મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 April, 2022

મહાદેવી વર્મા

 મહાદેવી વર્મા

(આધુનિક યુગના મીરા, હિન્દી ભાષાના સારા કવિયિત્રી)




જન્મતારીખ: 26 માર્ચ 1907

જન્મસ્થળ: ઉત્તર પ્રદેશ

પિતાનું નામ: ગોવિંદપ્રસાદ વર્મા

માતાનું નામ: હેમરાની દેવી

અવશાન: 11 સપ્ટેમ્બર 1987

મહાદેવી વર્મા  હિંદીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે. તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. 

સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી અને મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે. 

આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને “હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ" પણ કહ્યું છે.




એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી. એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા.

પોતાના જીવનની શરૂઆત  અધ્યાપનથી  કરી  અંત સુધી  પ્રયાગ મહિલા વિદ્યાપીઠના  પ્રધાનાચાર્ય બની રહ્યા. બાળવિવાહ થયેલા પરંતુ  અવિવાહિત જીવન જીવ્યા. તેઓ ગદ્યમાં પણ લખતા. વળી સંગીત અને ચિત્રમાં પણ કુશળ હતા. તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્ય ગીત, દીપશીખા, યામા, સપ્તપૂર્ણા, અતીત કે  ચલચિત્ર ઝડપી સ્મૃતિ કી રેખાયે, સ્મારિકા, દ્રષ્ટિબોધ, નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવાં પુસ્તકો લખ્યાં છે. નૈનિતાલથી ૨૫ કિ.મી. દૂર રામગઢના ઉમાગઢમાં તેમણે એક બંગલો બનાવ્યો હતો, જે આજે મહાદેવી  સાહિત્ય સંગ્રહાલય  તરીકે ઓળખાય છે. ત્યાં રહીને તેમણે   સ્ત્રી જાગૃતિ,સ્ત્રી શિક્ષણ અને આથક નિર્ભરતા માટ ે કામ કર્યુ હતું. હિન્દી સાહિત્યમાં અનોખા યોગદાન પછી મહાદેવી  વર્માનું  મૃત્યુ ૧૯૮૭મા અલ્હાબાદમાં થયું હતું.

ગાંધીજીનો તેમના પર ખૂબ પ્રભાવ હતો. ગાંધીજીએ જ તેમને સ્ત્રી  શિક્ષણ માટે કામ કરવા પ્રેરિત  કર્યા.  ગાંધીજીને હિન્દીમાં જ વાત કરતા જોઇને મહાદેવીએ કારણ પૂછાતા બાપુએ કહેલું કે  હિન્દી ભાષા જ ભારતના આત્માને  સહજ રીતે વ્યક્ત કરી શકે છે. ત્યારથી મહાદેવીએ હિન્દીને પોતાના જીવનનો આધાર બનાવ્યો. 

૧૯૩૬માં તેઓને 'નીરજા' માટે સેકસરિયા પુરસ્કાર, ૧૯૪૦માં 'યામા' માટે મંગલાપ્રસાદ પારિતોષિક, ૧૯૮૨માં 'માયા' અને 'દીપશિખા' માટે સાહિત્યનો જ્ઞાાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત  થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના  સભ્ય  હોવા  ઉપરાંત  પદ્મભૂષણ, ડી. લિટ્ટ અને જ્ઞાાનપીઠ પુરસ્કાર  મહાદેવી વર્માને  મળેલાં સન્માનો  છે. ભારત સરકારે તેમને ૧૯૫૬માં પદ્મવિભૂષણની ઉપાધિથી  નવાજ્યા


  • ૧૯૫૬: પદ્મભૂષણ પુરસ્કાર.
  • ૧૯૭૯: સાહિત્ય અકાદમી ફેલોશીપ.
  • ૧૯૮૨: જ્ઞાનપીઠ પુરસ્કાર, તેમની કાવ્ય સંગ્રહ યમ માટે.
  • ૧૯૮૮: પદ્મવિભૂષણ.
  • ૨૮ એપ્રિલ ૨૦૧૮: મહાદેવી વર્મા ભારતીય ગુગલ ડુડલ પર દર્શાવાયા


'મેરી આહે  સોતી હૈ ઈન ઔઠો કી સૌટો મેં, મેરા સર્વસ્વ છીપા હૈ ઈન દીવાની ચૌટો મેં''- 

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work