મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 March, 2021

રુડોલ્ફ ડીઝલ

                   ડીઝલ એન્જિનના શોધક




રૂડોલ્ફ ડીઝલ નો જન્મ તા. ૧૮/૩/૧૮૫૮ના રોજ ફ્રાન્સના પેરિસમાં થયો હતો.

તેમના પિતા મોચી કામ કરતા હતા અને માતા સરકારી કચેરીમાં ભાષાંતરકાર તરીકે નોકરી કરતા હતા. રૂડોલ્ફ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.

માત્ર ૧૨ વર્ષની નાની વયે પેરીસની વિખ્યાત શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ફેંકો પર્શિયન યુધ્ધમાં તેમણે શત્રુ માની ભગાડી દીધાં હતા. પણ તેમના એક નજીકના ભાઈ ભત્રીજાએ પોતાના વતનમાં પરત લાવવા માટે મદદ કરી હતી. ત્યારપછી રોયલ ફ્રન્ટી ટ્રેડ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.

1870 માં જર્મની અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાન્સે પોતાના દેશમાં વસતા બધા જર્મન લોકો ને દેશ નિકાલ કરાવ્યો એટલે રુડોલ્ફના કુટુંબને પણ બ્રિટન મોકલી દેવામાં આવ્યું.ત્યાં નાની નોકરી પર રુડોલ્ફ નું ભણતર આગળ વધારી શકાય તેમ નહોતું એટલે તેના પિત્રાઈ ભાઈએ રુડોલ્ફ ને જર્મની પરત બોલાવી લીધો.અહી તેને મ્યુનિક ની ટેકનીકલ સ્કુલ માં પ્રવેશ મળ્યો જ્યાં તેના ગુરુ હતા કાર્લ વોન લિન્ડ કે જેણે રેફ્રીજરેશન ની ટેકનોલોજી શોધી હતી


તે સમયે વરાળ યંત્રનો જમાનો હતો અને તેની રચના સુધારવાનો કોઈ સવાલ ન હતો કેમ કે તેમાં દહન પિસ્ટન વાળા સીલીન્ડર ની બહાર થતું હતું અને ત્યાં જ સારી એવી ઉર્જા વપરાય જતી હતી.એન્જીન ની વધુ કાર્યક્ષમતા માટે આંતરિક દહન જરૂરી હતું.આ જાત નું પ્રથમ દહન યંત્ર નિકોલસ ઓટો નામના જર્મન સંશોધકે બનાવ્યું હતું જે પેટ્રોલ એન્જીન ના નામે પ્રખ્યાત થવાનું હતું.બળતણનું દહન તેમાં આંતરિક રીતે થતું હોવા છતાં પણ તેની કાર્યક્ષમતા 20% થી વધુ ન હતી.આ બધી જ સમસ્યાનું કારણ રુડોલ્ફે શોધી કાઢ્યું અને એક નવા પ્રકારનું એન્જીન બનાવ્યું.

નિકોલસ ઓટોનું એન્જીન ચાર સ્ટ્રોક માં વિભાજીત હતું જેમાં બળતણ અને હવા નું મિશ્રણ સીલીન્ડર માં ગયા પછી સ્પાર્ક પ્લગ વડે બળતણ સળગતું હતું તો રુડોલ્ફે પોતાના એન્જીન માં સ્પાર્ક પ્લાગને સાવ બાકાત જ કરી દીધો.તેણે પોતાના એન્જીન ને ચાર ભાગમાં જ વિભાજીત રાખ્યું અને  સુધારો કર્યો 

ગ્રેજ્યુએશન પછી 1880 માં પેરિસમાં રેફ્રિજરેટર એન્જિનિયર તરીકે તેમને નોકરી મળી હતી.

સ્નાતકની પદવી મેળવ્યા પછી બે વર્ષ મશિનીષ્ટ વિન્ટરથુર સ્વિઝરલેન્ડમાં નોકરી કરી ત્યારપછી તેઓ પેરીસ પાછા ફર્યા. તેમણે રેફ્રીજરેશન એન્જીનિયરીંગ તરીકે નોકરી કરી હતી. તેમણે દાયકા સુધી સૌરઊર્જા પર ચાલતા એર એન્જીન સહિતના હિત અન્જીનો પર કામ કર્યું.

સબમરીન, જહાજ, રેલ્વે એન્જીનો, પેસેન્જર કાર, મોટા ટ્રક તેમ જ ઉર્જા ઉત્પાદક પ્રકલ્પોમાં એ વપરાશમાં લેવાય છે. તેમણે ઈ.સ.૧૮૮૩માં  લગ્ન કર્યા. અને તેમણે ત્રણ સંતાનો હતા

૧૦મી ઓગસ્ટ ૧૯૭૩ના રોજ રૂડોલ્ફ ડીઝલની નવું મોડલ તેમણે બનાવ્યું. ૧૦ ફૂટના આયર્ન સિલીન્ડર અને ફ્લાય વ્હીલના બેઝ્વાલા મોડલને સૌપ્રથમ સફળતા મળી હતી

આ ડીઝલ એન્જીન બનાવવામાં એડોલફૂસ બુશે તેમને આર્થિક મદદ કરી હતી.


ડીઝલ એન્જિન

રુડોલ્ફ ડીઝલએ સૌર-સંચાલિત એર એન્જિન સહિત ઘણાં હૅટ એન્જિનનું નિર્માણ કર્યું હતું. 1893 માં, તેમણે એક સિલિન્ડર, આંતરિક કમ્બશન એન્જિનમાં જ્વલન સાથે એન્જિનનું વર્ણન કરતા એક પેપર પ્રકાશિત કર્યો. ઓગસ્ટબર્ગમાં, 10 ઓગસ્ટ, 1893 ના રોજ જર્મનીમાં, રુડોલ્ફ ડીઝલનો મુખ્ય મૉડલ, તેના પાયા પર ફ્લાયવીહલ ધરાવતો એક 10 ફુટના લોખંડ સિલિન્ડર, પહેલી વખત પોતાની શક્તિ પર દોડ્યો હતો. તે જ વર્ષે તેમણે વિશ્વ માટે આંતરિક કમ્બશન એન્જિનનું વર્ણન કરતી એક કાગળ પ્રકાશિત કરી.

1894 માં, તેમણે ડીઝલ એન્જિન નામની નવી શોધ માટે પેટન્ટ માટે અરજી કરી હતી. ડીઝલ લગભગ તેના એન્જિન દ્વારા હત્યા કરવામાં આવી હતી જ્યારે તે વિસ્ફોટ થયો હતો.

ડીઝલમાં વધુ બે વર્ષ સુધી સુધારો કરવામાં આવે છે અને 1896 માં વરાળ એન્જિનના દસ ટકા કાર્યક્ષમતાના વિરૂદ્ધ, 75 ટકા સૈદ્ધાંતિક કાર્યક્ષમતા સાથે અન્ય એક મોડેલનું પ્રદર્શન કર્યું હતું.
1898 માં રુડોલ્ફ ડીઝલને "આંતરિક કમ્બશન એન્જિન" માટે પેટન્ટ # 608,845 આપવામાં આવ્યું હતું. આજે ડીઝલ એન્જિન રુડોલ્ફ ડીઝલના મૂળ ખ્યાલના શુદ્ધ અને સુધારેલા વર્ઝન છે.

તેઓ ઘણીવાર સબમરીન , જહાજો, લોકોમોટિવ્સ, અને મોટા ટ્રક અને ઇલેક્ટ્રિક ઉત્પાદન પ્લાન્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે.


રૂડોલ્ફ ઈ.સ.૧૮૮૫માં પેરીસ ખાતે સૌપ્રથમ શોપ લેબોરેટરીની સ્થાપના કરી હતી. આખો દિવસ એન્જીન બનાવવાની  કામગીરી કરતા હતા. અથાગ પરિશ્રમના અંતે ઈ.સ.૧૮૯૭માં ડીઝલ એન્જીન બનાવવાની સફળતા પ્રાપ્ત થઇ.

ઈ.સ.૧૮૯૬નાં અંતિમ દિવસ તેમણે એ વખતે પ્રવર્તમાન વરાળ એન્જીન કરતા ખૂબ જ વધુ કાર્યક્ષમતા ધરાવતા બીજા મોડેલનો પ્રયોગ કરી જોયો. તેની તાંત્રિક ક્ષમતા ૭૫.૬ ટકા હતી.

વરાળ યંત્રની તો ૧૦ ટકા કે ઓછી હતી. જો કે તેનું વેપારી દ્રષ્ટીએ ઉત્પાદન વધુ  એક વર્ષ વાલાન્બમાં મૂકાયું. પણ ૧૮૯૮માં વિશ્વસ્તરે તેના ફ્રેન્ચાઈઝની ફી મેળવીને ડીઝલ લખપતિ બની ગયા.

તેમના શોધનો નાના ઉદ્યોગો દ્વારા ઉપયોગ થઈ શકે છે, પરંતુ ઉદ્યોગપતિઓ દ્વારા તે આતુરતાથી સ્વીકારી લેવામાં આવ્યા હતા. તેમના એન્જિનનો પાવર પાઈપલાઈન, ઇલેક્ટ્રિક અને વોટર પ્લાન્ટ્સ, ઓટોમોબાઇલ્સ અને ટ્રકો અને દરિયાઈ યાન માટે ઉપયોગ થતો હતો, અને ખાણો, ઓઇલ ફિલ્ડ્સ, ફેક્ટરીઓ અને ટ્રાન્સસોસીક શિપિંગમાં ટૂંક સમયમાં ઉપયોગ થતો હતો. ડીઝલ 20 મી સદીના અંત સુધીમાં મિલિયોનેર બન્યું હતું.

1 9 13 માં, રુડોલ્ફ ડીઝલ એક દરિયાઈ સ્ટીમર પર લંડન સુધી પહોંચ્યા હતા.

તેમનું અવસાન ૨૯ સપ્ટેમ્બર ૧૯૧૩ના રોજ થયું હતું.


વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day)

 20 માર્ચ




 દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે
 આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. 
 વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો

ચકલીનો કદ અને દેખાવ :



ચકલી એક નાનકડું ૧૪ થી ૧૬ સે.મી. લંબાઈ ધરાવતું હલકા ભૂખરા કે સફેદ રંગનુ પક્ષી છે. તેની ચાંચ મજબુત અને પીળા રંગની હોય છે. 

નર ચકલીની ઓળખ એના ગળાની આસપાસ આવેલા કાળા ડાઘ પરથી કરી શકાય છે. નર ચકલીનાં માથાનો ઉપરી ભાગ, નીચેનો ભાગ અને તેના ગાલ ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા રંગના હોય છે. 

 નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતો જોવા મળે છે.

માદા ચકલીનાં માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. લોકો નરને ચકલો અને માદાને ચકલીના નામથી ઓળખે છે.

જીવન ચક્ર :

ચકલીનાં ઈંડા લંબ ગોળાકાર, લીલાશ પડતા સફેદ રંગના અને તેના પર ભૂખરા રંગની છાંટ હોય છે. સામાન્ય રીતે ચકલી ૪ થી ૫ ઈંડા મુકે છે. 



ઈંડા મુકવાની પ્રક્રિયા સામાન્ય રીતે વાતાવરણ, માદાની ઉંમર તથા તેની પ્રજનન ક્ષમતા પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. તેના ઈંડા સેવનનો સમયગાળો ૧૧ થી ૧૪ દિવસનો હોય છે. ઈંડામાંથી નિકળતા બચ્ચાં સામાન્ય રીતે ૧૪ થી ૧૬ દિવસ સુધી માળામાં રહે છે. ચકલીનાં બચ્ચા સામાન્ય રીતે ચાર દિવસ બાદ પોતાની આંખો ખોલે છે.

અવાજ :

ચકલીનો અવાજ સાંભળવા ક્લિક કરો.

ચકલી આખું વર્ષ ચીં…ચીં…જેવા અવાજનું વારંવાર પુનરાવર્તન કરતી હોય છે. જે ઓગષ્ટમાં ઓછું અને ઠંડી અને વરસાદના દિવસોમાં વારંવાર બંને જાતિઓ ચીં…ચીં…કરે છે. માદા નર સાથી વગર વધુ અવાજ કરે છે. મોટાભાગનાં અવાજો માળાના સ્થળ સાથે સંકળાયેલા હોય છે.

નેચર ફોરએવર સોસાયટી
વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી એ નેચર ફોરએવર સોસાયટીની  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય પહેલ છે. 

નેચર ફોરએવર સોસાયટીની શરૂઆત ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી, જેમણે નાસિકમાં ઘરની સ્પેરોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું, અને તેમના પ્રયત્નો માટે Time megezine દ્વારા વર્ષ 2008 માટે તેમને "પર્યાવરણના હીરો(Heroes of the Environment)" તરીકે નામ આપવામાં આવ્યું હતું. 

નેચર ફોરએવર સોસાયટી દ્વારા દર વર્ષે ચકલીઓને બચાવવા અને તેના રક્ષણ માટેની કામગીરી કરી હોય તેમને સ્પેરો એવોર્ડ આપવામાં આવે છે.


ઘર ચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે.
વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે અને ગુજરાતમાં 40 પ્રકારની ચકલીઓની જાત જોવા મળે છે.

તેનુ વજન 25થી 30 ગ્રામ હોય છે. . ચકલી 15 દિવસમાં ઉડતા શીખી જાય છે



 ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે.

ચકલીઓ સામાન્ય રીતે કલાક દીઠ 38 કિમીની ઝડપે ઉડે છે. પરંતુ મુશ્કેલીના સમયે તેઓ કલાક દીઠ 50 કિમી ઝડપે ઉડી શકે છે.

ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે.

ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે

હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે.

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા થઇ રહી છે.
 આધુનિક સ્થાપત્યની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી.



સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. 

 મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે.

વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. 

પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. 

ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી




રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાંખી છે.

જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે.

 ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના  રેડિએશન પણ ચકલીના મોતનું કારણ છે.




ચકlલીઓને બચાવવાં આટલું જરુર કરીએ.:-

સંરક્ષણ માટેના ઉપાયો :

  • ઘરમાં નકામાં પડેલ પૂઠાના ખોખાંનો ઉપયોગ કરી ચકલી ઘર બનાવી શકાય.
  • માટીના માળાં લાંબો સમય ચાલે એવા હોઈ ચકલીને ઘર બનાવવા માટે વધુ અનુકુળ રહે છે.
  • માળામાં ૪ સે.મી ના વ્યાસ વાળું પ્રવેશધ્વાર બનાવીએ તો એમાં ચકલીઓ જ પ્રવેશ કરી શકે, બીજા પક્ષીઓ જે તેનાથી મોટા હોય તેને નુકસાન કરી શકતા નથી.
  • બિલાડી કે કૂતરા પહોંચી ના શકે એવી ઉંચી જગ્યાએ ગેલેરીમાં કે બારી બારણા નીચે દીવાલને અડીને ખૂણામાં માળો રાખવા જોઈએ.
  • માળાં પર સીધો સુર્ય પ્રકાશ કે વરસાદ પડે નહિ એની કાળજી લેવી
  • જ્યાં પંખા લગાવેલ હોય ત્યાં માળા ન લગાવવા જેથી જીવ હિંસાથી બચી શકાય.
  • ધાન્ય ખોરાકમાં બાજરી, કાંગ, ચોખાની કણકી વગેરે નાના ધાન્ય નિયમિત પણે આપવા તેમજ તેને પાણી મળી રહે એ માટે વ્યવસથા કરવી
  • માળામાં તણખલાં મુકાવાનું શરુ કરે એટલે એનાથી દુર રહેવું.વારંવાર દખલ કરવાથી એને ભય લાગતો હોય છે.
  • પક્ષીઓને ઉપયોગી હોય એવા ફૂલ-છોડ રોપીએ.
  • બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવીએ
  •  ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
  •  ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
  •  દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
  •  ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
  •  બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.
બાળપોથીમાં ગુંજતુ બાળગીત ''ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો  કે નઈ, આવશો  કે નઈ ?''ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપાણાં ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ




કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે. કે
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”

theme
2017 - 2022:   LOVE Sparrows
 વર્લ્ડ સ્પેરો દિવસની થીમ 2017 થી 2022 સુધી એક જ છે.

 ચકલી સંરક્ષણ ઝુંબેશના સમર્થનના ભાગ રૂપે ચકલીને ૨૦૧૨ માં દિલ્લીનું અને ૨૦૧૩ માં બિહારનું "રાજ્ય પક્ષી" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

ચકલી વિશેના ગીતો અને કવિતાઓ

ચકીબેન ચકીબેન

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા
આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

પહેરવાને સાડી મોરપીંછાવાળી, ઘમ્મરિયો ઘાઘરો
આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

ચક ચક કરજો, ચીં ચીં કરજો, ખાવાને દાણા
આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

બા  નહિ  બોલશે,  બાપુ  નહિ  વઢશે
નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો
નાનો બાબો તો  ઊંઘી ગયો ઊંઘી ગયો
આ ગીત સાંભળવા અહી ક્લિક કરો.

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

~ રમેશ પારેખ


અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરુંખાલી છે આ કાચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતીઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારુંના કર અમથી જાંચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદરતારો સુંદર નાચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છેકૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છેઅંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આનહીં આવે કંઈએને ઊની આંચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

જિતેન્દ્ર જોશી


17 March, 2021

સાયના નેહવાલ

સાયના નેહવાલ એ એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે 


જન્મ: 17 માર્ચ 1990

પિતાનું નામ: હરવીરસિંહ

માતાનું નામ : ઉષા રાની


સાયનાનો જન્મ 17 માર્ચ, ૧૯૯૦ના દિવસે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર શહેરમાં થયો હતો

તેના પિતા હરવીર સિંહ હરિયાણાની એક કૃષિ યુનિવર્સિટીમાં નોકરી કરે છે, જ્યારે તેની માતા ઉષા રાણી, સાયના જેવી બેડમિંટન ખેલાડી, રાજ્ય કક્ષાએ બેડમિંટન રમતી હતી.

નેહવાલે હરિયાણાના હિસારની એક સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું, પરંતુ પિતાના હૈદરાબાદ સ્થાનાંતરણને લીધે તેના પિતાને હૈદરાબાદ ખસેડવું પડ્યું હતું. આ પછી, સાયનાએ સેન્ટ એની કોલેજ મહેદીપટ્ટનમ, હૈદરાબાદથી પોતાનો 10 મો વર્ગ પાસ કર્યો છે.

સાઇના અભ્યાસ કરતી એક વિદ્યાર્થી પણ હતી, ઉપરાંત તે રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ તેની શાળામાં ખૂબ સક્રિય હતી. સ્કૂલમાં ભણતી વખતે તેણે કરાટે પણ શીખ્યા, તેમાં બ્રાઉન બેલ્ટ પણ છે.

કલાકો સુધી બેડમિંટન પ્રેક્ટિસ કરવા માટે તેના પિતા સ્કૂલે જતા પહેલા દરરોજ સવારે 4 વાગ્યે સાયનાને પસંદ કરતા હતા.

સાયનાના પિતાએ તેને વ્યાવસાયિક બેડમિંટન રમવા માટે તાલીમ આપવાનો નિર્ણય કર્યો અને તે પછી સાયના નેહવાલ હૈદરાબાદના લાલ બહાદુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે બેડમિંટન કોચ "નાના પ્રસાદ" ને મળી અને ત્યારબાદ તેની સાથે બેડમિંટન રમવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું, સૌની નાના પ્રસાદને તેમાંથી કેટલાક શીખવા મળ્યાં બેડમિંટનની આકર્ષક પ્રવૃત્તિઓ, જે તે આજ સુધી ચાલુ રાખે છે.

તે પછી ટૂંક સમયમાં, દેશની શ્રેષ્ઠ બેડમિંટન ખેલાડી, સાયના નેહવાલે દેશનું સન્માન કર્યું અને દ્રોણાચાર્ય એવોર્ડ "એસ" એનાયત કર્યો. "એમ. આરીફ" માંથી બેડમિંટન યુક્તિઓ જાણો. ત્યારબાદ સાયના હૈદરાબાદની "પુલેલા ગોપીચંદ એકેડમી" માં જોડાઈ અને તેની બેડમિંટન રમતોની પ્રતિભાને વધુ વધારી, જ્યાં સાયનાએ દેશના સૌથી પ્રખ્યાત બેડમિંટન ખેલાડી અને કોચ ગોપીચંદ જી પાસેથી બેડમિંટન રમવાની કુશળતા શીખી.


તે જ સમયે, ગોપીચંદ જીએ સાઈના નેહવાલને યોગ્ય માર્ગદર્શન આપીને તેમની ભૂમિકાની પ્રતિભાને ઉજાગર કરવામાં પણ મદદ કરી અને તેમને વર્લ્ડ ક્લાસ ખેલાડી બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાયના નેહવાલ પણ કોચ ગોપીચંદ જી, જેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે, તે તેમનો માર્ગદર્શક માને છે.

ભારતીય બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલે 14 ડિસેમ્બર 2018 ના રોજ પ્રખ્યાત બેડમિંટન ખેલાડી પરુપલ્લી કશ્યપ સાથે લગ્નસંબંધ બાંધ્યો હતો.

સાયના નેહવાલે વર્ષ 2003 માં જુનિયર જુનિયર ઓપનમાં તેની પ્રથમ ટૂર્નામેન્ટ રમી હતી અને ચિત્તાકર્ષક રીતે જીત મેળવીને તે જીત્યો હતો.

સાયના ઑલમ્પિક રમતોત્સવમાં એકલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે,

સાઇના 2004 માં આયોજિત કોમનવેલ્થ યુથ ગેમ્સમાં બીજા સ્થાને રહી.

એશિયન સેટેલાઇટ બેડમિંટન ટૂર્નામેન્ટમાં સાઇનાએ પણ પોતાની આકર્ષક રમતવીર બતાવી અને પોતાનું નામ જીતીને ટૂર્નામેન્ટ જીતી લીધી.

સાઇનાએ વર્ષ 2006 માં 4- સ્ટાર ટૂર્નામેન્ટ - ફિલિપાઇન્સ ઓપનમાં ભાગ લીધો હતો અને તેણે અહીં અજાયબીઓ પણ આપી હતી. આ સાથે, તે ફક્ત 16 વર્ષની ઉંમરે આ ખિતાબ જીતનાર ભારત અને એશિયાની પ્રથમ અંડર -19 ખેલાડી બની હતી. આ સિવાય સાયનાએ ફરી એકવાર સેટેલાઇટ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી.

બેડમિંટન  પહેલા સાયના કરાટેની ચેમ્પિયન હતી, જેમાં તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે. 

તેણે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ચાર મેડલ જીત્યા છે - એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ. 

તેના માતાપિતા હરવીર સિંહ અને ઉષા નેહવાલ પણ હરિયાણામાં સ્ટેટ બેડમિંટન ચેમ્પિયન હતાં. 

સાયનાએ 21 આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવ્યા છે. 

2010 માં નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તે આઠમાની એકબ્રાન્ડ એમ્બેસેડર હતી.

સાયના વિશ્વના સૌથી વધુ વેતન મેળવનારા બેડમિંટન ખેલાડી છે, 

વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે

તે બે વખત એશિયન સેટેલાઇટ બેડમિંટન ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ મહિલા બેડમિંટન ખેલાડી છે. 

 સાયના નેહવાલ પણ ઇન્ડિયન બેડમિંટન લીગમાં તેના શહેર હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરે છે.

 લોકોને રમતગમત પ્રત્યેની રુચિ વિકસાવવા પ્રેરણા આપવા માટે તેણે પોતાની આત્મકથા પ્લેઇંગ ટુ વિન (Playing to Win) લખી હતી.

સાયનાનું નામ વિશ્વ ઇતિહાસમાં ૨૧ જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીન દેશની લિન વાંગ નામની ખેલાડીને જાકાર્તા ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી.

તેણીને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા

તે ઓલમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી  છી 

ફોર સ્ટાર ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

અને સૌથી યુવા એશિયન ખેલાડી પણ તે છે.

હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને  "ભારતની પ્રિય પુત્રી( “the darling daughter of India”) તરીકે ઓળખાવ્યા

બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ ભાજપમાં સામેલ થઇ ગઈ છે. તે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરશે

એવોર્ડ

2016 - પદ્મભૂષણ

2010‌ - રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડ 

2010 - પદ્મશ્રી

2009 - અર્જુન એવોર્ડ

15 March, 2021

રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day)

 16 માર્ચ



ભારતમાં 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day 2021)ના રૂપમાં માનાવામાં આવે છે. 

રાષ્ટ્રીય રસીકરણ દિવસ સૌપ્રથમ 1995માં ઉજવવામાં આવ્યો હતો, આ દિવસે દેશમાં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરુ કરાયો હતો

નેશનલ વેક્સિનેશન ડેને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને દર વર્ષે 16 માર્ચના રોજ ઓજવવામાં આવે છે. વેક્સિનેશન ડે લોકોને રસીકરણનું મહત્વ સમજાવવાનો છે. આ દિવસ સૌપ્રથમ વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો, આ દરમિયાન ભારતમાં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરુ કરાયો હતો. પરંતુ આ વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતમાં આ વર્ષની શરૂઆતમાં વિશ્વનો સૌથી મોટો કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે.

ભારતમાં વર્ષ 1955માં મુખેથી પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું

આ વ્યાપક કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા આપવામાં આવી હતી. તે પછી, પોલિયોની ઘટના ધીમે ધીમે ઓછી થઈ અને આખરે દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો. 2014 માં, ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો હતો.

રસીકરણથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિના એન્ટિબોડી બનાવામાં મદદરૂપ થાય છે. રસીથી વાયરસ કે બેક્ટેરિયાના જીવાણુઓનો નાશ થાય છે. સાથે જ એન્ટિબોડી બને છે, જેના કારણે શરીરની સુરક્ષા થશે.

રસીના ઉત્પાદનક્ષેત્રે ભારત પાવરહાઉસ ગણાય છે. દુનિયાભરની 60 ટકા રસીઓ ભારતમાં ઉત્પાદિત થાય છે.

વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચાલે છે. તેના હેઠળ દર વર્ષે 5.5 કરોડ મહિલાઓ અને નવજાત શિશુઓને 39 કરોડ રસી આપવામાં આવે છે.

છેલ્લા બે દાયકામાં, રસીઓ જોખમી રોગો સામે લડવાનું એક અવિભાજ્ય સાધન બની ગઈ છે. આને કારણે લાખો લોકો ટેટનસ, પોલિયો અને ટીબી જેવી ભયંકર જીવલેણ રોગોથી બચી ગયા છે.

રસીકરણ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1796 માં એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવ્યો હતો.

રસીકરણ (Latin: vacca—cow) નું નામ એટલે પાડવામાં આવ્યું કે પ્રથમ રસી ગાય઼ોને અસર કરતા વાયરસ — સાપેક્ષ રીતે સૌમ્ય કાઉપોક્ષ વાયરસમાંથી મેળવવામાં આવી હતી—જે શીતળા, એક ચેપી અને ઘાતક રોગ સામે એક અંશની રોગપ્રતિરક્ષા આપતી હતી

રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.

અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ

કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે.

રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.

પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં 5 વર્ષથી નાના બાળકોને મોઢા દ્વારા પોલિયો વેક્સીન પીવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો ભારતમાં ખહોબા સારો પ્રભાવ પડ્યો, જેના કારણે વર્ષ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરી 2011ના રોજ પશ્ચિમ બંગાળમાંથી પોલિયોનો છેલ્લો કેસ સામે આવ્યો હતો.

જે બાદથી ટેટનસ, રોટાવાયરસ, TB, DPT, ગાલપચોળિયા જેવા રોગો માટે મહત્વની રસીઓ બનાવાઈ છે.

સૌથી વધુ આ ત્રણ રસીઓનું ઉત્પાદન થાય છેઃ (1) લાઇવ વૅક્સિન (2) નિષ્ક્રિય રસી (3) જનીન આધારિત રસી

ભારતમાં કોઈ પણ રસીનું નિર્માણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે થાય છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા નામની સરકારી સંસ્થા તેના તમામ તબક્કાની સમીક્ષા કરે છે.

સરકારની રાષ્ટ્રીય રસીકરણ યોજનાઓ

ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 1978માં આ પ્રોગ્રામ શરુ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત 1989માં દેશના તમામ જિલ્લાઓને આવરી લેવાયા હતા. આ પ્રોગ્રામ હેઠળ બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન રસી, ઓરલ પોલિયો રસી, હિપેટાઇટિસ બી રસી, ટેટાનસ અને પુખ્ત ડિપ્થેરિયા (ટીડી) રસી, ડીપીટી, JE રસી, PCV, રોટાવાયરસ રસી, પેન્ટાવેલેન્ટ રસી આપવામાં આવતી હતી.

મિશન ઇન્દ્રધનુષ

25 ડિસેમ્બર 2014ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા આ મિશનની શરૂઆત કરાઈ હતી. આ મિશનનો હેતુ ભારતમાં રસીકરણને 90 ટકા સુધી વધારવાનો અને 2020 સુધી તેને જાળવવાનો હતો. દેશમાં આઠ રોગો સામે હાલ રસીકરણ ચલાવાઈ રહ્યું છે, જેમાં ડિફથેરીયા, ટેટેનસ, હૂપિંગ કફ, પોલિયો, ઓરી, બાળપણના ક્ષય રોગ અને હિપેટાઇટિસ બી અને મેનિન્જાઇટિસ અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી દ્વારા ન્યુમોનિયા; અને અમુક રાજ્યો અને જિલ્લાઓમાં અનુક્રમે રોટાવાયરસ ડાયેરિયા અને જાપાની એન્સેફાલીટીસ સામેનું રસીકરણ દેશમાં ચાલી રહ્યું છે.

પોલિયો

1955 માં ભારતમાં પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને (Polio) જડમૂળમાંથી દૂર કરવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલિયોની રસીના (Polio Vaccine) 2 ટીપા આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી ધીરે ધીરે પોલિયોના કેસ ઘટતા ગયા અને વર્ષ 2014 માં ભારતને પોલિયો મુક્ત દેશ (Polio Free India) જાહેર કરવામાં આવ્યો હતો.

કોરોના રસી


ભારત સરકાર દ્વારા કોરોનાની બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન છે. જ્યારે બીજી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે.

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને વેક્સિન તૈયાર કરી છે.

કોરોના મહામારીએ ફરીથી રસીકરણ ઉપર પ્રકાશ પાથર્યો છે. કોરોના મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. અને કોરોના સામે લડતી કોરોના વેક્સિન પણ હવે દુનિયા સામે આવી ગઈ છે. આ સાથે જ ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. 

ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છેઃ કોવિશિલ્ડ અને કૉવેક્સિન. કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.

કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે. આરોગ્યમંત્રાલયે જણાવ્યું કે અત્યારે કોવિશિલ્ડની રસીની 110 લાખ (1.1 કરોડ) શીશી ખરીદવામાં આવી રહી છે.

બીજી તરફ કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કૉવેક્સિનની કુલ 55 લાખ રસી ખરીદવામાં આવી રહી છે.

ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ માટે 130 કરોડ લોકોને રસી આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે. ત્યારપછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, સેનિટાઈઝેશન કામદારોને રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને પહેલેથી કોઈ બીમારીનો સામનો કરતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી અપાશે

સરકારની જુલાઈ 2021 સુધીમાં 30 કરોડો લોકોને કોવિડની રસી આપવાની યોજના છે અને તેને વિશ્વનું 'સૌથી મોટું રસીકરણ અભિયાન' પણ કહેવામાં આવે છે

 વિશ્વમાં સૌથી વધુ ઝડપી રસીકરણ ભારતમાં થઈ રહ્યું છે. માત્ર 11 દિવસમાં 20 લાખ કર્મચારીઓને રસી અપાઈ છે. અમેરિકામાં 20 લાખ લોકોને રસી આપતાં 15 દિવસ તો બ્રિટનમાં 34 દિવસ થયા છે. કોરોના વાયરસના આંક 10.14 કરોડે પહોંચ્યો છે. વિશ્વમાં 21.84 લાખ લોકોના મોત થયા બાદ વેક્સિનેશનની કામગીરી આરંભાઈ છે. અત્યારસુધી 73.23 લાખ લોકો સાજા થઈ ગયા છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં  કોવિશિલ્ડ નામની વેક્સીન બનાવવામાં આવેલ છે.

વિવિધ રસી અને તેના શોધકો

શીતળાની રસી ના શોધક-એડવર્ડ જેનર

હડકવાની રસી શોધક- લુઇ પશ્ચર

બી.સી. જી ની રસીના શોધક‌-  કાલમેટ ગ્યુટિન

પોલિયોની રસીના શોધક્- જોનાસ સાલ્ક

કોલેરાની રસીના શોધક-  રોબર્ટ કોચ

 રોટા વાઈરસ રસીના શોધક- પોલ ઓફ્ફીટ 

હીબ- એમએમ.આર.- હીપેટાઈટીસ એ ,અછબડા મેનિનજાઈટીસ- વિ. આઠ રસીના શોધક-  મોરી હીલમેન

ઓરીની રસીના શોધક-  જેમ્સ એંડરસન

હીપેટાઈટીસ બીની રસીના શોધક - બરુચ એસ. બ્લુમબર્ગ

ડી.પી..ટીની રસીના શોધક - એમીલે બેરીંગ

રસીકરણ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.