મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label Navratri. Show all posts
Showing posts with label Navratri. Show all posts

11 October, 2021

નવરાત્રી- નવમું નોરતું

નવરાત્રી- નવમું નોરતું

માઁ  સિદ્ધિદાત્રી


या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

મા દુર્ગાના નવમા સ્વરૂપનું નામ ‘સિદ્ધિદાત્રી’ કહેવાય છે. 

 તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. 

હિમાચલના નંદા પર્વત પર તેમનું પ્રસિદ્ધ તીર્થ છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એમ આઠ સિદ્ધિ છે. આ દેવીની યોગ્ય વિધિ-વિધાન સાથે ઉપાસના કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી શિવજીએ તમામ સિદ્ધિ પ્રાપ્ત કરેલી.

તેમની કૃપાથી જ શિવજી અર્ધનારીશ્વર બન્યા. તેમના નીચેના જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે. નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે. નવમા નોરતે વિધિ-વિધાન સાથે તેમની ઉપાસના કરવામાં આવતી હોય છે. તેમની સાધનાથી તમામ પ્રકારની લૌકિક અને પરલૌકિક કામના પૂરી થાય છે.


આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.


માર્કર્ંડય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે, એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધદાત્રી છે. 

બ્રવૈવત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્પા, મહિમા, ઈશિત્વવશિત્વ, સર્વ કામ સાધના પરકાયા-પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકત્વ, ભાવનાસિદ્ધિ, આ અઢાર સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. 

દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના "અર્ધનારીશ્વર" સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવગંધર્વયક્ષઅસૂર અને સિદ્ધ પણ કરે છે.


દુર્ગાના આ સ્વરૂપ્નું દેવ, ઋષિ-મુનિ સિદ્ધ યોગી-સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે.

નવરાત્રી- આઠમું નોરતું

 નવરાત્રી- આઠમું નોરતું

માઁ મહાગૌરી


મા દુર્ગાના આઠમા સ્વરૂપનું નામ ‘મહાગૌરી’ કહેવાય છે. આ દિવસને મહાષ્ટમી કહેવાય છે. આ દિવસને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે.

એમનો વર્ણ ગૌર છે અને તેમને ચાર ભૂજાઓ છે, શુભ્ર વસ્ત્રધારી છે, એમને ત્રણ નેત્રો છે. 

તેમનું વાહન ‘વૃષભ’ (બળદ) છે, 

જમણા હાથમાં અભયમુદ્રા, અને નીચેના હાથમાં કરમુદ્રા છે, દક્ષિણ હાથમાં ડમરુ છે. 

નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો, જ્યારે શિવજીએ ગંગાજળ મસળી તેમના દેહને ધોયો, ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો તે અત્યંત ગૌર બની ગયો, તેથી વિશ્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયાં

તેમના ગૌરવર્ણની તુલના શંખ, ચંદ્ર અને મોગરાના ફૂલ સાથે કરવામાં આવી છે. 

તેમના તમામ વસ્ત્રો અને આભૂષણો સફેદ છે. એટલે જ તેમને ’શ્વેતાંબરધરા’  કહેવામાં આવે છે. 

ચારભુજાવાળી આ દેવી વૃષભ પર બિરાજમાન હોવાથી વૃષારુઢા પણ કહેવાય છે.

 આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના કરવી જોઈએ.

 શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે.

પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે

10 October, 2021

નવરાત્રી‌- સાતમું નોરતું

 નવરાત્રી‌- સાતમું નોરતું

માઁ કાલરાત્રી


આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે.


આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી ‘કાળરાત્રિ’ કહેવાયા

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. 

તેમનું સ્વરૂપ ગાઢ અંધકાર જેવું કાળું છે, ભયાનક છે, વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુત જેવી ચમકદાર માળા છે. તેમના ત્રણ નેત્ર છે. ત્રણેય બ્રહ્માંડ જેવા ગોળ છે. તેમના શ્વાસમાંથી અગન ઝરે છે. તેમનું વાહન છે ગર્દભ. જમણી બાજુ ઉપરનો હાથ વરદાનની મુદ્રામાં ઊઠેલો છે. નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુ ઉપરના હાથમાં લોઢાનો કાંટો છે, નીચેના હાથમાં ખડગ છે. તેમનું સ્વરૂપ ભલે ભયાનક હોય, પણ તે હંમેશા શુભ ફળ આપે છે.

તેમની ઉપાસનાથી સિદ્ધિના તમામ દરવાજા ખૂલી જાય છે. આસુરી શક્તિ તેમના નામથી ભયભીત થઈને ભાગી જાય છે. તે ગ્રહપીડા દૂર કરે છે. અગ્નિ, જળ, જંતુ, રાત્રી, શત્રુ આદિનો ભય પણ દૂર કરે છે

 તેઓનું વાહન ગર્દભ છે. (શીતળા માતાનું વાહન પણ ગર્દભ હોય છે.) 

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું.

 શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.

 તેમનું એક નામ ‘શુભંકરી’ છે, ભક્તોએ કોઈપણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે મા ‘કાળરાત્રિ’ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે.

આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

 નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

માઁ કાત્યાયની માતા


નવરાત્રીના છઠ્ઠા દિવસે માઁ નવદુર્ગાનાં  કાત્યાયની સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

 દિવ્ય રૂપ કાત્યાયની દેવીનું શરીર સોના કરતા પણ વચારે ચમકતું છે.

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે.

 તેમનું વાહન સિંહ છે.

 

પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. 


કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. 


યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે


 એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.


વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા માટે યમુનાકાંઠે કાત્યાયની પૂજા-તપ કર્યુ હતું તેથી તેઓ વ્રજમંડળની અધીશ્ર્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માના ભક્તો - સાધકોથી તેમની ઉપાસનાથી રોગ-શોક સંતાપ, ભયમુક્ત થાય છે અને ભક્તિથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. 


લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે તેમની પૂજા અચૂક કરવામાં આવે છે. યોગ્ય અને ઇચ્છિત વર તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. 



નવરાત્રી‌- પાંચમું નોરતું

 નવરાત્રી‌- પાંચમું નોરતું

માઁ સ્કંદમાતા


મા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ ‘સ્કંદમાતા’ કહેવાય છે.

 તેઓ શૈલપુત્રી બ્રચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયાં તેથી સ્કંદ તેમના પુત્રરૂપે પ્રગટ થયા તેમની માતા હોવાથી ‘સ્કંદ માતા’ કહેવાયા. 

તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. . દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. 

આ સ્કંદ દેવોના સેનાપતિ હતા, પુરાણો અનુસાર તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે.

તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

સ્કંદા માતાની વનસ્પતિ અળસી છે. અળસીથી પિત્ત, વાત, કફ અને ત્રીદોષનો નાશ થાય છે.

 સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તો - સાધકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ - સુખનો અનુભવ મળે છે.

પહાડ પર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરનારી માતાનું નામ છે, સ્કંદમાતા.

સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તે સ્કંદમાતા તરીકે ઓળખાય છે. 

ભગવાન સ્કંદ બાળ સ્વરૂપે તેમના ખોળામાં બિરાજમાન છે. તેમના નીચેના હાથમાં કમળ પુષ્પ છે. ડાબો હાથ વરદ મુદ્રામાં છે. શુભ્ર વર્ણવાળાં આ દેવી કમળના આસન પર બેઠા છે.

આથી જ તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે.

 તેમની આરાધના કરવાથી સર્વ ઇચ્છા પૂરી થઈ જાય છે. 

સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિ પ્રાપ્ત કરે છે. 

મનને પવિત્ર અને એકાગ્ર રાખીને તેમની આરાધના કરનારને ભવસાગર પાર કરવામાં કોઈ અડચણ પડતી નથી. 

કહેવાય છે કે કાલિદાસ રચિત રઘુવંશમ અને મેઘદૂત સ્કંદમાતાને કારણે જ સંભવ બન્યા.

08 October, 2021

નવરાત્રી- ત્રીજુ નોરતુ

 નવરાત્રી- ત્રીજુ નોરતુ

માઁ ચંદ્રઘંટા


યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટારૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રીના ત્રીજા દિવસે માઁ  ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.. 

આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે માઁ ચંદ્રઘંટા. ભગવાન શંકરના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના રૂપમાં સુશોભિત છે, આ કારણે તેમને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.

ચંદ્રઘંટા એટલે ચંદ્રની જેમ ચમકે છે અને શિવજીના મસ્તક પર બિરાજમાન છે.

 નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે.

તેમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

માઁ ચંદ્રઘંંટાની વનસ્પતિ છે- ચંદ્રસૂર અથવા ચર્મહન્તિ
આ વનસ્પતિનો છોડ કોથમીર જેવો હોય છે જે ચરબી ઓછી કરે છે, આંખોનું તેજ વધારે છે, ચામડીને ચમકીલી બનાવે છે
ચરબીને દૂર કરે છે માટે તેને ચર્મહન્તિ કહે છે.

 તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે.

 તેમને દસ હાથ છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો છે અને કમળ, ધનુષ્ય, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા શોભી રહ્યા છે. 

તેમનું વાહન વાઘ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર રહેનારી હોય છે.

ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે

દુષ્ટોનાં દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૃપ ભક્ત અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે.

 એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા – નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. 

તેનાં મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે.

 સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. 

મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. 

માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે. દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.



07 October, 2021

નવરાત્રી- બીજુ નોરતુ

 નવરાત્રી- બીજુ નોરતુ

બ્રહ્મચારિણી માઁ

બીજુ નોરતુ : તપનું પ્રતીક છે માં બ્રહ્મચારિણી


या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

નવરાત્રીના બીજા દિવસે માઁ બ્રહચારિણીની આરાધના કરવામાં આવે છે.. 

સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી.

  બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. 

એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

બ્રહ્મચારિણી માઁ સાથે બ્રાહ્મી વનસ્પતિ જોડાયેલ છે. બ્રાહમી યાદશક્તિ અને આયુષ્ય વધારે છે. આ ઔષધિનુ સેવન કરવાથી અવાજમાં મધુરતા આવે છે,નાડીઓ શુધ્ધ બને છે અને રક્ત વિકાર દૂર થાય છે.

શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.
એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા. 

પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.  

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.

આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયા હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત કરી તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.

માં બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માંના સ્વરૂપને સફેદ વસ્તુઓ અર્પિત કરો જેમ કે મિશ્રી, ખાંડ અથવા પંચામૃત.

નવરાત્રી- પહેલુ નોરતુ

 નવરાત્રી- પહેલુ નોરતુ

માં શૈલપુત્રી


યા દેવી સર્વભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા, 
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ.

આસો મહિનાની એકમ (પડવો) થી નોમ સુધી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.


માં દુર્ગાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે માટે નવરાત્રી એટલે મા શક્તિની ઉપાસનાના દિવસો.

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે 

નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે,

આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે.

  • શૈલપુત્રી
  • બ્રહ્મચારિણી
  • ચન્દ્રઘંટા
  • કૂષ્માંડા
  • સ્કન્દમાતા
  • કાત્યાયની
  • કાલરાત્રિ
  • મહાગૌરી
  • સિદ્ધિદાત્રી

યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા 

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રીના પહેલા દિવસે માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ  શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.. 

શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.

તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી છે 

તેમનું વાહન વૃષભ છે. આથી તેઓ વૃષારુઢા પણ કહેવાય છે. 

માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.

દરેક માતાજીના સ્વરુપ સાથે વનસ્પતિ પણ જોડાયેલ છે, મા શૈલપુત્રિની વનસ્પતિ છે- હરડ. આ ઔષધિ પાચન સુધારે છે અને પેટદર્દ મટાડે છે.

તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. તે જ પાર્વતી છે.

પૂર્વ જન્મમાં તેઓ જ સતી હતા. તેમનું અન્ય એક નામ છે, હેમવતી.

 પ્રજાપતિ દક્ષે શિવને યજ્ઞામાં ન બોલાવતા સતીએ કઈ રીતે યોગાગ્નિમાં સમાઈ જઈ પ્રાણ ત્યાગી દીધા હતા તે કથા તો સુવિદિત છે.

 શક્તિનો પુનઃજન્મ દર્શાવે છે કે ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. 

કથા

પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.

22 October, 2020

નવરાત્રી

 


સૃષ્ટિના અણુ અણુમાં શક્તિ વ્યાપેલી છે. એ પ્રભુત્વની પ્રતિમા છે અને એ સમસ્ત જ્ઞાન અને વિજ્ઞાનની આદિસ્ત્રોત છે. શક્તિ, નિરંજન, નિર્ગુણ, નિરાકર અને ચૈતન્ય ભાવપૂર્ણ છે. 

શિવની એક રાત છે, શક્તિની નવ રાત છે.

પહેલા ત્રણ નોરતા તમોગુણ, બીજા ત્રણ રજોગુણના અને છેલ્લા ત્રણ સત્વગુણના છે. એ પછી ૧૦મા દિવસે જે શક્તિનો સંચાર થાય છે તે ત્રિગુણાતિત છે. નવરાત્રીનું મહત્ત્વ કેવળ ગરબે ઘૂમવા પૂરતું નથી. તેનાથી ઘણું અધિક છે

સામર્થ્યનું પ્રતિક સિંહ એ તેમનું વાહન છે. 

પ્રભુત્વ સ્થાપિત કરનાર અસ્ત્ર-શસ્ત્ર તેમનાં આયુધો છે.

 જ્ઞાનના ચિહ્ન સ્વરૂપ તૃતીય નયન તેમના લલાટની મધ્યમાં શોભા આપે છે. એવી આ અનન્ય શક્તિને નમસ્કાર

નવરાત્રિ એટલે નવ રાત્રિનો સમૂહ 

નવરાત્રી કે નવરાત્રને સંસ્કૃત, હિન્દી, મરાઠી અને નેપાળીમાં नवरात्रि, બંગાળીમાં নবরাত্রি, કન્નડમાંನವರಾತ್ರಿ, તેલુગુમાં దుర్గా నవరాత్రులు, મલયાલમમાં: നവരാത്രി અને તમિલમાં நவராத்திரி કહે છે 

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. 


જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. 


આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.


મહિષાસુર સૃષ્ટિકર્તા બ્રહ્માનો મહાન ભક્ત હતો અને બ્રહ્માજીએ મહિષાસુરને વરદાન આપ્યુ હતુ કે, કોઇપણ દેવતા તથા દાનવ તેને પરાસ્ત કરી શકશે નહી.

ત્યારબાદ મહિષાસુર સ્વર્ગલોકના દેવતાઓને પરેશાન કરવા લાગ્યો અને પૃથ્વી પર પણ ઉત્પાત કરવા લાગ્યો. મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કરીને ઇન્દ્રને હરાવી સ્વર્ગલોક પર ક્બ્જો કરી કરી લીધો તથા સૌ દેવતાઓને ભગાડી મુક્યા. દેવગણ પરેશાન થઈને ત્રિમૂર્તી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે સહાયતા માટે ગયા. દેવગણે એકત્ર થઈને ફરી મહિષાસુર સાથે યુધ્ધ કર્યુ પરંતુ તેને હરાવી ન શક્યા.


કોઇ ઉપાય ન મળતા દેવતાઓએ મહિષાસુરના વિનાશ માટે માં દુર્ગાનુ સર્જન કર્યુ જેને શક્તિ તથા પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવેછે.

 દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરીને મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુધ્ધ કરી દસમાં દિવસે તેનો વધ કર્યો. આ દિવસની ઉજવણી હિંદુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા તથા નવરાત્રી તેમજ દશેરા તરીકે ઉજવેછે. જે અનિષ્ટ પર સારાનુ પ્રતીક છે.



ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. 

ભગવદ્‌ગોમંડળમાં ગરબો  શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.

  • ’અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.’
  • ’તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.’
  • ’મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.’


સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતાં રમે તે રાસ.

તાળી સાથે, ઘૂમતાં-ઘૂમતાં સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરુષો ઘૂમતાં ઘૂમતાં ગાય તે ગરબી.

ગરબામાં અમુક જ તાલ કે અમુક જ રાગ હોવા જોઈએ એવું કોઈએ નક્કી કર્યું નથી. 


ગરબા મોટે ભાગે આ ચાર તાલમાં પ્રયોજાય છે.'''' (1) હીંચ (છ માત્રા. દા.ત.- મા તું પાવાની પટરાણી) (2) ખેમટો (છ માત્રા, આશાભર્યાં તે અમે આવીયાં) (3) કેરવો (આઠ માત્રા, નાગર નંદજીના લાલ) અને (4) દીપચંદી (14 માત્રા, રઘુપતિ રામ હૃદયમાં રહેજો). હીંચ અને ખેમટામાં માત્રા સરખી છે, છતાં તે લય ને વજનથી જુદાં પડે છે."


ગરબાનાં બે પ્રકાર છે:

(૧) પ્રાચીન ગરબો
(૨) અર્વાચીન ગરબો





નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણું મહત્વનો તહેવાર છે. આ પવિત્ર અવસર પર માં અંબેના નવ રૂપ ની આરાધના કરવા માં આવે છે. તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવા માં આવે છે. વેદ પુરાણ માં અંબે માં ને શક્તિ નું રૂપ માનવા માં આવેલું છે. જે અસુરો થી આ સંસાર ની રક્ષા કરે છે. નવરાત્રી ના સમયે માં ના ભક્તો તેમના થી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિ ની કામના કરે છે. આવો જાણીએ છે માં અંબે ના નવ રુપ કયા કયા છે:-

1.  માતા શૈલપુત્રી
2.  માતા બ્રહ્મચારિણી
3.  માતા ચંદ્રઘંટા
4.  માતા કુષ્માંડા
5.  મા સ્કંદમાતા
6.  માતા કાત્યાયની
7.  માતા કાલરાત્રિ
8.  માતા મહાગૌરી
9.  માતા સિદ્ધિદાત્રી





પહેલા દિવસે માઁ શૈલીપુત્રી



આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. માતજીના એક હાથમાં કમળ અને બીજા હાથમા ત્રીશૂળ છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

માઁ શૈલપુત્રી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી



આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. માતાજીના એક હાથમાં માળા અને એક હાથમા કમંડળ છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

માઁ બ્રહ્મચારિણી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા



આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાજીને 10 હાથ છે અને દરેક હાથમાં શસ્ત્રો ધારણ કરેલ છે તથા માતાજી સિંહ પર સવાર છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે

માઁ ચંદ્રઘંટા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


ચોથા દિવસે માઁ કૂષ્માંડા



આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

માઁ કૂષ્માંડા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા



આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. માતાજીને ચારભુજા છે તથા સિંહ પરા સવારી કરેલ છે. પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

માઁ સ્કંદમાતા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની



આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

માઁ કાત્યાયની વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ



આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. મતાજી ઘોડા પર સવારા છે તથા ત્રીનેત્ર અને ચાર ભુજા ધરાવે છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

માઁ કાલરાત્રી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી



આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

માઁ મહાગૌરી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી




આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.

માઁ સિદ્ધદાત્રી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


આપણા પુરાણોમાં શિવ અને શક્તિને જગત પ્રાણ માનવામાં આવે છે. આ સમગ્ર ચર-અચર જગત શિવ અને શક્તિ દ્વારા નિર્મિત છે.
અખિલ બ્રહ્માંડની એ અધિશ્વરીને આપણે ‘મા દુર્ગા અથવા જગદંબા’ના નામથી સંબોધીએ છીએ. 

પુરાણોમાં એના ૧૦૮ સ્વરૂપ વર્ણવેલા છે.

મા દુર્ગાની ઉત્પત્તિની કેટલીય કથાઓ છે. પુરાણકાળમાં દેવો અને દાનવો વચ્ચે ૧૦૦ વર્ષ સુધી યુદ્ધ ખેલાયું હતું. આ યુદ્ધમાં દેવોના સેનાપતિ દેવરાજ ઇન્દ્ર હતા. તો દાનવોની આગેવાની વિકરાળ દૈત્ય મહિષાસુરે લીધી હતી. આ યુદ્ધમાં દેવોનો પરાજ્ય થયો. વિજયી બનેલો મહિષાસુર ત્રણેય લોકનો સર્વોપરી બની બેઠો. દેવો બ્રહ્માજીને લઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યાં મહાદેવ શિવજી પણ બિરાજમાન હતા. દેવોની દુઃખભરી કથા-વ્યથા સાંભળીને ચક્રપાણિ વિષ્ણુના મોંમાંથી એક મહાન તેજપુંજ પ્રગટ થયો. એવી જ રીતે શિવજી અને બ્રહ્માજીના મોંમાંથી પણ તેજ નીકળીને પેલા તેજપૂંજમાં સમાઈ ગયું. એકત્રિત થયેલા આ તેજપૂંજમાંથી એક તેજોમય નારી પ્રગટ થઈ.

પિનાકપાણી શિવે એને ત્રિશૂળ આપ્યું. વિષ્ણુએ ચક્ર આપ્યું, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, યમરાજે કાલદંડ, પ્રજાપતિ બ્રહ્માએ સ્ફટિક માળા આપી. સૂર્યદેવે એનામાં પોતાના કિરણોનું તેજ ભરી દીધું. આ મહાશક્તિના પ્રાગટ્યથી સમસ્ત ચરાચર ડોલવા લાગ્યું. અસુરો ભયભીત બન્યા. કોઈ પ્રચંડ નારી શક્તિ દૈત્યોના લશ્કરને હંફાવી રહ્યું છે. નાશ કરી રહ્યું છે એની જાણ મહા અસુર મહિષાસુરને થઈ. મહિષાસુરે એ સ્વરૂપવાન નારીને ઘસડીને દરબારમાં લઈ આવવા સેનાને આદેશ કર્યો. ચારેય બાજુથી વિકરાળ દૈત્યોથી ઘેરાયેલ મહા શક્તિએ તેમના જેવું પ્રચંડ-વિકરાળ સ્વરૂપ ધારણ કરવા વિચાર્યું. અત્યંત કોપાયમાન થયેલ મહાશક્તિની ભ્રકુટી ખેંચાઈ અને તેની બે ભ્રકુટિ વચ્ચેથી એક તેજપુંજ પ્રગટ્યું આ તેજપુંજથી મહાકાળ સ્વરૂપ મહાકાળીનું પ્રાગટ્ય થયું. ચિત્ર-વિચિત્ર અવાજો કરતા દૈત્યોનો સંહાર કરતાં મહાશક્તિ મહાકાળી જગદંબાની કૃપાથી સતત રંજાડતા દાનવોનો નાશ થયો. આસુરીશક્તિ પર વિજય મેળવ્યાનો દેવોને ગર્વ થયો. બધા દેવો પોતપોતાના વખાણ કરવા લાગ્યા કે મારા કારણે જ દૈત્યોનો નાશ થયો ને વિજય થયો.

દેવોના અહમની વાત મા ભગવતી જાણી ગયા. માએ વિચાર્યું કે દેવોનો ગર્વ ઉતારવો જ જોઈએ. એમ વિચારી માએ મોટો તેજથી ઝગારા મારતો હોય એવા પર્વતનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગમાં અહંકારથી ઘુમતા દેવોએ કોઈ દિવસ ના જોયું હોય તેવું તેજ જોઈ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આ વળી શું? 

આ વાત ફરતી ફરતી દેવોના રાજા ઈન્દ્રના કાને આવી. ઈન્દ્ર રાજા પણ તેજ પૂંજ જોવા લાગ્યા. દૂરથી તેજ નરીખી તેમણે દેવોને આજ્ઞા કરી કે આ તેજ શું છે? તેની માહિતી મને જલ્દી આપો. આથી દેવો તેજની માહિતી લેવા રવાના થયા.

પ્રથમ વાયુદેવ તેજ પાસે આવ્યા તો તેજમાંથી પ્રચંડ અવાજ 
આવ્યો કે મારી જાણકારી લેવા વાળો તું કોણ? ત્યારે વાયુદેવે હસીને કહ્યું કે હું જગતનો તારણહાર પવન દેવ છું. મારા થકી જ આ જગત ચાલી રહ્યું છે.
ત્યારે તેજપૂંજમાંથી અવાજ આવ્યો કે એમ છે તો મારી સામે જે તણખલું છે, તેને દૂર ઉડાડી દોને.

વાયુ દેવે તણખલાને હટાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ તણખલું ન હલતા શરમીંદા બની ઈન્દ્ર પાસે જઈ બધી વાત કરી. આમ વારાફરતી બધા દેવોએ પોતપોતાની શક્તિ અજમાવી પણ કોઈની કશી કરામત ફાવી નહિ. આથી દેવોના રાજા ઈન્દ્ર પોતે આ તેજ પર્વત શેનો છે તે હકીકત જાણવા ચાલી નીકળ્યા. તો માએ તરત જ પોતાનું તેજપૂંજનું રૂપ આદૃશ્ય કર્યું. ઈન્દ્રરાજા મા પરાશક્તિનો અણસાર પામી ગયા અને સ્તુતિ કરી માના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે જગદંબા ઉમા દેવી મૂળ સ્વરૂપે પ્રગટ થયા. તે દિવસે ચૈત્રી નોમ હતી. બપોરના બાર વાગ્યા હતા. ત્યારે માએ દર્શન દીધાં. દેવોએ માને વંદન કર્યાં. લાલ વસ્ત્રધારી, વર, પાશ, અંકુશ અને અભયને ધારણ કરનારા મહેશ્વરી દેવોને કહેવા લાગ્યા કે, હે દેવો હું બ્રહ્મ છું. હું નિરાકાર રૂપે સાકાર છું. ક્યારે હું પ્રકૃતિ તો, ક્યારેક હું પુરુષ છું. આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર હું જ છું. સગુણ અને નિર્ગુણ મારા બે સ્વરૂપ છે. હું સ્વતંત્ર છું. તેથી ક્યારેક દેવોને તો ક્યારેક દાનવોને પણ મદદગાર થઈ છું. માટે હે, દેવો તમે તમારી શક્તિનો ગર્વ છોડી મારી સ્તુતિ કરો. મા જગદંબાના આવા વચનો સાંભળી 

દેવોને સત્ય વાત સમજાતાં તેમનો અહંકાર ઓગળી ગયો. માના શરણમાં શિર નમાવી સર્વ દેવો પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે ‘દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો.’