મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 February, 2022

ગેલેલિયો ગેલિલી (Galileo Galilei)

 ગેલેલિયો ગેલિલી

 ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક


જન્મતારીખ: 15 ફેબ્રુઆરી 1564

જન્મ સ્થળ : પીઝા, ઇટલી
અવશાન: 8 જાન્યુઆરી 1642

ગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં 15 ફેબ્રુઆરી 1564ના રોજ થયો હતો.  જે એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતા.  તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ(lutenist), સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી(Vincenzo Galilei) અને જુલિયા અમ્માંન્નાતીના છ બાળક પૈકી એક હતા.. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો(Michelagnolo)એ લ્યૂટનિસ્ટ(lutenist) અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.

તેમનો પરિવાર ઘણો ગરીબ હતો. તેમણે બાળપણનું શિક્ષણ ફ્લોરેન્સ શહેરમાં મેળવ્યું હતું. જ્યારે તે મોટા થયા ત્યારે તેમણે તે પિતાને તેમના કામમાં મદદ કરી. તેમની પ્રતિભાને જાણી તેમના પિતાએ ફરીથી અભ્યાસ શરૂ કરાવ્યો.. વર્ષ 1581માં તેમણે મેડિકલ સાયન્સમાં એડમિશન લઈને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.

તબીબી વિજ્ઞાનમાં તેમને રસ ના હતો  તેમને વૈજ્ઞાનિક શોધની દિશામાં કામ શરુ કર્યુ.. જ્યારે 1591 માં પિતાનું અવસાન થયું. તે દરમિયાન ગેલેરી સૌથી મોટા હતા આથી, તેમના ખભા પર સમગ્ર પરિવારની જવાબદારી આવી ગઈ હતી. ગંભીર નાણાકીય કટોકટી વચ્ચે, બહેનોના લગ્ન માટે દહેજ એકત્રિત કરવું ખૂબ મુશ્કેલ હતું. તે સમયે ઈટાલીમાં દહેજની પ્રથા ચાલી રહી હતી. આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે, ગેલિલિયોએ ટ્યુશનની સાથે કપડાની દુકાન અને ગણિતના સાધનોની દુકાન ખોલી, જેનાથી તે આર્થિક રીતે નફાકારક બન્યો. પારિવારિક જવાબદારીઓ વચ્ચે, ગેલિલિયોએ તેમનો અભ્યાસ અને શિક્ષણ છોડ્યું ન હતું. તેઓએ તેમનો અભ્યાસ અને શિક્ષણ ચાલુ રાખ્યું

ગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પરથી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા,હતા તે જ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.

4 એપ્રિલ 1597 ના રોજ, ગેલિલિયો ગેલિલીએ એક ટેલિસ્કોપની શોધ કરી જે 32 ગણી મોટી જોઈ શકે છે. ગેલિલિયોએ તેને 1609 માં તેની દુકાનમાં વેચવાનું શરૂ કર્યું. તે સમયે જે દૂરબીન વેચાતી હતી તેનો ઉપયોગ અમુક અંતર જોવા માટે થતો હતો. તેમના દ્વારા બનાવેલા ટેલિસ્કોપથી સાબિત થયું કે સૂર્ય પર પણ કેટલાક ફોલ્લીઓ છે. આકાશગંગા એ તારાઓનો સમૂહ છે. ગુરુ પાસે ઘણા ઉપગ્રહો છે

ગેલિલિયોએ તેની એક મહત્વની શોધમાં એરિસ્ટોટલના સિદ્ધાંતને ખોટો ઠેરવ્યો હતો કે જો ઓછા વજનની અને વધુ દળની વસ્તુને પૃથ્વી પર એકસાથે છોડવામાં આવે તો વધુ દળની વસ્તુ ઝડપથી પડી જશે.પીઝાના ટાવર પર ચઢીને, તેણે એક જ સમયે ઊંચા અને ઓછા વજનના દડા છોડ્યા. આ ઐતિહાસિક પ્રયોગને જોવા માટે ધાર્મિક નેતાઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને બૌદ્ધિકો એકઠા થયા હતા. લોકોએ સ્પષ્ટપણે જોયું કે બંને શેલ એક સાથે નીચે આવ્યા હતા.

1611 માં ટેલિસ્કોપની શોધ માટે, ગેલિલિયોએ 1585 થી 1586 દરમિયાન હાઇડ્રોસ્ટેટિક બેલેન્સ તૈયાર કર્યું. આમાં વિવિધ પ્રવાહીના ગુણધર્મોનો અંદાજ લગાવવો સરળ બન્યો. 3 વર્ષ પછી, તેમણે ઘન પદાર્થની ગતિના નિયમો રજૂ કર્યા. તેની શોધને કારણે તેને આધુનિક આર્કિમીડીઝ કહેવામાં આવે છે.

વર્ષ 1632માં, જ્યારે ગેલિલિયોએ સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવ્યું હતું, પૃથ્વી નહીં, અને પૃથ્વીને અસ્થિર અને સૂર્યને સ્થિર ગણાવ્યો હતો, ત્યારે તેમના થીસીસમાં તેમને કટ્ટરપંથીઓએ ધર્મ વિરોધી ગણાવ્યા હતા. જેના કારણે તેમને 8 વર્ષ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે સર્જન ક્રમ ચાલુ રાખ્યો. વર્ષ 1637માં તે સંપૂર્ણ અંધ બની ગયો હતો. 8 જાન્યુઆરી 1642ના રોજ તેને તાવ આવ્યો. આ રીતે એક મહાન વૈજ્ઞાનિક અને શોધકનું અવસાન થયું

તેમણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેમણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેમના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ", અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે

 ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.
તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વી કેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્ય કેંદ્રીવાદ(heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ(Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ(Two New Sciences)"નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો
ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવા કૉપરનિકસના વાદનું સમર્થન કરવા માટે ગૅલિલિયોને ચર્ચ સાથે વિખવાદ થયો. તેમના કાર્યનો સારો એવો ભાગ યંત્રશાસ્ત્રને લગતો છે અને તેના વિશ્લેષણ માટે ગણિતનો ઉપયોગ કરનાર તેઓ સૌપ્રથમ હતા. ઘડિયાળ માટે લોલકના ઉપયોગનું સૂચન કર્યું અને અવકાશમાંથી પૃથ્વી તરફ પડતા પદાર્થના અચળ પ્રવેગના નિયમનો પ્રસ્તાવ રજૂ કર્યો. ગૅલિલિયોએ ખગોલીય દૂરબીન (terrestrial telescope) વિકસાવ્યું અને તેની મદદથી ચંદ્ર ઉપર જ્વાળામુખી પર્વતનાં મુખ (craters), સૂર્યકલંકો (sunspots), બુધના ગ્રહ(Mercury)ની કળા અને ગુરુ(Jupiter)ના ગ્રહના ઉપગ્રહો(satellites  – moons)ની શોધ કરી હતી. વળી તેમણે બતાવી આપ્યું કે આકાશગંગા (Milky Way) તારાઓની બનેલી છે. 

કૉપરનિકસના સિદ્ધાંતને અપનાવવા માટે તથા તેનું શિક્ષણ આપવાના અપરાધ માટે તેમના જીવનનાં છેલ્લાં આઠ વર્ષ ઘરમાં નજરકેદની સજા ફરમાવવામાં આવી હતી. તેમની મુખ્ય કૃતિઓ (1) ‘ડાયલૉગ કન્સર્નિગ ધ ટૂ ચીફ વર્લ્ડ સિસ્ટિમ્સ – ટૉલેમિક ઍન્ડ કોપરનિકસ’ (1632) અને (2) ‘ડાયલૉગ કન્સર્નિગ ટૂ ન્યૂ સાયન્સીઝ’ (1638) હતી. છેલ્લી માહિતી મુજબ આશરે સાડાચારસો વર્ષ પછી નામદાર પોપે ગૅલિલિયોને તેમના ઉપર મૂકેલા આરોપમાંથી મુક્ત થયેલા જાહેર કર્યા છે.

સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ અંગે લાંબા ગાળાના તલસ્પર્શી અભ્યાસ માટેનું અમેરિકાનું અંતરિક્ષયાન. સત્તરમી સદીમાં ઇટાલીના જગવિખ્યાત ખગોળશાસ્ત્રી ગૅલિલિયો ગૅલિલીએ દૂરબીનની મદદથી ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો શોધી કાઢ્યા હતા. તેની સ્મૃતિમાં આ અંતરિક્ષયાનને ગૅલિલિયો નામ આપવામાં આવ્યું હતું.


વર્ષ 2009મા ગેલેલિયોના જન્મને 400 વર્ષ થતા હોવાથી આ વર્ષને આંતરરાષ્ટ્રીય ખગોળ વર્ષ તરીકે જાહેર કરાયુ હતું.

ગેલિલિયો ગેલિલીનો જીવન પરથી, ન્યૂટને તેની ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમોને આગળ વધાર્યા. 

ગેલેલિયોના જીવન આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work