મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 February, 2021

સરોજિની નાયડુ જીવન પરિચય (Sarojini Naidu)

 સરોજિની નાયડુ

 (પ્રથમ મહિલા રાજ્યપાલ, ભારતની બુલબુલ)



જન્મતારીખ: 13 ફેબ્રુઆરી 1879

જન્મસ્થળ: હૈદરાબાદ

અવશાન: 2 માર્ચ 1949 (લખનૌવ)

સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.

સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

 તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા.

 સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા. 

તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પર રાખી કરવામાં આવ્યો હતો. તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા.

 સ્વરમીઠાશને કારણે લોકો તેમને "હિંદની બુલબુલ" (The Nightingale of India) કહેતા હતા. 

સરોજિની નાયડુ ૧૨ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. 

 ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિર્ટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. 

આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા.

સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. 

 ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં

એમનો પ્રથમ કાવ્યસંગ્રહ હીરાની ઉંબર(ધ ગોલ્ડન થ્રેશોલ્ડ) ઇ.સ. ૧૯૦૫માં બહાર પડ્યો. 

સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ડ લેક શીર્ષક હેઠળ ૧૩૦૦ પંક્તિઓની કવિતા તથા ૨૦૦૦ પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે ૧૯૦૫માં ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને ૧૯૧૨માં ધ બર્ડ ઓફ ટાઈમ અને ૧૯૧૭માં ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા

પછી ૧૯૧૪માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા. 

ઘરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતા, અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી.

આમ ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે ૧૯૨૦ થી ૧૯૪૯ સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે

સરોજિની નાયડુ ઇ.સ ૧૯૧૭માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પૂર્ણ કર્યું. 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. 

તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી.

 ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવા પુન:લગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો.

 તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં “કૈસરે હિંદ”નો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. જે તેમણે સત્તાના જુલ્મ વિરુદ્ધમાં પરત કર્યો હતો. 

તેઓ હંમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા.

ઇ.સ. ૧૯૧૫થી ૧૯૧૮ સુધી તેમણે ભારતના વિવિધ ગામડાં અને શહેરોમાં પૂર્વકકલ્યાણ, શ્રમનું ગૌરવ , મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપતા હતા. 

તેમણે મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. 

તેમણે ૧૯૧૯માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમા લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર વકતવ્યો આપ્યા હતા. અને સાહિત્યનું વિતરણ કર્યું હતું. 

ઇ.સ. ૧૯૨૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા.

હૈદરાબાદમાં ૧૯૦૮માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા.

 બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે ૧૯૨૦માં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા

દેશની આઝાદી પછી રાજ્યપાલ બનનારી તે પ્રથમ મહિલા હતી. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા

સરોજિની નાયડુ કોંગ્રેસની પહેલી મહિલા પ્રમુખ હતી. 

 સરોજિની નાયડુની મહાત્મા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત 1914 માં લંડનમાં થઇ હતી અને ગાંધીજીના વ્યક્તિત્વએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

તે ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાનો 'રાજકીય પિતા' માનતા હતા.

1925 માં કાનપુરમાં તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના  પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બની.

ભારત છોડો આંદોલનમાં, તેમને આગાખાન મહેલમાં સજા કરવામાં આવી હતી.

સરોજિની નાયડુ એક કુશળ રાજકારણી તેમજ સારી લેખક હતી. ફક્ત 13 વર્ષની ઉંમરે, તેમણે 1300-લાઇનની કવિતા 'ધ લેડી ઓફ લેક' લખી. ફારસી ભાષામાં 'મેહર મુનિર' નાટક લખ્યું. તેમના પ્રકાશિત પુસ્તકો 'ધ બર્ડ ઓફ ટાઇમ', 'ધ બ્રોકન વિંગ', 'નીલાબુંજ', ટ્રાવેલર્સ સાંગ" છે.

તેમના જન્મદિનને નેશનલ વુમન ડે તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સરોજિની નાયડુનો જન્મદિવસ છે. દિવંગત સરોજિની નાયડુની 135 મી જન્મજયંતિ નિમિત્તે 13 ફેબ્રુઆરી, 2014 ના રોજ આ ઉજવણી કરવામાં આવી હતી. સરોજિની નાયડુના કાર્ય અને યોગદાનને માન આપવા માટે આ દિવસની નામાંકન કરવામાં આવ્યું હતું.


૨ માર્ચ ૧૯૪૯માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું



ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી



સરોજિની નાયડૂના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ બની છે જેનુ નામ "સરોજિની" છે જેના ડાયરેક્ટર આકાશ નાયક છે. આ ફિલ્મમા સરોજિનિ નાયડુનો અભિનય રામાયણ સિરિયલમાં સીતાનો અભિનય કરનાર દિપિકા ચિખલિયા છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work