મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 July, 2021

ચંદ્રશેખર આઝાદ

 ચંદ્રશેખર આઝાદ



જન્મતારીખ: 23 જુલાઇ 1906

જન્મસ્થળ: ભારવા,અલીરાજપુર, મધ્યપ્રદેશ

પિતાનું નામ: પંડિત સીતારામ તિવારી

માતાનું નામ: જગરાની દેવી

અવશાન: 27 ફેબ્રુઆરી 1931


આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર (વર્તમાન ઉન્નાવ જિલ્લો) પાસેના બદરકા ગામના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરાની દેવી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન સંસ્કૃત વિદ્વાન બને


ચંદ્રશેખર આઝાદ 14 વર્ષની આયુમાં બનારસ ગયા અને ત્યા એક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. ત્યા તેમણે કાયદાભંગ આંદોલનમાં યોગદન આપ્યુ હતુ.

જ્યારે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ચંદ્રશેખર બનારસમાં ભણી રહ્યા હતા.

ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પણ તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ. ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને ઘર તરીકે ઓળખાવ્યા

તેમણે 15 કોડાની સજા આપવામાં આવી
દરેક કોડા સાથે તેઓ વંદે માતરમ અને મહાત્મા ગાંધીની જય નો સ્વર બુલંદ કર્યો. ત્યારબાદ તેઓ સાર્વજનિક રૂપથી આઝાદ કહેવાયા


૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા અને સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા


માત્ર 17 વર્ષની ઉંમરે આઝાદ હિન્દુસ્તાન રિપ્બ્લિકન એસોસિએશન સાથે જોડાયા હતા. તેમની તીવ્ર વિચારશક્તિના કારણે તેમનું નામ ‘ક્વિક સિલ્વર’ રાખવામાં આવ્યું હતું.



1925માં સર્જાયેલા કાકોરી કાંડથી અંગ્રેજો પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે અશફાકઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ સહિત અન્ય મુખ્ય ક્રાંતિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જે બાદ ચંદ્રશેખરે હિન્દુસ્તાન રિપબ્લિકન સંસ્થાનું પુનર્ગઠન કર્યું હતું. ભગવતી ચરણ વોહરાના સંપર્કમા આવ્યા બાદ આઝાદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂના પણ નજીક આવ્યા હતા. ભગતસિંહ સાથે મળીને ચંદ્રશેખરે અંગ્રેજી હુકુમતના પાયા હચમચાવી નાંખ્યા હતા.


17 ડિસેમ્બર 1928ના રોજ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને રાજગુરૂએ સાંજના સમયે લાહોરમાં પોલીસ અધીક્ષકની ઓફિસને ધેરી લીધી અને જેવા જે.પી. સાર્ડર્સ પોતાના અંગરક્ષક સાથે મોટર સાઈકલ પર બેસીની નીકળ્યા તો રાજગુરૂએ પહેલી ગોળી મારી. જે સાંડર્સના માથા પર વાગી અને તેઓ મોટરસાઈકલ પરથી નીચે પડી ગયા. પછી ભગત સિંહે આગળ આવીને 4-6 ગોળીઓ મારીને તેમને એકદમ ઠંડા કરી નાખ્યા.

જ્યારે સાંડર્સના અંગરક્ષકે તેમનો પીછો કર્યો તો ચંદ્રશેખર આઝાદે પોતાની ગોળીથી તેને પણ સમાપ્ત કર્યો.

એટલુ જ નહી લાહોરમાં અનેક સ્થાન પર પોસ્ટર ચિપકાવી દીધા. જેના પર લખ્યુ હતુ - લાલા લજપતરાયના મોતનો બદલો લઈ લેવામાં આવ્યો છે. તેમના આ પગલાનુ સમસ્ત ભારતના ક્રાંતિકારીઓએ ખૂબ સ્વાગત કર્યુ.

૧૯૨૬માં વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લાજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જે. પી. સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ સામેલ હતા.

કોંગ્રેસના સભ્ય હોવા છતાં પણ મોતીલાલ નહેરૂ નિયમિતરૂપે આઝાદના સમર્થનમાં પૈસા આપતા હતા


ચંદ્રશેખર આઝાદે ચોક્કસ સમય માટે ઝાંસીને પોતાનો ગઢ બનાવી લીધો હતો. ઝાંસીથી 15 કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં તેઓ પોતાના સાથીઓ સાથે નિશાનેબાજી કરતા હતા. નિશાનેબાજીમાં નિપૂણ હોવાના કારણે ચંદ્રશેખર આઝાદ અન્ય ક્રાંતિકારીઓને તાલીમ આપવાની સાથે પંડિત હરિશંકર બ્રહ્મચારીના નામે બાળકોને ભણાવવાનું કામ પણ કરતા હતા, અહીંના ધિમારપુર ગામમાં આજ નામની ઓળખ સાથે સ્થાનિકોમાં તેઓ લોકપ્રિય થઈ ગયા હતા.


ફેબ્રુઆરી 1931માં પ્રથમ વખત ગણેશ શંકર વિદ્યાર્થીના કહેવાથી તેઓ અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુને મળવા આનંદ ભવન પહોંચ્યા હતા. જો કે અહીં નેહરુએ તેમને મળવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી ગુસ્સામાં તેઓ અહીંના આલ્ફ્રેડ પાર્કમાં ચાલ્યા ગયા હતા. એ સમયે તેમની સાથે સુખદેવ પણ હતા. અહીં તેઓ પોતાની આગામી રણનીતિ તૈયાર કરી રહ્યાં હતા.

આ દરમિયાન કોઈ બાતમીના આધારે અંગ્રેજોની એક ટૂકડીએ તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આઝાદને ખતરાનો ખ્યાલ આવી જતા તેમણે સુખદેવને ત્યાંથી હેમખેમ બહાર નીકાળ્યા હતા અને અંગ્રેજો પર ગોળીબાર શરૂ કરી દીધો.

પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાનો દારુગોળો ખતમ થતાં બચવાનો કોઈ વિકલ્પ ન રહેતાં પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઇ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. 


ચંદ્રશેખર આઝાદનું કહેવું હતું કે, અંગ્રેજો ક્યારેય મને જીવતો નહીં પકડી શકે. એ આઝાદ જેમણે અંગ્રેજોના મનમાં ખૌફ ઉભો કરી દીધો હતો. આ જ કારણ હતું, જ્યારે 27 ફેબ્રુઆરી 1931ના રોજ અંગ્રેજોની એક ટૂકડીએ તેમને ચોતરફથી ઘેરી લીધા હતા, ત્યારે કોઈએ તેમની નજીક જવાની હિંમત નહતી દાખવી. આટલું જ નહીં, પોતાની આખરી બચેલી ગોળીથી તેમણે પોતાનો જ જીવ લઈ લીધો હતો. આમ છતાં કોઈ અંગ્રેજમાં એટલી હિંમત નહતી કે, તેમના મૃત શરીરની નજીક જઈને તપાસવાની હિંમત કરે. આખરે અંગ્રેજોએ તેમના મૃતદેહ નજીક જતા પેલા તેમને ગોળીઓ મારીને ખાતરી કરી હતી કે, તેઓ મોતને ભેટ્યા છે


ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી છે.

સામાન્ય જનતાને સૂચના આપ્યા વિના જ તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બાગને ઘેરી લીધો હતો અને તેમણે બ્રિટીશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસામાં નારા લગાવ્યા હતા



ચંદ્રશેખર આઝાદના માનમાં ટપાલ વિભાગ દ્વારા 1988માં  ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


ચંદ્રશેખર આઝાદનુ જન્મસ્થાન ભારવા હવે આઝાદનગરના રૂપમાં ઓળખવામાં આવે છે.

તેમના ગામ આઝાદનગરમાં તેમની પ્રતિમા



આઝાદી બાદ આલ્ફ્રેડ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું 

ચંદ્રશેખર આઝાદ પાર્કમાં તેમની પ્રતિમા



ચંદ્રશેખર આઝાદે જે ઝાડ નીચે પોતાને ગોળે મારી શહિદ થયા હતા તે સ્થળ



ચંદ્રશેખર આઝાદનો અભિનય ઘણી હિંદી ફિલ્મમાં જોવા મળે છે.
2002માં આવે "23 માર્ચ 1931 શહિદ" ફિલ્મમાં સન્ની દેઓલે ચંદ્રશેખર આઝાદનો અભિનય કર્યો હતો જ્યારે 2002માં આવેલ "ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ" ફિલ્મમાં  ચંદ્રશેખર આઝાદનો અભિનય સુશાંતસિંઘ એ કર્યો હતો.




દેશના સાચા હિરોને તેમની જન્મ જયંતિ એ શત શત નમન

નિર્મલજીતસિંહ

 

નિર્મલજીતસિંહ શેખોન

ઇન્ડિયન એરફોર્સના એકમાત્ર પરમવીર ચક્ર વિજેતા 



ભારતીય વાયુસેનામાંથી પરમવીર ચક્ર મેળવનાર એક્માત્ર જવાન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન

પંજાબના લુધિયાણા જિલ્લામાં સેવાલિયા ગામમાં નિર્મલજીતસિંહનો જન્મ 17 જુલાઈ 1943ના રોજ થયો હતો, તેમના પિતા ત્રિલોચન સિંહ ઇન્ડિયન એરપોર્ટ ફ્લાઇટ લેફ્ટનન્ટ હતા

નિર્મલ પોતાના પિતાથી ઘણા બધા પ્રભાવિત હતા અને તેથી તેઓ એરફોર્સમાં જઈ અને દેશની સેવા કરવાનો સ્વપ્ન સેવ્યું હતું પરંતુ તે ઉંમરે તેઓ ખૂબ નાના હતા.

 ૪ જુલાઇ 1967માં તેમણે એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસરની જવાબદારી હાંસિલ કરી હતી.

૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું પાકિસ્તાન એરફોર્સે ભારતના એરપોર્ટ કેમ્પો પર હુમલો કરવાની યોજના ઘડી હતી, અમૃતસર, પઠાણકોટ અને શ્રીનગર જેવા એરપોર્ટ સ્ટેશન પર હુમલો કરવાની પાકિસ્તાનની યોજના હતી શ્રીનગરમાં શેખોન ફરજમાં હતા.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ફ્લાઇંગ બુલેટના નામે ઓળખાતી 18મી સ્ક્વોડ્રનમાં શ્રીનગર એરબેઝ પર તહેનાત હતા.

14 ડિસેમ્બર 1971ના રોજ સવારે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો.

હુમલાના સંકેત મળતા જ શેખોન અને તેમના સાથી ધુમ્મન વળતો જવાબ આપવા આકાશમાં પોતાનું નેટ ફાઇટર પ્લેન લઇને ચડ્યા.

ધુમ્મને એક દુશ્મન વિમાન તોડી પાડ્યુ. શેખોને પણ એક સેબર જેટ તોડી પાડ્યુ.બીજા એકનો તેમને પીછો કરીને તેને પણ તોડી નાખ્યું.

બેઝ કેમ્પ પરથી તેમને પાછા ફરવાનો હુકમ થયો પણ શેખોને કહ્યુ:- હું એમને છોડીશ નહિ

આ દરમિયાન બે દુશ્મન વિમાનોએ તેમને ઘેરી લીધા છ્તા એક વિમાનને તેમેને તોડી પાડ્યુ પણ આખરે દુશ્મન વિમાનનો એક ગોળો તેમના વિમાનને વાગ્યો અને શેખોનનું વિમાન તૂટી પડ્યુ.

14 ડિસેમ્બર 1971ના રોજ તેઓ વીરગતી પામ્યા.

જે સમયે નિર્મલજીત સિંહને વીરગતિ પ્રાપ્ત થઈ ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તેના થોડા મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા

તેમની આ શહાદત વિશે પાકિસ્તાની એરફોર્સના રિટાયડ એર કોમોડોર કેસર તુફેલે પોતાની પુસ્તક ગ્રેટ એર બેટલ્સ ઓફ પાકિસ્તાનમાં લખ્યું છે.

 



તેમના અપ્રતિમ પરાક્રમને બિરદાવવા માટે સરકારે તેમને મરણોપરાન્ત પરમવીર ચક્ર એનાયત કરી સન્માનિત કર્યા.

તેમના સન્માનમાં શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર શેખોનની પ્રતિમા મુકવામાં આવી છે.


નેલ્સન મંડેલા (Nelson Mandela)

 નેલ્સન મંડેલા (Nelson Mandela)

(શ્વેત ક્રાંતિના પ્રણેતા, દક્ષિણ આફ્રિકાના ગાંધી)



જન્મતારીખ: 18 જુલાઇ 1918

જન્મસ્થળ; મેવેઝો, દક્ષિણ આફ્રીકા

અવશાન: 5 ડીસેમ્બર 2013 (દક્ષિણ આફ્રીકા)

કેટલાક લોકો એવા હોય છે જે પોતાની જિંદગીય બદલી શકતા નથી. કેટલાક લોકો એવા હોય છે જે કરોડોની જિંદગી બદલી નાખે છે. 

આપણે આજે જેની વાત કરવાના છીએ તે આ બીજા પ્રકારમાં આવે છે.

બરાક ઑબામા અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યાના બે દાયકા પહેલા એક વ્યક્તિ આફ્રિકાની પ્રથમ અશ્વેત પ્રમુખ બની હતી. તેઓ હતા, નેલ્સન મંડેલા.

દક્ષિણ આફ્રિકા ના લોકો જેમને પોતાના રાષ્ટ્રપિતા માને છે અને જે વિશ્વ ભર માં "લોકતંત્ર ના પ્રથમ સંસ્થાપક" અને "રાષ્ટ્રીય મુક્તિદાતા અને ઉદ્ધારકર્તા" ના બિરુદ થી ઓળખાય છે તેવા શ્વેત ક્રાંતિ ના પ્રણેતા અને આફ્રિકા ના પ્રથમ "અશ્વેત રાષ્ટ્રપતિ" નેલ્સન મંડેલા ની જન્મ જયંતી ૧૮ જુલાઈ ના રોજ છે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ ના ફરમાન થી "નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન" તરીકે વિશ્વભર માં ઉજવવામાં આવે છે.

 તેમનો જન્મ 18 જુલાઈ, 1918 ના રોજ, દક્ષિણ આફ્રિકાના મેવેઝો ખાતે શાહી થેમ્બુ ગૃહમાં થયો હતો. તેમણે જીવનના શરૂઆતના દિવસો તેમના ઘરના રિવાજ વિશે અભ્યાસ કર્યો.

તેમણે કોલેજ ઓફ ફોર્ટ હરે અને કોલેજ ઓફ વિટવેટર્સ્રાન્ડમાં નિયમનનો અભ્યાસ કર્યો અને જોહાનિસબર્ગમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1943 માં, નેલ્સન મંડેલા આફ્રિકન રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસમાં જોડાયા અને ઘણા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તે અનેક ઘટનાઓમાં જેલમાં હતા અને 1962 માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela)  દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. 

આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. 

તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. 


આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.


ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું.


 તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.

તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા


  • તેમણે વધુમાં જેલમાં તેમની આત્મકથા લખી
  • નેલ્સન મંડેલાની પહેલી નોકરી ચોકીદાર તરીકે હતી
  • નેલ્સન મંડેલાનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો
  • તે યોગ્ય શિક્ષણ મેળવનારા પોતાના ઘરના પ્રથમ વ્યક્તિ હતા.
  • નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે
  • દક્ષિણ આફ્રિકાના પ્રજાજનો મંડેલાને લાડમાં મદીબા કહે છે
  • આફ્રિકન નેશનલ કોંગ્રેસની હિંસક પાંખની પણ સ્થાપના કરી

  • તેમના લેખો અને ભાષણો ધ સ્ટ્રગલ ઇઝ માય લાઇફમાં ગ્રંથસ્થ થયા છે.
  • આઝાદીની ચળવળ ચલાવવા મામલે ૧૯૬૨માં તેમને આજીવન કારાવાસની સજા પડી.
મંડેલા સંપૂર્ણપણે ગાંધીના માર્ગે ચાલ્યા નહોતા. તેમણે હિંસક ક્રાંતિનું પણ આહ્વાન કરેલું. ૧૯૬૧માં તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસની સશસ્ત્ર શાખા ઉમ્ખોતો વે સિજવેની રચના કરી હતી. તેઓ તેના કમાન્ડર ઇન ચીફ હતા. તેમણે અલ્જિરિયામાં સૈન્યની તાલીમ મેળવી હતી.

એક-બે નહીં, પૂરા ૨૭ વર્ષ સુધી જેલમાં રહ્યા. જેલમાં શ્વેત અને અશ્વેત કેદીઓને અલગ રાખવામાં આવતા. બેય માટેના નિયમો જુદા હતા. અશ્વેત કેદીઓ પાસે વધારે કામ કરાવવામાં આવતું અને ઓછું ભોજન આપવામાં આવતું. મંડેલાએ જેલવાસ દરમિયાન કોલસાની ખાણમાં મજૂરી કરી. તેના લીધે ફેફસાંની બીમારી પણ લાગું પડેલી. જેલવાસ દરમિયાન તેમની લોકપ્રિયતા અપ્રતિમ વેગથી વધવા લાગી.

૨૩ વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ રહ્યા હતા. તેમને પરણવું નહોતું એટલે ઘરેથી જોહાન્સબર્ગ ભાગી આવ્યા. ત્યાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો અને આફ્રિકાના પ્રથમ અશ્વેત વકીલ બન્યા

૧૧ ફેબુ્રઆરી ૧૯૯૦ના રોજ તેમને કેદમાંથી મુક્તિ આપવામાં આવી. તેમને કેપ ટાઉનની વિક્ટર વર્સ્ટર જેલમાં રાખવામાં આવેલા હતા. બહાર નીકળ્યા ત્યારે પ્રથમ પત્ની વિનીનો હાથ પકડયો હતો. મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. જેલમાંથી તેમના બહાર આવવાની ઘટના સમર્થકો માટે અકલ્પનીય હતી. તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઊમટેલા લોકો ખુશીથી પાગલ બની રહ્યા હતા.

5 ડિસેમ્બર 2013ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું. પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા હતા.


દર વર્ષે ૧૮ જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ  મનાવવામાં આવે છે

 આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ ૧૮, ૨૦૧૦ના રોજ, જ્યારે મંડેલા ૯૨ વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો.

 યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી.

 મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (૨૭ વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા. 

તેમના ૯૧મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - "મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."




મળેલ સન્માન અને  પુરસ્કારો

૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક

 ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન 

૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર 

2000માં ગાંધી શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા


  • Jawaharlal Nehru Award for International Understanding (૧૯૭૯, Indian Council for Cultural Relations)

  • નોબેલ શાંતિ પારિતોશિક (૧૯૯૩, F. W. de Klerk, ૩૩,૫૦,૦૦૦)
  • Platinum Order of Mapungubwe (૨૦૦૨, Thabo Mbeki)
  • Gold Olympic Order (૧૯૯૪)
  • Order of the Gold Lion of the House of Nassau (૧૯૯૯)
  • Collar of the Order of Isabella the Catholic‎ (૧૯૯૯)
  • Grand Collar of the Order of Prince Henry
  • Order of Friendship (૧૯૮૮, 73)
  • Order of José Martí (૧૯૯૧)
  • Order of Jamaica
  • honorary doctorate of the University of Las Palmas, Gran Canaria (૨૦૧૦)
  • honorary doctor of the Peking University (૧૯૯૨)
  • Grand Cross of the Order of Liberty
  • Honorary Doctor at Karolinska Institutet (૨૦૦૫)
  • Honorary doctor of Leiden University (૧૯૯૯)
  • Bailiff Grand Cross of the Order of Saint John
  • Honorary Companion of the Order of Australia (૧૯૯૯, Mr Nelson MANDELA, For service to Australian-South African relations and his outstanding leadership to bring multiracial democracy to South Africa.)
  • Order of the Lion (૨૦૦૨, Bakili Muluzi)
  • honorary doctorate of the Free University of Brussels (૧૯૯૩, F. W. de Klerk) 


15 July, 2021

મંગલ પાંડે

 મંગલ પાંડે

સ્વતંત્રતા સંગ્રમના પ્રથમ શહિદ

જન્મતારીખ: 19 જુલાઇ 1827

જન્મસ્થળ: નાગવા, બલિયા જિલ્લો, ઉત્તરપ્રદેશ

અવશાન: 8 એપ્રિલ 1857 (ફાંસી)


19 જુલાઈ, 1827નો દિવસ. આજ એજ દિવસ છે, જ્યારે એક એવા વ્યક્તિએ જન્મ લીધો જેણે અંગ્રેજોની હુકુમતના પાયા હલાવી નાંખ્યા હતા. આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ મંગલ પાંડે હતા. 

મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

ભારતના સ્વતંત્રતા સંગ્રામની જ્યારે પણ વાત થાય છે, ત્યારે મંગલ પાંડેનું નામ ખૂબ જ આદર સાથે લેવાય છે. 

તેમણે પોતાની હિંમત અને સાહસના જોરથી સમગ્ર અંગ્રેજ હુકુમત સામે મોટો પડકાર સર્જ્યો હતો.

પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક મંગલ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામે 19 જુલાઈ, 1827 ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

 મંગલ પાંડેના પિતાનું નામ દિવાકર પાંડે હતું. અને તેની માતાનું નામ શ્રીમતી અભય રાની હતું.

જ્યારે તે યુવાન થયા  ત્યારે  પોતાની અને તેમના પરિવારની આજીવિકા માટે 22 વર્ષની વયે 1849માં બ્રિટીશ સૈન્યમાં જોડાયા હતા

સૌ પ્રથમ, મંગલ પાંડે કોલકાતા નજીક સ્થિત બેરેકપોરમાં "34 મી બંગાળ નેટીવ ઇન્ફેન્ટ્રી" ના 1446 નંબરના સૈનિક બન્યા.

જ્યારે બ્રિટિશરોએ તેમની સેનામાં ભારતીય સૈનિકોને "0.577 કેલિબર એનફિલ્ડ ગન" આપી હતી. જે જૂની "ગન બ્રાઉન બાસ" કરતા વધુ શક્તિશાળી અને સચોટ હતી. આ 0.577 કેલિબર એનફિલ્ડ આધુનિક બંદૂક જૂની બંદૂક કરતા વધુ ફાયરિંગ હતી. તેનુ નિશાન પણ સચોટ હતું.
પરંતુ 0.577 કેલિબર એનફિલ્ડ નામની આ આધુનિક બંદૂકમાં કારતુસ ભરવા માટે પહેલા  દાંતથી કારતૂસના બાહ્ય પડ કાપવુ પડે, અને પછી કારતૂસમાં ભરેલો ગનપાવર કાઢીને તેને બંદૂકની નળીમાં ભરવો પડે. 

કારતૂસના બાહ્ય પડ પર રહેલ શેલ પાણી અને ભીનાશથી બચાવવા માટે  હતુ પરંતુ આ કારતૂસ પર વપરાતું શેલ ચરબીયુક્ત હતું.

આ ચરબીમાં ગાય અને ડુક્કરનું માંસ વપરાય છે  આ અંગે તમામ ભારતીય સૈનિકોમાં અફવા ફેલાઈ હતી.

બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં હિંદુ અને મુસ્લિમ એવા સૈનિકો  ભરતી થયા હતા તેને જાણીને ખૂબ ગુસ્સો આવ્યો કે આ બ્રિટિશરોએ હવે આપણી ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ કાવતરાં પણ શરૂ કરી દીધી છે. 

પહેલાથી જ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતર અને રાજ્ય હડપવાની નીતિ અંગે, ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસન સામે લોકોમાં નફરત હતી. અને હવે આ કારતૂસથી ધર્મ પર થયેલા હુમલાથી ભારતીય સૈનિકોના હૃદયમાં બળવોની જ્યોત સળગી ગઈ હતી. 

સૈનિકોમાં વધી રહેલા બળવોને ધ્યાનમાં રાખીને કેટલાક અંગ્રેજી સૈન્ય અધિકારીઓએ તેમના વરિષ્ઠ અધિકારીઓને સૂચન આપ્યું કે જો નવી ચરબીથી બનેલા કારતૂસનો ઉપયોગ શરૂ કરવામાં આવે તો મામલો વધુ વકરી શકે છે.

જો તમે ફક્ત કાર્ટ્રીજને પાણી અને ભીનાશથી બચાવવા માટે ચરબીનો ઉપયોગ કરવા માંગતા હો, તો ગાય અને ડુક્કરની ચરબીને બદલે બકરી અથવા મધમાખી ચરબીનો ઉપયોગ કરવો જોઈએ. કાં તો સૈનિક કારતૂસ દાંતથી ખોલવાને બદલે હાથથી ખોલી શકે છે. કારણ કે ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનેલા કારતુસ હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવા છે, જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સૈનિકોમાં બળવોની જ્વાળાઓ ભભૂકી શકે છે.

પરંતુ દિલ્હીથી લંડન બેઠેલી સત્તાના ઘમંડમાં રહેલા કોઈ પણ અધિકારીએ આ સૂચનનું ધ્યાન રાખ્યું નહીં. અને તે પછી (ભારત) ચીફ બ્રિટિશ અધિકારી જ્યોર્જ એન્સને તેને નકારી કાઢતાં કહ્યું કે આ બંદૂક આધુનિક છે અને તેના કારતુસ સૈનિકો દ્વારા કહેવા મુજબ વાપરવા પડે છે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અને તેણે આ નવી બંદૂકથી ઉદ્ભવતા સમસ્યાને હલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

ચરબીથી બનેલા આ કારતૂસના જાણકારીને લીધે, તે ખૂબ જ ઈજાગ્રસ્ત થયો અને સૈન્યમાં સૈનિક તરીકે કાર્યરત મંગલ પાંડેની સાથે, મોટાભાગના ભારતીય સૈનિકોએ બ્રિટિશરોને મોટો પાઠ ભણાવવા માટે કટિબદ્ધ થયા અને નિર્ણય કર્યો કે આપણા બધા કોઈપણ સંજોગોમાં કારતુસનો ઉપયોગ કરશુ નહીં.




અહીં બ્રિટીશ સરકાર તેની સત્તામાં તેની જીદ પર અડગ હતી. 29 માર્ચ, 1857 ના રોજ, જ્યારે પ્રથમ વખત કારતૂસ સૈનિકોમાં વહેંચવા પડ્યાં. મંગલ પાંડે, તે સમયે બુરહામપુરના 19 માં મૂળ પાયદળના સૈનિક, આ કારતૂસ લેવાની સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

અને તે સાથે, બ્રિટિશરો સૈન્યના અધિકારીઓ પર ગુસ્સે થયા અને તેમને સારું અને ખરાબ કહેવાનું શરૂ કર્યું.
આ જોઈને અંગ્રેજી સૈન્યના અધિકારીએ સૈનિકોને આ બળવાખોરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. પરંતુ સૈન્યના સૈનિકોએ બ્રિટીશ અધિકારીના આદેશનું પાલન ન કર્યું. આથી ગુસ્સે થઈને સૈન્યના અંગ્રેજી અધિકારી, સાર્જન્ટ હડસન પોતે મંગલ પાંડેને પકડવા આગળ વધ્યા. ઘોડા પર સવાર પ્લાટૂનનો સાર્જન્ટ હડસન જલદી મંગલ પાંડે તરફ ગયો, વીર મંગલ પાંડેએ તેના સાથીઓને વિરોધ કરવા પડકાર્યો. અને કહ્યુ કે  " ફિરંગીઓ કો મારો"
અને આ સાથે, તે સૈન્યના અધિકારીને ઠાર કરવામાં આવ્યો. તેને ગોળી વાગતાની સાથે જ હડસન ઘોડા પરથી નીચે પડ્યો  ગર્જના કરતા મહાવીર મંગલ પાંડેએ કહ્યું ……
ખબરદાર જો કોઈપણ આગળ વધ્યું! આજે હું તમારા અશુદ્ધ હાથને કોઈ બ્રાહ્મણના પવિત્ર શરીરને સ્પર્શ થવા દઇશ નહીં.

આ જોઈને લેફ્ટનન્ટ બોબ આગળ વધ્યા અને મંગલ પાંડેને ઘેરી લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ફરીથી વીર મંગલ પાંડેએ લેફ્ટનન્ટ બોબ ઉપર ગોળી ચલાવી હતી.પણ પડતાં જ ગોરે તેની બંદૂકથી સીધો વીર પાંડે ઉપર ફાયરિંગ કર્યું. પરંતુ વીર મંગલ પાંડેએ વીજળી ગતિએ તેમનું સ્થાન બદલીને પોતાનો જીવ બચાવ્યો. પરંતુ ગુસ્સામાં લાલ અંગ્રેજી અધિકારી તેની તલવાર કાઢીને આગળ વધ્યો, પણ લડતી વખતે વીર પાંડેએ તેને ગોળી મારીને મારી નાખ્યો. આ રીતે, 1857 માં પ્રથમ વખત, એક ક્રાંતિકારીએ બે ફિરંગીઓને મારી નાખ્યાં.
 બાદમાં તેમણે પોતાને ભારત માતાના ચરણોમાં અર્પણ કરવા પોતાની છાતી પર ગોળીબાર કર્યો, પરંતુ તે ગોળી પાંસળીમાં ગઈ અને તે ઈજાગ્રસ્ત થઈ ગયા. પછી અંગ્રેજી સૈનિકોએ તેમની ધરપકડ કરી. તે પછી આ ક્રાંતિકારી યોજનામાં સામેલ તેના સાથીઓનું નામ જણાવવા માટે તેમને ત્રાસ આપવામાં આવ્યો. પરંતુ અંગ્રેજી સરકાર છેલ્લા શ્વાસ સુધી તેમનું મોં ખોલાવી શક્યું નહીં.
બ્રિટિશ સરકારે ન્યાયના નામે ખોટો નાટક રચ્યું અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ચર્ચા દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો  કે 8 મી એપ્રિલે મંગલ પાંડેને ફાંસીની સજા આપવામાં આવે..


અંગ્રેજ હુકુમતે 8 એપ્રિલ, 1857ના દિવસે મંગલ પાંડેને ફાંસી આપવાનુ નક્કી કર્યું હતુ. જો કે બૈરકપુરના જલ્લાદોએ મંગળ પાંડેને ફાંસી આપવાનો ઈન્કાર કર્યો હતો. મા ભારતીના સાચા સપૂતને ફાંસીના માંચડે લટકાવવાનો જલ્લાદે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

આખરે કલકત્તાથી બીજા ચાર જલ્લાદ બોલાવામાં આવ્યા અને 8 એપ્રિલ 1857માં સૂર્યોદય પહેલા જ મંગલ પાંડેના બલિદાનના સમાચાર ભારત સહિત સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયા. માઁ ભારતી માટે હસતા-હસતા એક વીર સપૂત શહીદ થઈ ગયો.

૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 


12 ઓગસ્ટ 2005ના રોજ મંગલ પાંંડેના જીવન પર આધારિત એક હિંદી ફિલ્મ રજુ કરવામા આવી હતી જેનુ નામ "મંગલ પાંંડે:ધ રાઇઝીંગ" હતું જેમા મંગલ પાંડેનો અભિનય આમિરખાને કર્યો હતો.



14 July, 2021

અરુણા અસફ અલી

અરુણા અસફ અલી

(દિલ્હીના પ્રથમ મેયર, ગ્રાંડ ઓલ્ડ લેડી)



બાળપણનું નામ: અરુણા ઉપેન્દ્રનાથ ગાંગુલી

જન્મતારીખ: 16 જુલાઇ 1909

જન્મસ્થળ: કાલકા, પંજાબ (હાલમાં હરિયાણા)

પિતાનું નામ:  ઉપેન્દ્રનાથ ગાંગુલી

માતાનું નામ: અંબાલિકાદેવી

પતિનું નામ: અશફ અલી ( કોંગ્રેસના નેતા)

અવશાન: 29 જુલાઇ 1996 (દિલ્હી)

અરુણા આસફ અલી  ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા.

અરુણા અસફ અલી, જેને હંમેશાં તેની બહાદુરી માટે ભારતની સ્વતંત્રતા ચળવળની "ગ્રાંડ ઓલ્ડ લેડી" કહેવાતી હતી, 

તેમનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૦૯ના રોજ હરિયાણા (તત્કાલીન પંજાબ)ના કાલકા નામના સ્થળે એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

તેમના પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી પૂર્વ બંગાળ (હાલ બાંગ્લાદેશ)ના વતની હતા પરંતુ તેઓ સંયુક્ત પ્રાંતમાં આવીને વસ્યા હતા. તેઓ એક રેસ્ટોરન્ટના માલિક હતા.

 તેમની માતા અંબાલિકા દેવી બ્રહ્મોસમાજના પ્રસિદ્ધ નેતા ત્રિલોકનાથ સાન્યાલના પુત્રી હતા

તેમનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર અને ઓલ સેન્ટ'સ કોલેજ નૈનિતાલમાં થયો. 

સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું.

 ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. ઉંમર અને ધર્મ સંબંધે માતાપિતાના વિરોધ છતાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. (આસફ અલી મુસ્લિમ હતા અને તેમનાથી ઉંમરમાં ૨૦ વર્ષ મોટા હતા)

તેઓ આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. 

૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. 

અહીં તેમને રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. 

બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. 

જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.

તેમણે 1930 માં મીઠાના સત્યાગ્રહ ગતિમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ત્યારબાદ તેણીને ભભરાયાની ફીના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ભારત છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બ્રિટીશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ મોટા નેતાઓની ધરપકડ કરી આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. 

મોટા નેતાઓની ગેરહાજરીમાં ૯ ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરુણા આસફ અલીએ ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસ પક્ષનો ઝંડો લહેરાવ્યો અને આંદોલનની વિધિવત શરૂઆત કરી. 

પ્રત્યક્ષ નેતૃત્ત્વના અભાવ છતાં ભારતીય યુવાઓની આઝાદી મેળવવાની અદમ્ય ઇચ્છાની અભિવ્યક્તિના રૂપમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયાં. અરુણાના નામના ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યા પરંતુ ધરપકડથી બચવા તેઓ ભૂગર્ભવાસમાં ચાલ્યા ગયા અને ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી અને આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.

ગિવ અપ ઇન્ડિયા મૂવમેન્ટ દરમ્યાન મુંબઇની ગોવલીયા ટાંકી મેદાનમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે તેણીને મોટા પ્રમાણમાં યાદ કરવામાં આવે છે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સમાજવાદ તરફ ઝુકાવ ધરવતા કાર્યકર્તા તરીકે તેઓ કોંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય હતા.

 સમાજવાદ પરત્ત્વે કોંગ્રેસ પક્ષની પ્રગતિથી મોહભંગ પામીને તેઓ ૧૯૪૮માં સમાજવાદી પક્ષ સાથે જોડાયા. બાદમાં ૧૯૫૦માં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના સભ્ય બન્યા. 

૧૯૫૪માં તેમણે સીપીઆઇની મહિલા પાંખના નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન બનાવવામાં મદદ કરી પરંતુ ૧૯૫૬માં નિકિતા કુશ્ચેવ સ્ટાલીનથી વિમુખ થતાં તેમણે પણ આ પક્ષ છોડી દીધો. 

૧૯૫૮માં તેઓ દિલ્હીના મેયર બન્યા. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ અને વિકાસ માટે કૃષ્ણ મેનન, વિમલા કપૂર, ગુરુ રાધા કિશન, પ્રેમસાગર ગુપ્તા, સરલા શર્મા, સુભદ્રા જોશી જેવા સમકાલીન સામાજીક અને ધર્મનિરપેક્ષ કાર્યકર્તાઓ સાથે નિકટતાથી જોડાયેલાં રહ્યાં.

તેમણે નારાયણન સાથે મળીને લિંક પબ્લીકેશનની શરૂઆત કરી તથા તે જ વર્ષે દૈનિક સમાચારપત્ર પેટ્રીઓટ અને સાપ્તાહિક લિંકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું.

 જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેનન તથા બીજુ પટનાયક જેવા નેતાઓના સંરક્ષણને પરિણામે પ્રકાશન પ્રતિષ્ઠિત બનતું રહ્યું. બાદમાં આંતરિક રાજનીતિને કારણે તેઓ પ્રકાશનથી અલગ થઈ ગયાં. ૧૯૬૪માં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહ્યા.

તેમને મળેલ સન્માન

તેમના હિંમતભેર વર્તનથી તેમને '1942 ની હિરોઇન' અને સ્વતંત્રતા ચળવળની 'ગ્રાન્ડ ઓલ્ડ લેડી'નું બિરુદ મળ્યું

1964 માં આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર 

1958 માં તે દિલ્હીની પ્રથમ મેયર તરીકે ચૂંટાઈ આવી હતી

1991 માં જવાહરલાલ નહેરુ પુરસ્કાર

1992 માં, તેણીને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા

1997 માં, તેમને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા

1998 માં, તેમના સ્મરણાર્થે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી



નવી દિલ્હીમાં અરુણા અસફ અલી માર્ગનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું. 

 અરુણા અસફ અલી સદ્ભાવના એવોર્ડનું વાર્ષિક વિતરણ કરવામાં આવે છે.

29 જુલાઈ, 1996 ના દિલ્હી ખાતે  અરુણા આસિફ અલીનું અવસાન થયું. 

ભારત દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહિદોને કોટી કોટી વંદન

13 July, 2021

અશફાક ઊલ્લા ખાન

અશફાક ઊલ્લા ખાન



જન્મતારીખ: 22 ઓક્ટોબર 1900

જન્મસ્થળ: શાહજહાપુર,ઉત્તરપ્રદેશ

અવશાન: 19 ડિસેમ્બર 1927 (ફૈઝાબાદ)


शहीदों की चिताओं पर हर बरस लगेंगे मेले, वतन पर मरने वालों का यही बाकी निशा होगा’


देश की आजादी के लिए अनगिनत क्रांतिकारियों ने अपना बलिदान दिया है, जिनका आभार व्यक्त करने के लिए कोई भी शब्द काफी नहीं हो सकता लेकिन उनकी कुर्बानियों को हमेशा याद रखकर हम कड़ी मेहनत से हासिल की गई आजादी का सम्मान जरूर कर सकते हैं। 

 भारत को आजादी दिलाने के लिए राम प्रसाद बिस्मिल, अशफाक उल्ला खां और रोशन सिंह ने अपना सबकुछ न्यौछावर कर दिया था। आजादी के इन मतवालों को काकोरी कांड को अंजाम देने के लिए सूली पर चढ़ाया गया था।

અશફાક ઊલ્લા ખાનનો જન્મ બ્રિટીશ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શાહજહાંપુરમાં, શફીકુલ્લાહ ખાન અને મઝરૂનિસ્સા ને ઘેર થયો હતો. તેઓ તેમના છ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા.


કિશોરવયમા તેઓ ઉભરાતા શાયર હતા અને  'હસરત' ના ઉપનામથી શાયરીઓ લખતા હતા.  પરંતુ જ્યારે પણ ઘરમાં કવિતાની વાતો થતી ત્યારે તેમના એક મોટા ભાઈએ તેમની સાથે ભણતા રામપ્રસાદ બિસ્મિલનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નહીં. આ રીતે વાતો સાંભળીને અશફાક રામપ્રસાદના ચાહક બની ગયા

અશફાક ઉલ્લાહ ખાન ઉર્દૂ ભાષાના શાયર હતા. અશફાક ઉલ્લાહ ખાન અને પંડિત રામપ્રસાદ બિસ્મિલ નજીકના મિત્રો હતા.


તે પછી રામપ્રસાદ બિસ્મિલનું નામ બ્રિટીશ સરકાર વિરુદ્ધના ષડયંત્રમાં સામે આવ્યું. આ કેસનું નામ મૈનપુરી કાવતરું હતું. અશફાકે ભારતને બ્રિટીશરોથી મુક્ત કરવાનું સપનું પણ જોયું હતું. આના પર બિસ્મિલને મળવાની અશફાકની ઇચ્છા વધુ વધી. અશફાકે નક્કી કર્યું કે જો તેને રામપ્રસાદને મળવું છે, તો તેને મળવું પડશે. એવું કહેવામાં આવે છે કે નિષ્ઠાવાન હૃદયથી પ્રયત્ન કરીને કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે. એવું જ બન્યું. છેવટે અશફાક રામપ્રસાદને મળ્યો.

તે સમયે ભારતમાં ગાંધીજીનું અસહકાર આંદોલન પૂરજોશમાં હતું. બિસ્મિલ શાહજહાંપુરમાં સભામાં ભાષણ આપવા આવ્યા હતા. અશફાકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે તેની સાથે મળવા પહોંચી હતી. કાર્યક્રમ પૂરો થતાંની સાથે જ અશફાક બિસ્મિલને મળ્યો અને તેના મિત્રના નાના ભાઈ તરીકે તેની ઓળખાણ કરાવી. ત્યારે કહ્યું કે હું 'વારસી' અને 'હસરત'ના નામે કવિતા કરું છું. બિસ્મિલની આ અંગે અશફાકમાં રસ વધ્યો. બિસ્મિલ તેમને તેમની સાથે લાવ્યા અને તેના કેટલાક સિંહો સાંભળ્યા, તે તેમને ગમ્યું. પછી બંને એક સાથે દેખાવા લાગ્યા. બિસ્મિલ અને અશફાકની જોડી આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત થઈ.

ઈ. સ. ૧૯૨૨ માં, મહાત્મા ગાંધીએ ભારતમાં બ્રિટીશ શાસન સામે અસહકાર આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ ઈ.સ. ૧૯૨૨ માં ચૌરી ચૌરા કાંડ બાદ મહાત્મા ગાંધીએ આ આંદોલન પાછું ખેંચી લેવાનું નક્કી કર્યું. તે સમયે અશફાક ઊલ્લા ખાન સહિતના ઘણા યુવાનો હતાશ થયા હતા. તેમાંના અશફાક ઊલ્લા ખાન સહિતના કેટલાક યુવાનો ઉગ્રવાદી બન્યા અને હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (હિંદુસ્તાની સમાજવાદી પ્રજાતંત્ર સંસ્થા) જેવી સંસ્થાઓ તરફ વળ્યા. હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના ઈ. સ. ૧૯૨૪ માં થઈ હતી. આ એસોસિએશનનો હેતુ ભારતની સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે એક સશસ્ત્ર ક્રાંતિનું આયોજન કરવાનો હતો

क्या है काकोरी कांड
9 अगस्त 1925 की रात चंद्रशेखर आजाद, राम प्रसाद बिस्मिल अशफाक उल्ला खान, राजेंद्र लाहिड़ी और रोशन सिंह सहित कई क्रांतिकारियों ने लखनऊ से कुछ दूरी पर काकोरी और आलमनगर के बीच ट्रेन में ले जाए जा रहे सरकारी खजाने को लूट लिया था। इस घटना को इतिहास में काकोरी कांड के नाम से जाना जाता है। इस घटना ने देश भर के लोगों का ध्या न खींचा। खजाना लूटने के बाद चंद्रशेखर आजाद पुलिस के चंगुल से बच निकले, लेकिन राम प्रसाद बिस्मिल, अशफाक उल्ला खान, राजेंद्र लाहिड़ी और रोशन सिंह को फांसी की सजा सुनाई गई। बाकी के क्रांतिकारियों को 4 साल की कैद और कुछ को काला पानी की सजा दी गई।

પોતાની કાર્યવાહીને વેગ આપવા અને પ્રવૃત્તિઓને આગળ વધારવા, શસ્ત્રો અને દારૂગોળો ખરીદવા માટે હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના ક્રાંતિકારીઓએ ૮ ઓગસ્ટ ૧૯૨૫ ના રોજ શાહજહાંપુરમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. ઘણા વિચાર વિમર્શ બાદ ટ્રેનોમાં લઈ જવાતા સરકારી ખજાનાને લૂંટવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 ૯ ઑગસ્ટ ૧૯૨૫ ના દિવસે, અશફાક ઊલ્લા ખાન અને અન્ય ક્રાંતિકારીઓ, જેમ કે રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, ચંદ્રશેખર આઝાદ, કેશબ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુન્દી લાલ, મનમથનાથ ગુપ્તાએ લખનૌ નજીક કાકોરીમાં બ્રિટિશ સરકારનું નાણું લઇ જતી ટ્રેનને લૂંટી.


બ્રિટિશ સરકારે એક મોટી તપાસ જાળી ફેલાવી રાખી હતી તેમ છતાં પણ ટ્રેન લૂંટાયા બાદ એક મહિનો વીતી ગયા છતાં પણ કોઈ પણ ધરપકડ કરી શકાઈ ન હતી.


૨૬ સપ્ટેમ્બર ૧૯૨૫ ની સવારે બિસ્મિલને પોલીસે પકડ્યો હતો. છેવટે પોલીસ દ્વારા ન પકડી શકાયેલા અશફાક ઊલ્લા ખાન એક માત્ર ક્રાંતિકારી રહ્યા હતા. તેઓ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા, બિહારથી તેઓ બનારસ ગયા, જ્યાં એમણે ૧૦ મહિના સુધી એક ઇજનેરી કંપનીમાં કામ કર્યું. 


સ્વતંત્રતા સંગ્રામમાં વધુ ઉપયોગી થવાના ઉદ્દેશ્યથી વધુ ઇજનેરી શીખવા માટે તેઓ વિદેશ જઈ અભ્યાસ કરવા માંગતા હતા. આથી દેશની બહાર જવાના રસ્તાઓ શોધવા માટે તેઓ દિલ્હી ગયા.


 તેમણે પોતાના એક પઠાણ મિત્રની મદદ લીધી જે ભૂતકાળમાં તેમના સહ-વિદ્યાર્થી હતો. પરંતુ આ મિત્રે પોલીસને તેના ઠેકાણાની માહિતી આપી દગો આપ્યો હતો. 

અશફાક ઊલ્લા ખાનને ફૈઝાબાદની જેલમાં બંદી બનાવવામાં આવ્યા અને તેમના પર કેસ ચાલ્યો. તેમનો ભાઈ રિયાસતુલ્લાહ ખાન વકીલ હતા. જ્યારે જેલમાં હતા ત્યારે અશફાકુલ્લા નિયમિત રીતે કુરાન વાંચતા અને નમાજ઼ પઢતા. 

રમઝાન મહિના દરમિયાન તેમણે કડક રોઝા પણ કર્યા હતા. કાકોરી લૂંટના કેસની અંતમાં ફેંસલો સંભળાવતા ન્યાયાધીશે બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી અને ઠાકુર રોશન સિંહને મૃત્યુ દંડ ફરમાવ્યો હતો. અન્યોને આજીવન કારાવાસની સજા થઈ હતી.

ફાંસીના સમયે ત્યાં હાજર એક વ્યક્તિએ લખ્યું છે કે અશ્ફાકને ફાંસીની સજાના ચાર દિવસ પહેલા ફાંસી આપવામાં આવી હતી. અશફાક જેલમાં પણ દરરોજ પાંચ વખત નમાઝ પઢતા હતા અને પોતાના ફાજલ સમયમાં ડાયરી લખતા. 



અશફાક ઊલ્લા ખાનને ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ ના દિવસે ફૈઝાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.  ફાંસીના દિવસે અશફાકે તેની સાંકળો ખોલતાંની સાથે જ તેણે ફાંસીના ફંદાને ચુંબન કર્યું અને કહ્યું, मेरे हाथ लोगों की हत्याओं से जमे हुए नहीं हैं. मेरे खिलाफ जो भी आरोप लगाए गए हैं, झूठे हैं. अल्लाह ही अब मेरा फैसला करेगा અને પછી ફાંસીનો ફંદો પોતાના ગળામાં નાખી દીધો.


 આ ક્રાંતિકારી માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, તેની સ્પષ્ટ વિચારસરણી, હિંમત, દ્રઢતા અને નિષ્ઠાને કારણે ભારતીય લોકોમાં શહીદ અને દંતકથા સમાન બની રહ્યા.


અશફાકુલ્લાહ ખાન અને તેના દેશબંધુઓની ક્રાંતિને હિન્દી ફિલ્મ રંગ દે બસંતી (૨૦૦૬) માં દર્શાવવામાં આવી છે, જેમાં તેમના પાત્રને કૃણાલ કપૂરે ભજવ્યું હતું.


 સ્ટાર ભારત પરની ટેલિવિઝન સિરીઝ ચંદ્રશેખરમાં ચેતન્ય અદિબે ખાનનું પાત્ર ભજવ્યું હતું


ખૂન સે ખેલેંગે હોલી ગર વતન મુશ્કિલ મે હે - અશફાકઉલ્લા ખાન


कस ली है कमर अब तो, कुछ करके दिखाएंगे,
आज़ाद ही हो लेंगे, या सर ही कटा देंगे।

हटने के नहीं पीछे, डरकर कभी जुल्मों से,
तुम हाथ उठाओगे, हम पैर बढ़ा देंगे।

बेशस्त्र नहीं हैं हम, बल है हमें चरख़े का,
चरख़े से ज़मीं को हम, ता चर्ख़ गुंजा देंगे।
परवा नहीं कुछ दम की, ग़म की नहीं, मातम की,
है जान हथेली पर, एक दम में गंवा देंगे।

उफ़ तक भी जुबां से हम हरगिज़ न निकालेंगे,
तलवार उठाओ तुम, हम सर को झुका देंगे।

सीखा है नया हमने लड़ने का यह तरीका,
चलवाओ गन मशीनें, हम सीना अड़ा देंगे।
दिलवाओ हमें फांसी, ऐलान से कहते हैं,
ख़ूं से ही हम शहीदों के, फ़ौज बना देंगे।

मुसाफ़िर जो अंडमान के, तूने बनाए ज़ालिम,
आज़ाद ही होने पर, हम उनको बुला लेंगे।

10 July, 2021

કવિ કાલિદાસ

 કવિ કાલિદાસ


કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. 

કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. 

તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે.  તેમના દ્વારા લખેલ વધારે કરીને નાટક અને કવિતાઓ મુખ્ય રૂપ થી વેદો, મહાભારત અને પુરાણો પર આધારિત થતી હતી.

જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા.

મહાન કવી કાલિદાસ નો જન્મ ક્યારે થયો હતો અને ભારત ના કયા ભાગ માં થયો હતો તેના વિશે સટીક જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે આપણા દેશ ના આ મહાન કવી નો જન્મ પ્રથમ થી ત્રીજી શતાબ્દી ઇસ પૂર્વ ના દરમિયાન થયો હતો. જયારે તેમના જન્મ સ્થાન ને ઘણા વિદ્વાન એ ઉજ્જૈન માને છે તો ઘણા વિદ્વાનો નું કહેવું છે કે તેમનો જન્મ સ્થાન ઉત્તરાખંડ છે.

મહાન કવી કાલિદાસ ના માતા પિતા કોણ હતા અને તેમનું શું નામ હતું તેની જાણકારી પણ ઉલબ્ધ નથી. તેમની પત્ની નું નામ વિધ્યોત્તમાં જણાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કાલિદાસ ની પત્ની એક રાજકુમારી હતી.


કાલિદાસ દેખાવે સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા,  તેમને વિક્રમાદિત્ય ના દરબાર ના મુખ્ય કવી નું પદ મળ્યું હતું. 

 પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. 

કાલિદાસનાં લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તો તેણી તેની સાથે વિવાહ કરશે. 

જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા તો અપમાનથી દુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. 

વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે મુઠ્ઠી બતાવી તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલેને અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે.

 વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઈ ગયા ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અભણ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહી. 

કાલિદાસે સાચા દિલથી કાળકા માતાની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા.

નાટક અને રચનાઓ- અભિજ્ઞાન શાકુન્તલમ, વિક્રમોવશીર્યમ માલવિકાગ્નીમિત્રમ, ઉત્તર કાલામૃતમ, શ્રુતબોધ્મ, શ્રુંગાર તિલકમ, શ્રુંગાર રસાશતમ, સેતુકાવ્યમ, કર્પૂરમંજરી, પુષ્પબાણ વિલાસમ, શ્યામા દંડકમ, જ્યોતિર્વિધાભરણમ વગેરે.

એવું માનવામાં આવે છે કે જે પ્રથમ નાટક કાલિદાસ એ લખ્યું હતું તે માલવિકાગ્નીમિત્રમ હતું. માલવિકાગ્નીમિત્રમ મહાન કવી કાલિદાસ એ એક રાજા અગ્નીમીત્ર ની કહાની લખી છે અને આ કહાની ના મુજબ રાજા ને પોતાની નોકરાણી માલવિકા થી પ્રેમ થઇ જાય છે અને જયારે આ વાત રાણી ને ખબર પડે છે, તો તે માલવિકા ને જેલ માં બંધ કરાવી દે છે. પરંતુ કિસ્મત ને કંઈક બીજુ જ મંજુર હોય છે અને અંત માં માલવિકા અને રાજા અગ્નીમીત્ર ના પ્રેમ ને દુનિયા અપનાવી લે છે.

મહાન કવી કાલિદાસ દ્વારા જે બીજું નાટક લખ્યું છે તેનું નામ અભિજ્ઞાન શાકુંતલમ છે. અભિજ્ઞાન શાકુંતલમ એક પ્રેમ કહાની પર આધારિત નાટક છે અને આ નાટક માં કાલિદાસ એ રાજા દુષ્યંત અને શકુંતલા નામ ની એક છોકરી ની પ્રેમ કહાની નું વર્ણન કર્યું છે. કાલિદાસ દ્વારા લેખલ બધી રચનાઓ માંથી આ નાટક સૌથી પ્રસિદ્ધ છે અને આ નાટક નો અનુવાદ અંગ્રેજી અને જર્મન ભાષા માં પણ કરવામાં આવે છે. કાલિદાસ એ પોતાના જીવન નું જે અંતિમ નાટક લખ્યું હતું તે વિક્રમોર્વશીયમ હતું. આ નાટક રાજા પૂરુંરવા અને અપ્સરા ઉર્વશી પર આધારિત હતું.

મહાન કવી કાલિદાસ દ્વારા લખેલ ખંડકાવ્ય મેઘદૂત ઘણું પ્રસિદ્ધ છે જે એક ખંડકાવ્ય છે. મેઘદૂત માં કાલિદાસ એક પતિ અને પત્ની ના પ્રેમ નું વર્ણન કર્યું છે.

 કાલિદાસ એ પોતાના જીવન માં કુલ 40 રચનાઓ લખી છે, જેમાં થી તેમની સાત રચનાઓ ઘણી પ્રસિદ્ધ રહી છે


કાલિદાસ ના નામ પર કાલિદાસ સમ્માન મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આ સમ્માન પ્રતિષ્ઠિત કલા સમ્માનો માંથી એક છે. આ પુરસ્કાર પહેલી વખત 1980 માં આપવામાં આવ્યું હતું. આ સમ્માન ને શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, રંગમંચ અને કલા ના ક્ષેત્ર થી જોડાયેલ લોકો ને આપવામાં આવે છે.