મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

04 December, 2020

INDIAN NAVY DAY (ભારતીય નૌસેના દિવસ)

 INDIAN NAVY DAY (ભારતીય નૌસેના દિવસ)

4 ડિસેમ્બર


logo


નેવીનું સ્લોગન: શં નો વરુણ:

ભારતના રાષ્ટ્રપતિ એ ભારતીય નૌકાદળના સુપ્રીમ કમાન્ડર છે

Vice Chief of the Naval Staff (VCNS): Vice Admiral G. Ashok Kumar, AVSM, VSM
Chief of the Naval Staff (CNS): Admiral Karambir Singh, PVSM, AVSM
Deputy Chief of the Naval Staff (DCNS): Vice Admiral M. S. Pawar, AVSM, VSM
Headquarters: Integrated Defence Headquarters, Ministry of Defence, New Delhi

જૂન 2019 સુધીમાં, ભારતીય નૌકાદળ પાસે 67,252 સક્રિય  અને 55,000 રિઝર્વ કર્મચારી સેવામાં છે અને તેમાં 150 વહાણ અને સબમરીન અને 300 વિમાનનો  છે. 
 ઓક્ટોબર 2020 સુધી, ઓપરેશનલ કાફલામાં 1 વિમાનવાહક જહાજ, 1 ઉભયજીવી પરિવહન ડોક, 8 લેન્ડિંગ શિપ ટાંકી, 10 ડિસ્ટ્રોર, 13 ફ્રિગેટ્સ, 1 પરમાણુ સંચાલિત એટેક સબમરીન, 2 બેલિસ્ટિક મિસાઇલ સબમરીન, 23 પરંપરાગત સંચાલિત એટેક સબમરીન, 23 છે. કોર્વેટ્સ, એક ખાણ કાઉન્ટરમેઝર વહાણ, 4 કાફલા ટેન્કર અને વિવિધ સહાયક જહાજો અને નાની પેટ્રોલિંગ બોટ છે.

4 ડિસેમ્બર 1971 નાં રોજ, ભારતીય નેવીએ ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું હતુ. તે દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ચાલી રહ્યો હતો અને ભારતે પાકિસ્તાનનાં કરાચી બંદર પર ભારે બોમ્બ ધડાકા કર્યા હતા. કરાચી બંદર ખરાબ રીતે તબાહ કરાયું હતું. એવું કહેવામાં આવે છે કે, આ અભિયાનની સફળતાને કારણે, 4 ડિસેમ્બરનાં રોજ ભારતીય નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

બાંગ્લાદેશની મુક્તિ દરમિયાન 1971 નાં યુદ્ધમાં ભારતની ત્રણેય સેનાઓએ પોતાની પૂરી તાકાત તેમાં જોંકી દીધી હતી. તે દરમિયાન, ભારતીય નેવીએ પણ પાકિસ્તાનની પન્ડુબ્બી ગાઝી સબમરીનને પાણીમાં દફનાવી દીધી હતી. આ શકિતમાં, ભારતનાં યુદ્ધ જહાજ આઈએનએસ-વિક્રાંતની મોટી ભૂમિકા હતી.

આધુનિક ભારતીય નૌસેનાનો પાયો 17મી શતાબ્દીમાં મુકવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ટ ઈંડિયા કંપનીએ એક સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈંડિયા કંપનીની સ્થાપના કરી. આ ટીમ 'ધ ઓનરેબલ ઈસ્ટ ઈંડિયા કંપનીઝ મરીન'
કહેવાતી હતી. પછી તેને 'ધ બોમ્બે મરીન' નામ આપવામાં આવ્યુ. પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન નૌસેનાનુ નામ 'રૉયલ ઈંડિયન મરીન' રાખવામાં આવ્યુ.

26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યુ અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી 'રોયલ'નો ત્યાગ કર્યો.
એ સમયે ભારતીય નૌસેનામાં 32 નૌ-પરિવહન પોત અને લગભગ 11000 અધિકારી અને નૌસૈનિક હતા. 15 ઓગસ્ટ 1947માં ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતના નૌસૈનિ દળમાં જૂનુ યુદ્ધપોત હતુ. આઈએનએસ 'વિક્રાંત' ભારતીય નૌસેનાનુ પ્રથમ યુદ્ધપોતક વિમાન હતુ. જેને 1961માં સેનામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. પછી આઈએનએસ 'વિરાટ' ને 1986માં સામેલ કરવામાં આવ્યુ હતુ. 
જે ભારતનુ બીજુ વિમાનવાહી પોત બની ગયુ.

આજે ભારતીય નૌસેના પાસે એક દળમાં પેટ્રોલ ચલિત પનડુબ્બીયો, વિધ્વંસક યુદ્ધપોત, ફ્રિગેટ જહાજ, કૉર્વેટ જહાજ, પ્રશિક્ષણ પોત, મહાસાગરીય અને તટીય સુરંગ માર્જક પોત (માઈનસ્વીપર) અને અન્ય અનેક પ્રકારના પોત છે.
આ ઉપરાંત ભારતીય નૌસેનાની ઉડ્ડયન સેવા કોચ્ચિમાં આઈએનએસ ગરૂડના સામેલ હવાની સાથે શરૂ થઈ. 

કોયમ્બટૂરમાં જેટ વિમાનોની મરમ્મત અને દેખરેખ માટે આઈએનએસ 'હંસ' ને સામેલ કરવમાં આવ્યુ.
ભારતીય નૌસેનાએ જળ સીમામાં અનેક મોટી કાર્યવાહીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમા મુખ્ય છે જ્યારે 1961માં નૌસેનાએ ગોવાને પુર્તગાલીયોથી સ્વતંત્ર કરવામાં થલ સેનાની મદદ કરી.

આ ઉપરાંત 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયુ તો નૌસેનાએ પોતાની ઉપયોગિતા સાબિત કરી. ભારતીય નૌસેનાએ દેશની સીમા રક્ષા સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા શાંતિ કાયમ કરવાની વિવિધ કાર્યવાહીઓમાં ભારતીય થલ સેના સહિત ભાગ લીધો. સોમાલિયામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની કાર્યવાહી આનો જ એક ભાગ હતી. દેશના પોતાના ખુદના પોત નિર્માણની દિશામાં શરૂઆતી કદમ ઉઠાવતા ભારતીય રક્ષા મંત્રાલયે મુંબઈના મજગાવ બંદરગાહને 1960માં અને કલકત્તા (કોલકાતા)બા ગાર્ડબ રીચ વર્કશોપ (જીઆરએસઈ)ને પોતાના અધિકારમાં લીધુ. વર્તમાનમાં ભારતીય નૌસેનાનુ મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે અને આ મુખ્ય નૌસેના અધિકારી 'એડમિરલ' ના નિયંત્રણમાં હોય છે.

ભારતીય નૌસેનાએ એપ્રિલ 2019માં  INS ઇંફાલને સમૃદ્રમાં ઉતારી દીધી છે. INS ઇંફાલનું નિર્માણ ભારતમાં થયું છે અને તે ગાઇડેડ મિસાઇલોને ધ્વસ્ત કરવામાં નિષ્ણાંત છે. ભારતીય નૌસેનાએ INS ઇંફાલને મુંબઈનાં મંઝગાવ ડોક્સમાંથી પાણીમાં ઉતારવામાં આવી હતી. INS ઇંફાલનું હાલ 3037 ટન વજન છે પરંતુ આગામી સમયમાં તેમાં આધુનિક અને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલો ગોઠવવામાં આવશે ત્યારે તેનું વજન 7300 ટન સુધી પહોંચી જશે. INS ઇંફાલ પ્રોજેક્ટ 15 B હેઠળ બનાવેલ ત્રીજુ યુદ્ધ જહાજ છે. આ અગાઉ બે યુદ્ધ જહાજો 2015 અને 2016માં અનુક્રમેં વિશાખાપટ્ટનમ અને મોરમુગાઓ બંદર પરથી સમૃદ્રમાં ઉતરવામાં આવ્યા હતા.2021 સુધી આ ત્રણેય યુદ્ધ જહાજોને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ ત્રણેય યુદ્ધ જહાજો ટૂંક સમયમાં INS દિલ્હી, INS મુંબઈ, INS મૈસુર, INS  કોલકાતા, INS કોચી અને INS ચેન્નઈની હરોળમાં આવી જશે.



ભારતીય નૌસેનાએ ઓક્ટોબર 2020માં સ્વદેશી નિર્માણ  INS કવરત્તીને સમૃદ્રમાં ઉતારી દીધી છે. જે આત્મ નિર્ભર ભારત અંતર્ગત બનવેલ છે.INS Kavarattiનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે. આઇએનએસ કવરત્તીનો 90 ટકા હિસ્સો સ્વદેશ નિર્મિત છે અને નવી ટેકનીકની મદદથી તેની દેખરેખ કરવાની જરૂરિયાત પણ ઓછી રહેશે.આ જહાજ સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ આ સ્વદેશી આઇએનએસ કરવત્તીને નૌસેનાના બેડામાં સામેલ કરાવ્યું. આ અત્યાધુનિક હથિયાર પ્રણાલી છે અને તેમાં એવા સેન્સર લાગેલા છે જે સબમરીનની ભાળ મેળવશે અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. આ પ્રોજેક્ટ-28 હેઠળ સ્વદેશમાં નિર્મિત ચાર સબમરીન રોધી જંગી સ્ટીલ્થ જહાજ પૈકીનું અંતિમ જહાજ છે. નોંધનીય છે 
INS Kavarattiની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.

નેવી ઓફિસર રેન્ક


ઘણી હિન્દીફિલ્મમાંભારતીનૌસેેેેના પર આધારિત છે.

અબ તુમ્હારે હવાલે વતન સાથીયો

ગાંઝી એટેક

રુસ્તમ

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work