મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 September, 2020

World Ozone Day (વિશ્વ ઓઝોન દિવસ)

 World Ozone Day

16 સપ્ટેમ્બર


 World Ozone Day દરે વર્ષે આખી દુનિયામાં 16 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. 

યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ(UN) સપ્ટેમ્બર 1994 માં 16 સપ્ટેમ્બરને

'ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે આંતરરાષ્ટ્રીય ઓઝોન ડે' તરીકે ઉજવવાની

જાહેરાત કરી હતી.


પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે.

ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે.

જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે.

ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી.

આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.




 પણ માનવીય કારણોસર ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે.

આ પડ પાતળું થઇ રહ્યું છે.


એ ખતરાથી લોકોને જાગૃત કરવા 1887માં વિશ્વ સંઘ દ્વારા

150 દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન,

ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે.


ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. 

ઓઝોનવાળા પદાર્થોનો વપરાશ ક્રમશઃ ઘટાડ્યો છે.

ઉપરાંત ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ

કે ઓછા કરી નાખ્યા છે.હાનિકારક પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો) નું

શોષણ કરીને આપણા સૌનું રક્ષણ કરતા ઓઝોન સ્તરને બચાવીએ અને તેના રક્ષણ માટે

કટીબધ્ધ થઈએ




ઓઝોન દિવસનો ઉદ્દેશ્ય ઓઝોન સ્તરના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો છે.

ઓઝોન લેયર ઓઝોન અણુઓની એક લેયર છે જે 20થી 40 કિમીની અંદર વાયુમંડળમાં

જોવા મળે છે. 

ઓઝોન લેયર પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયલટ કિરણોથી બચાવવાનુ કામ કરે છે. 

ઓઝોન લેયર વગર જીવન સંકટમાં પડી શકે છે. કારણ કે અલ્ટ્રા વાયલટ કિરણો જો

સીધા ધરતી પર પહોંચી જાય તો તે મનુષ્ય, વૃક્ષ, છોડ અને જાનવરો માટે પણ ખૂબ

ખતરનાક બની શકે છે. આવામાં ઓઝોન લેયરનુ સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઓઝોન લેયરને માણસો દ્વારા બનાવેલ કેમિકલ્સથી ઘણુ નુકશાન થાય છે.

આ કેમિકલ્સથી ઓઝોનની લેયર પાતળી થઈ રહી છે.

ફેક્ટરી અને અન્ય ઉદ્યોગમાંથી નીકળનારા કેમિકલ્સ હવામાં ફેલાઈને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.

ઓઝોન લેયર બગડવાથી જળવાયુ પરિવર્તન થઈ રહ્યુ છે. આવામાં હવે ગંભીર સંકટને

જોતા દુનિયાભરમાં તેના સંરક્ષણને લઈને જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.



ઓઝોન સ્તરની શોધ 1913 માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીઓ ચાર્લ્સ ફેબ્રી અને હેનરી બ્યુસન દ્વારા કરવામાં આવી હતી. 

કેમ ઉજવાય છે ઓઝોન દિવસ

 

વર્ષ 1985માં સૌથી પહેલા બ્રિટિશ અંટાર્કટિકના વૈજ્ઞાનિકોએ અંટાર્કટિકની ઉપર

ઓઝોન પરતમાં એક મોટા કાણાની શોધ કરી હતી.

વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેના માટે જવાબદાર ક્લોરોફ્લોરોકાર્બન (CFC) ગેસ છે. 

આ ગેસના ઉપયોગ પર રોક લગાવવા માટે દુનિયાભરના દેશોમાં સહમતિ બની અને

16 સપ્ટેમ્બર 1987માં મૉંટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદથી ઓઝોન લેયરના સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસાભાએ

વર્ષ 1994માં 16 સપ્ટેમ્બરની તારીખને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ ઉજવવાનુ એલાન કર્યુ.

 

પહેલીવાર વિશ્વ ઓઝોન દિવસ વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો.

ત્યારબાદ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે.

 




ઓઝોન એટલે શું?

ઓઝોનનું  રાસાયણિક સૂત્ર O3 છે. ઓક્સિજનનો વિશેષ પ્રકાર છે. ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ અને તે પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે 


ઓઝોન એ આપણા વાતાવરણનો એક નાનો ભાગ રચે છે, પરંતુ તેમ છતાં તેની

હાજરી માનવ સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. મોટાભાગનો ઓઝોન પૃથ્વીની સપાટીથી

30 થી 50 કિ.મી.ની વચ્ચે, વાતાવરણમાં છે. આ પ્રદેશને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે

અને તેમાં વાતાવરણમાંના તમામ ઓઝોનનો 90% ભાગ હોય છે.




વાતાવરણના વિવિધ સ્તરો (આશરે)


ટ્રોપોસ્ફિઅર - 0 થી 20 કિમી

સ્ટેટ્રોસ્ફિઅર - 20 થી 50 કિમી

મેસોસ્ફિઅર-   50 થી 85 કિમી

થર્મોસ્ફિઅર-  100 થી 600 કિમી

એક્ષોસ્ફિઅર - 600 થી 10000 કિમી


ઓઝોન વાયુનું સ્તર ટ્રોપોસ્ફિઅર અને સ્ટેટ્રોસ્ફિઅરની વચ્ચે આવેલ છે.

 

 

શુ છે ઓઝોન લેયર

 

ઓઝોન લેયર પૃથ્વીના વાયુમંડળની એક પરત છે. ઓઝોન લેયર આપણને સૂર્યમાંથી

નીકળનારા અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવે છે. ઓઝોનની લેયરની શોધ 1913માં

ફ્રાંસના ભૌતિકવિદો ફૈબરી ચાર્લ્સ અને હેનરી બ્રુસોનએ કરી હતે. 

ઓઝોન (O3) ઓક્સીઝનના ત્રણ પરમાણુઓ  મળીને બનનારી એક ગેસ છે.

જે વાયુમંડળમાં ખૂબ ઓછી માત્રામાં 0.02% માં જોવા મળે છે. ધરતીથી 30-50

કિમીની ઊંચાઈ પર ઓઝોન ગેસનો 91% ભાગ એકસાથે મળીને ઓઝોનની લેયરનુ

નિર્માણ કરે છે.


ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપમાં હોય છે. ઓઝોન પ્રાણીઓના

શ્વસનતંત્રમાં જવાથી કે વનસ્પતીના સંપર્કમાં આવવાથી હાનિકારક અસર કરે છે

આથી ક્ષોભમંડળ (tropsphere)માં તેને પ્રદૂષણ માનવામાં આવે છે.

સમતાપમંડળ (stratosphere)માં સૂર્યના પારજાંબલી કિરણોને અવશોષી

પૃથ્વી પર આ કિરણોથી જીવનનું રક્ષણ કરે છે.

ઓઝોન વાયુની શોધ ઇ.સ. 1840મા સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ

શહેરમાં કરી જો ઓઝોનની માત્રા 0.01 μmol/molથી વધુ હોય તો મનુષ્ય

તેની ક્લોરિન-બ્લીચને મળતી વાસ અનુભવી શકે છે. જો માત્રા o.1 થી 1 μmol/mol

વચ્ચે હોય તો તે માથામાં દુખાવો, આંખોમાં બળતરા અને નાક-ગળામાં પીડા કરે છે.

ઓઝોનની સુક્ષ્મ માત્રામાં પણ રબર, પ્લાસ્ટિક અને પ્રાણીઓના ફેફસાંની કોષિકાઓને

નુકશાન પહોંચાડે છે.

1920ના દાયકામાં થોમસ મિડગ્લેયે કલોરોફલુરોકાર્બન(CFCs)ની શોધ કરી હતી.

1980ના દાયકા પહેલાં, વાતાનુકૂલન/ઠંડક એકમોમાં ઍરોસોલ છંટકાવ ધકેલનાર તરીકે,

અને નાજુક ઈલેકટ્રોનિક સંસાધનોની સફાઈ પ્રક્રિયાઓમાં તેમનો ઉપયોગ થતો હતો.




આપણે વાતાવરણીય ઓઝોનની કાળજી કેમ કરવી


ઉર્ધ્વમંડળમાં ઓઝોન સૂર્યના કેટલાક જૈવિક હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને

શોષી લે છે. આ લાભકારી ભૂમિકાને કારણે, સ્ટ્રેટોસ્ફેરીક ઓઝોનને

"સારો" ઓઝોન માનવામાં આવે છે. તેનાથી વિપરિત, પૃથ્વીની સપાટી પરના

વધુ ઓઝોન કે જે પ્રદૂષકોથી રચાય છે તે "ખરાબ" ઓઝોન માનવામાં આવે છે

કારણ કે તે માનવો, છોડ અને પ્રાણીઓ માટે હાનિકારક હોઈ શકે છે. ઓઝોન

જે સપાટીની નજીક અને નીચલા વાતાવરણમાં કુદરતી રીતે થાય છે તે પણ ફાયદાકારક છે

કારણ કે ઓઝોન વાતાવરણમાંથી પ્રદૂષકોને દૂર કરવામાં મદદ કરે છે.

મે 1985 માં બ્રિટીશ એન્ટાર્કટિક સર્વે લેખના તારણોને પ્રકાશિત કર્યા પછી,

એન્ટાર્કટિકા ઉપર ઓઝોનનો ઘટાડો થવાની ઘટનાને "ઓઝોન હોલ" તરીકે

ઓળખવામાં આવી હતી, આ વાક્ય પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા શેરવુડ રોલેન્ડને

આભારી છે. ઓઝોન હોલની ઉપગ્રહ છબી આ પર્યાવરણીય ખતરાનું વૈશ્વિક પ્રતીક

બની ગઈ છે જેણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ માટે જાહેર સમર્થન એકત્રિત કરવામાં મદદ કરી છે.


.

 આપણે શું કરી શકીએ છે

અતિશય સૂર્યના સંપર્કને ટાળીને ઓઝોન સ્તરના ઘટાડાથી પોતાને સુરક્ષિત કરો.

ઓઝોન સ્તરની અસરને ઘટાડવા માટે તમારા ઉપકરણોની સંભાળ લો.

1995 થી, આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ વાર્ષિક 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.

આ દિવસ એ પદાર્થો પર મોન્ટ્રીયલ પ્રોટોકોલ પરના હસ્તાક્ષરની યાદ અપાવે છે

જે ઓઝોન સ્તરને અવક્ષય કરે છે.

પ્લાસ્ટિકના કન્ટેનરમાં હેર સ્પ્રે ફ્રેશનર્સ, કોસ્મેટિક્સ અને એરોસોલ જેવા

ક્લોરોફ્લોરોકાર્બન (સીએફસી) ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ ટાળવો જોઈએ.

વૃક્ષારોપણ અને બેકયાર્ડ બાગકામ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો.

પર્યાવરણને અનુકૂળ ખાતરોનો ઉપયોગ કરો.

તમારા વાહનમાંથી વધુ પડતા ધૂમ્રપાનને અટકાવો જેનાથી હવાના પ્રદૂષણ થાય છે.

નિયમિત જાળવણી દ્વારા ગેસોલિન અને ક્રૂડ તેલ પર બચત કરો.

પ્લાસ્ટિક અને રબરના ટાયર બર્ન ન કરો.



ઓઝોન સ્તર અવક્ષયનાં પરિણામ

યુવીબી(ઓઝોન દ્વારા શોષાઈ જતાં વધુ ઊર્જા ધરાવતાં નીલાતીત કિરણો)ને સામાન્ય રીતે

ત્વચાના કૅન્સર માટે કારણભૂત પરિબળ માનવામાં આવે છે

મનુષ્યોમાં જોવા મળતા ત્વચાના કૅન્સરના સૌથી સામાન્ય પ્રકારો, બેસલ અને

સ્કવામસ સેલ કેરસિનોમાસ, યુવીબી(UVB) સંસર્ગ સાથે મજબૂત સંબંધ ધરાવે છે

વલ્કુટીય મોતિયા અને યુવી-બી સંસર્ગ વચ્ચેનો સંબંધ બાબતે સૂચક છે.


 1978માં યુનાઈટેડ સ્ટેટ્સે એરોસોલ કૅનમાં સીએફસી(CFCs)ના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો.

1987માં, 46 દેશોના પ્રતિનિધિઓએ મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા

1994માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ, 1987માં મોન્ટ્રેલ પ્રોટોકોલ પર

હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં, 16 સપ્ટેમ્બરને "વિશ્વ ઓઝોન દિવસ" તરીકે જાહેર કરવાનું ઠરાવ્યું


World Ozone Day ની Theme 

2022: Global Cooperation Protecting Life on Earth

2021: Montreal Protocol – keeping us, our food and vaccines cool

2020 : Ozone for life 

2019 : 32 years and Healing

2018 : Keep Cool and Carry On

2017 : Caring for all life under the sun


શું તમે જાણો છો.


મોનટ્રીઅલ પ્રોટોકોલ : વિવિધ દેશોના પ્ર્તિનિધિઓએ ઓઝોન સ્તરના રક્ષણ માટે 

મોનટ્રીઅલ શહેરમાં પ્રથમવાર હસ્તાક્ષર કર્યા હતા.

ઓઝોનનુ અણુસુત્ર : O3

CFC :ક્લોરોફ્લોરો કાર્બન

HCFC : હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન

બન્ને ગેસ ફ્રિજમા ઠંડક માટે તેનો ઉપયોગ થાય છે.

1980 માં વૈજ્ઞાનિકોને ધ્યાનમા આવ્યુ કે ઓઝોન લેયરમા ઘટાડો થાય છે.

22 માર્ચ 1985 મા વિયના દેશમા સમજુતી થઇ,જેને વિયના સમજુતી તરિકે

ઓળખવમા આવે છે.હાલમા આ સમજુતિ પર 197 દેશો એ હસ્તાક્ષર કરેલ છે.

16 સપ્ટેમ્બર 1987 માં મોન્ટ્રિયલ સમજુતી થઇ, જેમા 46 દેશોએ ભાગ લિધો હતો

હાલમા 197 દેશો જોડાયેલા છે.

CFC 112, CFC 112A, ટ્રાઇક્લોરોઇથેન, મોનોક્લોરોફ્લોરો ઇથેન ને કારણે

ઓઝોન સ્તરમા ઘટાડો થાય છે.

ઓઝોન વાયુની શોધ ક્રિશ્ચિન ફેડરિકે 1840માં કરી હતી.

ઓઝોન વાયુના અણુસુત્રની શોધ જેક્સ લુઇસે 1565 માં કરી હતી.

ઓઝોનનુ   IUPAC નામ ટ્રાઇઓક્સીજન છે.

CFCમાં ઘટાડો કરવા શેના પર પ્રતિબંધ મુકવમા આવ્યો- ફ્રિજ

પૃથ્વીની ઉંચાઇ પર 30-50 કિમી વચ્ચે ક્યુ આવરણ આવેલ છે.- ઓઝોન






હાનિકારક પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો) નું શોષણ કરીને આપણા સૌનું રક્ષણ કરતા ઓઝોન સ્તરને બચાવીએ અને તેના રક્ષણ માટે કટીબધ્ધ થઈએ



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work