મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

28 December, 2020

ધીરુભાઇ અંબાની જીવન પરિચય

 ધીરુભાઇ અંબાણી


પુરુ નામ: ધીરજલાલ હિરાચંદ અંબાણી

જન્મતારીખ: 28 ડિસેમ્બર 1932

જન્મસ્થળ: ચોરવાડ, જૂનાગઢ

પિતાનું નામ; હિરાચંદ ગોરધન અંબાણી

માતાનું નામ: જમનાબેન 

અવશાન:  6 જૂલાઇ 2002 (મુંબઇ)

કેટલાક લોકો જન્મે છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. 


તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જૂનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો.

 જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની સ્થાપના કરી હતી. 

1977માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી,

જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા


શું તમે જાણો છો કે એની શરૂઆત કેવી રીતે થઈ હતી અને કેટલી નામી ઉંમરમા થઈ હતી.

ધીરુભાઇ અંબાણીએ 50,000 રૂપિયા અને બે સહાયકો સાથે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાનો પહેલો ધંધો શરૂ કરવા ધીરુભાઈ પાસે 350 ચોરસ ફૂટનો એક જ ઓરડો હતો. જેમાં ટેબલ, ત્રણ ખુરશીઓ, બે સહયોગી અને એક ટેલિફોન હતો. ધીરુભાઇ અંબાણીએ 16 વર્ષની વયે 10મું ધોરણ પાસ કર્યું અને 17 વર્ષની વયે તેઓ પૈસા કમાવવા 1949માં યમનમાં તેમના ભાઇ રમણિકલાલ પાસે જતાં રહ્યાં. ત્યાં તેમણે ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટ તરીકે દર મહિને 200 રૂપિયામાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીને કારણે તેણે નાની ઉંમરથી જ નાના નાના કામ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા વર્ષો પછી ભારત પાછા ફર્યા અને ગિરનારની તળેટીમાં ભજીયા વેચવાનું શરૂ કર્યું.  થોડા દિવસો સુધી બજારમાં અવલોકન કર્યું અને નજીકથી જોયું ત્યારપછી ધીરુભાઇ સમજી ગયા કે ભારતમાં પોલિએસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં માગ છે ભારતીય મસાલાની. અહીંથી તેમને બિઝનેસનો વિચાર આવ્યો.

1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ(Reliance)ની શરૂઆત કરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

તેણે પોતાના મનમાં નક્કી કર્યું અને રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન નામની એક કંપનીની શરૂ કરી. જેણે ભારતના મસાલાઓનું વેચાણ વિદેશમાં અને ભારતમાં પોલિસ્ટર વેચવાનું શરૂ કર્યું. વર્ષ 2000માં જ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. ધીરુભાઇએ પછીથી તેમના બિઝનેસનો વિસ્તાર વધાર્યો. જેમાં તેમણે પેટ્રોકેમિકલ્સ, ટેલિકમ્યુનિકેન્સ, માહિતી, ટેકનોલોજી, ઉર્જા, પાવર, મૂડી બજારો, કાપડ ઉદ્યોગ વગેરેમાં તેમના વ્યવસાયો સ્થાપિત કર્યા.

ટેક્સટાઈલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઈલ મિલ 1977ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.

ધીરુભાઈએ "વિમલ"' (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યુ હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે "વિમલ"(Vimal) નામ ઘરે-ઘરે જાણીતુ નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ "ઓન્લી વિમલ" ("only Vimal") બ્રાન્ડના કાપડ વેચતા. 1975ના વર્ષમાં વિશ્વ બેન્કની (World Bank) ટેકનિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને "વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ" હોવાનું પ્રમાણપત્ર અપાયુ હતું.

ભારતમાં ઈક્વિટિ કલ્ટ(શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય


સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સઈન્ફર્મેશન ટેકનોલોજીએનર્જીપાવરરીટેલટેક્સટાઈલઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો


હિન્દી ફિલ્મ ”ગુરુ” ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હોવાનું મનાય છે.


મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા

સન્માન અને એવોર્ડ
  • નવેમ્બર 2000- 'મેન ઓફ સેન્ચ્યુરી', ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને આ સન્માન અપાયુ હતું.
  • 2000, 1998 અને 1996માં – 'પાવર 50 - એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ, એશિયાવીક(Asiaweek) મેગેઝિન દ્વારા .
  • જૂન 1998 - ડીન્સ મેડલ' , નેતૃત્વનું અનોખું ઉદાહરણ આપવા બદલ ' ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સ્લિવિનિયા(The Wharton School, University of Pennsylvania). સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરનાર ભારતીયનું ગૌરવ ધીરુભાઈને મળે છે 
  • ઓગસ્ટ 2001 – ધી ઈકોનોમિક ટાઈમ્સ(The Economic Times) એવોર્ડ, કોર્પોરેટ શ્રેષ્ઠતા માટે' લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે. '
  • ' ધીરુભાઈ અંબાણી મેન ઓફ 20એથ સેન્ચ્યુરી, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(Federation of Indian Chambers of Commerce and Industry) ' (FICCI) દ્વારા જાહેર થયા.
  • ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (Times of India) દ્વારા 2000માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. તેઓ ભારતના સાચા પુત્ર છે.'
  • ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર ૨૦૦૨માં ધીરુભાઇ અંબાણીની ટપાલ ટિકિટ બહાર પાડી છે

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work