મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

07 December, 2020

પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જીવન પરિચય

પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ


જન્મતારીખ: 7 ડિસેમ્બર 1921 (માગશર સુદ સુદ આઠમ , 1978)
જન્મ સ્થળ: ચાણસદ, પાદરા, બરોડા સ્ટેટ
અવસાન: 13 ઓગસ્ટ 2016 ( સાળંગપુર, બોટાદ)
સાચું નામ: શાંતિલાલ પટેલ 
અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS, બોચાસણના, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના
પાંચમા આધ્યાત્મિક અનુગામી


વિક્રમ સંવત ૧૯૭૮ની માગશર સુદ ૮ ને ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં નાના સરખા ગામ ચાણસદમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. વ્યવસાયે ખેડુત એવા આ પરિવાર ને પ્રભુભક્તિ સિવાય બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ચાણસદ ગામમાં જ થયું.
તેમના માતાપિતા, મોતીભાઇ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા
શાસ્ત્રીજી મહારાજે જન્મ સમયે યુવાન શાંતિલાલને આશીર્વાદ આપ્યા હતા, અને તેમના પિતાને કહ્યું હતું કે, "આ બાળક અમારું છે; જ્યારે સમય યોગ્ય થાય, ત્યારે કૃપા કરીને તે અમને આપો. તે હજારો લોકોને ભગવાનની ભક્તિ તરફ દોરી જશે. તેના દ્વારા, હજારો મુક્તિ પ્રાપ્ત કરશે

શાંતિલાલ નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ મક્કમ હતા. સ્કૂલનું કામ પૂરું કર્યા પછી, તે ઘણીવાર ગામના હનુમાન મંદિર તરફ જતાં, જ્યાં તે અને નાનપણનો મિત્ર, હરિદાસ નામના હિન્દુ "પવિત્ર માણસ" ની પ્રવચનો સાંભળતો.

કિશોર વયે, શાસ્ત્રીજી મહારાજ સાથે શાંતિલાલનું બંધન ગાઢ બન્યું, અને તેમની નિષ્ઠા અને બુદ્ધિએ ઘણા લોકોને સાથીદારપણામાં પ્રભાવિત કર્યા. ઘણાને લાગ્યું કે શાંતિલાલ શાસ્ત્રીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સાધુઓના હુકમમાં જોડાવાથી સાધુજીવનનો આરંભ કરશે ત્યાં સુધી તે માત્ર સમયની વાત છે.


૭ નવેમ્બર ૧૯૩૯ ના રોજ, જ્યારે શાંતિલાલ સત્તર વર્ષના હતા, ત્યારે તેમને તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મળ્યો, જેમાં સાધુમાં જોડાવા કહ્યું. તેમના માતાપિતાએ તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા, અને શાંતિલાલ તે દિવસે શાસ્ત્રીજી મહારાજ અને તેમના સાધુઓમાં જોડાવા માટે ઘરેથી નીકળ્યા


૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને નામ શાંતિભગત આપ્યુંઅને આશરે બે મહિના બાદ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના દીવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપતી વખતે તેમને નારાયણસ્વરૂપ દાસ સ્વામી નામ આપ્યું.

તેમની સેવાભાવનાથી ગુરુએ તેમનામાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથેસાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસજી બન્યા. 

સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.


યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.
૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.

આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દો તેમના જીવનકાળ દરમ્યાન તેમણે વેઠ્યા. જીવનના પાછલા વર્ષોમાં તેઓ પોતાન પગે ચાલી શકતા ન હતા. ટૂંકી માંદગી બાદ ૯૫ વર્ષની વયે ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના દીવસે સાળંગપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર સંકુલમાં બ્રહ્મલિન થયા

 ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે તેમના અસ્થીનું વિસર્જન કરાયું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉન્મત્ત ગંગાનું સ્થાન અપાયું છે.

પ્રમુખસ્વામી મહારાજ ના જન્મ સ્થળ એટલે કે ચાણસદ ને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નું પવિત્ર યાત્રા ધામ બોર્ડ માં સમાવેસ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે રાજ્યસરકાર 10 કરોડ ઉપરાંત ની ફાળવણી યાત્રા ધામ વિકાસ માટે કરવામાં આવેલ છે જે આવનાર સમય માં આ ધામ વિશ્વ માં જાણીતું થશે.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોટા પર ક્લીક કરવી.


પ્રમુખસ્વામી મહારાજના કાર્યો વિશેની માહિતી માટે  અહી ક્લિક કરવી.

પ્રમુખ સ્વામી મહારાજના વચનો-


  • બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. 
  • બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
  • જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશેતેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
  • ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
  • માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છેતેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.



પ્રમુખ સ્વામી મહારાજા વિશે વિશેષ માહિતી

  • તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.

  • ૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ  લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં  સાધુ બન્યા.

  • ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે  દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે  તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.

  • શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.

  • તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો

  • ૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !

  • પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
  • સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.

  • ૧૦ જાન્યુઆરી,૧૯૪૦ – અક્ષર ડેરી, ગોંડલ – શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.; સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી

  • ૨૩મા વર્ષે સંસ્થાનીવહિવટી કમિટીમાં નિમણૂક

  • ૧૯૪૬માં,૨૪મા વર્ષે   સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી
  • ૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,

  • ૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત  તરીકે  પૂજાય છે.

  • આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
  • પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી  સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે.

  • વિશ્વના અનેક મહાનધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ  સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.

  • ૨૯ ઑગષ્ટ,૨૦૦૦ – તેમનું યુનોની ધર્મસભામાં , (Millennium world peace summit of spiritual leaders),ગુજરાતી માતૃ ભાષામાં પ્રવચન,

  • ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા.

  • ૫૫ જેટલાવિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે; જેના તેઓ સૂત્રધાર છે.
  • સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ-


  • ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે; ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત-ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો;

  • હાલ ૧૧૦૦ ઉપરાંત પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધમંદિરોનું   નિર્માણ. આની  યશ કલગી સમાન, દિલ્હી સ્થિત  વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું.

  • ૮ જુલાઈ – ૨૦૦૦ – ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize()   ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે..

  • ૨૮ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિરસની લ્હાણી

  • પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-

  • ૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.

  • વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન.

  • ૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી)

  • ૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)

  • ૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટીહોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work