મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

24 December, 2020

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

 

           રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

24 ડિસેમ્બર




આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે. દર વર્ષે 24મી ડિસેમ્બરના રોજ ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો પ્રત્યે   જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે.

કાનૂનમાં મૂલ્ય ચૂકવીને અથવા ચૂકવવાનું વચન આપી અથવા અંશત ચૂકવીને અને અંશત ચૂકવવાનું વચન આપીને માલ અથવા ચીજવસ્તુને ખરીદનારી અથવા સેવા મેળવનારી વ્યક્તિને ગ્રાહક ગણવામાં આવે છે.





ગ્રાહકોના હકોનું રક્ષણ કરવા અને તેમની ફરિયાદોના વહેલી તકે નિરાકરણ લાવવા સરકારે વિવિધ પગલાં લીધા છે. 

જે અંતર્ગત 2005માં ભારત સરકારાના કંઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે એડ કમ્પેઇન શરુ કર્યુ જેનુ નામ હતુ "જાગો ગ્રાહક જાગો"

જાગો ગ્રાહક જાગો ની એડ કમ્પેઇન જોવા અહિ ક્લિક કરો.


વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.

ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની પહેલ પર 24 ડિસેમ્બર 1986 ના રોજ સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા બિલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી મળ્યા બાદ ગ્રાહક સુરક્ષા કાયદો દેશવ્યાપી લાગુ કરવામાં આવ્યો. પાછળથી, 1993 અને 2002 ના વર્ષોમાં આ કાયદામાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 નો હેતુ ગ્રાહકોને વિવિધ અન્યાયી વેપાર વ્યવહારથી થતા નુકસાનથી બચાવવા કેટલાક અધિકારો પૂરા પાડવાનો છે. નોંધપાત્ર વાત એ છે કે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ માન્યતા પ્રાપ્ત આઠ અધિકારોમાં યુએન ચાર્ટરમાં પૂરા પાડવામાં આવેલ ગ્રાહકોના છ અધિકારનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતને વધુ સુરક્ષિત કરવા અને વિવાદોના સમયસર સમાધાન માટે વર્ષ 1986ના કાયદા ધારાની જગ્યાએ ગ્રાહક સુરક્ષા કાયદો 2019 લાગુ કર્યો હતો.

નવા કાયદા હેઠળ કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપનાની જોગવાઈ છે.
 ગ્રાહક અધિકારો, આરોગ્ય, વેપાર વગેરેની લગતી ભ્રામક જાહેરાતો સંદર્ભે પૂછપરછ કરવાની સત્તા આ તપાસ સંસ્થાને હશે. ગ્રાહક બાબતોનું મંત્રાલય જાગો ગ્રાહક જાગો દ્વારા તમામ ગ્રાહકો માટે જાગૃતિના કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે.



પેકેટમાં રહેલી વસ્તુનું કે ઉત્પાદકનું નામ, સરનામું હોવું જોઈએ.

 વસ્તુનાં ઉત્પાદન, પેક કર્યાંનું વર્ષ અને મહિ‌નો છાપવો જરૂરી છે.

છૂટક મહત્તમ વેચાણ કિંમત તમામ ટેક્સ સાથે દર્શાવવી જરૂરી છે.

 વજન, ડેટ ઓફ પ્રોડક્શન, એક્સપાઇરી ડેટ અંગે પણ ગ્રાહકોમાં પૂરતી જાગૃતિનો અભાવ છે, જેનો લાભ કેટલાક લેભાગુ લઈ છેતરપિંડી આચરે છે.

 ચીજ-વસ્તુઓના બિલ માગવામાં ખચકાટ અનુભવવો.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ લોકહિત માટેનો સામાજીક કાયદો છે. તે ગ્રાહકોના હક નિયત કરે છે અને ગ્રાહકોના હકનાં રક્ષણ માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે.

ફરિયાદ’ એટલે શું ?

‘ફરિયાદ’ એટલે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૨૦ થી અથવા તે હેઠળ જોગવાઇ કરેલ કોઇ રાહત મેળવવાના હેતથી, ફરિયાદીએ લેખિતમાં નીચે દર્શાવ્યા પ્રમાણેનો કોઈ આક્ષેપ કર્યો હોય તેને ફરિયાદ કહેવાય.

  • કોઇ વેપારી અથવા સેવા પૂરી પાડનાર વ્યક્તિએ કોઇપણ ગેરવાજબી વેપાર રીતિ અથવા નિયંત્રિત વેપાર રીતિ અપનાવી છે.
  • પોતે ખરીદેલ અથવા પોતે ખરીદવા કબૂલ થયેલ માલ એક કે વધુ ખામીવાળો છે.
  • પોતે ભાડે રાખેલી અથવા તેને પ્રાપ્ત થયેલી અથવા ભાડે રાખવા કે પ્રાપ્ત કરવા કબૂલ થયેલ સેવા, કોઇપણ બાબતની ખામી (ઉણપ) વાળી છે.
  • વેપારી અથવા યથા પ્રસંગ સર્વિસ પૂરી પાડનાર વ્યક્તિએ ફરિયાદમાં જણાવેલ માલ માટે અથવા સર્વિસ માટે જેમકે...
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ નક્કી કરેલું
    • માલવાળા કોઇપણ પેકેટમાં અથવા માલ ઉપર દર્શાવેલ
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ તેના દ્વારા ભાવની યાદી પ્રદર્શિત કરેલ
    • પક્ષકારો વચ્ચેનની કબૂલાત કરેલ કિંમત કરતાં વધુ કિંમત લીધી છે.
  • લોકોને વેચવા માટે આપ્યો હોય ત્યારે, જીંદગી અને સલામતિ માટે જોખમકારક હોય તેવો માલ, -
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ, પાલન કરવાની જરૂર હોય તેવા માલની સલામતિને લગતા કોઇપણ ધોરણોનું ઉલ્લંઘન કરીને;
    • વેપારી યોગ્ય કાળજી સાથે જાણી શકે કે એવી રીતે ઓફર કરેલ માલ, લોકો માટે અસલામત છે તો;
  • વાપરવામાં આવે ત્યારે લોકોની જીંદગી અને સલામતિને જોખમકારક હોય અથવા જોખમકારક થવાનો સંભવ હોય તેવી સર્વીસ પૂરી પાડનાર વ્યક્તિએ આપી હોય જે આવી વ્યક્તિ, જીંદગી અને સલામતિને હાનિકારક હોવાનું યોગ્ય કાળજીપૂર્વક જાણી શકે.
  •  અધિનિયમ 1986ની  જોગવાઇઓને આધીન રહીને, જિલ્લા કમિશન સમક્ષ માંગેલ માલ અને સેવા અને વળતરનું મૂલ્ય, વીસ લાખ રૂપિયા કરતાં વધતુ ન હોય ત્યારે જિલ્લા કમિશનને ફરિયાદ દાખલ કરવાની હકૂમત રહેશે. અને તેની કિંમત એક કરોડ રૂપિયા કરતાં વધુ, પણ, દસ કરોડ કરતાં વધુ ન હોય ત્યારે રાજ્ય કમિશનને ફરિયાદ દાખલ કરવાની હકૂમત રહેશે.
  • જો કોઇ વસ્તું અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર એક કરોડ રૂપિયા કરતાં ઓછું હોયતો ફરિયાદ જિલ્લા કમિશન નોંધાવી શકાય તેમજ જ્યાં કામગીરી પૂરી અથવા આંશિક રીતે થઇ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઇ શાખા હોય તે સીટીના જિલ્લા કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
  • જો કોઇ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર એક કરોડ રૂપિયાથી દસ કરોડ રૂપિયા સુધી. હોયતો રાજ્ય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
  • જો કોઇ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર દસ કરોડ રૂપિયાથી વધુ હોયતો રાષ્ટ્રીય કમિશનમાં બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે ફરિયાદ નોંધાવી શકાય.

ગ્રાહકો માટે ઉપલબ્ધ રાહતો

ગ્રાહક અદાલતો નીચેની રાહતો માટે આદેશ કરી શકે છે.

  • વસ્તુઓની ખામીઓને દુર કરવી.
  • વસ્તુઓ બદલી કરવી.
  • ચુકવેલી કિંમત પરત કરવી.
  • જે હાની કે ક્ષતિ થઇ હોય તેને ભરપાઇ કરવી.
  • સેવાઓમાં ત્રુટીઓ અથવા કમીઓને દુર કરવી.
  • અનુચિત વેપારની નીતિઓ / અવરોધો વેપાર પદ્ધતિઓને બંધ કરવી તથા નિર્દેશ
  •  આપવો કે તેવું ફરી ન બને.
  • વેચાણ માટે રજુ કરાયેલ ખતરનાક વસ્તુરઓ પરત કરવાનો ફેંસલો આપવો.
  • ખરીદદારને યથાયોગ્ય કિંમતની ચુકવણી કરવી.
  • કેસ નિકાલ માટે સમય મર્યાદા

    • સીપીએ – ૧૩(એ) કેસ નિકાલ કરવાનો સમયગાળો ૯૦ થી ૨૫૦ દિવસ.
    • નિયમ -૧૩(૩-એ) – દરેક ફરિયાદ શક્ય તેટલી જલ્દી સાંભળવી જોઇશે 
    • અને ફરિયાદની ચીજવસ્તુનું પૃથ્થુકરણ અથવા ચકાસણી કરવાની 
    • જરૂર ન હોય તો ત્રણ મહિનાની અંદર અને, ચીજવસ્તુનું પૃથ્થકકરણ 
    • અથવા ચકાસણી કરવાની જરૂર હોય તો, પાંચ મહિનાની અંદર, 
    • ફરિયાદનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો જોઇશે.

       “ ગાહક ભવન” અમદાવાદમાં આવેલ છે.
  • ગ્રાહક સુરક્ષા કાયદો

  • આ કાયદા અન્વયે ગ્રાહકના મુખ્ય છ હકકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમ કે

    1. સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety)
    2. જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information)
    3. પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose)
    4. રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard)
    5. નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal)
    6. ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)
    જિલ્લા ફોરમના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસની સમય મર્યાદામાં રાજય સમિતિને
  •  અપીલ કરી શકાય છે. તદઉપરાંત રાજય સમિતિના નિર્ણયથી અસંતોષ થાય તો 
  • પછીના ૩૦ દિવસમાં કેન્દ્રિય સમિતિને અપીલ કરી શકાય છે. 
  • ત્યારબાદ કેન્દ્રિય સમિતિના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં 
  • અપીલ કરી શકાય છે
ગ્રાહકે જો વસ્તુ અથવા સેવા અને વળતરની રકમ રૂપિયા એક લાખ 
કરતાં ઓછી હોય તો તે અંગેની ફરિયાદ જિલ્લા ફોરમમાં અને રૂપિયા એક લાખ
 કરતાં વધુ પરંતુ દસ લાખ કરતાં ઓછી હોય તો રાજય સમિતિમાં અને
રૂપિયા ૧૦ લાખ કરતાં વધુ રકમ હોય તો ફરિયાદ રાષ્ટ્રીય સમિતિ સમક્ષ કરવાની રહે છે

ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુળભૂત હેતુ ગ્રાહકને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે છે. 

તેથી જો ત્રણે કક્ષાએ જે કિસ્સામાં ચીજવસ્તુનું પરિક્ષણ કે વિશ્લેષણ જરૂરી ન હોય

 તો ત્રણ–પાંચ માસમાં ફરિયાદનું નિવારણ થાય છે. અપીલના કિસ્સામાં અપીલની 

પહેલી સુનાવણીથી ત્રણ માસના સમયગાળામાં તેનું નિવારણ કરાય છે.



દર વર્ષે જુદી જુદી થીમ સાથે ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2020: The Sustainable Consumer
2019: New features of consumer protection act, 2019
2018:Timely Disposal of Consumer Complaints
2017: “Emerging Digital Markets: Issues & Challenges for Consumer Protection

વસ્તુની ગુણવત્તા માટેના વિવિધ માર્ક
એગમાર્ક ( AGMARK)


એગમાર્ક એ  ભારતમાં કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા  માટે વપરાતો માર્ક  છે. આ નિશાન ખાતરી આપે છે કે ઉત્પાદન ભારત સરકારના માર્કેટિંગ અને નિરીક્ષણ નિયામક દ્વારા માન્યતા આપેલા ધોરણોના સમૂહને અનુરૂપ છે.

હાલમાં, એગમાર્ક તેલ, વનસ્પતિ તેલ, કઠોળ, અનાજ, ફળો, શાકભાજી અને સેમી પ્રોસેસ્ડ ઉત્પાદનો જેવા વર્મીસેલી જેવા વિવિધ ઉત્પાદનો માટે ગુણવત્તા માર્ગદર્શિકાને આવરે છે.

ISI માર્ક

ISI- Indian Standard Institute
આઈએસઆઈ માર્ક એ ભારતમાં ઓદ્યોગિક ઉત્પાદનો માટે વપરાયેલ પ્રમાણપત્ર ચિહ્ન છે. આ નિશાન ખાતરી આપે છે કે ઉત્પાદન ભારતીય ધોરણોને અનુરૂપ છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા જારી કરવામાં આવે છે. આ નિશાન ફરજિયાત અને સ્વૈચ્છિક બંને છે. ફરજિયાત આઈએસઆઈ સર્ટિફિકેશન ઉત્પાદનોમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો, તબીબી ઉપકરણો, સ્ટીલ ઉત્પાદનો, સ્ટેનલેસ સ્ટીલ, રસાયણો, ખાતરો, સિમેન્ટ, એલપીજી સિલિન્ડર, બેટરીઓ અને પેક્ડ પીવાનું પાણી હોય છે.

 Hallmark

બીઆઈએસ હોલમાર્ક એ માર્કિંગ સિસ્ટમ છે, જે સુવર્ણ દાગીના અને સોનાના સિક્કાઓની શુદ્ધતાને પ્રમાણિત કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. આ ચિહ્ન વર્ષ 2000 માં સોના માટે અને 2005 માં ચાંદીના દાગીના માટે રજૂ કરાયો હતો. બીઆઈએસ પ્રમાણિત સોનાના દાગીના બીઆઈએસ સ્ટેમ્પ સાથે આવે છે. સોનાના દાગીના ખરીદતા પહેલા આ સ્ટેમ્પ માટે તપાસો.

FPO Mark


ભારતમાં વેચાયેલી તમામ પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનો પર એફપીઓ માર્ક રાખવું ફરજિયાત છે. પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનોના ઉદાહરણમાં ફળ જામ, પેકેજ્ડ ફળોના પીણા, કચડી, સ્ક્વોશ, અથાણાં, ડિહાઇડ્રેટેડ ફળોના ઉત્પાદનો અને ફળોના અર્ક છે. એફ.પી.ઓ. માર્ક પુષ્ટિ કરે છે કે ઉત્પાદન આરોગ્યપ્રદ ‘ફૂડ-સેફ’ વાતાવરણમાં બનાવવામાં આવ્યું હતું અને વપરાશ માટે યોગ્ય છે. તેથી, આગલી વખતે જ્યારે તમે પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનો ખરીદો છો, ત્યારે આ નિશાની જુઓ.

 The green and brown dot

લીલો અને બ્રાઉન (કથ્થાઇ) ડોટ એ એક સામાન્ય ચિહ્ન છે, 
જે લગભગ તમામ ખાદ્ય ઉત્પાદનો પર છાપવામાં આવે છે.
  ખાદ્ય ચીજો પરનો બ્રાઉન ડોટ સૂચવે છે કે ખોરાક માંસાહારી છે. 
જ્યારે લીલો ડોટ સૂચવે છે કે પેકેજમાં ખોરાક શાકાહારી છે. 

 Ecomark
આ ચિહ્ન બીઆઈએસ દ્વારા તે ઉત્પાદનોને જારી કરવામાં આવે છે જે ઇકોસિસ્ટમ પર ઓછામાં ઓછી અસર લાવવાના હેતુથી ધોરણોના સમૂહને અનુરૂપ હોય છે.

આ ચિહ્ન બીઆઈએસ દ્વારા તે ઉત્પાદનોને જારી કરવામાં આવે છે જે ઇકોસિસ્ટમ પર ઓછામાં ઓછી અસર લાવવાના હેતુથી ધોરણોના સમૂહને અનુરૂપ હોય છે.

Woolmark



વૂલમાર્ક એ ઉન ઉદ્યોગના પ્રમાણપત્ર ચિહ્ન છે જે શુદ્ધ ઉન ઉત્પાદનો પર વપરાય છે જે વૂલમાર્ક કંપની દ્વારા નિર્ધારિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે. તે ધ વૂલમાર્ક કંપનીની માલિકીની એક વેપારી નિશાની છે, જે 2007 થી ઓસ્ટ્રેલિયન વુલ ઇનોવેશન લિમિટેડ (AWI) ની પેટાકંપની રહી છે.
 આ લોગોની શરૂઆત વુલમાર્ક કંપની દ્વારા તેના પહેલાના નામ, આંતરરાષ્ટ્રીય ઉન સચિવાલય દ્વારા 1964 માં કરવામાં આવી હતી.
.


ગ્રાહક સુરક્ષા ધારો 2019

રાજ્ય આયોગને જિલ્લા પંચના નિર્ણયની અપીલ કરવાની અવધિ 30 થી વધારીને 45 દિવસ કરવામાં આવી છે.

હવે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કમિશન પણ તેમના નિર્ણયની સમીક્ષા કરી શકે છે. નવા કાયદા સાથે ગ્રાહક બન્યો છે.

જો જિલ્લા અને રાજ્ય પંચે ઉપભોક્તાની તરફેણમાં નિર્ણય આપ્યો છે, તો તેમની અપીલ રાષ્ટ્રીય પંચમાં રહેશે નહીં.

હવે પીઆઇએલ પણ ગ્રાહક મંચમાં દાખલ કરી શકાય છે.

નવા કાયદામાં ઇ-કોમર્સ, ,ઓનલાઇન, ડાયરેક્ટ સેલિંગ અને ટેલિશોપિંગ કંપનીઓની જવાબદારી પણ છે.

કેન્દ્ર સરકારે આ કાયદામાં ઘણા ફેરફાર કર્યા છે. અત્યાર સુધીમાં ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમ 20 લાખ રૂપિયા સુધીના કેસોની સુનાવણી કરતો હતો. તે વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. અને રાજ્ય કન્ઝ્યુમર ફોરમ 10 કરોડ સુધિના અને રાષ્ટ્રીય  કન્ઝ્યુમર ફોરમ 10 કરોડથી વધુના કેસોની સુનાવણી કરશે.


આ નવા નિયમોનું નામ કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઇ-કોમર્સ) રૂલ્સ 2020 રાખવામાં આવ્યું છે. આમાં ઓનલાઇન રિટેલરો માટે રીટર્ન, રિફંડ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

ઇ-કોમર્સ નિયમો એવા બધા ઇ-રિટેલર્સને લાગુ પડશે જે ભારતીય ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. પછી ભલે તેમની રજિસ્ટર ઓફિસ ભારતમાં હોય કે વિદેશમાં.

એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ સાઇટ્સે ગ્રાહકોને તમામ પ્રકારની માહિતી આપવાની રહેશે, જે ગ્રાહકને ખરીદીનો નિર્ણય લેવામાં મદદ કરશે.

ઉપભોક્તાએ જણાવવું પડશે કે વિક્રેતાઓ સાથે કરાર શું છે. સમાપ્ત થવાની તારીખ, ચુકવણી ગેટવે સલામતી અને ગ્રાહક સંભાળ નંબર સાથે તેમનું સરનામું શું છે, જ્યાં ઉત્પાદનનું ઉત્પાદન થાય છે.

વળતરની પ્રક્રિયા, રિફંડની પ્રક્રિયા અને વેચનારના રેટિંગની જાણ કરવી પડશે.

ગ્રાહકો અને વેચાણકર્તાઓ વચ્ચે કોઈ ભેદભાવ રહેશે નહીં.

ઉપભોક્તાને વેચનારાની વિરુદ્ધ ફરિયાદ કરી શકે તે રીતો સમજાવવી પડશે. તેઓ તેમની ફરિયાદ સાંભળવાની પ્રક્રિયા પર અપડેટ પણ મેળવશે.

ત્યાં સુધી વિક્રેતાઓ જવાબદાર હતા, પરંતુ હવે ઇ-કોમર્સ કંપનીઓ પણ જવાબદાર રહેશે, કારણ કે તેમના પ્લેટફોર્મ પર બતાવેલ પ્રોડક્ટ તેમના ગેટવે પર ચૂકવીને ખરીદી લેવામાં આવી છે.

નવો કાયદો ગ્રાહકોને ગમે ત્યાંથી ઇલેક્ટ્રોનિક રીતે ફરિયાદો નોંધાવવાનો વિકલ્પ આપે છે. તેઓ તેમના ઘરની નજીકના કોઈપણ ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે.

હમણાં સુધી, ગ્રાહકોએ જવું પડ્યું હતું અને માલ ક્યાં ખરીદવામાં આવ્યો હતો અથવા વેચનારની નોંધાયેલ ઓફિસ હતી ત્યાં ફરિયાદ કરવી પડી હતી, પરંતુ હવે તેની જરૂર રહેશે નહીં.

નવા નિયમો અંતર્ગત, વિવાદોના સમાધાન માટે ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીના કેસ દાખલ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

નવા કાયદા મુજબ, જો ફરિયાદી ગ્રાહક મંચની જાતે જ કેસની સુનાવણીમાં ભાગ લેવામાં અસમર્થ હોય, તો તે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા પણ રજૂ કરી શકે છે.

નવા કાયદામાં ઉત્પાદનના ઉત્પાદક, ઉત્પાદનનો સર્વિસ પ્રોવાઇડર અને કોઈપણ વેતન ભરવાના દાવામાં ઉત્પાદન વેચનારને આવરી લેવામાં આવ્યો છે.

ઇ-રિટેલરોએ માલ અને સેવાઓ પ્રદાન કરતા વિક્રેતાઓ વિશેની વિગતો દર્શાવવી આવશ્યક છે, જેમાં વ્યવસાયનું નામ શામેલ છે કે નહીં, નોંધાયેલ છે કે નહીં.

જો કોઈ નકલી / બનાવટી ચીજો બનાવવા અથવા વેચવા બદલ દોષી સાબિત થાય છે, તો તેનું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. બીજી વાર ફરિયાદ મળ્યા બાદ તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે.

કન્ઝ્યુમર કમિશનમાં મેડિએશન સેલ હશે. જ્યારે ફરિયાદમાં આર્બિટ્રેશનની તક હોય ત્યારે, આ કોષ તેની સાથે કાર્યવાહી કરશે. બંને પક્ષ એક સમાધાન પર સહમત થવાનો પ્રયાસ કરશે.

ભેળસેળ અને નકલી માલ માટે ગ્રાહકો ઉત્પાદકો અને વેચાણકર્તાઓને કોર્ટમાં લાવી શકે છે અને નુકસાનની માંગ કરી શકે છે.

નવા કાયદા હેઠળ ઉત્પાદક અને વેચનાર ખામીયુક્ત ઉત્પાદન અથવા સેવા દ્વારા થતી ઇજા અથવા નુકસાનની ભરપાઈ માટે જવાબદાર રહેશે.

જો ખામીયુક્ત ઉત્પાદનને કારણે ગ્રાહકને નુકસાન ન થાય તો વેચનારને 6 મહિના સુધીનો દંડ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

જો ખામીયુક્ત ઉત્પાદનને કારણે ગ્રાહકને નુકસાન થાય છે, તો માલ વેચનારને મહત્તમ 7 વર્ષની જેલની સજા થશે અને દંડ પણ પાંચ લાખ રૂપિયામાં થશે.

જો કોઈ ખામીયુક્ત ઉત્પાદન અથવા સેવાને કારણે ગ્રાહકનું મૃત્યુ થાય છે, તો વેચનારને સાત વર્ષની કેદની સજા કરવામાં આવશે. તેમજ તેનો દંડ પણ 10 લાખ રૂપિયા થશે.

હવે ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે, હસ્તીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

જાહેરાતમાં કરેલા દાવાની તપાસ કરવાની જવાબદારી સેલિબ્રિટીની રહેશે.

ભેળસેળ કરાયેલ સામાન અને ખરાબ ઉત્પાદનો માટે કંપનીઓને દંડ અને વળતરની જોગવાઈ છે.

ખોટી ફરિયાદ કરવાથી હવે 50 હજાર રૂપિયા સુધીનો દંડ આવશે.

હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન કાઉન્સિલની રચના કરવામાં આવશે, જેમાં 35 સભ્યો હશે.



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work