મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label ઉદ્યોગપતિ. Show all posts
Showing posts with label ઉદ્યોગપતિ. Show all posts

19 April, 2021

મુકેશ અંબાણી (Mukesh Ambani)

 મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL) ચેરમેન, મેનેજિંગ ડિરેકટર અને સૌથી વધુ શેરધારક છે.



જન્મતારીખ: 19 એપ્રિલ 1957

જન્મસ્થળ: એડિન, યમન

પિતાનું નામ: ધીરુભાઇ અંબાણી

માતાનું નામ: કોકીલા અંબાણી

મુકેશ ધીરૂભાઇ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957 માં એડિન (હાલના યમનમાં) ના બ્રિટીશ ક્રાઉન કોલોનીમાં  થયો હતો.



મુકેશ અંબાણી ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ છે  અને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના સૌથી મોટા શેરહોલ્ડર, ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને માર્કેટ વેલ્યુ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. 

એપ્રિલ 2020 સુધી, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે

અંબાણીએ તેમના ભાઇ અને આનંદ જૈન સાથે મુંબઇની હિલ ગ્રેંજે હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જે પાછળથી તેના નજીકના સાથી બન્યા

તેમણે ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ.ની ડિગ્રી મેળવી.

અંબાણીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ માટે પ્રવેશ મેળવ્યો. પરંતુ, 1980 માં પિતાને રિલાયન્સ બનાવવામાં મદદ માટે પાછા આવ્યા

ધીરુભાઇ માનતા હતા કે વાસ્તવિક જીવનની આવડત અનુભવો દ્વારા લેવામાં આવે છે, વર્ગખંડમાં બેસીને નહીં. તેથી તેમણે તેમની કંપનીમાં યાર્ન ઉત્પાદન પ્રોજેક્ટની કમાન સંભાળવા સ્ટેનફોર્ડથી મુકેશભાઈ અંબાણીને ભારત પાછા બોલાવ્યા.

1981 માં તેમણે તેમના પિતા ધીરૂભાઇ અંબાણીને તેમના પરિવારનો વ્યવસાય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ચલાવવામા મદદ શરૂ કરી

તેમણે 1985 માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે અનંત અને આકાશ અને એક પુત્રી છે ઇશા છે.



મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ફોકોમ લિમિટેડ (હાલ રિલાયન્સ કમ્યુનિકેશંસ લિમિટેડ) ની સ્થાપના કરી, જે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી પહેલ પર કેન્દ્રિત હતી. 

અંબાણીએ ભારતના જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ પેટ્રોલિયમ રિફાઇનરી બનાવવાનું નિર્દેશન અને આગેવાની લીધી હતી, જેમાં 2010 માં પેટ્રોકેમિકલ્સ, વીજળી ઉત્પાદન, બંદર અને સંબંધિત માળખાગત ઉપકરણો સાથે સંકળાયેલ 660,000 બેરલ (દર વર્ષે 33 મિલિયન ટન) ઉત્પાદન કરવાની ક્ષમતા હતી



ફેબ્રુઆરી, 2016 માં અંબાણીની આગેવાનીવાળી જિઓએ એલવાયએફ નામની પોતાની 4G સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરી. જૂન 2016 માં, તે ભારતનો ત્રીજો સૌથી વધુ વેચાણ કરતો મોબાઇલ ફોન બ્રાન્ડ હતો

૨૦૧૬ સુધીમાં, અંબાણી 38 મા ક્રમાંક પર હતા અને છેલ્લાં દસ વર્ષથી ફોર્બ્સ મેગેઝિનની સૂચિમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ સતત ધરાવે છે

ફોર્બ્સના વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં તેઓ એકમાત્ર ભારતીય ઉદ્યોગપતિ છે

જાન્યુઆરી 2018 સુધીમાં, મુકેશ અંબાણીને ફોર્બ્સ દ્વારા વિશ્વની 18 મી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

જુલાઈ 2018 માં 44.3 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનીને તેણે અલીબાબા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન જેક માને પાછળ છોડી દીધા.

રિલાયન્સ દ્વારા, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ મુંબઇ ઇન્ડિયન્સની પણ માલિકી ધરાવે છે અને તે ઇન્ડિયન સુપર લીગ, ભારતની ફૂટબોલ લીગના સ્થાપક છે.

દુનિયાનું સૌથી મોટું ધર 'એન્ટિલિયા'
બિઝનેસમેન મુકેશ અંબાણી તેના ઘરના કારણે પણ વિશ્વવિખ્યાત છે. 27 માળ વાળી 'એન્ટિલિયા' દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં ટૉપ પર છે. ફોર્બ્સની યાદી મુજબ આ ઘરની કિંમત 63 કરોડ પાઉન્ડ એટલે કે 1 અરબ ડૉલર છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર આ વૈભવી મકાનમાં છ માળ સુધી તો માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. આ ઘરમાં સિનેમા થિયેટર, ત્રણ હેલિપેડ તથા અન્ય સુવિધાયુક્ત સુખ સુવિધાઓ છે. એન્ટિલિયામાં કામ કરવા માટે 600 કર્મચારીઓનો સ્ટાફ છે. એન્ટિલિયાની છત્ત પરથી સમુદ્રનો નજારો જોવા મળે છે.




આઈપીએલ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની 2008 માં 111.9 મિલિયન ડોલરમાં ખરીદી બાદ અંબાણીને "વિશ્વની સૌથી ધનિક રમત ટીમના માલિક"નું નામ આપવામાં આવ્યું હતું.




તેઓ કંપનીમાં ૪૪.૭% હિસ્સો ધરાવે છે. RILનો મુખ્ય વ્યાપાર તેલ, પેટ્રોલિયમ રસાયણો અને ગેસ ઉદ્યોગમાં છે. રીલાયન્સ રીટેલ્સ લિમિટેડ બીજી સહકંપની છે, જે ભારતની સૌથી મોટી છૂટક વેચાણ કરતી કંપની છે

રિલાયન્સ જિઓ 5 સપ્ટેમ્બર, 2016 ના રોજ જાહેરમાં લોકાર્પણ થયું. ત્યારથી દેશની દૂરસંચાર સેવાઓમાં ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે.



આજે અંદાજે 50 અરબ ડૉલરની સંપત્તિ છે. મુકેશ અંબાણીનું માનવું છે કે મોટા સપના જ તમને મોટી સફળતા અપાવે છે. ઊંચા સપના જુઓ અને જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યા સુધી આશા ન છોડો.

28 December, 2020

રતન ટાટા જીવન પરિચય

 રતન ટાટા

ઉદ્યોગપતિ


જન્મતારીખ: 28 ડિસેમ્બર 1937
જન્મસ્થળ: સુરત, ગુજરાત
પિતાનું નામ: નવલ ટાટા 
દાદાનું નામ: જમશેદજી ટાટા

તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ ગુજરાત રાજ્યની સુરત શહેરમાં ધનાઢ્ય  કુટુંબમાં થયો હતો

રતન તાતા ભારત દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે

તે ટાટા જૂથના સ્થાપક જમસેદજી ટાટાના દત્તક પૌત્ર નવલ ટાટાના પુત્ર છે.
તેઓ જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત બહુશાખિય કંપની જુથ ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ટાટાને તેમના દાદીએ ઉછેર્યા અને પછી વધુ અભ્યાસ માટે મુંબઇ મોકલ્યા.

રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર બીએસ કર્યું હતું અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો હતો.

રતન ટાટાએ પોતાની કારકીર્દિની શરૂઆત ટાટા સ્ટીલ જૂથ સાથે ટાટા સ્ટીલના કર્મચારી તરીકે 1961 માં આઇબીએમની નોકરીને નકારીને કરી હતી.

રતનટાટા એ પોતાની કારકિર્દીની શરુઆત 1961થી કરી

તે 1991માં કંપનીના ચેરમેન બન્યા અને 2012માં રિટાયરમેંટ કર્યુ. 1991 માં જેઆરડી ટાટા પછી રતન ટાટા જૂથના પાંચમા અધ્યક્ષ બન્યા.



રતન ટાટાનું સ્વપ્ન હતું કે સામાન્ય લોકો પણ કાર ચલાવી શકે. આ માટે તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં સૌથી સસ્તી કાર લોન્ચ કરી અને તેનું નામ નેનો કાર રાખ્યું. જેની શરુઆતમા કિંમત ફક્ત 1 લાખ હતી. આ ગાડીનો પ્લાંટ ગુજરાતના સાણંદ ખાતે આવેલ છે.


રતન ટાટાએ ટાટા જૂથમાં ટેટલી, જગુઆર, લેન્ડ રોવર અને કોરસ જેવી કંપનીઓ મેળવી હતી.

દેશને સોલ્ટથી લઇને સોફ્ટવેર સુધી ઉપલબ્ધ કરાવનાર ઉદ્યોગપતિ રતન ટાટા નવા નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. તેમણે લોકોનું કાર લેવાનું સપનુ પુરુ કરવા માટે નેનો કાર પણ લોન્ચ કરી દીધી હતી.



દેશને પહેલી સ્વદેશી કાર આપવાનો શ્રેય પણ રતન ટાટાને જ જાય છે. 

દેશની પહેલી સંપૂર્ણ રીતે સ્વદેશમાં બનેલી કાર ટાટા મોટર્સની ઇન્ડિકા છે 1998માં ટાટા મોટર્સે ઇન્ડિકા બનાવી હતી.

ટાટા કંંપનીની નીચે 100 જેટલી કંપનીઓ છે જેમા ટાટા ચા થી લઇ ફાઇવ સ્ટાર હોટલ, સોઇ થી સ્ટીલ  સુધી, નેનો કારથી વિમાન સુધીની કંપનીઓ છે. 

રતન તાતાનો કારોબાર 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલો છે. અને પોતાની કંપનીમાં 6,30,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

 મિત્રો સૌથી મોટી વાત તાતા ગ્રૂપની એ છે કે તે પોતાના નફાનો 66% ભાગ ચેરિટીમાં દાન કરે છે

રતન ટાટા એ પોતાના કાર્યક્ષેત્રનો પ્રારંભ ૧૯૬૧ મા ટાટા કંપનીમા એક સામાન્ય કર્મચારી તરીકે કર્યો ત્યારબાદ તે સમય વીતતા અન્ય ટાટા ગ્રુપની કંપનીઓ સાથે જોડાયા અને ૧૯૭૧ મા તેમની રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની-નેલ્કો મા પ્રભારી નિર્દેશક તરીકે પસંદગી કરવામા આવી.

૧૯૮૧ મા તેમની ટાટા એમ્પાયર ના અધ્યક્ષ પદે નિયુક્તિ કરવામા આવી. 

૧૯૯૧ના વર્ષ મા JRD ટાટા એ નિવૃતિ જાહેર કરી સંપૂર્ણ કાર્યભાર રતનટાટાને સોપી દીધો હતો.

૨૮ ડીસેમ્બર ૨૦૧૨ ના રોજ રતન ટાટા , ટાટા ગ્રુપ ની બધી જ કાર્યભારની જવાબદારીઓમાથી મુક્તિ મેળવી.

એક ઇન્ટર્વ્યુમાં રતન ટાટાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં તમારું નામ કેમ નથી, ત્યારે રતન ટાટાએ જવાબ આપ્યો કે હું એક વેપારી નહિ પણ ઉદ્યોગપતિ છું, 

રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે.

પોતાના આ ૨૧ વર્ષ ના કાર્યકાળ દરમિયાન આ કંપનીએ અનેક સિધ્ધિઓ હાંસલ કરી લીધી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કંપનીનુ મુલ્ય ૫૦ ગણુ વધારી દીધુ.

 ૧૯૯૯ નો સમય જ્યારે રતન ટાટા , ટાટા એમ્પાયરના અધ્યક્ષ પદે હતા અને ટાટા ઈન્ડિકા ગાડી ને લોંચ થવાનુ એક વર્ષ વીતી ચૂક્યુ હતુ. આ સમયે રતન ટાટા ફોર્ડ ના હેડક્વાર્ટર ડેટ્રોયટની મુલાકાતે ગયા હતા. ત્યાં રતન ટાટા એ ટાટા મોટર્સનો એક પ્લાન રજુ કર્યો હતો. ત્યાં બીલ ફોર્ડ દ્વારા રતન ટાટાને ઘણા અપમાનિત કરવામા આવ્યા હતા. બીલ ફોર્ડ એ કહ્યુકે,“ અમે તમારી આ ગાડીઓ ખરીદીને તમારા પર ઘણો મોટો ઉપકાર કરી રહ્યા છીએ. જો ગાડી બનાવતા ના આવડતી હોય ને તો આ બીઝનેસ કરાય જ નહી.” આ વાત રતન ટાટાના હૈયામા તીર ની જેમ ખૂચી ગઈ અને તે રાતોરાત મુંબઈ પરત ફર્યા.

આ અપમાન બાદ રતન ટાટા ‘ટાટા મોટર્સ’ પર થોડુ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. થોડા જ દિવસોમા ટાટા મોટર્સ માર્કેટમા નામના મેળવવા લાગી. ૨૦૦૯ ના સમય મા બીલ ફોર્ડની કંપનીને ભારે નુકસાની થઈ. આ સમયે રતન ટાટા એ આ કંપની ખરીદવા નો નિર્ણય લીધો.

ફોર્ડની આખી ટીમ મુંબઈ આવી અને રતન ટાટાને કહ્યુ કે ,“અમારી ‘જેગુઆર’ અને ‘લેંડરોવર’ ખરીદીને તમે અમારા પર ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા છો.” રતન ટાટા એ ૯૬૦૦ કરોડ રૂપીયા મા આ બંને કંપનીઓ ખરીદી. 

રતન ટાટાને એકવાર એક ન્યૂઝ ના રીપોર્ટર દ્વારા પૂછાયુ કે ,“ દેશ મા સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી નુ નામ આવે છે તમારુ કેમ નહી ?” તેના ઉત્તર મા રતન ટાટા ફક્ત એટલુ જ કહે છે કે ,“ તે એક વ્યાપારી છે ને હું એક ઉદ્યોગપતિ.”

ટીવીનું જીવન સાચું નથી હોતું. જીવન ટીવીની સીરિયલ નથી હોતું. યોગ્ય જીવનમાં આરામ નથી હોતો. માત્ર કામ, કામ અને કામ જ હોય છે. તો તમે ક્યારેય એ વિચાર કર્યો કે લક્ઝરી ક્લાસ કાર (જગુઆર, હમ્મર, બીએમડબલ્યૂ, ઓડી, ફેરારી)નો કોઈ ટીવી ચેનલ પર ક્યારેય કેમ જાહેરાત નથી જોવા મળતી. કારણ કે આ કાર કંપનીવાળાને ખબર છે કે આવી કાર લેનારા વ્યક્તિ પાસે ટીવીની સામે બેસવાનો ફાલતૂ સમય નથી હોતો.

ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે

ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે તેટલા જ દરિયાદિલી ઇન્સાન પણ છે. 

૨૬/૧૧ માં મુંબઈ સ્થિત આંતકી હુમલામાં તાજ હોટેલ સળગી ગઈ હતી. ત્યારે હોટેલ છ મહિના માટે બંધ કરવામાં આવી. આ સમગ્ર ઘટના દરમિયાન નવા અને જુના એમ તમામ કર્મચારીઓને ટાટા એ છ મહિના સુધી હોટેલ બંધ હોવા છતા સેલરી આપી હતી. ઉપરાંત હુમલામાં મરી ગયેલ કર્મચારી ના પરિવારો માટે લાઈફટાઈમ પેન્શન આપવાની પણ ઘોષણા કરી હતી.

કોરોના મહામારીમાં રતન ટાટાએ 500 કરોડ અને ટાટા સન્સ કંપનીએ 1000 કરોડ એમ કુલ 1500 કરોડ રુપિયા ટાટા ગૃપ દ્વારા આપવામાં આવ્યા છે. અને રતન ટાટા કહે છે કે જો મારે મારા દેશ ભારત માટે બધી સંપતી આપી દેવી પડે તો તે આપવા હું તૈયાર છું. આ તેમને દેશપ્રેમ દર્શાવે છે.

દેશમાં સૌપ્રથમ મીઠું બનાવવાનું કામ 1927 માં ગુજરાતના ઓખામાં શરૂ થયું હતું, જેને જે.આર.ડી. ટાટાએ 1938 માં ખરીદ્યો હતો, અને ટાટા સોલ્ટની શરૂઆત આ સાથે થઈ હતી.

તેમણે ટાટા જૂથના અધ્યક્ષ પદનો ત્યાગ કર્યો હતો, પરંતુ તેઓ હજી પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે રહ્યા છે.

તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સેવાઓ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ભારતીય હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી કંપનીઓના અધ્યક્ષ પણ હતા.રતન ટાટાના કાર કલેક્શનની વાત કરીએ તો તેમને લક્ઝરી કારણો ખૂબ શોખ છે. ટાટા પાસે જગુઆર, મર્સિડીઝ એસએલ 500, ફરારી કેલિફોર્નિયા અને લેન્ડ રોવર ફ્રીલેન્ડર જેવી ઘણી વૈભવી અને મોંઘી કાર છે.

 રતન ટાટાને જેટલો કાર સાથે લગાવ છે તેટલો જ તે ફાઇટર જેટ્સ સાથે પ્રેમ છે. ટાટા પાસે પાયલોટનું લાયસન્સ છે તેથી જ તેઓ ભારતીય વાયુસેનાનું A-16 ફાઇટર જેટ ઉડાવી ચુક્યા છે.

રતન ટાટાને શ્વાન ખુબ પસંદ છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ જાતિના શ્વાન છે અને તે તેમના નવરાશના સમયમાં તેમની સાથે રમે છે.

રતન ટાટા દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહે છે જે મુંબઈના કોલાબામાં દરિયા કિનારે બનેલ છે. આ ત્રણ માળનો બંગલો 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સન ડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પૂલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે.

જો આપણે રતન ટાટાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ.કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડોલરની આસપાસ છે.

ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદ્યું છે. આ એરલાઈન 68 વર્ષ પછી ઘરે પરત આવી છે. જલદી ટાટા ડૂબતી એરલાઇનના માલિક બનશે

ટાટા જૂથ ઉત્પાદનો અને સેવાઓ

ટાટા જૂથની કુલ 100 થી વધુ કંપનીઓ છે જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્પાદનથી લઈને સેવા સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ નીચે મુજબ છે.


ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા ઓઈલ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા એરલાઈન્સ, ટાટા સોલ્ટ, ટાટા ટી, ટાટા ટેલી સર્વિસ, ટાટા નેટ, ટાટા વોચ (ટાઈટન), ટાટા એસી (વોલ્ટાસ), ટાટા કોમ્યુનિકેશન્સ (વીએસએનએલ), ટાટા ઇન્ફોટેક, ટાટા ટેક્નોલોજીસ, ટાટા સ્કાય, ટાટા ટેલિગ્લોબ, ટાટા પિગમેન્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી, ટાટા કોમ્યુનિકેશન ટાટા સિમેન્ટ વગેરે.


ટાટા લોકોમોટિવ્સ અને ઘણી મશીનરી પ્રોડક્ટ્સ, સાબુ અને ડિટર્જન્ટ્સનું પણ ઉત્પાદન કરે છે, ટાટા જૂથ શિક્ષણમાં પણ સામેલ છે, જેમ કે ટાટા મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર (પુણે), અને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ. ટાટા ગ્રૂપ પણ હોટેલ તાજ ગ્રુપની જેમ હોટેલ સેક્ટરમાં ટોચ પર છે.

ટાટા જૂથ સરકારી સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ, ટાટા સેન્ટર ફોર બેઝિક રિસર્ચ, ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં પણ સામેલ છે.


રતન ટાટાને  2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.

2008માં સિંગાપુર સરકારે તેમને માનદ નગરિક પુરસ્કાર આપેલ છે.
આ સિવાય તેમને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણા સન્માન અને પુરસ્કારો મળ્યા છે અને તેની સંખ્યા પણ 30થી વધુ છે.

માણસ ગમે તેટલી સંપત્તિ કમાય, પણ જે દિવસે તે આ દુનિયાને અલવિદા કહે છે તે દિવસે તે બધું અહીં છોડી દે છે, કારણ કે કફનમાં ખિસ્સું નથી અને જો હોય તો પણ અહીં બધું જ બળી જવાનું છે પણ હા તેના ગયા પછી , તેના કાર્યોની ચર્ચા કરવામાં આવે છે અને પ્રમાણિકપણે, તે વ્યક્તિની વાસ્તવિક આવક છે.

રતન ટાટા જેવા લોકો પોતાનામાં એક વ્યક્તિત્વ છે અને સાચું કહું તો આના જેવા મહાન માણસો જ જાણે છે કે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. 

આવા મહાન અને દેશભક્ત વ્યક્તિને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ધીરુભાઇ અંબાની જીવન પરિચય

 ધીરુભાઇ અંબાણી


પુરુ નામ: ધીરજલાલ હિરાચંદ અંબાણી

જન્મતારીખ: 28 ડિસેમ્બર 1932

જન્મસ્થળ: ચોરવાડ, જૂનાગઢ

પિતાનું નામ; હિરાચંદ ગોરધન અંબાણી

માતાનું નામ: જમનાબેન 

અવશાન:  6 જૂલાઇ 2002 (મુંબઇ)

કેટલાક લોકો જન્મે છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. 


તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જૂનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો.

 જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની સ્થાપના કરી હતી. 

1977માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી,

જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા


શું તમે જાણો છો કે એની શરૂઆત કેવી રીતે થઈ હતી અને કેટલી નામી ઉંમરમા થઈ હતી.

ધીરુભાઇ અંબાણીએ 50,000 રૂપિયા અને બે સહાયકો સાથે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાનો પહેલો ધંધો શરૂ કરવા ધીરુભાઈ પાસે 350 ચોરસ ફૂટનો એક જ ઓરડો હતો. જેમાં ટેબલ, ત્રણ ખુરશીઓ, બે સહયોગી અને એક ટેલિફોન હતો. ધીરુભાઇ અંબાણીએ 16 વર્ષની વયે 10મું ધોરણ પાસ કર્યું અને 17 વર્ષની વયે તેઓ પૈસા કમાવવા 1949માં યમનમાં તેમના ભાઇ રમણિકલાલ પાસે જતાં રહ્યાં. ત્યાં તેમણે ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટ તરીકે દર મહિને 200 રૂપિયામાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીને કારણે તેણે નાની ઉંમરથી જ નાના નાના કામ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા વર્ષો પછી ભારત પાછા ફર્યા અને ગિરનારની તળેટીમાં ભજીયા વેચવાનું શરૂ કર્યું.  થોડા દિવસો સુધી બજારમાં અવલોકન કર્યું અને નજીકથી જોયું ત્યારપછી ધીરુભાઇ સમજી ગયા કે ભારતમાં પોલિએસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં માગ છે ભારતીય મસાલાની. અહીંથી તેમને બિઝનેસનો વિચાર આવ્યો.

1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ(Reliance)ની શરૂઆત કરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

તેણે પોતાના મનમાં નક્કી કર્યું અને રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન નામની એક કંપનીની શરૂ કરી. જેણે ભારતના મસાલાઓનું વેચાણ વિદેશમાં અને ભારતમાં પોલિસ્ટર વેચવાનું શરૂ કર્યું. વર્ષ 2000માં જ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. ધીરુભાઇએ પછીથી તેમના બિઝનેસનો વિસ્તાર વધાર્યો. જેમાં તેમણે પેટ્રોકેમિકલ્સ, ટેલિકમ્યુનિકેન્સ, માહિતી, ટેકનોલોજી, ઉર્જા, પાવર, મૂડી બજારો, કાપડ ઉદ્યોગ વગેરેમાં તેમના વ્યવસાયો સ્થાપિત કર્યા.

ટેક્સટાઈલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઈલ મિલ 1977ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.

ધીરુભાઈએ "વિમલ"' (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યુ હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે "વિમલ"(Vimal) નામ ઘરે-ઘરે જાણીતુ નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ "ઓન્લી વિમલ" ("only Vimal") બ્રાન્ડના કાપડ વેચતા. 1975ના વર્ષમાં વિશ્વ બેન્કની (World Bank) ટેકનિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને "વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ" હોવાનું પ્રમાણપત્ર અપાયુ હતું.

ભારતમાં ઈક્વિટિ કલ્ટ(શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય


સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સઈન્ફર્મેશન ટેકનોલોજીએનર્જીપાવરરીટેલટેક્સટાઈલઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો


હિન્દી ફિલ્મ ”ગુરુ” ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હોવાનું મનાય છે.


મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા

સન્માન અને એવોર્ડ
  • નવેમ્બર 2000- 'મેન ઓફ સેન્ચ્યુરી', ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને આ સન્માન અપાયુ હતું.
  • 2000, 1998 અને 1996માં – 'પાવર 50 - એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ, એશિયાવીક(Asiaweek) મેગેઝિન દ્વારા .
  • જૂન 1998 - ડીન્સ મેડલ' , નેતૃત્વનું અનોખું ઉદાહરણ આપવા બદલ ' ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સ્લિવિનિયા(The Wharton School, University of Pennsylvania). સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરનાર ભારતીયનું ગૌરવ ધીરુભાઈને મળે છે 
  • ઓગસ્ટ 2001 – ધી ઈકોનોમિક ટાઈમ્સ(The Economic Times) એવોર્ડ, કોર્પોરેટ શ્રેષ્ઠતા માટે' લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે. '
  • ' ધીરુભાઈ અંબાણી મેન ઓફ 20એથ સેન્ચ્યુરી, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(Federation of Indian Chambers of Commerce and Industry) ' (FICCI) દ્વારા જાહેર થયા.
  • ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (Times of India) દ્વારા 2000માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. તેઓ ભારતના સાચા પુત્ર છે.'
  • ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર ૨૦૦૨માં ધીરુભાઇ અંબાણીની ટપાલ ટિકિટ બહાર પાડી છે