મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 July, 2021

World Population Day

 World Population Day

11 July




યૂનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલીએ 1989માં 11 જુલાઈને વિશ્વ વસતિ દિવસ તરીકે જાહેર કર્યો હતો.


આનો હેતુ પર્યાવરણ અને ડેવલોપમેન્ટના સંદર્ભમાં જનસંખ્યાને લગતા મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો હતો.


11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.


આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ.


1000 વર્ષ પહેલા આખા વિશ્વની જનસંખ્યા 40 કરોડ હતી.


વર્ષ 1804માં પહેલી વાર વિશ્વની વસતી 1 અબજ થઈ હતી અને 1960માં વિશ્વની જનસંખ્યા 3 અબજ થઈ ગઈ હતી.


1960થી લઈને 2000 સુધીમાં એટલે કે 40 વર્ષમાં વિશ્વની જનસંખ્યા બમણી એટલે કે 6 અબજ થઈ હતી.


જુલાઈ 2017ના આંકડા પ્રમાણે, વિશ્વની વસ્તી 7.5 અબજ છે.


વર્તમાન સમયમાં વિશ્વની કુલ વસ્તી 7 અબજ 7કરોડ (આશરે 7.7 બિલિયન) જેટલી છે.


 ભારતમાં કુલ વસ્તી 1.3 અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે.


ગુજરાતની વસ્તી પણ વધુ પ્રમાણમાં વધી રહી છે. 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતની વસ્તી 6.04 કરોડ જોવા મળી છે. 


વિશ્વ જનસંખ્યા દિવસ 2017ની થીમ ફેમિલી પ્લાનિંગ: એમ્પાવરિંગ પીપલ, ડેવલપિંગ નેશન્સ છે. આ અંતર્ગત લોકોને સશક્ત અને જાગૃત કરવામાં આવશે.


વસ્તી બાબતે ભારત આ સમયે દુનિયાભરમાં બીજા નંબર પર છે અને ચીન  ..2025થી 2030 દરમિયાન ભારતની વસતી ચીન કરતા વધી જશે.



ગુજરાતની વસ્તી પણ વધુ પ્રમાણમાં વધી રહી છે. 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતની વસ્તી 6.04 કરોડ જોવા મળી છે.

ગુજરાત વસતી વધારા સાથે ભારતનું નવમું મોટું રાજય બની ચૂક્‍યું છે.અમદાવાદ સૌથી વધુ વસતી ધરાવતું રાજયનું પહેલું શહેર છે. તે પછી સુરત, વડોદરા અને રાજકોટનો ક્રમ આવે છે


 વિવિધ દેશ. તેની વસતિ ટકાવારીમાં

દેશ.  - વસતી- ટકા

ચીન- 1,403,453,120 (આશરે 1.4 બિલિયન) - 18.0%

ભારત - 1,364,482,390-(આશરે 1.3 બિલિયન) -17.5%

અમેરિકા - 330,003,177 - 4.23%

ઇન્ડોનેશિયા - 269,603,400 - 3.46%

પાકિસ્તાન - 220,892,331  - 2.83%

 

વિશ્વની વસતિ (આશરે 7.7 બિલિયન) -7,797,950,000  છે.


રાણી અવંતિબાઈ

 

રાણી અવંતિબાઈ



જન્મતારીખ: 16 ઓગસ્ટ 1831

જન્મસ્થળ: મનકેહની, શિવની જિલ્લો, મધ્યપ્રદેશ

પિતાનું નામ: રાવ જુઝારસિંઘ

પતિનું નામ: વિક્રમાદિત્યસિંહ લોધી

અવશાન: 20 માર્ચ 1858


રાણી અવંતિબાઈ ભારતની મહાન નાયિકા હતી જેમણે 1857 ના યુદ્ધમાં બ્રિટીશરોના નાકે દમ લાવી દીધો હતો અને પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો હતો. 

1857 ની ક્રાંતિમાં રાણી અવંતિબાઈનું રાણી લક્ષ્મીબાઈ જેટલું જ યોગદાન છે, તેથી જ રાણી અવંતિબાઇની તુલના રાણી લક્ષ્મીબાઈ સાથે કરવામાં આવે છે, પરંતુ રાણી અવંતિબાઇને ઇતિહાસમાં સ્થાન મળી શક્યું ન હતું, જે રાણી લક્ષ્મીબાઈને મળેલ છે. 

ઇતિહાસ હંમેશાં આ બે મહાન નાયિકાઓનો ઋણી રહેશે.

 રાણી અવંતિબાઈનો જન્મ 16 ઓગસ્ટ 1831 ના રોજ મનકેહળી સિવની જિલ્લાના મનકેહની ગામના  જમીનદાર રાવ જુઝારસિંઘના ઘરે થયો હતો, અવંતિબાઇનું શિક્ષણ ગામ મનકેહનીમાં થયું હતું. 

બાળપણમાં અવંતિબાઈ તલવારબાજી અને ઘોડેસવારી શીખી હતી. બાળકીની તલવારબાજી અને ઘોડેસવારી જોઇને ગ્રામજનો આશ્ચર્યચકિત થતા. વીરંગના અવંતીબાઈ નાનપણથી જ બહાદુર અને હિંમતવાન હતી. વીરાંગના અવંતીબાઈ મોટા થતાં જ તેની બહાદુરીની વાતો આસપાસના વિસ્તારમાં આગની જેમ ફેલાવા લાગી.

જુઝારસિંહે તેમની પુત્રી અવંતિબાઇના લગ્ન મંડલા જિલ્લાના રામગઢ  રાજ્યના રાજા લક્ષ્મણસિંહ લોધીના પુત્ર રાજકુમાર વિક્રમાદિત્યસિંહ લોધી સાથે કર્યા.



 1817 થી 1850 સુધી રાજા લક્ષ્મણસિંહ રામગઢ રાજ્યના શાસક રહ્યા હતા. 1850 માં રાજા લક્ષ્મણસિંહના મૃત્યુ પછી, રાજકુમાર વિક્રમાદિત્યએ ગાદી સંભાળી.

વિક્રમાદિત્ય બાળપણથી વિતરાગી સ્વભાવનો હતા અને પૂજા અને ધાર્મિક વિધિઓમાં રોકાયેલા હતા આથી રાજ્ય ચલાવવાની બધી જવાબદારી રાણી અવંતીબાઈની માથે આવી હતી.. તેમને બે પુત્રો અમનસિંહ અને શેરસિંહ હતા. એક તરફ રામગઢ રાજ્યમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું, તો બીજી તરફ અંગ્રેજોએ ભારતના ઘણા ભાગોમાં પગ મૂક્યા હતા. ભારત પર બ્રિટિશરોનું અતિક્રમણ જોઇને અવંતિબાઈએ બ્રિટિશરોને ભારતથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો.

તેમના બંને પુત્રો અમનસિંહ અને શેરસિંહ નાના હતા કે રાજા ઉન્મત્ત થઈ ગયો અને રાજ્યની જવાબદારી રાણી અવંતિબાઈના ખભા પર આવી ગઈ.

રામગઢને કોર્ટ ઓફ વોર્ડની કાર્યવાહી -

1857 માં રામગઢના રાજા વિક્રમાદિત્યની તબિયત લથડતાં તેમનું અવસાન થયું હતું. રાણી લક્ષ્મીબાઈની જેમ રાજાના અવસાન પછી, રાણી અવંતિબાઇએ રાજ્યનો હવાલો સંભાળ્યો. બ્રિટીશ શાસનના તત્કાલીન રાજ્યપાલ લોર્ડ ડેલહાઉસીને રાણી શાસન કરે તે ગમતું ન હતું. આથી ડેલહાઉસીએ રામગઢ  રાજ્યને કોર્ટ ઓફ વોર્ડની અદાલતમાં લાવ્યા. બ્રિટિશ શાસન દ્વારા રામગઢમાં તહેસિલદારની નિમણૂક કરવામાં આવી. રાણી અવંતિબાઈને આ વાત ગમતી નહોતી.રાણી અવંતીબાઈએ વોર્ડ કોર્ટના અધિકારીઓને રામગઢથી ભગાડ્યા. આ ઘટના પછી, બ્રિટીશરો અને રાણી અવંતીબાઈ સીધા જ સામ સામે આવી ગયા


રામગઢ પરિષદમાંથી જ આઝાદીની ચળવળની વ્યૂહરચના બનાવવામાં આવી હતી અને ધીરે ધીરે તે શાહપુરાના જમીનદાર વિજય, મંડલાના જમીનદાર ઉમરાવસિંહ, જેનું મુખ્ય મથક ખારદેવરા અને નારાયણગંજનું જમીનદાર હતું, બધાએ રાણી અવંતિબાઈ સાથે બ્રિટિશરો વિરુદ્ધ બળવો કર્યો હતો 



22 અથવા 23 નવેમ્બરના રોજ મંડલાના ખૈરીમાં આઝાદીના આ બહાદુર યોદ્ધાઓની સૈન્ય અને અંગ્રેજી સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં બ્રિટીશ સૈન્યનો પરાજય થયો હતો અને મંડલાના નાયબ કમિશ્નર  વાડિંગ્ટન તેમનો જીવ બચાવવા ભાગવુ પડ્યુ., તે પછી તહેસિલદાર અને થાણેદાર પણ ભાગ્યા અને મંડલા બ્રિટીશ શાસનની ગુલામીથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા.

રાણી અને બ્રિટીશ શાસન સામસામે આવ્યા પછી તત્કાલીન મંડલાના ડેપ્યુટી કમિશનર વાન્ડિંગ્ટન લેમ્બેએ રિવાના રાજા સાથે મળીને રામગઢ પર હુમલો કર્યો. બ્રિટિશરો અને રિવાની સેનાની સામે રાણી અવંતિબાઇની સેના ટૂંકી પડી. યુદ્ધ દરમિયાન, રાણી અવંતીબાઈ કિલ્લો છોડીને દેવહરગઢની ટેકરીઓ તરફ રવાના થઈ ગયા. બ્રિટિશરો અને રિવાની સેના દ્વારા રાણી ઘેરાઇ ગયા હતા.

 બ્રિટિશરો દ્વારા રાણી અવંતિબાઇને શરણાગતિ માટે કહેવામાં આવ્યું હતું. રાણી અવંતિબાઇએ શરણાગતિ કરવા કરતાં મરી જવું વધુ યોગ્ય માન્યું અને પોતાના સૈનિકના હાથમાંથી તલવાર છીનવી લીધી અને પોતે પોતાના શરીરમાં ભોકી દઇ  દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.



રાણી અવંતિબાઇના અવસાન પછી તેમના મૃતદેહને રામગઢ લાવવામાં આવ્યો હતો. રાણી અવંતિ બાઈની સમાધિ રામગઢમાં જ બનાવવામાં આવી હતી.


રાણી અવંતિબાઇની સ્મૃતિમાં જબલપુરમાં પવિત્ર નર્મદા નદી પર બાંધવામાં આવેલા બરગી ડેમનું નામ રાણી અવંતીબાઇનું નામ આપવામાં આવ્યું. આ ડેમમાં રાણી અવંતિબાઈનું જન્મ સ્થળ મનકેહની ગામ ડૂબેલા વિસ્તારમાં આવી ગયું છે.

1988 અને 2001માં પોસ્ટ વિભાગ દ્વારા રાણી અવંતિબાઇના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.




મધ્યપ્રદેશ સરકાર દ્વારા 1996થી થીધોરણ 5 માં રાણી અવંતિબાઇના પાઠને સમાવવમાં આવેલ છે.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા ભોપાલમાં રાયગઢ ખાતે રાણી અવંતિબાઇના સન્માનમાં પ્રતિમા બનાવવમાં આવી છે.

વિરાંગના રાણી અવંતિબાઈને દેશ માટે પોતાનો જીવ બલિદાન આપવા બદલ  સલામ. દેશ હંમેશા તેમના માટે ઋણી રહેશે. 

બહાદુર રાણી અવંતીબાઈ અમર રહે.

06 July, 2021

જીવરામ જોષી

 જીવરામ જોષી

ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાની અને બાળ સાહિત્યકાર



જન્મતારીખ: 6 જુલાઇ 1905

જન્મસ્થળ; ગરણી, અમરેલી

પિતાનું નામ: ભવાની શંકર

માતાનું નામ: સંતોકબેન

અવશાન: 28 એપ્રિલ 2004 (અમદાવાદ)

(સૌજન્ય; સૌરાષ્ટ્ર સમાચાર)


જીવરામ જોષીનો જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે થયો હતો.

 ૧૯૨૭ માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન કર્યો અને કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. 

ઘણો સમય સ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગાળ્યો અને છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યું.

 તેઓ ગુજરાત સમાચારના બાળસાપ્તાહિક ઝગમગના તંત્રી હતા

તેમણે બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પાત્રો પણ આપ્યાં છે.


તેમની તભા ભટ્ટ, રાણી ચતુરા, રાજા વિક્રમ લોકપ્રિય વાર્તઓ છે. છકો મકો (1963) અને પાણીદાર મોતી (1965) વાર્તાઓનુ નાટ્યરુપાંતર કર્યુ હતુ., અડુકિયો દડુકિયો અને ગલુ જાદુગર પરથી 2008માં ગુજરાતી ફિલ્મ બની છે.


મિયાં ફૂસકીના ૩૦ ભાગ, છકો મકોના ૧૦ ભાગ, છેલ છબોના ૧૦ ભાગ, અડુકિયો દડુકિયોના ૧૦ ભાગ, ઉપરાંત એમણે પ્રેરક પ્રસંગવાર્તાવલિના ૨૦ ભાગ, બોધમાળાના ૧૦ ભાગ આપ્યા છે.



 એમના અન્ય અનેક બાળગ્રંથોમાં બાળસાહિત્ય સર્વસંગ્રહ (૧૯૩૬) નું પણ સ્થાન છે.


 તેમની તભા ભટ્ટરાણી ચતુરા અને રાજા વિક્રમ વાર્તાઓ પણ લોકપ્રિય છે.


 તેમણે રમત ગમત ગીતો (૧૯૫૨) લખ્યા હતા જે રમતી વખતે ગાવાના ગીતો છે. તેમની વાર્તાઓ છકો મકો (૧૯૬૩) અને પાણીદાર મોતી (૧૯૬૫)નું તેમણે નાટ્યરૂપાંતરણ કર્યું હતું.



તેમનું પાત્ર મિયાં ફૂસકી બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટસમયે બુદ્ધિથી માર્ગ કરતો, 30 ભાગોમાં વહેંચાયેલી બાળવાર્તાનો બાળવાચકોને અત્યંત પ્રિય નાયક છે.


અડુકિયો દડુકિયો અને ગલુ જાદુગર પરથી ૨૦૦૮માં ગુજરાતી ચલચિત્ર બન્યું હતું. મિયાં ફૂસકી પાત્રનું નાટકો, ટેલિવિઝન ધારાવાહિક અને ચલચિત્રમાં રૂપાંતર થયેલું છે


તેમનું પ્રથમ પુસ્તક હતુ રઘુ સરદાર


તેમના યાદગાર વાક્યો


અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા. ”

” છકાને માથે ચોટી, મકાને માથે મુંડો.”

“મને બાળકો અત્યંત પ્રિય છે.
મને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરનાં દર્શન થાય છે.



05 July, 2021

પી.વી. સિંધુ

પી.વી. સિંધુ

(બેડમિન્ટન ખેલાડી, બેડમિન્ટન ક્વીન) 



પુરુ નામ: પુસરલા વેંકટ સિંધુ

જન્મતારીખ: 5 જુલાઇ 1995

જન્મસ્થળ: હૈદરાબાદ

પિતાનું નામ: પી.વી.રમણ

માતાનું નામ: પી, વિજયા



પી.વી. સિંધુ એ એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે

પી.વી.સિંધુ, જેણે પોતાની મહેનત અને સમર્પણના આધારે રમતગમતની દુનિયામાં સફળતા મેળવી છે, તે આજે દેશની લાખો છોકરીઓ માટે પ્રેરણારૂપ છે.

તેણીએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતુંં

૨૦૦૧ ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે બેડમિન્ટન રમવાનુ નક્કી કર્યુ. ગોપીચંદ પી.વી,સિંધુના આદર્શ અને ગુરુ છે.

ખૂબ જ નાની ઉંમરે સિંધુની ગણતરી વિશ્વના અગ્રણી મહિલા બેડમિંટન ખેલાડીઓમાં થવા માંડી છે. તે ભારતની મહિલા ખેલાડી છે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. સિંધુને વર્લ્ડ સ્ટેજ પર માન્યતા મળી જ્યારે તેણીએ ૨૧ સપ્ટેમ્બર  2012 માં બેડમિંટન વર્લ્ડ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલ રેન્કિંગમાં 20 મા ક્રમે આવ્યા. તેણે 17 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.


પી.વી.સિંધુ ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા રમતવીર છે. પીવી સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક રમતોમાં બેડમિંટન મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એટલું જ નહીં, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પાંચ મેડલ જીતનાર તે વિશ્વની બીજી ખેલાડી પણ છે. પી.વી.સિંધુએ પણ ફોર્બ્સ હાઇસ્ટ-પેઇડ ફીમેલ એથ્લેટ્સમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જે કોઈપણ ભારતીય માટે ગૌરવની વાત છે.

 ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. 


પીવી સિંધુએ અત્યાર સુધીમાં ઘણા રાષ્ટ્રીય સન્માન જીત્યા છે. રાજીવ ગાંધી ખેલ રત્ના ઉપરાંત તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમને પદ્મ ભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો.


૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.


ઓલમ્પિક સિલ્વર મેડલ વિનર પી વી સિંધુએ બીડબલ્યૂએફ (વર્લ્ડ બેડમિંટન અસોસિએશન) વર્લ્ડ રેંકિંગમાં ટોપ 2માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. કોઈ પણ ભારતીય બેડમિંટન ખેલાડી માટે આ શ્રેષ્ઠ રેંકિંગ છે. 


સિંધુને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટસ અવોર્ડસ (TOISA)માં પણ સ્પોર્ટસ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. સ્પેનની કેરોલિન મારિનને હરાવીને સિંધુએ થોડા સમય પહેલા જ ઈન્ડિયા ઓપન ચેમ્પિયનનું ટાઈટલ પણ પોતાના નામે કરી લીધું છે.


 ૧૮ ઓગસ્ટ ૨૦૧૬ ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતિય મહિલા બની. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી.


. ૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના દિવસે તેણીએ ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં રજત ચંદ્રક (સિલ્વર મેડલ) જીત્યો હતો.


સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે યોજાયેલી બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં પી. વી. સિંધુએ ભારતીય ખેલાડી તરીકે પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

અત્યાર સુધી પી. વી. સિંધુએ પાંચ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવ્યા છે.



સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે ભારતનું પ્રતિનિધીત્વ વોલીબોલમાં કર્યુ હતું, પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા છે. તેઓ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડીઓ છે








04 July, 2021

મહેન્દ્રસિંઘ ધોની

 મહેન્દ્રસિંઘ ધોની


ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંઘ ધોની (M.S. Dhoni)નો જન્મ રાંચી, ઝારખંડ ખાતે 7 જુલાઇ 1981મા  થયો હતો..


તેના પિતાનુ નામ પાનસિંઘ છે 

 

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન જેમને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવ્યો છે.

 

 ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. 

 

ધોનીના ટી-શર્ટ નંબર 7 છે.

 

IPLમા ધોની ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. 

 

ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ. 



 

ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે. જ્યારે 350 વન ડે મેચમાં 10773 રન બનાવ્યા છે. ધોનીએ 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે.

 

IPLમાં CSK(ચેન્નઇ સુપર કિંગ્સ) માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી મહેન્દ્રસિંઘ ધોની બન્યા,

 

 

તેમણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ.

 

 તેમને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. ધોની  ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેમણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.

રેલવેમાં નોકરી મળી પરંતુ ક્રિકેટનો શોખ રહ્યો યથાવત. ધોની બિહાર રણજી ટીમમાં રમતો હતો ત્યારે તેને રેલ્વેમાં નોકરી મળી હતી અને ખડગપુર રેલ્વે સ્ટેશને પોસ્ટિંગ મળી હતી.

 

ધોનીએ રેલવે રણજી ટીમમાં રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 2 વખત સિલેક્શનમાં ફેઇલ થઇ ગયો. બાદમાં પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ધોનીએ રેલવેની નોકરી સ્વીકારી લીધી હતી. 

 

2001 થી 2003 સુધી ધોનીએ ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી. રેલવેમાં નોકરી મળવાને કારણે ધોનીને રેલવેની રણજી ટીમમાં પણ સ્થાન મળવામાં કોઇ મુશ્કેલી રહી નહીં. ધોનીનું પોસ્ટિંગ ખડકપુર/દુર્ગાપુરમાં થવાને કારણે ક્રિકેટને વધુ સમય આપી શકતો નહતો. જેથી તેણે નોકરી છોડી દીધી હતી અને પાછો રાંચી આવી ગયો અને ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં ધોની ક્રિકેટને લઇ સીરિયસ નહતો. ધોનીનું મન ફૂટબોલ અને બેડમિન્ટનમાં વધુ હતું. તે આ રમતમાં ક્લબ અને જિલ્લા સ્તરની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો, તે ગોલકીપર હતો. ધોની ફૂટબોલર હતો. તે પોતાની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતો. આઇએસએલ લીગમાં તે ચેન્નઇયન એફસીનો માલિક પણ છે.

 




એમએસ ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. મેચના પ્રથમ બોલ પર જ ધોની 0 રને આઉટ થયો હતો. શ્રીલંકા-પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક રમત રમી આવ્યો ચર્ચામાં એમએસ ધોની 2 ડિસેમ્બર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ રેકોર્ડ 183 રનની ઇનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો. આ કોઇ વિકેટકીપર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ સ્કોર છે. 2006માં ધોનીએ 5મી ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. 23 જાન્યુઆરી 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીએ 148 રન બનાવ્યા હતા.

ધોનીને 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો છે. ધોની કેટલીક વખત કહી ચુક્યો છે કે ભારતીય સેનામાં સામેલ થવુ તેનું બાળપણનું સ્વપ્ન હતું.

– ધોનીને કાર અને બાઇક્સનો ઘણો શોખ છે. ધોની પાસે 2 ડઝનથી વધુ બાઇક છે. આ સિવાય તેની પાસે હમર જેવી મોંઘી કાર પણ છે.

 

 

ધોની એ મેળવેલ એવોર્ડ અને પુરસ્કાર

  • ધોની પહેલો ખેલાડી છે જેને ICC ODI Player of the Year નો એવોર્ડ બે વાર મળ્યો છે, 2008 અને 2009મા

  • ધોનીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 2007 મા આપવામા આવ્યો હતો.

  • ધોનીને ભારત સરકાર દ્વારા 2009મા પદ્મશ્રી અને 2018મા પદ્મભુષણ એવોર્ડ આપવામા આવેલ છે.

  • ધોનીને ઓગસ્ટ 2011 માં ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા માનદ ડોકટરેટની ડિગ્રીથી નવાજવામાં આવ્યા છે.

  • ભારતીય પ્રાદેશિક સૈન્યએ 1 નવેમ્બર 2011 ના રોજ ધોનીને લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ આપ્યું હતું. કપિલ દેવ પછી, આ સન્માન મેળવનારા તે બીજા ભારતીય ક્રિકેટર છે.

  • 2013 માં, ધોનીને  LG People's Choice એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો

  • ધોનીને 2011મા  Icc award for spirit of cricket એવોર્ડ આપવામા આવ્યો હતો.

ધોની વિશેની મહત્વની જાણકારી

  • 2016 માં, એક બાયોપિક film એમ.એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી તેના પર બનાવવામાં આવી હતી. જેમા ધોનીનો રોલ સુશાંતસિંહ રાજપુતે કર્યો હતો.

  •  Roar of the Lion એ એમ.એસ. ધોની, રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, શેન વોટસન, ડ્વેન બ્રાવો, દિપક ચહર અને સુરેશ રૈના અભિનિત, કબીર ખાન દ્વારા નિર્મિત 2019 ની ભારતીય બહુભાષી  વેબ સિરીઝ છે.

  • ધોની વિશ્વનો સારો વિકેટ કિપર છે, તેને God Of Wicket Keeper પણ કહેવામા આવે છે.

  • વિશ્વમા સૌથી ઝડપી 0.08 સેકન્ડ્મા સ્ટમ્પિંગ્સ કરવાનો રેકોર્ડ ધોનીના નામે છે .

  • ઇન્ટરનેશનલ ક્રિકેટમા ધોની એ 601 કેચ અને 174  સ્ટમ્પિંગ્સ કરેલ છે.

  • ધોની એકમાત્ર કેપ્ટન છે જેણે તમામ 3 આઇસીસી ટ્રોફી જીતી છે

  • એમ. એસ ધોનીએ સૌથી વધારે સ્ટમ્પિંગ્સ તેના નામે કર્યા છે

  • ધોની પહેલો ક્રિકેટર છે જેણે તેની કેપ્ટનશીપમાં 150 ટી -20 મેચ જીતી છે

  • તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે

  • ધોની ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘા બેટ ધરાવે છે

  •  ટી ​​20 માં ધોનીએ સૌથી વધુ ટોસ જીત્યા છે

  • ધોની એકમાત્ર એવો કેપ્ટન છે 140 વર્ષમા જેણે ઓસ્ટ્રેલિયાની ટીમને  ઓસ્ટ્રેલિયામાં જ હરાવી.

  • એમએસ ધોનીએ સૌથી વધુ 161  આંતરરાષ્ટ્રીય સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

  • સુકાની તરીકે, ધોનીએ સૌથી વધુ 331 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

  • કેપ્ટન તરીકે ધોનીએ 204 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકાર્યા છે.

  • વિકેટકીપર તરીકે રમતી વખતે એમએસ ધોની પણ 9 વખત બોલિંગ કરી ચુકયા છે.

  • ધોની ચોથો ભારતીય ક્રિકેટર છે જેમણે અડધી સદીની સદી પૂરી કરી છે.

  • ધોની ઇંડિયા સિમેંટ્ના વાઇસ પ્રેસિડેંટ છે.

  • ધોની Bharat Matrimony, Mastercard  India, , Orient Fans Cars24, RedBus, Colgate, LivFast Batteries, Indigo Paints, GoDaddy વેબ હોસ્ટિંગ કમ્પની જેવી વિવિધ બ્રાંડના એમ્બેસેડર છે.

03 July, 2021

હંસાબેન મહેતા

 હંસાબેન મહેતા

પ્રથમ મહિલા ઉપકુલપતિ

M.S.યુનિ.નાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર 




જન્મતારીખ: 3 જુલાઇ 1897

જન્મસ્થળ: સુરત, ગુજરાત 

પિતાનું નામ: મનુભાઇ મહેતા

માતાનું નામ: હર્ષદકુમારી

પતિનું નામ: ડો. જીવરાજ મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)

અવશાન: 4 એપ્રિલ 1995


શ્રીમતી હંસાબેન મહેતાનો જન્મ તા. ૦૩-૦૭-૧૮૯૭ના રોજ સુરતના ધનાઢ્ય નાગર પરિવારમાં  થયો હતો. હંસાબહેનના પિતા સર મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના દિવાન હતા અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અંગત વિશ્વાસુ વર્તુળમાં સ્થાન ધરાવતા હતા. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં તેઓ પૌત્રી હતાં. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ તથા સ્મરણશક્તિનો વારસો તેમણે દિપાવ્યો. 


વર્ષ 1913માં મૅટ્રિકની પરીક્ષામાં બહેનોની શ્રેણીમાં પ્રથમ ક્રમે આવ્યાં. આથી 'ચૅટફીલ્ડ પ્રાઇઝ' અને 'નારાયણ પરમાણંદ ઇનામ' મળ્યાં. '


તત્ત્વજ્ઞાન તેમનો પ્રિય વિષય હતો. વર્ષ 1918માં આ વિષય સાથે તેઓ સ્નાતક થયાં 

ઈ.સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થઇ સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસાર્થે લંડન ગયા અને ત્યાં ઉચ્ચ અભ્યાસ કર્યો. 

અને વર્ષ 1919માં પત્રકારત્વનું શિક્ષણ મેળવવા માટે ઇંગ્લૅન્ડ ગયાં. ત્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થઈ ત્યાંથી અમેરિકા અને જાપાન થઇ ભારત આવ્યા. 



લગ્ન 

વડોદરા રાજ્યના મેડિકલ ઓફિસર ડો. જીવરાજ મહેતા સાથે ઈસ. ૧૯૨૪માં લગ્ન થયા. ડો. જીવરાજ મહેતા ઈંગ્લેન્ડ જઈને મેડિસિનમાં માસ્ટર ડીગ્રી મેળવી ચૂક્યા હતા અને ગાંધીજીના તબીબ તરીકે પણ નામના ધરાવતા હતા. કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકેનું બહુમાન પણ ધરાવે છે.


મુંબઇ રહી તેમણે ‘ભગિની સમાજ’ તથા ‘નેશનલ કાઉન્સિલ ફોર વિમેન’ સંસ્થામાં મંત્રી તરીકે રહી સમાજસેવાનાં કાર્યો પણ કર્યા. 


રાજકીય સક્રિયતા
હંસાબહેને ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા. ૧૯૩૪માં તેઓ મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યાં. ઈ.સ. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાયા અને શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી. ઈ.સ.૧૯૪૬માં તેઓ વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા ઉપ કુલપતિ બન્યાં. ઈ.સ. ૧૯૪૭માં તેમની ‘યુનો’ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઇ. એમણે ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી.


સન્માન

ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે તેમને 'પદ્મભૂષણ' ઈલકાબ આપી સન્માનિત કર્યા હતા. ઈ.સ. ૧૯૫૮માંઅલ્હાબાદ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ. ની પદવી એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. જર્મનીના મ્યુનિક શહેરમાં સમાજસેવા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી અને પેરિસમાં ઈ.સ. ૧૯૫૮માં મળેલી વર્લ્ડ ફેમિલી કોંગ્રેસમાં તેઓ હિન્દી પ્રતિનિધિ મંડળના નેતા બન્યાં. ઈ.સ. ૧૯૫૬માં દિલ્હી ખાતે મળેલ યુનેસ્કો કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી.


 ૧૯૪૬માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ઉપકુલપતિ બન્યા. આમ તેઓ યુનિવર્સિટીના ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હતા.


ભારતીય મહિલા હંસા મહેતા  જેમણે માનવાધિકારના વૈશ્વિક ઘોષણા(Universal Declaration Of Human Rights)ને આકાર આપ્યો

યુનિવર્સલ ઓફ હ્યુમન રાઇટ્સ (યુડીએચઆર) માં આ વાક્ય હતું, “બધા માણસો મફત અને સમાન જન્મે છે(All men are born free and equal”).  મહેતાએ તેમાં સુધારો કર્યો, હવે આ વાક્ય વાંચે છે, “બધા મનુષ્ય મુક્ત અને સમાન જન્મે છે(All human beings are born free and equal)”.


 હંસાબેન મહેતાએ સ્વતંત્રતા બાદ બંધારણ નિર્માણ માટેની "બંધારણ સભા" ના  મહિલા સદસ્યોમાંના એક હતા


લેખન

તેમને લેખનશક્તિ વારસામાં મળી હતી. તેમણે નાનામોટા ૧૬ ગુજરાતી અને ચાર અંગેજી મળીને કુલ ૨૦ પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકો, ગુલિવર્સ ટ્રાવેલ્સ, અને રામાયણમા કાંડનું ગુજરાતી અનુવાદ કર્યો હતો, આ ઉપરાંત તેમણે બાળવાર્તાઓ પણ આપી છે.


 આમ વહીવટ, સાહિત્ય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર હંસાબેન મહેતાનું ચોથી એપ્રિલ ૧૯૯૫ના રોજ અવસાન થયું.