયનની માસ્ટર ટેપને વિવિધભારતી સ્ટેશને પહોંચાડવામાં આવી અને બહુ ઓછા સમયમાં એચએમવીએ એની રેકૉર્ડ બનાવીને બજારમાં મૂકી દીધી.ભારતના. સી. રામચંદ્ર દ્વારા રચિત અને કવિ પ્રદીપ દ્વારા લખાયેલ આ ગીતે વડાપ્રધાનને આંસુ પાડી દીધા હોવાનું કહેવાય છે અને સૌથી પ્રખ્યાત દેશભક્તિ ગીત બની ગયુ.

        માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે, દીકરી તો પારકી થાપણ કહેવાય, વૈષ્ણવ જન તો..,હે કાનુડા તોરી ગોવાલણ, હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે જેવા ગુજરાતી ગીતો પણ તેમણે ગાયા છે.

       લતા મંગેશકરને મળેલ વિવિધ સન્માન અને એવોર્ડ

ભારતરત્ન એવોર્ડ (2001),

પદ્મવિભૂષણ એવોર્ડ(1999),

પદ્મભૂષણ એવોર્ડ(1969),

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર(1989),

મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર(1997),

લીજન ઓફ ઓનર (2006),

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર,

બી.એફ.જે.એ પુરસ્કાર,

શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયન માટે ફિલ્મફેર પુરસ્કાર,

ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ



તેઓ 22 નવેમ્બર 1999 થી 21 નવેમ્બર 2005 સુધીથી રાજ્યસભાના સંસદ સભ્ય પણ રહ્યા હતા.

લતાજીએ ગાયેલા ગીતોની યાદી લાંબી છે, જે નીચે મુજબ છે.

  • 1949 લેટ્સ ફ્લાય ઇન ધ વિન્ડ (વરસાદ)
  • 1958 આજા રે પરદેશી (મધુમતી)
  • 1960 ઓ સજના બરખા બહાર આઈ (પ્રખ)
  • 1961 ઇતના ના મુઝે તુ પ્યાર બાધા (પડછાયો)
  • 1961 અલ્લાહ તેરો નામ (અમે બંને)
  • 1961 જ્યોતિ કલશ ચાલકે (ભાભીની બાંગ્લાદેશ)
  • 1961 એહસાન તેરા હોગા મુઝે પર (જંગલી)
  • 1962 કહીં દીપ જલે કહીં દિલ (વીસ વર્ષ પછી)
  • 1963 વિંગ્સ હદ તો ઉડ આતા રે (સેહરા)
  • 1964 નૈના બરસે રિમઝિમ (કોણ હતું)
  • 1965 અજી રૂથ કે અબ (આરઝૂ)
  • 1965 યે સમા (જબ જબ ફ્લાવર્સ બ્લૂમ)
  • 1965 આજ ફિર કી તમન્ના હૈ (માર્ગદર્શક)
  • 1967 આ જા પિયા તોહે પ્યાર દૂન (સ્પ્રિંગ્સ ઓફ ડ્રીમ્સ)
  • 1968 બાળ મન કે સાચે (બે કળીઓ)
  • 1968 ચંદન સા બદન (સરસ્વતી ચંદ્ર)
  • 1968 તુ કિતના અચ્છા હૈ (ધ કિંગ એન્ડ ધ રંક)
  • 1969 બિંદિયા ચમકેગી (બે રીતે)
  • 1971 દિલબર દિલ સે પ્યારે (કારવાં)
  • 1971 ચલતે ચલતે (પાકીઝાહ)
  • 1973 અબ તો હૈ તુમસે (ગૌરવ)
  • 1989 ડવ જા જા (હું પ્રેમ કરું છું)
  • 1994 માઇ ની માઇ મુંદર પે (હમ આપકે હૈ કૌન)
  • 1998 જિયા જલે જાન જલે (દિલ સે)
  • 2000 હમકો હમેં સે ચૂરા લો (પ્રેમ)

આ થોડાં જ ગીતો છે, ખાસ કરીને SD બર્મન અને RD બર્મનના સંગીત નિર્દેશનમાં ગાયેલા લતાજીના સુપરહિટ ગીતો આજે પણ લોકોના મોઢે છે. લતાજીએ શંકર જયકિશન, સલિલ ચૌધરી, નૌશાદ અને ઘણા બધા સહિત ઘણા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું.

લતા મંગેશકરના આવા ગીતોની યાદી માટે અહી ક્લિક કરો.

           92 વર્ષની વયે 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કોરોના અને ન્યુમોનિયાથી સંક્રમિત હતા. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે તેઓ આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા. 

36 જેટલી ભાષાઓમા 25000 હજારથી વધુ ગીત ગાનાર સુર સમાજ્ઞીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ........


22 September, 2021

માઇકલ ફેરાડે

માઇકલ ફેરાડે


માઇકલ ફેરાડે વગર આ દુનિયા ખૂબ જ મુશ્કેલ અને અંધારામય હોત. દરેક વખતે તમે જ્યારે ફાનસ સળગાવો છો, તમારુ લેપટોપ ચાલુ કરો છો અથવા પાણી ગરમ કરવા હીટરની સ્વીચ ચાલુ કરો છો. આ બધું તેમના લીધે છે જેમણે વીજળીની શોધ કરી અને વિશ્વ અર્થકારણમાં એક ઉત્સુકતા પેદા કરી

જન્મતારીખ: 22 સપ્ટેમબર 1791

જન્મ સ્થળ: લંડન

અવશાન: 25 ઓગસ્ટ 1867 (

  • आविष्कार – Faraday’s law of induction, Electrochemistry, Faraday effect, Faraday cage, Faraday constant, Faraday cup, Faraday’s laws of electrolysis, Faraday paradox, Faraday rotator, Faraday-efficiency effect, Faraday wave, Faraday wheel Lines of force.
  • पुरस्कार – Royal Medal (1835 and 1846) Copley Medal (1832 and 1838) Rumford Medal (1846)  Albert Medal (1866)

माइकल फैराडे (Michael Faraday)ने चुम्बक से बिजली पैदा करने का अपना सपना सच कर दिखाया। इन्हें जनरेटर के आविष्कार का श्रेय प्राप्त है। बिजलीघर और ट्रांसफार्मर फैराडे के सिद्धांतों पर ही काम करते हैं।

आइजैक न्यूटन, गांधीजी और जेम्स क्लार्क मैक्सवेल की तस्वीरों के साथ अल्बर्ट आइंस्टीन अपने अध्ययन की दीवार पर फैराडे की भी तस्वीर रखते थे। भौतिक विज्ञानी अर्नेस्ट रदरफोर्ड, फैराडे को याद करते हुए कहते थे, “जब हम विज्ञान और उद्योग की प्रगति पर उनकी खोजों और उनके प्रभाव की मात्रा और उनके प्रभाव पर विचार करते हैं, तो सभी समय के महानतम वैज्ञानिक खोजकर्ताओं में से एक फैराडे की याद में सम्मान काम है।”



क्या आप जानते है की जिस उपकरण में आप इसे पढ़ रहे हैं और इसी से जो आवाज़ सुनते हैं और जो तस्वीरें देखते हैं , ये सब कैसे मुमकिन होता  है? हमारे सन्देश बिना रुकावट लाइट के स्पीड से कैसे पहुंचते हैं?  हमारे पास ये कमाल की ताकत कैसे आयी?  ये सब एक इंसान के दिमाग की उपज है, गरीबी में पैदा हुआ बच्चा जिससे किसी को कोई उम्मीद नहीं थी, अगर ये इंसान न होता तो आज हम जो दुनिया देख रहे है वो ऐसी नहीं होती, उनके आविष्कारों ने दुनिया को बदल कर रख दिया ।

दो महान वैज्ञानिक Isaac Newton और Albert Einstein  के बीच के दौर मे एक और महान वैज्ञानिक पैदा हुआ था बिक्कुल इन्ही के जैसा वो इंसान जिसने उस राज़ को सुलझा दिया था जिसमे newton उलझ गए थे।  उस वयक्ति के बदौलत, Albert Einstein इतना आगे जा पाए और इंसान ने इतनी तरक्की कर ली।


22 September 1751 में Newington Butts, London के एक गन्दी जुग्गी बस्ती में Michael Faraday का जन्म हुआ। वे पढाई में बिकुल अच्छे नहीं थे। फैराडे एक बहुत गरीब परिवार से थे, उनके पिता James बहुत गरीब थे और लुहार का काम करते थे, पारिवारिक स्थिति ठीक ना होने के कारण फैराडे बस सामान्य स्कूली शिक्षा ही कर पाए।

उनके पिता एक लोहार थे। सन् 1812 में जब इन्होंने सर हम्फ्री डेवी के भाषण सुने तो विज्ञान के प्रति इनकी रुचि जाग्रत हो गई।

13 वर्ष की उम्र से ही वे book binder का काम करने लगे , दिन में वे बुक बाँधा करते और रात में उन्हें पढ़ते , यहीं से इलेक्ट्रिसिटी को लेकर उनके जूनून की शुरुआत हुई , फैराडे ने अपना जीवन लंदन में एक book binder की नौकरी से प्रारम्भ किया, समय मिलने पर फैराडे किताबें पढ़ा करते थे। अपने सात साल के अप्रेंटिसशिप के दौरान फैराडे ने कई किताबें पढ़ीं, जिनमें इसहाक वत्स की द इंप्रूवमेंट ऑफ द माइंड शामिल थी, और उन्होंने उसमें निहित सिद्धांतों और सुझावों को अपने जीवन में उत्साहपूर्वक लागू किया। उन्होंने विज्ञान में भी रुचि विकसित की, विशेष रूप से इलेक्ट्रिसिटी में। फैराडे विशेष रूप से जेन मार्केट द्वारा रसायन विज्ञान पर पुस्तक से प्रेरित थे।

फैराडे अपने रूढ़िवादी Christian सोच को बहुत मानते थे।  इससे उन्हें हमेशा एक ताकत सुकून और विनम्रता का एहसास होता था, कई सालों तक book binder का काम करने के बाद 21 वर्ष के होने के बाद फैराडे एक बड़ी दुनिया में जाने का खाब देखने लगे, और उन्हें बड़े बनने का एक मौका मिल भी गया जब एक कस्टमर ने उन्हें एक शो का टिकट दिया। उस शो का नाम था “science for the public



science for the public show की शुआत London में royal institution  में हुई थी। Humphry Davy शो के होस्ट थे , Humphry Davy उस ज़माने के एक जाने मने वैज्ञानिक थे जिन्होंने कई केमिकल एलिमेंट्स खोजे थे -जैसे की calcium और sodium , वो एक कमाल के शोमैन भी थे उनका शो लोगो को बहुत अच्छा  लगता था। अपने उस शो में Davy इलेक्ट्रिसिटी का प्रदर्शन कर रहे थे लोगो को वह शो बहुत अच्छा लगा और लोगो ने तालिया बजाई।  मगर फैराडे ताली नहीं बजा रहे थे, वो Davy के भाषण का एक एक शब्द लिख रहे थे, बुक बंधन का काम उन्हें आता था इसलिए उन्होंने उसे एक किताब की शक्ल में बाँध कर रख लिया।

उन्होंने उस किताब जिसमे Davy के व्याख्यान लिखे थे Davy को देने चले गए, उन्हें ये लगा की ऐसा करने से उन्हें Davy से मिलने का मौका मिल जायेगा। और असल में यह तौफा फैराडे की एक नयी दुनिया में पहुचने का वजह भी बना। फैराडे ने बाद में Davy को 300 पन्नों की यह पुस्तक भेजी, जो इन व्याख्यानों के दौरान उनके द्वारा लिए गए नोट्स पर आधारित थी। Davy का जवाब तत्काल, दयालु और अनुकूल था।

40 साल की उम्र तक उन्होंने  electric motor, transformer, और जनरेटर – मशीनो का आविष्कार कर  लिया था उनके आविष्कारों  ने हर चीज़ को बदला। 60 साल की उम्र में भी काम यादाश्त और depression के बाबजूद वे इन नज़र  ना आने वाली ताकतों की खोज में लगे रहते थे। electricity, magnetism और लाइट के बीच ताल मेल को पता लगाने के बाद फैराडे ये जानना चाहते थे कि, ये तीनों एक साथ कैसे काम करती है, फैराडे जानते थे electric current किसी भी तार को चुम्बक में बदल सकता है, इसलिए उन्हें उम्मीद थी की जिस तार से electricity गुजरती है उस तार के चारो ओर लोहे का छीलन डालने से वैसा ही pattern बने गा जैसा चुम्बक के पास डालने से बनता है, माइकल फैराडे ने वो राज़ हल कर दिया था, जिसे Isaac Newton नहीं सुलझा पाए थे।

जून 1832 में, ऑक्सफोर्ड विश्वविद्यालय ने faraday को Doctor of Civil Law की डिग्री  प्रदान की। अपने जीवनकाल के दौरान, उन्हें विज्ञान के लिए उनकी सेवाओं के लिए मान्यता में एक knighthood की पेशकश की गई, जिसे उन्होंने धार्मिक आधार पर ठुकरा भी दिया, यह मानते हुए कि यह धन सांसारिक पुरस्कार का पीछा करने के लिए बाइबल के शब्द के खिलाफ था, और यह कहते हुए कि वह सादा रहना पसंद करते हैं। वे 1824 में Royal Society के सदस्य चुने गए, उन्होंने दो बार राष्ट्रपति बनने से भी इनकार कर दिया। वह 1833 में रॉयल इंस्टीट्यूशन में केमिस्ट्री के पहले Fullerian Professor बने।

1832 में, faraday को American Academy of Arts and Sciences का विदेशी मानद सदस्य चुना गया। उन्हें 1838 में Royal Swedish Academy of Sciences का एक विदेशी सदस्य चुना गया, और 1844 में French Academy of Sciences में चुने गए आठ विदेशी सदस्यों में से एक भी थे। 1849 में उन्हें नीदरलैंड्स के रॉयल इंस्टीट्यूट से संबद्ध सदस्य के रूप में चुना गया, जो दो साल बाद Royal Netherlands Academy of Arts and Sciences बन गया और बाद में उन्हें विदेशी सदस्य बना दिया गया।

Faraday को 1839 में एक nervous breakdown का सामना करना पड़ा, 1848 में Prince Consort द्वारा प्रतिनिधित्व के परिणामस्वरूप, faraday को सभी खर्चों और रखरखाव से मुक्त, मिडलसेक्स में हैम्पटन कोर्ट में एक अनुग्रह और अनुग्रह घर से सम्मानित किया गया। यह मास्टर मेसन हाउस था, जिसे बाद में faraday हाउस कहा जाने लगा, और  अब नंबर 37 हैम्पटन कोर्ट रोड। 1858 में फैराडे वहां रहने के लिए कहे गए। ब्रिटिश सरकार के लिए कई विभिन्न सेवा परियोजनाओं को प्रदान करने के बाद, जब सरकार ने Crimean War (1853-1856) में उपयोग के लिए रासायनिक हथियारों के उत्पादन पर सलाह देने के लिए कहा, faraday ने नैतिक कारणों का हवाला देते हुए भाग लेने से इनकार कर दिया।

25 अगस्त 1867  को 75 वर्ष की आयु में Michael Faraday की हैम्पटन कोर्ट में उनके घर पर मृत्यु हो गई। 

इतने परेशानिओं  के बाद भी faraday जीवन भर अपने कार्य में लगे रहे, और वैज्ञानिक इतिहास में सफलता प्राप्त की उनके अविष्कारों के  कारण ही उनके बाद आये वैज्ञानिकों ने विज्ञान को इतने आगे बढ़ाया।



09 September, 2021

કેપ્ટન વિક્રમ બત્રા

 કેપ્ટન વિક્રમ બત્રા



જન્મતારીખ: 9 સપ્ટેમ્બર 1974

જન્મ સ્થળ: પાલમપુર, હિમાચલ પ્રદેશ

પિતાનું નામ: જી.એલ.બત્રા

માતાનું નામ: જયકમલ

અવશાન:  7 જુલાઇ 1999 (કારગીલ,જમ્મુ કાશ્મીર)

હુલામણું નામ: શેરશાહ, વિકિ, લુવ

આર્મીમા સેવા: 1997 થી 1999

યુદ્ધમા લીધેલ ભાગ: ઓપરેશન વિજય અને કારગીલ યુદ્ધ




કારગિલ યુદ્ધના પરમવીર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની વીરતા અને દેશપ્રેમનો જુસ્સો આજે પણ યુવાઓમાં જોશ ભરે છે. કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રાએ જ વીરતા દેખાડી તે અદભૂત હતી. તેમના ત્યાગ અને બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે.

કેપ્ટન વિક્રમ બત્રા  ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

વિક્રમ બત્રાનો જન્મ ૯ સપ્ટેમ્બર,૧૯૭૪ નાં રોજ હિમાચલ પ્રદેશનાં પાલમપુર નજીકનાં ઘુગ્ગર ગામમાં, જી. એલ. બત્રા અને જયકમલ બત્રાને ત્યાં થયેલો.


જ્યારે દરેક ઘરમાં ટીવી ન હતી ત્યારે. વિક્રમ તેના જોડિયા ભાઈ વિશાલ સાથે ટીવી જોવા માટે પાડોશીના ઘરે જતો હતા. તે સમયે દૂરદર્શન પર 'પરમવીર' સિરિયલ આવતી હતી. એટલે કે, ભારતીય સેનાની બહાદુરીની વાર્તાઓ ધરાવતી સિરિયલ. આ સિરિયલની વાર્તાઓ વિક્રમની છાતીમાં એવી રીતે બેસી ગઈ કે રમકડાં સાથે રમવાની ઉંમરે તેણે પોતાના જીવનનો હેતુ નક્કી કર્યો. એ હેતુ પરમવીર બનવાનો હતો.


કેપ્ટન વિક્રમ બત્રાએ પંજાબ યુનિવર્સિટીથી ઈંગ્લિશ વિષયમાં એમએ કર્યુ હતું.


તેમને મર્ચન્ટ નેવીમાં પણ પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો પગાર પણ વધારે હતો. પરંતુ એક સ્વપ્ન એક સ્વપ્ન છે. વિક્રમે નક્કી કર્યું હતું કે તેને સેનામાં જવું છે.


1995 માં તેમણે IMA ની પરીક્ષા પાસ કરી.


6 ડિસેમ્બર 1997 ના રોજ જમ્મુના સોપોર નામના સ્થળે આર્મીની 13 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1999 માં કમાન્ડો ટ્રેનિંગ સાથે ઘણી તાલીમ પણ લીધી હતી. 1 જૂન 1999 ના રોજ, તેમની ટુકડી કારગિલ યુદ્ધ માટે મોકલવામાં આવી હતી. હમ્પ અને રકી નબ જગ્યાઓ જીત્યા બાદ વિક્રમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.


કારગિલમાં તેમના કમાન્ડિંગ ઓફિસર કર્નલ યોગેશ જોશીએ તેમને 5140 ચોકીઓ જીતવાની જવાબદારી સોંપી હતી. આ શિખર પર તિરંગો ફરકાવ્યા પછી, વિક્રમે તેના અધિકારીઓને સંદેશ મોકલ્યો, 'યે દિલ માંગે મોર. તેમનો સંદેશ દરેક ભારતીયમાં પ્રખ્યાત બન્યા હતા.


કેપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની 'ડેલ્ટા કંપની'ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે 'શેરશાહ'નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડ ના મુખ પાસે મશીનગન ના ગોળીબાર થી ઘેરી લીધા. {તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણ જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા.} તો પણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. 


તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો.


 કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું.


પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ. કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા.

પાકિસ્તાની છાવણીમાં પણ આ શેર શાહ કોણ છે તેની ચર્ચા ચાલતી હતી. શેરશાહ વિક્રમ બત્રા હતા, જેમનું કોડ નામ યુદ્ધ દરમિયાન શેર શાહ હતું. તેમની અને પાકિસ્તાની સેના વચ્ચે કરાયેલા ઘણા કઠોર નિવેદનો આજે પણ લોકોમાં પ્રખ્યાત છે.


ઓપરેશન દ્રાસમાં ભારતીય સૈનિકો પથ્થરોનું આવરણ લઈને દુશ્મન પર ગોળીબાર કરી રહ્યા હતા. પછી તેના એક સાથીને ગોળી વાગી અને તે તેની સામે પડી ગયો. તે સૈનિક ખુલ્લામાં પડ્યો હતો. વિક્રમ અને રઘુનાથ ખડકોની પાછળ બેઠા હતા. વિક્રમે તેના સાથીને કહ્યું કે અમે અમારા ઘાયલ સાથીને સલામત સ્થળે લાવીશું.


સાથીએ તેને કહ્યું કે મને નથી લાગતું કે તે બચી શકશે. આ સાંભળીને વિક્રમ ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, શું તું ડરે ​​છે? પછી તેણે તેના સાથીને કહ્યું કે તારા પરિવાર અને બાળકો છે. હું અત્યારે સિંગલ છું. આમ કહીને તે યુવાનને બચાવવા ગયો, જ્યારે તેને ગોળી વાગી.


 ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, "જય માતા દી." હતા. 


દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.


કારગીલ યુદ્ધમા પહેલીવાર બોફોર્સ ટોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


જ્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે વિક્રમ તેના થોડા દિવસો પહેલા ઘરે આવ્યો હતો. ત્યાં તેના એક મિત્રએ કહ્યું હતું કે જો તમે સેનામાં છો તો થોડી કાળજી રાખો. વિક્રમે કહ્યું - ચિંતા ન કરો," કાં તો હું તિરંગો લહેરાવ્યા પછી આવીશ અથવા હું તેમાં લપેટીને આવીશ. પણ હું ચોક્કસ આવીશ.(या तो तिरंगा लहरा कर आउंगा या उसमें लिपट कर आउंगा. लेकिन आउंगा जरूर.)"


કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની ૫૨ મી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં,ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા જી. એલ. બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે. આર. નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું.


વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની લવ સ્ટોરી પણ એક સાચો પ્રેમ દર્શાવતી કહાની છે.  વિક્રમની શહાદત બાદ ડિમ્પલે આજ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી અને તે આજે પણ તેની યાદો સાથે ગર્વથી જીવી રહી છે.


  • બત્રાનું યે દિલ માંગે મોર, તત્કાલીન 'પેપ્સી'ની જાહેરાતનું પ્રખ્યાત સુત્ર, એક આઇકોનિક (iconic) રણહાક બની ગયું અને દેશભરમાં ફેલાઇ અને લાખો ભારતીયોનું માનીતું સુત્ર બન્યું, જે યુદ્ધ અને સૈનિકોની સ્મૃતિમાં યોજાતા જાહેર દેશભક્તિ કાર્યક્રમોમાં, ભારતીય દેશભક્તિ અને ભવિષ્યના હુમલાઓનો શૌર્યપૂર્ણ સામનો કરવાની અદમ્ય ભાવનાનાં પ્રતિકરૂપે ગુંજી ઉઠ્યું.
  • પોઇંટ ૫૧૪૦ પર પહોંચ્યા બાદ, શત્રુ સેનાનાં એક સેનાપતિ,જેમણે તેમને રેડિયો વાર્તાલાપ દરમિયાન એમ કહીને લલકાર્યા કે, "તમે અહીં શા માટે આવ્યા 'શેરશાહ' (તેમનું ઉપનામ)? હવે તમે પાછા નહીં જઇ શકો." ત્યારે વિક્રમ બત્રાએ ઉત્તર આપ્યો કે, "આપણે એકાદ કલાકમાંજ જોશું કે ટોંચ પર કોણ રહે છે."
  • બત્રાનાં અંતિમ શબ્દો તેમની રણહાક, "જય માતા દી" હતા. (જય માતાજી)
  • "યા તો તિરંગા લહેરાકે આઉંગા, યા તિરંગામેં લીપટા હુવા આઉંગા, લેકિન આઉંગા" (કાં તો તિરંગો ફરકાવીને આવીશ (વિજેતા થઇને),કાં તો તિરંગામાં વિટળાઇને (શહિદી પામીને) આવીશ, પરંતુ આવીશ જરૂર).
  • લેફ. નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઇ કરવા દેવા માટે વિનંતી કરી ત્યારે બત્રાએ તેને કવર કરી પાછળ ખસેડતાં કહ્યું, "તું બાલબચ્ચેદાર હૈ, હટજા પીછે."
  • IMA માં સંયુક્ત કેડેટ મેસનું નામ વિક્રમ બત્રા મેસ છે.
  • નવી દિલ્હીના મુકરબા ચોક અને તેના ફ્લાયઓવરનું નામ બદલીને શહીદ કેપ્ટન વિક્રમ બત્રા ચોક કરવામાં આવ્યું.
  • ચંદીગ'sની ડીએવી કોલેજમાં બત્રા સહિત યુદ્ધના દિગ્ગજોનું સ્મારક છે
  • પોઇન્ટ 4875 ના historicતિહાસિક વ્યવસાયને કારણે પર્વતને તેના માનમાં બત્રા ટોપ નામ આપવામાં આવ્યું હતું.



સને ૨૦૦૩નું હિન્દી ચલચિત્ર એલ.ઓ.સી. કારગિલ સમગ્ર કારગિલ યુદ્ધ પર આધારીત હતું જેમાં અભિષેક બચ્ચને કેપ્ટન બત્રાનું પાત્ર ભજવેલ છે.


વિક્રમ બત્રાના જીવન પર આધારિત હિંદિ ફિલ્મ "શેરશાહ" બની છે જેમા વિક્રમ બત્રાનો અભિનય સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યો હતો.

માતૃભુમિની રક્ષા કાજે પોતાના જીવનાનુ બલિદાન આપનાર વિક્રમ બત્રાને આજના દિવસે સો સો સલામ.