મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

17 August, 2023

ચંદ્રયાન (Chandrayaan)

 


ભારતે અત્યાર સુધીમા કુલ ચંદ્ર પર 3 મિશનો કર્યા છે જેની વિગત અહિ આપવામા આવી છે.

મિશન ચંદ્રયાન-1

  • 15 ઓગસ્ટ, 2003 ના રોજ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્રારા લાલા કિલ્લા પરથી Chandrayaan-1 ની જાહેરાત કરવામાં આવી.
  • 22 ઓક્ટોબર 2008 ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 1 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 8 નવેમ્બર 2008 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું. ચંદ્રયાન-1નું ટેક-ઓફ વજન 1380 કિગ્રા હતું
  • જને 14 નવેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ ઈરાદાપૂર્વક ચંદ્રની સપાટી પર મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયું.
  • મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ આ ચંદ્રાયન 1 એ લગભગ 1 વર્ષ સુધી ચંદ્રની ઓર્બીટમાં 3400 ચક્કર માર્યા અને ડેટા મોકલે છે જેમાં ચંદ્રમાં પાણી હોવાનું જાણવા મળ્યું.
  • મિશન Chandrayaan 1 સાથે છેવટે 29 ઓગસ્ટ 2009 ના રોજ સંપર્ક તૂટી ગયો.

મિશન ચંદ્રયાન-2

  • મિશન Chandrayaan 2 એ 2013 માં રશિયન સ્પેસ એજન્સીના સહયોગથી લોન્ચ કરવાનું હતું પરંતુ જ્યારે રશિયા આ કરારમાંથી બહાર થઈ ગયું ત્યારે ઇસરોએ આ મિશન પોતાની રીતે લોન્ચ કરવાનું નક્કી કર્યું.
  • 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 2 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 20 ઓગસ્ટ 2019 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું. ચંદ્રયાન-2નું વજન 3850 કિગ્રા હતું.
  • 6 સપ્ટેમ્બર 2019 ના રોજ વિક્રમ લેન્ડર લેન્ડિંગ કરવાનું હતું પણ અચાનક લેન્ડર સાથે સંપર્ક તૂટી જતા આ મિશન અસફળ થયું હતું.


મિશન ચંદ્રયાન-3

Indian Space Research Organization (ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી 14 જુલાઇ  2023ને શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક  લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે જે અંદાજીત  23 ઓગ્સ્ટના 2023 રોજ ચંદ્રની સપાટી પર સાંજે 6:04 કલાકે  સોફ્ટ લેન્ડિંગ કરશે.

જો ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનાર પ્રથમ દેશ બનશે.

ISRO જે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા માટે તૈયાર છે, તે સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ પી. વીરમુથુવેલ કરી રહ્યા છે

ચંદ્રયાન-3માં ઓર્બિટરની જગ્યાએ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે

  • LVM-3 રોકેટ દ્વારા ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવામાં આવશે
  • આ રોકેટનું વજન 642 ટન જ્યારે ઉંચાઈ 143 ફૂટ છે


Chandrayaan 3 ને છોડવા માટે ISRO LVM-3 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે જે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. આ LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3 ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170×36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા Chandrayaan 3 છોડશે.



પેલોડ્સ એટલે એવા સાધનો કે જે ચંદ્ર પર જઈને વિવિધ પ્રકારની પ્રકારની તપાસ કરે છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. જેમાં લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે.




ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. જ્યારે અહીં રાત હોય છે, એટલે કે પુથ્વી ના 14 દિવસ એટલે ચંદ્ર પર દિવસ થાય છે. જ્યારે Chandrayaan 3 નું લેન્ડિંગ થશે ત્યારે ત્યાંનું તાપમાન – 100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. જેથી ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ રાત્રિના સમયે પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. જો ત્યાં પાવર જનરેશન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે.  ISRO  નું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડ કરશે જે એક વિચિત્ર સ્થળ છે. અહીં સૂર્ય માત્ર ક્ષિતિજમાં હોય છે તેથી લાંબા-લાંબા પડછાયા બને છે. જેના કારણે સપાટી પર કશું સ્પષ્ટ દેખાતું નથી.

ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગે છે તે રોકેટની ડિઝાઈન, ઉપયોગમાં લેવાતું ઈધન, અને ચંદ્રયાનની ગતિ પરથી નક્કી થતું હોય છે. અંતરીક્ષમાં લાંબી દુરી કરવામાં હાઈસ્પીડ રોકેટ જોઈએ. એટલે કે ભારત પાસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા જેટલું શક્તિશાળી રોકેટ નથી કે જે ચંદ્રયાન-3 સીધું ચંદ્ર પર લઈ જઈ શકે. પરંતુ ઇસરો ઓછા ખર્ચમાં સારુ કામ કરવા માટે જાણીતું છે.

તે માટે ઇસરોએ ગુરુત્વાકર્ષણ બળની મદદથી ચંદ્ર સુધી પહોંચવાનો બીજો રસ્તો શોધ્યો. જે Chandrayaan 3 ને ચંદ્ર સુધી લઈ જવામાં મદદ કરશે. તે માટે Chandrayaan 3 નો વધુ સમય ચંદ્રની પરિક્રમામાં જતો રહેશે.

પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 4 લાખ કિલોમીટર છે અને પૃથ્વીથી મંગળનું અંતર લગભગ 3,390 લાખ કિલોમીટર છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ મંગળ કરતાં વધુ જોખમી છે. આના 3 મુખ્ય કારણો છે. (1) ચંદ્ર પર વાયુમંડળ ન હોવું (2) ચંદ્ર પર GPSનો અભાવ (3) ચંદ્રનું દક્ષિણ ધ્રુવ વિચિત્ર સ્થળ


  • વિશ્વના 6 દેશો દ્વારા મૂન મિશન હાથ ધરવામાં આવ્યા હતા
  • વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં 110 મૂન મિશન હાથ ધરવામાં આવ્યા છે. તેમાંથી 68 મિશન સફળ રહ્યા છે. 42માં નિષ્ફળતા મળી છે
  • 12 લોકો અત્યાર સુધી ચંદ્રની સપાટી ઉપર જઈ આવ્યા છે
  • અમેરિકા અને રશિયા જ ચંદ્ર ઉપર સૌથી વધુ સફળ મિશન કરનારા દેશ છે, તેમના કુલ 64 મિશનમાંથી 43 મિશન સફળ થયા છે
  • અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે.



વધુ માહિતી માટે 
ચંદ્રાયાન -1  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.
ચંદ્રાયાન -2  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.
ચંદ્રાયાન -3  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.

16 August, 2023

Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ

 Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ



દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનએ ૧૨માર્ચ, ૨૦૨૧થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે.

 દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે.

“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩0 ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. જે બે વિભાગમાં થાશે, પહેલા વિભાગમાં 9 થી 15 ઓગસ્ટ સુધી સ્થાનિક કક્ષાએ ત્યાર બાદ 16 થી 30 એપ્રિલ સુધી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ.

માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.



યુદ્ધના મેદાનમાં શહીદ થયેલા આપણા બહાદુરોનું સન્માન કરવા માટે, “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, આપણા અમર શહીદોના સન્માનમાં દેશભરમાં અસંખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. વધુમાં, દેશભરની હજારો ગ્રામ પંચાયતોમાં તેમના સન્માનમાં વિશેષ શિલાલેખો મૂકવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ‘અમૃત કલશ યાત્રા’નું પણ આયોજન કરવામાં આવશે.  દેશની રાજધાની, દિલ્હી, "અમૃત કલશ યાત્રા" દ્વારા પહોંચવામાં આવશે, જે દેશના ચારેય ખૂણેથી 7500 કલશોમાં માટી વહન થશે.

 દેશના વિવિધ પ્રદેશોના  7500 કલશોમાં આવશે તે માટી અને રોપાઓનું મિશ્રણ કરીને, "અમૃત વાટિકા" રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બાંધવામાં આવશે. 

ગયા વર્ષથી, રાષ્ટ્ર અમૃત મહોત્સવ, અથવા સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ તેનો હવાલો સંભાળે છે. ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમમાં અમૃત બગીચાઓનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં 75 વિવિધ પ્રકારના દેશી છોડ વાવવામાં આવશે.


રાજ્યના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દ્વારા સંચાલિત “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમના ભાગ રૂપે બનાવવામાં આવનાર અમૃત વાટિકામાં ઓછામાં ઓછા 75 સ્વદેશી છોડ વાવવા જોઈએ. વધુમાં, આ છોડની ખેતી કરવાની ફરજ નિભાવો.

 દરેક ગામની માટી દેશની રાજધાની દિલ્હી પહોંચશે. અમૃત મહોત્સવના પ્રથમ વર્ષ અને તેના સમાપન પર આયોજિત આ કાર્યક્રમના ભાગરૂપે દરેક ગામમાંથી ગ્રામ પંચાયતો અને ગ્રામ પંચાયતોથી બ્લોક લેવલ સુધી માટીના ભંડાર પહોંચાડવામાં આવશે. દરેક સ્તરે વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવશે.

 નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો આ માટીના કલશને બ્લોકમાંથી દેશની રાજધાની સુધી પહોંચાડશે. 

રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટનું સ્થાન. અમૃત વાટિકામાં દરેક ગામની આબોહવાને અનુરૂપ 75 છોડ વાવવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યભરમાં 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે.

સ્થાનિક નાયકોનું સન્માન કરવા માટે, અમૃત સરોવરની નજીક ગામ, બ્લોક અને સ્થાનિક સંસ્થાઓના સ્તરે "શીલાફલકમ" નામનું એક વિશેષ સ્મારક સ્થળ, એક જળ મંડળ, એક પંચાયત મકાન અને એક શાળાનું નિર્માણ કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ, શહીદોનું સન્માન, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન, ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રગીત ગાવાનું સમારંભ યોજાશે. પાંચ વ્રત પણ કરવામાં આવશે. ગામડાઓ અને શહેરી વિસ્તારો બંને સમાન કાર્યક્રમોનું આયોજન કરશે. 

સ્થાનિક કક્ષાએ યોજાશે પાંચ મુખ્ય કાર્યક્રમ



૧. શિલાફલકમનું સ્થાપન: દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવશે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે.




૨. ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા:‌ સ્થાનિક કક્ષાએ યોજાતા કાર્યક્રમ દરમિયાન ના ગરીકો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે. અમૃતકાળનાપંચપ્રણ:

  • વિકસિત ભારતનું લક્ષ્ય
  • ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા
  • ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ
  • દેશની એકતા અને એકસૂત્રતા
  • નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના


૩. વસુધા વંદન: વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત માભોમને વધુ હરિયાળી બનાવવા દેશની દરેક એટલેકે ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.

૪. વીરોને વંદન: વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવશે.

૫. રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન: ગ્રામપંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે દરેક ભારતીય માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠી ભરીને માટી અને માટીનો દીવો સમર્પિત કરશે. પંચ પ્રણ દ્વારા શપથ લઇને રાષ્ટ્ર નિર્માણનું વચન આપશે અને આ અભિયાનની વેબસાઇટ પર સેલ્ફી પણ અપલોડ કરશે.

 મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કઇ રીતે કરવુ.

આપેલ લિંક પર ક્લિક કરવી. https://merimaatimeradesh.gov.in/pledge

  •  તમારે નામ મોબાઇલ નંબર સ્ટેટસ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું રહેશે અને સબમિટ બટન દબાવવું પડશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે માટી સાથેની તમારી સેલ્ફી ક્લિક કરીને અપલોડ કરવાની રહેશે.
  • ફોટો અપલોડ કરતાની સાથે જ તમને મેરા દેશ મેરી માટી સર્ટિફિકેટ મળશે.