મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

30 July, 2021

ડૉ. જીવરાજ મહેતા

 ડૉ. જીવરાજ મહેતા

(ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)



જન્મતારીખ: 29 ઓગસ્ટ 1887

જન્મસ્થળ: અમરેલી, ગુજરાત

પિતાનું નામ: નારાયણ મહેતા

માતાનું નામ: જનકાબા

અવશાન: 7 નવેમ્બર 1978 (મુંબઇ)


જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિવસે અમરેલી ખાતે થયો હતો. 

તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું.

 આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો.

 ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. 

ઈ. સ. ૧૯૦૩ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 

મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. 

એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા અને આઠમું ઇનામ પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.

લંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. 



તેમણે ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા એવા હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યા હતા.


ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. 


ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા.


ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 


ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો. 


ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા.


4 સપ્ટેમ્બર 1948ના રોજ તેઓ વડોદરા સ્ટેટના દિવાન બન્યા હતા.


 ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા.


 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી


ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.


ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 

તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર રહ્યા હતા.


ત્રિભોવનદાસ મહેતાને તેઓએ ગુજરાત બોલાવીને સ્ટેટ કો-ઓપરેટીવ ફેડરેશનના ચેરમેન બનાવ્યા જેને આજે લોકો અમુલ તરીકે ઓળખે છે. 

તેઓના શાસનકાળ દરમિયાન જ GSFCની સ્થાપના થઇ. સ્વભાવે ધીરગંભીર જીવરાજ મહેતાએ અગાઉ જણાવ્યું તેમ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર તરીકે પ્રશંસાપાત્ર કામ કર્યું. 

મુખ્યમંત્રી બન્યા પહેલા પણ તેઓએ મુંબઈ ખાતે મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. 


વડોદરા શહેરનું નવું ટાઉન પ્લાનિંગ પણ તેઓએ કરેલું. 


ગુજરાતમાં નવજાત શિશુઓ માટેની જાણીતી દવા બાબુલિન પણ તેમણે જ બનાવેલી હતી. 

૯૧ વર્ષની વયે ૭ નવેમ્બર ૧૯૭૮ ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું હતું.



અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. 



ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં "ડૉ.જીવરાજ મહેતા ભવન" રાખવામાં આવ્યું છે. 


અમદાવાદને પુર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજનું નામ જીવરાજ મહેતા બ્રિજ છે.

ઇ.સ. ૨૦૧૫થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઇ છે

29 July, 2021

ઇન્દુલાલ યાજ્ઞિક

 ઇન્દુલાલ યાજ્ઞિક

(મહાગુજરાત આંદોલનના સેનાની)



જન્મતારીખ: 22 ફેબ્રુઆરી 1892

જન્મસ્થળ; નડીયાદ, ગુજરાત

પિતાનું નામ: કનૈયાલાલ

અવશાન: 17 જુલાઇ 1972 (અમદાવાદ)

ઉપનામ: ઇન્દુચાચા, પામદત્ત

 ઈન્દુ ચાચા દેશના એવા પહેલા નેતા હતા જેઓએ ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતા બિન કોંગ્રેસવાદને સૌથી પહેલી હાકલ કરી હતી. ગુજરાતના તેઓ એક માત્ર એવા નેતા હતા કે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી.  પક્ષ, સંસ્થા અને સંગઠનમાં સમાઈ ન શકે તેવા ઈન્દુલાલ યાજ્ઞિકને એક જનનેતા તરીકે જાણવાનો.

 ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, 'પામદત્ત', (ઈન્દુચાચા) એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર, રાજકારણી, લેખક,સંપાદક અને ચલચિત્ર નિર્માતા હતા. 

તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. 

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. 

તેઓ ૧૯૦૬માં મેટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. 

તેમણે ૧૯૧૩થી ૧૯૧પ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન 'હિંદુસ્તાન' દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.

તેમણે મુંબઈમાં "યંગ ઇન્ડિયા" તથા "નવજીવન" અને ત્યાર પછી વર્ષ ૧૯૧૯માં ગાંધીજી ને સોંપી દીધું હતું.



૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. 

'નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં 'યુગધર્મ'ની શરૂઆત પણ કરી હતી. 

દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. 'પાવાગઢનું પતન' ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.

બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. 

૧૯૩૦થી ૧૯૩પ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 



૯૪૨માં 'નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા હતા.


બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. 

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. 

રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઈન્દુલાલ યાજ્ઞિક હતા.

ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા. 

તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. 

2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી

૧૭ જુલાઈ, ૧૯૭રએ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું 

નહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા બગીચામાં તેમની પ્રતિમા મુકવામાં આવેલ છે.



તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યા હતા તેઓની આત્મકથા ૬ ભાગમાં વહેંચાયેલી છે જેનો છ્ઠ્ઠો ભાગ ધનવંત ઓઝા એ પૂરો કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા લખાયેલા પુસ્તકો ::-

  • 📗સત્યાગ્રહ નિષ્ફળ અને નકામો શસ્ત્ર
  • 📗શહીદ નો સંદેશ
  • 📗બંગભંગ
  • 📗કિસાન કથા
  • 📗ગામડાનું સ્વરાજ્ય
  • નાટકોઃ – આશા-નિરાશા(૧૯૩૨), રણસંગ્રામ(૧૯૩૮), શોભારામનીસરધરી(૧૯૩૮)

     અક્કલના દુશ્મન(૧૯૫૪), ભોળા શેઠનું ભૂદાન(૧૯૫૪),

    પ્રણયકથાઃ – માયા(૧૯૬૫)

    અન્યગ્રંથોઃ – મહાત્મા ગાંધીજીનાં સહવાસમાં(૧૯૩૩-૩૪),

     સત્યાગ્રહ નિષ્ફળ અને નકામું શસ્ત્ર(૧૯૬૩), ચરોદાઆશ્રમ(૧૯૫૨)

    વાર્તાઃ – કુમારનાં સ્ત્રીરત્નો(૧૯૨૬)

    પરિચય પુસ્તકોઃ –  શહીદનો સંદેશ(૧૯૩૬), નાગપુરા મહાસભા(૧૯૨૧), ગામડાનું સ્વરાજ(૧૯૩૩), કિસાનનું જાહેરનામું (૧૯૩૭), સ્વદેશી શામાટે?

ઇન્દુલાલ યાજ્ઞિકને મળેલા પુરસ્કારો

🏆 ૧૯૫૪ મા નર્મદ સુવર્ણ ચંદ્રક નર્મદ સહિતા સભા સુરત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

🏆 ભારતીય ટપાલ દ્વારા તેમના સન્માનમાં વર્ષ ૧૯૯૯માં સ્વતંત્ર સેનાનીઓ અને સમાજસુધારક શ્રેણી અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી


પદ લાલસાથી પર એવા રાજનેતા, જનનેતામાં ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ મુકવું જ પડે. મહાગુજરાત આંદોલનના મહાનાયક તરીકે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પહોંચી શકે તેમ હતા. પરંતુ તેમને પદમાં નહીં.. પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઈન્દુચાચાનું ગુજરાતની જનતા પર ઘણું મોટું ઋણ છે.




28 July, 2021

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

 

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

29 જુલાઇ

 વિશ્વભરમાં દર વર્ષે 29 જુલાઇના દિવસે ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

 હાલમાં વાઘ એ લુપ્ત થતી પ્રજાતી છે. 

આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. 

સૌથી પેહલાં 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાામાં આવે છે.



2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું, આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતમાં વાઘની સંખ્યા 1706 હતી.

વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 5574 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે.


વાઘ વિશેની જાણવા જેવી બાબતો....
 વાઘ એ  બિલાડી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. 

 ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.

વાઘ  પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળે છે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.

માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.

વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.

 એક ટાઈગરની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.

વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.

એક વાઘ 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000માંથી કોઈ એકને છે.

 વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે.

એક વાઘ 18 hz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.

નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigong કહેવાય છે અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે

 તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘના કાનની પાછળ સફેદ રંગના દાઘ હોય છે

વાઘ માત્ર માંસ ખાય છે. તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે.

 વાઘની અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા 6 ઘણી વધારે હોય છે. 

તે હંમેશા ગરદનના પાછળના ભાગમાં જ વાર કરે છે

વાઘ 65 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે અને સળંગ 6 કિમી સુધી તરી પણ શકે છે.

વાઘ, 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

 વાઘના શરીરનો દરેક ભાગ, મૂંછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે.

મોટા ભાગના જીવોની જેમ, વાઘ માં પણ માદા અને નર ના કદમાં થોડો તફાવત છે. નર વાઘની લંબાઈ 8 ફુટથી 13 ફુટ સુધીની હોય છે, અને જો આપણે માદા વાઘ ની ​​લંબાઈ વિશે વાત કરીએ તો તે 6 ફૂટથી 9 ફૂટ સુધીની છે. અને કેટલીકવાર માદા પણ ખૂબ મોટી હોય છે.

નર વાઘનું વજન લગભગ 90 કિલોથી 300 કિગ્રા જેટલું હોય છે, જ્યારે સ્ત્રી વાઘ નું વજન લગભગ 70 કિલોથી 170 કિગ્રા જેટલું હોય છે. ભારતના બંગાળ વાઘની વાત અલગ છે કારણ કે તેનું વજન વિશ્વમાં હાજર તમામ વાઘ માં સૌથી વજનદાર છે. બંગાળના વાળનું વજન આશરે 350 કિલો સુધી હોય શકે છે.

વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.





વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 3167 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 5574 વાઘ જ બચ્યા છે. 

ભારતમાં દર 4 વર્ષે વાઘોની ગણતરી કરવામાં આવે છે, વર્ષ 2018માં કરવામાં આવેલ ગણતરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ છે.

સૌપ્રથમ વખત વાઘોની વસતિ ગણતરી 2006માં કરવામાં આવી હતી.

 વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ. 

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. ગત વર્ષની વાઘ ગણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી. 

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. મધ્યપ્રદેશમાં 785 વાઘ, કર્ણાટકમાં 563 વાઘ, ઉત્તરાખંડમાં 560 વાઘ, મહારાષ્ટ્રમાં 444 વાઘ, તમિલનાડુમાં 306 વાઘ, અસમમાં 227 વાઘ, કેરળમાં 213 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 205 છે. 

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે, ત્યારે આજે આપણે જાણીશું કે, શા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીઓનું દરજ્જો મળ્યો ? 


વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ આપણે જાણીએ છીએ પરંતુ એ જાણીએ કે શા માટે ? કદાચ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે વાઘ પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.

1972 સુધી ‘સિંહ’ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
વર્ષ 1970 બાદ વાઘની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં માત્ર 1800 જેટલા જ વાઘ બચ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ખાસ મિશન હેઠળ સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું.

9 જુલાઇ 1969ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ વાઘને સ્વીકાર્યો હતો. વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ્લાઇફ દ્વારા કરવામાં આવ્યું હતુ, ત્યારથી લઈને આજ સુધી વાઘને અતિ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસ્થાન છે, આથી જ તેને વાઘ પ્રદેશ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

વાઘ એ માંજર(બિલાડી) કુળનું સૌથી મોટું, વિશાળ અને ઉમદા સ્વભાવનું પ્રાણી છે તે  શક્તિ, શૌર્ય અને ચતુરાઈનું પ્રતીક છે. 

પ્રાચીન સમયથી પ્રજાના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જે આદ્યશક્તિનાં વાહન તરીકે પૂજનીય છે

વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. હાલ વાઘની હયાત પ્રજાતિઓમાં સાઈબેરિયન ટાઈગર, બંગાલ ટાઈગર, ચાઈનીઝ ટાઈગર, મલાયન ટાઈગર અને સુમાત્રન ટાઈગર છે. જ્યારે બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર અને જાવા ટાઈગરની પ્રજાતિ વિલુપ્ત થઈ છે


વિશ્વમાં ભારત સૌથી વધુ માનવ વસતી સાથે સૌથી વધુ જંગલી વાઘની વસતી ધરાવે છે. સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જેને ઇન્દીરા ગાંધીદ્વારા શરૂ કરવામાં આવ્યો
 હતો. જેની શરુઆત સૌથી વધુ વાધ વસતિ ધારાવતા નેશનલ પાર્ક જીમ કાર્બેટથી થઇ હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ બીજા 8 નેશનલ પાર્કમાં વિસ્તારી દેવાયો હતો.

1973માં ભારતમાં ફક્ત 9 ટાઇગર રીઝર્વ હતા જે હાલમાં 50 છે.

ઉત્તરાખંડના ટાઇગર રીઝર્વ જીમ કાર્બેટમાં સૌથી વધુ 231 વાઘ છે.

હાલમાં 12 ટાઇગર રેંજ ભારતમાં છે.

ભારતમાં જેટલા વાઘ છે તેમાથી 80 ટકા જેટલા વાઘ બંગાળ ટાઇગર છે.

ભારતીય રીઝર્વ બેંકના લોગોમાં વાઘને દર્શાવવમાં આવેલ છે આ ઉપરાંત જુની 2 રુપિયાની ચલણી નોટના પાછળના ભાગે વાઘનું ચિત્ર મુકવામાં આવ્યું હતું. જે પરોક્ષ રીતે વાઘનું સંરક્ષણ કરવાનું દર્શાવતું હતું.


વાઘની વસતિ ગણતરી અને તેની સંખ્યા

2006માં 1411 વાઘ ભારતમાં હતા.
2010માં 1706 વાઘ ભારતમાં હતા.
2014માં 2226 વાઘ ભારતમાં હતા.
2018માં 2967 વાઘ ભારતમાં હતા.



Save The Tiger
Save Nature
Save Wild Animal


સંદર્ભ: દિવ્ય ભાસ્કર ઇ-પેપર 

ક્રાંતિકારી દંપતિ ભગવતીચરણ વહોરા અને દુર્ગાભાભી

 ક્રાંતિકારી દંપતિ

 ભગવતીચરણ વહોરા અને દુર્ગાભાભી



દેશની નવી પેઢી ભાગ્યે જ જાણે છે કે ભગવતીચરણ વ્હોરા એ ભારતીય ક્રાંતિકારી આંદોલનનો એક અનોખો નક્ષત્ર હતા જેમના ગૌરવપૂર્ણ આત્મ-બલિદાનની આભામાં, શહીદ-એ-આઝમ ભગતસિંહે તેમના બલિદાનને નજીવું માન્યું હતું.

ભગવતીચરણ વોહરા અને દુર્ગાદેવી (ક્રાંતિકારીઓ તેમને દુર્ગા ભાભી કહેતા હતા) ક્રાંતિકારી ઇતિહાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે સંસ્થાની વ્યૂહરચનાની યોજનાનું કામ હોય, પત્રિકાઓ લખવાનું કામ હોય, ભંડોળ ઉભું કરવાનું કામ હોય, માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ હોય કે બોમ્બ બનાવવાનું કામ, આ દંપતીએ  ક્રાંતિકારીઓના દરેક કામમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ભગવતીચરણ વોહરાની વિશિષ્ટતા એ પણ છે કે ચળવળના લેખક, વિચારક, આયોજક, સિદ્ધાંતવાદી અને પ્રચારક હોવા છતાં  કાકોરીથી લાહોર સુધીની અનેક ક્રાંતિકારી ક્રિયાઓનો આરોપ હોવા છતાં, તે ક્યારેય પોલીસ તેમની ધરપકડ કરી શકી ન હતી અને કોઈ અદાલતે તેમને સુનાવણી આપી ન હતી. .


આ દંપતીની ઉંમરમાં લગભગ  વર્ષનો તફાવત હતો. ભગવતી ચરણ વોહરાનો જન્મ 15 નવેમ્બર 1903 માં થયો હતો. દુર્ગાદેવીનો જન્મ 7 ઓક્ટોબર 1907 માં થયો હતો.

ભગવતીચરણ વોહરાનો જન્મ લાહોરમાં થયો હતો જ્યારે દુર્ગાવતીનો જન્મ અલ્હાબાદના કૌશામ્બી જિલ્લાના શહાજાદપુર નામના ગામમાં થયો હતો.

ભગવતીચરણના પિતા શિવચરણ વ્હોરા રેલવેના વરિષ્ઠ અધિકારી હતા જે બાદમાં  આગ્રાથી લાહોર ગયા હતા જ્યારે દુર્ગાવતી દેવીના પિતા પંડીત બાંકે બિહાતી અલ્હાબાદની કલેક્ટર કચેરીના નજીર હતા.

 ભગવતી ચરણનું શિક્ષણ લાહોરમાં થયું. તેમણે નાની ઉંમરે લગ્ન કર્યા હતા. તેની પત્નીનું નામ દુર્ગાવતી દેવી હતું. 

ભગવતીચરણ વોહરા અને દુર્ગાદેવીનાં લગ્ન થયાં તે સમયે, વોહરાની ઉંમર 14 વર્ષ અને દુર્ગાદેવીની ઉંમર 11 વર્ષ હતી.

પછીના સમયગાળામાં, તેમની પત્ની પણ ક્રાંતિકારી કાર્યની સક્રિય સહયોગી બની. ક્રાંતિકારીઓએ આપેલું "દુર્ગા ભાભી" સંબોધન એક સામાન્ય સરનામું બની ગયું.

લગ્ન પછી, દુર્ગાદેવીએ શિક્ષણ મેળવ્યું. ભગવતીચરણ વોહરાનો ટેકો અને મૈત્રીપૂર્ણ વાતાવરણ મળ્યા પછી એક સામાન્ય સ્ત્રીમાંથી તે ક્રાંતિકારી બન્યા. જેમ જયોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફુલેના લગ્ન જીવનનુ ઉદાહરણ ભારતીય સમાજમાં જોવા મળે,  આ દંપતી જે રીતે પરસ્પર વિશ્વાસ, સમાનતા અને સામાજિક કાર્યોમાં ભાગીદારી દ્વારા જીવતા હતા. જેમ જ્યોતિબાના સમર્થન અને શિક્ષણથી સાવિત્રીબાઈ ફુલેનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસ્યું, તેવી જ રીતે, બધાની સાથે બેસીને ખાવાનું ખાવામાં અચકાતા દુર્ગાવતીને એક તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ કર્યો. એક જે જોખમી કાર્યોને અસરકારક રીતે કરવા માટે સક્ષમ ન હતા  તે જીવન ક્રાંતિનો પર્યાય બની ગયા હતા.



सांडर्स वध के बाद भगतसिंह की पत्नी के रूप में अपनी व अपने तीन साल के बच्चे शची की जान दाव पर लगाकर जब लाहौर से कलकत्ता पहुंची। वहां सुशीला बहन और भगवतीचरण बोहरा स्टेशन पर उन्हें लेने आए। उस समय के भगवतीचरण बोहरा के शब्द उनके आपसी विश्वास व क्रांतिकारी कार्य के प्रति निष्ठा को बयान करते हैं। दुर्गा ने बताया है कि “मैं भगतसिंह को लेकर स्टेशन पर उतरी, तो वे भाव-विभोर हो उठे। मुझे वहीं प्लेटफॉर्म पर ही शाबाशी देने लग गए, पीठ थपथपा कर कहा, ‘मैं समझता हूँ कि हमारी तुम्हारी शादी तो सच पूछो आज हुई है, इसके पहले तो मेरा ख्याल था कि हमारे-तुम्हारे पिता की थैलियों में शादी हुई थी।’ 

લાહોર નેશનલ કોલેજમાં અભ્યાસ દરમિયાન, ભગવતી ચરણે રશિયન ક્રાંતિકારીઓની પ્રેરણા લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ જૂથની રચના કરી હતી. 

રાષ્ટ્રની સ્વતંત્રતા અને સ્વતંત્રતાના પ્રશ્ન પર કેન્દ્રિત આ અભ્યાસમાં નિયમિતપણે ભાગ લેનારા લોકોમાં ભગતસિંહ, સુખદેવ વગેરે મુખ્ય હતા. 

પાછળથી, આ લોકોએ નૌજવાન ભારત સભાની સ્થાપના કરી. 

તેમના અભ્યાસ દરમિયાન, 1921 માં, ભગવતી ચરણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને ગાંધીજીના કહેવાથી અસહકારની ચળવળમાં કૂદકો લગાવ્યો.


બાદમાં, જ્યારે આંદોલન પાછું આવ્યું, ત્યારે તેમણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. 

બી.એ.ની પરીક્ષા પાસ કરી તેમજ નૌજવાન ભારત સભાની રચના અને કાર્ય આગળ ધપાવ્યું. 

આ સભાના મહામંત્રી ભગતસિંહ હતા અને પ્રચાર (પ્રચાર) સચિવ ભગવતીચરણ હતા. 

એપ્રિલ 1928 માં નૌજવાન ભારત સભાનો ઘોષણાપત્ર પ્રકાશિત થયો.

 ભગવતી ચરણ વોહરા પાસે ભગતસિંહ અને અન્ય સાથીદારોની સલાહ સાથે ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ હતું. 

નૌજવાન ભારત સભાના ઉદભવમાં ભગવતી ચરણ અને ભગતસિંહનો મોટો હાથ હતો. 

ભગતસિંહ સિવાય તેઓ સંગઠનના મુખ્ય સિદ્ધાંતવાદી હતા. 

ક્રાંતિકારી વિચારક, આયોજક, વક્તા, પ્રચારક, તેમના માટે આદર્શ અને અજેય હિંમત અને હિંમત પ્રત્યેની વફાદારી અને પ્રતિબદ્ધતા, બધા ગુણો ભગવતી ચરણમાં હાજર હતા.

 ભગવતી ચરણ સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય પૂર્ણ કરવામાં મેળ ખાતું નહોતું. 1924 માં પ્રખ્યાત ક્રાંતિકારી શચિન્દ્રનાથ સન્યાલ દ્વારા "હિન્દુસ્તાન-ડેમોક્રેટિક યુનિયનનો મેનિફેસ્ટો - ધ રિવોલ્યુશનર" ને 1 જાન્યુઆરી, 1925 ના રોજ  વ્યાપક વિતરણની મુખ્ય જવાબદારી ભગવતી ચરણની હતી

 જેને તેમણે ખૂબ જ સારી રીતે સિધ્ધ કર્યું. 

પાછળથી તબક્કામાં સંસ્થાના સભ્યોમાં ભગવતી ચરણ અંગે સી.આઈ.ડી. માણસ હોવાનું અને તેનો પગાર મેળવ્યો હોવાની આશંકા ફેલાઇ હતી. 

તે સમયે સંસ્થામાં આવેલા લોકો તે હતા જેમને કામનું કોઈ જોખમ લેવાની જરૂર નહોતી. એટલા માટે જ તેઓ સમૃદ્ધ ભગવતી ચરણ પર બહુપરીમાણીય વ્યક્તિત્વનો આરોપ લગાવીને નેતૃત્વ હેઠળ આવવા માંગતા હતા. .


 તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પણ સમાપ્ત કરવા માગે છે. આવા લોકોનો હેતુ પણ હતો કે સંગઠનનું કાર્ય પરસ્પર ચર્ચા, વાદ-વિવાદ, પ્રચાર અને નાણાં એકત્રિત કરવાના કામ સુધી મર્યાદિત હોવું જોઈએ. 

ભગવતી ચરણ પર સીઆઈડીનો આરોપ લગાવનારામાં સજ્જન જયચંદ્ર વિદ્યાલંકર મુખ્ય હતા. તે દિવસોમાં તે નેશનલ કોલેજના શિક્ષક પણ હતા. 

આક્ષેપોને ધ્યાનમાં લીધા વિના, ભગવતી ચરણ ક્રાંતિકારી કાર્યને આગળ વધારવામાં રોકાયેલા હતા. 

તે કહેતો કે "સાચું કરવું એ તેમનું કામ છે. ખુલાસો આપવો અને નામ બનાવવું એ તેમનું કામ નથી."

તે દિવસોમાં, લાહોરમાં તેમની પાસે ત્રણ મકાનો, લાખોની સંપત્તિ અને હજારોની બેંક બેલેન્સ હતી, પરંતુ તેમણે વૈભવી જીવનને નકારીને સ્વતંત્રતાનો ક્રાંતિકારી માર્ગ પસંદ કર્યો. 

બાળ લગ્ન સામાન્ય રીતે એક શ્રાપ તરીકે આવે છે પરંતુ તેમના કિસ્સામાં તે એક અપવાદ હતા.

1918 માં જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમના માતાપિતાએ  11 વર્ષીય દુર્ગાવતી દેવી જેમણે અલાહાબાદમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો તેમની સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ દુર્ગાવતી એક ક્ષણ માટે પણ તેમના માર્ગમાં અવરોધ બની ન હતી. તેમના જીવનમાં, 'પ્રભાકર' સુધી અભ્યાસ કર્યા પછી, તે ક્રાંતિમાં ખભાથી ખભા મીલાવી ઉભા રહ્યા, જ્યારે એક પુત્રનો જન્મ થયો, ત્યારે તેનું નામ ક્રાંતિકારી શચિન્દ્રનાથ સન્યાલના  નામ પરથી "શચિન્દ્ર" પાડ્યું હતું.. વોહરાના અકાળ મૃત્યુ પછી  સાથીઓની મદદગાર અને સલાહકાર બની તે 'દુર્ગા ભાભી' બની ગયા.


 વોહરાની બે મોટી યોજનાઓ નિષ્ફળ ન થઈ હોત, તો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ જુદો હોત. આમાંની એક વાઇસરોય લોર્ડ ઇરવિને 23 ડિસેમ્બર, 1929 ના રોજ દિલ્હી-આગ્રા રેલ્વે લાઇન પર સ્પેશિયલ ટ્રેન ઉડાવી દેવાની  હતી, જેના માટે તે,ણે એક મહિના માટે ભારે તૈયારી કરી હતી.


તેમને ટ્રેનની નીચે બોમ્બ ધડાકા કરવામાં પણ સફળતા મળી. વિસ્ફોટથી ટ્રેનનો કુકિંગ અને લંચ ડબ્બો ખરાબ રીતે નુકસાન થયું હતું અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ વાઇસરોય બચી ગયો.


આ યોજના પછી મહાત્મા ગાંધીએ ભગવાનનો આભાર માનતાં, ‘યંગ ઈન્ડિયા’ માં 'બોમ્બની પૂજા' શીર્ષક હેઠળ લેખ લખીને ક્રાંતિકારીઓને રોક્યા હતા પણ તેના જવાબમાં, વ્હોરાએ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહની સલાહ સાથે 'બોમ્બના દર્શન' લેખ લખ્યો, જે સામાન્ય લોકોમાં ખૂબ પ્રખ્યાત બન્યો અને લાખો પ્રયાસો કર્યા પછી પણ પોલીસ તેનો મૂળ ક્યાં છે તે શોધી શક્યું નહીં.


28 મે, 1930 ના રોજ નિષ્ફળ થયેલી બીજી યોજના લાહોર ષડયંત્ર જેમા  ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને  ફાંસીની સજા મળી.

ખરેખર, યોજના એવી હતી કે  ત્રણેય ક્રાંતિકારીઓને લાહોર જેલમાંથી કોર્ટ તરફ  લઇ જતા જતા અચાનક દરોડા પાડીને બચાવવા પણ અંગ્રેજોના ચુસ્ત સુરક્ષા હેઠળ તેઓને લાવવામાં આવ્યા હોવાથી, આ દરોડા માટે પ્રમાણમાં સારી તકનીકીવાળા વધુ શક્તિશાળી બોમ્બની જરૂરિયાત અનુભવાઈ હતી. વોહરા બોમ્બ બનાવવામાં માસ્ટર હતા. અને તેમણે આ માટે લાહોરમાં કાશ્મીર બિલ્ડિંગના ભાડાના રૂમમાં આવા નવા બોમ્બ બનાવ્યા હતા. પરંતુ જરુરિયાત સમયે બોમ્બ વિસ્ફોટ ના થયો તો એવી શંકા દૂર કરવા માટે, તે ઇચ્છતા હતા કે ઓછામાં ઓછું એકવાર તેનું પરીક્ષણ કરવામાં આવે. આ પરીક્ષણ માટે તેમણે રાવિ કિનારો પસંદ કર્યો અને બોમ્બ પરિક્ષણ દરમિયાન બોમ્બ ફૂટી ગયો અને પોતાનો જીવ ગુમાવ્યો.

બોમ્બથી તેમના એક હાથની બધી આંગળીઓનો નાશ થયો હતો અને  બીજા હાથમાં કાંડાથી આગળનો બધો ભાગ ઉડી ગયો હતો, અને આંતરડા પેટના મોટા ઘામાંથી બહાર આવી ગયા હતા. મૃત્યુને થોડી ક્ષણોના અંતરે ઉભેલી જોઇને તે વિચલિત થયા નહીં અને તેમના સાથીઓને બે વિશેષ વાતો કહી.

પ્રથમ - ये नामुराद मौत दो दिन टल जाती तो इसका क्या बिगड़ जाता? તેનો અર્થ તે હતો કે  તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બચાવી શક્યા  હોત.  અને બીજું  એ કે अच्छा हुआ कि जो कुछ भी हुआ, मुझे हुआ. किसी और साथी को होता तो मैं भैया यानी ‘आजाद’ को क्या जवाब देता?

તેમના મૃત્યુ પછી 'આઝાદ'એ કહ્યું હતું કે તેમને લાગ્યું હતું કે તેમનો જમણો હાથ કાપવામાં આવ્યો છે અને પાછળથી' આઝાદ 'પણ હવે નહોતા ત્યારે ભગતસિંહના શબ્દો હતા, કે' ‘हमारे तुच्छ बलिदान उस श्रृंखला की कड़ी मात्र होंगे, जिसका सौंदर्य कॉमरेड भगवतीचरण वोहरा के दारुण पर गर्वीले आत्मत्याग और हमारे प्रिय योद्धा ‘आजाद’ की गरिमापूर्ण मृत्यु से निखर उठा है.’

ભગવતી ચરણ ઉપર લખનઉના કાકોરી કેસ, લાહોર કાવતરું કેસ અને પછી લાલા લજપતરાયની હત્યામાં સામેલ  ઇંગ્લિશ સાર્જન્ટ સૌન્ડર્સની હત્યામાં પણ  કરવામાં આવી હતી છતા પણ  તેઓ ક્રાંતિકારી કાર્ય કરવાથી પકડાયા ન હતા અને ક્યારેય પીછે હટ કરી ના હતી.


18 ડિસેમ્બર 1928 ના રોજ ભગતસિંહે લાહોરથી  દુર્ગાભાભી સાથે કલકત્તા-મેઇલમાં વેશ બદલીને યાત્રા કરી  કલકત્તા પહોચ્યાં હતા.


આમ હિન્દુસ્તાન પ્રજાસત્તાક સમાજવાદી પાર્ટીના સભ્ય અને ભગતસિંહની સાથી, એક અગ્રણી સિધ્ધાંતવાદક હોવા છતાં પ્ણ તેમની ધરપકડ થઇ શકી ન હતી અને ફાંસી પણ ના આપવામાં આવી હતી. બોમ્બ પરીક્ષણ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. 

આવા શહિદને કોટિ કોટિ વંદન

27 July, 2021

કલ્પના દત્ત

 કલ્પના દત્ત

(વીર મહિલા)



જન્મતારીખ: 27 જુલાઇ 1913

જન્મસ્થળ: શ્રીપુર, ચિત્તાગોંગ જિલ્લા, બંગાળ (બાંગ્લાદેશ)

પિતાનું નામ: વિનોદ બિહારી દત્ત

અવશાન: 8 ફેબ્રુઆરી 1995 (કલકત્તા)


ભારતીય સ્વતંત્રતા ચળવળમાં દરેક વર્ગ અને સમુદાયનું યોગદાન હતું. દેશની આઝાદીની લડતમાં દરેકએ તેમની પોતાની વિચારધારા પસંદ કરી જેનો તેમના પર સૌથી વધુ પ્રભાવ હતો. 

કેટલાક મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગને ધ્યાનમાં લેતા હતા, જ્યારે કેટલાક સુભાષચંદ્ર બોઝના માર્ગને યોગ્ય માનતા હતા. આઝાદીની લડત પહેલા, કોઈએ સામાજિક વાર્તાઓમાંથી મુક્તિના માર્ગને વધુ પ્રાધાન્ય આપ્યું.

ગુલામીની બેડીઓને તોડવા માટે, કેટલાકએ ક્રાંતિકારી માર્ગને અનુસરવાનું વધુ જરૂરી માન્યું. આ ક્રાંતિકારી માર્ગ પર, જ્યાં પુરુષ ક્રાંતિકારીઓએ બ્રિટિશરોનો હંંફાવતા હતા ત્યાં મહિલાઓ પણ તેમની સક્રિય ભાગીદારી લઈ રહી હતી. કલ્પના દત્ત પણ આ મહિલા ક્રાંતિકારીઓમાંની એક છે, જેમણે ભય અને હિંમતથી અંગ્રેજો સામે લડ્યા હતા. 

કલ્પના દત્ત એક  ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને સૂર્ય સેનની આગેવાની હેઠળ યોજાયેલી સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળના સભ્ય હતા, જેણે ૧૯૩૦ માં ચિત્તગોંગ (ચટગાંવ) શસ્ત્રાગાર પર દરોડો પાડ્યા હતા. 

કલ્પના દત્તનો જન્મ બંગાળ (બાંગ્લાદેશ) પ્રાંતના ચિત્તાગોંગ જિલ્લાના એક ગામ શ્રીપુર ખાતે થયો હતો.

ચિત્તાગોંગથી ઈ.સ. ૧૯૨૯ માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ કોલકાતા ગયા અને વિજ્ઞાનમાં સ્નાતકના અભ્યાસ માટે બેથુન કોલેજમાં જોડાયા. 

ટૂંક સમયમાં, તે છત્રિ સંગઠન નામના એક મહિલા વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા જે એક અર્ધ-ક્રાંતિકારી સંસ્થા હતી. તેમાં બીના દાસ અને પ્રીતિલતા વાડ્ડેદાર પણ સક્રિય સભ્ય હતા

મે ૧૯૩૧ માં તેઓ "માસ્ટર દા" સૂર્ય સેનની આગેવાની હેઠળ સશસ્ત્ર ક્રાંતિકારી જૂથ "ભારતીય રિપબ્લિકન આર્મી, ચટગ્રામ શાખા" માં જોડાયા

૧૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર દરોડા પાડવામાં આવ્યા હતા

જ્યારે ભારતીય રિપબ્લિકન આર્મીના સભ્યોએ "ચિત્તાગોંગ  શસ્ત્રાગાર લૂંટ" ચલાવ્યું, ત્યારે કલ્પના પર બ્રિટીશરોની દેખરેખ વધી ગઈ. તેણે પોતાનો અભ્યાસ છોડીને ગામ પરત આવવું પડ્યું હતું, પરંતુ તેમણે સંગઠન છોડ્યું ન હતું. આ દરમિયાન સંગઠનના ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સંગઠનના લોકોને મુક્ત કરવા માટે કલ્પના એ જેલની બોમ્બથી ઉડાવી દેવાની યોજના બનાવી હતી.

સપ્ટેમ્બર, ૧૯૩૧ માં સૂર્ય સેને તેને પ્રિતિલતા વાડ્ડેદારની સાથે ચિતાગોંગમાં યુરોપિયન ક્લબ પર હુમલો કરવાની જવાબદારી સોંપી. પરંતુ આ હુમલાના એક અઠવાડિયા પહેલા, તે વિસ્તારની જાસૂસી કાર્યવાહી કરતી વખતે તેણીની ધરપકડ કરવામાં આવી હતી.

જામીન પર છૂટ્યા બાદ તે ભૂગર્ભમાં ગયા હતા.

કલ્પનાએ પોતાનો વેશ બદલીને કલકત્તાથી વિસ્ફોટક સામગ્રી લઈ જવાનું શરૂ કર્યું અને સંગઠનના લોકોને શસ્ત્રો પહોંચાડવાનું શરૂ કર્યું. તે પુરુષના વેશમાં આ બધી બાબતો કરી રહી હતી. તેમણે સાથીઓને મુક્ત કરવાની યોજના બનાવી. આ માટે જેલ કોર્ટની દિવાલ બોમ્બથી ઉડાડવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ પોલીસને યોજના વિશે જાણકારી મળી. તે વેશમાં ફરતી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપો સાબિત થયા બાદ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. પોલીસ ઘરે રક્ષક હોવા છતા તે તેની આંખોમાં ધૂળ ફેંકી ભાગી ગઇ હતી.. સૂર્ય સેનની પોલીસે ધરપકડ કરી હતી અને 1933 માં કલ્પનાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૩ ના દિવસે પોલીસે તેમના છુપાવવાના સ્થાન ગેરીલા ગામને ઘેરી લીધું હતું, અને સૂર્ય સેનની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કલ્પના ત્યાંથી છટકી ગયાં.

 ૧૯મી મે ૧૯૩૩ ના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી. ચિત્તાગોંગ આર્મરી રેઇડ કેસની બીજી પૂરક સુનવણીમાં, કલ્પનાને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. 


21 વર્ષની કલ્પના દત્તને આજીવન કેદની સજા ફટકારી હતી. તેનું જીવન જેલમાં વિતાવ્યું હતું. 1937 માં, રાજ્યોમાં મંત્રીમંડળની રચના કરવામાં આવી.


ત્યારે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર વગેરે જેવા નેતાઓએ ક્રાંતિકારીઓને મુક્ત કરવાની માંગ કરી. દબાણ હેઠળ, બ્રિટિશરોએ દેશમાં કેટલાક ક્રાંતિકારીઓ છોડવા પડ્યાં, જેમાં એક કલ્પના દત્ત નામનો સમાવેશ થાય છે. તેમને 1939 માં છૂટા કરવામાં આવ્યા હતા.

તેણીને ૧૯૩૯ માં મુક્ત કરવામાં આવી હતી.

ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો અને 1934 માં સૂર્ય સેનને ફાંસી આપવામાં આવી અને કલ્પના દત્તને આજીવન કેદની સજા ફટકારી. 


કલ્પના દત્તે ૧૯૪૦ માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા


 ઈ.સ. ૧૯૪૩ માં ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પૂરણચંદ જોશી સાથે લગ્ન કર્યા

૧૯૪૩ ના બંગાળ દુષ્કાળ દરમિયાન અને બંગાળના ભાગલા દરમિયાન તેઓ રાહત કાર્યકર તરીકે કાર્ય કરતા હતા

તેણીએ બંગાળી ભાષામાં એક આત્મકથાત્મક પુસ્તક લખ્યું હતું, "চট্টগ্রামে আগাগোড়কারী রোগীদের সংসৃতি" જેનું અંગ્રેજી ભાષાંતર અરુણ બોઝ અને નિખિલ ચક્રવર્તી દ્વારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું આમુખ તેમના પતિ, અને એક સામ્યવાદી નેતા પી.સી. જોશી દ્વારા "ચિત્તાગોંગ આર્મરી રાઇડર્સ: રીમાઇન્સિસન્સ" તરીકે, ઓક્ટોબર ૧૯૪૫ માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું


ઈ.સ. ૧૯૪૬ માં, તેઓ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચિત્તાગોંગના ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર તરીકે લડી હતી, પરંતુ તે જીતી શકી ન હતી.

તેઓ ભારતીય સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ સુધી કામ કર્યું. ૮ ફેબ્રુઆરી ૧૯૯૫ ના દિવસે તેમનું કોલકાતામાં અવસાન થયું.


તેમને 1979 માં  તેમને "વીર મહિલા"નું બિરુદ આપવામાં આવ્યુ હતું.



ઈ.સ. ૨૦૧૦ માં, દીપિકા પાદુકોણે ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા પર આધારિત હિંદી ફિલ્મ ખેલેં હમ જી જાન સે માં કલ્પના દત્તની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૧૨ ઑક્ટોબર, ૨૦૧૨ ના રોજ પ્રદર્શિત થઈ હતી. તેનું નિર્માણ અને નિર્દેશન બેદાબ્રાતા પેઇન દ્વારા કર્યું હતું જેઓ નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક છે.