મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 January, 2021

કલાપી જીવન પરિચય

 કલાપી જીવન પરિચય

રાજવી કવિ 



પુરુનામ: સુરસિંહ તખ્તસિંહ ગોહિલ

જન્મસ્થળ: લાઠી, અમરેલી

જન્મતારીખ: 26 જાન્યુઆરી 1874

ઉપનામ: કલાપી

અવસાન: 9 જૂન 1900

કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ  

તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં 26મી જાન્યુઆરી 1874ના રોજ થયો હતો. 

 તેઓ આઠ વર્ષની ઉમરથી, એટલેકે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા

તે કદાવર અને બલવાન કાયાવાળા ક્ષત્રિય હતા, અને ગીરના સિંહની ભેટ લેવા માટે છેક તુલસીશ્યામ જતાં એક વખત જંગલમાં સંગાથ છોડી દઈને, એકલા નીકળી પડ્યા હતા. 'પેપર ચેઝ'ની રમતમાં 24 માઈલ દોડીને 20 મિનિટ અગાઉથી મોકલેલા જમાદાર અને બે સવારને પકડ્યા હતા."

"દોડવાની કસરત તેઓ નિયમિત કરતા, અને તેમના નાના ભાઈ વિજયસિંહજીને પણ આ કસરત કરવાની સલાહ એક પત્રમાં આપી છે."

"ઘોડેસવારીનો તેમનો ઘણો શોખ હતો અને 24 માઈલ દોડ્યા પછી 30 માઈલની ઘોડેસવારી કરવામાં તેમને આનંદ આવતો.

૧૮૮૯નુ વર્ષ તેમના જીવનના પરિવર્તનનું વર્ષ બની રહ્યું.

સુરસિંહ સગીર વયના હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું,

તેમનો રાજ્યાભિષેક 21 વર્ષની વયે ( 21મી જાન્યુઆરી 1895) લાઠી દરબાર તરીકે થયો. 

કલાપી તેમનું ઉપનામ હતું. 

તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. તેમણે પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. 

 ૧૮૯૨ થી તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળે છે. તેમાં પણ એજ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહાર નો પ્રારંભ થતાં તેમના સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે. ધીરે ધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે.મણીલાલ નભુભાઈ દ્વિવેદી ,તેમને તો તેઓ તેમના જ્ઞાનગુરૂ માનતા હતાં,તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્ત અને જટિલ તેમજ બાલુનો સમાવેશ જોવા મળેછે. તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપીયર,મિલ્ટન,ગટે જેવા લેખકોને પણ ભરપુર વાંચ્યા.અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમના સર્જન પર પડેલી જોવા નથી મળતી.

તેમના સર્જનનું ખરું પ્રેરક બળ તો તેમનું જીવન જ બની રહ્યું. અને તેમણે માત્ર ૨૬ વર્ષના આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ એટલે અંદાજે ૧૫૦૦૦ પંક્તિઓ, ખંડ કાવ્યો,ઊર્મિ કાવ્યો,ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યાં.

૧૮૯૬-૯૭ નો સમય. ભાવનગર ના જીવણલાલની પ્રેસમાં તેમનાં કાવ્ય સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધાં કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુંનેજ સોંપે છે. પહેલું સુચન: બાપુ, સંગ્રહનું નામ “મધુકરનો ગુંજારવ” રાખીએ તો? કવિ જવાબ આપે છે: બાલુ, પણ આમાં હ્રદયનો ગુંજારવ ક્યાં છે? અન્ય એક મિત્ર એ સૂચન કર્યું કે, બાપુ, તમારું તખલ્લુસ “કલાપી” રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ “કલાપીનો કેકારવ” બસ, ત્યારથી, લાઠીના એ રાજવી કવિ “કલાપી” તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા

કલાપીનું સમગ્ર સાહિત્ય સર્જન તેમના જીવનમાં બનેલા પ્રસંગો પર કે તેમના અંગત જીવનના અનુભવો પર જ આધારિત છે.

તેમણે એક મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો અને ૧૮૮ છંદોબદ્ધ કવિતા-ઉર્મી ગીતો લખ્યાં હતા,  કલાપીએ આ તમામ સાહિત્યનું સર્જન માત્ર દસ વર્ષના ગાળામાં જ કર્યું હતું.

કાવ્યસંગ્રહ- કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહિલ (દીર્ઘકાવ્ય )

વર્ણન - કાશ્મીરનો પ્રવાસ 

નિબંધ- સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

18 વર્ષની યુવાન વયે આ રાજવી કવિનું પ્રથમ કાવ્ય 'વૈરાગ્ય હાલ' વિશે હતું અને છેલ્લું કાવ્ય હતું આપની યાદી."

કલાપીનું સુખ્યાત ખંડકાવ્ય આપણને યાદ જ હોય. “ગ્રામ્યમાતા” અને એની આ અમર પંક્તિ :

રસહીન ધરા થઇ છે, ધ્યાનહીન થયો નૃપ; નહિ તો ના બને આવું, બોલી માતા રડી રહી.

એમની બીજી ચિરંજીવ કૃતિ એ એમની ગઝલ : “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની….

તે સમયના જાણીતા સાહિત્ય પ્રકાર સોનેટ સર્જનમાં. “શિકારી ને” કાવ્યમાં કવિ એમના સૌંદર્યબોધને વાચા આપતી ચિરંજીવ પંક્તિ આપે છે.

કલાપીના શાસનકાળમાં ગુજરાત-કાઠિયાવાડમાં ભયંકર 'છપ્પનિયા'ને નામે ઓળખાતો દુકાળ પડ્યો હતો.

9મી જૂન 1900ના દિવસે ૨૬ વર્ષની યુવાન વયે તેમનું નિધન થયું હતું. તેમનું મોત પણ આવી જ રાજકીય ખટપટમાં વિષ ભેળવેલા પેંડા ખાવાથી થયું હતું. 

૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન કર્યું.

કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે.

કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે. તે ગુજરાતના અમરેલી જિલ્લામાં કલાપીના જન્મસ્થાન લાઠી ખાતે આવેલું છે. કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહી કાળના રાચરચીલાનો અહીં વિશાળ સંગ્રહ છે. કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ, જેનાં કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે. ગુજરાતના સાહિત્યરસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે

  • 'રાજવી કવિ કલાપી’ નામનું પુસ્તકએમનાં જીવન વિશેનું પુસ્તક
  • એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
  • 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી

દિન એક ગયો, પછી લાખ ગયા

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

                                                                 – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ




જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

                                                                 – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ


પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !

સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)


તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે

                                                         –સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

25 January, 2021

ગણતંત્ર દિવસ/પ્રજસતાક દિવસ

 

પ્રજાસત્તાક દિવસ/ગણતંત્ર દિવસ

26મી જાન્યુઆરી



26 January 2023 ના રોજ ભારત 74મા Republic Day ની ઉજવણી કરશે.

26 જાન્યુઆરી 1950માં ભારત સરકારના અધિનિયમ એક્ટ 1935ને હટાવીને ભારતના બંધારણ અપનાવવામાં આવ્યું હતું. 

ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન.

 26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.

 ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે

26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તેથી નક્કી કર્યો કારણ કે 1930માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કર્યું હતું.

ભારત રાજ્યોનો એક સંઘ છે. તે સંસદીય પ્રણાલીવાળી સરકારનું ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણના આધારે શાસિત છે જે બંધારણસભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ ગ્રહણ કરાયું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી, 1950થી થયો.

ભારતની સ્વતંત્રતા પછી, સંસદીય વિધાનસભાની ઘોષણા કરવામાં આવી અને તેણે 9 ડિસેમ્બર, 1947 થી તેનું કામ શરૂ કર્યું. 

બંધારણીય એસેમ્બલી 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ, ભારતના બંધારણની રચના કરવામાં આવી હતી અને 26 નવેમ્બર, 1949 ના રોજ સંસદ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતના બંધારણને સોંપવામાં આવ્યું હતું, તેથી, 26 નવેમ્બરનો દિવસ દર વર્ષે ભારતમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઘણા સુધારા અને ફેરફારો પછી, 24 જાન્યુઆરી 1950 ના રોજ વિધાનસભાના 308 સભ્યોએ બંધારણની બે હસ્તલિખિત નકલો પર હસ્તાક્ષર કર્યા. 

બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા. 

બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલા હતી. 

આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી. 

કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે. તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પાંડુલિપિ 234 પાના ધરાવે છે, તેનું વજન કુલ 13 કિલો છે.

દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લે છે અને રાષ્ટ્રીય ધ્વજ પણ તેઓ જ ફરકાવે છે.

રાજ્યોના રાજ્યપાલ રાજ્યનાં પાટનગરોમાં ગણતંત્ર દિવસના સમારોહના અવસરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.


પ્રજાસત્તાક દિનનું મુખ્ય સમારોહ ભારતીય રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે. કાર્યક્રમના લોકાર્પણ પૂર્વે વડાપ્રધાન ‘અમર જવાન જ્યોતિ’ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ્સ સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચે છે. જ્યાં વડા પ્રધાન તેમનું સ્વાગત કરે છે. આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે. એરોપ્લેન દ્વારા પુષ્પાંજલી આપવામાં આવે છે. ત્રિરંગો ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને લશ્કરી કર્મચારીઓ દ્વારા તેને પરેડ કરવામાં આવે છે. 

વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને રાજપથ કહેવાય છે. જે લગભગ 2 કિમી લાંબો છે જે પહેલા કિગ્સ વે તરીકે ઓળખાતો હતો.

પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે

દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે

વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે.

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે ભારતના નાગરિકોને પદ્મ એવોર્ડનું વિતરણ કરે છે. ભારત રત્ન પછી આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, જેમ કે ઘટતા મહત્વના ક્રમમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના નાગરિકોને એક ખાસ સંદેશમાં કહ્યું હતું કે આજેના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા આપણે પોતાને સમર્પિત કરવું જોઈએ. જેણે આપણા રાષ્ટ્રપિતા અને ઘણા આગેવાનો અને સ્વતંત્રતા સંગ્રામના સૈનિકોને પ્રેરણા આપી કે આપણા દેશમાં વર્ગહીન, સહકારી, મુક્ત અને સુખી સમાજની સ્થાપનાના સ્વપ્નાને સાકાર કરવા. 

આપણે આ દિવસે યાદ રાખવું જોઈએ કે આજનો દિવસ આનંદની ઉજવણી કરતા સમર્પણનો દિવસ છે. તે કામદારો, મજૂરો અને વિચારકો સંપૂર્ણપણે સ્વતંત્ર, ખુશ અને સાંસ્કૃતિક બનાવવાના ભવ્ય કાર્યને સમર્પિત કરવાનો દિવસ છે. 

26 જાન્યુઆરી 1950ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. અને 6 મિનિટ પછી 10: 24 મિનિટે ડો. રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ રાષ્ટ્રપતિ તરિકેના શપથ લીધા હતા.

 વર્ષ 1950માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા.

1955થી અત્યાર સુધી રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડનું આયોજન થાય છે.

ચોથી વખત વગર મુખ્ય અતિથિએ યોજાશે ગણતંત્ર દિવસ સમારોહ

 વર્ષ 2021માં કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ મહેમાન રહેશે નહીં. આ પહેલા 1952,1953 અને 1966માં ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈને મુખ્ય અતિથિ નથી બનાવવામાં આવ્યા
આ ઉપરાંત ત્રણ વખત આ સમારોહના બે-બે મુખ્ય અતિથિ હતા. વર્ષ 1956, 1968 અને 1974માં સમારોહના બે-બે મુખ્ય અતિથિ હતા.
 2018માં દસ એશિયાઈ દેશોના શાસનાધ્યક્ષોને સમારોહના મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા

બીટિંગ રિટ્રીટનુ આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન સામે કરાય છે, જેના ચીફ ગેસ્ટ રાષ્ટ્રપતિ હોય છે. બીટિંગ ધ રિટ્રીટ સમારોહને ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે.

બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરાય છે. બીટિંગ રિટ્રીટમાં થલ સેના, વાયુ સેના અને નૌસેનાના બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં વગાડતાં માર્ચ કરે છે.

આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે.


ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. પિંગલીએ શરૂઆતમાં ઝંડો ડિઝાઇન કર્યો ત્યારે તે માત્ર બે રંગનો હતો, લાલ અને લીલો. તેમણે આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના બેઝવાડા અધિવેશનમાં ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો.

બાદમાં ગાંધીજીની ભલામણ આધારે તેમણે ધ્વજમાં સફેદ પટ્ટો જોડી દીધો. આગળ જતાં રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે અશોક ચક્રને ચરખાનું સ્થાન મળ્યું.

ભારતીય રાષ્ટ્રીય ધ્વજને વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ, 1947ના રોજ આયોજિત બંધારણસભાની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો. ભારતમાં “ત્રિરંગા”નો અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે.

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહાદુર બાળકોને અપાય છે. આ પુરસ્કારોની શરૂઆત 1957થી થઈ હતી. પુરસ્કાર સ્વરૂપે એક ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ રકમ અપાય છે. તમામ બાળકોને સ્કૂલનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે.


રફેલ લડાકુ વિમાનો પ્રથમ વખત 2021ના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં  ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે




ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.

🙏 પ્રજાસત્તાક દિવસની આપ સૌને શુભકામનાઓ 🙏







22 January, 2021

કવિ દલપતરામ જીવન પરિચય

 કવિ દલપતરામ

(કવિશ્વર તરીકે જાણીતા)




પુરુ નામ: દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી

જન્મતારીખ: 21 જાન્યુઆરી 1820

જન્મસ્થળ; વઢવાણ , સુરેન્દ્રનગર

અવસાન: 25 માર્ચ 1898


 કવિ દલપતરામનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 21 જાન્યુઆરી  1820ના રોજ થયો હતો. 

ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. 

મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી.

 અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. 

 કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.

દલપતરામે પોતાની સરળ પણ લોકભોગ્ય શૈલીમાં અનેક રચનાઓ કરી જે લોકજીભે ચડી ગ‍ઇ ને આજે ય લોકોક્તિરૂપે બોલાતી રહી છે. કવિ દલપતરામની માતૃભાષા પ્રેમ અનન્ય હતો. “ગુજરાતી વાણી રાણીનો વકિલ છું.” કહેતા દલપતરામના યોગદાનનો મહિમા જરાય ઓછો નથી. “અંધેરી નગરી ને ગંડુ રાજા”નું એમણે આલેખેલું ચિત્ર આજે ય Political Satire તરીકે યાદ આવી જાય. “ટકે શેર ભાજી ટકે શેર ખાજા”ની યાદ આવે ને મોં મલકે! તો “અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે” એવું ઊંટને સંભળાવતું શીયાળ કે “કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય”માં સાતત્યપૂર્ણ પ્રયત્નશીલતાનો સંદેશ આપતો કરોળિયો કેમ વિસરાય?

 આઝાદી પહેલાં દલપતરામે લખેલી ગુજરાતી પિંગળ છંદ શાસ્ત્રની સવા લાખ નકલો વેચાઈ હતી!

તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા

ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. 

તેમની પ્રથમ કવિતા બાપાની પીંપર (૧૮૪૫) હતી. 

બચપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી  નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. 

જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો

 તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અમલદાર ફોર્બ્સ હિન્દુસ્તાની અને મરાઠી શીખ્યા બાદ દલપતરામ પાસે ગુજરાતી ભાષા શીખતા હતા અને એ સમયે થયેલું એ બંનેનું મિલન એ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતર માટે મહત્વની ઘટના બની રહી. 

 દલપતરામ અને એલેક્ઝાન્ડર કિંગ્લોક ફોર્બ્સે 1848ની 26 ડિસેમ્બરે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે જાણીતી છે. 

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘બુદ્ધિપ્રકાશ’ નામનું સામયિક, અનેક ગ્રંથોનું પ્રકાશન અને નારી કેળવણીનાં કાર્ય કર્યાં. 

  • ફાર્બસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ.
  • ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
  • ૧૮૫૦ - બુદ્ધિપ્રકાશનું સંપાદન
  • ૧૮૫૮ - 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ

મુખ્ય કૃતિઓ

  • કવિતા - ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬).
  • નિબંધ - ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ.
  • નાટક - મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત.
  • વ્રજભાષામાં - વ્રજ ચાતુરી.
  • વ્યાકરણ - દલપત પિંગળ.
  • કાવ્ય દોહન.
  • બાપાની પિંપર, તાર્કિક બોધ





સન્માન

  • બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ
  • કવિશ્વર દલપતરામ એવોર્ડ તેમની સ્મૃતિમાં એનાયત થાય છે.

કવિ દલપતરામની પ્રખ્યાત રચનાઓ

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

– દલપતરામ




પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.


રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”


મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

 – દલપતરામ


શિયાળે   શીતળ  વા  વાય   પાન   ખરે   ઘઉં  પેદા થાય;
પાકે   ગોળ   કપાસ   કઠોળ,   તેલ   ધરે    ચાવે   તંબોળ.
ધરે   શરીરે   ડગલી   શાલ,   ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત,  તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે   ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે    વનસ્પતિ  સૌ  પાન,  કેસૂડાં  રૂડાં  ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ,   પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ,   તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું   તો   ખાસું ખૂબ,  દીસે  દુનિયા  ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ,  ચાખડીઓ   હીંડોળાખાટ.

-દલપતરામ

20 January, 2021

રાષ્ટ્રીય મતદાતા દિવસ ( National Voters' Day)

 રાષ્ટ્રીય મતદાતા દિવસ ( National Voters' Day)

25 જાન્યુઆરી


ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના 25  જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે.

આજે ભારત 13મો રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day)  ઉજવશે.


આ ઉજવણીની શરૂઆત 25 જાન્યુઆરી, 2011થી કરવામાં આવી છે. 

 25 જાન્યુઆરી  ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. 1950માં આજના દિવસે ચૂંટણી પંચની સ્થાપના થઇ હતી. 

 તેની યાદમાં  25  જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. 

આ દિવસે 18 વર્ષ થઇ ગયા હોય અને ફોર્મ ભર્યા હોય તેવા યુવાનોને નવા ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે અને શપથ લેવડાવવામાં આવે છે.

ચૂંટણી પંચનું મુખ્ય મથક ન્યુ દિલ્હીમાં આવેલ છે.

ભારતીય ચૂંટણી પંચ ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે

ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે

સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.

ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.

ચૂંટણી કમિશ્નરનો સમય ગાળો 6 વર્ષનો હોય છે.

ચૂંટણી કમિશ્નરનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે

ભારતના પ્રથમ ચૂંટણી કમિશ્નર સુકુમાર સેન હતા.

હાલમા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર છે જે 25માં  મુખ્ય ચૂંટણી કમિશ્નર છે તથા  અન્ય ચૂંટણી કમિશ્નર  તથા અનુપમ ચંદ્ર પાંડે અને અરુણ ગોએલ  છે

મુખ્ય ચૂંટણી કમિશ્નરને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.

ભારતમાં પ્રથમવાર ચૂંટણી 1951-52માં થઇ હતી.

ચૂંટણીની છેતરપિંડી અટકાવવાના પ્રયાસરૂપે 1993 માં ચૂંટણી કાર્ડ (EPIC- ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ્સ) જારી કરવામાં આવ્યા હતા, જે 2004 ની ચૂંટણી દ્વારા ફરજિયાત થઈ ગયા. 

જો કે અમુક પરિસ્થિતિઓમાં ચૂંટણી હેતુ માટે રેશનકાર્ડની મંજૂરી આપવામાં આવી છે

હાલમાં મોટાભાગની ચૂંટણીઓ EVM (Electronic voting machines) મશીન દ્વારા કરવામાં આવે છે.

1982 માં કેરળ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રાયોગિક ધોરણે EVM દ્વારા ચૂંટણીઓ કરવામા આવી હતી.

2014 માં ભારતીય સામાન્ય ચૂંટણીઓમાં આઠ લોકસભા મતક્ષેત્રોમાં  Voter-verified paper audit trail (VVPAT) ની રજૂઆત ચૂંટણી માટે મોટી સિદ્ધિ હતી

આ Voter-verified paper audit trail (VVPAT)) સિસ્ટમનો પ્રથમવાર ઇવીએમ સાથે સપ્ટેમ્બર 2013 માં નાગાલેન્ડના નોકસેન (વિધાનસભા ક્ષેત્ર) માં પેટા મતદાનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

18 સપ્ટેમ્બર 2015થી ઉપરોક્તમાંથી કોઇ નહિ (NOTA)  પણ મતદાન EVM મશીનોમાં વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યું  હતું જે હવે કોઈપણ ચૂંટણીમાં પૂરા પાડવાનું ફરજિયાત વિકલ્પ છે

નોટાના આ સિમ્બોલની રચના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.

ભારતના બંધારણમાં સને 1992 માં સુધારા ક્રમાંક 73 તથા 74 થી ભાગ -9 તથા ભાગ-9-ક ઉમેરવામાં આવ્યા છે. અનુચ્છેદ 243-ડ તથા 243: વ-ક થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદારયાદીઓ તૈયાર કરવા પર દેખરેખ, માર્ગદર્શન તથા તેનું નિયંત્રણ અને ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચમાં નિહિત થયેલ છે.

ગુજરાત રાજ્યમાં આ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચની રચના તા. 23 સપ્ટેમ્બર 1993 થી કરવામાં આવી છે

મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને  ગ્રામ પંચાયતની ચૂંંટણીનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

ચૂંટણી ખર્ચના હિસાબો રજુ ન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-171- (ટ) અનુસાર પોલીસ ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી કરવાની જોગવાઇ છે

રાષ્ટ્રીય મતદાતા દિવસ ( National Voters' Day)ની થીમ

2023: Nothing Like Voting, I Vote for Sure

2022: Making Elections Inclusive, Accessible & Participative

2021: Making Our Voters Empowered, Vigilant, 

            Safe and  Informed




ભારતીય ચૂંટણી પંચ વિશે:- 

  • ભારતનું ચૂંટણી પંચ ભારતમાં કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓનું સંચાલન કરે છે.
  • લોકસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેની દેખરેખ હેઠળ યોજાય છે.
  • બંધારણની કલમ 324-329 ભારતના ચૂંટણી પંચ સાથે સંબંધિત છે.
  • ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી.
  • તેમાં હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.
  • મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
  • મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુનો હોય છે.




https://sec.gujarat.gov.in/

સુભાષચંદ્ર બોઝ જીવન પરિચય

 સુભાષચંદ્ર બોઝ

તુમ મુજે ખૂન દો મેં, તુમ્હે આઝાદી દૂંગા

આઝાદ હિંદ ફૌજના સ્થાપક



જન્મતારીખ: 23 જાન્યુઆરી 1897

જન્મસ્થળ: કટક, ઓરિસ્સા

પિતાનું નામ: જાનકીનાથ બોઝ

માતાનું નામ: પ્રભાવતી

અવસાન: 18 ઓગસ્ટ 1945


 સુભાષચન્દ્ર બોઝનો જન્મ 23  જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. 

તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું.  પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

 આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી. 1918માં તેમણે ફિલોસોફીમાં ગ્રેજુએશન ફર્સ્ટ ક્લાસમાં પુરી કરી હતી.

25 વર્ષની ઉંમરમાં, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં.

કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી

1921માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

તેમના સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.

૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા

સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યાં. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજી ના નેતૃત્વની બહુત ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયાં, ત્યારે સુભાષબાબુ એ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.

૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાં.

1938 માં કૉંગ્રેસ નું વાર્ષિક અધિવેશન હરિપુરા માં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન મા સુભાષબાબૂ નુ અધ્યક્ષીય ભાષણ બહૂજ પ્રભાવી રહ્યુ.સુભાષબાબૂ એ બેંગલોર મા મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા ની અધ્યક્ષતા મા એક વિજ્ઞાન પરિષદ પણ લીધી હતી.

3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી.દ્વિતીય વિશ્વયુદ્ધ શરુઆત થવાના પહલે થી જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે જલ્દી કરવા માટે, જનજાગૃતી શુરૂ કરી. એટ્લા માટે અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કૈદ કરી દિધા, અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.

આ સમય દરમિયાન સુભાષ ભારતથી જર્મની ભાગી ગયા. ત્યાં યુદ્ધમોરચે તાલીમ લીધી અને ત્યાં તેમણે સેના પણ બનાવી

નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને ભાગી છૂટ્યા, અને પેશાવર ગયા, ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા, આખરે ઓર્લાદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આજાદ હિંદ રેડિઓની સ્થાપના કરી . એજ વખતે સુભાષબાબૂ, "નેતાજી" નામથી જાણીતા થયા . જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબૂના સારા મિત્ર બની ગયા .


29 માર્ચ, 1942ના દિવસે , સુભાષબાબૂ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા પણ એમણે સુભાષબાબૂને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું .


8 માર્ચ, 1943 ના દિવસ , જર્મનીના કીલ બંદરમાં ,તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે , એક જર્મન પનદુબ્બીમાં બેસીને , પૂર્વ આશિયાની તરફ નીકળી ગયા . આ જર્મન પનદુબ્બી એમને હિંદી મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી . ત્યાં તેઓ બંને ખૂઁખાર સમુદ્રમાં તરીને જાપાની પનદુબ્બી સુધી પહુંચી ગયા . દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં ,કોઈ પણ બે દેશની નૌસેનાઓની પનદુબ્બીયોં દ્વારા , નાગરિક લોકોની આ એકમાત્ર અદલા બદલી થઇ હતી .આ જાપાની પનદુબ્બી ઉન્હે ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી .

પૂર્વ એશિયા પહોચીને સુભાષબાબૂએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુમ્ભાડ્યું . સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબૂને સોપી દીધું .

જાપાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ , નેતાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને , એમને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું 


21 ઓક્ટોબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારતની અંતિમ સરકાર)ની સ્થાપના કરી . તેઓ ખુદ આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા . આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા દીધી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા . નેતાજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમણે આઝાદ હિંદ ફોજમાં મહિલા રેજિમૅન્ટ રચેલી, જેનું સુકાન કૅપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપ્યું હતું.

તેને રાણી ઝાંસી રેજિમૅન્ટ નામ અપાયું હતું.


પૂર્વ એશિયામાં નેતાજીએ અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના આવાહનમાં સંદેશ દીધો "તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ )"


દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ " ચલો દિલ્લી "નો નારો દીધો 

બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા 

6 જુલાઈ, 1944ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રીતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બોલાવ્યા


નેતાજીનો અંતિમ પ્રવાસ: દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. 23મી ઓગષ્ટ 1945ના દિવસે જાપાનની 'દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, 18મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.


બહુ જ જૂજ સાધન સાથે તૈયાર થયેલી આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ સરકાર, આઝાદ હિંદ રેડિયો અને રાણી ઝાંસી રૅજિમેન્ટ નેતાજીની વિશેષ સિદ્ધિ રહી.

જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો.

સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે ભગવદ ગીતા બ્રિટિશરો સામેના સંઘર્ષ માટે પ્રેરણારૂપ એક મહાન સાધન છે. સ્વામી વિવેકાનંદની સાર્વત્રિકતા વિશેના ઉપદેશો, તેમના રાષ્ટ્રવાદી વિચારો અને સમાજસેવા અને સુધારણા પરના તેના ભારથી બધાએ સુભાષચંદ્ર બોઝને ખૂબ જ નાનાપણથી પ્રેરણા આપી હતી.

સન્માન

 નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ પૂર્વે 2021 માં ભારત સરકાર દ્વારા 23 જાન્યુઆરીએ ભારતમાં પરાક્રમ દીવસ (Bravery Day) ઉજવવાની રજૂઆત કરવામાં આવી છે. 


ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા સુભાષચંદ્ર બોઝના સન્માનમાં 1964, 1993, 1997, 2001, 2016 અને 2018 ના ટપાલ ટિકિટ બહાર પાદવામા આવી હતી.



કોલકાતામાં આવેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે.


અગાઉ રોસ આઇલેન્ડ તરીકે જાણીતા ટાપુનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ રાખવામાં આવ્યું છે.


23 ઓગસ્ટ 2007 ના રોજ જાપાનના વડા પ્રધાન, શિન્ઝે આબેએ કોલકાતામાં સુભાષચંદ્ર બોઝ મેમોરિયલ હોલની મુલાકાત લીધી. 


આબેએ બોઝના પરિવારને કહ્યું, "બોઝની મજબુત ઇચ્છાથી જાપાનીઝ લોકો બ્રિટિશ શાસનથી ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ દોરી ગયા છે.  

જાપાનમાં નેતાજીનું  નામ ખૂબ જ આદરણીય છે.


સુભાષચંદ્ર બોઝ્ના જીવન આધારિત બનેલ ફિલ્મ

સુભાષચંદ્ર એ 1966 ની જીવનચરિત્રિક બંગાળી ફિલ્મ છે, જેનું નિર્દેશન પીજુષ બાસુએ કર્યું છે. 

2004 માં, શ્યામ બેનેગલે આત્મકથાત્મક ફિલ્મ Netaji Subhas Chandra Bose: The Forgotten Hero, જાપાનના કબજા હેઠળના એશિયા (1943-1456) ના નાઝી જર્મની (1941-1453) માં તેમના જીવનનું ચિત્રણ  અને આઝાદ હિંદ ફૌજની રચનાનું  નિર્દેશન કર્યું છે.  BFI London Film Festivalમાં આ ફિલ્મની ટીકાત્મક પ્રશંસા મળી, અને તે વર્ષે રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, અને તે વર્ષના શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવ્યો. 



મહાનાયક, 2005 માં મરાઠી લેખક વિશ્વાસ પાટિલ દ્વારા લખેલી સુભાષચંદ્ર બોઝના જીવન પર મરાઠી ઐતિહાસિક નવલકથા પ્રકાશિત થઈ.

2011 માં પ્રકાશિત સુગાતા બોઝ દ્વારા લખાયેલ સુભાષચંદ્ર બોઝનું જીવનચરિત્ર His Majesty's Opponent

2017 માં, એ.એલ.ટી.બાલાજી અને બી.આઇ.જી. સિનર્જી મીડિયાએ 9-એપિસોડની વેબ સિરીઝ, બોઝ: ડેડ / એલાઇવ રજૂ કરી, જે એકતા કપૂર દ્વારા રચિત, અનુજ ધર દ્વારા લખાયેલ પુસ્તક ઇન્ડિયાઝ બિગસ્ટ કવર-અપ(India's Biggest Cover-up)નું પુસ્તકનું નાટકીય સંસ્કરણ હતું, જેમાં અભિનેતા રાજકુમાર રાવ અભિનિત હતા. સુભાષચંદ્ર બોઝ અને અન્ના એડોર તરીકે એમિલિ શેન્કલ. શ્રેણીના તેના કાવતરા, પ્રદર્શન અને પ્રોડક્શન ડિઝાઇન માટે બંને પ્રેક્ષકો અને વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. 


જાન્યુઆરી 2019 માં ઝી બાંગ્લાએ દૈનિક ટેલિવિઝન શ્રેણી નેતાજીનું પ્રસારણ શરૂ કર્યું.


ગુમનામી એ શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત 2019 ની ભારતીય બંગાળી રહસ્ય ફિલ્મ છે, જે મુખરજી કમિશન હિયરિંગ્સના આધારે નેતાજીના મૃત્યુ રહસ્ય સાથે સંબંધિત છે.




દેશના સાચા હીરોને તેમની જન્મજયંતિ એ મારા સો સો સલામ


गुरु गोविंदसिंह जयंती

 गुरु गोविंदसिंह जयंती


गुरु गोविंद सिंहजी का जन्म 5 जनवरी 1666 (विक्रम संवत के अनुसार 1723 पौष  शुक्ल  सप्तमी) को पटना साहिब में हुआ था (जन्म तिथि 22 दिसंबर को भी कई स्थानों पर पाई जाती है)


सिख समुदाय के लोग विक्रम संवत के अनुसार जयंती मनाते हैं।


उनके पिता का नाम गुरु तेगबहादुर सिंह और माता का नाम गुजरी था। 

उनके पिता सिखों के 9 वें गुरु थे। 

गुरु गोविंद सिंहजी के बचपन में उन्हें गोविंद राय के नाम से जाना जाता था।


गुरु गोविंद सिंह की जयंती को सिख समुदाय द्वारा प्रकाश पर्व के रूप में मनाया जाता है।

 इस दिन गुरुद्वारों में रोशनी की जाती है। लोग अरदास, भजन, कीर्तन के साथ पूजा करते हैं। सुबह में शहर के लिए एक सुबह की नौका है। लंगर की भी योजना है।

परिवार के लड़के प्यार से गोविंदा को गोविंदा कहते थे। गुरु गोबिंद सिंह ने अपना बचपन पटना में बिताया। वहां वह बचपन में बच्चों के साथ तीर-लड़ाई, कृत्रिम युद्ध जैसे खेल खेल रहे थे। इस वजह से बच्चे उन्हें एक प्रमुख के रूप में स्वीकार करने लगे। उन्हें हिंदी, संस्कृत, फारसी, पुल आदि भाषाओं का जबरदस्त ज्ञान था।

उन्होंने 1699 में वैशाखी के दिन खालसा पंथ की स्थापना की और हर सिख को किरपान या श्रीसाहिब पहनना अनिवार्य कर दिया।

उसी समय, गुरु गोबिंद सिंह जीए ने खालसा की आवाज दी। जो वाहेगुरुजी की खालसा वाहेगुरुजी की फतेह है। अपने धर्म की रक्षा के लिए मुगलों से लड़ते हुए, उन्होंने अपने पूरे परिवार का बलिदान कर दिया और अपने दो बेटों, बाबा अजीत सिंह और बाबा जुजर सिंह के साथ चामकौर की लड़ाई में शहीद हो गए।

नवंबर 1675 में, औरंगजेब ने गुरु तेग बहादुर को शहीद कर दिया, फिर नौ साल की छोटी उम्र में अपने पिता की गद्दी संभाली।

गुरु गोबिंद सिंहजी एक बहुत ही निडर और बहादुर योद्धा थे। उनकी बहादुरी के बारे में लिखा गया है कि,

गुरु गोविंद सिंहजी ने खालसा को आवाज दी। जिसे "वाहेगुरु जी की खालसा, वाहेगुरु जी की फतेह" कहा जाता है।

 गुरु गोबिंद सिंह ने जीवन जीने के लिए पांच सिद्धांत भी बताए जिन्हें 'पांच ककार' कहा जाता है. पांच ककार में ये पांच चीजें आती हैं जिन्हें खालसा सिख धारण करते हैं. ये हैं- 'केश', 'कड़ा', 'कृपाण', 'कंघा' और 'कच्छा'. इन पांचो के बिना खालसा वेश पूर्ण नहीं माना जाता है.

उसने अपने धर्म की रक्षा के लिए मुगलों से लड़ते हुए अपने पूरे परिवार का बलिदान कर दिया। उनके दो बेटे बाबा अजीत सिंह और बाबा जुझार सिंह चामकौर की लड़ाई में शहीद हो गए। उसी समय, सरहिंद के नवाब द्वारा दो अन्य पुत्रों, बाबा जोरावर सिंह और फतेह सिंह को जीवित दीवारों में बांध दिया गया।

खालसा पंथ की स्थापना वर्ष 1699 में सिख गुरु गोबिंद सिंह जीए ने की थी। इसे सिखों के इतिहास की सबसे महत्वपूर्ण घटना माना जाता है। यह गुरु गोबिंद सिंह थे जिन्होंने गुरु परंपरा को समाप्त किया और सिख लोगों के गुरु ग्रंथ साहिब की घोषणा की।

खालसा पंथ की स्थापना-

सिखों के दसवें गुरु गुरु गोविंद सिंह ने ही साल 1699 में बैसाखी के दिन खालसा पंथ की स्थापना की थी

कहा जाता है कि एक दिन जब सभी लोग इकट्ठा हुए, तो गुरु गोविंद सिंह ने कुछ मांग की, ताकि वहां सन्नाटा हो। सभा में उपस्थित लोगों ने गुरु गोबिंद सिंह के सिर की मांग की। गुरु गोबिंद सिंह ने कहा कि वह एक सिर चाहते थे।

जिसके बाद एक के बाद एक पांच लोग खड़े हो गए और कहा कि सिर मौजूद है। इसलिए जैसे ही हम तम्बू के अंदर गए, वहाँ से खून बहने लगा। यह देखकर बाकी लोग बेचैन हो गए।

जब गुरु गोबिंद सिंह आखिरकार अकेले तंबू के अंदर गए और वापस लौटे, तो लोग चकित रह गए। पांचों युवक उनके साथ थे, नए कपड़े और पगड़ी पहने हुए थे। गुरु गोविंद सिंह उनकी परीक्षा ले रहे थे। गुरु गोविंद ने 5 युवाओं को अपने पंच प्यारे बुलाया और घोषणा की कि अब से हर सिख कडू, कृपाल, कच्छो, बाल और कंघी पहनेंगे। यहाँ से खालसा पंथ की स्थापना हुई। खालसा का अर्थ है शुद्ध।

उन्होंने खालसा वाणी - "वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतह" भी दी.


गुरु गोविंद के 5 प्रेरणादायक विचार -

वादा या रखना - यदि आपने किसी से वादा किया है, तो उसे हर कीमत पर रखा जाना चाहिए

निन्दा, निंदा और ईर्ष्या - हमें किसी से भी गपशप या चुगली करने से बचना चाहिए और ईर्ष्या करने के बजाय मेहनत करने से हमें फायदा होता है।

गरीब मत बनो - कड़ी मेहनत करो और लापरवाही मत करो।

गुरुबानी कंठ करणी - गुरुबानी याद रखें

तीथिंग - अपनी कमाई का दसवां हिस्सा दान करें।

देश, धर्म और संस्कृति का बचाव करते हुए, काज ने नौ साल की उम्र में अपने पिता और नौ साल की उम्र में अपने चार बेटों की बलि दे दी। इसीलिए पूरे परिवार को दानी कहा जाता है।

गुरु गोबिंद सिंहजी ने धर्म की रक्षा के लिए अपने पूरे परिवार का बलिदान कर दिया। उसके दो बेटों को जिंदा दीवारों में बांध दिया गया। 

अक्टूबर 1708 में उनकी मृत्यु हो गई। तब से, गुरु ग्रंथ साहिब सिखों के स्थायी गुरु बन गए हैं।