મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

13 August, 2021

શ્રી અરવિંદ ઘોષ

 શ્રી અરવિંદ ઘોષ


જન્મતારીખ: 15 ઓગસ્ટ 1872

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: ડૉ. કૃષ્ણઘન ઘોષ

માતાનું નામ: સ્વર્ણલતા

અવશાન: 5 ડિસેમ્બર 1950

ઉપનામ/ઉપાધિ: મહર્ષિ

ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે

અરવિંદના પિતા ડો. કૃષ્ણધન ઘોષ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. અરવિંદ ઘોષ ત્રીજા પુત્ર હતાં. અરવિંદની માતા સ્વર્ણલતા બ્રહ્મસમાજી દેશની સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલા હતા તેથી તેમનામાં પૂર્ણ ભારતીય સંસ્કારો હતાં.

દાર્જીલીંગ અંગ્રેજી સ્કુલમાં દાખલ કરાવી દિધા. તેમને ત્યાં અંગ્રેજીની સાથે સાથે લેટીન ભાષા પણ શીખી હતી 

તેમના પિતા પોતાના બાળકોને ખુબ જ સારી શિક્ષા આપવા માંગતા હતાં તેથી તેમણે પોતાના પુત્રોને લંડનની સ્કુલમાં મોકલી દીધા.

અરવિંદ નાનપણથી જ ખુબ હોશિયાર હતાં. તેઓ સ્કુલના પુસ્તકોની સાથે સાથે બહારના પુસ્તકો પણ વાંચતાં હતાં. તેઓને નાનપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. તેમનો આ શોખ ધ લાસ્ટ પોયમ્સ પર આવીને પૂર્ણ થયો હતો. અરવિંદની બધી જ કવિતાઓ સાવિત્રી નામના ગંદયકાવ્યની અંદર રાખવામાં આવી છે.

તેઓ મુનિઓ જેવું જીવન જીવતાં હતાં. તેઓએ ત્યાં રહીને ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. આ સિવાય તેમને સમકાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, દર્શન, સમાજ વગેરેનો ઉંડો અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. આ સમય દરમિયાન તેમણે આઈસીએસ માટેની તૈયારી કરી અને સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી. જો કે, તેણે અશ્વવિષયક પરીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેઓ સિવિલ સેવામાં જોડાઈ શક્યા નહીં.

અરવિંદ નહોતા ઈચ્છતાં કે તેઓ આઈ.સી.એમ. બને અને તેમના પિતાની ઈચ્છા તેમને આઈ.સી.એમ બનાવવાની હતી.

અરવિંદના હદયમાં પિતાની પ્રેરણાથી પ્રજ્વલિત રાષ્ટ્રીય સન્માનની ભાવના જાગ્રત થઈ અને તેઓ વિદેશમાં રહીને પણ આઝાદીના લડવૈયાઓની સાથે મળીને ભારતના સ્વતંત્ર આંદોલનના વિષયમાં જાણકારી લેતાં રહ્યાં.

તેમણે બ્રિટિશ કાયદા સામે અવાજ ઉઠાવ્યો અને ઘણા લેખો લખ્યા. આ વિરોધ માટે તેને જેલમાં જવું પડ્યું હતું પરંતુ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જો કે, બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યા હતા.

અરવીંદે ઇંગ્લેન્ડમાં ભણતા બીજા ભારતીય યુવાનો સાથે મળીને એક ક્રાંતિકારીઓનું મંડળ બનાવ્યું જેનું નામ "મજલીસ" રાખ્યુ અને બીજુ મંડળ લંડનમાં બનાવ્યુ જેનુ નામ : લોટ્સ એન્ડ ડ્રેગર- કમળ અને ખંજળ" રાખ્યું. આ મંડળના સભ્યોએ ઇંગ્લેન્ડની ભૂમિ પર જ હિંદને સ્વતંત્ર કરવાની ઘોષણા કરી તેમજ બ્રિટિશ વિરુદ્ધ કડક ભાષણો પણ આપવાના શરુ કર્યા, ત્યાની ઇન્ડિયા ઓફિસે આની નોંધ લીધી અને એની કાળી યાદીમાં અરવીંદ અને તેમના ક્રાંતિકારીઓ આવી ગયા.

17 વર્ષની ઉંમરે તેમણે હેક્યુબાનો ભાગ- નામના પુસ્તકનું ગ્રીકમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યુ હતુ જેની તારીફ તે વખતના પ્રખ્યાત સાહિત્યકાર લોરેન્સે કરી હતી અને વધુ લખવાની પ્રેરણા આપી હતી.

તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇંગ્લેન્ડ આવ્યા હતા ત્યારે શ્રી અરવીંદની મુલાકાત  સયાજીરાવ ગાયકવાડ સાથે થઇ,  શ્રી અરવીંદનું સાહિત્ય વિશેનું જ્ઞાન અને આવડત જોઇને મહારાજાએ નોકરી પર રાખી લીધા.

શ્રી અરવીંદ 8 ફેબ્રુઆરી 1893માં 14 વર્ષ પછી ભારત પાછા આવે છે.

રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત થઈને તે 21 વર્ષેની ઉંંમરે ભારત ફર્યા. ત્યાર બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યાં. તેઓ દેશવાસીઓનાં હદયમાં દેશપ્રેમની જ્વાળા સળગાવતાં રહ્યાં તેથી તેઓ અંગ્રેજોની આંખમાં ખટકવા લાગ્યા. અરવિંદ ક્રાંતિકારીઓની અંદર બધાના સૌથી પ્રિય નેતા હતાં.

તેમણે બ્રિટિશ સરકાર વિરુદ્ધ "ઇન્દુપ્રકાશ" નામનું મેગેઝીન પ્રકાશિત કર્યુ જેમા શ્રી અરવીંદ બ્રીટિશરો વિરુદ્ધ એકદમ કડક ભાષામાં ખોદણી કરતા આથી તેમની ધરપકડ કરવાનું વોરંટ કાઢ્યુ. ત્યારબાદ તેમણે "ઝીરો" નામથી બીજુ મેગેઝીન બહાર પાડ્યુ. સાથે જ તેઓ તેમના જીવનનો ઐતિહાસિક ગ્રંથ "સાવિત્રી" લખવાની શરુઆત કરે છે જે તેમના જીવનનો સૌથી મોટો ગ્રંથ હતો.


 બંગાળના મહાન ક્રાંતિકારીઓમાંના એક મહર્ષિ અરવિંદ એ દેશની આધ્યાત્મિક ક્રાંતિના પ્રથમ સ્પાર્ક હતા, તેમના આહવાન પર, હજારો બંગાળી યુવાનોએ દેશની આઝાદી માટે હસતા – હસતા જીવ આપી દીધો. સશસ્ત્ર ક્રાંતિ માટેની તેમની પ્રેરણા આજે પણ યાદ છે.

સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા.

શ્રી અરવીંદે સ્વાતંત્ર્યવીરોની પ્રેરણા માટે ભવાની માતાનું મંદીર બાંધવાની યોજના બનાવી જેનો મુખ્ય હેતુ દેશ ભક્તોના મનમા અને હદયમા હિંદની સ્વતંત્રતા માટે દેશ દાઝ પેદા કરાવાનો હતો. 


શ્રી અરવિંદને મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડના હત્યાકાંડમાં દોષી ઠેરાવી 5 માર્ચ 1908માં ધરપકડ કરવામાં આવે છે અને અલીપુરની જેલમાં સજા આપવામાં આવે છે. જ્યાં તેમને ધ્યાન કરવાનું શરુ કર્યુ અને પછી ધ્યાન એ પ્રભૂની સાધના બની ગઇ, તેઓ ચાલતા ચાલતા પણ ધ્યાન કરતા હતા.

તેમનો નિર્દોષ હોવાનો કેસ ચિતરંજન દાસ લડે છે. 6 મે 1908ના દિવસે નિર્દોષ સાબિત થતા તેમને છોડવામાં આવે છે.

 ‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી. શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે. 

1902 માં, અમદાવાદના કોંગ્રેસ અધિવેશન દરમિયાન અરવિંદ બાલ ગંગાધર તિલકને મળ્યા. તેમના આશ્ચર્યજનક અને ક્રાંતિકારી વ્યક્તિત્વથી પ્રભાવિત અરવિંદે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાનું નક્કી કર્યું. 1916 માં, તેઓ ફરીથી કોંગ્રેસ તરફ વળ્યા અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે લાલા લાજપત રાય અને બિપિનચંદ્ર પાલ સાથે જોડાયા.

જેલવાસ દરમિયાન તેણે પોંડિચેરીમાં આશ્રમ સ્થાપ્યો અને વેદ, ઉપનિષદ ગ્રંથો વગેરે પર ભાષણો લખ્યા. તેઓ શ્રી અરવિંદ આશ્રમ ઓરોવિલેના સ્થાપક હતા, તેમને યોગી અને મહર્ષિ પણ કહેવામાં આવતા. તેમના લખેલા લેખોએ લોકો સ્વરાજ, વિદેશી માલનો બહિષ્કાર અને સ્વતંત્રતા મેળવવાની રીતો પણ શીખવી હતી. 

5 ડિસેમ્બર 1950 ના રોજ પોંડેચેરીમાં તેમનું અવસાન થયું


11 ડિસેમ્બર 1948ના રોજ આંધ્ર યુનિવર્સીટી દ્વારા શ્રી અરવીંદને "સર કટ્ટમંચી રામલીંગ રાષ્ટ્રીય પારિતોષિક" આપવામાં આવ્યો.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work