મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 June, 2021

બિરસા મુંડા

 બિરસા મુંડા

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક




જન્મતારીખ: 15 નવેમ્બર 1875
જન્મસ્થળ: ઉલિતાહુ, રાંચી,ઝારખંડ
પિતાનું નામ: સુમના મુંડા
માતાનું નામ: કરમી
અવશાન: 9 જૂન 1900

આદિવાસીઓમાં લોકનાયક ગણાતા નેતા બિરસા મુંડાએ આદિવાસીઓના અધિકારોની રક્ષા માટે બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં  થયો હતો.

મુંડા રીવાજ મુજબ  તેમનો જન્મ બૃહસ્પતિવાર (ગુરુવાર) ના રોજ થયો હોવાથી બિરસા નામ રાખવામાં આવ્યું.

 સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા.

અભ્યાસમાં તીવ્ર હોવાની સાથે જ જયપાલ નાગએ તેમને જર્મન મિશન સ્કૂલમાં જોડાવા માટે ભલામણ કરી હતી, પરંતુ શાળામાં જોડાવા માટે ખ્રિસ્તી ધર્મમાં ફેરફાર કરવો ફરજિયાત હતું અને તેથી બિરસાને ખ્રિસ્તી તરીકે રૂપાંતર કરવાની ફરજ પડી અને તેનું પુનરાગમન બિરસા ડેવિડ, જે પાછળથી બિરસા દાઉદ તરીકે બન્યા.  થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ, તેમણે જર્મન મિશન સ્કૂલ છોડી દીધી.




વાંસની એક ઝૂંપડીમાં મોટા થયેલા બિરસા મુંડા ઘેટાં-બકરી ચરાવતા, વાંસળી વગાડતા અને સ્થાનિક છોડના ઔષધીય ગુણોની વિશે શોધ-ખોળ કરતા.

તેમણે એક ભારતીય આદિજાતિ ધાર્મિક મિલેનરીયન ચળવળને આગેવાની કરી હતી, જે 19 મી સદીના અંતમાં બ્રિટિશ રાજ દરમિયાન આધુનિક બિહાર અને ઝારખંડના આદિજાતિ પટ્ટામાં ઉભરી હતી, અને તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં મહત્વનો વ્યક્ત કર્યો હતો.  25 વર્ષની વયે પૂરા કરવા માટે તેમની સિદ્ધિઓ વધુ નોંધપાત્ર છે.



એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો "ધરતી બાબા" નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. 

1896-97માં ઉત્તર ભારત ભયંકર ભૂખમરા અને દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું. આની આગાહી બિરસા મુંડાએ કરી હોવાની લોકવાયકા પણ છે. લોકો તેમને એક દેવદૂતના રૂપમાં જોવા લાગ્યા. આજે પણ કેટલાક આદિવાસીઓ એમને ભગવાન તરીકે જુએ છે તો કેટલાક એમને આદિવાસી ઓળખના નાયક તરીકે.

ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. 

1898માં તેમણે બ્રિટિશ રાણી વિક્ટોરિયાના પૂતળા બાળવાનું આહ્વાન કર્યું હતું.

1899માં તેમણે ર-ધનુષ, કુહાડી જેવા સાધનો લઈને મુંડાઓએ અંગ્રેજો અને તેમના દિક્કુ દલાલો વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. તેમની સંપત્તિને આગ લગાડી દીધી અને પોલીસોની હત્યા કરી નાખી.

ઉલગુલાન નામની આ બગાવત વધુ લાંબી ન ચાલી, અંગ્રેજોએ આ બળવાને તોડી પાડ્યો અને બિરસાને ફરી પકડી લેવામાં આવ્યા અને જેલમાં જ તેમનું મૃત્યુ થયું.



જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી

બિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.


ઝારખંડની રાજધાની રાંચીમાં ઍરપોર્ટ અને કેન્દ્રીય જેલનું નામ બિરસા મુંડાના નામ પર જ રાખવામાં આવ્યું છે.



ગુજરાતમાં પણ સરકારે તેમના નામ પર રાજપીપલામાં એક યુનિવર્સિટી શરૂ કરી છે




આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. 


બિરસા મુંડાના માનમાં રાંચીમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવે છે.




 ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. 



બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.


તેમનું ચિત્ર ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં  છે, એ એક જ   માત્ર આદિવાસી નેતા આટલા સન્માનિત થયેલા છે.




2004 માં એક હિન્દી ફિલ્મ, ઉલ્ગુલન-એક ક્રાંતિ (ક્રાંતિ) અશોક સરને બનાવી હતી. દીપરાજ રાણાએ આ ફિલ્મમાં બિરસા મુંડાની ભૂમિકા ભજવી હતી, .



 રાજેશ મિત્તલની બીજી ફિલ્મ, બિરસા મુંડા - ધ બ્લેક આયર્ન મેન, 2004માં  રીલિઝ થઈ હતી.


2008 માં, બિરસાના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ, ગાંધી સે પેહલે ગાંધી (ગાંધી પહેલાં ગાંધી), તે જ નામની તેમની પોતાની નવલકથા પર આધારિત ઇકબાલ દુરન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. 

રાજન ખોસાની ભારતીય જીવનચરિત્રની ટૂંકી ફિલ્મ ભગવાન બિરસા મુંડા 2020 માં રજૂ થઈ હતી


રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા, લેખક-કાર્યકર મહાસ્વેતા દેવીની ઐતિહાસિક સાહિત્ય, અરેનિયર અધિકાર (જંગલનો અધિકાર, 1977), એક નવલકથા, જેના માટે તેણીએ 1979 માં બંગાળી માટે સાહિત્ય અકાદમી એવોર્ડ જીત્યો, તે બિરસા મુંડાના જીવન પર આધારિત છે જે 19 મી સદીના અંતમાં બ્રિટીશ રાજ સામે કરેલ બળવો વિશે છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work