મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

21 July, 2021

કારગીલ વિજય દિવસ

  કારગીલ વિજય દિવસ

26 જુલાઇ


તા.26 જુલાઈ એટલે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો દિવસ “વિજય દિવસ”


8 મે 1999માં શરૂ થયેલી કારગિલ જંગ 26 જુલાઇ 1999માં પાકિસ્તાનના હારથી ખત્મ થઈ હતી. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે કરવા માટે લડાયુ હતુ.


1999માં આજ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય દ્વારા પાકિસ્તાનની ધૂશણખોર સેનાને ભારતદેશની પવિત્ર ભૂમિમાથી ખદેળી મુકાયા હતા.


2019માં 26 જુલાઈ ના રોજ ‘કારગિલ વિજય દિવસ’ને 20 વર્ષ પૂર્ણ થતાં હોય ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા હતા, 1363 જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી.


આ યુદ્ધમાં લાખ 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફથી ફાયર કરવામાં આવતા હતાં


યુદ્ધના મહત્વના 17 દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું.


બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવુ યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા હતાં.


યુદ્ધ 60 દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે 26 જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનથી જીવનમાં ભારે નુકસાન થયું


વિજય દિન ‍(કારગિલ‌) ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.


ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.


કારગિલ યુદ્ધના નાયકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ કારગિલ સેક્ટર અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવાય છે.  સાથે જ ભારતના પ્રધાનમંત્રી દર વષે આ દિવસે ઈંડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.


સશસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસને સન્માન સાથે તેમને યાદ કરવામાં આવે છે


પાકિસ્તાનની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ ૫ મે, ૧૯૯૯માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના ૬ જવાનો ત્યાં પહોચ્યા હતા, પરંતુ તોએને પાકિસ્તાનની સેનાએ ઘેરી લીધા હતા. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ક્ષત-વિક્ષિત હાલતમાં મળ્યા હતા.


આ અમાનવીય ઘટના બાદ કારગિલનું યુદ્ધ શરુ થઇ ગયું હતું. ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો.


કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં ૧૧ કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનમાં ૧૯૯૮માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાન આ ઓપરેશનની તૈયારી ૧૯૯૮થી કરી રહ્યું હતું.

આ કામ માટે પાકિસ્તાન સેનાએ પોતાના ૫૦૦૦ જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા.


આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આ મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.


ઉર્દુ ડેલીમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું, કારણ કે આ યુદ્ધમાં પાકિસ્તાનના ૨૭૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.


બીજી બાજુ જયારે કારગિલની ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરાયો હતો


કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-૨૭ અને મિગ-૨૯નો પ્રયોગ કરાયો હતો. આ દરમિયાન મિગ-૨૯  ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાન દ્વારા પાકિસ્તાનની ચોકીઓ પર R-૭૭ મિસાઈલ નાખવામાં આવી હતી.


કારગિલનું યુદ્ધ શરુ થયા બાદ ૧૧ મેથી ભારતીય વાયુસેનાની ટુકડીએ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાના ૩૦૦ વિમાન ઉડાન ભરતા હતા.


કારગિલની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે ૧૬૦૦૦ થી ૧૮૦૦૦ ફૂટ ઉપર છે. આ સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે ૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી હતી.


ત્યારે આ સ્થિતિમાં હવાનું દબાણ ૩૦ %થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન પાયલોટનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટનાગ્રસ્તથઇ શકે છે. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ જવાનોને વીરતા અન સાહસની શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કર્યું હતું.


ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અંગે વાત કરવામાં આવે તો આર્ટિલરી દ્વારા ૨,૫૦,૦૦૦ ગોળા અને રોકેટ નાખવામાં આવ્યા હતા.







આ ઉપરાંત ૩૦૦થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે ૫૦૦૦ બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ ૧૭ દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.


આં યુદ્ધ પછી એ પણ માનવામાં આવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દ્વારા દુશમન દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી.


૨૬ જુલાઈ, ૧૯૯૯ન રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી,


ભારતીય જવાનોએ કારગીલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work