મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 April, 2021

ડૉ. કે.સિવન

 કે. શીવન

ઇસરોના 9માં ચેરમેન

India’s Rocket Man



પુરુ નામ: કૈલાસવાદિવુ શિવન

જન્મતારીખ:  14 એપ્રિલ 1957

જન્મસ્થળ: મેલા સારાક્કલ્વિલાઇ, કન્યાકુમારી,તમિલનાડુ

તેમને India’s Rocket Manના નામથી પણ ઓળખાય છે.

આ ‘રોકેટમેન’ની એક કેરીની વાડીએ મજૂરી કરવાથી શરૂ કરીને છેક ઈસરોના ચીફ બનવા સુધીની સફર ભારોભાર રસપ્રદ અને પ્રેરણાદાયી રહી છે.

તેના પિતાનું નામ કૈલાસ વાદિવુ અને માતાનું નામ ચેલ્લમ છે

કે. સિવનનો જન્મ ખેડૂત પરિવારમાં થયેલો
એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા કે. સિવનની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ‘ઇસરો’ના ચીફ સુધી પહોંચવાની સફર ઘણી સંઘર્ષ ભરેલી છે. તેમનું પૂરું નામ કૈલાસવાદિવૂ સિવન છે. તેમનો જન્મ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના મેલા સરક્કલવિલાઈ ગામમાં થયો હતો. કે. સિવનના પિતાને કેરીની વાડી હતી.

વાડીમાં પિતાને મદદ કરાવતા હતા
નાની ઉંમરથી જ તેઓ પિતાને ખેતીકામમાં મદદ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ ખેતીકામ માટે માણસો રાખી શકે. આથી કે. સિવન જ્યારે કોલેજની રજાઓમાં ઘરે આવતા ત્યારે પિતા સાથે તેમને પણ તરત જ ખેતરે મજૂરીએ જોતરાઈ જવું પડતું હતું. કેરીની વાડીનું નિંદામણ કાઢવાથી લઈને રખેવાળી કરવા સુધીનાં તમામ કામ આ બાપ-દીકરાની જોડી જ સાંભળતી હતી.

પિતાનીને મદદ કરવા વાડીથી નજીક કોલેજ પસંદ કરી
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કે. સિવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને પોતાની કોલેજ મરજીથી પસંદ કરવાની ખ્વાહિશ હોય છે, પણ મારા પિતાની ઈચ્છા એવી હતી કે હું ઘર અને વાડીની નજીકની જ કોલેજ જોઈન કરું જેથી તેમને ખેતીકામમાં મદદ કરી શકું. હું કોલેજથી પરત આવીને સીધો જ કેરીની વાડીએ કામ કરવા પહોંચી જતો હતો.

કોલેજ પહેલાં તેમની પાસે ચંપલ કે પેન્ટ પણ નહોતાં
વધુ રસપ્રદ વાત તો એ છે કે, કે. સિવને જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રથમ પગ મૂક્યો ત્યારે જ તેમના પગમાં ચંપલ આવ્યા હતા. કોલેજ પહેલાં સુધી તેઓ બધે ઉઘાડા પગે સફર કરતા હતા. પરિવાર પાસે ચંપલ ખરીદવાની ત્રેવડ નહોતી એટલું જ નહીં, સિવન પાસે પહેરવા માટે પેન્ટ સુદ્ધાં નહોતાં. તેમનું નાનપણ અને કિશોરાવસ્થા તમિલનાડુના પરંપરાગત પોશાક એવી ધોતી પહેરીને જ વીત્યું હતું. તેમ છતાં કે. સિવન કહે છે કે, હું એક ખેડૂત પુત્ર છું. મારા માતા-પિતાએ ક્યારેય મને ભૂખ્યો સૂવડાવ્યો નથી. અમારી આર્થિક પરિસ્થતિ સારી નહોતી છતાં, અમને ત્રણ ટંકનું જમવાનું મળી રહે તેનું મારાં માતા-પિતાએ હંમેશાં ધ્યાન રાખ્યું હતું.

એન્જિનિયરિંગ કરવાના પૈસા નહોતા
અભ્યાસ વિશેની વાત કરતાં કે. સિવને કહ્યું છે કે, ‘મારે એન્જિનિયરિંગ કરવું હતું, પણ મારા પિતા તેની ફી ભરી શકે તેમ નહોતા. મેં એન્જિનિયરિંગ કરવા માટે ઘણાં અઠવાડિયાં સુધી જીદ્દ પણ કરી હતી. મને એવું હતું કે મારા પિતાનું મન હું બદલી શકીશ પણ અંતમાં મારે મારું જ લક્ષ્ય બદલીને બેચલર ઓફ સાયન્સ ભણીને સંતોષ માનવો પડ્યો. સિવને ગણિત વિષય સાથે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

'પિતાએ મને એન્જિનિયરિંગ ભણાવવા પોતાની જમીન વેચી દીધી'
દીકરાની ઉચ્ચ અભ્યાસ કરવાની મહેચ્છા પૂરી કરવા માટે તેમના પિતાએ પણ બલિદાન આપવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. કે. સિવન ઈન્ટરવ્યૂમાં કહે છે, ‘એકવાર અચાનક મારા પિતા મારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે, મેં તને તારે જે ભણવું છે તે ભણતા અટકાવ્યો છે, પણ આગળથી આવું નહીં થાય. મને ખબર છે તને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે અને તારા અભ્યાસના ખર્ચ માટે હું મારી જમીન પણ વેચી દઈશ.’ એમણે એવું કર્યું પણ ખરું.

એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પણ જોબ ન મળી
કે. સિવન વધુમાં કહે છે કે, ‘મેં બી.ટેક. (બેચલર ઓફ ટેક્નોલોજી) પૂરું કર્યું તે પછી જોબ શોધવા માટે રાત-દિવસ એક કરી દીધા હતા. તે સમયે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અત્યંત મર્યાદિત નોકરીઓ ઉપલબ્ધ હતી. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માત્ર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને નેશનલ એરોનોટિક્સ લિમિટેડમાં જ જોબ મળતી હતી.મને આ બંનેમાંથી કોઈ જગ્યાએ જોબ મળી નહીં. ત્યારબાદ મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભણવાનું શરૂ કરી દીધું.’

'મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી'
જોબ વિશે તેમણે જણાવ્યું કે, મારે સેટેલાઇટ સેન્ટરમાં જોડાવું હતું, પણ મારે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં જોડાવું પડ્યું. તે પછી મારે એરોડાયનેમિક્સ ગ્રૂપ જોઈન્ટ કરવું હતું, પણ હું PSLV પ્રોજેક્ટમાં જોડાયો. અત્યાર સુધીના મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી. પણ હા, મને જે જોબ મળી છે તે મેં સ્વીકારીને તેમાં મારું વર્ચસ્વ આપી દીધું છે. ભવિષ્યમાં પણ મને જે કામ સોંપવામાં આવશે તે હું દિલથી કરીશ.’
ચંદ્રયાન-2માં મળેલી પ્રારંભિક નિષ્ફળતાથી કે. સિવનની નિષ્ફળતાઓનો સિલસિલો હજી પણ જારી રહ્યો છે. પરંતુ તેમના જીવનનો ઘટનાક્રમ જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે આ જ વ્યક્તિ આગામી સમયમાં આપણને ગંજાવર સફળતા અપાવશે.



કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2018માં જાણીતા વૈજ્ઞાનિક કે. સિવનને ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચેરમન બનાવ્યા છે. જે પૂર્વ ચેરમેન એ.એસ કિરણ કુમારની જગ્યા લેશે. સિવાન આ પહેલા 104 સેટેલાઈટને એક સાથે અંતરિક્ષમાં મોકલવા માટે ઈસરોને મદદ કરી ચૂક્યા છે.

કોઈ પણ હવામાન અથવા પવનની સ્થિતિ હેઠળ ભારત કોઈપણ દિવસે રોકેટ લોન્ચ કરી શકે છે, કારણ કે તેમણે ડે-ઓફ-લોંચ વિન્ડ બાયસિંગ સ્ટ્રેટજી વિકસાવી અને અમલમાં મૂકી છે


તેમણે મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગમાંથી 1980માં ગ્રેજ્યુએશન કર્યું છે અને IIS બેંગ્લોરમાંથી માંથી 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. સાથે જ તેમણે વર્ષ 2006માં IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પી.એચડી પણ કર્યું છે.

1982માં તેમણે પ્રથમવાર ઈસરોનો પીએસએલવી પ્રોજેક્ટ જોઈન કર્યો હતો

ચંદ્રયાન 2ને બનાવવામાં કે.સિવનનો મોટો હાથ હતો

કે.સિવને MIT(મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માંથી બેચલોર ઓફ એન્જીનિયરીંગની ડિગ્રી લીધી હતી.

 MITના શાનદાર એકેડેમિક રેકોર્ડ બાદથી તેમણે Indian Institute of Scienceમાંથી Aerospace Engineeringની ડિગ્રી લીધી હતી. 1982માં કે.સિવને ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

ISROમાં નોકરી મળ્યા બાદથી Polar Satellite Launch Vehicle એટલેકે PSLV પ્રોજેક્ટની શરૂઆત તી ચૂકી હતી. અને પહેલીવાર સિવને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળી હતી. ત્યારબાદ ઘણા બધા અલગ અલગ પદો ઉપર કામ કરતાં તેઓ આગળ વધતા ગયા હતા. ખાસ કરીને તેમણે 6D Trajectory Software અને  Innovative Day-Of Launch Wind Strategy ઉપર કામ કર્યુ હતુ. આ સ્ટ્રેટેજીની મદદથી જ વર્ષમાં કોઈ પણ દિવસે કોઈ પણ પરિસ્થિતીમાં રોકેટને લોન્ચ કરી શકે છે. આવી જ બહુમૂલ્ય શોધથી ભારતનાં Space Agencyનું કદ ઉંચુ કરે છે. 2011માં પ્રોજેક્ટ ડાયરેક્ટરના પદ પર હતા. અને તેમણે GSLV Project પર કામ કરવાનું શરૂ કર્યુ.

એપ્રિલ 2014 માં તેમને ચેન્નઈની સત્યબામા યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ સાયન્સ  એનાયત કરાયો હતો.

  1 જૂન, 2015 ના રોજ, તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર બન્યા હતા.

satellite launch vehicle GSLV Mark III ની મદદથી ચંદ્રયાન 2 મિશનમાં યાનને ચંદ્રમા પર મોકલવામાં આવ્યુ છે. અને 14 ફેબ્રુઆરી 2017એ ભારતને એકસાથે 104 સેટેલાઈટ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો હતો. તેની અંદર કે.સિવનનો રોલ સૌથી મહત્વનો હતો.



તેમની આ જ લીડરશિપ સ્કિલને જોતા જાન્યુઆરી 2018માં કે.સિવનને ISROના ચીફ બનાવવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી 2018મા તેમણે કામ કરવાનું શરૂ કર્યુ હતુ. આ પદને સંભાળ્યા બાદ તેમનું અને ISRO જે સૌથી મહત્વનું મિશન તેમની અધ્યક્ષતામાં ઇસરોએ 22 જુલાઈ, 2019 ના રોજ ચંદ્રનું બીજું મિશન ચંદ્રયાન 2 શરૂ કર્યું, વિક્રમ રોવર ક્રેશ થઈ ગયુ પરંતુ ઓર્બિટર બરાબર છે અને ચંદ્રની પરિભ્રમણ કરે છે

24 સપ્ટેમ્બર 2014ના રોજ ભારતે મંગળયાન -1ને સફળતાપૂર્વક લોંચ કર્યુ છે અને કે.સિવનના અધ્યક્ષતામા ઇસરો મંગળયાન-2 લોંચ કરશે આ ઉપરાંત ચંદ્રયાન-3 અને ગગનયાન પણ લોંચ કરશે.

ડૉ. શિવન ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે.

તેમનું એક ભવિષ્ય માટે નોંધપાત્ર યોગદાન એ છે કે પીએસએલવીસી -40 રોકેટની ઉપર મંગળ ઓર્બિટર મિશન સેટેલાઇટ ફ્લાય બનાવવી

ડૉ. સિવન એ 2015માં “Integrated Design for Space Transportation System” નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.

Education

 BSc, Mathematics,  Madurai University, 1977
 B.Tech, Aeronautics, Madras Institute of Technology, Chennai, 1980
 M.E., Aerospace, IISc, Bangalore,1982
 PhD, Aerospace,  IIT, Bombay, 2007


Positions Held

  • ​​ Director, VSSC  (2015-2017)
  •  Director, LPSC (2014-2015)
  •  Project Director, GSLV (2011-2013)
  •  Member, Space Commission (2016-2017)
  •  Vice-Chairman, ISRO Council (2016-2017)

એવોર્ડ:

  • Shri Hari Om Ashram Prerit "Dr.Vikram Sarabhai Research Award”, 1999
  • ISRO Merit Award, 2007
  • “Dr Biren Roy Space Science  Award”, 2011
  • Distinguished Alumnus Award from MIT Alumni Association, 2013
  • ISRO award for outstanding achievement in 2016
  • Distinguished Alumnus Award from  IIT-Bombay, 2017
  • Doctor of Science (Honoris Causa), Sathyabama University & Dr MGR University, Chennai
  • Dr. A.P.J. Abdul Kalam Award, 2019.
  • IEEE Simon Ramo Medal, shared with Byrana N. Suresh, 2020.


14 April, 2021

बैसाखी



बैसाखी से किसान अपनी पकी हुई फसल को काटने की शुरुआत करते हैं. 13 अप्रैल 1699 के दिन सिख पंथ के 10वें गुरु श्री गोबिंद सिंह जी ने खालसा पंथ की स्थापना की थी, इसके साथ ही इस दिन को बैसाखी के रूप में मनाया जाता है. आज ही के दिन पंजाबी नए साल की शुरुआत भी होती है. 

इस दिन लोग अनाज की पूजा करते हैं और फसल के कटकर घर आ जाने की खुशी में भगवान और प्रकृति को धन्यवाद करते हैं. बैसाखी का त्योहार सिर्फ पंजाब में ही नहीं  बल्कि देश के अलग-अलग हिस्सों में अलग-अलग नामों से मनाया जाता है. असम में बिहू , बंगाल में नबा वर्षा, केरल में पूरम विशु के नाम से लोग इसे मनाते हैं.  


कैसे पड़ा बैसाखी नाम?

बैसाखी के समय आकाश में विशाखा नक्षत्र होता है. विशाखा नक्षत्र पूर्णिमा में होने के कारण इस माह को बैसाखी कहते हैं. कुल मिलाकर वैशाख माह के पहले दिन को बैसाखी कहा गया है. इस दिन सूर्य मेष राशि में प्रवेश करता है, इसलिए इसे मेष संक्रांति भी कहा जाता है.


क्यों मनाया जाता है बैसाखी पर्व?

वैशाख माह में रबी (अक्टूबर-नवंबर) की फसल के पक कर तैयार होने की खुशी में यह त्योहार मनाया जाता है। किसान अपनी फसल की कटाई के बाद इस त्योहार को खुशी के रूप में मनाते हैं। इस दिन लोग अपने मित्रों और रिश्तेदारों को बैसाखी पर्व की बधाइयां देते हैं और उत्तर भारत में कई जगह मेले भी लगते हैं।


सिखों के लिए यह पर्व होता है खा़स

यह पर्व सिख समुदाय के लोगों के लिए बेहद खास होता है। दरअसल मान्यता के अनुसार, बैसाखी पर्व सिख समुदाय के लिए नए साल के आगमन का पर्व है। कहा जाता है कि बैसाखी के ही दिन साल 1699 में सिखों के अंतिम गुरु गोबिंद सिंह ने खालसा पंथ की स्थापना की थी। खालसा पंथ की स्थापना का उद्देश्य आम लोगों की मुगलों के अत्याचारों से रक्षा करना था।


बैसाखी पर्व का ज्योतिषीय महत्व

बैसाखी पर्व का ज्योतषीय महत्व भी है। दरअसल इस दिन मेष संक्रांति होती है। मेष संक्रांति से आशय सूर्य का मेष राशि में प्रवेश से है। मेष राशि में सूर्य का आना सौर नववर्ष की शुरुआत को दर्शाता है। इसी राशि से सूर्य राशिचक्र में अपने संचरण की शुरुआत करता है, जिसे वह एक वर्ष में पूरा करता है।


से मनाया जाता है बैसाखी का त्योहार

बैसाखी कृषि से जुड़ा लोक पर्व है इसलिए इस पर्व में लोक कला की झलक साफ देखने को मिलती है। पंजाब में लोग इस पर्व को ढोल-नगाड़ों की थाप पर भांगड़ा और गिद्दा नृत्य करते हैं। लोग अपने रिश्तेदारों से मिलते हैं और उन्हें इस पर्व की बधाइयां देते हैं। वहीं गुरुद्वारों में भजन-कीर्तन का आयोजन होता है। घर-घर में तरह-तरह के पकवान भी बनाए जाते हैं और लोगों को दावत दी जाती है। आज ही के दिन किसान अपनी फसल के लिए ईश्वर के प्रति कृतज्ञ होते हैं।



12 April, 2021

ડૉ. બાબાસાહેબ આંબેડકર ( Dr. Babasaheb Ambedkar)

 ડૉ. બાબાસાહેબ આંબેડકર

બંધારણના ઘડવૈયા, પ્રથમ કાયદા પ્રધાન




પુરુ નામ: ભીમરાવ રામજી સકપાલ

જન્મતારીખ: 14 એપ્રિલ 1891

જન્મસ્થળ: મહુ, ઇન્દોર,  મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)

પિતાનું નામ: રામજી

માતાનું નામ: ભીમાબાઇ

પત્નીનુ નામ: રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)

અવશાન: 6 ડિસેમ્બર 1956 (દિલ્હી)


ડૉ. ભીમરાવ  આંબેડકર  રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.


ડૉ. ભીમરાવ  આંબેડકર નો જન્મ 14મી એપ્રિલ 1891માં મહુ, મધ્ય પ્રદેશ  મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. 

તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. 

ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.

 ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. 

જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી

 શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા 

ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું

ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા.

ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા 

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું

આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. 

૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી.

સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું.

ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી

 ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા

થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો

૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા

આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

 ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી


૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી

૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી

 ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.


Awards / Honors: 

Bodhisattva (1956), 

Bharat Ratna (1990),

 First Colombian Ahead of Their Time (2004), 

The Greatest Indian (2012)


Ambedkar's Political Party: 

Scheduled Caste Federation, 

Independent Labor Party, 

Republican Party of India


ભારત સરકાર દ્વારા 1990માં દેશનું સર્વોચ્ચ સન્માન એવું ભારત રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઇકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા.

ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે.


નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો.અમર્ત્ય સેન ડૉ. બી.આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાનો પિતા માનતા હતા.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી "ડોક્ટર ઓલ સાયન્સ" નામની  ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

1954 માં, નેપાળના કાઠમાંડુમાં યોજાયેલી "વર્લ્ડ બૌદ્ધ કાઉન્સિલ" માં, બૌદ્ધ સાધુઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધર્મનું ઉચ્ચતમ બિરુદ "બોધિસત્ત્વ" આપ્યું હતું. તેમનું પ્રખ્યાત પુસ્તક "ધ બુદ્ધ એન્ડ ધ ધર્મ" એ ભારતીય બૌદ્ધોનું "શાસ્ત્ર" છે.


ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના "ગુરુ" માનતા હતા.


ડો. ભીમરાવ આંબેડકરે પોતાની પર્સનલ લાઈબ્રેરી બનાવી હતી જેનુ નામ તેમણે રાજગૃહ રાખ્યું હતું.


 ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા,

 ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક "રુપિયાની સમસ્યા-તેનુ મૂળ અને ઉપાય"માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતો આધારિત ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના  કરવામાં આવેલ છે.

ડૉ બાબાસાહેબ આંબેડકર  ભારતીય બંધારણની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિ(ડ્રાફ્ટ કમિટી)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 29 August 1947 ના રોજ બંધારણના ઘડતર માટે 7 સભ્યોની ડ્રાફ્ટ કમિટીની રચના કરવામાં આવી હતી.

"પીવાના પાણી માટે સત્યાગ્રહ" કરાવનારા ડો  આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા. 20 માર્ચ 1927 ના રોજ તેમણે અસ્પૃશ્ય સમુદાયને શહેરના ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે 'મહાડ' શહેરમાં એક સત્યાગ્રહ કર્યો હતો.

ડૉ આંબેડકરે પાંચ સામાયિક બાહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે. 



10 April, 2021

સરદારસિંહ રાણા

 સરદારસિંહ રાણા

 ક્રાંતિવિરોના મુકૂટ મણી



ભારતના આઝાદીની લડતમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાનું યોગદાન અમૂલ્ય રહ્યુ છે

સરદારસિંહ રાણાએ પરદેશની ભૂમિ પર વસવાટ કરી, ભારતમાં અંગ્રેજો સામેની આઝાદીની લડતને વેગ આપ્યો હતો

જન્મતારીખ: 10 એપ્રિલ 1870 (હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ નોમ – રામનવમી)

જન્મસ્થળ: કંથારિયા, લીંબડી, સુરેન્દ્રનગર 

પિતા : રવાજી રાણા

માતા : ફુલજીબા

અવશાન: 25 મે 1957 (વેરાવળ)


સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો.

પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવી આગળનું શિક્ષણ મેળવવા માટે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. 

સરદારસિંહ રાણા અને મહાત્મા ગાંધી એક જ વર્ગમાં ભણતા હતા. ગાંધીજી સરદારસિંહને તેમના હુલામણા નામ "સદુભા"થી બોલાવતા હતા. તેઓ બંને મિત્રો હતા.

 આ પછી, ઉચ્ચ અભ્યાસ રાણા મુંબઇ ત્યારબાદ પૂના ગયા. તેમણે પુનાની ફર્ગ્યુસન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો સરદારસિંહના જીવનમાં અહિંથી એક નવો વળાંક આવ્યો. 

1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધી. 

લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. ક્રાંતિકારી પ્રવૃતિના બીજ અહીથી વવાયા. 

આ પછી સરદારસિંહ રાણા વધુ અભ્યાસ માટે લંડન ગયા અને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. સરદારસિંહને લંડન મોકલવાનું કામ લાઠીના રાજવી પરિવારે કર્યું હતું, 



લંડનમાં તેઓ ભારતીય ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાના સંપર્કમાં આવ્યા.
 તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. 

૧૮૯૯માં રાણા બેરિસ્ટરની પરીક્ષા આપ્યા પછી પેરિસ જવા રવાના થયા. તેમણે પેરિસના વિશ્વ પ્રદર્શનમાં આવેલા ખંભાતના ઝવેરી ઝવેરચંદ ઉત્તમચંદને અનુવાદક તરીકે સેવા આપી હતી. તેઓ મોતીના ઝવેરાતમાં નિષ્ણાત બન્યા અને ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો

ભારતની આઝાદીની લડત લડતા ક્રાંતિકારીઓ માટેનું મોટુ ઠેકાણું બની ગયું. આ પછી સરદારસિંહ રાણા લંડનથી પેરિસ ગયાં.

૧૯૦૫માં, રાણા ઇન્ડિયન હોમરુલ સોસાયટીના સ્થાપક-સભ્ય બન્યા

મુન્ચેરશાહ બુર્જોરજી ગોદરેજ અને ભીખાજી કામા સાથે મળીને ઇન્ડિયન હોમરુલ સોસાયટીના યુરોપી વિસ્તરણ તરીકે પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી

૧૯૨૦માં તેઓ ફ્રાંસ પાછા ફર્યા અને ૧૯૩૧માં તેમની જર્મન પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું. તેઓ ૧૯૪૭માં તેમના પુત્રના અસ્થિ વિસર્જન માટે હરદ્વાર આવ્યા હતા અને ૨૩ એપ્રિલ ૧૯૪૮ના રોજ પાછા ફર્યા. ૧૯૫૫માં તેમની તબિયત ખરાબ થતાં તેણે પોતાનો વ્યવસાયને સંપેટ્યો અને ભારત પરત ફર્યા. પાછળથી તેમને લકવાનો હુમલો પણ થયો હતો. ૨૫ મે ૧૯૫૭ના રોજ તેઓ વેરાવળના સર્કિટ હાઉસમાં અવસાન પામ્યા.

"ભારતનાં રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામાએ તૈયાર કરી હતી'

"મદનલાલ ધિંગરાએ જે પિસ્તોલથી લંડનમાં કોર્નેલ વોઇલીની હત્યા કરી હતી તે સરદારસિંહ રાણાની હતી.

1905માં બ્રિટીશ સરકારે સરદારસિંહ રાણાના ભારત પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો

શાંતિનિકેતનની સ્થાપનામાં પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સહયોગ આપેલો

 મદનમોહન માલવિયાજી બનારસ હિંન્દુ યુનિવર્સિટી સ્થાપવા માટે દાન એકત્રિત કરવા માટે પેરિસ ગયા. આ સમયે પેરિસમાં રહેતા ભારતીયોએ કુલ 28 લાખ રૂપિયાનું દાન આપ્યુ. જેમાં સૌથી વધુ પાંચ લાખ રૂપિયાનું દાન સરદારસિહં રાણાનું હતું.

ભારત આઝાદ થયા પછી ક્રાંતિકારી સરદારસિંહ રાણાને માદરે વતન લાવવા માટે 1947માં એક વિશેષ પ્લેન પેરિસ મોકલ્યુ હતું. ફાંસની સરકારે તેના સૌથી મોટા એવાર્ડ "ચેવેલિયર"થી સરદારસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ.

સરદારસિંહ રાણા વિશેની માહિતી વિવિધ પુસ્તકોમાં જોવા મળે છે. 
સિંહપુરુષ - ડો. શરદ ઠાકર
ઉત્તિષ્ઠ ગુજરાત - વિષ્ણુ પંડ્યા
શહીદોની ક્રાંતિગાથા - સ્વામી સચ્ચિદાનંદ


ભારતની આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી સરદારસિંહ રાણાના જીવન અને કવન આધારી વેબસાઇટ 10 એપ્રિલ 2018ના રોજ લોન્ચ કરવામાં આવી . સરદારસિંહ રાણાના  પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ખૂબ મહેનત કરીને આ વેબસાઇટ તૈયાર કરી છે. જેનું ઉદ્ગાટન સંઘ સંચાલક મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું હતું. સરદારસિંહ રાણા વેબસાઇટનાં લોન્ચિંગ કાર્યક્રમમાં, રાજ્યપાલ ઓ.પી. કોહલી, નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણભાઈ વોરા અને ભીખુભાઈ દલસાણિયા ઉપસ્થિત રહ્યા હતા.
 
આ વેબસાઇટ  http://sardarsinhrana.com  છે.

વીર સાવરકરનો કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે સરદારસિંહ રાણા લડ્યા હતા. જ્યારે ફ્રાન્સ સરકારે સરદારસિંહ રાણાને સર્વોચ્ચ સન્માન આપ્યું છે.

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રાણાએ ત્રણ પ્રકારની શિષ્યવૃતિ જાહેર કરી હતી. એમની ત્રણેય શિષ્યવૃતિના નામ રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને બાદશાહ અકબરના નામ પર હતા.  સાવરકર સહિત કેટલાય વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ થકી વિદેશમાં અભ્યાસ કરવા જઈ શક્યા હતા.

રસપ્રદ વાત એ છે કે સ્વતંત્રતા બાદ ભારતની જે પ્રથમ સંસદ રચાઈ એમાં 60 સાંસદો એવા હતા, જેમણે એ શિષ્યવૃતિથી વિદેશમાં અભ્યાસ કર્યો હતો.


ભારતનાં આવા વીર ક્રાંતિકારી સરદારસિંહજી રાણા ને શત શત નમન







09 April, 2021

જ્યોતિબા ફુલે

 જ્યોતિબા ફુલે

સમાજ સુધારક, લેખક, વિચારક, સંપાદક



પુરુ નામ : જ્યોતીબા ગોવિંદરાવ ફુલે

જન્મતારીખ: 11 એપ્રિલ 1827

જન્મસ્થળ: સાતારા, પૂણે, મહારાષ્ટ્ર

ઉપનામ: મહાત્મા

અવશાન: 28 નવેમ્બર 1890 (પૂણા)


મહાત્મા ગાંધીજી પહેલા 19મી સદીમા એક એવા સમાજ સુધારકનો જન્મ થયો જેમને કન્યા શિક્ષણ, અંધ વિશ્વાસ, વિધવા વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ દૂર કરવા, ખેડૂતોના હકો માટે કામ કર્યુ અને મહાત્મા બની ગયા જેમનુ નામ છે મહાત્મા જ્યોતિબા ફૂલે.


જ્યોતિરાવ ફુલેનો જન્મ ૧૮૨૭માં પુણેમાં થયો હતો.

 તેઓ પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના બે સંતાનો પૈકી નાના પુત્ર હતા. તેમની મૂળ અટક હતી 'ખીરસાગર'.પણ પેશ્વાએ તેમને બાગકામ માટે પુનામાં જમીન ભેટમાં આપેલી, તેમના વ્યવસાયનાં લીધે તેમની અટક 'ફૂલે'('ફૂલ' પરથી ) પડી ગઈ

તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું.

તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી માળી કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો.

જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા. 

માળીમાંથી ઇસાઇ ધર્મ અંગિકાર કરેલ એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા.

તેમણે ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો. 

સામાજીક પરંપરા અનુસાર માત્ર ૧૩ વર્ષની ઉંમરે ૧૮૪૦માં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાથે કરવામાં આવ્યા. જેમનું નામ હતુ સાવિત્રીબાઇ જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા.



૧૮૪૮માં, ૨૩ વર્ષની ઉંમરે તેમણે ઇસાઇ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી. 

આ જ વર્ષે તેમણે થોમસ પેઇનનું પુસ્તક "મનુષ્યના અધિકાર (રાઇટ્સ ઓફ મેન)"  વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ.



જ્યોતિબા શિક્ષીત વ્યક્તિ હતા,પણ એકવાર મિત્રના લગ્નમાં તેમને સામાજિક ભેદભાવનો ખરાબ અનુભવ થયો. આ અનુભવે તેમના જીવનની દિશા બદલી નાખી.

બહુ વિચાર કર્યા પછી જ્યોતિબાને આ બીમારીનું કારણ મળ્યું-નિરક્ષરતા.

 તેમને સમજાયું આ બિમારીનો ઈલાજ એક જ છે-'શિક્ષણ'

 તેમને શિક્ષણ માટે કામ કરવા માંડ્યું, સાથે લોકોને કુરિવાજોનાં શિકાર બનતા અટકાવવા માટે સાચી વાતો સમજાવવાનું શરુ કર્યું. 

તેમણે સંકલ્પ કર્યો હતો કે તે જાતિ પ્રથાને જડમૂળથી નાશ કરશે અને તેના માટે તેમણે સૌપ્રથમ મહિલા સશક્તિકરણ કરવાનું શરુ કર્યુ.

તેમના શિક્ષણપ્રસાર કાર્યોથી બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો ગભરાઈ ગયાં. 

તે સમયે બ્રાહ્મણો માનતા હતા કે 'શિક્ષણ લેવું કે આપવું-એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.' 

ગભરાઈ ગયેલા આ જુનવાણી લોકો એ ધર્મ(?)ભીરુ ગોવિંદરાવ પર ભારે દબાણ કર્યું.

પિતાને ધર્મસંકટમાંથી મુક્ત કરાવવા જ્યોતિબા અને સાવિત્રીબાઈ એ પોતાનું કાર્ય છોડવાને બદલે પિતાનું ઘર છોડવાનું પસંદ કર્યું. 

તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે સૌપ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતાં–વાંચતાં શીખવ્યું. ત્યારબાદ આ દંપતીએ પુણેમાં કન્યાશાળા શરૂ કરી



તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને ૧૮૬૩માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી

૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ ફુલેએ સ્ત્રીઓ, દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી

ઈ.સ.૧૮૫૪માં તે સમયના જ્યુડીશીયલ કમિશ્નર વોર્ડનસાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. અને પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલીને પ્રશંસા કરી.

એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો,તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો.બ્રિટીશ શાસન ની લાખ વાતે ટીકા કરી શકાય,પણ અહી આ વાત પર તો બ્રિટિશશાસકોને તો વખાણવા જ પડે. 

ઈ.સ.૧૮૭૩મા ફૂલે દંપતીએ એક વિધવા કાશીબાઈનાં દીકરા યશવંતને દત્તક લીધો.

ઈ.સ.૧૮૯૬-૯૭મા પ્લેગ ફાટી નીકળ્યો.

૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું


રાત કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયું.

આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવીત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો. અને અવશાન થયુ.

૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા



ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે  જ્યોતિબા ફુલેને ત્રીજા ગુરુ માનતા હતા.

૧૮૭૭ (જાન્યુઆરી) મં એક સાપ્તાહિક સમાચાર પત્ર “દીનબંધું” નુ પ્રકાશન તથા સંપાદન કર્યુ. આ ઉપરાંત : ‘अंबालहरी’, ‘दीनमित्र’, તથા ‘किसानों का हिमायती “ નામના સમાચાર પત્રો પ્રકાશિત કર્યા.

પોતાના સ્વભાવ જેમ તેઓ એક આક્રમક લેખક પણ હતા.
તેઓએ નીચે મુજબની પુસ્તકો લખી હતી
1. तृतीय रत्न,
2. छत्रपति शिवाजी,
3. राजा भोसला का पखड़ा,
4. ब्राह्मणों का चातुर्य,
5. किसान का कोड़ा,
6. अछूतों की कैफियत.

1882માં અંગ્રેજો દ્વારા ભારતમાં શિક્ષણ વ્યવસ્થાની દશા જાણવા માટે હંટર કમીશનની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ સર વિલિયમ હંટર હતા, જ્યોતિબા ફુલે એ આ કમિશનને લેખિત સ્વરુપે પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યુ હતુ જેમા તેમણે ગ્રામિણ કક્ષાએ સ્વતંત્ર શિક્ષા વ્યવસ્થા, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણનું પ્રારંભિક જ્ઞાન, કૃષિ સંબંધિત તમામ જ્ઞાન, સામાન્ય જ્ઞાન, નિતિ અને આરોગ્ય વિશેનું જ્ઞાન જેવા અહમ મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી.

જ્યોતિબા ફુલે બાળ વિવાહની ખિલાફ હતા તથા વિધવા પુન: વિવાહના સમર્થક હતા. તેમણે વિધવા પુન: વિવાહની શરુઆત કરી, 1854માં વિધવાઓ માટે આશ્રમની સ્થાપના કરી.

તેમની સમાજ સેવા જોઇને મુંબઇની એક સભામાં 1888માં તેમને મહાત્માની ઉપાધિ આપવામાં આવી હતી.

૧૮૮૩ મા “સત્સાર “ નામનું એક લઘુ પુસ્તક લખ્યું જેમાં તેઓએ હિંદું કર્મકાંડ અને તેની માન્યતાઓ પર પ્રહાર કર્યા.

કિસાન કા કોડા પુસ્તકમા ખેડુતોમાં ,વ્યાપેલા અંધ વિશ્વાસ અને જડ માન્યતાઓ તથા શાહુકારો દ્વારા થતા શોષણ પર પ્રકાશ પાડયો.

"ગુલામગીરી" તેમની સૌથી વધુ વખણાયેલ પુસ્તક છે.

ઇ.સ. 1890માં 28 નવેમ્બરના રોજ આં મહાન ક્રાંતિકારી સમાજ કાર્યકર નું પક્ષઘાત-બીમારી અવસ્થામાં જ નિધન થયું હતું.


ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1979માં ટપાલ ટિકિટ બહાર પાડવામા આવી હતી.



જ્યોતિબા ફુલેની બાયોપિક ફિલ્મ 5 ભાષાઓમાં રજૂ થનાર છે જેનુ નામ છે "મહાત્મા". આ ફિલ્મમાં જ્યોતિબા ફુલેનો અભિનય ધ્રુવા કરુનાકર કરશે. 



કસ્તુરબા ગાંધી

 


પુરુ નામ: કસ્તુરબા મોહનદાસ ગાંધી

જન્મતારીખ: 11 એપ્રિલ 1869

જન્મસ્થળ: પોરબંદર

ઉપનામ: બા

અવશાન: 22 ફેબ્રુઆરી 1944

દેશને સ્વતંત્ર કરવાની ચળવળમાં મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની કસ્તુરબા ગાંધી પાયાનો પથ્થર બની ઊભાં રહ્યાં હતાં,

બા કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતી પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.

કસ્તૂરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ 1869માં થયો હતો એમના પિતાનું નામ ગોકુળદાસ મકનજી અને માતાનું નામ વ્રજકુમારી હતું.

કસ્તુરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી થઈને જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તુરબા ગાંધીનું ઘર આવેલું છે.

માત્ર 13 વર્ષની ઉંમરે તેમના લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયા હતા  ગાંધીજી કરતાં ઉંમરમાં એ 6 મહિના મોટા હતા, વિવાહ સમયે કસ્તૂરબાને અક્ષરજ્ઞાન ન હતું.  બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તૂરબાઈ ‘કસ્તૂરબા’ તરીકે પ્રખ્યાત થયાં.

ગાંધીજીએ કંઈ કેટલીય બાબતોમાં કસ્તૂરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે,  સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ સત્યાગ્રહના પાઠ એમને કસ્તૂરબાએ જ ભણાવ્યા હતા

 દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન બાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્ત્વ પણ કરેલું

 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી

 સભા સરઘસમાં ભાગ લેવાને લીધે તેમણે  જેલવાસ પણ ભોગવ્યો હતો.

 9 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે 73 વર્ષની જૈફ વયના કસ્તૂરબાને પણ પૂનાની આગાખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા ત્યાં એમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. 

22 ફેબ્રુઆરી 1944ના રોજ 75 વર્ષીય કસ્તૂરબાનું અવસાન થયું

કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ ( KASTURBA GANDHI NATIONAL MEMORIAL TRUST) કસ્તૂરબા ગાંધીની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલું એક ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઇન્દૌર શહેરમાં આવેલું છે. આ એકમાત્ર એવું ટ્રસ્ટ છે, જેને ખુદ મહાત્મા ગાંધી એ બનાવ્યું હતું. ઇ. સ. ૧૯૪૪ના વર્ષમાં કસ્તૂરબાનું નિધન થયા પછી ગાંધીજીએ પોતાના જન્મદિવસના અવસર નિમિત્તે આખા દેશમાંથી એકત્રિત થયેલા એક કરોડ ૭૫ લાખ ૩૦ હજાર રૂપિયાની રાશિમાંથી આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષ સ્વયં ગાંધીજી રહ્યા હતા. આ ટ્રસ્ટ દ્વારા દેશભરમાં ગ્રામીણ વિકાસ તેમ જ મહિલાઓ સંબંધિત કેટલાક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છૅ. કસ્તૂરબા ગ્રામમાં અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલડૉ. રાજેંદ્રપ્રસાદપંડિત જવાહરલાલ નેહરુડૉ. જાકિર હુસૈનથી લઇને ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવો વિભિન્ન કાર્યક્રમોમાં આવી ચુક્યા છે. ઇન્દૌર શહેરના હુકુમચંદ સેઠ તરફથી આ સ્મારક બનાવવા માટે ૪૦૦ એકર જમીન દાન સ્વરુપે મળી હતી

પોરબંદરમાં કીર્તીમંદીરના ઉપરના ભાગે ફક્ત મહિલાઓ માટેની એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેના કસ્તુરબા લાઇબ્રેરી નામ આપ્યુ છે,

ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધી એ "કસ્તુરબા અ લાઇફ" નામનું પુસ્તક લખ્યું છે.


http://gujaratihindigk.blogspot.com/2017/07/blog-post_83.html

રેલ્વે સપ્તાહ

 


ભારતીય રેલ્વે નેટવર્ક દ્વારા એપ્રિલ મહિનામાં રેલવે સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

ભારતીય રેલ્વે મુંબઇથી થાણે તરફ 16 મી એપ્રિલ, 1853 ના રોજ ભારતમાં રેલ્વેના આગમનની ઉજવણી માટે 10-15 એપ્રિલ  રેલ્વે સપ્તાહની ઉજવણી શરુ કરી છે.

ભારતમાં પ્રથમ ટ્રેન પ્રવાસની ઉજવણીના સન્માનમાં આ અઠવાડિયાની ઉજવણી  કરવામાં આવે છે.


16 એપ્રિલ, 1853 ના રોજ ભારતની પહેલી ટ્રેન  બોરી બંદર(મુંબઇ) થી થાણે 21 માઇલની મુસાફરી કરી હતી..જેમા 14 ડબ્બા અને 400 મુસાફરો હતા.


વિભાગીય રેલ્વે મેનેજર (ડીઆરએમ) સુનિલ બાજપાઇ આ સમારંભના મુખ્ય અતિથિ હતા, જેના અધ્યક્ષ સ્થાને અધિક વિભાગીય રેલ્વે મેનેજર પી.મહેશ હતા.


ભારતીય રેલ ભારત સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન  ભારત સરકારનુું રેલવે મંત્રાલય કરે છેેે..

ભારતમાં ૧૮૫૩માં રેલવેનો પ્રારંભ થયો હતો

1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.

રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી

 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. 34 કિમી અંતર આવરી લેતા ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા.

ઈન્ડિયન રેલવેસનું સંચાલન રેલવે બોર્ડ કરે છે, જેમાં એક નાણાકીય કમિશનર, પાંચ સભ્યો અને એક અધ્યક્ષ હોય છે.

 વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે 

 દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે

દેશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ તમામ માર્ગ પર 63,327 kilometres (39,350 mi). છે.

 રોલિંગ સ્ટોક મુજબ IR પાસે 200,000 વેગન (માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે


ઈન્ડિયન રેલવેસને ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને આ ઝોનને પણ પેટા-વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઈન્ડિયન રેલવેસના ઝોનની સંખ્યા છથી વધીને 1951માં આઠ, 1952માં નવ અને આખરે 2003માં 16ની થઈ હતી. ચોક્કસ સંખ્યાના ડિવિઝનમાંથી દરેક ઝોનલ રેલવેની રચના કરાય છે અને દરેક પાસે ડિવિઝનલ વડુમથક હોય છે. કુલ 67 ડિવિઝન છે

કોલકતા મેટ્રો સહિત સોળમાંથી દરેક ઝોનના વડા જનરલ મેનેજર (GM) છે અને તેઓ સીધા રેલવે બોર્ડને જવાબદાર હોય છે

રેલ્વેના 16 ઝોન નીચે મુજબ છે.


ઈન્ડિયન રેલવે ૯,૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન ચલાવે છે

સામાન્ય રીતે એક પેસેન્જર ટ્રેનમાં ૧૮ ડબાઓ હોય છે, પરંતુ કેટલીક લોકપ્રિય ટ્રેનોમાં કોચની સંખ્યા ૨૪ સુધીની પણ હોઇ શકે છે

દૈનિક મુસાફરોની સગવડ માટે અનેક શહેરોમાં તેના પોતાના ઉપનગરીય નેટવર્ક છે. હાલમાં ઉપનગરીય નેટવર્ક મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, પૂણે અને લખનઉમાં કાર્યરત છે. હૈદરાબાદ, પૂણે અને લખનઉ પાસે પોતાના ઉપનગરીય પાટા નથી, પરંતુ તેઓ લાંબા અંતરની ટ્રેનો સાથે પાટાની વહેંચણી કરે છે. નવી દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ પાસે પોતાના મેટ્રો નેટવર્ક છે અને તેના નામ છે- ન્યૂ દીલ્હી મેટ્રો (New Delhi Metro), કોલકાતા મેટ્રો (Kolkata Metro), અને ચેન્નાઈ એમઆરટીએસ (Chennai MRTS)- આ તમામ પાસે પોતાના પાટા(ટ્રેક) છે અને આ પાટાઓ મોટાભાગે ફ્લાય ઓવર પર બિછાવવામાં આવ્યા છે.

કાચી ખનીજો, ખાતર અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ, મલ્ટિમોડલ ટ્રાફિક અને અન્ય વસ્તુઓ સહિત IR અનેક પ્રકારના માલ-સામાનનું પરિવહન કરે છે. બંદરો અને મોટા શહેરો પાસે પોતાની માલવાહક લાઈનો અને યાર્ડની અલગ વ્યવસ્થા હોય છે

બે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ IR પર છે.- છત્રપતિ શિવાજી ટર્મિનસ અને માઉન્ટેઈન રેલવેસ ઓફ ઈન્ડિયા.

પેલેસ ઓન વ્હીલ્સ એ વિશેષ રીતે ડિઝાઈન કરાયેલી ટ્રેન છે અને રાજસ્થાનમાં પ્રવાસનને વેગ આપવા માટે તેમાં સ્ટીમ એન્જિનનો ઉપયોગ થાય છે. 

મહારાષ્ટ્ર સરકારે ડેક્કન ઓડિસી ની શરૂઆત કરી છે, જેમાં મહારાષ્ટ્ર અને ગોવાના વિવિધ પ્રવાસન સ્થળોને આવરી લેવાય છે,

 કર્ણાટક સરકારે પણ ગોલ્ડન ચેરિઓટ ટ્રેનની શરૂઆત કરી છે અને તેમાં કર્ણાટક તથા ગોઆના લોકપ્રિય પર્યટન સ્થળોને સાંકળી લેવાયા છે

સમજૌતા એક્સપ્રેસ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેન છે

1965ના ભારત-પાક. યુદ્ધના કારણે તેને બંધ કરાઈ હતી. ૯૬ કિ.મી.ના અંતરમાં સૌથી વધારે ઊંચાઈવાળા વળાંકોની મુસાફરી કરાવવા બદલ કાલકા શિમલા રેલવે તાજેતરના સમય સુધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) સ્થાન ધરાવતી હતી.

લાઈફલાઈન એક્સપ્રેસ એ "હોસ્પિટલ ઓન વ્હીલ્સ" તરીકે ઓળખાતી ટ્રેન છે, જે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ આપે છે

જાણીતા એન્જિનોમાંનું ફેરી ક્વીન એ આજના વિશ્વમાં સૌથી વધારે જૂનું કાર્યરત એન્જિન છે

ખડગપુર રેલવે સ્ટેશન પાસે વિશ્વનું સૌથી લાંબુ 1072 મીટર (3,517 ફૂટ)નું રેલવે પ્લેટફોર્મ હોવાથી તે જાણીતુ છે.

 દાર્જિલિંગની ટોય ટ્રેનના માર્ગની સાથે ઘુમ સ્ટેશન એ વરાળ એન્જિન દ્વારા પહોંચવામાં અવાતું હોય તેવું વિશ્વનું બીજા ક્રમનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન છે

કન્યાકુમારી અને દિબ્રુગઢ વચ્ચે દોડતી વિવેક એક્સપ્રેસ એ અંતરની દ્રષ્ટિએ ભારતીય રેલ્વેની સૌથી વધારે લાંબા અંતરની ટ્રેન છે. તે લગભગ 82 કલાક અને 30 મિનિટમાં 4,286  કિ.મી. (2,327 માઈલ) આવરી લે છે

ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ એ ફરિદાબાદ-આગ્રા વિભાગમાં 150 કિમી/કલાકની (93.7 માઈલ/કલાકની) મહત્તમ ઝડપે દોડે છે અને તે અત્યારે ભારતની સૌથી વધારે ઝડપી ટ્રેન છે.

રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ સુપરફાસ્ટ, સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન છે

ભારતીય રેલ્વેએ ઇકોનોમી ક્લાસ માટે tejas પ્રકારના નવા એસી -3 ટાયર કોચ બનાવ્યા છે. જે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે બનાવવામાં આવી છે. આ કોચમાં આધુનિક સુવિધાઓ સાથે સીટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે, લાંબા અંતરની મુસાફરી માટે આધુનિક Tejas સ્લીપર પ્રકારની ટ્રેનની રજૂઆત સાથે ભારતીય રેલ્વે મુસાફરો માટે મુસાફરીના અનુભવમાં મોટો ફેરફાર કરી રહી છે.

અધિકારીઓની (વર્ગ 'A) નિમણૂક ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામિનેશન દ્વારા થાય છે અને તેની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાય છે;

ઈન્ડિયન રેલવેસમાં વર્ગ 'C' અને 'D'ના કર્મચારીની નિમણૂકો 19 RRBs (રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ) દ્વારા કરાય છે, કે જેના પર રેલવે રીક્રુટમેન્ટ કંટ્રોલ બોર્ડ (RRCB)નું નિયંત્રણ હોય છે.