મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 April, 2021

ફિલ્ડ માર્શલ સેમ માણેકશા (Sam Manekshaw )

 ફિલ્ડ માર્શલ સેમ માણેકશા

 ભારતના પહેલા ફિલ્ડ માર્શલ




 ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે  ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો. ફિલ્ડ માર્શલ સેમ માણેક શો સેમ બહાદુર તરીકે જાણીતા છે. તેઓ 1971ની ઈન્ડો-પાક વોરના આર્મી ચીફ હતા. યુદ્ધના વિજયમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


પુરુનામ: સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા

જન્મતારીખ: 3 એપ્રિલ 1914

જન્મસ્થળ: અમૃતસર, પંજાબ

અવશાન: 27 જુન 2008 (તામિલનાડુ)

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.

પારસી પરિવારમાં જન્મેલા સેમ સેનામાં જોડાવા માંગતા ન હતા, તેમના પિતા ડૉક્ટર હતા, તે પણ ડોક્ટર બનવાની ઇચ્છા રાખતા હતા. તેઓ ઇંગ્લેન્ડ જવા માંગતા હતા પણ તેમના પિતા માન્યા નહી, આથી તે સેનામાં જોડાય ગયા

 માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.


જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તે સમયે ભારતને આઝાદી મળી ન હતી, ત્યારે ભારતના સૈનિકો બ્રિટીશ સેના માટે લડતા હતા, સેમ માણેકશો  બ્રિટિશ ઇન્ડિયા આર્મીમાં કેપ્ટન હતા. તે સમયે તે જાપાન આર્મી વિરુદ્ધ પોતાના સૈન્યની આગેવાની કરી રહ્યા તરીકે જાણીતા છે. તેઓ 1971ની ઈન્ડો-પાક વોરના આર્મી ચીફ હતા. યુદ્ધના વિજયમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


















૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહમાં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.

૧૯૭૩ માં સેના પ્રમુખ ના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટન માં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થા માં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમા માં ચાલ્યાં ગયા હતા. તેમની મૃત્યુ વેલિંગટન ના સૈન્ય રુગ્ણાલય ના આઈસીયૂ માં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ.

૧૭મી ઇંફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સૅમ એ પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ઘ માં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, ૪-૧૨ ફ્રંટિયર ફોર્સ રેજિમેંટ ના કેપ્ટનના પદે બર્મા (બ્રહ્મદેશ) અભિયાન દરમ્યાન સેતાંગ નદી ના તટ પર જાપાનીઓ થી યુદ્ધ લડતા તેઓ ગંભીર રુપે ઘાયલ થઈ ગયા હતાં.

સ્વસ્થ થતા માણેકશા પહલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સ ની ૧૪મી સેના ના ૧૨ ફ્રંટિયર રાઇફલ ફોર્સ માં લેફ્ટિનેંટ બની બર્મા ના જંગલોમાં ફરી એક વાર જાપાનીઓ સાથી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા, અહીં તેઓ ભીષણ લડ઼ાઈ માં ફરી ખરાબ રીતે ઘાયલ થયા, દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સૅમ ને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.

૧૯૪૬ માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં, વિભાજન બાદ ૧૯૪૭-૪૮ ની કાશ્મીર ની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખા ઓએ જ તેમને સૅમ બહાદુર ના નામથી સૌથી પહલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યા ને સુલઝાવવા ના અવિસ્મરણીય યોગદાન માટે ૧૯૬૮ માં પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા.

૭ જૂન ૧૯૬૯ ના સૅમ માનેકશૉ જનરલ કુમારમંગલમ પછી ભારત ના ૮મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવ ની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિયોં ના જથ્થા પૂર્વી પાકિસ્તાન થી ભારત આવવા લાગ્યાં અને યુદ્ઘ અવશ્યંભાવી થઈ ગયો, ડિસેમ્બર ૧૯૭૧માં એ આશંકા સત્ય સિદ્ઘ હુઈ, સૅમ ના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાન ની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશ નું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવા ને અનુલક્ષી તેમને ૧૯૭૨ માં પદ્મવિભૂષણ તથા ૧ જાન્યુઆરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના માનદ પદ થી અલંકૃત કરવામાં આવ્યાં. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સૅમ બહાદુર ૧૫ જનવરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના પદ થી સેવાનિવૃત્ત થયાં.

જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 નું યુદ્ધ શરૂ થયું ત્યારે ઈન્દિરા ગાંધી ઇચ્છતા હતા કે તે માર્ચ મહિનામાં લડાય. પરંતુ સેમ જાણતા હતા કે યુદ્ધ માટેની તૈયારીઓ પૂર્ણ નથી, આથી તેમણે ઈન્દિરા ગાંધીને  લડવાની ના પાડી દીધી હતી અને 6 મહિના પછે આ લડાઇ માટે તે તૈયાર થયા હતા.


માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.

તેઓ ભારતીય સેનાના પ્રથમ જનરલ હતા કે જેમને પ્રમોશન આપી ફીલ્ડ માર્શલનું પદ આપવામાં આવ્યું હતું.

ફિલ્ડ માર્શલ માણેકશોએ 1934 થી 2008 સુધી સેવા આપી હતી. જેમાં તેમણે બીજું વિશ્વ યુદ્ધ, 1962 નું ભારત-ચીન યુદ્ધ, 1965 નું ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. ભારત-ચીન યુદ્ધ અને ત્યારબાદની તમામ લડાઇઓ માણેકશાના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી.

1971 માં પાકિસ્તાન સાથેની યુદ્ધમાં ભારતે જીત મેળવી હતી, ત્યારબાદ બાંગ્લાદેશનો જન્મ થયો હતો, આ યુદ્ધમાં તેમણે પાકિસ્તાનના 90000 સૈનિકોને આત્મસમર્પણ કરાવ્યુ હતુ જે એક ઐતિહાસિક ઘટના છે.

ફૌજમાં ગોરખા સૈનિકો એમને સામ બહાદુર કહેતા હતા.

દહેરાદુનમાં આઠમી ગોરખા રેજિમેન્ટની છાવણીમાં એક રૂમ રખાયો છે, જે સામ બહાદુર રૂમ કહેવાય છે:

લશ્કરમાં જનરલ 58 વર્ષે રિયાટર થાય છે. લેફટેનન્ટ જનરલ 56 વર્ષે, મેજર જનરલ 54 વર્ષે. બ્રિગેડિયર બાવન વર્ષે નિવૃત થાય છે, કર્નલ 50 વર્ષે અને ફિલ્ડ માર્શલ... એ રિટાયર થતો નથી!




સેમ માણેકશોનાં જીવન પ૨ પ્રોડસુ૨ ૨ોની સ્ક્રુવાલા બાયોપિક ફિલ્મ "સેમ બહાદુર"  બનાવી ૨હ્યા છે જેમા સેમ માણેકશોનો અભિનય વિકી કૌશલ કરશે. તેમની 12મી પુણ્યતિથિ પર વિકીએ એક વીડિયો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work